SwaminarayanTemple Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/swaminarayantemple/ News for India Wed, 12 May 2021 13:16:30 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png SwaminarayanTemple Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/swaminarayantemple/ 32 32 174330959 ન્યૂજર્સીના સ્વામિનારાયણ મંદિર ઉપર FBIએ રેઈડ કેમ પાડી? http://revoltnewsindia.com/why-did-the-fbi-raid-the-swaminarayan-temple-in-new-jersey/1684/ http://revoltnewsindia.com/why-did-the-fbi-raid-the-swaminarayan-temple-in-new-jersey/1684/#respond Wed, 12 May 2021 13:11:45 +0000 http://revoltnewsindia.com/%e0%aa%a8%e0%ab%8d%e0%aa%af%e0%ab%82%e0%aa%9c%e0%aa%b0%e0%ab%8d%e0%aa%b8%e0%ab%80%e0%aa%a8%e0%aa%be-%e0%aa%b8%e0%ab%8d%e0%aa%b5%e0%aa%be%e0%aa%ae%e0%aa%bf%e0%aa%a8%e0%aa%be%e0%aa%b0%e0%aa%be%e0%aa%af/ ભારતમાં કોઈ વિચારી ન શકે તેવું અમેરિકામાં થઈ શકે છે. ભારતમાં માનવ હક્કો કચડાતા હોય તો રાજ્યની CID ક્રાઈમ કે કેન્દ્ર સરકારની CBI પીડિતોને મદદ તો ન કરે; ઉલટાનું માનવહક્કો…

The post ન્યૂજર્સીના સ્વામિનારાયણ મંદિર ઉપર FBIએ રેઈડ કેમ પાડી? appeared first on REVOLT NEWS INDIA.

]]>

ભારતમાં કોઈ વિચારી ન શકે તેવું અમેરિકામાં થઈ શકે છે.

ભારતમાં માનવ હક્કો કચડાતા હોય તો રાજ્યની CID ક્રાઈમ કે કેન્દ્ર સરકારની CBI પીડિતોને મદદ તો ન કરે; ઉલટાનું માનવહક્કો કચડવામાં સહયોગ આપે ! અમેરિકામાં લોકમત જાગૃત છે; કેમકે મીડિયા જાગૃત છે; એટલે ‘પવિત્ર સ્થળો’એ રેઈડ કરી કાનૂની કાર્યવાહી કરવામાં આવે છે. 11 મે 2021 ના રોજ ન્યૂજર્સીના રોબિન્સવિલે સ્થિત BAPS-બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા નિર્માણાધિન મંદિર ખાતે FBI-ફેડરલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશને રેઈડ કરતા ઊહાપોહ મચી ગયો !

FBIએ આ મંદિર ઉપર શામાટે રેઈડ પાડી?

ભારતથી 200 જેટલાં કારીગરો/શ્રમિકોને મંદિર નિર્માણના કામ માટે ત્યાં લઈ જવામાં આવ્યા છે. આ શ્રમિકો પાસે વીકમાં 90 કલાક સુધી કામ લેવાતું હતું અને કલાક દીઠ વળતર ઓછું ચૂકવાતું હતું ! BAPS સામે બળજબરીપૂર્વક કામ કરાવવા/ટ્રાફિકિંગ/વેતનચોરી અંગે lawsuit-કેસ દાખલ થતા FBIએ મંદિર ઉપર રેઈડ કરી હતી. ન્યૂજર્સીમાં minimum wage-લઘુત્તમ વેતન કલાકના 12 ડોલર છે; જ્યારે મંદિર નિર્માણનું કામ કરતા આ શ્રમિકોને કલાકના માત્ર 1.20 ડોલરનું જ વેતન ચૂકવવામાં આવતું હતું !

શ્રમિકોના વકીલે મીડિયાને જણાવેલ કે “ભારતથી આ શ્રમિકોને ‘ધાર્મિક કાર્યકરો’ તરીકે અહીં લાવવામાં આવેલ છે; પરંતુ તેઓ નથી ધાર્મિક કાર્યકરો કે નથી સ્વયંસેવકો ! તેઓ માત્ર શ્રમિકો છે. તેમને પરત જવાની મંજૂરી અપાતી નથી; તેમના પાસપોર્ટ મંદિરે લઈ લીધેલ છે ! શ્રમિકોને કહી રાખેલ છે કે બહાર જશો તો પોલીસ પકડી જશે ! દિવસમાં 13 કલાક સુધી શ્રમિકો પાસેથી પશુ કે યંત્ર જેમ કામ લેવાતું હતું ! મોટા પથ્થરોને ઊંચકવા/ ક્રેન ચલાવવી/ખાડાઓ ખોદવા/સળિયાઓ ફેરવવા વગેરે મેન્યુઅલ કામ શ્રમિકો કરતા હતા.” શ્રમિકોનું કેટલું શોષણ ! કલાકના 12 ડોલરના બદલે માત્ર સવા ડોલર ચૂકવાય !

શ્રમિકોના પાસપોર્ટ મંદિર પોતાની પાસે કઈ રીતે રાખી શકે?

કોઈ શ્રમિકને ભારત પરત આવવું હોય તો પણ મંદિર મંજૂરી ન આપે ! આ મંદિરવાળા ભારતથી માત્ર પથ્થરો અને શ્રમિકો નથી લઈ ગયા; સાથે વેઠપ્રથા પણ લઈ ગયા છે ! આ શ્રમિકોમાં દલિતો પણ છે. વિચારો; ગર્વથી એવો દાવો કરવામાં આવે છે કે આ મંદિરો ભારતીય સંસ્કૃતિ/સંસ્કારનું વિદેશોમાં પ્રતિનિધિત્વ કરે છે; શું આ દાવો ખોખલો નથી?

લેખક: રમેશ સવાણી (પૂર્વ આઈજીપી અને આચાર્ય પોલીસ તાલીમ કેન્દ્ર વડોદરા, ગુજરાત સરકાર)

Loading

The post ન્યૂજર્સીના સ્વામિનારાયણ મંદિર ઉપર FBIએ રેઈડ કેમ પાડી? appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/why-did-the-fbi-raid-the-swaminarayan-temple-in-new-jersey/1684/feed/ 0 1684