આ ધમ્મ-શિબિરનું ત્રીરત્ન બૌદ્ધ સંસ્થાન જૂનાગઢ દ્વારા કરવામાં આયોજન થયેલ હતું. જેનું સંચાલન ત્રીરત્ન બૌદ્ધ મહાસંઘના ધમ્મમિત્ર અને ધમ્મચારી દ્વારા સુંદર અને શ્રદ્ધાપૂર્ણ કરવામાં આવ્યું હતુ.Rajkot: રાજકોટ જિલ્લામાં ખોડલધામ (કાગવડ) પાસે ખંભાલિડામાં ઐતિહાસિક બૌદ્ધ ગુફાઓ આવેલી છે. જે પુરાતત્વ ખાતા મુજબ 1800 વર્ષ પ્રાચીન ગુફાઓ છે. જેની નજીકમાં જ સરકાર દ્વારા લાખોના ખર્ચે ધ્યાન-કેન્દ્ર પણ બનાવવામાં આવી રહ્યું છે.ખંભાલિડા ગામમાં આવેલ બૌદ્ધ ગુફાઓનું બૌદ્ધ ધર્મના અનુયાયીઓમાં ખાસ્સું મહત્વ છે. જેને લઇને આંતરાષ્ટ્રિય સંસ્થા ત્રીરત્ન બૌદ્ધ મહાસંઘ કે જે બૌદ્ધ ધર્મના પ્રચાર-પ્રસારનું કામ કરે છે.તેમની સહયોગી સંસ્થા ત્રીરત્ન બૌદ્ધ સંસ્થાન જૂનાગઢ દ્વારા ‘બોધીસત્વ આદર્શ’ પર ધમ્મ-શિબિર યોજવામાં આવી હતી.જેમાં અમદાવાદ, રાજકોટ, જૂનાગઢ, જેતપુર તેમજ બીજા અલગ અલગ સ્થળોએથી બૌદ્ધ ધર્મના અનુયાયીઓ આવ્યાં હતાં.અને આ ધમ્મ-શિબિરનો લાભ લીધો હતો. જેમાં બૌદ્ધ આચાર્ય તરીકે ધમ્મચારી મંજુરત્ન શ્રેષ્ઠી અને ધમ્મચારી જીનસિદ્ધી દ્વારા સમગ્ર શિબિરનું સંચાલન કરવામાં આવ્યું હતું.ધમ્મચારી મંજુરત્નના જણાવ્યા મુજબ આ નિવાસી શિબિર તા. 25થી 27 ઓકટોબર દરમિયાન યોજવામાં આવી હતી. તેમજ તેમણે આગળ જણાવ્યું હતું કે આ ખંભાલિડા ગામના આગેવાન વિક્રમદાદા અને ગામવાસીઓ દ્વારા આ શિબિર કરવા માટે ખૂબ મદદ કરવામાં આવી હતી.અને આ શિબિરમાં 25ની આસપાસ પરિવારો દ્વારા ધર્મ શિબિરનો લાભ લેવામાં આવ્યો હતો.