બહુજન સમાજ પાર્ટી દ્વારા બાબા સાહેબ આંબેડકરની જન્મ જયંતી ઘરે રહીને ઉજવવા લોકોને કરવામાં આવી અપીલ

SHARE THE NEWS

ન્યૂઝ ડેસ્ક: બહુજન સમાજ પાર્ટીના રાજકોટ યુનિટ દ્વારા અનુરોધ કરવામાં આવ્યો છે કે આગામી 14 એપ્રીલના રોજ બોધિસત્વ ડો ભીમરાવ આંબેડકરની જન્મ જયંતી લોકો પોતાના ઘેર રહીને ઉજવણી કરે,

કેમકે આ વર્ષે વિશ્વ કોરોના વાયરસની મહામારીમાં ફસાયેલું છે. ત્યારે આ મહામારીમાં ઘણા લોકોએ પોતાનો જીવ ગુમાવ્યા છે.

બહુજન સમાજ પાર્ટી દ્વારા લોકોને અપીલ કરવામાં આવી છે કે જાહેર સ્થળોએ આવેલા બાબા સાહેબના સ્ટેચ્યુમાં ફુલહાર કરવા જમા થવું નહિ કે જવું નહીં.

લોકોએ પોતના ઘરે રહી બાબા સાહેબના પુસ્તકો વાંચવા, કોરોના વાયરસમાં મૃત્યુ પામેલા લોકોને મૌન પાળીને શ્રદ્ધાંજલિ આપવી.

બીજુ એવું પણ જણાવવામાં આવ્યું છે કે બાબા સાહેબના અનુયાયીઓ કાયદામાં અને ભારતના સંવિધાનમાં અતૂટ શ્રદ્ધા ધરાવતા હોય છે. તે માટે કોઈ પણ દ્વારા લોકડાઉનનો ભંગ ના કરવામાં આવે તેમ જણાવવામાં આવ્યું છે.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *