કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ આવતીકાલે દેવભૂમિ દ્વારકાના પ્રવાસે

SHARE THE NEWS
File photo

ગૃહમંત્રી અમિત શાહ ઓખા ખાતે નેશનલ એકેડેમી ઓફ કોસ્ટલ પોલીસિંગના ભૂમિપૂજન અને શિલાન્યાસ કરશે

કેન્દ્રીય ગૃહમંત્રી અમિત શાહ તા. 20 મેના રોજ દેવભૂમિ દ્વારકા જિલ્લાના પ્રવાસે પધારી રહ્યા છે. કેન્દ્રિય ગૃહમંત્રી શારદાપીઠ ખાતે આદી શંકરાચાર્ય સહજાનંદ સરસ્વતી સાથે શુભેચ્છા મુલાકાત કરશે. અને ત્યારબાદ ભગવાન દ્વારકાધીશના દર્શન કરશે. તેમજ નેશનલ એકેડેમી ઓફ કોસ્ટલ પોલીસિંગ, ઓખાની મુલાકાત લેશે.

ગૃહમંત્રી અમિત શાહ, ઓખા ખાતે નેશનલ એકેડેમી ઓફ કોસ્ટલ પોલીસિંગના ભૂમિપૂજન અને શિલાન્યાસ કરશે. આ કાર્યક્રમ અંતર્ગત કચ્છ જિલ્લાના જખૌ તટ પર આવેલી BSFની 05 કોસ્ટલ આઉટપોસ્ટનું તેમજ સરક્રીક વિસ્તારમાં લખપતવારી ખાતેના એક OP ટાવરનું પણ E-ઉદઘાટન કરશે.

File photo

નેશનલ એકેડમી ઓફ કોસ્ટલ પોલીસિંગ (NACP) ની સ્થાપના 09 કોસ્ટલ રાજ્યો, 05 કેન્દ્રશાસિત પ્રદેશોમાં તટીય પોલીસ અને કેન્દ્રીય પોલીસ દળોને સઘન અને ઉચ્ચ સ્તરીય તાલીમ આપવા માટે કરવામાં આવી છે.

ભારત સરકારે આધુનિક ઈન્ફ્રાસ્ટ્રક્ચર, નવીનતમ ટેકનોલોજી અને અત્યાધુનિક તાલીમ સુવિધાઓ સાથે NACPને વિકસાવવા માટે રૂ. 441 કરોડ મંજૂર કર્યા છે.

જે દરિયાકાંઠાની સરહદોની સુરક્ષા વધારવામાં મહત્વપૂર્ણ યોગદાન આપશે. કચ્છ જિલ્લામાં મેડીથી જખૌ દરિયા કિનારા સુધી રૂ. 164 કરોડના ખર્ચે બાંધવામાં આવેલી 18 કોસ્ટલ આઉટપોસ્ટ પૈકીની 05 કોસ્ટલ આઉટપોસ્ટનું E-ઉદઘાટન કરવામાં આવી રહ્યું છે.

ઉપરાંત સરક્રીકમાં લખપતવારી બેટ ખાતેનો ઓપી ટાવર BSF ટુકડીઓની ઉપસ્થિતિ સુનિશ્ચિત કરશે. NACP, ઓખા ખાતેના કાર્યક્રમમાં કેન્દ્રીય ગૃહ સચિવ અને ડીજી, BSF પણ ઉપસ્થિત રહેશે.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *