Accident Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/accident/ News for India Sun, 21 Feb 2021 19:14:48 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png Accident Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/accident/ 32 32 174330959 ગોંડલના બે મિત્રોને વીરપુર પાસે નડ્યો અકસ્માત, હાઇવેનું સેફટી ગડર કારની થયું આરપાર http://revoltnewsindia.com/road-accident-near-virpur/1541/ http://revoltnewsindia.com/road-accident-near-virpur/1541/#respond Sun, 21 Feb 2021 18:58:00 +0000 http://revoltnewsindia.com/%e0%aa%97%e0%ab%8b%e0%aa%82%e0%aa%a1%e0%aa%b2%e0%aa%a8%e0%aa%be-%e0%aa%ac%e0%ab%87-%e0%aa%ae%e0%aa%bf%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0%e0%ab%8b%e0%aa%a8%e0%ab%87-%e0%aa%b5%e0%ab%80%e0%aa%b0%e0%aa%aa/ વીરપુર હાઇવે પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં સગાઈના પ્રસંગમાં જઈ રહેલા ગોંડલના બે મિત્રોને અકસ્માત નડતા હાઇવે પરનું સેફટી ગડર કારની આરપાર થઇ જતા બંને મિત્રો…

The post ગોંડલના બે મિત્રોને વીરપુર પાસે નડ્યો અકસ્માત, હાઇવેનું સેફટી ગડર કારની થયું આરપાર appeared first on REVOLT NEWS INDIA.

]]>

વીરપુર હાઇવે પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં સગાઈના પ્રસંગમાં જઈ રહેલા ગોંડલના બે મિત્રોને અકસ્માત નડતા હાઇવે પરનું સેફટી ગડર કારની આરપાર થઇ જતા બંને મિત્રો ગંભીર રીતે ઘવાયા હતા.

ગોંડલના ભોજરાજપરામાં રહેતા અને માર્કેટિંગ યાર્ડમાં કામ કરતા પ્રતિક પડાળીયા અને ચોરડી દરવાજા પાસે રહેતા પારસ રૈયાણી એકસાથે ગોંડલથી વીરપુર કારમાં જતા હતા.

ત્યારે વીરપુર નજીક રવિરાજ હોટલ પાસે નેશનલ હાઈવેના સેફટી ગડર સાથે કાર અથડાતા સેફટી ગડર આશરે 20 ફૂટથી પણ વધારે કારની આરપાર નીકળી ગયું હતું.

આ ભયાનક રીતે સર્જાયેલા અકસ્માતમાં બંને મિત્રો ગંભીર રીતે ઘવાયા હતા. બંને મિત્રો વીરપુર મિત્રના પત્નીને તેડવા જઈ રહ્યા હતા ત્યારે હાઇવે પર ટ્રક વધુ નજીક આવી જતા કાર ગડરમાં ઘુસી ગઈ હતી.

Loading

The post ગોંડલના બે મિત્રોને વીરપુર પાસે નડ્યો અકસ્માત, હાઇવેનું સેફટી ગડર કારની થયું આરપાર appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/road-accident-near-virpur/1541/feed/ 0 1541
ઔરૈયા અકસ્માત પર બસપા સુપ્રીમો માયાવતી કેન્દ્ર અને રાજ્ય સરકાર પર લાલઘુમ, ઉઠાવ્યા અનેક પ્રશ્નો http://revoltnewsindia.com/mayawati-raised-questions-on-central-and-state-governments-on-auraiya-road-accident/910/ http://revoltnewsindia.com/mayawati-raised-questions-on-central-and-state-governments-on-auraiya-road-accident/910/#respond Sat, 16 May 2020 07:15:15 +0000 http://revoltnewsindia.com/?p=910 ઉત્તરપ્રદેશ: કોરોના વાયરસના કારણે લાગેલા લોકડાઉનમાં પરપ્રાંતિય મજૂરો પોતાના રાજ્ય તરફ પરત ફરી રહ્યા છે, ત્યારે શનિવારે વહેલી સવારે ઉત્તરપ્રદેશના ઔરૈયામાં માર્ગ અકસ્માતમાં શ્રમિકોના મોત થયા હતા. જેના પર બહુજન…

The post ઔરૈયા અકસ્માત પર બસપા સુપ્રીમો માયાવતી કેન્દ્ર અને રાજ્ય સરકાર પર લાલઘુમ, ઉઠાવ્યા અનેક પ્રશ્નો appeared first on REVOLT NEWS INDIA.

]]>

ઉત્તરપ્રદેશ: કોરોના વાયરસના કારણે લાગેલા લોકડાઉનમાં પરપ્રાંતિય મજૂરો પોતાના રાજ્ય તરફ પરત ફરી રહ્યા છે, ત્યારે શનિવારે વહેલી સવારે ઉત્તરપ્રદેશના ઔરૈયામાં માર્ગ અકસ્માતમાં શ્રમિકોના મોત થયા હતા. જેના પર બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ દુઃખ વ્યક્ત કર્યું છે અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે.

બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન માયાવતીએ ઔરૈયા માર્ગ અકસ્માતમાં શ્રમિકોના મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે. અને કેન્દ્ર અને રાજ્ય સરકાર પર પ્રશ્નોનો મારો ચલાવ્યો છે. માયાવતીએ કહ્યું કે, જ્યારે શ્રમિકોને રહેવા અને ખાવાની વ્યવસ્થા ત્યાંની સરકાર કરી રહી નથી, તેથી જ લોકો પોતાના ઘરે પરત ફરવા મજબુર બન્યા છે, જે ખૂબ જ દુઃખદ વાત છે.

માયાવતીએ કહ્યું કે, દુઃખની વાત એ છે કે, મજૂરોને ત્યાંની સરકાર રહેવા અને ખાવાની વ્યવસ્થા આપી રહી નથી. જેથી તેઓ પોતાના ગૃહ રાજ્ય પરત ફરી રહેવા મજબુર બન્યા છે. કેન્દ્ર અને રાજ્ય બંને સરકારોની જવાબદારી બને છે કે, તેના મુળ રાજ્ય સુધી મોકવાની જવાબદારીનું નિર્વાહન કરે.

તેમને મોકલવાની વ્યવસ્થા પણ કરવામાં આવે.માયાવતીએ વધુમાં કહ્યું કે, વારંવાર શ્રમિકોની સમસ્યાઓ વધી રહી છે. આ વાતને કહી રહી છું કે, જ્યારે શ્રમિક પોતાના ગૃહ રાજ્ય પર જવા ઇચ્છે છે, તો તેમને મોકલવા જોઇએ. કેન્દ્ર અને રાજ્ય સરકારો કહેતી રહી કે, તે શ્રમિકોને તેમના ગૃહ રાજ્ય મોકલવાનો વ્યવસ્થા કરી રહી છે, પરંતુ આ દરમિયાન તમામ અવ્યવસ્થાઓ સામે આવી રહી છે.

રોજગાર બંધ હોવા છતાં તેઓ પાસેથી પૈસા લેવામાં આવે છે. તેમનું જીવન પસાર કરવું પણ મુશ્કેલ બન્યું છે. બસપા અધ્યક્ષનું કહેવું છે કે, જ્યારે તે શ્રમિકો બેરોજગાર બન્યો છે અને તેના પૈસા ખર્ચાઇ ગયા છે. આ વચ્ચે તમામ અર્થવ્યવસ્થાઓને લીધે દેશમાં કેટલીય ઘટનાઓ બની રહી છે. સરકારે તેને ગંભીરતાથી લેવી જોઇએ.

Loading

The post ઔરૈયા અકસ્માત પર બસપા સુપ્રીમો માયાવતી કેન્દ્ર અને રાજ્ય સરકાર પર લાલઘુમ, ઉઠાવ્યા અનેક પ્રશ્નો appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/mayawati-raised-questions-on-central-and-state-governments-on-auraiya-road-accident/910/feed/ 0 910