વિરપુરમાં મતગણતરી વખતે બેલેટમાંથી નીકળી ચીઠ્ઠી, કરી સ્કૂલ બિલ્ડીંગ સરખું કરવાની કરી માંગ

SHARE THE NEWS

બેલેટ સાથે નિકળેલી ચીઠ્ઠીમાં જાગૃત મતદારે આશંકા વ્યક્ત કરી છે કે જો શાળાની ઇમારતનું સમારકામ કરવામાં નહિ આવે તો મોટી જાનહાની થઈ શકે છે. ચિઠ્ઠીમાં આગળ જણાવેલ હતું કે અગાઉ પણ શિક્ષકો અને વિદ્યાર્થીઓને પણ પોપડાઓને કારણે ઇજાઓ પહોંચી હતી.

મતદાર દ્વારા બેલેટ સાથે જોડવામાં આવેલી ચિઠ્ઠી

સાથે તેમાં જણાવેલ હતું કે ગ્રામ પંચાયતથી લઈને ગાંધીનગર સુધી પણ અગાઉ રજુઆત કરેલ હોવા છતાં કોઈ પરિણામ ન આવતા બેલેટ પેપર સાથે ચિઠ્ઠી લખવી પડી હતી. તેમજ નવા સરપંચ અને સભ્યોને શાળાની નવી ઇમારત બનાવી આપવા અપીલ કરી હતી.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *