BloodDonationCamp Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/blooddonationcamp/ News for India Mon, 06 Dec 2021 12:11:24 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png BloodDonationCamp Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/blooddonationcamp/ 32 32 174330959 Jetpur: બાબસાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે સરધારપુર ગામમાં યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ http://revoltnewsindia.com/jetpur-blood-donation-camp-held-in-sardarpur-village-on-the-occasion-of-babasaheb-ambedkars-punyatithi/4828/ http://revoltnewsindia.com/jetpur-blood-donation-camp-held-in-sardarpur-village-on-the-occasion-of-babasaheb-ambedkars-punyatithi/4828/#respond Mon, 06 Dec 2021 11:40:45 +0000 https://revoltnewsindia.com/?p=4828 આજે બાબાસાહેબ ડો. ભીમરાવ આંબેડકરના (Dr. Bhimrao Ambedkar) 65 માં પરિનિર્વાણ દિવસ (Death Anniversary) નિમિત્તે દેશભરમાં તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે. જેને લઈને જેતપુર (Jetpur) તાલુકાના સરધારપુર (Sardharpur) ગામમાં…

The post Jetpur: બાબસાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે સરધારપુર ગામમાં યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ appeared first on REVOLT NEWS INDIA.

]]>

આજે બાબાસાહેબ ડો. ભીમરાવ આંબેડકરના (Dr. Bhimrao Ambedkar) 65 માં પરિનિર્વાણ દિવસ (Death Anniversary) નિમિત્તે દેશભરમાં તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે. જેને લઈને જેતપુર (Jetpur) તાલુકાના સરધારપુર (Sardharpur) ગામમાં પણ એક રકતદાન કેમ્પનું (Blood Donation camp) નું આયોજન કરવામાં આવ્યું હતું.

રકતદાન કેમ્પમાં 50 થી વધુ લોકોએ કર્યું રકતદાન

રકતદાન કેમ્પમાં એકઠું થયેલ લોહી રાજકોટ સિવિલ ખાતે મોકલાશે

થેલેસેમિયાની બીમારીથી પીડાતા બાળકોને ઉપયોગી થશે રક્તદાનમાં એકઠું થયેલ રક્ત

રાજકોટ: જિલ્લાના જેતપુર તાલુકાના સરધારપુર ગામે આજે બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ગૌતમ બુદ્ધ યુવા સંગઠન અને તેમની સહયોગી સંસ્થા ફુલે-આંબેડકર મિશન જેતપુર દ્વારા કરવામાં આવ્યું હતું.

આ બ્લડ ડોનેશન કેમ્પમાં 50 થી વધુ લોકોએ અનેરા ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. અને તેમના લોહીનું દાન કર્યું હતું. આ કેમ્પના આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ રકતદાન કેમ્પમાં એકઠું થયેલ રક્ત રાજકોટ સિવીલ હોસ્પિટલમાં મોકલવામાં આવશે.

સાથે જ તેમણે જણાવ્યું હતું કે આ એકઠું થયેલ બ્લડ ખાસ થેલેસેમિયાથી પીડાતા બાળકોને ઉપયોગી થશે. તેમજ વધુમાં ગૌતમ બુદ્ધ યુવા સંગઠનના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે આવા કેમ્પ કરવાથી માનવતાની મહેક મહેકાવી શકાય છે. અને માનવ-માનવ વચ્ચેના માનવીય સંબંધો વિકસાવી શકાય છે.

આ બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ ડોનેટ કરનારા વ્યક્તિઓને ભેટમાં બાબાસાહેબ આંબેડકરની છબી અને સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ રાજકોટના પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા હતા.

ગૌતમ બુદ્ધ યુવા સંગઠન સરધારપુર દ્વાર કરવામાં આવી સમગ્ર કામગીરી

આ સરધારપુર ગામમાં યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પમાં ગૌતમ બુદ્ધ યુવા સંગઠન સરધારપુરના કાર્યકર્તાઓ પ્રકાશભાઈ રાઠોડ, ધનજીભાઈ લુવાર, રોહિતભાઈ, ડો. સવજી બગડા તેમજ અન્ય કાર્યકર્તાઓ દ્વારા ઉત્સાહપૂર્વક માનવધર્મનું કાર્ય કર્યું હતું.

By Team Revolt Jetpur. Mo. +919879914491

Loading

The post Jetpur: બાબસાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે સરધારપુર ગામમાં યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-blood-donation-camp-held-in-sardarpur-village-on-the-occasion-of-babasaheb-ambedkars-punyatithi/4828/feed/ 0 4828
Jetpur: ગણેશમહોત્સવના પાવન પ્રસંગે સમાજસેવા અર્થે રક્તદાન કેમ્પનું કરવામાં આવ્યું આયોજન http://revoltnewsindia.com/jetpur-blood-donation-camp-was-organized-on-the-auspicious-occasion-of-ganesh-mahotsav-for-social-service/2899/ http://revoltnewsindia.com/jetpur-blood-donation-camp-was-organized-on-the-auspicious-occasion-of-ganesh-mahotsav-for-social-service/2899/#respond Sun, 12 Sep 2021 07:59:01 +0000 https://revoltnewsindia.com/?p=2899 હાલ ગુજરાત સહીત દેશભરમાં ગણેશોત્સવની ભાવભેર ઉજવણી થઇ રહી છે ગણેશોત્સવ નિમિત્તે અનેક સામાજિક, સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવે છે. ગણેશોત્સવના પાવન પ્રસંગે ગણપતિની સ્થાપના કર્યા બાદ તેમની સેવાપૂજા કરવાની…

The post Jetpur: ગણેશમહોત્સવના પાવન પ્રસંગે સમાજસેવા અર્થે રક્તદાન કેમ્પનું કરવામાં આવ્યું આયોજન appeared first on REVOLT NEWS INDIA.

]]>

હાલ ગુજરાત સહીત દેશભરમાં ગણેશોત્સવની ભાવભેર ઉજવણી થઇ રહી છે ગણેશોત્સવ નિમિત્તે અનેક સામાજિક, સાંસ્કૃતિક કાર્યક્રમો પણ યોજવામાં આવે છે.

ગણેશોત્સવના પાવન પ્રસંગે ગણપતિની સ્થાપના કર્યા બાદ તેમની સેવાપૂજા કરવાની સાથે કંઈક ઉમદું અને સમાજ ઉપયોગી કાર્ય કરવાના હેતુસર જેતપુર શહેરના જૂનાગઢ રોડ પર બોસમીયા કોલેજ પાસે સ્થિત શિવિકા કોમ્પ્લેક્ષમાં ગણપતિની સ્થાપના કરનાર શટરબર્ગ આઈએનસી, પીક્ષલ સાઈનેજ, મહાવીર મોડેલિંગ, ધર્મા ફ્લાવર્સ એન્ડ ડેકોરેશન, પુજારા ટેલિકોમ, ક્રિસ્ટલ ઇવેન્ટ્સ, યશ વઘાસીયા ફોટોગ્રાફી તેમજ શિવિકા કોમ્પ્લેક્ષ મિત્રમંડળ દ્વારા જે.સી.આઈ. જેતપુર અને લાયન્સ ક્લબ જેતપુરના સહયોગથી મહારક્તદાન કેમ્પનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ રક્તદાન કેમ્પમાં અનેક નામી-અનામી સેવાભાવી યુવકોએ સ્વૈચ્છીક રક્તદાન કરી અન્યની બુઝાતી જીંદગીને જીવનદાન આપી સ્વૈચ્છીક રક્તદાનનો મહિમા સમાજમાં ફેલાવવાનો સંકલ્પ કર્યો હતો.

Loading

The post Jetpur: ગણેશમહોત્સવના પાવન પ્રસંગે સમાજસેવા અર્થે રક્તદાન કેમ્પનું કરવામાં આવ્યું આયોજન appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-blood-donation-camp-was-organized-on-the-auspicious-occasion-of-ganesh-mahotsav-for-social-service/2899/feed/ 0 2899