Junagadh: શહેરમાં આવેલા નરસિંહ મહેતા તળાવના બ્યુટીફીકેશન માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અઘ્યક્ષતામાં યોજાઇ બેઠક

SHARE THE NEWS

Gandhinagar: CM વિજય રૂપાણીની અઘ્યક્ષતામાં જૂનાગઢ શહેરમાં આવેલા નરસિંહ મહેતા તળાવ (Narsinh Mehta Lake) ના બ્યુટીફીકેશન માટે અને જૂનાગઢ શહેરમાં રેલવેના ઓવરબ્રિજ-અંડરબ્રિજ તૈયાર કરવા અંગેની વિસ્તૃત બેઠક ગાંધીનગર ખાતે યોજાઇ હતી.

જૂનાગઢના લોકો માટે જૂનાગઢના હૃદય સમા અને શહેરની શાન એવા નરસિંહ મહેતા તળાવને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા મુખ્યમંત્રીએ આ બેઠકમાં જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આ ઉપરાંત તેમણે જૂનાગઢ શહેરમાંથી પસાર થતી રેલવેના કારણે વિવિધ ક્રોસિંગ ઉપર થતા ટ્રાફિકનું ભારણ ઘટાડવા અને ફાટક મુક્ત શહેર બનાવવા તેમજ નવા ઓવરબ્રિજ અને અંડરબ્રિજ નિર્માણ માટે જરૂરી સૂચનો કર્યા હતા.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *