Jetpur: જેતપુરમાં ફેબ્રુઆરીમાં યોજાશે તાલુકા ‘સ્વાગત’ ફરીયાદ નિવારણ કાર્યક્રમ

SHARE THE NEWS

Jetpur: જેતપુર તાલુકાના ગ્રામ્ય તથા શહેરી વિસ્તારના પ્રશ્નોના ન્યાયિક તેમજ અસરકારક નિવારણ માટે “તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” આગામી તા. 21 ફેબ્રુઆરી 2024, બુધવારના રોજ સવારે 11.00 કલાકે મામલતદારની કચેરી, જેતપુર ખાતે નાયબ જીલ્લા વિકાસ અધિકારીના અધ્યક્ષસ્થાને યોજાશે.

જેમાં સંબંધકર્તા અરજદારોએ ગ્રામ્ય કે તાલુકા કક્ષાએ લેખિત રજૂઆત કરેલ અનિર્ણિત પ્રશ્નો, ગ્રામ, નગરપાલીકા કે તાલુકા કક્ષાને સ્પર્શતા પ્રશ્નો અથવા તે સિવાયના પ્રશ્નોની રજૂઆત હોય તો જે તે સંબધિત કચેરીને રજુઆત કર્યાં બાદ અનિર્ણિત હોય તેવા પ્રશ્નો તા.10 ફેબ્રુઆરી, 2024 સુધી રજૂ કરી શકાશે.

એક જ વિષયને લગતી રજુઆત અરજીના મથાળે “તાલુકા સ્વાગત ફરિયાદ નિવારણ કાર્યક્રમ” માટેની અરજી એમ લખી બે (2) નકલમાં આધાર પુરાવા સાથે મામલતદાર કચેરી, જેતપુર ખાતે નિયત તારીખ સુધીમાં મોકલી આપવાની રહેશે.

ત્યારબાદ રજુ થયેલ અરજીઓનો કાર્યક્રમમાં સમાવેશ કરવામાં આવશે નહિ તેમ જેતપુર ગ્રામ્ય મામલતદાર એ. પી. અંટાળા તથા જેતપુર શહેર મામલતદાર વી. એન. ભારાઈની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *