JetpurUpdate Archives - REVOLT NEWS INDIA https://revoltnewsindia.com/tag/jetpurupdate/ News for India Tue, 26 Sep 2023 10:14:29 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png JetpurUpdate Archives - REVOLT NEWS INDIA https://revoltnewsindia.com/tag/jetpurupdate/ 32 32 174330959 Jetpur News: જેતપુર નગરપાલિકાની ઈમારતમાં જ સ્વામી વિવેકાનંદનું અપમાન http://revoltnewsindia.com/jetpur-news-insulting-of-swami-vivekananda-in-municipal-building-dr/7747/ http://revoltnewsindia.com/jetpur-news-insulting-of-swami-vivekananda-in-municipal-building-dr/7747/#respond Tue, 26 Sep 2023 10:14:27 +0000 http://revoltnewsindia.com/?p=7747 વિશ્વકક્ષાએ અમેરિકામાં હિન્દૂ ધર્મ વિશે ભાષણ આપનારા અને યુથ આઇકોન તેમજ હિંદુ આઈકોન સ્વામી વિવેકાનંદનું રાજકોટ જિલ્લાના જેતપુરમાં જેતપુર-નવાગઢ નગરપાલિકાના પરિસરમાં જ અપમાન થઈ રહ્યું છે.

The post Jetpur News: જેતપુર નગરપાલિકાની ઈમારતમાં જ સ્વામી વિવેકાનંદનું અપમાન appeared first on REVOLT NEWS INDIA.

]]>
આ ચિત્ર નગરાપાલિકાની મેઈન બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર જ આવેલું છે, ત્યારે આ ચિત્ર પાસેથી જ નગરાપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ પણ અવર-જવર કરતા હોય છે.

Report by Dinesh Rathod,
Rajkot News: વિશ્વકક્ષાએ અમેરિકામાં હિન્દૂ ધર્મ વિશે ભાષણ આપનારા અને યુથ આઇકોન તેમજ હિંદુ આઈકોન સ્વામી વિવેકાનંદનું રાજકોટ જિલ્લાના જેતપુરમાં જેતપુર-નવાગઢ નગરપાલિકાના પરિસરમાં જ અપમાન થઈ રહ્યું છે. નગરપાલિકાની ઈમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર જ સ્વામી વિવેકાનંદનું સ્વચ્છ સર્વેક્ષણ 2023નું એક દીવાલ ચિત્ર દોરવામાં આવેલું છે.

જેના પર પાન, માવા અને મસાલાની થુંકની પિચકારીઓ જોવા મળશે. તેમજ આ ચિત્રની બાજુમાં જ કચરા ટોપલી મૂકવામાં આવેલી છે, તે પણ જોવા મળશે.

આ ચિત્ર નગરાપાલિકાની મેઈન બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર જ આવેલું છે, ત્યારે આ ચિત્ર પાસેથી જ નગરાપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ પણ અવર-જવર કરતા હોય છે.

ત્યારે પ્રશ્ન પણ ઉદભવે છે કે શું તેઓને હિંદુ આઈકોન સ્વામી વિવેકાનંદના ચિત્ર પર કરવામાં આવતી પાન, માવા અને મસાલાની થુંકની પિચકારીઓ દેખાતી નહિ હોય? ચિત્રની બાજુમાં જ મૂકવામાં આવેલી કચરા ટોપલી પણ દેખાતી નહિ હોય?

ઉલ્લેખનીય છે કે સાફ સફાઈની જવાબદારી સેનેટરી વિભાગમાં આવતી હોય છે, ત્યારે શું સેનેટરી વિભાગના અધિકારીઓ અહીંથી આંખો બંધ કરીને પસાર થતા હશે?

તેવા લોકપ્રશ્નો પણ ઉદભવી રહ્યા છે. ત્યારે પાલિકાતંત્ર ક્યારે આ સ્વામી વિવેકાનંદના દીવાલ ચિત્રની સાફ સફાઈ કરાવે છે તે જોવાનું રહ્યું.

Loading

The post Jetpur News: જેતપુર નગરપાલિકાની ઈમારતમાં જ સ્વામી વિવેકાનંદનું અપમાન appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-news-insulting-of-swami-vivekananda-in-municipal-building-dr/7747/feed/ 0 7747
Jetpur: મેવાસામાં યોજાયું ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ અંગે પ્રદર્શન http://revoltnewsindia.com/jetpur-exhibition-on-mathematics-science-and-environment-held-in-mevasa/7385/ http://revoltnewsindia.com/jetpur-exhibition-on-mathematics-science-and-environment-held-in-mevasa/7385/#respond Thu, 15 Dec 2022 13:14:15 +0000 http://revoltnewsindia.com/?p=7385 જેતપુર તાલુકાના મેવાસા ગામની મેવાસા કુમાર શાળામાં તા.12.12.2022ના રોજ સીઆરસી કક્ષાનું ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ અંગેનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

The post Jetpur: મેવાસામાં યોજાયું ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ અંગે પ્રદર્શન appeared first on REVOLT NEWS INDIA.

]]>

જેતપુર તાલુકાના મેવાસા ગામની મેવાસા કુમાર શાળામાં તા.12.12.2022ના રોજ સીઆરસી કક્ષાનું ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ અંગેનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

જેતપુર તાલુકાના મેવાસા ગામની મેવાસા કુમાર શાળામાં તા.12.12.2022ના રોજ સીઆરસી કક્ષાનું ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ અંગેનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે આ સીઆરસી કક્ષાના ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં પ્રથમ નંબરે આવનારી કૃતિઓને તાલુકા કક્ષાના પ્રદર્શનમાં ભાગ લેવામાં આવતો હોય છે.

આ સીઆરસી કક્ષાના પ્રદર્શનમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓ, વિધાર્થીનીઓ અને માર્ગદર્શક શિક્ષકોને નિર્ણાયકો તેમજ સીઆરસી કોર્ડીનેટર દ્વારા ઈનામ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતા.

તેવું મેવાસા સીઆરસી કોર્ડીનેટર ભગતસિંહ ડોડીયાની યાદીમાં જણાવવામાં આવેલ હતું.

Loading

The post Jetpur: મેવાસામાં યોજાયું ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ અંગે પ્રદર્શન appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-exhibition-on-mathematics-science-and-environment-held-in-mevasa/7385/feed/ 0 7385
પૂરપાટ ઝડપે જેતપુરના રસ્તાઓને ગંદુ કરતું પાલિકા તંત્ર http://revoltnewsindia.com/municipal-department-polluting-the-roads-of-jetpur-at-full-speed/7288/ http://revoltnewsindia.com/municipal-department-polluting-the-roads-of-jetpur-at-full-speed/7288/#respond Sun, 29 May 2022 11:55:22 +0000 http://revoltnewsindia.com/?p=7288 સેનિટેશનના તમામ નીતિ નિયમો નેવે મૂકીને ગંદા માલવાહકો પુરપાટે રસ્તાઓને ગંદા કરતા જોવા મળી રહ્યા છે. વિડીયોમાં જોઈ શકાય છે એ રીતે તમામ સ્વચ્છતા અને સલામતીના નિયમોને નેવે મૂકીને પાલિકાનું ટ્રેક્ટર રસ્તાઓ પર દોડી રહ્યું છે. જેમાંથી ગંદો કાદવ રસ્તાઓ પર પડી રહ્યો છે. રાહદારીઓને સુગ ચડે અને વેપારીઓ-રહીશોને કનડગત થાય તે રીતે ગંદો નિકાલ લઈ જવાઈ રહ્યો છે. આવા વાહનોના અમુક પ્રકારના નિયમો હોય છે કે વ્યવસ્થિત ઢાંકીને કોઈને અડચણ ન થાય તે રીતે નિકાલ કરવાનો હોય છે.

The post પૂરપાટ ઝડપે જેતપુરના રસ્તાઓને ગંદુ કરતું પાલિકા તંત્ર appeared first on REVOLT NEWS INDIA.

]]>

આવનાર ચોમાસુ જ બતાવશે કે ખરેખર પ્રિ મોન્સૂન કામગીરી થઈ છે કે પછી વેંઠ જ ઉતારવામાં આવી છે

જેતપુર નવાગઢ નગર પાલિકા દ્વારા પ્રિ-મોન્સૂન કામગીરીનું રસ્તાઓ પર ‘પ્રદર્શન’

સેનિટેશનના તમામ નીતિ નિયમો નેવે મૂકીને ગંદા માલવાહકો પુરપાટે રસ્તાઓને ગંદા કરતા જોવા મળી રહ્યા છે. વિડીયોમાં જોઈ શકાય છે એ રીતે તમામ સ્વચ્છતા અને સલામતીના નિયમોને નેવે મૂકીને પાલિકાનું ટ્રેક્ટર રસ્તાઓ પર દોડી રહ્યું છે. જેમાંથી ગંદો કાદવ રસ્તાઓ પર પડી રહ્યો છે. રાહદારીઓને સુગ ચડે અને વેપારીઓ-રહીશોને કનડગત થાય તે રીતે ગંદો નિકાલ લઈ જવાઈ રહ્યો છે. આવા વાહનોના અમુક પ્રકારના નિયમો હોય છે કે વ્યવસ્થિત ઢાંકીને કોઈને અડચણ ન થાય તે રીતે નિકાલ કરવાનો હોય છે.

પરંતુ સેનિટેશન શાખા જાણે મોટા ઉપાડે પોતાની કામગીરીની ધરાર પ્રદર્શન કરવા માંગતી હોય તેવું જણાઈ રહ્યું છે. નામઠામ નંબર વગરના પાલિકા તંત્રના આવા વાહનોનું ભૂતકાળમાં હાર તોરથી સ્વાગત કરીને વિરોધ પણ કરવામાં આવ્યો છે. અને આવા નબર પ્લેટ વગરના વાહનો ભૂતકાળમાં અકસ્માતો પણ કરી ચૂક્યા છે. પરંતુ જાડી ચામડીના સત્તાધીશો, અધિકારીઓ, કોન્ટ્રાક્ટરોને જાણે કંઈજ ફરક નથી પડતો તેવું લોકોમાં ચર્ચાય રહ્યું છે.

જુઓ Video:

Loading

The post પૂરપાટ ઝડપે જેતપુરના રસ્તાઓને ગંદુ કરતું પાલિકા તંત્ર appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/municipal-department-polluting-the-roads-of-jetpur-at-full-speed/7288/feed/ 0 7288
જેતપુર: દલીત સમાજ દ્વારા એક વર્ષ પહેલાં કરેલી માંગ પુરી ન કરવામાં આવતા ફરી અપાયું આવેદન http://revoltnewsindia.com/jetpur-an-application-was-re-filed-after-the-demand-made-by-the-dalit-community-a-year-ago-was-not-met/6011/ http://revoltnewsindia.com/jetpur-an-application-was-re-filed-after-the-demand-made-by-the-dalit-community-a-year-ago-was-not-met/6011/#respond Fri, 04 Feb 2022 16:28:54 +0000 https://revoltnewsindia.com/?p=6011 Jetpur An application was re-filed after the demand made by the Dalit community a year ago was not met

The post જેતપુર: દલીત સમાજ દ્વારા એક વર્ષ પહેલાં કરેલી માંગ પુરી ન કરવામાં આવતા ફરી અપાયું આવેદન appeared first on REVOLT NEWS INDIA.

]]>
આવેદનપત્ર આપતા દલિત સમાજના આગેવાનો

જેતપુર અનુ.જાતિ સમાજ (schedule caste community Jetpur) અને કાયદાના વિદ્યાર્થીઓ દ્વારા દર વર્ષે બાબાસાહેબની જન્મજયંતી (Dr. Ambedkar Birth anniversary) તેમજ અન્ય દિવસોમાં મોટી સંખ્યામાં શહેર તેમજ તાલુકામાંથી પોતાનો ભાવ પ્રગટ કરવા એકઠા થતા હોય છે. ત્યારે સરદાર ગાર્ડન પાસે આવેલ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પરિસરમાં જગ્યાના અભાવના કારણે ભારે ગિરદીના દ્રશ્યો સર્જાતા હોય છે. તેમજ પ્રતિમા સુધી જવાની સીડી પણ એક જ હોવાથી ચડવા ઉતારવા માટે મુશ્કેલી પડતી હોય છે અને કોઈ અકસ્માત થવાનો પણ ભય રહેતો હોય છે.

જેને લઈને જેતપુરના દલિત સમાજ દ્વારા આજે એક આવેદનપત્ર જેતપુર-નવાગઢ નગરપાલિકામાં આપવામાં આવ્યું હતું. જેમાં માંગ કરવામાં આવી હતી કે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાના પરિસરની જગ્યા વધારવામાં આવે તેમજ પ્રતિમા સુધી જવા માટેની ચડવા અને ઉતરવાની અલગ-અલગ સીડી મુકવામાં આવે. દલિત સમાજના વ્યક્તિઓ દ્વારા જણાવવામાં આવેલ હતું કે આ પહેલા પણ માર્ચ-2021 માં પણ ઉપર મુજબની માંગ જેતપુર-નવાગઢ નગરપાલિકાના સત્તાધીશો સમક્ષ મુકવામાં આવી હતી.

પરંતુ તેનું એક વર્ષ ઉપર સમય થઈ ગયો હોવા છતાં કોઈ ઉકેલ ન આવતા ફરી એકવાર આવેદનપત્ર જેતપુર-નવાગઢ નગરપાલિકાના સત્તાધીશોને આપવામાં આવ્યું હતું. દલિત સમાજના આગેવાનોનું ખાસ એવું પણ માનવું હતું કે હાલ સરદાર ગાર્ડનની લાખો રૂપિયાના ખર્ચે જ્યારે રીનોવેશનની કામગીરી ચાલતી હોય ત્યારે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાના પરિસરમાં પણ જો થોડો ખર્ચો કરવામાં આવે તો શહેરની શોભામાં પણ વધારો થઈ શકે એમ છે.

રિપોર્ટ: દિનેશકુમાર રાઠોડ મો. +91 9879914491

Loading

The post જેતપુર: દલીત સમાજ દ્વારા એક વર્ષ પહેલાં કરેલી માંગ પુરી ન કરવામાં આવતા ફરી અપાયું આવેદન appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-an-application-was-re-filed-after-the-demand-made-by-the-dalit-community-a-year-ago-was-not-met/6011/feed/ 0 6011
Jetpur: સરધારપુર ગામમાં દેશીદારૂનું દુષણ ડામવા અપાયું આવેદન; નવનિયુક્ત PI જાનીએ કડક કાર્યવાહી કરવાની આપી બાંહેધરી http://revoltnewsindia.com/jetpur-an-application-was-filed-in-sardharpur-village-to-curb-the-contamination-of-desi-liquor-newly-appointed-pi-jani-vowed-to-take-strict-action/5402/ http://revoltnewsindia.com/jetpur-an-application-was-filed-in-sardharpur-village-to-curb-the-contamination-of-desi-liquor-newly-appointed-pi-jani-vowed-to-take-strict-action/5402/#respond Mon, 10 Jan 2022 12:25:54 +0000 https://revoltnewsindia.com/?p=5402 જેતપુર(Jetpur) તાલુકાના સરધારપુર (Sardharpur) ગામમાં દેશી દારૂ(Liquor) ના દુષણે માજા મૂકી હોય જેને લઈને આજે સરધારપુર ગામના લોકો દ્વારા જેતપુર તાલુકા પોલીસ સ્ટેશને (Police station) જઈને ફરજ પરના અધિકારીને સરધારપુર…

The post Jetpur: સરધારપુર ગામમાં દેશીદારૂનું દુષણ ડામવા અપાયું આવેદન; નવનિયુક્ત PI જાનીએ કડક કાર્યવાહી કરવાની આપી બાંહેધરી appeared first on REVOLT NEWS INDIA.

]]>

જેતપુર(Jetpur) તાલુકાના સરધારપુર (Sardharpur) ગામમાં દેશી દારૂ(Liquor) ના દુષણે માજા મૂકી હોય જેને લઈને આજે સરધારપુર ગામના લોકો દ્વારા જેતપુર તાલુકા પોલીસ સ્ટેશને (Police station) જઈને ફરજ પરના અધિકારીને સરધારપુર ગામમાંથી દેશી દારુનું દુષણ ડામવા માટે અરજ કરી હતી.

જુઓ વિડિઓ

ગામના લોકના જણાવ્યા અનુસાર સરધારપુર ગામમાં ઘણા લાંબા સમયથી દેશીદારુનું વેચાણ થતું હોય જેને લઈને ગામનું યુવાધન બરબાદ થતું હોય તેમજ પરિવારો પણ બરબાદ થતા હોવાનું જણાવ્યું હતું.

સરધારપુર ગામવાસીઓના જણાવ્યાં અનુસાર જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનના ફરજ પરના નવનિયુક્ત  અધિકારી પીઆઈ તપન જાની દ્વારા ગામવાસીઓને શાંતીથી સાંભળ્યા હતા અને દેશી દારૂના દૂષણને ડામવા માટે નક્કર પગલાં લેવા માટે ખાતરી આપી હતી.

Loading

The post Jetpur: સરધારપુર ગામમાં દેશીદારૂનું દુષણ ડામવા અપાયું આવેદન; નવનિયુક્ત PI જાનીએ કડક કાર્યવાહી કરવાની આપી બાંહેધરી appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-an-application-was-filed-in-sardharpur-village-to-curb-the-contamination-of-desi-liquor-newly-appointed-pi-jani-vowed-to-take-strict-action/5402/feed/ 0 5402
Jetpur: બાબાસાહેબ આંબેડકર અંગે ગેરબંધારણીય શબ્દનો ઉપયોગ કરનાર ખાનગી પ્રકાશન વિરુદ્ધ અપાયું આવેદન http://revoltnewsindia.com/jetpur-application-against-private-publication-using-unconstitutional-word-about-babasaheb-ambedkar/5368/ http://revoltnewsindia.com/jetpur-application-against-private-publication-using-unconstitutional-word-about-babasaheb-ambedkar/5368/#respond Sat, 08 Jan 2022 12:58:18 +0000 https://revoltnewsindia.com/?p=5368 જેતપુર તાલુકા સેવા સદન ખાતે જેતપુરના પ્રબુદ્ધ વકીલો અને પત્રકારો દ્વારા આવેદનપત્ર અપાયું રાજકોટ: જિલ્લાના જેતપુરમાં ગત તા. 07 ના રોજ જેતપુર તાલુકા સેવા સદન ખાતે ડેપ્યુટી કલેકટર રાજેશકુમાર આલની…

The post Jetpur: બાબાસાહેબ આંબેડકર અંગે ગેરબંધારણીય શબ્દનો ઉપયોગ કરનાર ખાનગી પ્રકાશન વિરુદ્ધ અપાયું આવેદન appeared first on REVOLT NEWS INDIA.

]]>

જેતપુર તાલુકા સેવા સદન ખાતે જેતપુરના પ્રબુદ્ધ વકીલો અને પત્રકારો દ્વારા આવેદનપત્ર અપાયું

રાજકોટ: જિલ્લાના જેતપુરમાં ગત તા. 07 ના રોજ જેતપુર તાલુકા સેવા સદન ખાતે ડેપ્યુટી કલેકટર રાજેશકુમાર આલની મારફતે રાજ્યપાલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. બાબત એમ છે કે ક્રિએટીવ સ્યોર સજેશન નામના પ્રકાશને પોતાના એસ.વાય.બી.એ સેમેસ્ટર 3 ના પુસ્તકમાં બાબાસાહેબ આંબેડકર તેમજ અનુસૂચિત જાતિ અંગે ગેરબંધારણીય શબ્દનો ઉલ્લેખ કરેલ હતો. જે શબ્દ પર સરકાર દ્વારા પ્રતિબંધ લગાડવામાં આવેલ છે.

જે શબ્દનો વિદ્યાર્થીઓના અભ્યાસના પુસ્તકમાં છાપી લાગણી દુભાવી હોય જે સંદર્ભે આવેદનપત્ર પાઠવી પબ્લિકેશન અને એડિટર સહિતના વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરી હતી.

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું માનવીય ગૌરવ ન હણાય તેને લઈને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ 1999 માં એસસીડબ્લ્યુ-૧૯૯૦/૧૪૬૯/હ મુજબનો પરિપત્ર પણ બહાર પાડવામાં આવેલ હતો. આ આવેદનપત્ર આપવામાં જેતપુર બાર એસોસિએશનના પ્રમુખ ગોવિંદ ડોબરીયા, વિદ્વાન વકીલ એલ.બી. જેઠવા, શૈલેષ સોલંકી અને પત્રકારમાં દિનેશ રાઠોડ, અજય જાદવ ઉપસ્થિત રહયા હતા.

Loading

The post Jetpur: બાબાસાહેબ આંબેડકર અંગે ગેરબંધારણીય શબ્દનો ઉપયોગ કરનાર ખાનગી પ્રકાશન વિરુદ્ધ અપાયું આવેદન appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-application-against-private-publication-using-unconstitutional-word-about-babasaheb-ambedkar/5368/feed/ 0 5368
Jetpur: ફૂટવેરમાં કમરતોડ 12 ટકા GST ના વધારા સામે વેપારીઓમાં રોષ, દુકાનો બંધ કરીને મામલતદારને પાઠવ્યું આવેદન http://revoltnewsindia.com/jetpur-footwear-gear-breaks-12-per-cent-increase-in-gst/5263/ http://revoltnewsindia.com/jetpur-footwear-gear-breaks-12-per-cent-increase-in-gst/5263/#respond Tue, 04 Jan 2022 07:48:53 +0000 https://revoltnewsindia.com/?p=5263 Rajkot: જિલ્લાના જેતપુર (Jetpur) માં કૂટવેર (Footwear)ના વેપારીઓ  સરકાર દ્વારા ફૂટવેરમાં 5 ટકા GSTમાંથી 12 ટકા GSTનો વધારો કરતા જેતપુરના તમામ કૂટવેરના વેપારીઓ દ્વારા આજે સવારે દુકાનો બંધ કરીને પોતાનો…

The post Jetpur: ફૂટવેરમાં કમરતોડ 12 ટકા GST ના વધારા સામે વેપારીઓમાં રોષ, દુકાનો બંધ કરીને મામલતદારને પાઠવ્યું આવેદન appeared first on REVOLT NEWS INDIA.

]]>

Rajkot: જિલ્લાના જેતપુર (Jetpur) માં કૂટવેર (Footwear)ના વેપારીઓ  સરકાર દ્વારા ફૂટવેરમાં 5 ટકા GSTમાંથી 12 ટકા GSTનો વધારો કરતા જેતપુરના તમામ કૂટવેરના વેપારીઓ દ્વારા આજે સવારે દુકાનો બંધ કરીને પોતાનો વિરોધ વ્યક્ત કર્યો હતો અને મામલતદાર (Mamlatdar)ને આવેદનપત્ર પાઠવ્યું હતું.

વધુમાં જેતપુર ફૂટવેર એસોસિએશન દ્વારા જણાવવામાં આવ્યું હતું કે સરકાર દ્વારા જો કાપડ પરનો 12 ટકા GST દૂર કરવામાં આવે તો ફૂટવેર પરનો 12 ટકા GST શા માટે દૂર કરવામાં ન આવે. સાથે જ તેમણે જણાવ્યું હતું કે ગરીબ અમીર સૌને ફૂટવેરની જરૂર પડતી હોય છે માટે મામલતદાર દ્વારા સરકારને રજુઆત કરીએ છીએ કે કૂટવેર પરનો 12 ટકા GST દૂર કરવામાં આવે.

કૂટવેર પર ઝીંકાયેલા GSTના વધારાને દૂર કરવામાં નહિ આવે તો આંદોલન કરવાની ચીમકી ઉચ્ચારવામાં આવી

આજે રાજ્યભરમાં ફૂટવેરના વિવિધ વેપારી મંડળો દ્વારા ફૂટવેરમાં કરાયેલા કમરતોડ GST ના વધારા સામે દુકાનો બંધ પાડીને વિરોધ કરાયો હતો. ત્યારે જેતપુર ફૂટવેર એસોસિએશન દ્વારા પણ ફૂટવેરમાં કરાયેલા 12 ટકા GST ના વધારાનો વિરોધ કર્યો હતો

અને જેતપુર મામલતદારને આવેદનપત્ર પાઠવી GST નો વધારો પાછો ખેંચવાની રજુઆત કરી હતી. તેમજ જો આ ફૂટવેરમાં કરાયેલો GST નો વધારો પાછો ન ખેંચાય તો ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાની ચીમકી પણ ઉચ્ચારી હતી.

Loading

The post Jetpur: ફૂટવેરમાં કમરતોડ 12 ટકા GST ના વધારા સામે વેપારીઓમાં રોષ, દુકાનો બંધ કરીને મામલતદારને પાઠવ્યું આવેદન appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-footwear-gear-breaks-12-per-cent-increase-in-gst/5263/feed/ 0 5263
જેતપુરના આરબટીંબડી ગામે તથાગત બુદ્ધની પ્રતિમાનો અનાવરણ સમારોહ યોજયો http://revoltnewsindia.com/the-unveiling-ceremony-of-the-statue-of-tathagata-buddha-was-held-at-arbatimbadi-village-of-jetpur/5251/ http://revoltnewsindia.com/the-unveiling-ceremony-of-the-statue-of-tathagata-buddha-was-held-at-arbatimbadi-village-of-jetpur/5251/#respond Mon, 03 Jan 2022 14:12:51 +0000 https://revoltnewsindia.com/?p=5251 તથાગત બુદ્ધની પ્રતિમાનું અનાવરણ પ્રખ્યાત લોકસાહિત્યકાર વિશનભાઈ કાથડ (Vishan Kathad) ના કરકમલો દ્વારા કરવામાં આવ્યુ હતુ. Rajkot: જિલ્લાના જેતપુર (Jetpur) તાલુકાના આરબટીંબડી (AarabTimbadi) ગામે માતૃશ્રી રમાબાઈ આંબેડકર મહિલા ગૃપ- આંરબટીંબડી…

The post જેતપુરના આરબટીંબડી ગામે તથાગત બુદ્ધની પ્રતિમાનો અનાવરણ સમારોહ યોજયો appeared first on REVOLT NEWS INDIA.

]]>
તથાગત બુદ્ધની પ્રતિમાનું અનાવરણ પ્રખ્યાત લોકસાહિત્યકાર વિશનભાઈ કાથડ (Vishan Kathad) ના કરકમલો દ્વારા કરવામાં આવ્યુ હતુ.

Rajkot: જિલ્લાના જેતપુર (Jetpur) તાલુકાના આરબટીંબડી (AarabTimbadi) ગામે માતૃશ્રી રમાબાઈ આંબેડકર મહિલા ગૃપ- આંરબટીંબડી અને બહુજન વિકાસ ફોજ- રાજકોટ જીલ્લા દ્વારા ભારતના પ્રથમ મહિલા શિક્ષક સાવિત્રીબાઈ ફૂલેની (Savitribai Phule) જન્મજયંતી ઉપર તથાગત બુદ્ધની પ્રતિમા (Buddha Statue) ના અનાવરણ સમારોહનું આયોજન કરવામાં આવ્યું હતું.

આ કાર્યક્રમમાં કર્મશીલ, પત્રકાર, વકીલ, લેખક, કોન્ટ્રાક્ટર, સામાજીક અને રાજકીય આગેવાનો તેમજ સંગઠનો અને તથાગત બુદ્ધના માનવ કલ્યાણના વિચાર સાથે જોડાયેલા ભાઈઓ,બહેનો, વડીલો અને બાળકોએ સોશિયલ ડિસ્ટન્સ અને સરકારની કોરોના અંગેની ગાઈડલાઇન સાથે બહોળી સંખ્યામાં ભાગ લીધો હતો.

જેતપુર તાલુકામાં પ્રથમવાર તથાગત બુદ્ધની પ્રતિમાનું અનાવરણ કરવામાં આવ્યું

જેતપુરના આરબટીંબડી ગામે જ્યારે આજે તથાગત બુદ્ધની પ્રતિમાનું અનાવરણ થયું છે ત્યારે આપને જણાવી આપીએ કે આ ગામમાં બાબાસાહેબ આંબેડકરની પૂર્ણકદની પ્રતિમા પણ પહેલેથી જ હયાત છે. આ કાર્યક્રમમાં લોકસાહિત્યકાર વિશનભાઈ કાથડ દ્વારા લોકોને અંધશ્રદ્ધા મુકવા, કુરિવાજો છોડવા અને યુવાનોને નશાની લત છોડવા માટે હાકલ કરી હતી.

તેમજ આજે સાવિત્રીબાઈ ફુલેની જન્મજયંતી હોય તે અંગે પ્રવચન પણ આપ્યું હતું. તેમજ આ કાર્યક્રમને સફળ બનાવવા માટે બહુજન વિકાસ ફોજના સંયોજક નિખિલભાઈ ચૌહાણ તેમજ કાર્યકર્તાઓ દ્વારા ભારે જહેમત ઉઠાવવામાં આવી હતી.

Loading

The post જેતપુરના આરબટીંબડી ગામે તથાગત બુદ્ધની પ્રતિમાનો અનાવરણ સમારોહ યોજયો appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/the-unveiling-ceremony-of-the-statue-of-tathagata-buddha-was-held-at-arbatimbadi-village-of-jetpur/5251/feed/ 0 5251
Jetpur: ગુરુબ્રાહ્મણ સમાજના હોદ્દેદારોની કરવામાં આવી નિમણુંક http://revoltnewsindia.com/jetpur-gurubrahman-samajs-office-bearers-were-appointed/5105/ http://revoltnewsindia.com/jetpur-gurubrahman-samajs-office-bearers-were-appointed/5105/#respond Sun, 26 Dec 2021 13:33:07 +0000 https://revoltnewsindia.com/?p=5105 તા. 26 ના રોજ જેતપુર તાલુકાના દેવકીગલોળ ગામે મૂળહંસસાહેબ શુક્લના આશ્રમે શ્રી માધવદાસબાપુ મહંતશ્રીના નિવાસ સ્થાને મળેલા ગુરુબ્રાહ્મણ સમાજના ભાઈઓ ડેડરવા, સમઢીયાળા, જેતપુર, નવાગઢ, અમરનગર, ઉમરાળી અને દેવકીગલોળના સૌ ગુરુ…

The post Jetpur: ગુરુબ્રાહ્મણ સમાજના હોદ્દેદારોની કરવામાં આવી નિમણુંક appeared first on REVOLT NEWS INDIA.

]]>

તા. 26 ના રોજ જેતપુર તાલુકાના દેવકીગલોળ ગામે મૂળહંસસાહેબ શુક્લના આશ્રમે શ્રી માધવદાસબાપુ મહંતશ્રીના નિવાસ સ્થાને મળેલા ગુરુબ્રાહ્મણ સમાજના ભાઈઓ ડેડરવા, સમઢીયાળા, જેતપુર, નવાગઢ, અમરનગર, ઉમરાળી અને દેવકીગલોળના સૌ ગુરુ બ્રાહ્મણ સમાજના ભાઈઓ મળેલા હતા.

જેમાં સર્વ સંમતિથી જેતપુર ગુરુ બ્રાહ્મણ સમાજના હોદ્દેદારોની વરણી કરવામાં આવી હતી. જેમાં પ્રમુખ તરીકે નીતિનભાઈ ખંડેસરા (ડેડરવા), મહામંત્રી તરીકે દીપકભાઈ બાવળફાડ (અમરનગર), ખજાનચી તરીકે કિશનભાઈ ચૌહાણ,
(અમરનગર), ઉપપ્રમુખ તરીકે દીપકભાઈ શુક્લ (દેવકીગલોળ), સંગઠનમંત્રી તરીકે રાજેશભાઈ ચૌહાણ (સમઢીયાળા) અને મીડિયા કન્વીનર તરીકે નરેશભાઈ સવાણી (જેતપુર).

આ કાર્યક્રમમાં માધવજીભાઈ શ્રીમાળી (નવાગઢ), મંગાભાઈ ખંડેસરા (ડેડરવા), મનોજભાઈ ચૌહાણ (જેતપુર), અમિતભાઈ જોગેલ (દેવકીગલોળ), અશ્વિનભાઈ શુક્લ (દેવકીગલોળ) સહિતના લોકો હજાર રહ્યા હતા.

Loading

The post Jetpur: ગુરુબ્રાહ્મણ સમાજના હોદ્દેદારોની કરવામાં આવી નિમણુંક appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-gurubrahman-samajs-office-bearers-were-appointed/5105/feed/ 0 5105
Jetpur: પેપર લીક કાંડ મામલે AAP દ્વારા કરવામાં આવ્યું હલ્લાબોલ http://revoltnewsindia.com/jetpur-paper-scandal-leak-case-made-by-you-hallabol/5098/ http://revoltnewsindia.com/jetpur-paper-scandal-leak-case-made-by-you-hallabol/5098/#respond Thu, 23 Dec 2021 06:58:55 +0000 https://revoltnewsindia.com/?p=5098 આમ આદમી પાર્ટી દ્વારા યોજવામાં આવ્યા ધરણા.. પરીક્ષા પેપર મુદ્દે અને ગાંધીનગરમાં થયેલા લાઠીચાર્જ મુદ્દે આપ દ્વારા કરવામાં આવ્યા હતા ધરણા… ધરણા દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવી આપ કારકર્તાઓની ધરપકડ……

The post Jetpur: પેપર લીક કાંડ મામલે AAP દ્વારા કરવામાં આવ્યું હલ્લાબોલ appeared first on REVOLT NEWS INDIA.

]]>

આમ આદમી પાર્ટી દ્વારા યોજવામાં આવ્યા ધરણા..

પરીક્ષા પેપર મુદ્દે અને ગાંધીનગરમાં થયેલા લાઠીચાર્જ મુદ્દે આપ દ્વારા કરવામાં આવ્યા હતા ધરણા…

ધરણા દરમિયાન પોલીસ દ્વારા કરવામાં આવી આપ કારકર્તાઓની ધરપકડ…

ગુજરાત ગૌણ સેવા પસંદગી મંડળના પ્રમુખની અસિત વોરા અને યુવા ભાજપ પ્રમુખ પ્રશાંત કોરાટની ધરપકડ કરવાની આપ દ્વારા કરવામાં આવી માંગ… વધુ વિગત થોડીવારમાં

Loading

The post Jetpur: પેપર લીક કાંડ મામલે AAP દ્વારા કરવામાં આવ્યું હલ્લાબોલ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-paper-scandal-leak-case-made-by-you-hallabol/5098/feed/ 0 5098