Rajkot: 28 ડિસેમ્બરે યોજાશે જિલ્લા કક્ષાનો સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ, આવી રીતે કરો અરજી

SHARE THE NEWS
ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તરફથી જિલ્લા કક્ષાનાં પ્રશ્નો માટે લોકોએ તેમની ફરિયાદ માટે ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર સુધી જવું ન પડે, તે માટે જિલ્લા કક્ષાએ "ફરિયાદ નિવારણ દિવસ"નું આયોજન કરવામાં આવ્યું છે.

Rajkot: ગુજરાત રાજયના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ તરફથી જિલ્લા કક્ષાનાં પ્રશ્નો માટે લોકોએ તેમની ફરિયાદ માટે ઉચ્ચ કક્ષાએ ગાંધીનગર સુધી જવું ન પડે, તે માટે જિલ્લા કક્ષાએ “ફરિયાદ નિવારણ દિવસ”નું આયોજન કરવામાં આવ્યું છે. જે અંતર્ગત તા. 28 ડિસેમ્બર, 2023ના રોજ યોજાનારા સ્વાગત કાર્યક્રમ માટે જિલ્લા કક્ષાના પ્રશ્નો-ફરિયાદો તા. 01થી તા. 10 ડીસેમ્બર, 2023 સુધીમાં સંબંધિત ખાતા-વિભાગોની જિલ્લા કક્ષાની કચેરીનાં જે-તે વડાને પહોંચતા કરવા સબંધકર્તા લોકોને અનુરોધ કરવામાં આવ્યો છે. અરજીમાં મથાળે “જિલ્લા ફરિયાદ નિવારણ કાર્યક્રમ” લખવાનું રહેશે.

આ પણ વાંચો: કેન્દ્રીય વિદ્યાલય જેતપુરમાં યોજાયો બાળમેળો

પડતર પ્રશ્નો મોકલવા ધ્યાનમાં રાખવાના મુદ્દાઓ

(1) લાંબા સમયથી આખરી નિકાલ આવતો ન હોય તેવા પડતર પ્રશ્નો જ મોકલવા.

(2) અગાઉ સબંધીત ખાતામાં કરેલી રજુઆતનો આધાર રજુ કરવો, તેમના તરફથી આપવામાં આવેલ જવાબની નકલ અરજી સાથે રાખવી.

(3) અગાઉ રજુ કરેલો પ્રશ્ન બીજી વખત રજુ કરવામાં આવે તો પ્રશ્ન ક્રમાંક, માસનું નામ લખવું.

(4) પ્રશ્ન કે અરજીમાં પ્રશ્ન કર્તાનું પુરુ નામ-સરનામું અને ફોન નંબર લખવાનો રહેશે. અરજીમાં અરજદારની સહી હોવી જરૂરી છે. અરજી સ્પષ્ટ અને મુદાસર સમજી શકાય તેવા આધારો સાથે હોવી જરૂરી છે.

(5) અલગ-અલગ વિષય દર્શાવતા પ્રશ્નો, અલગ-અલગ અરજીઓમાં મોકલવાના રહેશે.

આ પણ વાંચો: આઝાદીના 76 વર્ષ બાદ સુપ્રીમ કોર્ટમાં કરાયું, બાબાસાહેબ ડો. આંબેડકરની પ્રતિમાનું અનાવરણ

(6) સરકારી કર્મચારીઓના નોકરીને લગતા પ્રશ્નો અને કોર્ટમાં ચાલતા પ્રશ્નો રજુ કરી શકાશે નહીં.

(7) પ્રશ્ન અરજદારનો પોતાનો હોવો જોઈએ. બીજાનો પ્રશ્ન ધ્યાને લેવાશે નહીં.

(8) કોર્ટ મેટર, ચાલતા દાવાઓ, આક્ષેપો, અંગત રાગદ્વેષને લગતા પ્રશ્નો ધ્યાને લેવાશે નહીં.

(9) તાલુકા કક્ષાના પ્રશ્ન માટે સબંધીત મામલતદારને અરજી કરવાની રહેશે.

મહેસુલી તંત્રને લગતાં પ્રશ્નો રાજકોટ જિલ્લા પુરતા જિલ્લા કલેકટર કચેરી ખાતે રજુ કરવાનાં રહેશે. તેમજ તા. 28 ડિસેમ્બર, 2023ના રોજ સવારના 11 કલાકે જિલ્લા કલેકટર કચેરીના ત્રીજા માળે સભા ખંડમાં કલેકટર પ્રભવ જોષીના અધ્યક્ષસ્થાને સંબંધિત ખાતાના અધિકારીઓ મહેસુલી તંત્ર, જિલ્લા પંચાયત, પોલીસ વિભાગ, પી.જી.વી.સી.એલ., એસ.ટી. અને પાણી પુરવઠા બોર્ડના પ્રશ્નો સાંભળશે. અન્ય ખાતાના પ્રશ્નો હોય તો તે પ્રશ્નો જે-તે ખાતાને જ મુદત હરોળ રજુ કરવાના રહેશે.

આ પણ વાંચો: પરપ્રાંતીય મજૂરોની વિગતો પોલીસ સ્ટેશનમાં જણાવવા કલેકટરનો આદેશ

તા.10 ડિસેમ્બર, 2023 બાદ આવેલી કે અસંદિગ્ધ અને અસ્પષ્ટ રજુઆતવાળી, નામ-સરનામાં વગરની કે વ્યક્તિગત આક્ષેપોવાળી તેમજ અરજદારનું હિત સંકળાયેલું ન હોય તેવી તથા કોર્ટ મેટર, આંતરીક તકરાર, નોકરીને લગતી બાબતો, પેન્શન, રહેમરાહે નોકરી, પ્રથમ વખતની અરજી પર કોઈ કાર્યવાહી થઈ શકશે નહીં. તેમ રાજકોટ જિલ્લા કલેકટર કચેરીની યાદીમાં જણાવાયું છે.

દેશ અને દુનિયાની માહિતી માટે બન્યા રહો www.revoltnewsindia.com પર

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *