Mayawati Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/mayawati/ News for India Sun, 24 Mar 2024 14:57:35 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png Mayawati Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/mayawati/ 32 32 174330959 Uttarpradesh: BSPએ 16 ઉમેદવારોની યાદી કરી જાહેર, સાત મુસ્લિમ ઉમેદવારોને આપી ટિકિટ http://revoltnewsindia.com/uttar-pradesh-bsp-releases-list-of-16-candidates-gives-tickets-to-seven-muslim-candidates/7972/ http://revoltnewsindia.com/uttar-pradesh-bsp-releases-list-of-16-candidates-gives-tickets-to-seven-muslim-candidates/7972/#respond Sun, 24 Mar 2024 14:46:17 +0000 http://revoltnewsindia.com/?p=7972 Lok Sabha Elections 2024: બહુજન સમાજ પાર્ટી (BSP)એ આગામી લોકસભા ચૂંટણી-2024 માટે ઉત્તરપ્રદેશમાંથી તેમના 16 ઉમેદવારો (BSP Candidates List)ના નામની જાહેરાત કરી દીધી છે. બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય કોર્ડીનેટર આકાશ…

The post Uttarpradesh: BSPએ 16 ઉમેદવારોની યાદી કરી જાહેર, સાત મુસ્લિમ ઉમેદવારોને આપી ટિકિટ appeared first on REVOLT NEWS INDIA.

]]>

Lok Sabha Elections 2024: બહુજન સમાજ પાર્ટી (BSP)એ આગામી લોકસભા ચૂંટણી-2024 માટે ઉત્તરપ્રદેશમાંથી તેમના 16 ઉમેદવારો (BSP Candidates List)ના નામની જાહેરાત કરી દીધી છે. બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય કોર્ડીનેટર આકાશ આનંદે આ માહિતી તેમના સોશિયલ મીડિયા હેન્ડલ X-એક્સ (ટ્વિટર) પર શેર કરી છે, ત્યારે વાંચો કોને ક્યાંથી ટિકિટ મળી.

બહુજન સમાજ પાર્ટીએ રવિવારે ઉત્તરપ્રદેશમાંથી આગામી લોકસભા ચૂંટણી-2024 માટે 16 ઉમેદવારોના નામની જાહેરાત કરી છે. આ યાદીમાં બસપાએ સાત મુસ્લિમ ઉમેદવારોને ટિકિટ આપી છે.

જેમાં સહારનપુર સીટ પર સપા-કોંગ્રેસ ગઠબંધનના ઈમરાન મસૂદ સામે માજીદ અલીને મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. કૈરાના લોકસભા સીટ પરથી શ્રીપાલ સિંહનો મુકાબલો ઇકરા હસન સામે થશે.

દારા સિંહ પ્રજાપતિ મુઝફ્ફરનગર સીટથી, વિજેન્દ્ર સિંહ બિજનૌરથી મેદાનમાં છે. સુરેન્દ્ર પાલ સિંહને BSP તરફથી નગીના (SC)થી ટિકિટ મળી છે. મોહમ્મદ ઈરફાન સૈફીને મુરાદાબાદથી ઉમેદવાર બનાવવામાં આવ્યા છે. જીશાન ખાન રામપુર બેઠક પરથી ચૂંટણી લડશે.

શૌલત અલીને સંભલ લોકસભા સીટ પરથી મેદાનમાં ઉતારવામાં આવ્યા છે. તેઓ શફીકુર રહેમાન બર્કના અનુગામી ઝિયાઉર રહેમાન સાથે સ્પર્ધા કરશે.

બસપાએ અમરોહા લોકસભા સીટ પરથી મુજાહિદ હુસૈનને પોતાના ઉમેદવાર બનાવ્યા છે. તેમનો મુકાબલો ભાજપના કંવર સિંહ તવર અને સપા-કોંગ્રેસ ગઠબંધનના દાનિશ અલી સાથે થશે.

ઉત્તરપ્રદેશમાંથી 16 ઉમેદવારોની યાદી:

સહારનપુર સીટથી માજીદ અલી,
કૈરાના લોકસભા સીટથી શ્રીપાલ સિંહ,
મુઝફ્ફરનગર બેઠક પરથી દારા સિંહ પ્રજાપતિ,
બિજનૌર લોકસભા સીટથી વિજેન્દ્ર સિંહ,
નગીના (SC) બેઠક પરથી સુરેન્દ્ર પાલ સિંહ,
મુરાદાબાદથી મોહમ્મદ ઈરફાન સૈફી,
રામપુરથી જીશાન ખાન,
સંભલથી શૌલત અલી,
અમરોહા મુજાહિદ હુસૈન,
મેરઠથી દેવવ્રત ત્યાગી,
બાગપતથી પ્રવીણ બંસલ,
ગૌતમ બુદ્ધ નગરથી રાજેન્દ્રસિંહ સોલંકી,
બુલંદશહેર (SC)બેઠક પરથી ગિરીશ ચંદ્ર જાટવ,
આંવલાથી આબિદ અલી,
પીલીભીતથી અનીસ અહેમદ ખાન ઉર્ફે ફૂલબાબુ,
શાહજહાંપુર (SC)બેઠક પરથી ડો. દોદરામ વર્મા.

Loading

The post Uttarpradesh: BSPએ 16 ઉમેદવારોની યાદી કરી જાહેર, સાત મુસ્લિમ ઉમેદવારોને આપી ટિકિટ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/uttar-pradesh-bsp-releases-list-of-16-candidates-gives-tickets-to-seven-muslim-candidates/7972/feed/ 0 7972
લોકસભા ચૂંટણી 2024ને લઈને BSP સુપ્રીમો માયાવતીનું મોટું એલાન http://revoltnewsindia.com/bsp-supremo-mayawatis-big-announcement-regarding-lok-sabha-elections-2024/7956/ http://revoltnewsindia.com/bsp-supremo-mayawatis-big-announcement-regarding-lok-sabha-elections-2024/7956/#respond Sun, 10 Mar 2024 11:11:31 +0000 https://revoltnewsindia.com/?p=7956 Lok Sabha elections 2024: આ વર્ષે એટલે કે 2024માં લોકસભા ચૂંટણી યોજવાની છે ત્યારે અલગ અલગ રાજકીય પાર્ટીઓ પોતાના દમખમ સાથે ચૂંટણી પ્રચારમાં લાગી ગઈ છે. અને રાષ્ટ્રીય પાર્ટીઓ જેવી…

The post લોકસભા ચૂંટણી 2024ને લઈને BSP સુપ્રીમો માયાવતીનું મોટું એલાન appeared first on REVOLT NEWS INDIA.

]]>

Lok Sabha elections 2024: આ વર્ષે એટલે કે 2024માં લોકસભા ચૂંટણી યોજવાની છે ત્યારે અલગ અલગ રાજકીય પાર્ટીઓ પોતાના દમખમ સાથે ચૂંટણી પ્રચારમાં લાગી ગઈ છે. અને રાષ્ટ્રીય પાર્ટીઓ જેવી કે ભાજપ, બસપા અને કોંગ્રેસ પાર્ટીઓ પણ પોતાનો ચૂંટણી પ્રચાર કરી રહી છે. ત્યારે આ સમયે BSP સુપ્રીમો માયાવતીનું મોટું એલાન સામે આવ્યું છે.

વીડિયો જોવા માટે અહીં click કરો

બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ માયાવતીએ ટ્વિટર પર માહિતી આપતા કહ્યું કે, BSP સંપૂર્ણ તૈયારી અને તાકાત સાથે દેશમાં લોકસભાની સામાન્ય ચૂંટણી પોતાના બળ પર લડી રહી છે.

આવી સ્થિતિમાં ચૂંટણી ગઠબંધન કે ત્રીજો મોરચો વગેરેની અફવા ફેલાવવી એ અત્યંત ફેક અને ખોટા સમાચાર છે. મીડિયાએ આવા સમાચાર આપીને તેની વિશ્વસનીયતા ગુમાવવી જોઈએ નહીં અને લોકોએ પણ સાવચેત રહેવું જોઈએ.

ખાસ કરીને યુપીમાં બસપા ખૂબ જ મજબૂતી સાથે એકલા હાથે ચૂંટણી લડી રહી હોવાથી વિરોધી લોકો એકદમ બેચેન જોવા મળી રહ્યા છે.

તેથી જ તેઓ દરરોજ વિવિધ પ્રકારની અફવાઓ ફેલાવીને લોકોને ગેરમાર્ગે દોરવાનો પ્રયાસ કરતા રહે છે. પરંતુ બહુજન સમાજના હિતમાં બસપા એકલા હાથે ચૂંટણી લડવાના નિર્ણય પર મક્કમ છે.

Loading

The post લોકસભા ચૂંટણી 2024ને લઈને BSP સુપ્રીમો માયાવતીનું મોટું એલાન appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/bsp-supremo-mayawatis-big-announcement-regarding-lok-sabha-elections-2024/7956/feed/ 0 7956
મિશન 2022 ને લઈને ગુજરાત BSP એક્શન મોડમાં, ધડાધડ બનાવાઈ રહ્યું છે પાર્ટીનું બુથ લેવલનું સંગઠન http://revoltnewsindia.com/mission-2022-gujarat-bsp-in-action-mode/1854/ http://revoltnewsindia.com/mission-2022-gujarat-bsp-in-action-mode/1854/#comments Tue, 20 Jul 2021 19:44:06 +0000 http://revoltnewsindia.com/%e0%aa%ae%e0%aa%bf%e0%aa%b6%e0%aa%a8-2022-%e0%aa%a8%e0%ab%87-%e0%aa%b2%e0%aa%88%e0%aa%a8%e0%ab%87-%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4-bsp-%e0%aa%8f%e0%aa%95%e0%ab%8d%e0%aa%b6/ બહુજન સમાજ પાર્ટી (BSP) ગુજરાત (Gujarat) રાજ્યમાં એક્શન મોડમાં આવી છે. રાજ્યના દરેક જિલ્લા મથકોમાં હાલ પાર્ટીના સંગઠનનું માળખું બનાવવા માટે મીટીંગો ફટાફટ કરવામાં આવી રહી છે યુવાનોને આપવામાં આવી…

The post મિશન 2022 ને લઈને ગુજરાત BSP એક્શન મોડમાં, ધડાધડ બનાવાઈ રહ્યું છે પાર્ટીનું બુથ લેવલનું સંગઠન appeared first on REVOLT NEWS INDIA.

]]>

બહુજન સમાજ પાર્ટી (BSP) ગુજરાત (Gujarat) રાજ્યમાં એક્શન મોડમાં આવી છે. રાજ્યના દરેક જિલ્લા મથકોમાં હાલ પાર્ટીના સંગઠનનું માળખું બનાવવા માટે મીટીંગો ફટાફટ કરવામાં આવી રહી છે

યુવાનોને આપવામાં આવી રહ્યું છે પાર્ટીના સંગઠનમાં સ્થાન

આગામી સમયમાં ગુજરાત BSP ના સંગઠનમાં થઈ શકે છે, મોટો ફેરફાર

રાજકોટમાં બહુજન સમાજ પાર્ટીનું જિલ્લાનું સંગઠન બનાવવા માટે 20/July/2021 ના રોજ ભક્તિનગર પાસે આવેલા ડો. આંબેડકર હૉલમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં રાજકોટ જિલ્લાભરમાંથી BSP ના કાર્યકર્તાઓ હાજર રહેલા હતા.

તેમાં મોટી સંખ્યામાં યુવાવર્ગ જોવા મળ્યો હતો. આ મીટીંગમાં BSP ના ગુજરાત પ્રદેશ પ્રભારી ભગુભાઈ પરમાર અને BSP ના પદાધિકારીઓમાં સૌરાષ્ટ્ર ઝોન ઇન્ચાર્જ દામજીભાઈ સોંદરવા , મોહનભાઈ રાખૈયા અને ડૉ. જયંતિભાઈ માકડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ મિટિંગમાં બસપા રાજકોટ જિલ્લાના સંગઠનમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. જેમાં રાજકોટ જિલ્લા બસપા પ્રભારી તરીકે દિનેશ પડાયા, રાજકોટ જિલ્લા પ્રમુખ અરવિંદ ગોહેલ અને જીતેન્દ્ર મહિડાની જિલ્લા મહામંત્રી રાજકોટ તરીકે નિમણુંક કરવામાં આવી હતી.

BSP દ્વારા ગુજરાત પ્રદેશમાં કરવામાં આવી રહ્યું છે ફોકસ

બહુજન સમાજ પાર્ટી ગુજરાત રાજ્યના સંગઠન માળખામાં ઘણો ફેરફાર કરવા જઈ રહી છે, તેની સાથોસાથ યુવાવર્ગને પ્રોત્સાહન આપવા માટે યુવાનોને પણ પાર્ટીના મહત્વના પદ પર નિમણુંક આપવાની તૈયારીઓ BSP દ્વારા કરવામાં આવી રહી છે. આગામી સમયમાં ગુજરાત બસપા દ્વારા બુથ લેવલ સુધીના સંગઠનનું માળખું બનાવવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે.

શું PM નરેન્દ્ર મોદીનો વિકલ્પ માયાવતી છે?

આપને જણાવી આપીએ કે બહુજન સમાજ પાર્ટી દેશની ત્રીજા નંબરની રાષ્ટ્રીય પાર્ટી છે અને બહુજન સમાજ પાર્ટી દેશની એકમાત્ર એવી રાષ્ટ્રીય પાર્ટી છે, જેની લીડરશીપ એક દલિત મહિલા એટલે કે માયાવતીના હાથમાં છે. આગામી સમયમાં જ્યારે નરેન્દ્ર મોદી પછી કોણ અથવા કહીએ કે નરેન્દ્ર મોદીનો વિકલ્પ કોણ ત્યારે બસપા સુપ્રીમો માયાવતી સિવાય હાલ દેશમાં કોઈ નેતા નજર નહી આવે તેવું માનવાવાળા વર્ગની સંખ્યા ખૂબજ મોટા પ્રમાણમાં છે.

જુઓ વિડિઓ BSP ની રાજકોટ મિટિંગ અંગે:

 

Loading

The post મિશન 2022 ને લઈને ગુજરાત BSP એક્શન મોડમાં, ધડાધડ બનાવાઈ રહ્યું છે પાર્ટીનું બુથ લેવલનું સંગઠન appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/mission-2022-gujarat-bsp-in-action-mode/1854/feed/ 1 1854
અયોધ્યા: રામમંદિર શિલાન્યાસ અંગે શું કહે છે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ,પ્રકાશ આંબેડકર, માયાવતી અને બીજા અન્ય મહાનુભાવો, વાંચો પુરી વિગત http://revoltnewsindia.com/what-the-president-of-the-country-prakash-ambedkar-mayawati-and-other-dignitaries-have-to-say-about-the-foundation-stone-of-ayodhya-ram-temple-read-full-details/1241/ http://revoltnewsindia.com/what-the-president-of-the-country-prakash-ambedkar-mayawati-and-other-dignitaries-have-to-say-about-the-foundation-stone-of-ayodhya-ram-temple-read-full-details/1241/#respond Wed, 05 Aug 2020 08:32:52 +0000 http://revoltnewsindia.com/?p=1241 The post અયોધ્યા: રામમંદિર શિલાન્યાસ અંગે શું કહે છે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ,પ્રકાશ આંબેડકર, માયાવતી અને બીજા અન્ય મહાનુભાવો, વાંચો પુરી વિગત appeared first on REVOLT NEWS INDIA.

]]>

Loading

The post અયોધ્યા: રામમંદિર શિલાન્યાસ અંગે શું કહે છે દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ,પ્રકાશ આંબેડકર, માયાવતી અને બીજા અન્ય મહાનુભાવો, વાંચો પુરી વિગત appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/what-the-president-of-the-country-prakash-ambedkar-mayawati-and-other-dignitaries-have-to-say-about-the-foundation-stone-of-ayodhya-ram-temple-read-full-details/1241/feed/ 0 1241
બસપા સુપ્રીમો માયાવતી રાજસ્થાનની કોંગ્રેસ સરકાર પર આકરા પાણીએ http://revoltnewsindia.com/bsp-supremo-mayawati-lashes-out-at-rajasthan-congress-government/939/ http://revoltnewsindia.com/bsp-supremo-mayawati-lashes-out-at-rajasthan-congress-government/939/#respond Fri, 22 May 2020 11:11:05 +0000 http://revoltnewsindia.com/?p=939 ઉત્તરપ્રદેશ: બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ ​​કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર, તેમણે સવાલો ઉઠાવ્યા કે રાજસ્થાનથી વિદ્યાર્થીઓને મોકલવાના નામે ઉત્તરપ્રદેશ સરકાર પાસે પૈસાની માંગ કરનારી કોંગ્રેસની ગેહલોત સરકાર હવે બસો…

The post બસપા સુપ્રીમો માયાવતી રાજસ્થાનની કોંગ્રેસ સરકાર પર આકરા પાણીએ appeared first on REVOLT NEWS INDIA.

]]>

ઉત્તરપ્રદેશ: બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ ​​કોંગ્રેસ પર કર્યા આકરા પ્રહાર, તેમણે સવાલો ઉઠાવ્યા કે રાજસ્થાનથી વિદ્યાર્થીઓને મોકલવાના નામે ઉત્તરપ્રદેશ સરકાર પાસે પૈસાની માંગ કરનારી કોંગ્રેસની ગેહલોત સરકાર હવે બસો દ્વારા કામદારો મોકલવાની વાત કરીને રાજકીય રમત રમી રહી છે. આ ઘૃણાસ્પદ રાજકારણ ખૂબ જ દુ: ખદ છે. આ પ્રકારના કામથી કોંગ્રેસનો અમાનવીય ચહેરો પણ ખુલ્લો થયો છે.

બસપા અધ્યક્ષ માયાવતીએ ટ્વિટ કર્યું હતું કે, રાજસ્થાનની કોંગ્રેસ સરકારે કોટાથી આશરે 12,000 વિદ્યાર્થીઓને તેમના ઘરે પાછા મોકલવા પાછળ કરેલા ખર્ચ રૂપે યુપી સરકાર પાસેથી રૂપિયા 36.36 લાખની માંગ તેના અપમાનજનકતા અને અમાનવીયતાને પ્રતિબિંબિત કરશે. છે. બે પાડોશી રાજ્યો વચ્ચે આવી ઘૃણાસ્પદ રાજકારણ ખૂબ દુઃખદ છે.

બસપા પ્રમુખ માયાવતીએ કોંગ્રેસ દ્વારા મજૂરોને બસ દ્વારા ઘરે મોકલવાના પ્રસ્તાવને રાજકીય રમત કહી છે. તેમણે કહ્યું કે, કોંગ્રેસની રાજસ્થાન સરકાર યુપીના વિદ્યાર્થીઓને તેમની કેટલીક બસોમાંથી કોટાથી પરત મોકલવાના નામે ભાડુ લે છે. બીજી તરફ, હવે રાજકીય રમત રમનારી યુપીમાં સ્થળાંતર મજૂરોને તેમના ઘરે મોકલવાની બસની વાતો કરીને. તે કેટલું યોગ્ય અને કેવી રીતે માનવીય છે?પૂર્વ મુખ્ય પ્રધાન માયાવતીએ પશ્ચિમ બંગાળમાં તોફાનને કારણે થયેલા નુકસાન પર દુઃખ વ્યક્ત કર્યું હતું. તેમણે કહ્યું કે, અમ્ફાનના તોફાનથી સર્જા‍ય વિનાશને કારણે ખાસ કરીને પશ્ચિમ બંગાળમાં વ્યાપક વિનાશ અને વિનાશ સર્જાયો છે. તેનાથી જનજીવન ખરાબ રીતે અસરગ્રસ્ત થયું છે. આવી સ્થિતિમાં, ખાસ કરીને કેન્દ્ર સરકારે આગળ વધવું જોઈએ અને ત્યાંની સ્થિતિને સામાન્ય બનાવવામાં રાજ્યની મદદ કરવી જોઈએ.

Loading

The post બસપા સુપ્રીમો માયાવતી રાજસ્થાનની કોંગ્રેસ સરકાર પર આકરા પાણીએ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/bsp-supremo-mayawati-lashes-out-at-rajasthan-congress-government/939/feed/ 0 939
ઔરૈયા અકસ્માત પર બસપા સુપ્રીમો માયાવતી કેન્દ્ર અને રાજ્ય સરકાર પર લાલઘુમ, ઉઠાવ્યા અનેક પ્રશ્નો http://revoltnewsindia.com/mayawati-raised-questions-on-central-and-state-governments-on-auraiya-road-accident/910/ http://revoltnewsindia.com/mayawati-raised-questions-on-central-and-state-governments-on-auraiya-road-accident/910/#respond Sat, 16 May 2020 07:15:15 +0000 http://revoltnewsindia.com/?p=910 ઉત્તરપ્રદેશ: કોરોના વાયરસના કારણે લાગેલા લોકડાઉનમાં પરપ્રાંતિય મજૂરો પોતાના રાજ્ય તરફ પરત ફરી રહ્યા છે, ત્યારે શનિવારે વહેલી સવારે ઉત્તરપ્રદેશના ઔરૈયામાં માર્ગ અકસ્માતમાં શ્રમિકોના મોત થયા હતા. જેના પર બહુજન…

The post ઔરૈયા અકસ્માત પર બસપા સુપ્રીમો માયાવતી કેન્દ્ર અને રાજ્ય સરકાર પર લાલઘુમ, ઉઠાવ્યા અનેક પ્રશ્નો appeared first on REVOLT NEWS INDIA.

]]>

ઉત્તરપ્રદેશ: કોરોના વાયરસના કારણે લાગેલા લોકડાઉનમાં પરપ્રાંતિય મજૂરો પોતાના રાજ્ય તરફ પરત ફરી રહ્યા છે, ત્યારે શનિવારે વહેલી સવારે ઉત્તરપ્રદેશના ઔરૈયામાં માર્ગ અકસ્માતમાં શ્રમિકોના મોત થયા હતા. જેના પર બહુજન સમાજ પાર્ટીના સુપ્રીમો માયાવતીએ દુઃખ વ્યક્ત કર્યું છે અને રાજ્ય સરકાર અને કેન્દ્ર સરકાર સામે સવાલો ઉઠાવ્યા છે.

બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ તેમજ ઉત્તર પ્રદેશના પૂર્વ મુખ્ય પ્રધાન માયાવતીએ ઔરૈયા માર્ગ અકસ્માતમાં શ્રમિકોના મોત પર દુઃખ વ્યક્ત કર્યું છે. અને કેન્દ્ર અને રાજ્ય સરકાર પર પ્રશ્નોનો મારો ચલાવ્યો છે. માયાવતીએ કહ્યું કે, જ્યારે શ્રમિકોને રહેવા અને ખાવાની વ્યવસ્થા ત્યાંની સરકાર કરી રહી નથી, તેથી જ લોકો પોતાના ઘરે પરત ફરવા મજબુર બન્યા છે, જે ખૂબ જ દુઃખદ વાત છે.

માયાવતીએ કહ્યું કે, દુઃખની વાત એ છે કે, મજૂરોને ત્યાંની સરકાર રહેવા અને ખાવાની વ્યવસ્થા આપી રહી નથી. જેથી તેઓ પોતાના ગૃહ રાજ્ય પરત ફરી રહેવા મજબુર બન્યા છે. કેન્દ્ર અને રાજ્ય બંને સરકારોની જવાબદારી બને છે કે, તેના મુળ રાજ્ય સુધી મોકવાની જવાબદારીનું નિર્વાહન કરે.

તેમને મોકલવાની વ્યવસ્થા પણ કરવામાં આવે.માયાવતીએ વધુમાં કહ્યું કે, વારંવાર શ્રમિકોની સમસ્યાઓ વધી રહી છે. આ વાતને કહી રહી છું કે, જ્યારે શ્રમિક પોતાના ગૃહ રાજ્ય પર જવા ઇચ્છે છે, તો તેમને મોકલવા જોઇએ. કેન્દ્ર અને રાજ્ય સરકારો કહેતી રહી કે, તે શ્રમિકોને તેમના ગૃહ રાજ્ય મોકલવાનો વ્યવસ્થા કરી રહી છે, પરંતુ આ દરમિયાન તમામ અવ્યવસ્થાઓ સામે આવી રહી છે.

રોજગાર બંધ હોવા છતાં તેઓ પાસેથી પૈસા લેવામાં આવે છે. તેમનું જીવન પસાર કરવું પણ મુશ્કેલ બન્યું છે. બસપા અધ્યક્ષનું કહેવું છે કે, જ્યારે તે શ્રમિકો બેરોજગાર બન્યો છે અને તેના પૈસા ખર્ચાઇ ગયા છે. આ વચ્ચે તમામ અર્થવ્યવસ્થાઓને લીધે દેશમાં કેટલીય ઘટનાઓ બની રહી છે. સરકારે તેને ગંભીરતાથી લેવી જોઇએ.

Loading

The post ઔરૈયા અકસ્માત પર બસપા સુપ્રીમો માયાવતી કેન્દ્ર અને રાજ્ય સરકાર પર લાલઘુમ, ઉઠાવ્યા અનેક પ્રશ્નો appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/mayawati-raised-questions-on-central-and-state-governments-on-auraiya-road-accident/910/feed/ 0 910
બહુજન સમાજ પાર્ટી દ્વારા બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી ઘરે રહીને ઉજવવા લોકોને કરવામાં આવી અપીલ http://revoltnewsindia.com/bsp-drambedkarjayanti/624/ http://revoltnewsindia.com/bsp-drambedkarjayanti/624/#respond Sun, 12 Apr 2020 17:27:59 +0000 http://revoltnewsindia.com/?p=624 ન્યૂઝ ડેસ્ક: બહુજન સમાજ પાર્ટીના રાજકોટ યુનિટ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે કે આગામી 14 એપ્રીલના રોજ બોધિસત્વ ડો ભીમરાવ આંબેડકરની જન્મ જયંતી લોકો પોતાના ઘેર રહીને ઉજવણી કરે, કેમકે…

The post બહુજન સમાજ પાર્ટી દ્વારા બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી ઘરે રહીને ઉજવવા લોકોને કરવામાં આવી અપીલ appeared first on REVOLT NEWS INDIA.

]]>

ન્યૂઝ ડેસ્ક: બહુજન સમાજ પાર્ટીના રાજકોટ યુનિટ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે કે આગામી 14 એપ્રીલના રોજ બોધિસત્વ ડો ભીમરાવ આંબેડકરની જન્મ જયંતી લોકો પોતાના ઘેર રહીને ઉજવણી કરે,

કેમકે આ વર્ષે વિશ્વ કોરોના વાયરસની મહામારીમાં ફસાયેલું છે. ત્યારે આ મહામારીમાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા છે.

બહુજન સમાજ પાર્ટી દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે જાહેર સ્થળોએ આવેલા બાબા સાહેબના સ્ટેચ્યુમાં ફુલહાર કરવા જમા થવું નહિ કે જવું નહીં.

લોકોએ પોતના ઘરે રહી બાબા સાહેબના પુસ્તકો વાંચવા, કોરોના વાયરસમાં મૃત્યુ પામેલા લોકોને મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપવી.

બીજુ એવું પણ જણાવવામાં આવ્યું છે કે બાબા સાહેબના અનુયાયીઓ કાયદામાં અને ભારતના સંવિધાનમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા હોય છે. તે માટે કોઈ પણ દ્વારા લોકડાઉનનો ભંગ ના કરવામાં આવે તેમ જણાવવામાં આવ્યું છે.

Loading

The post બહુજન સમાજ પાર્ટી દ્વારા બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી ઘરે રહીને ઉજવવા લોકોને કરવામાં આવી અપીલ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/bsp-drambedkarjayanti/624/feed/ 0 624