Ahmedabad Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/ahmedabad/ News for India Fri, 11 Feb 2022 13:13:05 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png Ahmedabad Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/ahmedabad/ 32 32 174330959 જેતપુર: ગરીબોના હકનું રાશન ચાઉં કરી જતા રાશનના દુકાનદારોની કાયમી માટે દુકાનો રદ કરતા જિલ્લા પુરવઠા અધિકારી http://revoltnewsindia.com/jetpur-district-supply-officer-cancels-shops-permanently-for-ration-shopkeepers-violating-rations-of-poor/6213/ http://revoltnewsindia.com/jetpur-district-supply-officer-cancels-shops-permanently-for-ration-shopkeepers-violating-rations-of-poor/6213/#respond Fri, 11 Feb 2022 13:12:59 +0000 https://revoltnewsindia.com/?p=6213 Jetpur District Supply Officer cancels shops permanently for ration shopkeepers violating rations of poor

The post જેતપુર: ગરીબોના હકનું રાશન ચાઉં કરી જતા રાશનના દુકાનદારોની કાયમી માટે દુકાનો રદ કરતા જિલ્લા પુરવઠા અધિકારી appeared first on REVOLT NEWS INDIA.

]]>

જેતપુરની 11 સરકારી રાશનની દુકાનના કાયમી લાયસન્સ રદ કરવાની સાથે તગડો દંડ ફટકારતા જિલ્લા પુરવઠા અધિકારી

By Team Revolt Jetpur 9879914491.

રાજકોટ (Rajkot) રાજ્યભર અને દેશભરમાં કોઈ લોકો ભૂખે ન રહે તેને લઈને સરકાર (Gujarat Government) દ્વારા રાહતદરે વાજબી ભાવે  વાજબી ભાવની દુકાન (Fair price shop) મારફત જીવન જરૂરી રાશન રેશનકાર્ડ ધારકોને (Ration card holder) આપવામાં આવતું હોય છે. ત્યારે જિલ્લામાં જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા આજે 20 જેટલી વાજબી ભાવની રાશનની દુકાનના પરવાના રદ કરવામાં આવ્યા છે.

રાજકોટ સહિત જિલ્લાના 25 વાજબી ભાવના પરવાનેદારોની અટક કરવામાં આવી હતી

90 દિવસથી વાજબી ભાવની દુકાનનો પરવાનો મોકૂફ રાખવામાં આવ્યો હતો

રાજકોટ સહિત જિલ્લાની સરકારી વાજબી ભાવની રાશનની દુકાનના કાયમી લાયસન્સ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા રદ કરવામાં આવ્યા છે. સાથે દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
જેમાં રાજકોટ જિલ્લાના જેતપુરની સૌથી વધારે 11 દુકાનના પરવાના રદ કરવામાં આવ્યા છે. સાથે જ દંડ પણ ફટકારવામાં આવ્યો છે. જો કે આ તમામ ગેરરીતિ કરનારને અમદાવાદ શહેર સાયબર દ્વારા પકડી પાડવામાં આવ્યા છે. આમદાવાદ શહેર સાયબર ક્રાઈમ દ્વારા આ આરોપી દુકાનદારોને ત્યાં નોંધાયેલ રેશનકાર્ડ ધારકોનું 100/% ક્રોશ વેરિફિકેશન કરતા ગેરરીતિ ઝડપાઇ હતી.

જેતપુરના આ મુજબના પરવાનાદારની કાયમી દુકાન રદ કરવાની સાથે દંડ પણ ફટકારવામાં આવ્યો

1. હિતેષભાઈ જગદીશભાઈ ત્રિવેદી જેતપુર ને 1,68,795/- દંડ,2. કાજી યાહયાભાઈ ગફારભાઈ (નવાગઢ) જેતપુર ને 1,78,181/- દંડ, 3. નીતિનભાઈ સવજીભાઈ નાગર જેતપુર ને 40,319/- દંડ, 4. વિજયગરી ગણપતગિરી ગોસાઈ જેતપુર ને 42,447/- દંડ, 5. જગજીવનભાઈ ગોબરભાઈ ગોંડલીયા જેતપુર ને 99,186/- દંડ, 6. દિલીપભાઈ ચંદુભાઈ ભાયાણી (આરબટીમ્બડી)  જેતપુર ને 39,419/- દંડ, 7. સુખદેવભાઈ બી. જોશી જેતપુર ને 3,11,150/-દંડ, 8. યોગેશભાઈ મૂળશંકર મહેતા જેતલસર જેતપુર ને 16,38,300/- દંડ, 9. વિજયભાઈ બાવનજીભાઈ વઘાસિયા (વિરપુર) જેતપુર ને 17,988/- દંડ, 10. સંજયભાઈ તુલજાશંકર જાની (દેવકીગાલોળ) જેતપુર ને 1,83878/- દંડ અને 11. બંસરીબેન ગૌરવભાઈ ગાજીપરા (વિરપુર) જેતપુર ને 49,981/- દંડ તેમજ તેમણે રાજીનામું આપતા કાયમી દુકાન રદ કરવામાં આવી છે.

આ સાથે જ જેતપુરના મામલતદાર ડી. એ. ગીનીયા દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વડી કચેરી દ્વારા હુકમ મળતા આગળની કાર્યવાહી કરવામાં આવશે. જો કે લોકોમાં તે પણ ચર્ચા થઈ રહી છે કે દુકાનદારો પર સ્થાનિક અધિકારી કેમ વામળા સાબિત થાય છે તે ચર્ચા એ પણ વેગ પકડ્યું છે.

Loading

The post જેતપુર: ગરીબોના હકનું રાશન ચાઉં કરી જતા રાશનના દુકાનદારોની કાયમી માટે દુકાનો રદ કરતા જિલ્લા પુરવઠા અધિકારી appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-district-supply-officer-cancels-shops-permanently-for-ration-shopkeepers-violating-rations-of-poor/6213/feed/ 0 6213
અમદાવાદ: બહુજન સમાજ પાર્ટી દ્વારા કલમ 63 (2) ના મુદ્દે મ્યુનિસિપલ કોપોરેશનના વિપક્ષ નેતા ને પાઠવ્યું આવેદનપત્ર http://revoltnewsindia.com/ahmedabad-bahujan-samaj-party-sends-application-letter-to-leader-of-opposition-of-municipal-corporation-on-the-issue-of-section-63-2/5587/ http://revoltnewsindia.com/ahmedabad-bahujan-samaj-party-sends-application-letter-to-leader-of-opposition-of-municipal-corporation-on-the-issue-of-section-63-2/5587/#respond Wed, 19 Jan 2022 16:29:41 +0000 http://revoltnewsindia.com/?p=5587 અમદાવાદ (Ahmedabad) બહુજન સમાજ પાર્ટી (Bahujan Samaj Party) ના પ્રદેશ અગ્રણી ડો કલ્પેશ વોરા ( ઇન્ચાર્જ મહેસાણા લોકસભા) અમદાવાદ શહેર બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ જે. જે .રાવત સહિત કમલેશ સોનારા,…

The post અમદાવાદ: બહુજન સમાજ પાર્ટી દ્વારા કલમ 63 (2) ના મુદ્દે મ્યુનિસિપલ કોપોરેશનના વિપક્ષ નેતા ને પાઠવ્યું આવેદનપત્ર appeared first on REVOLT NEWS INDIA.

]]>

અમદાવાદ (Ahmedabad) બહુજન સમાજ પાર્ટી (Bahujan Samaj Party) ના પ્રદેશ અગ્રણી ડો કલ્પેશ વોરા ( ઇન્ચાર્જ મહેસાણા લોકસભા) અમદાવાદ શહેર બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ જે. જે .રાવત સહિત કમલેશ સોનારા, ઉષાબેન પરમાર તેમજ યુથ કોંગ્રેસના એડવોકેટ અઝર રાઠોડ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોપોરેશનના (Amdavad Municipal Corporation) વિપક્ષના નવ નિયુક્ત યુવા નેતા શેહઝાદ ખાનને ધી ગુજરાત પ્રોવિશિયલ મ્યુનિસિપલ કોપોરેશન અધિનિયમની કલમ 63(2) ના અમલીકરણ મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

શું છે ધી ગુજરાત પ્રોવિશિયલ મ્યુનિસિપલ કોપોરેશન અધિનિયમની કલમ 63(2)?

બહુજન સમાજ પાર્ટીના ગુજરાત પ્રદેશ અગ્રણી ડો કલ્પેશ વોરાના જણાવ્યા અનુસાર, ધી ગુજરાત પ્રોવિશિયલ મ્યુનિસિપલ કોપોરેશન અધિનિયમની કલમ 63(2) માં સ્પષ્ટ જણાવ્યું છે કે SC, ST અને OBC વર્ગના વિસ્તારોમાં પાણી, પુરવઠા, ગટર, સફાઈ, લાઈટના થાંભલા, તબીબી સહાય અને ગંદા વિસ્તારોની નાબુદી જેવી મૂળભૂત સગવડ અને તેવી બીજી બાબતોનો પ્રબંધ કરવાના હેતુ માટે કોર્પોરેશનની આવકના પ્રતિવર્ષ 10% રકમ આ વર્ગના વિકાસ માટે ફાળવવામાં આવે તેવી જોગવાઈ છે.

Loading

The post અમદાવાદ: બહુજન સમાજ પાર્ટી દ્વારા કલમ 63 (2) ના મુદ્દે મ્યુનિસિપલ કોપોરેશનના વિપક્ષ નેતા ને પાઠવ્યું આવેદનપત્ર appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/ahmedabad-bahujan-samaj-party-sends-application-letter-to-leader-of-opposition-of-municipal-corporation-on-the-issue-of-section-63-2/5587/feed/ 0 5587
BSP સુપ્રીમો માયાવતીના જન્મદિને કરાયો BSP અમદાવાદ શહેર કાર્યાલયનો પ્રારંભ http://revoltnewsindia.com/bsp-supremo-mayawatis-birthday-bsp-ahmed-city-office-started/5506/ http://revoltnewsindia.com/bsp-supremo-mayawatis-birthday-bsp-ahmed-city-office-started/5506/#respond Sat, 15 Jan 2022 11:47:43 +0000 https://revoltnewsindia.com/?p=5506 બહેન કુ. માયાવતીના જન્મદિવસને તેમના સમર્થકો દ્વારા જનકલ્યાણકારી દિવસ તરીકે ઉજવવામાં આવે છે અમદાવાદ (Ahmedabad) બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી ઉત્તરપ્રદેશ સુશ્રી બહેન કુમારી માયાવતીના 15 જાન્યુઆરી…

The post BSP સુપ્રીમો માયાવતીના જન્મદિને કરાયો BSP અમદાવાદ શહેર કાર્યાલયનો પ્રારંભ appeared first on REVOLT NEWS INDIA.

]]>

બહેન કુ. માયાવતીના જન્મદિવસને તેમના સમર્થકો દ્વારા જનકલ્યાણકારી દિવસ તરીકે ઉજવવામાં આવે છે

અમદાવાદ (Ahmedabad) બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી ઉત્તરપ્રદેશ સુશ્રી બહેન કુમારી માયાવતીના 15 જાન્યુઆરી 2022 ને 66માં જન્મદિવસ નિમિત્તે અમદાવાદ શહેર બુહજન સમાજ પાર્ટીના કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ તકે બસપા અમદાવાદ જણાવ્યા મુજબ અમદાવાદ શહેરના બસપાના અધ્યક્ષ જેજે રાવત સાથે બસપા મહેસાણા લોકસભાના ઇન્ચાર્જ ડો કલ્પેશ વોરા તેમજ બસપા ગાંધીનગર લોકસભાના ઇન્ચાર્જ એસજે લાલ, બસપા ભરૂચ લોકસભાના ઇન્ચાર્જ જશવંત મૈત્રય, બસપા અમદાવાદ જિલ્લાના ઉપપ્રમુખ યુનુસ મન્સૂરી, કમલેશ સોનારા, ઉષાબેન પરમાર અને બસપા નારણપુરા વિધાનસભાના પ્રભારી રવિ વાધેલા સાથે કોરોનાની ગાઈડ ઉપસ્થિત રહ્યાં હતા.

તેમજ કોરોના ગાઇડલાઈનનું ચુસ્તપણે પાલન કરી અને માત્ર જવાબદાર લોકો સાથે લઈ બસપા અમદાવાદ શહેર કાર્યાલયની રીબીન કાપી શરૂઆત કરવામાં આવી હતી.

Loading

The post BSP સુપ્રીમો માયાવતીના જન્મદિને કરાયો BSP અમદાવાદ શહેર કાર્યાલયનો પ્રારંભ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/bsp-supremo-mayawatis-birthday-bsp-ahmed-city-office-started/5506/feed/ 0 5506
બંધારણ દિવસ પર કૈલાશ સત્યાર્થી ચિલ્ડ્રન ફાઉન્ડેશને પાંચ કરોડથી વધુ બાળકોને બંધારણનો પાઠ ભણાવ્યો અને તેમની ફરજો અને અધિકારો વિશે જણાવ્યું http://revoltnewsindia.com/on-constitution-day-kailash-satyarthi-childrens-foundation-taught-the-constitution-to-over-50-million-children-and-about-their-duties-and-rights/4654/ http://revoltnewsindia.com/on-constitution-day-kailash-satyarthi-childrens-foundation-taught-the-constitution-to-over-50-million-children-and-about-their-duties-and-rights/4654/#respond Fri, 26 Nov 2021 12:52:13 +0000 https://revoltnewsindia.com/?p=4654 કૈલાશ સત્યાર્થી ચિલ્ડ્રન ફાઉન્ડેશન (KSCF) એ તેની ભાગીદાર સંસ્થાઓ સાથે દેશભરના 20 રાજ્યોના 478 જિલ્લાઓમાં સરકાર અને વહીવટીતંત્ર સાથે મળીને 8 લાખથી વધુ સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કરીને બંધારણ દિવસની ઉજવણી…

The post બંધારણ દિવસ પર કૈલાશ સત્યાર્થી ચિલ્ડ્રન ફાઉન્ડેશને પાંચ કરોડથી વધુ બાળકોને બંધારણનો પાઠ ભણાવ્યો અને તેમની ફરજો અને અધિકારો વિશે જણાવ્યું appeared first on REVOLT NEWS INDIA.

]]>

કૈલાશ સત્યાર્થી ચિલ્ડ્રન ફાઉન્ડેશન (KSCF) એ તેની ભાગીદાર સંસ્થાઓ સાથે દેશભરના 20 રાજ્યોના 478 જિલ્લાઓમાં સરકાર અને વહીવટીતંત્ર સાથે મળીને 8 લાખથી વધુ સ્થળોએ કાર્યક્રમોનું આયોજન કરીને બંધારણ દિવસની ઉજવણી કરી.

આ ઐતિહાસિક કાર્યક્રમમાં 5 કરોડથી વધુ બાળકોએ બંધારણની પ્રસ્તાવનાનું પઠન કર્યું હતું અને તેમના અધિકારો અને ફરજો નિભાવવાના શપથ પણ લીધા હતા. બંધારણ દિવસ નિમિત્તે આટલા બાળકો સુધી પહેલીવાર કોઈ NGO પહોચી છે.

બીજી તરફ આટલા મોટા પાયા પર અંતરિયાળ વિસ્તારોમાં વસતા વંચિતોથી લઈને વિશેષાધિકૃત બાળકો સુધી સૌપ્રથમવાર બંધારણની પ્રસ્તાવના એકસાથે વાંચવામાં આવી.

બાળકોના બંધારણના પાઠનો આ કાર્યક્રમ KSCF દ્વારા દેશની રાજધાની દિલ્હી, રાજ્યના મુખ્યાલય અને જિલ્લાથી લઈને ગ્રામ્ય સ્તર સુધી યોજવામાં આવ્યો હતો.

જેમાં ખાનગી અને સરકારી શાળાઓના 5,05,54,417 બાળકો, આંગણવાડી અને બાળ સંભાળ સંસ્થા, કાનૂની સેવા સત્તા મંડળ સહિત બાલ મિત્ર ગામ, બાલ મિત્ર મંડળ અને અન્ય ઘણી સંસ્થાઓએ ભાગ લીધો હતો. તેમાં મોટાભાગે દૂરના, અતિ પછાત વિસ્તારોથી લઈને આદિવાસી, વંચિત અને સીમાંત બાળકોએ ભાગ લીધો હતો.

રાજ્ય સરકારોના સહયોગથી આયોજિત કાર્યક્રમોમાં દેશભરની 2,17,953 શાળાઓ, 6,47,570 આંગણવાડી કેન્દ્રો, 7,206 બાળ સંભાળ સંસ્થાઓમાં બંધારણ દિવસની ઉજવણીનું આયોજન કરવામાં આવ્યું હતું. દેશના વિવિધ ભાગોમાં આયોજિત 8,72,729 કાર્યક્રમોમાં બાળકોએ બંધારણની પ્રસ્તાવનાનું સરળ અને સ્થાનિક ભાષામાં પઠન કર્યું હતું.

બાળકોને ભારતીય બંધારણમાં દર્શાવેલ અધિકારો, ફરજો અને તેમની મુખ્ય વિશેષતાઓ વિશે પણ માહિતગાર કરવામાં આવ્યા હતા. આ પ્રસંગે બાળકોએ બંધારણમાં દર્શાવેલ ફરજો અને અધિકારો બજાવવાના શપથ પણ લીધા હતા.

જ્યારે મહામહિમ રાષ્ટ્રપતિ દેશની રાજધાની દિલ્હીમાં બંધારણ દિવસ પર સંસદને સંબોધિત કરી રહ્યા હતા, તે જ સમયે સંસદથી થોડે દૂર આવેલા સ્લમ બસ્તી સંજય કેમ્પની 12 વર્ષીય આસ્માએ બસ્તીના બાળકોને સંવિધાનની પ્રસ્તાવનાનું પઠન કરાવ્યું.

કૈલાશ સત્યાર્થી ચિલ્ડ્રન ફાઉન્ડેશન દ્વારા સંચાલિત બાલ મિત્ર મંડળ દ્વારા આયોજિત કાર્યક્રમમાં આત્માએ બાળકોને તેમની ફરજ અને અધિકારના શપથ લેવડાવ્યા હતા.

આસ્મા બાળકો ધ્વારા પસંદ કરાયેલ બાળ પરિષદની ઉપાધ્યક્ષ છે. આ પ્રસંગે, શિક્ષણના અધિકાર વિશે વાત કરતાં નાની આસ્માએ કહ્યું, “અમારામાંથી ઘણા બાળકો શાળાથી દૂર હતા અને મજૂરી કરતા હતા.

આજે તેઓ શાળાએ જઈ રહ્યા છે. તે આ બંધારણની ઉપજ છે. એટલા માટે અમે શપથ લીધા કે અમે અમારા અધિકારો મેળવીશું અને અમારી ફરજો બજાવીશું.” સંજય કેમ્પમાં એક સમયે બાળ મજૂરોની સંખ્યા વધુ હતી, તેઓ કામ છોડીને શાળાએ જઈને અભ્યાસ કરે છે.

ભારતમાં દર વર્ષે 26 નવેમ્બરે બંધારણ દિવસ ઉજવવામાં આવે છે.

વર્ષ 1949 માં, બંધારણ સભા દ્વારા 26 નવેમ્બરના રોજ ભારતના બંધારણને અપનાવવામાં આવ્યું હતું, જે 26 જાન્યુઆરી 1950 થી અમલમાં આવ્યું હતું. ભારત સરકાર આઝાદીના 75 વર્ષ પૂર્ણ થવા પર એક વર્ષ માટે અમૃત મહોત્સવની ઉજવણી કરી રહી છે.

જે દરમિયાન આ વખતે બંધારણ દિવસની મોટા પાયે ઉજવણી કરવામાં આવી હતી. કૈલાશ સત્યાર્થી ચિલ્ડ્રન ફાઉન્ડેશને પણ સરકાર સાથે મળીને બંધારણ દિવસની ઉજવણી કરી અને ઈતિહાસ રચ્યો.

કાર્યક્રમમાં બાળકોની ઐતિહાસિક સહભાગિતા પર ટિપ્પણી કરતા, કૈલાશ સત્યાર્થી ચિલ્ડ્રન ફાઉન્ડેશનના મુખ્ય કાર્યકારી અધિકારી શરદ ચંદ્ર સિંહાએ કહ્યું, “અમને એ જાણીને આનંદ થાય છે કે અમારા સમર્થનથી, વિવિધ પૃષ્ઠભૂમિના બાળકોએ બંધારણની પ્રસ્તાવના વાંચી તેમનું યોગદાન આપ્યું છે.

નીચલા વર્ગમાં ભણતા બાળકો કે જેઓ પોતે વાંચી શકતા ન હતા તેઓને બંધારણનો પાઠ (વાંચી સંભળાવી) ભણાવવામાં આવ્યો હતો. બાળકોને બંધારણમાં સમાવિષ્ટ દરેક નાગરિકના અધિકારો અને ફરજો વિશે પણ સમજાવવામાં આવ્યું હતું.

અમે અમારા બાળકોમાં ન્યાય, સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વના મૂલ્યો કેળવવા અને તેમને તેમના અધિકારો અને ફરજો વિશે જાગૃત કરવા માટે આ કાર્યક્રમ સમગ્ર દેશમાં કર્યો છે. અમે દૃઢપણે માનીએ છીએ કે ન્યાયી, સમાન અને અખંડ ભારતનું નિર્માણ કરવાનો એકમાત્ર રસ્તો આપણા બંધારણમાં સમાવિષ્ટ ઉચ્ચ મૂલ્યો કેળવવાનો છે.”

બંધારણ દિવસ પર કૈલાશ સત્યાર્થી ચિલ્ડ્રન ફાઉન્ડેશન દ્વારા આયોજિત આ કાર્યક્રમ પંજાબ, હરિયાણા, રાજસ્થાન,ગુજરાત,ઉત્તરાખંડ,બિહાર, ઝારખંડ,આસામ,મધ્ય પ્રદેશ,મહારાષ્ટ્ર,હરિયાણા,ચંદીગઢ,જમ્મુ અને કાશ્મીર,પશ્ચિમ બંગાળ,તેલંગાણા,આંધ્રપ્રદેશ,તમિલનાડુ,કર્ણાટક,કેરળ આંદામાન અને નિકોબાર સહિત દિલ્હી અને ઉત્તર પ્રદેશમાં યોજાયો.

આ કાર્યક્રમ બાળકોમાં બંધારણમાં સમાવિષ્ટ ન્યાય, સમાનતા, સ્વતંત્રતા અને બંધુત્વના મૂલ્યો કેળવવા અને તેમને તેમના અધિકારો અને ફરજોથી વાકેફ કરવા માટે ઉજવવામાં આવ્યો હતો. નવી પેઢીને જાગૃત કરવામાં આવી હતી કે દેશની એકતા, અખંડિતતા અને ગૌરવની દરેક કિંમતે રક્ષા કરવાની છે.

Loading

The post બંધારણ દિવસ પર કૈલાશ સત્યાર્થી ચિલ્ડ્રન ફાઉન્ડેશને પાંચ કરોડથી વધુ બાળકોને બંધારણનો પાઠ ભણાવ્યો અને તેમની ફરજો અને અધિકારો વિશે જણાવ્યું appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/on-constitution-day-kailash-satyarthi-childrens-foundation-taught-the-constitution-to-over-50-million-children-and-about-their-duties-and-rights/4654/feed/ 0 4654
Jamnagar: લાંચિયા મામલતદાર પર ત્રાટકતી એસીબી http://revoltnewsindia.com/acb-striking-at-jamnagar-bribe-mamlatdar/3986/ http://revoltnewsindia.com/acb-striking-at-jamnagar-bribe-mamlatdar/3986/#respond Sat, 23 Oct 2021 18:08:36 +0000 http://revoltnewsindia.com/?p=3986 જામનગર (Jamnagar) શહેર મામલતદાર કચેરી (Mamlatdar Office)માં ફરજ બજાવતા નાયબ મામલતદાર (Deputy Mamlatdar) ચેતન ઉપાધ્યાયને જામનગર એસીબી (ACB)એ લાંચ (Bribery) લેતા પકડી પાડ્યો છે. નાયબ મામલતદારે ફટાકડા લાયસન્સ માટે વેપારી…

The post Jamnagar: લાંચિયા મામલતદાર પર ત્રાટકતી એસીબી appeared first on REVOLT NEWS INDIA.

]]>

જામનગર (Jamnagar) શહેર મામલતદાર કચેરી (Mamlatdar Office)માં ફરજ બજાવતા નાયબ મામલતદાર (Deputy Mamlatdar) ચેતન ઉપાધ્યાયને જામનગર એસીબી (ACB)એ લાંચ (Bribery) લેતા પકડી પાડ્યો છે. નાયબ મામલતદારે ફટાકડા લાયસન્સ માટે વેપારી પાસેથી રૂપિયા દસ હજારની લાંચ લીધી હોવાનું સામે આવ્યું છે. ઉલ્લેખનીય છે કે એસીબીની ઝપટે ચડેલ નાયબ મામલતદાર અગાઉ પણ લાંચ લેતા પકડાયો હતો.

જામનગર સરકારી બાબુ લાંચ લેતા પકડાયા છે. જામનગર શહેર મામલતદાર કચેરીમાં ફરજ બજાવતા નાયબ મામતલદાર ચેતન ઉપાધ્યાયે ગોકુલનગર વિસ્તારમાં રહેતા એક વેપારી પાસેથી ફટાકડાના લાયસન્સ માટે રૂપિયા દસ હજારની લાંચની માંગણી કરી હતી. લાંચની આ રકમ ફરિયાદી વેપારી આપવા માંગતા ન હોવાથી તેઓએ સ્થાનીક એસીબી કચેરીનો સંપર્ક કર્યો હતો.

જેને લઈને એસીબીએ આજે છટકું ગોઠવ્યું હતું. જેમાં નાયબ મામલતદાર ચેતન ઉપાધ્યાય રૂપિયા દસ હજારની લાંચ લેતા આબાદ પકડાઈ ગયો હતો. એસીબીની ટીમે આરોપી નાયબ મામલતદારની ધરપકડ કરી કચેરીએ લઇ જઈ પૂછપરછ હાથ ધરી છે. ઉલ્લેખનીય છે કે આ જ અધિકારી દસકા પૂર્વે પણ લાંચ લેતા પકડાયો હતો.

જેની કાયદાકીય કાર્યવાહી બાદ તેઓ ફરી ક્રીમ પોસ્ટ પર ગોઠવાઈ ગયો હતો. એસીબીની ટ્રેપ થઈ હોવાની જાણ થતા જ મામલતદાર કચેરીમાં ફફડાટ ફેલાઈ ગયો હતો. એસીબીએ આરોપીના ઘરે પણ સર્ચ ઓપરેશન હાથ ધર્યું હોવાનું જાણવા મળ્યું છે. આવતી કાલે આરોપીને કોર્ટ સમક્ષ રજુ કરી રિમાન્ડની માંગણી કરવામાં આવશે એમ એસીબી સુત્રોએ જણાવ્યું છે.

રિપોર્ટ: વિરલ સોની, જામનગર.

Loading

The post Jamnagar: લાંચિયા મામલતદાર પર ત્રાટકતી એસીબી appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/acb-striking-at-jamnagar-bribe-mamlatdar/3986/feed/ 0 3986
મિશન 2022 ને લઈને ગુજરાત BSP એક્શન મોડમાં, ધડાધડ બનાવાઈ રહ્યું છે પાર્ટીનું બુથ લેવલનું સંગઠન http://revoltnewsindia.com/mission-2022-gujarat-bsp-in-action-mode/1854/ http://revoltnewsindia.com/mission-2022-gujarat-bsp-in-action-mode/1854/#comments Tue, 20 Jul 2021 19:44:06 +0000 http://revoltnewsindia.com/%e0%aa%ae%e0%aa%bf%e0%aa%b6%e0%aa%a8-2022-%e0%aa%a8%e0%ab%87-%e0%aa%b2%e0%aa%88%e0%aa%a8%e0%ab%87-%e0%aa%97%e0%ab%81%e0%aa%9c%e0%aa%b0%e0%aa%be%e0%aa%a4-bsp-%e0%aa%8f%e0%aa%95%e0%ab%8d%e0%aa%b6/ બહુજન સમાજ પાર્ટી (BSP) ગુજરાત (Gujarat) રાજ્યમાં એક્શન મોડમાં આવી છે. રાજ્યના દરેક જિલ્લા મથકોમાં હાલ પાર્ટીના સંગઠનનું માળખું બનાવવા માટે મીટીંગો ફટાફટ કરવામાં આવી રહી છે યુવાનોને આપવામાં આવી…

The post મિશન 2022 ને લઈને ગુજરાત BSP એક્શન મોડમાં, ધડાધડ બનાવાઈ રહ્યું છે પાર્ટીનું બુથ લેવલનું સંગઠન appeared first on REVOLT NEWS INDIA.

]]>

બહુજન સમાજ પાર્ટી (BSP) ગુજરાત (Gujarat) રાજ્યમાં એક્શન મોડમાં આવી છે. રાજ્યના દરેક જિલ્લા મથકોમાં હાલ પાર્ટીના સંગઠનનું માળખું બનાવવા માટે મીટીંગો ફટાફટ કરવામાં આવી રહી છે

યુવાનોને આપવામાં આવી રહ્યું છે પાર્ટીના સંગઠનમાં સ્થાન

આગામી સમયમાં ગુજરાત BSP ના સંગઠનમાં થઈ શકે છે, મોટો ફેરફાર

રાજકોટમાં બહુજન સમાજ પાર્ટીનું જિલ્લાનું સંગઠન બનાવવા માટે 20/July/2021 ના રોજ ભક્તિનગર પાસે આવેલા ડો. આંબેડકર હૉલમાં એક કાર્યક્રમનું આયોજન કરવામાં આવેલ હતું. જેમાં રાજકોટ જિલ્લાભરમાંથી BSP ના કાર્યકર્તાઓ હાજર રહેલા હતા.

તેમાં મોટી સંખ્યામાં યુવાવર્ગ જોવા મળ્યો હતો. આ મીટીંગમાં BSP ના ગુજરાત પ્રદેશ પ્રભારી ભગુભાઈ પરમાર અને BSP ના પદાધિકારીઓમાં સૌરાષ્ટ્ર ઝોન ઇન્ચાર્જ દામજીભાઈ સોંદરવા , મોહનભાઈ રાખૈયા અને ડૉ. જયંતિભાઈ માકડિયા ખાસ ઉપસ્થિત રહ્યા હતા.

આ મિટિંગમાં બસપા રાજકોટ જિલ્લાના સંગઠનમાં ફેરફાર કરવામાં આવ્યા હતા. જેમાં રાજકોટ જિલ્લા બસપા પ્રભારી તરીકે દિનેશ પડાયા, રાજકોટ જિલ્લા પ્રમુખ અરવિંદ ગોહેલ અને જીતેન્દ્ર મહિડાની જિલ્લા મહામંત્રી રાજકોટ તરીકે નિમણુંક કરવામાં આવી હતી.

BSP દ્વારા ગુજરાત પ્રદેશમાં કરવામાં આવી રહ્યું છે ફોકસ

બહુજન સમાજ પાર્ટી ગુજરાત રાજ્યના સંગઠન માળખામાં ઘણો ફેરફાર કરવા જઈ રહી છે, તેની સાથોસાથ યુવાવર્ગને પ્રોત્સાહન આપવા માટે યુવાનોને પણ પાર્ટીના મહત્વના પદ પર નિમણુંક આપવાની તૈયારીઓ BSP દ્વારા કરવામાં આવી રહી છે. આગામી સમયમાં ગુજરાત બસપા દ્વારા બુથ લેવલ સુધીના સંગઠનનું માળખું બનાવવાની કવાયત શરૂ કરી દેવામાં આવી છે.

શું PM નરેન્દ્ર મોદીનો વિકલ્પ માયાવતી છે?

આપને જણાવી આપીએ કે બહુજન સમાજ પાર્ટી દેશની ત્રીજા નંબરની રાષ્ટ્રીય પાર્ટી છે અને બહુજન સમાજ પાર્ટી દેશની એકમાત્ર એવી રાષ્ટ્રીય પાર્ટી છે, જેની લીડરશીપ એક દલિત મહિલા એટલે કે માયાવતીના હાથમાં છે. આગામી સમયમાં જ્યારે નરેન્દ્ર મોદી પછી કોણ અથવા કહીએ કે નરેન્દ્ર મોદીનો વિકલ્પ કોણ ત્યારે બસપા સુપ્રીમો માયાવતી સિવાય હાલ દેશમાં કોઈ નેતા નજર નહી આવે તેવું માનવાવાળા વર્ગની સંખ્યા ખૂબજ મોટા પ્રમાણમાં છે.

જુઓ વિડિઓ BSP ની રાજકોટ મિટિંગ અંગે:

 

Loading

The post મિશન 2022 ને લઈને ગુજરાત BSP એક્શન મોડમાં, ધડાધડ બનાવાઈ રહ્યું છે પાર્ટીનું બુથ લેવલનું સંગઠન appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/mission-2022-gujarat-bsp-in-action-mode/1854/feed/ 1 1854
બ્લેકબોર્ડના બ્લેક પેંથર – જોનીભાઈ મકવાણા http://revoltnewsindia.com/blackboards-black-panther-jonibhai-makwana/1429/ http://revoltnewsindia.com/blackboards-black-panther-jonibhai-makwana/1429/#respond Tue, 15 Dec 2020 07:02:07 +0000 http://revoltnewsindia.com/?p=1429 આજે કર્મઠ સાથીદારો કનુ સુમરા, હેમંત પરમાર અને જગદીશ સોલંકી સાથે બહુજન આંદોલનની પાયાની ઇંટ જેવા જોનીભાઈ મકવાણાના ઘરે હું ગયો અને તેમનું શાલ ઓઢાડીને સન્માન કર્યું. જોનીભાઈના આર્યોદય મિલની…

The post બ્લેકબોર્ડના બ્લેક પેંથર – જોનીભાઈ મકવાણા appeared first on REVOLT NEWS INDIA.

]]>

આજે કર્મઠ સાથીદારો કનુ સુમરા, હેમંત પરમાર અને જગદીશ સોલંકી સાથે બહુજન આંદોલનની પાયાની ઇંટ જેવા જોનીભાઈ મકવાણાના ઘરે હું ગયો અને તેમનું શાલ ઓઢાડીને સન્માન કર્યું. જોનીભાઈના આર્યોદય મિલની ચાલીમાં આવેલા ઘરમાં અમે બેઠા અને તેમના જ મુખે તેમના જીવનના બહુમૂલ્ય સંસ્મરણો સાંભળ્યા, ત્યારે થયું કે દિલ્હીની ગાદી પર બહુજન સમાજ તો બેસતા બેસશે એ પહેલાં જોનીભાઈ જેવા કેટલા કાર્યકરોની જિંદગીઓ હોમાઈ જશે.

બહુજન આંદોલન ફેસબુક પર જય ભીમ, જય સંવિધાનના નારા લગાવવાથી નથી ચાલતું. ચહેરા પર કરચલીઓ વળી જાય છે અને ચહેરો સગડી પર જામેલી મેશ જેવો કાળો પડી જાય છે.

આંખોમાં લાલ ટશીયા ફૂટી જાય છે. કમર વાંકી વળી જાય છે. ઘરની ભીંતો પર વળેલી પોપડીઓ ઉખાડીને બિરલા પુટ્ટી લગાવવાના પૈસા ગજવામાં નથી હોતા. બાળપણમાં જે પબ્લિક જાજરૂમાં ડબલુ લઇને હગવા જતા હોય તે જ જાજરૂ, થોડા પાક્કા પણ એવા ને એવા જ ગંધાતા જાજરુમાં ચાલીસ વર્ષ પછી પણ જવું પડે છે. કારમી કંગાલિયત રોજ નજર સામે ડાકલાં વગાડતી રહે છે અને છતાં જો કોઈ માણસ બહુજન આંદોલન વિષે પૂછે તો મુખમાંથી તર્કબદ્ધ દલીલો નીકળવા માંડે અને તેને સાંભળીને ભલભલા અભ્યાસુ પણ મંત્રમુગ્ધ થઈ જાય ત્યારે કહેવાનું મન થાય કે જોનીભાઈ જેવા બહુજન કર્મશીલો હવા, પાણી કે આહાર પર નહીં માત્ર ને માત્ર મિશનના જજબાત પર જ જીવી રહ્યા છે.

10 સપ્ટેમ્બર, 1953ના રોજ જન્મેલા જોનીભાઈ આજે 66 વર્ષની પાકટ ઉંમરે ચાલીની બે રૂમની ખોલીમાં નકરા અભાવની વચ્ચે જીવી રહ્યા છે, પરંતુ કોઈની સામે એમની ફરિયાદ નથી.

એમના વિચારોમાં એક સકારાત્મકતા છે. જમીન પર કામ કરતો કાર્યકર પોતાના વિચારો જનતા સુધી પહોંચાડવા એના આગવા અને અનોખા માધ્યમો ઉભા કરી લેતો હોય છે.

જોનીભાઈ બે દાયકાથી ચાલીના સામેના બ્લેકબોર્ડ પર રોજ આંબેડકરવાદી વિચારધારાને લગતા લખાણો લખતા રહ્યા છે. એમના લખાણોની જબરજસ્ત અસર હતી.

એકવાર એમણે ‘સ્વાધ્યાય પરીવારથી સાવધાન’ હેડિંગથી લખેલું. રાત્રે બે વાગે દસેક રીક્ષાઓ ભરીને સ્વાધ્યાયીઓ એમના ઘરે આવેલા. સામેની ચાલીના બે છોકરા ત્યારે જાગતા હતા. આટલું મોટું ટોળુ જોઇને તેઓ પણ પાછળ પાછળ આવ્યા. એમને જોઇને જોનીભાઈએ ઇશારો કર્યો કે કોઈ મગજમારી કરશો નહીં. એમના (સ્વાધ્યાયીઓના) સવાલોના જવાબો હું આપીશ.

પછી જોનીભાઈએ પાંડુરંગ આઠવલેનું એક પુસ્તક કાઢીને એમાંથી કેટલાક ફકરા એ ટોળાને વાંચી સંભળાવ્યા. એ લોકોએ પાંડુરંગના પ્રવચનો સાંભળલા, પરંતુ આવું કોઈ પુસ્તક વાંચેલું નહીં. એમને પણ થયું કે આ માણસ જોનીભાઈ જાણકાર છે. ટોળું ચુપચાપ પાછુ ફરી ગયેલું.

સ્વાધ્યાયી પરીવારના લોકોએ વિરોધી મત ધરાવતા રેશનાલિસ્ટો પર હિંસક હૂમલા કરેલા છે. અહીં જોનીભાઈ સામે એમની બોબડી બંધ થઈ ગઈ.

આવી અસાધારણ હિંમત જોનીભાઈમાં આંબેડકરવાદી વિચારધારાને કારણે આવી છે.

આજના ફેસબુકીયા એક્ટિવિસ્ટો ફેસબુક પર માતા-મહાદેવનો વિરોધ કર્યા કરે, પરંતુ જમીની સ્તરે એમની કોઈ અસર નથી.

આવો જ બીજો બનાવ જોનીભાઈએ ‘વાવમાં ડૂબી નાવ’ હેડિંગ હેઠળ વાવના બાવા અંગે લખ્યું ત્યારે બનેલો. વાવથી લોકો રાત્રે રીક્ષાઓ લઇને ચાલીમાં ખાબકેલા.

તેમણે જોનીભાઈને કહ્યું કે વાવનો બાવો આપણા સમાજનો છે, તમે એની વિરુદ્ધમાં કેમ લખો છો. ત્યારે જોનીભાઈએ કહેલું કે અમારો વાંધો વિચારધારાનો છે.

વાવવાળા પણ વીલા મોંઢે પાછા ફરી ગયેલા. આવા જોનીભાઈએ છેક 1972માં ઘરમાંથી દેવ-દેવીઓની છબીઓ વાળી ચોળીને ભેગી કરીને ચાલીના પબ્લિક જાજરુમાં ફેંકી દીધેલી.

17 વર્ષની ઉંમરે મિલમાં નોકરીએ ચડી ગયેલા જોનીભાઈના પિતા નાનપણમાં ગુજરી ગયા હતા. મોટા બેન રેવાબેને તેમને ઉછેર્યા હતા. ત્યારે પહેલો પગાર કેટલો હતો એ યાદ નથી. કંઈક દોઢસો-બસો હતો. એ જમાનામાં દોઢસો-બસો પણ ઓછા તો ના કહેવાય. એ જ સમયે આટલો પગાર મેળવનારા મિલ કામદારોએ ગણપત, ધાબર, સુતરીયા, કલ્યાણગ્રામ જેવી સોસાયટીઓ બનાવેલી.

જોનીભાઈ ચાલીના બે સાંકડા રૂમની ખોલીમાં આખી જિંદગી જીવ્યા તો એનું એકમાત્ર કારણ એમની બહુજન દિવાનગી હતી.

રિપબ્લિકન પાર્ટી હોય કે બહુજન સમાજ પાર્ટી હોય, દિવાલો પર લખાણો કરવા, બેનરો બનાવવા, ચૌદમી એપ્રિલની નગરયાત્રા વખતે ટ્રકો શણગારવી – પાગલ માણસની જેમ જોનીભાઈએ જાત ઘસી નાંખી.

રાતોના ઉજાગરા કર્યા અને તેમનો નાલાયક સમાજ ઉંઘતો રહ્યો, સપના જોવા માટે. હજુ પણ ઉંઘે છે.

લેખક રાજુ સોલંકી કવિ,પત્રકાર, શિક્ષણવિદ અને માનવ અધિકાર કાર્યકર્તા છે.

Loading

The post બ્લેકબોર્ડના બ્લેક પેંથર – જોનીભાઈ મકવાણા appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/blackboards-black-panther-jonibhai-makwana/1429/feed/ 0 1429
दादी और पोती का अनोखा रिश्ता जिसे सुन कर सब है हैरान दादी कब्र में भी तुम्हारे साथ चलूंगी – सौम्या http://revoltnewsindia.com/grandmother-and-granddaughters-unique-relationship/919/ http://revoltnewsindia.com/grandmother-and-granddaughters-unique-relationship/919/#respond Wed, 20 May 2020 07:46:51 +0000 http://revoltnewsindia.com/?p=919 By Saumya Singh बलरामपुर के पनवापुर गांव के रहने वाले रईस अहमद पिछले 10 वर्ष से अहमदाबाद में रहकर मजदूरी किया करते थे. लॉकडाउन शुरू होने से करीब दो हफ्ते…

The post दादी और पोती का अनोखा रिश्ता जिसे सुन कर सब है हैरान दादी कब्र में भी तुम्हारे साथ चलूंगी – सौम्या appeared first on REVOLT NEWS INDIA.

]]>

By Saumya Singh

बलरामपुर के पनवापुर गांव के रहने वाले रईस अहमद पिछले 10 वर्ष से अहमदाबाद में रहकर मजदूरी किया करते थे. लॉकडाउन शुरू होने से करीब दो हफ्ते पहले मां इशरतजहां को इलाज के लिए अहमदाबाद बुला लिया था. उनके साथ अहमद की 3 वर्षीय भतीजी सौम्या भी इशरत के साथ जाने की जिद्द कर बैठी.

परिजन से बात करने पर पता चला की इशरत और सौम्य का रिश्ता माँ बेटी से कम नहीं था.वो अक्सर सौम्या से पूछती थी कि क्या कब्र में भी पीछा नहीं छोड़ेगी तो सौम्या कहती थी कि हां साथ ही चलूंगी.


प्रवासी मजदूरों की कहानी किसी से नहीं छुपी है लॉकडाउन शुरू हुआ तो करीब 50 दिन जैसे-तैसे परिवार के कट गए, लेकिन जब बचाकर रखे गए पैसे खत्म हो गए तो अहमद के सामने परेशानियां आ खड़ी हुई. किसी तरह पैसों का जुगाड़ कर अपनी मां और 3 वर्षीय सौम्या को गांव वालों के साथ एक डीसीएम बुक कराकर 30 लोगों के साथ पनवापुर गांव भेज दिया.

अभी डीसीएम कानपुर देहात ही पहुंची ही थी कि सड़क हादसे की शिकार हो गई. इस सड़क हादसे में इशरतजहां और सौम्या की मौत हो गई. मृतिका इशरत जहां के पति अकबर अली इशरतजहां और सौम्या के बीच रिश्ते को याद करके भावुक हो जाते हैं. वह कहते हैं दादी-पोती के बीच इतना प्यार था कि सौम्या इशरत का पीछा नहीं छोड़ती थी. दादी जहां भी जाती पोती सौम्या भी उसके साथ चल दिया करती थी.

अक्सर इशरत पूछती कि क्या वह मेरे साथ क्रब में भी चलेगी तो सौम्या मासूम सा चेहरा बनाकर हां चलूंगी कह देती थी.परिजनों ने दादी-पोती के शव को कब्रिस्तान में अगल-बगल एक साथ दफना दिया गया.

किसी को क्या पता था की सौम्या सच में अपनी दादी क साथ कब्र में चली जाएगी। जिंदगियों को निगल रहे कोरोना वायरस से जंग को तो हम जीत लेगें, लेकिन लॉकडाउन में असमय जा रही बेगुनाहों की जान और दिल को झकझोर देने वाली मार्मिक घटनाएं, इतिहास के पन्नों में हमेशा के लिए दर्ज हो जाएंगी और साथ ही याद आने पर दिलों को कचोटती रहेंगी।

Loading

The post दादी और पोती का अनोखा रिश्ता जिसे सुन कर सब है हैरान दादी कब्र में भी तुम्हारे साथ चलूंगी – सौम्या appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/grandmother-and-granddaughters-unique-relationship/919/feed/ 0 919
કોરોના વાયરસની સામેની લડાઈમાં પોતાનું યોગદાન આપતા સાબરમતીજેલના કેદીઓ, જુઓ વિડિઓ http://revoltnewsindia.com/sabarmati-jail-prisoners-gave-their-contibution/806/ http://revoltnewsindia.com/sabarmati-jail-prisoners-gave-their-contibution/806/#respond Mon, 11 May 2020 10:47:09 +0000 http://revoltnewsindia.com/?p=806 સાબરમતી જેલમાં કેદીઓ બનાવે છે સેનીટાઇઝ ટનલ, PPE કિટ અને માસ્ક હોસ્પિટલ સ્ટાફ અને પોલીસ જવાનોના કોરોના સામે રક્ષણ માટે બનાવવામાં આવે છે આ માસ્ક અને કિટ જે રાજ્યના બીજી…

The post કોરોના વાયરસની સામેની લડાઈમાં પોતાનું યોગદાન આપતા સાબરમતીજેલના કેદીઓ, જુઓ વિડિઓ appeared first on REVOLT NEWS INDIA.

]]>

સાબરમતી જેલમાં કેદીઓ બનાવે છે સેનીટાઇઝ ટનલ, PPE કિટ અને માસ્ક

હોસ્પિટલ સ્ટાફ અને પોલીસ જવાનોના કોરોના સામે રક્ષણ માટે બનાવવામાં આવે છે આ માસ્ક અને કિટ જે રાજ્યના બીજી 28 જેલોમાં મોકલાશે

Loading

The post કોરોના વાયરસની સામેની લડાઈમાં પોતાનું યોગદાન આપતા સાબરમતીજેલના કેદીઓ, જુઓ વિડિઓ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/sabarmati-jail-prisoners-gave-their-contibution/806/feed/ 0 806
દેશ મારા બાપનો, કોના બાપનો ? http://revoltnewsindia.com/desh-mara-baap-no-article-rajusolanki/667/ http://revoltnewsindia.com/desh-mara-baap-no-article-rajusolanki/667/#respond Sat, 18 Apr 2020 07:17:32 +0000 http://revoltnewsindia.com/?p=667 1જાન્યુઆરી, 2020ની સ્થિતિએ ભારતની વસતી 1 અબજ, 38 કરોડ, 72 લાખ, 97 હજાર અને 452 છે. આ વસતીમાં #અંબાણી, #અદાણી, તાતા જેવા 138 #અબજોપતિ (બીલીયોનેર્સ) છે. અને આ અબજોપતિઓની નીચે 39,000 કરોડપતિઓ (મીલીયોનેર્સ) છે.…

The post દેશ મારા બાપનો, કોના બાપનો ? appeared first on REVOLT NEWS INDIA.

]]>

1જાન્યુઆરી, 2020ની સ્થિતિએ ભારતની વસતી 1 અબજ, 38 કરોડ, 72 લાખ, 97 હજાર અને 452 છે.

આ વસતીમાં #અંબાણી#અદાણી, તાતા જેવા 138 #અબજોપતિ (બીલીયોનેર્સ) છે.

અને આ અબજોપતિઓની નીચે 39,000 કરોડપતિઓ (મીલીયોનેર્સ) છે.

અને તેમની સાથે કોંગ્રેસ, ભાજપ, ટીએમસી, બીજેડી, ડીએમકે, અન્ના ડીએમકે, સમાજવાદી સહિતના તમામ રાજકીય પક્ષો કરોડપતિ #જનસેવકો અંદાજે એક લાખ છે.

અને તેમની સાથે લગભગ ત્રીસેક કરોડ લોકો #મધ્યમવર્ગ (મિડલક્લાસ) છે.

અને તેમની નીચે એક અબજ લોકો (વન બીલીયન પ્લસ) છે, જેને તમે #બહુજન#સર્વહારા#શ્રમજીવી#મજુર#વંચિત#દલિત#પીડિત#શોષિત#માઇગ્રન્ટ#વિસ્થાપિત જેવા જાતજાતના અને ભાતભાતના નામોથી સંબોધો છે.

આ એક અબજ લોકોના ખભે બેઠેલા પેલા અબજોપતિઓ, કરોડપતિઓ, જનતાના સેવકો, મધ્યમવર્ગના લોકો બધા મળીને ત્રીસેક કરોડ લોકો આ દેશના ઓપીનીયન-મેકર્સ છે. તેઓ #મીડીયા ચલાવે છે. કહો

કે #મીડીયા તેમના માટે ચાલે છે. આ જ લોકો ટીવીની ચેનલો પર મંદિર-મસ્જિદની ડીબેટો કરે છે. દેશની તમામ સમસ્યાઓ પર એમના ચોક્કસ અભિપ્રાયો હોય છે. તેઓ રાત-દિવસ બાકીના એક અબજ લોકોના મગજમાં એમના વિચારો, ટીકા, ટીપ્પણીઓ દિવસ રાત ઘૂસાડતા રહે છે. કોઈપણ આફત આવે, સુનામી, વાવાઝોડુ કે છેલ્લે #કોરોના, આ લોકો આ તમામ આફતો અંગે એમનો દ્રષ્ટિકોણ, દ્રષ્ટિબિંદુ, પૂર્વગ્રહો પેલા એક અબજ લોકોના મગજમાં નાંખતા રહે છે.

આ લોકો પૈકીના નવાણુ ટકા સવર્ણ હિન્દુઓ છે. તેઓ હાડોહાડ દલિત-દ્વેષી, આદિવાસી-દ્વેષી, મુસ્મિલ-દ્વેષી, ગરીબ-વિરોધી છે. તેઓ પોતાને #મેરીટોરીયસ માને છે, મેરીટ-ધારી છે અને અનામતના કટ્ટર વિરોધી છે.

આ ઉપલો વર્ગ નરેન્દ્ર મોદીની તમામ નીયો-લિબરલ (નવ-ઉદારવાદી) યોજનાઓ, પ્રોજેક્ટો, જેવા કે #બુલેટ_ટ્રેન, સ્ટેચ્યુ ઑફ યુનિટી, રામમંદિરના અંધ સમર્થક છે. તેઓ પોતાને મહાન #દેશભક્ત સમજે છે. એમના મંતવ્યો સાથે સંમત ના થાય એ તમામને તેઓ દેશદ્રોહી ઘોષિત કરે છે. તેઓ કોઈપણ ચર્ચામાં પાકિસ્તાનને ઘૂસાડી દઇને પોતાને વિજેતા જાહેર કરી નાંખે છે. પાકિસ્તાનનો મુદ્દો એમનું બ્રહ્માસ્ત્ર છે. આ મુદ્દો ઉપાડીને તેઓ તેમના કહેવાતા દુશ્મનોના છક્કા છોડાવી દે છે અને છેલ્લે તેમને પાકિસ્તાન જતા રહેવાનું ફરમાન કરે છે. જાણે દેશ એમના બાપનો હોય.

આ વર્ગ ભાજપની કોર કોન્સ્ટિટ્યૂઅન્સી છે. આ જ વર્ગ પચાસ વર્ષ પહેલાં કોંગ્રેસનું નેતૃત્વ કરતો હતો. આ જ વર્ગે કોંગ્રેસના રાજ્યમાં જલસા કર્યા હતા. એ વખતે એમના બાપ-દાદા ગાંધીવાદી, નેહરુવાદી, ઇન્દિરાવાદી હતા. હવે સમય બદલાયો છે, એટલે આ ઉપલો વર્ગ હવે મોદી-વાદી બન્યો છે. હવે આ વર્ગે ઉદારવાદ, બિન-સાંપ્રદાયિકતા જેવા મૂલ્યોને ફેંકી દીધા છે, હકીકતમાં એમના બાપદાદાએ આ મૂલ્યોના નામે આ દેશમાં ચરી ખાધું હતું. હવે એમના સંતાનો આ જ ઉદારવાદ, બિનસાંપ્રદાયિકતાના મૂલ્યોને ગાળો બોલીને ચરી ખાય છે.

એમના માટે મૂલ્યો મહત્વના નથી. સત્તા મહત્વની છે. તમે તમારી જાતને દલિતો, શોષિતો, સર્વહારા, મજુરોના પ્રવક્તા ગણતા હશો. ભલે. આટલી મારી વાત નોંધી લેજો.

લેખક: રાજુ સોલંકી

(લેખક રાજુ સોલંકી કવિ,પત્રકાર, શિક્ષણવિદ અને માનવ અધિકાર કાર્યકર્તા છે, તેમનું કાર્યક્ષેત્ર અમદાવાદ છે. આ લેખ તેમનો અંગત વિચાર છે.)

Loading

The post દેશ મારા બાપનો, કોના બાપનો ? appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/desh-mara-baap-no-article-rajusolanki/667/feed/ 0 667