Bahujan Archives - REVOLT NEWS INDIA https://revoltnewsindia.com/tag/bahujan/ News for India Mon, 26 Jun 2023 04:42:46 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png Bahujan Archives - REVOLT NEWS INDIA https://revoltnewsindia.com/tag/bahujan/ 32 32 174330959 મિશન 2022 ને લઈને ગુજરાત BSP એક્શન મોડમાં, ધડાધડ બનાવાઈ રહ્યું છે પાર્ટીનું બુથ લેવલનું સંગઠન http://revoltnewsindia.com/mission-2022-gujarat-bsp-in-action-mode/1854/ http://revoltnewsindia.com/mission-2022-gujarat-bsp-in-action-mode/1854/#comments Tue, 20 Jul 2021 19:44:06 +0000 http://revoltnewsindia.com/%e0%aa%ae%e0%aa%bf%e0%aa%b6%e0%aa%a8-2022-%e0%aa%a8%e0%ab%87-%e0%aa%b2%e0%aa%88%e0%aa%a8%e0%ab%87-%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4-bsp-%e0%aa%8f%e0%aa%95%e0%ab%8d%e0%aa%b6/ બહુજન સમાજ પાર્ટી (BSP) ગુજરાત (Gujarat) રાજ્યમાં એક્શન મોડમાં આવી છે. રાજ્યના દરેક જિલ્લા મથકોમાં હાલ પાર્ટીના સંગઠનનું માળખું બનાવવા માટે મીટીંગો ફટાફટ કરવામાં આવી રહી છે યુવાનોને આપવામાં આવી…

The post મિશન 2022 ને લઈને ગુજરાત BSP એક્શન મોડમાં, ધડાધડ બનાવાઈ રહ્યું છે પાર્ટીનું બુથ લેવલનું સંગઠન appeared first on REVOLT NEWS INDIA.

]]>

બહુજન સમાજ પાર્ટી (BSP) ગુજરાત (Gujarat) રાજ્યમાં એક્શન મોડમાં આવી છે. રાજ્યના દરેક જિલ્લા મથકોમાં હાલ પાર્ટીના સંગઠનનું માળખું બનાવવા માટે મીટીંગો ફટાફટ કરવામાં આવી રહી છે

યુવાનોને આપવામાં આવી રહ્યું છે પાર્ટીના સંગઠનમાં સ્થાન

આગામી સમયમાં ગુજરાત BSP ના સંગઠનમાં થઈ શકે છે, મોટો ફેરફાર

રાજકોટમાં બહુજન સમાજ પાર્ટીનું જિલ્લાનું સંગઠન બનાવવા માટે 20/July/2021 ના રોજ ભક્તિનગર પાસે આવેલા ડો. આંબેડકર હૉલમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં રાજકોટ જિલ્લાભરમાંથી BSP ના કાર્યકર્તાઓ હાજર રહેલા હતા.

તેમાં મોટી સંખ્યામાં યુવાવર્ગ જોવા મળ્યો હતો. આ મીટીંગમાં BSP ના ગુજરાત પ્રદેશ પ્રભારી ભગુભાઈ પરમાર અને BSP ના પદાધિકારીઓમાં સૌરાષ્ટ્ર ઝોન ઇન્ચાર્જ દામજીભાઈ સોંદરવા , મોહનભાઈ રાખૈયા અને ડૉ. જયંતિભાઈ માકડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ મિટિંગમાં બસપા રાજકોટ જિલ્લાના સંગઠનમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. જેમાં રાજકોટ જિલ્લા બસપા પ્રભારી તરીકે દિનેશ પડાયા, રાજકોટ જિલ્લા પ્રમુખ અરવિંદ ગોહેલ અને જીતેન્દ્ર મહિડાની જિલ્લા મહામંત્રી રાજકોટ તરીકે નિમણુંક કરવામાં આવી હતી.

BSP દ્વારા ગુજરાત પ્રદેશમાં કરવામાં આવી રહ્યું છે ફોકસ

બહુજન સમાજ પાર્ટી ગુજરાત રાજ્યના સંગઠન માળખામાં ઘણો ફેરફાર કરવા જઈ રહી છે, તેની સાથોસાથ યુવાવર્ગને પ્રોત્સાહન આપવા માટે યુવાનોને પણ પાર્ટીના મહત્વના પદ પર નિમણુંક આપવાની તૈયારીઓ BSP દ્વારા કરવામાં આવી રહી છે. આગામી સમયમાં ગુજરાત બસપા દ્વારા બુથ લેવલ સુધીના સંગઠનનું માળખું બનાવવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે.

શું PM નરેન્દ્ર મોદીનો વિકલ્પ માયાવતી છે?

આપને જણાવી આપીએ કે બહુજન સમાજ પાર્ટી દેશની ત્રીજા નંબરની રાષ્ટ્રીય પાર્ટી છે અને બહુજન સમાજ પાર્ટી દેશની એકમાત્ર એવી રાષ્ટ્રીય પાર્ટી છે, જેની લીડરશીપ એક દલિત મહિલા એટલે કે માયાવતીના હાથમાં છે. આગામી સમયમાં જ્યારે નરેન્દ્ર મોદી પછી કોણ અથવા કહીએ કે નરેન્દ્ર મોદીનો વિકલ્પ કોણ ત્યારે બસપા સુપ્રીમો માયાવતી સિવાય હાલ દેશમાં કોઈ નેતા નજર નહી આવે તેવું માનવાવાળા વર્ગની સંખ્યા ખૂબજ મોટા પ્રમાણમાં છે.

જુઓ વિડિઓ BSP ની રાજકોટ મિટિંગ અંગે:

 

Loading

The post મિશન 2022 ને લઈને ગુજરાત BSP એક્શન મોડમાં, ધડાધડ બનાવાઈ રહ્યું છે પાર્ટીનું બુથ લેવલનું સંગઠન appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/mission-2022-gujarat-bsp-in-action-mode/1854/feed/ 1 1854
ઉનાકાંડના કુલ 44 આરોપીઓમાંથી 39 જામીન પર છૂટી ગયાં છે. પાંચ આરોપીઓ જેલમાં છે: મયુર વાઢેર http://revoltnewsindia.com/out-of-total-44-accused-in-unakand-39-have-been-released-on-bail-five-accused-are-in-jail-mayur-vadher/1212/ http://revoltnewsindia.com/out-of-total-44-accused-in-unakand-39-have-been-released-on-bail-five-accused-are-in-jail-mayur-vadher/1212/#respond Sun, 12 Jul 2020 16:10:15 +0000 http://revoltnewsindia.com/?p=1212 “કુલ 44 આરોપીઓમાંથી 39 જામીન પર છૂટી ગયાં છે. પાંચ આરોપીઓ જેલમાં છે. ગીરસોમનાથની ફાસ્ટ્રેક્ટ કોર્ટમાં દર મુદ્દતે ઉનાથી 115 કીમીનો પલ્લો કાંપીને અમે બાઈક પર જઈએ છીએ. કોર્ટ રૂમમાં…

The post ઉનાકાંડના કુલ 44 આરોપીઓમાંથી 39 જામીન પર છૂટી ગયાં છે. પાંચ આરોપીઓ જેલમાં છે: મયુર વાઢેર appeared first on REVOLT NEWS INDIA.

]]>

“કુલ 44 આરોપીઓમાંથી 39 જામીન પર છૂટી ગયાં છે. પાંચ આરોપીઓ જેલમાં છે. ગીરસોમનાથની ફાસ્ટ્રેક્ટ કોર્ટમાં દર મુદ્દતે ઉનાથી 115 કીમીનો પલ્લો કાંપીને અમે બાઈક પર જઈએ છીએ. કોર્ટ રૂમમાં આરોપીઓ અમારી સામે વટથી જૂએ, મુછોને તાવ આપે, બાંયો ચડાવે. ચાર વર્ષથી કામ-ધંધો બંધ છે. એ વખતે મળેલી રાહત પર આયખું વિતાવીએ છીએ.”

ઉનાકાંડના વિડીયોમાં લાચાર યુવકોની પીઠ પર પડતા ઘાતકી ધોકાનો અવાજ દસ સેકેન્ડથી વધારે આજે પણ સાંભળી શકાતો નથી. તો માનવદ્રોહી કથિત ગૌરક્ષકોના ધોકા જેની પીઠે ઝીલ્યા છે એની પીડા કેવી હશે! એવી કલ્પના માત્રથી ધ્રુજી ઉઠાશે. આજે ઉનાકાંડના પીડિત યુવાન વશરામ સરવૈયા સાથે વાત થઈ. વશરમે મને જણાવ્યું,

“કુલ 44 આરોપીઓમાંથી 39 જામીન પર છૂટી ગયાં છે. પાંચ આરોપીઓ જેલમાં છે. ગીરસોમનાથની ફાસ્ટ્રેક્ટ કોર્ટમાં દર મુદ્દતે ઉનાથી 115 કીમીનો પલ્લો કાંપીને અમે બાઈક પર જઈએ છીએ. કોર્ટ રૂમમાં આરોપીઓ અમારી સામે વટથી જૂએ, મુછોને તાવ આપે, બાંયો ચડાવે. ચાર વર્ષથી કામ-ધંધો બંધ છે. એ વખતે મળેલી રાહત પર આયખું વિતાવીએ છીએ.”

મે એના અવાજની ભીનાશને માપી લીધી. તત્કાલિન મુખ્યમંત્રી આનંદી પટેલે પીડિતોને આપેલા વચનો પાળ્યાં નથી. પીડિત અશોક સરવૈયા એ વખતે સત્તર વર્ષનો તરૂણ હતો. એના શરીરે ખમેલા ધોકા આજે ચાર વર્ષ પછી પણ એટલાં જ દુ:ખે છે. સ્નાયુઓ સંકોચાઈ જાય છે. બે ત્રણ દિવસ મજૂરીએ ગયો પણ અસહ્ય દુ:ખાવાને લીધે કામ થતું નથી. આજે ઘરે બેઠો છે.

વશરામે કહ્યું, “ઘણા લોકો સમાધાન કરવા માટે જણાવે છે. પણ અમે તાબે થવાનાં નથી. હવે તો સંઘર્ષ જ અમારો મારગ છે.” વશરામ જ્યારે મળે કે ફોન પર વાત કરે ત્યારે સગા ભાઈની જેમ આત્મીયતાથી વાત કરતો હોય ત્યારે થાય કે આવો નિર્મળ હ્યદયનો માણસ પણ જાતિવાદી ગૌરક્ષકોની નફરતનો શિકાર શી રીતે બની ગયો!

સામંતવાદી મગજમાં મનુવાદી ગંદકી ફેલાય ત્યારે માનવ સમાજમાં ઉનાકાંડ જેવા અમાનુષી અત્યાચારો પેદા થાય છે. ધર્મસત્તા અને રાજસત્તાના સક્રીય પીઠબળ વિના આવા આતંકી ષડયંત્ર બની શકે નહીં. આ પ્રકારનાં માનવદ્રોહી કૃત્યો પાછળ ધર્મકારણ અને રાજકારણ બંન્નેનો કાળમીંઢ પણ ચહેરો સામે આવ્યો હતો. હજારો વર્ષોથી દલિતોની માનવીય ગરીમાને ઠેસ પહોંચાડનારી ઘટના બને છે. પણ ઉનાકાંડનો મુદ્દો ધર્મસત્તા અને રાજસત્તાની છાતી પર પગ મૂકીને દેશના સિમાડા ઓળંગી ગયો. બહેન માયાવતીએ હિન્દુત્વની પ્રયોગશાળા ગણાતાં ગુજરાતમાં બનેલી આ ઘટના મુદ્દે રાજ્યસભા બાનમાં લીધી હતી.

કરોડો લોકો પીડિતોની પડખે આવ્યાં તો મનુવાદની ધતૂરી ધાવનારી જાતિવાદી જમાત આતંકી ગૌરક્ષકોના રખોપા કરવા માંડી. કણ જેટલી ઉપલબ્ધીને મણ જેટલી બતાવીને તાળીઓ ઉઘરાવતી મોદી સરકાર આ મુદ્દે મૌન રહી. પણ ઉનાકાંડ વૈશ્વિક મુદ્દો બનતો જણાતાં દેશના પ્રધાનમંત્રી ધરાર મૌન તોડીને દેશના લોકો સમક્ષ વેવલાવેડા કરતાં હોય એમ બોલે છે, “મારના હે તો મુજે ગોલી મારો લેકીન દલિતો કો મત મારો.” દેશના પ્રધાનમંત્રીના મોંમાં આવું વેવલું વિધાન શોભે નહીં. આ તરફ તત્કાલિન આનંદી પટેલની સરકાર આ મુદ્દો જટ ઠરે એવા પ્રયાસોમાં પરસેવો પાડી રહી હતી. ભાજપનો પટ્ટો ગળે બાંધીને એને ખોળે બેસેલા પૂનાકરારી પૂતળાઓ પણ દલિતોમાં કેન્દ્ર બનાવી રહ્યાં હતાં. બીજી તરફ ઉનાકાંડના પગથિયા પર પગ મૂકીને વિધાનસભાની ટીકીટો પાક્કી કરવાની કસરત ચાલુ થઈ ગઈ.

સદીઓનો સંતાપ સહન કરી રહેલા દલિતો પણ જાણે કે ‘બસ હવે બહુ થયું’ એવા મિજાજમાં આવીને આક્રોશ ઠાલવી રહ્યા હતા. દેશના ખૂણે-ખૂણે આંદોલનો થયાં, પ્રદર્શનો થયાં, આત્મવિલોપનની ઘટના બની. સદીઓથી ઘોર નિંદ્રામાં સુતો સમાજ અકાળે જાગ્યો હોય એવું ભાસ થયો. દેશની ગલીઓ અને રસ્તાઓમાં નાલાયક મનુવાદ વિરૂદ્ધ નારા ગુંજ્યાં. દલિતો પર કામ કરતી સંસ્થાઓઓ અને કર્મશીલો આ મુદ્દે વિવિધ પ્રકારે એક સાથે આવ્યાં, કોલ અપાયા, છૂટા પડ્યાં. રીસામણાં થયાં, મનામણાં થયાં. આજે આ ઘટનાને ચાર વર્ષ વિતી ગયાં. પણ ન્યાય હજુ જોજનો આઘો છે.

લેખક મયુર વાઢેર ઇંગલિશ સાહિત્યમાં અનુસ્નાતક છે, બહુજન સંગઠક મેગેઝીનના સબ એડિટર, RTI કાર્યકર્તા, અનુવાદક અને કર્મશીલ છે. આ લેખ તેમનો અંગત વિચાર છે.

Loading

The post ઉનાકાંડના કુલ 44 આરોપીઓમાંથી 39 જામીન પર છૂટી ગયાં છે. પાંચ આરોપીઓ જેલમાં છે: મયુર વાઢેર appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/out-of-total-44-accused-in-unakand-39-have-been-released-on-bail-five-accused-are-in-jail-mayur-vadher/1212/feed/ 0 1212
સમાનતાની સ્થાપના માટે શાહુ મહારાજનો વિદ્રોહ http://revoltnewsindia.com/shahu-maharajs-revolt-for-the-establishment-of-equality/1170/ http://revoltnewsindia.com/shahu-maharajs-revolt-for-the-establishment-of-equality/1170/#respond Fri, 26 Jun 2020 18:02:04 +0000 http://revoltnewsindia.com/?p=1170 કણબી પરીવારમાં 26 જૂન 1874ના રોજ શાહૂજી મહારાજનો જન્મ થયો હતો. એ વખતે ભારતીય સમાજ બ્રિટીશ શાસનની ગુલામીની બેડીઓમાં તો જકડાયેલો હતો જ, અને અંધશ્રદ્ધા, નિરક્ષરતા, વહેમો, કુરીવાજો, અસ્પૃશ્યતા, જાતિવાદ તેમજ બ્રાહ્ણણવાદીઓ દ્વારા ફેલાવામાં આવતા પાખંડની ગુલામીમાં પણ ગુંચવાયેલો હતો.

The post સમાનતાની સ્થાપના માટે શાહુ મહારાજનો વિદ્રોહ appeared first on REVOLT NEWS INDIA.

]]>

લેખક: મયુર વાઢેર

વીસમી સદીના ઉત્તરાર્ધમાં ભારતના રાજકારણના વર્તુળમાં આવેલી  નૂતન રાજકીય રણનીતિ બહુજનવાદમાં પરીણમી હતી. તેનો ઉદ્દેશ સમૂળા સામાજિક પરીવર્તનની મશાલ સળગતી રાખવાનો હતો.  ભારતના સમાજ જીવનમાં બહુજન અસ્મિતાની ચેતના પાથરીને તેમાંથી રાજકીય શક્તિનું સર્જન કરનારા માન્યવર કાંશીરામ સાહેબે પ્રચારીત કરેલી બહુજનવાદની સંકલ્પના બુદ્ધ, કબીર, રૈદાસ, શાહુ, ફૂલે, આંબેડકર, પેરીયારના આંદોલનની ધારા પ્રવાહિત કરે છે. બહુજન નાયકોની આ ધારામાં અંગ્રેજોના શાસનકાળમાં જન્મેલા મહાનાયકો મહાત્મા જ્યોતિબા ફૂલે, સાવિત્રી દેવી ફૂલે, શાહુજી મહારાજ, રામાસ્વામી પેરીયાર અને બાબાસાહેબ આંબેડકરે બહુજન વિચારધારને નવી ઉંચાઈ આપી હતી.

બહુજનવાદના ઈતિહાસના અવલોકનમાં કોલ્હાપૂરના મહારાજા રાજર્ષિ શાહુ મહારાજ આધુનિક કાળની મહત્વની છબી છે. રાજર્ષિ શાહુનો જન્મ થયો એ વેળાએ હિન્દુ સમાજની  જાતિપ્રથા અને અસ્પૃશ્યતાના  મૂળિયાં સમાજજીવનના તળ સુધી ખૂંપેલા હતાં.  હિન્દુઓનુ સમાજતંત્ર અનેક અત્યાચારી અને બિન-લોકશાહી લક્ષણોથી તરબોળ હતું. ત્યારે જાતિપ્રથાના લોખંડી જકડનાં મૂળિયા શિથિલ કરવા માટે મહાત્મા જ્યોતિરાવ ફૂલેનો સંઘર્ષ ચાલુ હતો. ઈ.સ. 1894માં શાહુજી મહારાજ કોલ્હાપુર રાજ્યની રાજગાદી પર આરૂઢ થયા ત્યાં સુધીમાં તો મહાત્મા જ્યોતિબા ફૂલે પણ ઓગણીસમી સદીનો ભયાનક સામાજિક સંઘર્ષ ખેલીને આથમી ચૂક્યાં હતાં.

બાબાસાહેબ આંબેડકર કે જેને ભવિષ્યમાં ભારતની સામાજીક  ક્રાંતિનાં બીજ રોપવાનાં હતા, તેમનું બાળપણ ત્રણ જ વર્ષનું થયું હતું. આવા નિરાશાજનક વાતવરણમાં ભારતના નેતૃત્વ વિહીન બહુજનો શ્વાસ લેતા હતાં. એવામાં હિન્દુ સમાજની જુગ-જુગ જૂની જાતિપ્રથા સામે બંડ પોકારનારા બહુજન વિચારધારાનાં નાયક  શાહુજી મહારાજનો ઉદય થયો. 

કણબી પરીવારમાં 26 જૂન 1874ના રોજ શાહૂજી મહારાજનો જન્મ થયો હતો. તેના જન્મના દસમા વર્ષે કોલ્હાપૂરના એક રાજાના પત્નિ આનંદીબાઈએ માર્ચ 1884માં તેમને દત્તક લીધા હતાં. એ પછીના દસમે વર્ષે એટલે કે 2 એપ્રિલ 1894ના રોજ તેઓ કોલ્હાપૂરની રાજગાદી પર આરૂઢ થયા.

એ વખતે ભારતીય સમાજ બ્રિટીશ શાસનની ગુલામીની બેડીઓમાં તો જકડાયેલો હતો જ, અને અંધશ્રદ્ધા, નિરક્ષરતા, વહેમો, કુરીવાજો, અસ્પૃશ્યતા, જાતિવાદ તેમજ બ્રાહ્ણણવાદીઓ દ્વારા ફેલાવામાં આવતા પાખંડની ગુલામીમાં પણ ગુંચવાયેલો હતો. રાજર્ષી શાહુજી મહારાજે આવી દારૂણ સામાજિક પરીસ્થિતિ વચ્ચે માત્ર વીસની ઉંમરે કોલ્હાપુર સ્ટેટની રાજગાદી સંભાળી હતી. 

ભારતમાં રાક્ષસી જાતિવાદ અને પિસાચી વિષમતાના પાપે શુદ્રો અને અતિશુદ્રો એટલે કે વર્તમાન OBC, SC, ST વર્ગોનું જીવન દોહ્યલું હતું. જ્ઞાતિ-જ્ઞાતિ વચ્ચે સામાજિક કોટિક્રમિક ભેદભાવ પ્રવર્તમાન હતો. એવામાં પેશ્વાઓના બ્રાહ્ણણવાદી શાસનની સ્થાપના પછી મહારાષ્ટ્રના આર્થિક, સામાજિક, ધાર્મિક તેમજ રાજકીય જીવનમાં બ્રાહ્ણણ વર્ગનું  પ્રબળ વર્ચસ્વ સ્થાપિત થયુ હતું.

પણ તેમણે રાજગાદી સંભાળી ત્યારે રાજ્યના સેવા-મહેકમમાં અધિકારી કક્ષાએ અને કર્મચારી કક્ષાએ બ્રાહ્ણણ અને બિનબ્રાહ્ણણ વર્ગોના પ્રતિનિધિત્વ વચ્ચે ઊંડી ખાઈ હતી. ફોરવર્ડ પ્રેસના સિદ્ધાર્થના લેખની એક વિગત મુજબ ઈ.સ. 1892માં તેમના રાજ્યમાં કુલ 71 અધિકારીના પદમાંથી કુલ 60 પદ પર બ્રાહ્ણણ અધિકારીઓ નિયુક્ત હતાં. જ્યારે 11 પદ પર બિનબ્રાહ્ણણ અધિકારીઓ નિયુક્ત થયેલા હતા. તેમણે સત્તા પ્રાપ્ત કર્યા પછી આ સ્થિતિ બદલવા માટે પ્રશાસનમાં શુદ્રો અને અસ્પૃશ્યોને પ્રતિનિધિત્વ આપવાની શરૂઆત કરી. 


પ્રજા વાત્સલ્ય રાજવી શાહુજી મહારાજે તેમના અઠાવીસમાં જન્મદિવસ નિમિત્તે એટલે કે 26 જૂલાઈ, 1902ના રોજ પછાત વર્ગોને તેમના પ્રશાસનમાં 50 ટકા પ્રતિનિધિત્વ આપવાનો ઐતિહાસિક નિર્ણય જાહેર કર્યો હતો. સદીઓથી હિન્દુ ધર્મની ઓથ હેઠળ જે વર્ગોને શિક્ષણથી વંચિત રાખવામાં આવ્યા હતાં તે વર્ગને કોલ્હાપુર રાજ્યના પ્રશાસનમાં યથોચિત્ત પ્રતિનિધિત્વ મળ્યું. એ ભારતના સામાજિક ન્યાયના ઈતિહાસમાં સિમાચિહ્નરૂપ ઘટના હતી.

સદીઓથી મનુવાદી પરંપરા પ્રમાણે બ્રાહ્ણણ, ક્ષત્રિય અને વૈશ્યોને પદ, પ્રતિષ્ઠા, સત્તા અને સંપતિમાં સો ટકા અનામત આપવામાં આવી હતી તેના અન્યાયી સ્વરૂપને મહારાજાએ બદલવાનો પ્રયાસ કર્યો. ઈ.સ. 1912માં તેના રાજ્યના કુલ 95 અધિકારી પદ પર માત્ર 35 બ્રાહ્ણણો નિયુક્ત હતાં. અન્ય બિનબ્રાહ્ણણ અને પછાત વર્ગોના અધિકારો નિમાયા હતાં. શાહુજીના આ ઐતિહાસિક નિર્ણયથી રાજ્યના સવર્ણો રોષે ભરાયા હતાં. તે સમયના સવર્ણ-બ્રાહ્ણણવાદી નેતા બાળગંગાધર ટીળકે મહારાજા શાહુજીના આ નિર્ણયનો પ્રબળ વિરોધ કર્યો હતો.

ટીળકે તેના ‘કેસરી’ અખબારમાં શાહુજી મહારાજના વિરોધમાં પૂરજોશ પ્રચાર આદર્યો હતો. પણ સામાજિક ન્યાયના પૂરોધા મહારાજા શાહુજી ટીળકના અપપ્રચારથી અકળાયા ન હતા. આ ઘટનાનાં સોળ વર્ષ પછી બિનબ્રાહ્ણણો અને પછાત વર્ગોને પ્રાંતિક વિધાનસભામાં પ્રતિનિધિત્વ આપવાની હિમાયત કરવામાં આવી હતી ત્યારે ટીળકે તેને હાસ્યાસ્પદ રીતે ટીકા કરી હતી.

અર્થાંત, આજના OBC, SC, ST વર્ગોનું પ્રતિનિધિત્વ ટીળકને માન્ય ન હતું. પણ આજે OBC, SC,STની બહોળી જનસંખ્યા ધરાવતા દેશમાં અભ્યાસના પાઠ્યક્રમોમાં ટીળકને ‘રાષ્ટ્રવાદી’ નેતા તરીકે પ્રચારીત કરવામાં આવ્યા છે જ્યારે શાહુજી મહારાજને પાઠ્યક્રમોમા ક્યાય સ્થાન આપવામાં આવ્યું નથી.

જ્યોતિબા ફૂલેએ બહુજનોની મુક્તિના સંગ્રામમાં  શુદ્રો-અતિશુદ્રો અને સ્ત્રીઓના શિક્ષણને પ્રાધાન્ય આપ્યુ હતું. રાજર્ષિ શાહુ મહાત્મા જ્યોતિબા ફૂલેથી પ્રભાવિત હતાં. રાજર્ષિ શાહુ મહાત્મા જ્યોતિબા ફૂલેથી પ્રભાવિત હતાં. તેમણે  500થી વધુ વસ્તી ધરાવતા દરેક ગામોમાં શાળા શરૂ કરાવી.

ભારતના ઈતિહાસમાં સૌપ્રથમ વાર તેમણે 25 જૂલાઈ 1917ના રોજ તેમના રાજ્યમાં પ્રાથમિક શિક્ષણને મફત અને ફરજીયાત જાહેર કર્યું હતું. તેમણે ફૂલે દંપતિનું કન્યા કેળવણીનું સ્વપ્ન પણ સાકાર કર્યું. તદ્ઉપરાંત, તેમણે મફત છાત્રાલયો શરૂ કરીને શિક્ષણની જ્યોત જગાવી હતી.  

મહારાજા શાહુજીએ અસ્પૃશ્યતા નિવારણ માટે સઘન પ્રયાસો કર્યા હતાં. જ્યારે લોકો અસ્પૃશ્યોના પડછાયાથી પણ આભડછેટ પાળતા હતાં ત્યારે છત્રપતિ શાહુજી મહારાજે ગંગારામ નામનાં અસ્પૃશ્યને ચાની દુકાન શરૂ કરવા માટે નાણાં આપ્યાં હતા.

તેમજ એક રાજાનો મોભાદાર દરજ્જો હોવા છત્તાં તેમણે ગાંગારામના હાથે બનેલી ચા પીને સામાજિક સમાનતાનો સંદેશ આપ્યો હતો. ઈ.સ. 1919મા તેમણે રાજ્યમાં અછૂતોને કોઈપણ હોસ્પિટલમાં સારવાર આપવામાં આવે અને ત્યાં તેમની સાથે આભડછેટ પાળવામાં આવે નહી તેવો આદેશ આપ્યો હતો. તેમણે તેના રાજ્યમાં મહારોનુ શોષણ કરતી પ્રણાલીનો અંત લાવીને તેમને સન્માનપૂર્વક જીવન વ્યતિત કરવા માટે ખેતીલાયક જમીન અપાવી હતી. 

હજારો વર્ષોથી હિન્દુ સમાજના ઘોર શોષણખોર અન્યાયનો ભોગ બનેલા અસ્પૃશ્યોનાં માનવ અધિકારો સંરક્ષિત કરવા માટે ડૉ. બાબાસાહેબ આંબેડકરે સંઘર્ષના આરંભિક કાળમાં છત્રપતિ શાહુજી મહારાજ તેમની સાથે રહ્યાં હતા.  શાહુજી મહારાજનાં સામાજિક સમાનતા અને શોષિતો પ્રત્યેની સંવેદનાએ જ તેમને બાબાસાહેબ આંબેડકરના પરમ મિત્ર બનાવ્યાં હતા.

તેમણે ઈ.સ. 1920માં અખિલ ભારતીય બહિષ્કૃત પરીષદમાં હાજરી આપી હતી.  તેમા બાબાસાહેબ આંબેડકર પણ હાજર રહ્યાં હતા. તેમાં શાહુજીએ અસ્પૃષ્યોને સંબોધીને આર્ષવાણી કરી  હતી કે, “આંબેડકરના રૂપમાં તમને તમારા મુક્તિદાતા મળી ગયા છે.” આ માહન રાજાએ ડૉ. આંબેડકરની તેજ પ્રતિભાને 1920માં જ પામી લીધી હતી. તદઉપરાંત, તેમણે બાબાસાહેબ આંબેડકરને શિષ્યવત્તિ પૂરી થવાને લીધે અધુરો રહેલો લંડન ખાતેનો અભ્યાસ પૂર્ણ કરવા માટે નાણાંની વ્યવસ્થા કરી આપી હતી. 

દેશમાં સામાજિક સમાનતા સ્થાપિત કરવા માટે વિદ્રોહ કરનારા  શાહુનું 6 મે, 1922ના રોજ નિધન થયુ હતું. ત્યારે લંડનથી બાબાસાહેબ આંબેડકરે પત્ર લખીને શોકસંદેશો પાઠવતા લખ્યું હતું કે, “શાહુજીના નિધનથી મને ઘણું દુ:ખ થયુ છે. તેમના નિધનને લીધે મે મારા મહાન ઉપકારી અને અસ્પૃશ્યોએ એના મસિહાને ગુમાવ્યા છે.”

લેખક મયુર વાઢેર ઇંગલિશ સાહિત્યમાં અનુસ્નાતક છે, બહુજન સંગઠક મેગેઝીનના સબ એડિટર, RTI કાર્યકર્તા, અનુવાદક અને કર્મશીલ છે. આ લેખ તેમનો અંગત વિચાર છે.

Loading

The post સમાનતાની સ્થાપના માટે શાહુ મહારાજનો વિદ્રોહ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/shahu-maharajs-revolt-for-the-establishment-of-equality/1170/feed/ 0 1170
દેશ મારા બાપનો, કોના બાપનો ? http://revoltnewsindia.com/desh-mara-baap-no-article-rajusolanki/667/ http://revoltnewsindia.com/desh-mara-baap-no-article-rajusolanki/667/#respond Sat, 18 Apr 2020 07:17:32 +0000 http://revoltnewsindia.com/?p=667 1જાન્યુઆરી, 2020ની સ્થિતિએ ભારતની વસતી 1 અબજ, 38 કરોડ, 72 લાખ, 97 હજાર અને 452 છે. આ વસતીમાં #અંબાણી, #અદાણી, તાતા જેવા 138 #અબજોપતિ (બીલીયોનેર્સ) છે. અને આ અબજોપતિઓની નીચે 39,000 કરોડપતિઓ (મીલીયોનેર્સ) છે.…

The post દેશ મારા બાપનો, કોના બાપનો ? appeared first on REVOLT NEWS INDIA.

]]>

1જાન્યુઆરી, 2020ની સ્થિતિએ ભારતની વસતી 1 અબજ, 38 કરોડ, 72 લાખ, 97 હજાર અને 452 છે.

આ વસતીમાં #અંબાણી#અદાણી, તાતા જેવા 138 #અબજોપતિ (બીલીયોનેર્સ) છે.

અને આ અબજોપતિઓની નીચે 39,000 કરોડપતિઓ (મીલીયોનેર્સ) છે.

અને તેમની સાથે કોંગ્રેસ, ભાજપ, ટીએમસી, બીજેડી, ડીએમકે, અન્ના ડીએમકે, સમાજવાદી સહિતના તમામ રાજકીય પક્ષો કરોડપતિ #જનસેવકો અંદાજે એક લાખ છે.

અને તેમની સાથે લગભગ ત્રીસેક કરોડ લોકો #મધ્યમવર્ગ (મિડલક્લાસ) છે.

અને તેમની નીચે એક અબજ લોકો (વન બીલીયન પ્લસ) છે, જેને તમે #બહુજન#સર્વહારા#શ્રમજીવી#મજુર#વંચિત#દલિત#પીડિત#શોષિત#માઇગ્રન્ટ#વિસ્થાપિત જેવા જાતજાતના અને ભાતભાતના નામોથી સંબોધો છે.

આ એક અબજ લોકોના ખભે બેઠેલા પેલા અબજોપતિઓ, કરોડપતિઓ, જનતાના સેવકો, મધ્યમવર્ગના લોકો બધા મળીને ત્રીસેક કરોડ લોકો આ દેશના ઓપીનીયન-મેકર્સ છે. તેઓ #મીડીયા ચલાવે છે. કહો

કે #મીડીયા તેમના માટે ચાલે છે. આ જ લોકો ટીવીની ચેનલો પર મંદિર-મસ્જિદની ડીબેટો કરે છે. દેશની તમામ સમસ્યાઓ પર એમના ચોક્કસ અભિપ્રાયો હોય છે. તેઓ રાત-દિવસ બાકીના એક અબજ લોકોના મગજમાં એમના વિચારો, ટીકા, ટીપ્પણીઓ દિવસ રાત ઘૂસાડતા રહે છે. કોઈપણ આફત આવે, સુનામી, વાવાઝોડુ કે છેલ્લે #કોરોના, આ લોકો આ તમામ આફતો અંગે એમનો દ્રષ્ટિકોણ, દ્રષ્ટિબિંદુ, પૂર્વગ્રહો પેલા એક અબજ લોકોના મગજમાં નાંખતા રહે છે.

આ લોકો પૈકીના નવાણુ ટકા સવર્ણ હિન્દુઓ છે. તેઓ હાડોહાડ દલિત-દ્વેષી, આદિવાસી-દ્વેષી, મુસ્મિલ-દ્વેષી, ગરીબ-વિરોધી છે. તેઓ પોતાને #મેરીટોરીયસ માને છે, મેરીટ-ધારી છે અને અનામતના કટ્ટર વિરોધી છે.

આ ઉપલો વર્ગ નરેન્દ્ર મોદીની તમામ નીયો-લિબરલ (નવ-ઉદારવાદી) યોજનાઓ, પ્રોજેક્ટો, જેવા કે #બુલેટ_ટ્રેન, સ્ટેચ્યુ ઑફ યુનિટી, રામમંદિરના અંધ સમર્થક છે. તેઓ પોતાને મહાન #દેશભક્ત સમજે છે. એમના મંતવ્યો સાથે સંમત ના થાય એ તમામને તેઓ દેશદ્રોહી ઘોષિત કરે છે. તેઓ કોઈપણ ચર્ચામાં પાકિસ્તાનને ઘૂસાડી દઇને પોતાને વિજેતા જાહેર કરી નાંખે છે. પાકિસ્તાનનો મુદ્દો એમનું બ્રહ્માસ્ત્ર છે. આ મુદ્દો ઉપાડીને તેઓ તેમના કહેવાતા દુશ્મનોના છક્કા છોડાવી દે છે અને છેલ્લે તેમને પાકિસ્તાન જતા રહેવાનું ફરમાન કરે છે. જાણે દેશ એમના બાપનો હોય.

આ વર્ગ ભાજપની કોર કોન્સ્ટિટ્યૂઅન્સી છે. આ જ વર્ગ પચાસ વર્ષ પહેલાં કોંગ્રેસનું નેતૃત્વ કરતો હતો. આ જ વર્ગે કોંગ્રેસના રાજ્યમાં જલસા કર્યા હતા. એ વખતે એમના બાપ-દાદા ગાંધીવાદી, નેહરુવાદી, ઇન્દિરાવાદી હતા. હવે સમય બદલાયો છે, એટલે આ ઉપલો વર્ગ હવે મોદી-વાદી બન્યો છે. હવે આ વર્ગે ઉદારવાદ, બિન-સાંપ્રદાયિકતા જેવા મૂલ્યોને ફેંકી દીધા છે, હકીકતમાં એમના બાપદાદાએ આ મૂલ્યોના નામે આ દેશમાં ચરી ખાધું હતું. હવે એમના સંતાનો આ જ ઉદારવાદ, બિનસાંપ્રદાયિકતાના મૂલ્યોને ગાળો બોલીને ચરી ખાય છે.

એમના માટે મૂલ્યો મહત્વના નથી. સત્તા મહત્વની છે. તમે તમારી જાતને દલિતો, શોષિતો, સર્વહારા, મજુરોના પ્રવક્તા ગણતા હશો. ભલે. આટલી મારી વાત નોંધી લેજો.

લેખક: રાજુ સોલંકી

(લેખક રાજુ સોલંકી કવિ,પત્રકાર, શિક્ષણવિદ અને માનવ અધિકાર કાર્યકર્તા છે, તેમનું કાર્યક્ષેત્ર અમદાવાદ છે. આ લેખ તેમનો અંગત વિચાર છે.)

Loading

The post દેશ મારા બાપનો, કોના બાપનો ? appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/desh-mara-baap-no-article-rajusolanki/667/feed/ 0 667