jetpur Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/jetpur/ News for India Mon, 04 Mar 2024 13:25:43 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png jetpur Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/jetpur/ 32 32 174330959 Jetpur: શિવરાત્રીના દિવસે બ્રહ્મસમાજ દ્વારા યોજાશે “સમૂહ રુદ્રાભિષેક” http://revoltnewsindia.com/jetpur-rudrabhishek-will-be-held-by-brahma-samaj-on-shivratri/7918/ http://revoltnewsindia.com/jetpur-rudrabhishek-will-be-held-by-brahma-samaj-on-shivratri/7918/#respond Mon, 04 Mar 2024 12:36:37 +0000 https://revoltnewsindia.com/?p=7918 Jetpur: જેતપુર (રાજકોટ), તા. 04 ફેબ્રુઆરી: જીવ સાથે શિવના મિલનનું પર્વ એટલે મહાશિવરાત્રી. મહાશિવરાત્રીના દિવસે શિવ ભક્તો ઉપવાસ કરી ૐ નમઃ શિવાયના અખંડ પાઠ કરી શિવલિંગ પર બીલીપત્ર, દૂધ, પાણી…

The post Jetpur: શિવરાત્રીના દિવસે બ્રહ્મસમાજ દ્વારા યોજાશે “સમૂહ રુદ્રાભિષેક” appeared first on REVOLT NEWS INDIA.

]]>
જેતપુર (રાજકોટ), તા. 04 ફેબ્રુઆરી: જીવ સાથે શિવના મિલનનું પર્વ એટલે મહાશિવરાત્રી. મહાશિવરાત્રીના દિવસે શિવ ભક્તો ઉપવાસ કરી ૐ નમઃ શિવાયના

Jetpur: જેતપુર (રાજકોટ), તા. 04 ફેબ્રુઆરી: જીવ સાથે શિવના મિલનનું પર્વ એટલે મહાશિવરાત્રી. મહાશિવરાત્રીના દિવસે શિવ ભક્તો ઉપવાસ કરી ૐ નમઃ શિવાયના અખંડ પાઠ કરી શિવલિંગ પર બીલીપત્ર, દૂધ, પાણી અને અન્ય દ્રવ્યોનો અભિષેક કરી શિવ ઉપાસના દ્વારા ભગવાન શંકરના કૃપાપાત્ર બનવા પ્રયત્ન કરે છે.

08 માર્ચ 2024ને શુક્રવારના રોજ આ મહાશિવરાત્રીનો અનેરો અવસર આવી રહ્યો છે. કહેવાય છે કે આ દિવસે પૃથ્વી પરના તમામ શિવલિંગોમાં રુદ્ર નો અંશ હોય છે.

જેતપુરના સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આ પર્વને ભવ્ય રીતે ઉજવવા તડામાર તૈયારીઓ થઈ રહી છે.

મહાશિવરાત્રી, 08 માર્ચ 2024ને શુક્રવારના રોજ સવારે 07:30થી રાજધાની પાર્ટી પ્લોટ, સરદાર ચોક, નકલંક આશ્રમ રોડ ખાતે “સમૂહ રૂદ્રાભિષેક” યોજાશે.

જ્યાં મોટી સંખ્યામાં બ્રાહ્મણો એકસાથે શિવ આરાધના કરી શિવજીને રિઝવવાનો પ્રયત્ન કરશે. કાર્યક્રમના અંતે મહાઆરતી અને સાથે ફરાળ પ્રસાદ બાદ કાર્યક્રમની પૂર્ણાહુતિ થશે.

Loading

The post Jetpur: શિવરાત્રીના દિવસે બ્રહ્મસમાજ દ્વારા યોજાશે “સમૂહ રુદ્રાભિષેક” appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-rudrabhishek-will-be-held-by-brahma-samaj-on-shivratri/7918/feed/ 0 7918
Jetpur: આંગણવાડીના બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન, બજેટને ચાંપી આગ http://revoltnewsindia.com/jetpur-protests-by-anganwadi-workers-budget-set-ablaze/7884/ http://revoltnewsindia.com/jetpur-protests-by-anganwadi-workers-budget-set-ablaze/7884/#respond Wed, 07 Feb 2024 17:16:41 +0000 http://revoltnewsindia.com/?p=7884 Jetpur: આજે તા. 07 ફેબ્રુઆરીના રોજ રાજકોટ (Rajkot) જિલ્લાના જેતપુર (Jetpur)માં આંગણવાડીમાં કામ કરતાં (Anganwadi workers) વર્કર/હેલ્પર તથા આશા વર્કર અને ફેસીલીએટર બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. તેમજ…

The post Jetpur: આંગણવાડીના બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન, બજેટને ચાંપી આગ appeared first on REVOLT NEWS INDIA.

]]>

Jetpur: આજે તા. 07 ફેબ્રુઆરીના રોજ રાજકોટ (Rajkot) જિલ્લાના જેતપુર (Jetpur)માં આંગણવાડીમાં કામ કરતાં (Anganwadi workers) વર્કર/હેલ્પર તથા આશા વર્કર અને ફેસીલીએટર બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. તેમજ પ્રતિકાત્મક રીતે બજેટને પણ આગ ચાંપવામાં આવી હતી. જેમાં બહોળી સંખ્યામાં આંગણવાડીમાં કામ કરતાં બહેનો ઉમટી પડ્યાં હતા.

વીડિયો જોવા માટે નીચે ક્લિક કરો…

રાજકોટ જિલ્લાના જેતપુરમાં આંગણવાડીમાં કામ કરતાં (Anganwadi workers) વર્કર/હેલ્પર તથા આશા વર્કર અને ફેસીલીએટર બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

જેનું મુખ્ય કારણ જણાવતા આંગણવાડીમાં કામ કરતાં આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે,

”સરકારને વહેલી ચૂંટણી યોજવાની ઉતાવળને કારણે વચગાળાનું બજેટ રજૂ કરવું પડયું જે દુઃખદ બાબત છે. આ વચગાળાના બજેટમાં પણ સરકાર ઘણું આપી શકી હોત. કેન્દ્રીય નાણામંત્રી દ્વારા રજૂ કરાવેલ વચગાળાના-કેન્દ્રીય બજેટથી દેશ અને ગુજરાતના લાખો (Anganwadi workers) આંગણવાડી વર્કર/હેલ્પર તથા આશા વર્કર અને ફેસીલીએટર બહેનો ભારે નીરાશ થઈ છે. રોષ ઉભો થયો છે. મહિલા અને બાળ વિકાસ અને આરોગ્ય વિભાગ તળેની કેન્દ્ર સરકારની અતિ મહત્વની સેવા બજાવતી યોજના

આજે તા. 07 ફેબ્રુઆરીના રોજ રાજકોટ (Rajkot) જિલ્લાના જેતપુર (Jetpur)માં આંગણવાડીમાં કામ કરતાં (Anganwadi workers) વર્કર/હેલ્પર તથા આશા વર્કર

હોવાં છતાં, 2019ની ચૂંટણી પૂર્વે 2018માં 27 લાખ આંગણવાડી અને 14 લાખ આશા વર્કર- ફેસીલીએટરના માનદ વેતનમાં તથા વળતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ માં વધારો જાહેર કયાં બાદ, પાંચ વર્ષ બાદ પણ માનદ વેતનમાં કેન્દ્ર સરકારે કોઈ જ વધારો જાહેર કરેલ નથી.

જયારે કોરોના કાળમાં તથા કુપોષણ સામેની સેવામાં ખૂદ વડાપ્રધાને જાહેરમાં પ્રશંસા કરી છે. અને કામના બોજામાં જબ્બર વધારો કર્યો છે. દેશના ઈતિહાસમાં ખુદ વડાપ્રધાન અને મહિલા બાળ વિકાસ મંત્રી તથા આરોગ્ય મંત્રીની પાંચ વર્ષની ટર્મ કંઈ પણ આપ્યા વિના પૂર્ણ થશે.

લાખો બહેનોને ખાલી હાથ રાખ્યા છે. આંગણવાડી વર્કર-હેલ્પર તથા આશા વર્કર- ફેસીલીએટર બહેનોને આ મોદી સરકાર પાસે ધણી બધી આશાઓ રાખી હતી જેથી આ બહેનોમાં ખૂબજ હતાશા નિરાશા- રોષ ઉભો થયો છે.

લાખ્ખો આંગણવાડી બહેનો તથા આશા વર્કરો અને ફેસીલીએટર બહેનોને લાંબા સમયથી સેવા ને કારણે કાયમી કરવા, સરકારી નોકરીયાતને મળતું લઘુતમ વેતન આપવા, પેન્શન, ગેચ્યુઈટી આપવા, ઈએસ.આઈ. તથા પ્રોવીડંન્ટ ફંડ યોજનાનો લાભ આપવા, પ્રમોશનમાં વય મર્યાદા દુર કરવા, નિવૃત્તિ વય મર્યાદા દેશભરમાં સરખી રાખવા તથા પોષણ ટ્રેકરનું કામ (મોબાઈલ) ઓછુ કરવા માંગણી માટે લાંબા સમયથી આંદોલન ચલાવી રહેલ છે.

તાજેતરમાં સુપીમ કોર્ટની બેન્ય દ્વારા કેન્દ્ર તથા રાજય સરકારોને સ્કીમ વર્કર (આંગણવાડી મધ્યાહન ભોજન)ની સર્વિસ કન્ડીશન સુધારવા આદેશ આપેલ છે. તથા 42-43 મી સરકાર દ્વારા યોજાતી લેબર કોન્ફરન્સે પણ સ્કીમ વર્કરને રેગ્યુલાઈઝ કરવા ભલામણ કરેલ છે.

કેન્દ્રીય બજેટને કાળુ બજેટ ગણાવી તા : 4-5- ફેબ્રુઆરીનાં રોજ ગુજરાતમાં કાળો દિવસ તરીકે કાળા કપડા પહેરી દેખાવો યોજી બજેટની હોળી કરવા નિર્ણય કરાયો છે.” જે કાર્યક્ર્મ આજે જેતપુરમાં યોજવામાં આવ્યો હતો.

Loading

The post Jetpur: આંગણવાડીના બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન, બજેટને ચાંપી આગ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-protests-by-anganwadi-workers-budget-set-ablaze/7884/feed/ 0 7884
Jetpur: જેતપુરમાં ફેબ્રુઆરીમાં યોજાશે તાલુકા ‘સ્વાગત’ ફરીયાદ નિવારણ કાર્યક્રમ http://revoltnewsindia.com/taluka-swagat-program-of-jetpur-in-february/7871/ http://revoltnewsindia.com/taluka-swagat-program-of-jetpur-in-february/7871/#respond Wed, 31 Jan 2024 17:44:04 +0000 http://revoltnewsindia.com/?p=7871 Jetpur: જેતપુર તાલુકાના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના પ્રશ્નોના ન્યાયિક તેમજ અસરકારક નિવારણ માટે “તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” આગામી તા. 21 ફેબ્રુઆરી 2024, બુધવારના રોજ સવારે 11.00 કલાકે મામલતદારની કચેરી,…

The post Jetpur: જેતપુરમાં ફેબ્રુઆરીમાં યોજાશે તાલુકા ‘સ્વાગત’ ફરીયાદ નિવારણ કાર્યક્રમ appeared first on REVOLT NEWS INDIA.

]]>

Jetpur: જેતપુર તાલુકાના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના પ્રશ્નોના ન્યાયિક તેમજ અસરકારક નિવારણ માટે “તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” આગામી તા. 21 ફેબ્રુઆરી 2024, બુધવારના રોજ સવારે 11.00 કલાકે મામલતદારની કચેરી, જેતપુર ખાતે નાયબ જીલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને યોજાશે.

જેમાં સંબંધકર્તા અરજદારોએ ગ્રામ્ય કે તાલુકા કક્ષાએ લેખિત રજૂઆત કરેલ અનિર્ણિત પ્રશ્નો, ગ્રામ, નગરપાલીકા કે તાલુકા કક્ષાને સ્પર્શતા પ્રશ્નો અથવા તે સિવાયના પ્રશ્નોની રજૂઆત હોય તો જે તે સંબધિત કચેરીને રજુઆત કર્યાં બાદ અનિર્ણિત હોય તેવા પ્રશ્નો તા.10 ફેબ્રુઆરી, 2024 સુધી રજૂ કરી શકાશે.

એક જ વિષયને લગતી રજુઆત અરજીના મથાળે “તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” માટેની અરજી એમ લખી બે (2) નકલમાં આધાર પુરાવા સાથે મામલતદાર કચેરી, જેતપુર ખાતે નિયત તારીખ સુધીમાં મોકલી આપવાની રહેશે.

ત્યારબાદ રજુ થયેલ અરજીઓનો કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે નહિ તેમ જેતપુર ગ્રામ્ય મામલતદાર એ. પી. અંટાળા તથા જેતપુર શહેર મામલતદાર વી. એન. ભારાઈની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Loading

The post Jetpur: જેતપુરમાં ફેબ્રુઆરીમાં યોજાશે તાલુકા ‘સ્વાગત’ ફરીયાદ નિવારણ કાર્યક્રમ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/taluka-swagat-program-of-jetpur-in-february/7871/feed/ 0 7871
Jetpur: પત્રકાર તુષાર બસીયાના સમર્થનમાં જેતપુર પત્રકાર સંઘ http://revoltnewsindia.com/jetpur-patrakar-sangh-in-support-of-journalist-tushar-basiya/7864/ http://revoltnewsindia.com/jetpur-patrakar-sangh-in-support-of-journalist-tushar-basiya/7864/#respond Wed, 31 Jan 2024 13:12:02 +0000 https://revoltnewsindia.com/?p=7864 નવજીવન ન્યૂઝના પત્રકાર તુષાર બસીયાના સમર્થનમાં જેતપુર શહેર અને તાલુકા પત્રકાર સંઘ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. નવજીવન ન્યૂઝના પત્રકાર તુષાર બસીયાના સમર્થનમાં જેતપુર શહેર અને તાલુકા પત્રકાર સંઘ દ્વારા…

The post Jetpur: પત્રકાર તુષાર બસીયાના સમર્થનમાં જેતપુર પત્રકાર સંઘ appeared first on REVOLT NEWS INDIA.

]]>

નવજીવન ન્યૂઝના પત્રકાર તુષાર બસીયાના સમર્થનમાં જેતપુર શહેર અને તાલુકા પત્રકાર સંઘ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

નવજીવન ન્યૂઝના પત્રકાર તુષાર બસીયાના સમર્થનમાં જેતપુર શહેર અને તાલુકા પત્રકાર સંઘ દ્વારા જેતપુર શહેર મામલતદાર વી.એન. ભારાઈ મારફત ગુજરાતના રાજ્યપાલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

જેમાં જણાવવામાં આવ્યું હતું કે સુરત શહેરમાં તારીખ 12 જાન્યુઆરીના રોજ બનેલી એક ઘટના બાબતના સીસીટીવી ફૂટેજનો વીડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા નવજીવન ન્યૂઝના પત્રકાર તુષાર બસીયાએ ઘટના વાળા વિસ્તારના લાગુ પડતા પોલીસ અધિકારીનો સંપર્ક કરી આ બાબતે જો કોઈ ભોગ બનનાર ફરિયાદી ન બને તેવા સંજોગોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ પોતે ફરિયાદી બનવું જોઈએ.

તેવું જણાવતા જે તે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા પત્રકાર તુષાર બસીયા પર જ ફરિયાદ દાખલ કરી દેવામાં આવેલ હોય. પોતાના જીવના જોખમે સાચી વાતને રાષ્ટ્ર અને માનવ સમાજના કલ્યાણ માટે મીડિયાના માધ્યમથી અનેક પડકારો અને જોખમો વચ્ચે દિવસ રાત સતત પોતાની ફરજ નિભાવનાર પત્રકારને આવું ઇનામ મળશે તેવી કલ્પના શુદ્ધા નહીં કરી હોય.

ત્યારે આવા બનાવથી પત્રકારો કે જે લોકશાહીનો ચોથો સ્તંભ હોય અને લોકશાહીને ટકાવવા માટે જ્યારે પોતાની ફરજ નિભાવતા હોય છે, ત્યારે આવી બાબતને કારણે પત્રકારજગતમાં આક્રોશ વ્યાપ્યો હોય.

જેને લઇને આપશ્રીને જેતપુર શહેર અને તાલુકા પત્રકાર સંઘ દ્વારા એવી વિનમ્ર માંગ છે કે પત્રકાર તુષાર બસિયા વિરૂદ્ધ કરવામાં આવેલ એફ.આઈ.આર.ની સી સમરી રિપોર્ટ કરવા માટે આપની કક્ષાએથી હૂકમ થઈ આવવા વિનંતી છે.

ઉલ્લેખનીય છે કે પત્રકાર સંઘ જેતપુર દ્વારા જે માંગ કરવામાં આવી છે તેવી જ માંગ ગુજરાતભરના પત્રકારો પણ કરી રહ્યા છે.

Loading

The post Jetpur: પત્રકાર તુષાર બસીયાના સમર્થનમાં જેતપુર પત્રકાર સંઘ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-patrakar-sangh-in-support-of-journalist-tushar-basiya/7864/feed/ 0 7864
Jetpur: જેતપુર-દેરડીને જોડતો નવો પુલ બનાવવા અંગે પ્રતિક ઉપવાસની ચીમકી સાથે યૂથ કોંગ્રેસનું આવેદન http://revoltnewsindia.com/youth-congress-appeals-to-build-a-new-bridge-connecting-jetpur-derdi/7854/ http://revoltnewsindia.com/youth-congress-appeals-to-build-a-new-bridge-connecting-jetpur-derdi/7854/#respond Wed, 17 Jan 2024 14:42:20 +0000 http://revoltnewsindia.com/?p=7854 Jetpur News: આજ રોજ તા. 17 જાન્યુયારીના રોજ જેતપુર શહેર યૂથ કોંગ્રેસ પ્રમુખ અનિકેત બાવીસાની આગેવાનીમાં જેતપુર શહેર યૂથ કોંગ્રેસના કાર્યકરો તથા આગેવાનો દ્વારા જેતપુર મામલતદરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.…

The post Jetpur: જેતપુર-દેરડીને જોડતો નવો પુલ બનાવવા અંગે પ્રતિક ઉપવાસની ચીમકી સાથે યૂથ કોંગ્રેસનું આવેદન appeared first on REVOLT NEWS INDIA.

]]>
આજ રોજ તા. 17 જાન્યુયારીના રોજ જેતપુર શહેર યૂથ કોંગ્રેસ પ્રમુખ અનિકેત બાવીસાની આગેવાનીમાં જેતપુર શહેર યૂથ કોંગ્રેસના કાર્યકરો તથા આગેવાનો

Jetpur News: આજ રોજ તા. 17 જાન્યુયારીના રોજ જેતપુર શહેર યૂથ કોંગ્રેસ પ્રમુખ અનિકેત બાવીસાની આગેવાનીમાં જેતપુર શહેર યૂથ કોંગ્રેસના કાર્યકરો તથા આગેવાનો દ્વારા જેતપુર મામલતદરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

આજે જેતપુર શહેર યૂથ કોંગ્રેસ પ્રમુખ અનિકેત બાવીસાની આગેવાનીમાં જેતપુર મામલતદરને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું તેમાં આ નીચે મુજબ જણાવવામાં આવ્યું હતું.

માનનીય સાહેબશ્રી જય ભારત સાથ જણાવવાનું કે, અંદાજીત બે વર્ષ પહેલા મારા દ્વારા ભાદર નદીનો મંજુર થયેલ પુલના નવ નિર્માણની કામગીરી ચાલુ કરવા માટે આપશ્રી કચેરીમાં તા.15/06/2022ના રોજ આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

આવેદન આપ્યાના બે વર્ષ પૂર્ણ થવાના થોડાક મહિનાઓ બાકી છે હવે આ મંજુર થયેલ પુલના નવ નિર્માણની કામગીરી ક્યારે શરૂ થશે?

તેમજ મંજુર થયેલ પુલ કોન્ટ્રાક્ટ પર આપવામાં આવ્યો છે તો કામગીરી શરૂ શા માટે નથી કરવામાં આવી અથવા તો કામગીરી શરૂ ન કરવા માટે કોઈ અધિકારીનું પ્રેશર અથવા તો કોન્ટ્રાક્ટર પાસે હપ્તા નક્કી ન થયો હોય અને કામ શરૂ કરવામાં ન આવતું હોય તેવું પણ હોય શકે.

આ પુલને મંજુર થયા ત્યારે સત્તાપક્ષ દ્વારા વિધાનસભા ચુંટણી દરમીયાન મોટી મોટી જાહેરાત કરવામાં આવી હતી. તેમાથી આ જેતપુર-દેરડી ગામને જોડતો આ પુલનો પણ સમાવેશ થાય છે. સત્તાપક્ષ જો કામ કરે જ છે તો આ એક વર્ષ પૂર્ણ થઇ ગયું તો આ પુલનું કામ શરૂ શા માટે ન થયું.

તેમજ આ પુલને જોડતો રોડ છે ત્યાં રોડ બનાવવા માટે પણ રજુઆત કરવામાં આવી હતી તેમ છતા દેરડી મામાદેવ મંદિર વાળો રોડ બિસ્માર હાલતમાં જોવા મળે છે.

પ્રતિદિવસ 15માં યોગ્ય જવાબ નહી મળે તો પ્રતિક ઉપવાસ પર બેસવાની ફરજ પડશે.

Loading

The post Jetpur: જેતપુર-દેરડીને જોડતો નવો પુલ બનાવવા અંગે પ્રતિક ઉપવાસની ચીમકી સાથે યૂથ કોંગ્રેસનું આવેદન appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/youth-congress-appeals-to-build-a-new-bridge-connecting-jetpur-derdi/7854/feed/ 0 7854
Jetpur News: જેતપુર નગરપાલિકાની ઈમારતમાં જ સ્વામી વિવેકાનંદનું અપમાન http://revoltnewsindia.com/jetpur-news-insulting-of-swami-vivekananda-in-municipal-building-dr/7747/ http://revoltnewsindia.com/jetpur-news-insulting-of-swami-vivekananda-in-municipal-building-dr/7747/#respond Tue, 26 Sep 2023 10:14:27 +0000 http://revoltnewsindia.com/?p=7747 વિશ્વકક્ષાએ અમેરિકામાં હિન્દૂ ધર્મ વિશે ભાષણ આપનારા અને યુથ આઇકોન તેમજ હિંદુ આઈકોન સ્વામી વિવેકાનંદનું રાજકોટ જિલ્લાના જેતપુરમાં જેતપુર-નવાગઢ નગરપાલિકાના પરિસરમાં જ અપમાન થઈ રહ્યું છે.

The post Jetpur News: જેતપુર નગરપાલિકાની ઈમારતમાં જ સ્વામી વિવેકાનંદનું અપમાન appeared first on REVOLT NEWS INDIA.

]]>
આ ચિત્ર નગરાપાલિકાની મેઈન બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર જ આવેલું છે, ત્યારે આ ચિત્ર પાસેથી જ નગરાપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ પણ અવર-જવર કરતા હોય છે.

Report by Dinesh Rathod,
Rajkot News: વિશ્વકક્ષાએ અમેરિકામાં હિન્દૂ ધર્મ વિશે ભાષણ આપનારા અને યુથ આઇકોન તેમજ હિંદુ આઈકોન સ્વામી વિવેકાનંદનું રાજકોટ જિલ્લાના જેતપુરમાં જેતપુર-નવાગઢ નગરપાલિકાના પરિસરમાં જ અપમાન થઈ રહ્યું છે. નગરપાલિકાની ઈમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર જ સ્વામી વિવેકાનંદનું સ્વચ્છ સર્વેક્ષણ 2023નું એક દીવાલ ચિત્ર દોરવામાં આવેલું છે.

જેના પર પાન, માવા અને મસાલાની થુંકની પિચકારીઓ જોવા મળશે. તેમજ આ ચિત્રની બાજુમાં જ કચરા ટોપલી મૂકવામાં આવેલી છે, તે પણ જોવા મળશે.

આ ચિત્ર નગરાપાલિકાની મેઈન બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર જ આવેલું છે, ત્યારે આ ચિત્ર પાસેથી જ નગરાપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ પણ અવર-જવર કરતા હોય છે.

ત્યારે પ્રશ્ન પણ ઉદભવે છે કે શું તેઓને હિંદુ આઈકોન સ્વામી વિવેકાનંદના ચિત્ર પર કરવામાં આવતી પાન, માવા અને મસાલાની થુંકની પિચકારીઓ દેખાતી નહિ હોય? ચિત્રની બાજુમાં જ મૂકવામાં આવેલી કચરા ટોપલી પણ દેખાતી નહિ હોય?

ઉલ્લેખનીય છે કે સાફ સફાઈની જવાબદારી સેનેટરી વિભાગમાં આવતી હોય છે, ત્યારે શું સેનેટરી વિભાગના અધિકારીઓ અહીંથી આંખો બંધ કરીને પસાર થતા હશે?

તેવા લોકપ્રશ્નો પણ ઉદભવી રહ્યા છે. ત્યારે પાલિકાતંત્ર ક્યારે આ સ્વામી વિવેકાનંદના દીવાલ ચિત્રની સાફ સફાઈ કરાવે છે તે જોવાનું રહ્યું.

Loading

The post Jetpur News: જેતપુર નગરપાલિકાની ઈમારતમાં જ સ્વામી વિવેકાનંદનું અપમાન appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-news-insulting-of-swami-vivekananda-in-municipal-building-dr/7747/feed/ 0 7747
Jetpur: સુર્યમુખી હનુમાનજી મંદિરનું નામ ‘ડોકટર હનુમાનજી’ કરવામાં આવતા સાધુ સંતો દ્વારા અપાયું આવેદન http://revoltnewsindia.com/jetpur-sadhu-sant-gave-memorandum-to-change-name-of-suryamukhi-hanumanji-temple-to-doctor-hanumanji-dr/7721/ http://revoltnewsindia.com/jetpur-sadhu-sant-gave-memorandum-to-change-name-of-suryamukhi-hanumanji-temple-to-doctor-hanumanji-dr/7721/#respond Mon, 04 Sep 2023 12:15:11 +0000 http://revoltnewsindia.com/?p=7721 જેતપુર શહેરમાં ભાદર નદી કાંઠે સુર્યમુખી હનુમાનજી મંદિરનું નામ ડોક્ટર હનુમાનજી કરી નાખ્યુ છે, જે હનુમાનજીનું ઘોર અપમાન છે.

The post Jetpur: સુર્યમુખી હનુમાનજી મંદિરનું નામ ‘ડોકટર હનુમાનજી’ કરવામાં આવતા સાધુ સંતો દ્વારા અપાયું આવેદન appeared first on REVOLT NEWS INDIA.

]]>

રિપોર્ટ: દિનેશ રાઠોડ, જેતપુર

તા. 04, સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે હનુમાનજીને સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીના દાસ બતાવતા ભીત ચીત્રોને લઈને હાલ જ્યારે હનુમાનજીના ભકતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુરના પણ આવી એક બાબત સામે આવી છે જેને લઇને આજે સાધુ સંતો દ્વારા જેતપુર મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

સાધુ સંતો દ્વારા પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં નીચે મુજબ માંગ કરવામાં આવી હતી.

જય સનાતન ધર્મ સાથ જણાવવાનું કે, સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે હનુમાનજીને સ્વામીના દાસ બતાવતા ભીત ચીત્રો સ્વામીને ફળાહાર કરાવતી મુર્તિઓ, માતા સીતાજી વિશે અભદ્ર ટીપ્પણીઓનો વિવાદ ચાલી રહ્યો છે.

અને આવા દુરાચારી સ્વામીઓ વારંવાર સનાતન ધર્મના આરાધ્ય દેવી – દેવતાઓના અપમાન કરી રહ્યા છે. તેની સામે કાનુની રાહે પગલા ભરવાની માંગ કરીએ છીએ.

દુનિયાની ઉત્પતી થઈ ત્યારથી સનાતન ધર્મ અસ્તિત્વમાં છે અને સ્વામીનારાયણ સંપ્રદાયને તો હજુ 250 વર્ષ જેટલો સમય થયો હોવા છતા.

આ સંપ્રદાયના સ્વામીઓ સનાતન ધર્મને નીચે બતાવવાના, આરાધ્ય દેવોને સ્વામી કરતા ઓછા તેજવાળા બતાવવાનો વારંવાર પ્રયાસો કરે છે. વાસ્તવમાં સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીઓ વિશે આપણે વારંવાર સાંભળીએ છીએ કે, સ્વામીઓ દ્વારા ગુરૂકુળમાં ભણતા બાળકો, શિષ્યો સાથે સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય, મહિલા સત્સંગીઓ સાથે વ્યભીચાર, સંપતીઓ માટે મારામારી, ખુનની કોશીષ, ખુન કરવા, કરાવવા જેવા ગુન્હાહીત કૃત્ય કરી ભગવા વસ્ત્રોને લજવ્યા.

સ્વામીનારાયણ સંપ્રદાયમાં સ્વામીઓ બની ગયા એટલે સનાતન ધર્મના દેવી દેવતાઓ, સાધુ સંતો, મહાપુરૂષો વિગેરે વિશે જેમ ફાવે તેમ વાણી વિલાસ કરવાનું લાયસન્સ મળી ગયું હોય તેવું બોલવા લાગે છે.

સાધુ સંતો દ્વારા આપવામાં આવેલ આવેદનપત્ર પેજ-01

તાજેતરમાં રાજકોટના કાલાવડ રોડ પર આવેલ બી.એ.પી.એસ. મંદિરના અપૂર્વ સ્વામીએ તો હદ વટાવી દીધી. માતા સીતાજી વનવાસ દરમીયાન ભગવાન શ્રી રામ યારે સોનેરી હરણ પાછળ જાય ત્યારે બચાવોની બુમોનો અવાજ સંભળાય છે ત્યારે માતા સીતાજી લક્ષ્મણજીને શ્રીરામની મદદ માટે જવાનું કહે છે અને તેમાં તુ 13 વર્ષથી અમારી ભેગો વનવાસમાં એટલા માટે ફરે છે કે તારી દાનત સારી નથી, હું મરી જઇશ પણ તારી સાથે નહી પરણું આટલું હિન કક્ષાનું બોલે છે.

આવા ઉચ્ચારણ બદલ અપૂર્વ સ્વામીએ ભુતપૂર્વ સ્વામી બનાવી દેવો જોઇએ. આમ સ્વામીનારાયણ સંપ્રદાય પોતે સનાતન ધર્મનો જ એક ભાગ માનીને સનાતન ધર્મમાં જ્ઞાતીઓના વાડા, અમીર, ગરીબ, ઉંચનીચના ભેદભાવો દુર કરવાને બદલે સંપતીઓ એકઠી કરવાના, ભગવાનના અપમાનો કરવાના જ કામો કરે છે.

જેતપુર શહેરમાં જુનાગઢ રોડ પર તાજેતરમાં 23 શ્રમીકોના મકાન પર હરીભક્તો પાસે દબાણની અરજીઓ કરાવી તે મકાનો પર બુલડોઝર ફેરવાવી, શ્રમીકોને ઘરવિહોણા કરી નાખ્યા. તેવી જ રીતે સારણ નદી પાસે રહેતા શ્રમીકોના મકાનો ડીમોલેશન કરાવવાની વાંરવાર ધમકીઓ આપે છે.

સાધુ સંતો દ્વારા આપવામાં આવેલ આવેદનપત્ર પેજ-02

અને વર્ષોથી શ્રીજી ગાદીસ્થાનમાં સેવા ચાકરી કરતા હરીભક્ત પરીવારની મહિલાને લેન્ડ ગ્રેબીંગ જેવા ગંભીર ગુનામાં એક ટ્રસ્ટીઓએ પોલીસ ફરીયાદ કરી સંડોવી દીધી. આવા બધા કૃત્યો કે જે ગુંડાઓ કરતા હોય તેવા કૃત્ય સ્વામીઓ સંપતી એકઠી કરવા માટે જ કરે છે.

હરીભક્તો પાસેથી ધર્મના નામે પૈસા એકઠા કરી ગરીબ હિન્દુઓના મકાનો પચાવી પાડવામાં વિધર્મીઓને પૈસાઓનું ધિરાણ કરે છે. વિધર્મીઓનું જાહેરમાં સન્માન કરી એક મંચ શેર કરી પ્રશંસા કરે છે. અને સનાતનીઓની નિંદા કરવા જેવા કૃત્યો કરે છે.

આવા કૃત્ય કરનાર સ્વામીઓનો અમો સનાતનીઓ સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને તેઓ પર કાયદાકીય પગલા ભરવાની માંગ કરીએ છીએ. પરંતુ કેટલાક બની બેઠેલા ઠગ ભગતો દ્વારા હનુમાનજી નામની આગળ પાછળ ગમે તેવા અશોભનીય શબ્દો જોડી દેતા હોય છે, જે શબ્દો વિશે મોટા ભાગના લોકો બેધ્યાન હોય છે.

જેમ કે સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે અનેક મહાનુભાવો, લાખો શ્રધ્ધાળુઓ દર્શન કરી ગયા પરંતુ હનુમાનજીને સ્વામીના દાસ ચીતરવામાં આવ્યા છે તે કોઇના ધ્યાનમાં નોહતું આવ્યું અને જયારે આ વિવાદ જાગ્યો ત્યારે બધાને ધ્યાને આવ્યું કે આતો સનાતન ધર્મનું અપમાન છે.

સાધુ સંતો દ્વારા આપવામાં આવેલ આવેદનપત્ર પેજ-03

આવી રીતે જેતપુર શહેરમાં ભાદર નદી કાંઠે શ્રી ભીમનાથ મહાદેવ મંદિર, બ્રહ્મલીન રમાનંદજી મહારાજના સમાધિ સ્થળ ખાતે તેજ પ્રતાપી સુર્યમુખી હનુમાનજીનું પૌરાણીક મંદિર આવેલ છે.

આ મંદિરનો જીણોદ્ધાર કરવાનો બની બેઠેલા મહંતે નિર્ણય લીધો અને સુર્યમુખી હનુમાનજી મંદિરનું નામ ડોક્ટર હનુમાન કરી નાખ્યુ છે, જે હનુમાનજીનું ઘોર અપમાન છે.

કાલે કોઇ કમ્પાઉન્ડર હનુમાનજી નામ રાખી લ્યે તો ? તો પણ ચુપ બેસવાનું. ના તેવું હવે નહી ચલાવી લેવાય અને પ્રાચીન શ્રી નરસીંહજી મંદિર ખાતે શ્રી રામ દરબાર આવેલ છે.

તેમાં હનુમાનજી ગોઠણભેર મુદ્રામાં ભગવાન શ્રી રામ, માતા જાનકી અને ભાઇ લક્ષ્મણ સમક્ષ દાસ સ્વરૂપમાં બેસેલ છે. પરંતુ તે રામ દરબારમાંથી હનુમાનજીની મૂર્તિને અલગ કરી લોકોના દાસ હોય તે રીતે જયાં ત્યાં જાહેર કાર્યક્રમોમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

જેમ કે હોટેલ બહાર લોકોનું નમીને સ્વાગત કરતો મહારાજ, ચાની હોટેલ પણ ચા પીતા માલધારીનું કટ આઉટ રાખવામાં આવતા હોય તેમા હનુમાનજી લોકોના દાસ હોય તે રીતે પ્રદર્શન માટે રાખવામાં આવે છે.

આવું કૃત્ય કરવુ પણ હનુમાનજીનું અપમાન છે. જેથી અમારી ધાર્મિક લાગણી દુભાઇ છે. અમારી લાગણી દુભાવનાર તેમજ હનુમાનજીનુ વારંવાર અપમાન દ્વારા સનાતન ધર્મનું અપમાન કરનાર સામે કાયદેસરના પગલાં ભરવામાં આવે તેમજ ડોક્ટર હનુમાનજી નામમાંથી ફરી મુળ નામ હતું તે સુર્યમુખી હનુમાનજી રાખવાંમાં આવે તેવી અમારી માંગ છે.

Loading

The post Jetpur: સુર્યમુખી હનુમાનજી મંદિરનું નામ ‘ડોકટર હનુમાનજી’ કરવામાં આવતા સાધુ સંતો દ્વારા અપાયું આવેદન appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-sadhu-sant-gave-memorandum-to-change-name-of-suryamukhi-hanumanji-temple-to-doctor-hanumanji-dr/7721/feed/ 0 7721
Jetpur News: “શેહરના રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઈટોનું કામ નહિ થાય તો નકોડા ઉપવાસ કરીશું” -કૉંગ્રેસ http://revoltnewsindia.com/jetpur-rajkot-memorandum-congress-on-inconvenience-of-public-facilities-dr/7675/ http://revoltnewsindia.com/jetpur-rajkot-memorandum-congress-on-inconvenience-of-public-facilities-dr/7675/#respond Wed, 02 Aug 2023 14:01:49 +0000 http://revoltnewsindia.com/?p=7675 જેતપુરમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા રોડ રસ્તાઓ, સ્ટ્રીટ લાઈટો, ભૂગર્ભ ગટર, સ્વચ્છતા વગેરે બાબતોને લઈને આજે જેતપુર શહેર મામાલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું

The post Jetpur News: “શેહરના રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઈટોનું કામ નહિ થાય તો નકોડા ઉપવાસ કરીશું” -કૉંગ્રેસ appeared first on REVOLT NEWS INDIA.

]]>

Jetpur: ચોમાસાના કારણે જેતપુર નવાગઢ નગરપાલિકાની હદમાં આવતા વિસ્તારો જાણે આફ્રિકાના વિસ્તારો થઈ ગયા હોય એવા હાલના સમયમાં દેખાય રહ્યા છે. જેમાં ઘણા વિસ્તારોમાં પાકા રસ્તાઓ નથી, મહિનાઓથી સ્ટ્રીટ લાઈટો નથી, સાફ સફાઈ પણ કરવામાં આવતી ન હોય જેને લીધે પોતાની ફરજ સમજીને લોકશાહીના ચોથા સ્તંભ એવા મીડિયાએ લોકોની વેદનાઓ વારંવાર રજૂ કરી હતી અને હાલમાં કરે પણ છે.

ત્યારે આજે જાણે જેતપુરમાં ઘણા લાંબા સમય પછી વિપક્ષ ઊંઘમાંથી ઉડીને વિરોધ કરતા જોવા મળ્યું હતું. ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા રોડ રસ્તાઓ, સ્ટ્રીટ લાઈટો, ભૂગર્ભ ગટર, સ્વચ્છતા વગેરે બાબતોને લઈને આજે જેતપુર શહેર મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં આક્ષેપો અને માંગ પણ કરવામાં આવી હતી.

જે આ મુજબ હતી, ચોમાસા પહેલાં જેતપુરમાં પ્રિમોન્સુનની કામગીરી કરવામાં આવી હતી. ચોમાસું શરૂ થતાની સાથે આ કામગીરી શોભાના ગાઠીયા સમાન જોવા મળેલ છે.

જેતપુર એક સાડી ઉદ્યોગનું મોટું નામ ધરાવતુ હોય, ત્યારે જેતપુર શહેરના અનેક વિસ્તારોમાં લાઇટો રીપેરીંગ બાબતે કામગીરી ઠપ જેવી જણાય છે.

જેમનું મુખ્ય કારણ સતાપક્ષના ભુતપુર્વ સુધરાઇ સભ્યો આવનારી જેતપુર નવાગઢ નગરપાલીકાની ચુંટણીને અનુલક્ષીને પોતાના વિસ્તારોની વોટબેંક સાચવવા માટે લાઇટની ગાડીઓ લઇ જતા હોય છે.

અને ગાડીઓ સાથે જ રહેતા હોય છે. ત્યારે એવુ લાગે છે કે જેતપુર નવાગઢ નગરપાલીકાની અંદર વહીવટી શાસન નહીં પણ રીમોટથી ચાલતુ ટીવી લાગી રહયુ છે.

અંદાજીત એક વર્ષ પહેલાં અમારા દ્વારા જેતપુર નવાગઢ નગરપાલીકાના ચીફ ઓફિસર સાહેબને નવી લાઇટો બાબતે આવેદન આપેલ હોય જેમાં તેના પ્રતિ ઉતરમાં સારો જવાબ મળેલ હતો. પણ એક વર્ષ ઉપર થઇ જતાં હાલ હજી સુધી કોઇ નવી લાઇટોનું નિવારણ આવેલ નથી.

જેતપુર શહેરમાં આવેલ પછાત વિસ્તારોમાં રોડ રસ્તા બનાવવા બાબતે અગાઉ પણ રજુઆત કરવામાં આવી હતી છતાં હાલ પછાત વિસ્તારોમાં નવા રસ્તાઓ બનાવવામાં આવ્યા નથી. તેમજ ભુર્ગભની નવી લાઇનો હજીસુધી મંજુર કરવામાં નથી.

છતાં પછાત વિસ્તારોમાંથી ભુર્ગભ ગટરોનો વેરો ઉઘરાવવામાં આવે છે. તેમજ પછાત વિસ્તારોના રોડ-રસ્તાઓ ગંદકીથી ભરપુર હોય છે.

ત્યારે વહીવટી તંત્ર દ્વારા પછાત વિસ્તારો તેમજ ગંદકીઓ ભર્યા વિસ્તારોમાં કપચી તેમજ સીલીકોટની રેતી નખાવી પછાત વિસ્તારના લોકોને મુશ્કેલી મુકત કરવા અને

જેતપુર શહેરના ભુર્ગભ ગટરના ઢાકણાઓ રોડ રસ્તા કરતા ખુબ નીચા પ્રમાણમાં હોય છે, તેમજ ઢાકણાઓની હાલત બોવ ખરાબ હોય છે. અથવા તો તુટી ગયેલા હોય છે. અને તેની આજુ બાજુમાં બોવ મોટા ખાડાઓ પડી ગયેલા હોય છે,

તેમજ અધિકારીઓ અને ઉદ્યોગપતીઓ પાસે નાની મોટી લકઝરી ગાડીઓ હોવાથી તે લોકોને આવા નાના મોટા ખાડાઓ નડતા ન હોય અને આવી મુશ્કેલીઓનો સામનો નાના મધ્યવર્ગના માણસોને થતી હોય છે.

હાલ જૂનાગઢ રોડ પર આવેલા શિવકૃપા-1, શિવકૃપા-2, શિવકૃપા-3, ગણેશનગર-1, ગણેશનગર-2, દાતારનગર તેમજ ગઢની રાંગનો પછાત વિસ્તાર-નવાગઢ, વડલીચોક, બાપુનીવાડી, રામૈયા હનુમાન-વિસ્તાર, ભોજાધાર-વિસ્તાર, દાસીજીવણપરા,

જલારામ-1, જલારામ-2, જલારામ-3, સામાકાંઠાથી દેરડી રોડ, જન કલ્યાણી વિસ્તાર, નકલંક રોડ, સરદાર ચોક-કેનાલરોડથી નવાગઢ બળદેવ ઘુસાની ધાર સુધી,

જેતપુર સામાકાંઠા વિસ્તાર, નંદાણીયા નગર સામાકાઠે, દેરડી આવાસ યોજના, નવાગઢ મુખ્ય રોડ, નવાગઢ રેલ્વેના નીચેના બ્રીજમાં મોટા ખાડાઓ તેમજ પાણીની સમસ્યાઓ સર્જાય છે.

રબારીકા ગામ જવા માટેનું અંડર બ્રીજના નીચેના ભાગમાં મોટા પ્રમાણમાં ઉપરવાસનું પાણી આવતુ હોય ત્યારે મીડીયાની અંદર પણ આવી ગયેલ હોય છતાં પણ નેશનલ હાઇવે દ્વારા કોઇ કામગીરી કરવામાં આવી નથી.

અને સામાન્ય લોકોનો જીવ જોખમમાં આવી શકે તેમ છે.

જેમનો વહેલા તે પહેલાં ઘોરણે યોગ્ય કાર્યવાહી કરવા બાબત.ઉપરોકત રજુઆત અંગે દિવસ 20 ની અંદર યોગ્ય કાર્યવાહી કરવામાં નહી આવે તો અમે મંજુરી સાથે નકોડા ઉપવાસ ઉપર બેસવાની ફરજ પડશે.

તેમજ ઘણા લોકો દ્વારા પછાતવર્ગના લોકાને કોઈપણ સહાયતા પુરી પાડવામાં આવતી હોય ત્યારે તેમના ફોટા પાડીને ફોટાઓ સોશીયલ મીડીયામાં વાયરલ કરવામાં આવતા હોય. જેમાં ગરીબ લોકોની મજાક ઉડાવતા હોય તેવુ લાગી રહ્યુ છે.

Loading

The post Jetpur News: “શેહરના રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઈટોનું કામ નહિ થાય તો નકોડા ઉપવાસ કરીશું” -કૉંગ્રેસ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-rajkot-memorandum-congress-on-inconvenience-of-public-facilities-dr/7675/feed/ 0 7675
Jetpur: જેતપુરના આ વિસ્તારમાંથી ઝડપાયું કુટણખાનું http://revoltnewsindia.com/jetpur-prostitution-racket-caught-rni-dr/7604/ http://revoltnewsindia.com/jetpur-prostitution-racket-caught-rni-dr/7604/#respond Wed, 17 May 2023 17:54:49 +0000 https://revoltnewsindia.com/?p=7604 રાજકોટ જિલ્લાનું જેતપુર શહેર આમ તો ઔધોગિક શહેર તરીકે પ્રખ્યાત છે. ત્યારે જેતપુરમાં ગેરકાયદેસર ચાલતા ધંધોઓ પણ અવાર-નવાર સામે આવતા હોય છે. પોલીસતંત્ર દ્વારા પણ ગેરકાયદેસર ચાલતા ધંધોઓને ડામવા માટે કામગીરી કરવામાં આવતી હોય છે. જેને લઈને જેતપુરના એક વિસ્તારમાંથી કુટણખાનું ઝડપાયું છે.

The post Jetpur: જેતપુરના આ વિસ્તારમાંથી ઝડપાયું કુટણખાનું appeared first on REVOLT NEWS INDIA.

]]>
Symbolic Image

Rajkot: રાજકોટ જિલ્લાનું જેતપુર શહેર આમ તો ઔધોગિક શહેર તરીકે પ્રખ્યાત છે. ત્યારે જેતપુરમાં ગેરકાયદેસર ચાલતા ધંધોઓ પણ અવાર-નવાર સામે આવતા હોય છે. પોલીસતંત્ર દ્વારા પણ ગેરકાયદેસર ચાલતા ધંધોઓને ડામવા માટે કામગીરી કરવામાં આવતી હોય છે. જેને લઈને જેતપુરના એક વિસ્તારમાંથી કુટણખાનું ઝડપાયું છે.

આ વિસ્તારનું નામ એટલે નવાગઢ બળદેવધાર વિસ્તાર. આ બળદેવધાર વિસ્તારના પોતાના મકાનમાં જ બહારથી મહિલાઓ બોલાવી દેહવિક્રયનો ધંધો ચલાવતો ઇરફાન ઉર્ફે તોતડો મામદભાઈ ખેભર પોલીસના સકંજામાં આવી ગયો છે.

પકડાયેલા આરોપી

પોલીસના જણાવ્યા મુજબ ઇરફાન ઉર્ફે તોતડો મામદભાઈ ખેભર પોતે પોતાના કબ્જા ભોગવટાના મકાનમાં બહારથી મહિલાઓ બોલાવી પોતાના આર્થિક લાભ સારૂ આ મહિલાઓને પોતાના મકાને દેહવિક્રયનો ધંધો કરવા માટે સગવડતા કરી આપી ગ્રાહકો શોધી આપી. ગ્રાહકો પાસેથી શરીર સુખ ભોગવવા માટે નાણા લઈ આ નાણામાંથી કમીશન મેળવી અને દેહવિક્રયનો ધંધો કરતો હોવાની માહિતી મળતા.

આર.એ.ડોડીયા (DYSP), એ.એમ.હેરમા (PI), પો. કોન્સ નારણભાઇ પંપાણિયા, પો. કોન્સ બાપાલાલ ચુડાસમા ના.પો.અધિ. કચેરી જેતપુર તથા ડી-સ્ટાફ અને જેતપુર સીટી પોલીસ સ્ટાફ દ્વારા રેઇડ કરતા

ઇરફાન ઉર્ફે તોતડો મામદભાઈ ખેભરના મકાનમાંથી દેહવિક્રયનો ધંધો કરવા આવેલ મહિલા તેમજ આ મહિલા સાથે શરીર સુખ ભોગવવા આવેલ ઇસમ જયદિપ ધીરૂભાઈ પાઘડાર જાતે પટેલ રહે. ઢોળવા તા.ભેંસાણ જી. જૂનાગઢ મળી આવતા તેઓની વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરેલ હતી.

Loading

The post Jetpur: જેતપુરના આ વિસ્તારમાંથી ઝડપાયું કુટણખાનું appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-prostitution-racket-caught-rni-dr/7604/feed/ 0 7604
Jetpur: મેવાસામાં યોજાયું ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ અંગે પ્રદર્શન http://revoltnewsindia.com/jetpur-exhibition-on-mathematics-science-and-environment-held-in-mevasa/7385/ http://revoltnewsindia.com/jetpur-exhibition-on-mathematics-science-and-environment-held-in-mevasa/7385/#respond Thu, 15 Dec 2022 13:14:15 +0000 http://revoltnewsindia.com/?p=7385 જેતપુર તાલુકાના મેવાસા ગામની મેવાસા કુમાર શાળામાં તા.12.12.2022ના રોજ સીઆરસી કક્ષાનું ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ અંગેનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

The post Jetpur: મેવાસામાં યોજાયું ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ અંગે પ્રદર્શન appeared first on REVOLT NEWS INDIA.

]]>

જેતપુર તાલુકાના મેવાસા ગામની મેવાસા કુમાર શાળામાં તા.12.12.2022ના રોજ સીઆરસી કક્ષાનું ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ અંગેનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

જેતપુર તાલુકાના મેવાસા ગામની મેવાસા કુમાર શાળામાં તા.12.12.2022ના રોજ સીઆરસી કક્ષાનું ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ અંગેનું પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

ઉલ્લેખનીય છે કે આ સીઆરસી કક્ષાના ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ પ્રદર્શનમાં પ્રથમ નંબરે આવનારી કૃતિઓને તાલુકા કક્ષાના પ્રદર્શનમાં ભાગ લેવામાં આવતો હોય છે.

આ સીઆરસી કક્ષાના પ્રદર્શનમાં વિજેતા થયેલા વિદ્યાર્થીઓ, વિધાર્થીનીઓ અને માર્ગદર્શક શિક્ષકોને નિર્ણાયકો તેમજ સીઆરસી કોર્ડીનેટર દ્વારા ઈનામ અને પ્રમાણપત્ર આપી પ્રોત્સાહિત કરવામાં આવ્યાં હતા.

તેવું મેવાસા સીઆરસી કોર્ડીનેટર ભગતસિંહ ડોડીયાની યાદીમાં જણાવવામાં આવેલ હતું.

Loading

The post Jetpur: મેવાસામાં યોજાયું ગણિત, વિજ્ઞાન અને પર્યાવરણ અંગે પ્રદર્શન appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-exhibition-on-mathematics-science-and-environment-held-in-mevasa/7385/feed/ 0 7385