Rajkot Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/rajkot/ News for India Mon, 04 Mar 2024 15:57:12 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png Rajkot Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/rajkot/ 32 32 174330959 Rajkot: વાહન અકસ્માત યોજના, જેમાં અકસ્માતગ્રસ્તને મળશે રૂ.50 હજાર સુધીની ફ્રી સારવાર http://revoltnewsindia.com/rajkot-vehicle-accident-scheme-in-which-the-accident-victim-will-get-free-treatment-up-to-rs-50-thousand/7932/ http://revoltnewsindia.com/rajkot-vehicle-accident-scheme-in-which-the-accident-victim-will-get-free-treatment-up-to-rs-50-thousand/7932/#respond Mon, 04 Mar 2024 14:04:28 +0000 https://revoltnewsindia.com/?p=7932 માનવ જીવન બચાવવા યોગદાન આપવા લોકોને અપીલ Rajkot: રાજકોટ, તા. 04/03/2024 વાહનોની વધતી જતી સંખ્યા સાથે રસ્તા પર અકસ્માતોની સંખ્યા પણ વધતી જાય છે. વાહન અકસ્માત ઘરના એક વ્યક્તિને થાય…

The post Rajkot: વાહન અકસ્માત યોજના, જેમાં અકસ્માતગ્રસ્તને મળશે રૂ.50 હજાર સુધીની ફ્રી સારવાર appeared first on REVOLT NEWS INDIA.

]]>

માનવ જીવન બચાવવા યોગદાન આપવા લોકોને અપીલ

Rajkot: રાજકોટ, તા. 04/03/2024 વાહનોની વધતી જતી સંખ્યા સાથે રસ્તા પર અકસ્માતોની સંખ્યા પણ વધતી જાય છે. વાહન અકસ્માત ઘરના એક વ્યક્તિને થાય પરંતુ તેનું પરિણામ આખા કુટુંબને ભોગવવું પડતું હોય છે. તેમાં પણ ઘરની મુખ્ય જવાબદાર વ્યક્તિનું જ્યારે અકસ્માતથી મૃત્યુ થાય તો આખુ કુટુંબ માનસિક તથા આર્થિક રીતે નિરાધાર થઇ જાય છે.

નિષ્ણાંતોના જણાવ્યા મુજબ જો અકસ્માતગ્રસ્ત વ્યક્તિને પ્રથમ એક કલાક (ગોલ્ડન અવર)ની અંદર હોસ્પિટલોમાં દાખલ કરવામાં આવે તો મહત્તમ લોકોને બચાવી શકાય છે અને 50% મૃત્યુ દરને ટાળી શકાય છે.

અકસ્માત પછી તાત્કાલિક (ગોલ્ડન અવર)એ પ્રથમ કલાક છે, જેમાં ઇમર્જન્સી મેડીકલ સારવાર જરૂરી છે અને જો આવી કોઈ સારવાર આપવામાં આવે તો પીડીતને બચાવી શકાય છે એ હેતુ સિધ્ધ કરવા ગુજરાત સરકાર દ્રારા વાહન અકસ્માત યોજના કાર્યરત છે.

વાહન અકસ્માત યોજનાનો લાભ કોને અને કેવી રીતે મળી શકે?

ભારતના કોઇપણ નાગરિકને વાહન અકસ્માતમાં ઇજા થાય તો આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. જેમાં રૂ. પચાસ હજારની મર્યાદામાં કોઇપણ સરકારી તથા પ્રાઇવેટ હોસ્પિટલમાં દર્દીને વિનામુલ્યે મેડીકલ સારવાર આપવામાં આવે છે.

આ યોજનાનો લાભ લેવા માટે આવકની કોઈ મર્યાદા નથી. અકસ્માત ગુજરાત રાજ્યની હદમાં થયેલ હોય તો જ આ યોજનાનો લાભ મળવાપાત્ર છે. અકસ્માત થયાના 48 કલાકની અંદર જ સારવાર કરેલ હોવી જોઇએ.

આ યોજનાના લાભાર્થીએ જે તે સારવાર લીધેલ સરકારી કે પ્રાઇવેટ હોસ્પિટલને જાણ કરવાની રહેશે અને ત્યાર બાદ પ્રાઇવેટ કે સરકારી હોસ્પિટલે સરકાર દ્વારા નક્કી કરેલ કચેરીને જાણ કરવાની રહેશે.

અકસ્માત સહાય યોજના માટે કોઇ પણ અકસ્માત પામેલ વ્યક્તિને સારવાર આપી સરકારે નિયુક્ત કરેલ સંસ્થાને જાણ કરવાની રહેશે. રાજકોટ જિલ્લા કલેક્ટર પ્રભવ જોષી તથા રાજકોટ જિલ્લા વિકાસ અધિકારી ડો. નવનાથ ગવ્હાણેના માર્ગદર્શન હેઠળ ચીફ ડીસ્ટ્રીક્ટ મેડીકલ ઓફિસર, પદ્મકુંવરબા હોસ્પિટલ રાજકોટને સ્થાનિક નિયુકત સંસ્થા જાહેર કરેલ હોય,

રાજકોટ જિલ્લામાં સારવાર આપનાર હોસ્પિટલોએ તેને જાણ કરવાની રહેશે. વધુ માહીતી માટે કોઇપણ પ્રાઇવેટ હોસ્પિટલોએ ચીફ ડીસ્ટ્રીક મેડીકલ ઓફિસર, પદ્મકુંવરબા હોસ્પિટલ રાજકોટનો સંપર્ક કરવા અનુરોધ કરવામાં આવે છે.

આ યોજનાનો લોકો વધુમાં વધુ બહોળો પ્રચાર કરે અને અનેક લોકોના જીવન બચાવવા લોકો યોગદાન આપે તેમ મુખ્ય જિલ્લા આરોગ્ય અધિકારી ડો.પી. કે. સિંગની યાદી દ્વારા જાહેર જનતાને અપીલ કરવામાં આવે છે.

Loading

The post Rajkot: વાહન અકસ્માત યોજના, જેમાં અકસ્માતગ્રસ્તને મળશે રૂ.50 હજાર સુધીની ફ્રી સારવાર appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/rajkot-vehicle-accident-scheme-in-which-the-accident-victim-will-get-free-treatment-up-to-rs-50-thousand/7932/feed/ 0 7932
Jetpur: શિવરાત્રીના દિવસે બ્રહ્મસમાજ દ્વારા યોજાશે “સમૂહ રુદ્રાભિષેક” http://revoltnewsindia.com/jetpur-rudrabhishek-will-be-held-by-brahma-samaj-on-shivratri/7918/ http://revoltnewsindia.com/jetpur-rudrabhishek-will-be-held-by-brahma-samaj-on-shivratri/7918/#respond Mon, 04 Mar 2024 12:36:37 +0000 https://revoltnewsindia.com/?p=7918 Jetpur: જેતપુર (રાજકોટ), તા. 04 ફેબ્રુઆરી: જીવ સાથે શિવના મિલનનું પર્વ એટલે મહાશિવરાત્રી. મહાશિવરાત્રીના દિવસે શિવ ભક્તો ઉપવાસ કરી ૐ નમઃ શિવાયના અખંડ પાઠ કરી શિવલિંગ પર બીલીપત્ર, દૂધ, પાણી…

The post Jetpur: શિવરાત્રીના દિવસે બ્રહ્મસમાજ દ્વારા યોજાશે “સમૂહ રુદ્રાભિષેક” appeared first on REVOLT NEWS INDIA.

]]>
જેતપુર (રાજકોટ), તા. 04 ફેબ્રુઆરી: જીવ સાથે શિવના મિલનનું પર્વ એટલે મહાશિવરાત્રી. મહાશિવરાત્રીના દિવસે શિવ ભક્તો ઉપવાસ કરી ૐ નમઃ શિવાયના

Jetpur: જેતપુર (રાજકોટ), તા. 04 ફેબ્રુઆરી: જીવ સાથે શિવના મિલનનું પર્વ એટલે મહાશિવરાત્રી. મહાશિવરાત્રીના દિવસે શિવ ભક્તો ઉપવાસ કરી ૐ નમઃ શિવાયના અખંડ પાઠ કરી શિવલિંગ પર બીલીપત્ર, દૂધ, પાણી અને અન્ય દ્રવ્યોનો અભિષેક કરી શિવ ઉપાસના દ્વારા ભગવાન શંકરના કૃપાપાત્ર બનવા પ્રયત્ન કરે છે.

08 માર્ચ 2024ને શુક્રવારના રોજ આ મહાશિવરાત્રીનો અનેરો અવસર આવી રહ્યો છે. કહેવાય છે કે આ દિવસે પૃથ્વી પરના તમામ શિવલિંગોમાં રુદ્ર નો અંશ હોય છે.

જેતપુરના સમસ્ત બ્રહ્મ સમાજ દ્વારા આ પર્વને ભવ્ય રીતે ઉજવવા તડામાર તૈયારીઓ થઈ રહી છે.

મહાશિવરાત્રી, 08 માર્ચ 2024ને શુક્રવારના રોજ સવારે 07:30થી રાજધાની પાર્ટી પ્લોટ, સરદાર ચોક, નકલંક આશ્રમ રોડ ખાતે “સમૂહ રૂદ્રાભિષેક” યોજાશે.

જ્યાં મોટી સંખ્યામાં બ્રાહ્મણો એકસાથે શિવ આરાધના કરી શિવજીને રિઝવવાનો પ્રયત્ન કરશે. કાર્યક્રમના અંતે મહાઆરતી અને સાથે ફરાળ પ્રસાદ બાદ કાર્યક્રમની પૂર્ણાહુતિ થશે.

Loading

The post Jetpur: શિવરાત્રીના દિવસે બ્રહ્મસમાજ દ્વારા યોજાશે “સમૂહ રુદ્રાભિષેક” appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-rudrabhishek-will-be-held-by-brahma-samaj-on-shivratri/7918/feed/ 0 7918
Jetpur: આંગણવાડીના બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન, બજેટને ચાંપી આગ http://revoltnewsindia.com/jetpur-protests-by-anganwadi-workers-budget-set-ablaze/7884/ http://revoltnewsindia.com/jetpur-protests-by-anganwadi-workers-budget-set-ablaze/7884/#respond Wed, 07 Feb 2024 17:16:41 +0000 http://revoltnewsindia.com/?p=7884 Jetpur: આજે તા. 07 ફેબ્રુઆરીના રોજ રાજકોટ (Rajkot) જિલ્લાના જેતપુર (Jetpur)માં આંગણવાડીમાં કામ કરતાં (Anganwadi workers) વર્કર/હેલ્પર તથા આશા વર્કર અને ફેસીલીએટર બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. તેમજ…

The post Jetpur: આંગણવાડીના બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન, બજેટને ચાંપી આગ appeared first on REVOLT NEWS INDIA.

]]>

Jetpur: આજે તા. 07 ફેબ્રુઆરીના રોજ રાજકોટ (Rajkot) જિલ્લાના જેતપુર (Jetpur)માં આંગણવાડીમાં કામ કરતાં (Anganwadi workers) વર્કર/હેલ્પર તથા આશા વર્કર અને ફેસીલીએટર બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું. તેમજ પ્રતિકાત્મક રીતે બજેટને પણ આગ ચાંપવામાં આવી હતી. જેમાં બહોળી સંખ્યામાં આંગણવાડીમાં કામ કરતાં બહેનો ઉમટી પડ્યાં હતા.

વીડિયો જોવા માટે નીચે ક્લિક કરો…

રાજકોટ જિલ્લાના જેતપુરમાં આંગણવાડીમાં કામ કરતાં (Anganwadi workers) વર્કર/હેલ્પર તથા આશા વર્કર અને ફેસીલીએટર બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન યોજવામાં આવ્યું હતું.

જેનું મુખ્ય કારણ જણાવતા આંગણવાડીમાં કામ કરતાં આશા વર્કર અને ફેસિલિટેટર બહેનોએ મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતુ કે,

”સરકારને વહેલી ચૂંટણી યોજવાની ઉતાવળને કારણે વચગાળાનું બજેટ રજૂ કરવું પડયું જે દુઃખદ બાબત છે. આ વચગાળાના બજેટમાં પણ સરકાર ઘણું આપી શકી હોત. કેન્દ્રીય નાણામંત્રી દ્વારા રજૂ કરાવેલ વચગાળાના-કેન્દ્રીય બજેટથી દેશ અને ગુજરાતના લાખો (Anganwadi workers) આંગણવાડી વર્કર/હેલ્પર તથા આશા વર્કર અને ફેસીલીએટર બહેનો ભારે નીરાશ થઈ છે. રોષ ઉભો થયો છે. મહિલા અને બાળ વિકાસ અને આરોગ્ય વિભાગ તળેની કેન્દ્ર સરકારની અતિ મહત્વની સેવા બજાવતી યોજના

આજે તા. 07 ફેબ્રુઆરીના રોજ રાજકોટ (Rajkot) જિલ્લાના જેતપુર (Jetpur)માં આંગણવાડીમાં કામ કરતાં (Anganwadi workers) વર્કર/હેલ્પર તથા આશા વર્કર

હોવાં છતાં, 2019ની ચૂંટણી પૂર્વે 2018માં 27 લાખ આંગણવાડી અને 14 લાખ આશા વર્કર- ફેસીલીએટરના માનદ વેતનમાં તથા વળતરમાં વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ‘મન કી બાત’ માં વધારો જાહેર કયાં બાદ, પાંચ વર્ષ બાદ પણ માનદ વેતનમાં કેન્દ્ર સરકારે કોઈ જ વધારો જાહેર કરેલ નથી.

જયારે કોરોના કાળમાં તથા કુપોષણ સામેની સેવામાં ખૂદ વડાપ્રધાને જાહેરમાં પ્રશંસા કરી છે. અને કામના બોજામાં જબ્બર વધારો કર્યો છે. દેશના ઈતિહાસમાં ખુદ વડાપ્રધાન અને મહિલા બાળ વિકાસ મંત્રી તથા આરોગ્ય મંત્રીની પાંચ વર્ષની ટર્મ કંઈ પણ આપ્યા વિના પૂર્ણ થશે.

લાખો બહેનોને ખાલી હાથ રાખ્યા છે. આંગણવાડી વર્કર-હેલ્પર તથા આશા વર્કર- ફેસીલીએટર બહેનોને આ મોદી સરકાર પાસે ધણી બધી આશાઓ રાખી હતી જેથી આ બહેનોમાં ખૂબજ હતાશા નિરાશા- રોષ ઉભો થયો છે.

લાખ્ખો આંગણવાડી બહેનો તથા આશા વર્કરો અને ફેસીલીએટર બહેનોને લાંબા સમયથી સેવા ને કારણે કાયમી કરવા, સરકારી નોકરીયાતને મળતું લઘુતમ વેતન આપવા, પેન્શન, ગેચ્યુઈટી આપવા, ઈએસ.આઈ. તથા પ્રોવીડંન્ટ ફંડ યોજનાનો લાભ આપવા, પ્રમોશનમાં વય મર્યાદા દુર કરવા, નિવૃત્તિ વય મર્યાદા દેશભરમાં સરખી રાખવા તથા પોષણ ટ્રેકરનું કામ (મોબાઈલ) ઓછુ કરવા માંગણી માટે લાંબા સમયથી આંદોલન ચલાવી રહેલ છે.

તાજેતરમાં સુપીમ કોર્ટની બેન્ય દ્વારા કેન્દ્ર તથા રાજય સરકારોને સ્કીમ વર્કર (આંગણવાડી મધ્યાહન ભોજન)ની સર્વિસ કન્ડીશન સુધારવા આદેશ આપેલ છે. તથા 42-43 મી સરકાર દ્વારા યોજાતી લેબર કોન્ફરન્સે પણ સ્કીમ વર્કરને રેગ્યુલાઈઝ કરવા ભલામણ કરેલ છે.

કેન્દ્રીય બજેટને કાળુ બજેટ ગણાવી તા : 4-5- ફેબ્રુઆરીનાં રોજ ગુજરાતમાં કાળો દિવસ તરીકે કાળા કપડા પહેરી દેખાવો યોજી બજેટની હોળી કરવા નિર્ણય કરાયો છે.” જે કાર્યક્ર્મ આજે જેતપુરમાં યોજવામાં આવ્યો હતો.

Loading

The post Jetpur: આંગણવાડીના બહેનો દ્વારા વિરોધ પ્રદર્શન, બજેટને ચાંપી આગ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-protests-by-anganwadi-workers-budget-set-ablaze/7884/feed/ 0 7884
Jetpur: પત્રકાર તુષાર બસીયાના સમર્થનમાં જેતપુર પત્રકાર સંઘ http://revoltnewsindia.com/jetpur-patrakar-sangh-in-support-of-journalist-tushar-basiya/7864/ http://revoltnewsindia.com/jetpur-patrakar-sangh-in-support-of-journalist-tushar-basiya/7864/#respond Wed, 31 Jan 2024 13:12:02 +0000 https://revoltnewsindia.com/?p=7864 નવજીવન ન્યૂઝના પત્રકાર તુષાર બસીયાના સમર્થનમાં જેતપુર શહેર અને તાલુકા પત્રકાર સંઘ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. નવજીવન ન્યૂઝના પત્રકાર તુષાર બસીયાના સમર્થનમાં જેતપુર શહેર અને તાલુકા પત્રકાર સંઘ દ્વારા…

The post Jetpur: પત્રકાર તુષાર બસીયાના સમર્થનમાં જેતપુર પત્રકાર સંઘ appeared first on REVOLT NEWS INDIA.

]]>

નવજીવન ન્યૂઝના પત્રકાર તુષાર બસીયાના સમર્થનમાં જેતપુર શહેર અને તાલુકા પત્રકાર સંઘ દ્વારા આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

નવજીવન ન્યૂઝના પત્રકાર તુષાર બસીયાના સમર્થનમાં જેતપુર શહેર અને તાલુકા પત્રકાર સંઘ દ્વારા જેતપુર શહેર મામલતદાર વી.એન. ભારાઈ મારફત ગુજરાતના રાજ્યપાલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

જેમાં જણાવવામાં આવ્યું હતું કે સુરત શહેરમાં તારીખ 12 જાન્યુઆરીના રોજ બનેલી એક ઘટના બાબતના સીસીટીવી ફૂટેજનો વીડીયો સોશિયલ મીડિયામાં વાયરલ થતા નવજીવન ન્યૂઝના પત્રકાર તુષાર બસીયાએ ઘટના વાળા વિસ્તારના લાગુ પડતા પોલીસ અધિકારીનો સંપર્ક કરી આ બાબતે જો કોઈ ભોગ બનનાર ફરિયાદી ન બને તેવા સંજોગોમાં કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે પોલીસ પોતે ફરિયાદી બનવું જોઈએ.

તેવું જણાવતા જે તે પોલીસ સ્ટેશનના પોલીસ ઇન્સ્પેક્ટર દ્વારા પત્રકાર તુષાર બસીયા પર જ ફરિયાદ દાખલ કરી દેવામાં આવેલ હોય. પોતાના જીવના જોખમે સાચી વાતને રાષ્ટ્ર અને માનવ સમાજના કલ્યાણ માટે મીડિયાના માધ્યમથી અનેક પડકારો અને જોખમો વચ્ચે દિવસ રાત સતત પોતાની ફરજ નિભાવનાર પત્રકારને આવું ઇનામ મળશે તેવી કલ્પના શુદ્ધા નહીં કરી હોય.

ત્યારે આવા બનાવથી પત્રકારો કે જે લોકશાહીનો ચોથો સ્તંભ હોય અને લોકશાહીને ટકાવવા માટે જ્યારે પોતાની ફરજ નિભાવતા હોય છે, ત્યારે આવી બાબતને કારણે પત્રકારજગતમાં આક્રોશ વ્યાપ્યો હોય.

જેને લઇને આપશ્રીને જેતપુર શહેર અને તાલુકા પત્રકાર સંઘ દ્વારા એવી વિનમ્ર માંગ છે કે પત્રકાર તુષાર બસિયા વિરૂદ્ધ કરવામાં આવેલ એફ.આઈ.આર.ની સી સમરી રિપોર્ટ કરવા માટે આપની કક્ષાએથી હૂકમ થઈ આવવા વિનંતી છે.

ઉલ્લેખનીય છે કે પત્રકાર સંઘ જેતપુર દ્વારા જે માંગ કરવામાં આવી છે તેવી જ માંગ ગુજરાતભરના પત્રકારો પણ કરી રહ્યા છે.

Loading

The post Jetpur: પત્રકાર તુષાર બસીયાના સમર્થનમાં જેતપુર પત્રકાર સંઘ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-patrakar-sangh-in-support-of-journalist-tushar-basiya/7864/feed/ 0 7864
Rajkot: ગોંડલમાં દલિત સ્મશાનને લઈને એક વ્યકિતએ શરીર પર કેરોસીન છાટ્યું તો ત્રણ વ્યક્તિએ ગટગટાવી ફીનાઇલ http://revoltnewsindia.com/rajkot-attempted-self-immolation-by-agitators-over-dalit-cremation-land-in-gondal-dr/7758/ http://revoltnewsindia.com/rajkot-attempted-self-immolation-by-agitators-over-dalit-cremation-land-in-gondal-dr/7758/#respond Thu, 05 Oct 2023 13:54:49 +0000 http://revoltnewsindia.com/?p=7758 ગોંડલ તાલુકાના દલિત સમાજ દ્વારા સ્મશાનની જમીનની બાબતે ગોંડલમાં આવેલ ડો. આંબેડકરની પ્રતિમા પાસે છેલ્લા વીસ દિવસથી ચાલી રહેલા ઉપવાસ આંદોલનમાં

The post Rajkot: ગોંડલમાં દલિત સ્મશાનને લઈને એક વ્યકિતએ શરીર પર કેરોસીન છાટ્યું તો ત્રણ વ્યક્તિએ ગટગટાવી ફીનાઇલ appeared first on REVOLT NEWS INDIA.

]]>

આઝાદીના 75 વર્ષ બાદ પણ સ્મશાનની જમીનને લઈને દલિતો આંદોલન કરવા મજબૂર

આંદોલકારીઓ દ્વારા આપવામાં આવી હતી આત્મવિલોપનની ચીમકી

ગોંડલમાં દલિત સ્મશાન ભૂમિને લઈને આંદોલનકારીઓ દ્વારા આત્મદાહનો પ્રયાસ

ગોંડલના ખડવંથલી ગામના દલિત સમાજ દ્વારા દલિત સ્મશાનને લઈને છેલ્લાં 20 દિવસથી કરવામાં આવી રહ્યું હતું આંદોલન

Report by Dinesh Rathod

Rajkot: તા. 05- ઓક્ટોબર, રાજકોટ જિલ્લાના ગોંડલ (Gondal) તાલુકાના ખડવંથલીના દલિત સમાજ (Dalit Community) ના આંદોલનમાં એકબાજુ આંદોલનકારીઓએ પારણા કર્યા હતા. તો બીજી બાજુ વ્યકિતએ શરીર ઉપર કેરોસીન છાટ્યું હતું અને ત્રણ યુવાનોએ ફીનાઇલ પીધી હતી.

ગોંડલ તાલુકાના ખડવંથલી ગામના દલિત સમાજ દ્વારા સ્મશાનની જમીનની બાબતે ગોંડલમાં આવેલ ડો. આંબેડકરની પ્રતિમા પાસે છેલ્લા વીસ દિવસથી ચાલી રહેલા ઉપવાસ આંદોલનમાં આજે અફડાતફડી મચી જવા પામી હતી.

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ખડવંથલીના દલિત સમાજના આંદોલનમાં એકબાજુ આંદોલનકારીઓએ પારણા કર્યા હતા. તો બીજી બાજુ વ્યકિતએ શરીર ઉપર કેરોસીન છાટ્યું હતું અને ત્રણ યુવાનોએ ફીનાઇલ પીધી હતી.

ખડવંથલી ગ્રામ પંચાયતના સરપંચ તથા સરકારી તંત્ર દ્વારા ઉપવાસ પર બેઠેલા લોકોની માંગણી સ્વિકારી લેવામાં આવી હોય જેને લઇને આગેવાનની હાજરીમાં પારણાં કરાવાઇ રહ્યા હતા.

એજ સમયે કેરોસીનની બોટલ લઈ છાવણીમાં ઘસી આવેલા વ્યક્તિએ શરીર પર કેરોસીન છાંટતા અફરાતફરી મચી જવા પામી હતી.

પોલીસે તુરંત આ વ્યક્તિને પકડી લઈ એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડ્યો હતો. હજુ તો આ ઘટના પુરી નથી થઈ ત્યાં બીજા ત્રણ વ્યક્તિઓએ ફીનાઇલ ગટગટાવતા અફડાતફડી મચી જવા પામી હતી.

આઝાદીના 75 વર્ષ બાદ પણ સ્મશાનની જમીનને લઈને દલિતો આંદોલન કરવા મજબૂર

પોલીસે તુરંત આ વ્યક્તિઓને પણ હોસ્પિટલ ખસેડ્યા હતા. અચાનક બનેલી ઘટનાને લઈને પારણા કરાવી રહેલા દલિત સમાજના આગેવાનો પણ અચંબીત બન્યા હતા.

લોકો એકઠા થઈ જતા અને દેકારો બોલી જતા પોલીસે મહામુસીબતે પરિસ્થિતિ પર કાબુ લઈ ઉપવાસ પર બેઠેલા વ્યક્તિઓની છાવણી હટાવી દીધી હતી.

આ દરમિયાન ગોંડલની સરકારી હોસ્પિટલે પણ દલિત સમાજના યુવાનો એકઠા થતા વાતાવરણ તંગ બન્યુ હતુ. વણસેલી પરિસ્થિતિને લઈ હોસ્પિટલ ખાતે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

પ્રાપ્ત વિગત મુજબ ખડવંથલી ગ્રામ પંચાયતના દ્વારા દલિત સમાજના સ્મશાનને તોડી પાડી ત્યાથી રસ્તો કઢાયો હોય જેના વિરોધમાં છેલ્લા વીસ દિવસથી ખડવંથલીના દલિત સમાજ દ્વારા ગોંડલ ખાતે આવેલ ડો. આંબેડકરની પ્રતિમા ઉપવાસ આંદોલન ચાલી રહ્યું હતુ.

આંદોલનને વીસ દિવસ વીતી ગયા હોવા છતા સરકારી તંત્ર દ્વારા નોંધ સુધ્ધા લેવાઇ ન હોય આખરે આંદોલકારીઓ દ્વારા આત્મવિલોપનની ચીમકી અપાતા તંત્ર હરકતમાં આવ્યુ હોય તેમ પીઆઇ. ડામોર, પીએસઆઇ કોઠીયા, તાલુકા પીએસઆઇ ઝાલા સહિત પોલીસ કાફલો ઉપવાસી છાવણી ખાતે ખડકાયો હતો.

એમ્બ્યુલન્સ ઉપરાંત ફાયર બ્રિગેડને પણ તહેનાત કરાયુ હતુ.

આ દરમિયાન બપોરના બાર કલાકે પ્રાંત અધીકારી દેવાહુતી મેડમ, મામલતદાર ચાવડા, નાયબ મામલતદાર મનિષ જોષી, તાલુકા વિકાસ અધિકારી ગઢવી તથા ખડવંથલીના સરપંચ ભાવેશભાઈ કથીરીયા સહિત છાવણી પર દોડી આવી આંદોલનકારીઓની માંગણી સ્વીકારી,

સ્મશાન માટે જમીન ફાળવવાની મૌખિક ખાત્રી આપતા દલિત સમાજના આગેવાનો ગીરધરભાઇ સોલંકી, બાબુભાઇ મકવાણા, સવજીભાઈ સાગઠીયા, હરીભાઇ રાઠોડ, પોલાભાઇ ખીમસુરીયા, હરીભાઇ મયાત્રા, ભીખાભાઇ બગડા, વિપુલભાઈ પરમાર સહિત સમાજના લોકો સહમત થયા હતા.

અને ઉપવાસ કરનારા હકાભાઇ પરમાર, જમનભાઇ પરમાર તથા ભરતભાઇ પરમારને પારણાં કરાવ્યા હતા. પરંતુ આ સમયે રામોદના મનસુખભાઈ રાઠોડ કેરોસીનની બોટલ સાથે ઘસી આવી શરીર પર કેરોસીન છાટ્યુ હતુ.

પરંતુ એલર્ટ રહેલા પીઆઇ. ડામોર સહિત ના પોલીસ સ્ટાફે મનસુખભાઈને પકડી લઈ ફાયર બ્રિગેડનો ફુવારો મારી હોસ્પિટલ ખસેડ્યા હતા.

ત્યાં જ છાવણીમાં અચાનક ભીખાભાઇ પરમાર, જીતેન્દ્રભાઇ પરમાર અને ભરતભાઇ પરમારે ફીનાઇલ ગટગટાવી લેતા હલ્લાબોલ મચી જવા પામી હતી.

પોલીસે તુરંત ત્રણેય વ્યક્તિઓને હોસ્પિટલ ખસેડી અફડાતફડીના માહોલને કાબુમાં લઈ આગેવાનોને સાથે રાખી છાવણી હટાવી લોકોનાં ટોળાને વિખેર્યુ હતુ.

સરકારીતંત્ર દ્વારા લેખિત બાહેંધરી ન અપાતા કરાયો હતો આત્મવિલોપનનો પ્રયાસ

બીજી બાજુ સિવિલ હોસ્પિટલ ખાતે દલિત સમાજના યુવાનો એકઠા થતા ડીવાયએસપી ઝાલા સહિત પોલીસ કાફલો દોડી આવ્યો હતો. આત્મવિલોપનનો પ્રયાસ કરનાર

હોસ્પિટલ રહેલા મનસુખભાઈ રાઠોડે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે સરકારી તંત્ર દ્વારા કોઈ લેખીત બાહેંધરી અપાઇ ના હોય અમારે આત્મવિલોપન કરવા મજબુર બનવુ પડ્યુ છે.

બીજી બાજુ ગોંડલ મેઘવાળ સેવા સમાજ ટ્રસ્ટના પ્રમુખ ગીરધરભાઇ સોલંકીએ જણાવ્યુ કે સરપંચ તથા પ્રાંત અધિકારી સહિત તંત્ર દ્વારા લેખીત બાહેંધરી અપાઇ છે.

તથા તાલુકા વિકાસ અધિકારી દ્વારા આઠ દિવસમાં સ્મશાનની જમીનના પેપર તૈયાર કરી આપવા ખાત્રી અપાઇ હોય આંદોલન પુર્ણ થયુ છે.

જે યુવાનોએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે તેમને આ જાણ ન હોય આ પગલુ ભરાયુ છે. હોસ્પીટલમાં દાખલ થયેલા ચારેય યુવાનોની તબીયત સારી હોવાનું જણાવ્યુ હતુ.

આમ અફડાતફડી ભરી ઘટનાઓ વચ્ચે છેલ્લા વીસ દિવસથી ચાલતુ આંદોલન આજે સમેટાયું હતુ.

ઉલ્લેખનીય છે કે જ્યારે આપણા દેશ ભારતને આઝાદી મળી તેના 75 ઉપર વર્ષ વીત્યા હોવા છતાં. અને દેશ જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. ત્યારે દેશની મોટી આબાદી એવા દલિત સમાજને આજના સમયમાં પણ અંતિમવિધિ કરવા માટેની જમીન માટે આંદોલન કરવું પડે તે આપણાં સૌ ભારતવાસીઓ માટે શરમજનક બાબત કહેવાય.

Loading

The post Rajkot: ગોંડલમાં દલિત સ્મશાનને લઈને એક વ્યકિતએ શરીર પર કેરોસીન છાટ્યું તો ત્રણ વ્યક્તિએ ગટગટાવી ફીનાઇલ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/rajkot-attempted-self-immolation-by-agitators-over-dalit-cremation-land-in-gondal-dr/7758/feed/ 0 7758
Rajkot: મકાન ભાડે આપતા પહેલા પોલીસને કરવી પડશે જાણ, નહિ તો ગણવા પડશે જેલના સળિયા http://revoltnewsindia.com/tenant-information-given-in-police-station-otherwise-punishment-will-done-dr/7730/ http://revoltnewsindia.com/tenant-information-given-in-police-station-otherwise-punishment-will-done-dr/7730/#respond Tue, 05 Sep 2023 04:46:54 +0000 http://revoltnewsindia.com/?p=7730 રહેણાંક તથા ઔદ્યોગિક વિસ્તારોમાં મકાન, એકમો, માલિકો માટે રાજકોટના પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે પ્રતિબંધાત્મક હુકમ ફરમાવેલ છે.

The post Rajkot: મકાન ભાડે આપતા પહેલા પોલીસને કરવી પડશે જાણ, નહિ તો ગણવા પડશે જેલના સળિયા appeared first on REVOLT NEWS INDIA.

]]>
symbolic image

મકાન ભાડે આપતા પહેલા ભાડુઆતની સંપૂર્ણ વિગતો પોલીસમાં આપવાના આદેશો

રિપોર્ટ: દિનેશ રાઠોડ, રાજકોટ તા. 05 સપ્ટેમ્બર – રાજકોટ શહેર પોલીસ કમિશ્નર વિસ્તારમાં ગુપ્ત આશરો મેળવી જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરતા અને બહારના રાજયોમાંથી અગર દેશ બહારથી આવતા. અને કોઈનું મકાન ભાડે રાખીને રહેતા અસામાજિક તત્વોની અનિચ્છનીય પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા માટે રહેણાંક તથા ઔદ્યોગિક વિસ્તારોમાં મકાન, એકમો, ઓફિસો, દુકાનો, ગોડાઉનો, કોલ્ડ સ્ટોરેજ ભાડે આપતા માલિકો માટે રાજકોટના પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે નીચે મુજબના પ્રતિબંધાત્મક હુકમ ફરમાવેલ છે.

કોઈ ઔદ્યોગિક એકમો/ મકાનો/ ઓફિસો/ દુકાનો/ ગોડાઉનો/ કોલ્ડ સ્ટોરેજના માલિક અગર તો આ માટે આવા એકમના મકાન માલિકે ખાસ સત્તા આપેલ વ્યક્તિઓ/ સંચાલકો જયારે ઔદ્યોગિક એકમો/મકાનો/ઓફિસો/દુકાનો/ગોડાઉનો/કોલ્ડ સ્ટોરેજ ભાડે આપે ત્યાારે સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ કર્યા સિવાય કોઈ વ્યક્તિને ભાડે આપી શકશે નહીં.

નોટરી પાસે કરાવવાના રહેશે જરૂરી દસ્તાવેજ

ભાડે આપનાર તથા રાખનાર વ્યક્તિએ નોટરી પાસે જરૂરી દસ્તાવેજ કરાર કરાવવાના રહેશે. ભાડે આપેલ મકાનની વિગત, ભાડુઆત અને જેઓએ ભાડુઆતની ઓળખાણ આપી હોય તે તમામની જરૂરી વિગતો નિયત કરેલા પત્રકમાં જરૂરી માહિતી ભરી સંબંધિત પોલીસ સ્ટેશનને મોકલી આપવાનું રહેશે. આ હુકમ સમગ્ર રાજકોટ પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં તા. 31/10/2023 સુધી અમલમાં રહેશે, જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

Loading

The post Rajkot: મકાન ભાડે આપતા પહેલા પોલીસને કરવી પડશે જાણ, નહિ તો ગણવા પડશે જેલના સળિયા appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/tenant-information-given-in-police-station-otherwise-punishment-will-done-dr/7730/feed/ 0 7730
Jetpur: સુર્યમુખી હનુમાનજી મંદિરનું નામ ‘ડોકટર હનુમાનજી’ કરવામાં આવતા સાધુ સંતો દ્વારા અપાયું આવેદન http://revoltnewsindia.com/jetpur-sadhu-sant-gave-memorandum-to-change-name-of-suryamukhi-hanumanji-temple-to-doctor-hanumanji-dr/7721/ http://revoltnewsindia.com/jetpur-sadhu-sant-gave-memorandum-to-change-name-of-suryamukhi-hanumanji-temple-to-doctor-hanumanji-dr/7721/#respond Mon, 04 Sep 2023 12:15:11 +0000 http://revoltnewsindia.com/?p=7721 જેતપુર શહેરમાં ભાદર નદી કાંઠે સુર્યમુખી હનુમાનજી મંદિરનું નામ ડોક્ટર હનુમાનજી કરી નાખ્યુ છે, જે હનુમાનજીનું ઘોર અપમાન છે.

The post Jetpur: સુર્યમુખી હનુમાનજી મંદિરનું નામ ‘ડોકટર હનુમાનજી’ કરવામાં આવતા સાધુ સંતો દ્વારા અપાયું આવેદન appeared first on REVOLT NEWS INDIA.

]]>

રિપોર્ટ: દિનેશ રાઠોડ, જેતપુર

તા. 04, સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે હનુમાનજીને સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીના દાસ બતાવતા ભીત ચીત્રોને લઈને હાલ જ્યારે હનુમાનજીના ભકતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુરના પણ આવી એક બાબત સામે આવી છે જેને લઇને આજે સાધુ સંતો દ્વારા જેતપુર મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

સાધુ સંતો દ્વારા પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં નીચે મુજબ માંગ કરવામાં આવી હતી.

જય સનાતન ધર્મ સાથ જણાવવાનું કે, સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે હનુમાનજીને સ્વામીના દાસ બતાવતા ભીત ચીત્રો સ્વામીને ફળાહાર કરાવતી મુર્તિઓ, માતા સીતાજી વિશે અભદ્ર ટીપ્પણીઓનો વિવાદ ચાલી રહ્યો છે.

અને આવા દુરાચારી સ્વામીઓ વારંવાર સનાતન ધર્મના આરાધ્ય દેવી – દેવતાઓના અપમાન કરી રહ્યા છે. તેની સામે કાનુની રાહે પગલા ભરવાની માંગ કરીએ છીએ.

દુનિયાની ઉત્પતી થઈ ત્યારથી સનાતન ધર્મ અસ્તિત્વમાં છે અને સ્વામીનારાયણ સંપ્રદાયને તો હજુ 250 વર્ષ જેટલો સમય થયો હોવા છતા.

આ સંપ્રદાયના સ્વામીઓ સનાતન ધર્મને નીચે બતાવવાના, આરાધ્ય દેવોને સ્વામી કરતા ઓછા તેજવાળા બતાવવાનો વારંવાર પ્રયાસો કરે છે. વાસ્તવમાં સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીઓ વિશે આપણે વારંવાર સાંભળીએ છીએ કે, સ્વામીઓ દ્વારા ગુરૂકુળમાં ભણતા બાળકો, શિષ્યો સાથે સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય, મહિલા સત્સંગીઓ સાથે વ્યભીચાર, સંપતીઓ માટે મારામારી, ખુનની કોશીષ, ખુન કરવા, કરાવવા જેવા ગુન્હાહીત કૃત્ય કરી ભગવા વસ્ત્રોને લજવ્યા.

સ્વામીનારાયણ સંપ્રદાયમાં સ્વામીઓ બની ગયા એટલે સનાતન ધર્મના દેવી દેવતાઓ, સાધુ સંતો, મહાપુરૂષો વિગેરે વિશે જેમ ફાવે તેમ વાણી વિલાસ કરવાનું લાયસન્સ મળી ગયું હોય તેવું બોલવા લાગે છે.

સાધુ સંતો દ્વારા આપવામાં આવેલ આવેદનપત્ર પેજ-01

તાજેતરમાં રાજકોટના કાલાવડ રોડ પર આવેલ બી.એ.પી.એસ. મંદિરના અપૂર્વ સ્વામીએ તો હદ વટાવી દીધી. માતા સીતાજી વનવાસ દરમીયાન ભગવાન શ્રી રામ યારે સોનેરી હરણ પાછળ જાય ત્યારે બચાવોની બુમોનો અવાજ સંભળાય છે ત્યારે માતા સીતાજી લક્ષ્મણજીને શ્રીરામની મદદ માટે જવાનું કહે છે અને તેમાં તુ 13 વર્ષથી અમારી ભેગો વનવાસમાં એટલા માટે ફરે છે કે તારી દાનત સારી નથી, હું મરી જઇશ પણ તારી સાથે નહી પરણું આટલું હિન કક્ષાનું બોલે છે.

આવા ઉચ્ચારણ બદલ અપૂર્વ સ્વામીએ ભુતપૂર્વ સ્વામી બનાવી દેવો જોઇએ. આમ સ્વામીનારાયણ સંપ્રદાય પોતે સનાતન ધર્મનો જ એક ભાગ માનીને સનાતન ધર્મમાં જ્ઞાતીઓના વાડા, અમીર, ગરીબ, ઉંચનીચના ભેદભાવો દુર કરવાને બદલે સંપતીઓ એકઠી કરવાના, ભગવાનના અપમાનો કરવાના જ કામો કરે છે.

જેતપુર શહેરમાં જુનાગઢ રોડ પર તાજેતરમાં 23 શ્રમીકોના મકાન પર હરીભક્તો પાસે દબાણની અરજીઓ કરાવી તે મકાનો પર બુલડોઝર ફેરવાવી, શ્રમીકોને ઘરવિહોણા કરી નાખ્યા. તેવી જ રીતે સારણ નદી પાસે રહેતા શ્રમીકોના મકાનો ડીમોલેશન કરાવવાની વાંરવાર ધમકીઓ આપે છે.

સાધુ સંતો દ્વારા આપવામાં આવેલ આવેદનપત્ર પેજ-02

અને વર્ષોથી શ્રીજી ગાદીસ્થાનમાં સેવા ચાકરી કરતા હરીભક્ત પરીવારની મહિલાને લેન્ડ ગ્રેબીંગ જેવા ગંભીર ગુનામાં એક ટ્રસ્ટીઓએ પોલીસ ફરીયાદ કરી સંડોવી દીધી. આવા બધા કૃત્યો કે જે ગુંડાઓ કરતા હોય તેવા કૃત્ય સ્વામીઓ સંપતી એકઠી કરવા માટે જ કરે છે.

હરીભક્તો પાસેથી ધર્મના નામે પૈસા એકઠા કરી ગરીબ હિન્દુઓના મકાનો પચાવી પાડવામાં વિધર્મીઓને પૈસાઓનું ધિરાણ કરે છે. વિધર્મીઓનું જાહેરમાં સન્માન કરી એક મંચ શેર કરી પ્રશંસા કરે છે. અને સનાતનીઓની નિંદા કરવા જેવા કૃત્યો કરે છે.

આવા કૃત્ય કરનાર સ્વામીઓનો અમો સનાતનીઓ સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને તેઓ પર કાયદાકીય પગલા ભરવાની માંગ કરીએ છીએ. પરંતુ કેટલાક બની બેઠેલા ઠગ ભગતો દ્વારા હનુમાનજી નામની આગળ પાછળ ગમે તેવા અશોભનીય શબ્દો જોડી દેતા હોય છે, જે શબ્દો વિશે મોટા ભાગના લોકો બેધ્યાન હોય છે.

જેમ કે સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે અનેક મહાનુભાવો, લાખો શ્રધ્ધાળુઓ દર્શન કરી ગયા પરંતુ હનુમાનજીને સ્વામીના દાસ ચીતરવામાં આવ્યા છે તે કોઇના ધ્યાનમાં નોહતું આવ્યું અને જયારે આ વિવાદ જાગ્યો ત્યારે બધાને ધ્યાને આવ્યું કે આતો સનાતન ધર્મનું અપમાન છે.

સાધુ સંતો દ્વારા આપવામાં આવેલ આવેદનપત્ર પેજ-03

આવી રીતે જેતપુર શહેરમાં ભાદર નદી કાંઠે શ્રી ભીમનાથ મહાદેવ મંદિર, બ્રહ્મલીન રમાનંદજી મહારાજના સમાધિ સ્થળ ખાતે તેજ પ્રતાપી સુર્યમુખી હનુમાનજીનું પૌરાણીક મંદિર આવેલ છે.

આ મંદિરનો જીણોદ્ધાર કરવાનો બની બેઠેલા મહંતે નિર્ણય લીધો અને સુર્યમુખી હનુમાનજી મંદિરનું નામ ડોક્ટર હનુમાન કરી નાખ્યુ છે, જે હનુમાનજીનું ઘોર અપમાન છે.

કાલે કોઇ કમ્પાઉન્ડર હનુમાનજી નામ રાખી લ્યે તો ? તો પણ ચુપ બેસવાનું. ના તેવું હવે નહી ચલાવી લેવાય અને પ્રાચીન શ્રી નરસીંહજી મંદિર ખાતે શ્રી રામ દરબાર આવેલ છે.

તેમાં હનુમાનજી ગોઠણભેર મુદ્રામાં ભગવાન શ્રી રામ, માતા જાનકી અને ભાઇ લક્ષ્મણ સમક્ષ દાસ સ્વરૂપમાં બેસેલ છે. પરંતુ તે રામ દરબારમાંથી હનુમાનજીની મૂર્તિને અલગ કરી લોકોના દાસ હોય તે રીતે જયાં ત્યાં જાહેર કાર્યક્રમોમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

જેમ કે હોટેલ બહાર લોકોનું નમીને સ્વાગત કરતો મહારાજ, ચાની હોટેલ પણ ચા પીતા માલધારીનું કટ આઉટ રાખવામાં આવતા હોય તેમા હનુમાનજી લોકોના દાસ હોય તે રીતે પ્રદર્શન માટે રાખવામાં આવે છે.

આવું કૃત્ય કરવુ પણ હનુમાનજીનું અપમાન છે. જેથી અમારી ધાર્મિક લાગણી દુભાઇ છે. અમારી લાગણી દુભાવનાર તેમજ હનુમાનજીનુ વારંવાર અપમાન દ્વારા સનાતન ધર્મનું અપમાન કરનાર સામે કાયદેસરના પગલાં ભરવામાં આવે તેમજ ડોક્ટર હનુમાનજી નામમાંથી ફરી મુળ નામ હતું તે સુર્યમુખી હનુમાનજી રાખવાંમાં આવે તેવી અમારી માંગ છે.

Loading

The post Jetpur: સુર્યમુખી હનુમાનજી મંદિરનું નામ ‘ડોકટર હનુમાનજી’ કરવામાં આવતા સાધુ સંતો દ્વારા અપાયું આવેદન appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-sadhu-sant-gave-memorandum-to-change-name-of-suryamukhi-hanumanji-temple-to-doctor-hanumanji-dr/7721/feed/ 0 7721
જામકંડોરણામાં ભારે વરસાદમાં અસરગ્રસ્ત 63 કુટુંબોને રૂ. 2,39,400 સહાઇ ચૂકવાઈ http://revoltnewsindia.com/relief-provided-to-families-affected-by-heavy-rains-in-jamkandorana/7666/ http://revoltnewsindia.com/relief-provided-to-families-affected-by-heavy-rains-in-jamkandorana/7666/#respond Wed, 12 Jul 2023 14:44:11 +0000 http://revoltnewsindia.com/?p=7666 જામકંડોરણા તાલુકામાં ભારે વરસાદની કુદરતી આપદાને કારણે સામાન્ય નાગરીકોને ઘરવખરીમાં ભારે નુકશાન થયું હતું. ત્યારે નાગરીકો નુકશાન થયા બાદ ફરીથી સારી રીતે જીવન નિર્વાહ કરી શકે તે માટે

The post જામકંડોરણામાં ભારે વરસાદમાં અસરગ્રસ્ત 63 કુટુંબોને રૂ. 2,39,400 સહાઇ ચૂકવાઈ appeared first on REVOLT NEWS INDIA.

]]>

તા. 12 જુલાઇ – 2023, જામકંડોરણા તાલુકામાં ભારે વરસાદની કુદરતી આપદાને કારણે સામાન્ય નાગરીકોને ઘરવખરીમાં ભારે નુકશાન થયું હતું. ત્યારે નાગરીકો નુકશાન થયા બાદ ફરીથી સારી રીતે જીવન નિર્વાહ કરી શકે તે માટે નિરાધાર અસરગ્રસ્ત 63 કુંટુંબોને રૂ. 2,39,400ની સહાય ચુકવવામાં આવી હતી. તેમ જામકંડોરણા તાલુકા વિકાસ અધિકારી ભાસ્કર ચૌહાણએ જણાવ્યું હતું.

તેમણે વધુમાં જણાવ્યું હતું કે, અસરગ્રસ્તોને તાલુકા પંચાયતના ભંડોળમાંથી કુંટુંબ દીઠ કપડાની રૂ.1800ની સહાય અને ઘરવખરી માટે રૂ. 2000ની સહાય પેટે નિરાધાર કુંટુંબને એમ રૂ. 3800 લેખે કુલ 2,39,400 રૂપિયાની સહાય બેંક એકાઉન્ટ મારફતે ચુકવવામાં આવી હતી.

આ તકે બેંકના યુવા ડિરેકટર લલિતભાઈ રાદડીયા, ગોવિંદભાઈ રાણપરીયા, ચંદુભા ચૌહાણ, ખીમજીભાઈ બગડા, બાવનજીભાઈ બગડા, સંજય બોદર, જેન્તીભાઈ ચુડાસમા અને હનીફભાઈ ઉપસ્થિત રહ્યા હતા.

Loading

The post જામકંડોરણામાં ભારે વરસાદમાં અસરગ્રસ્ત 63 કુટુંબોને રૂ. 2,39,400 સહાઇ ચૂકવાઈ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/relief-provided-to-families-affected-by-heavy-rains-in-jamkandorana/7666/feed/ 0 7666
Rajkot: જોડીયા બાળકોને જન્મ અપાવી ત્રણ માનવજિંદગીઓ માટે જીવનદાતા બની “108 સેવા” http://revoltnewsindia.com/rajkot-admirable-performance-by-108-ambulance-team-rni-dr/7636/ http://revoltnewsindia.com/rajkot-admirable-performance-by-108-ambulance-team-rni-dr/7636/#respond Sat, 20 May 2023 00:30:00 +0000 https://revoltnewsindia.com/?p=7636 108ની ટીમે સમયસૂચકતા વાપરી એમ્બ્યુલન્સની અંદર જ પ્રસુતાની જટિલ પ્રસુતિ પણ નોર્મલ અને સફળ કરાવતાં બે ફુલ જેવા કોમળ જોડીયા બાળકોને જન્મ અપાવી ત્રણ માનવજિંદગીઓ માટે જીવનદાતા બની પ્રશંસનીય કાર્ય કરતા પરિવારજનોએ 108 સેવા અને તેના આરોગ્યકર્મીઓને બિરદાવી દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.

The post Rajkot: જોડીયા બાળકોને જન્મ અપાવી ત્રણ માનવજિંદગીઓ માટે જીવનદાતા બની “108 સેવા” appeared first on REVOLT NEWS INDIA.

]]>
File photo

રાજકોટ 108 ટીમની પ્રશંસનીય કામગીરી

Rajkot: રાજકોટના રાજસમઢિયાળા ગામની પ્રસુતા માટે “108 એમ્બ્યુલન્સ” સેવા જોડિયા બાળકો સહિત ત્રણ જિંદગીઓની જીવનદાતા બની હતી. 108ના જિલ્લા સુપરવાઈઝર દર્શિત પટેલએ જણાવ્યું હતું કે, રાજકોટના રાજસમઢિયાળા ગામે ખેત મજુરી અર્થે આવેલા 26 વર્ષીય પ્રસુતાને પ્રસવ પીડા ઉપડતા આશાવર્કર બહેને 108ને કોલ કર્યો હતો. રાજકોટ 108ના સરધાર લોકેશન ફરજ ઉપરના ઈ.એમટી. કાળુભાઈ ગોહિલ અને પાયલોટ મનસુખભાઈ મેણીયા સત્વરે ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

વધુ વિગતો આપતા 108ના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર અને ઈ.એમ.ઈ. યોગેશ જાનીએ જણાવ્યું હતું કે, રાજ સમઢિયાળા વાડી વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય પ્રસુતાને હોસ્પિટલ લાવી રહ્યા હતા.

ત્યારે અસહ્ય દુ:ખાવો ઉપડતાં હોસ્પિટલ પહોંચતા પહેલાં જ પ્રસુતિ કરાવવી જરૂરી જણાતા. ગામની બહાર જ રસ્તાની સાઈડમાં 108 ઉભી રાખી સ્થળ ઉપર જ પ્રસુતિ કરાવવાની ફરજ પડી હતી.

એપ્રિલ માસમાં રાજકોટનાં 48 સહીત ગુજરાતનાં 784 બાળકોની એમ્બ્યુલન્સમાં સફળ પ્રસુતિ

એમ્બ્યુલન્સમાં હાજર ઈ.એમટી. કાળુભાઈ ગોહિલને પ્રસુતાનાં રીપોર્ટ તપાસતા જણાયું કે તેઓને જોડિયા બાળકો છે. પ્રસુતિ વેળાએ માથાનાં બદલે હાથ દેખાતા પ્રસુતિ કરાવવી મુશ્કેલ થઈ જતાં

ઈ.એમટી. કાળુભાઈએ સમયસૂચકતા વાપરી 108 હેડ ઓફીસનાં ઈ.આર.સી.પી. ડો. જય અને ડો.મયુરનું ટેલીફોનીક માર્ગદર્શન મેળવી પ્રસુતાની નોર્મલ અને સફળ પ્રસુતિ કરાવી બે જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો.

નવજાત શિશુઓને શ્વાસ લેવામાં થોડી તકલીફ હોવાથી કૃત્રિમ શ્વાસ અને ઓક્સિજન આપી જરૂરી સારવાર આપવામાં આવી હતી.

વધુ સારવાર અર્થે નવજાત શિશુઓ અને માતાને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ માતા અને શિશુઓ સંપુર્ણપણે સ્વસ્થ છે.

108ની ટીમે સમયસૂચકતા વાપરી એમ્બ્યુલન્સની અંદર જ પ્રસુતાની જટિલ પ્રસુતિ પણ નોર્મલ અને સફળ કરાવતાં બે ફુલ જેવા કોમળ જોડીયા બાળકોને

જન્મ અપાવી ત્રણ માનવજિંદગીઓ માટે જીવનદાતા બની પ્રશંસનીય કાર્ય કરતા પરિવારજનોએ 108 સેવા અને તેના આરોગ્યકર્મીઓને બિરદાવી દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, એમ્બ્યુલન્સમાં હાજર ઈ.એમ. ટી.ની મદદથી એપ્રિલ માસમાં રાજકોટનાં 48 સહીત ગુજરાતનાં 784 બાળકોની એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતિ કરાવવામાં આવી હતી.

Loading

The post Rajkot: જોડીયા બાળકોને જન્મ અપાવી ત્રણ માનવજિંદગીઓ માટે જીવનદાતા બની “108 સેવા” appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/rajkot-admirable-performance-by-108-ambulance-team-rni-dr/7636/feed/ 0 7636
Rajkot: ભાદર નદી ખાતે RTOનો દરોડો, ઓવરલોડ અને ટેક્સ ભર્યા વગરના વાહનો ઝડપી પડાયા http://revoltnewsindia.com/rajkot-rto-raid-bhadar-river-overloaded-without-tax-vehicles-seized-rni-dr/7628/ http://revoltnewsindia.com/rajkot-rto-raid-bhadar-river-overloaded-without-tax-vehicles-seized-rni-dr/7628/#respond Fri, 19 May 2023 13:54:04 +0000 https://revoltnewsindia.com/?p=7628 રાજકોટ તા. 19 મે - આર.ટી.ઓ. રાજકોટ દ્વારા અધિકારી કે.એમ.ખપેડના માર્ગદર્શન હેઠળ શહેર અને જિલ્લામાં વાહન ચેકીંગ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેમાં ઓવરલોડ, રોન્ગ સાઈડ ડ્રાઇવિંગ, લાઇસન્સ, આર.ટી.ઓ. પાસિંગ, ટેક્સ સહિતની બાબતો અંગે ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

The post Rajkot: ભાદર નદી ખાતે RTOનો દરોડો, ઓવરલોડ અને ટેક્સ ભર્યા વગરના વાહનો ઝડપી પડાયા appeared first on REVOLT NEWS INDIA.

]]>

Rajkot: રાજકોટ તા. 19 મે – આર.ટી.ઓ. રાજકોટ દ્વારા અધિકારી કે.એમ.ખપેડના માર્ગદર્શન હેઠળ શહેર અને જિલ્લામાં વાહન ચેકીંગ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેમાં ઓવરલોડ, રોન્ગ સાઈડ ડ્રાઇવિંગ, લાઇસન્સ, આર.ટી.ઓ. પાસિંગ, ટેક્સ સહિતની બાબતો અંગે ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

આજ રોજ વહેલી સવારે આર.ટી.ઓ. ટીમ દ્વારા ભલગામડા પાસે ભાદર નદી ખાતે રેડ પાડવામાં આવી હતી. આર.ટી.ઓ. અધિકારીના જણાવ્યા મુજબ આ રેડમાં કુલ 19 વાહનોની તલાશ કરવામાં આવી હતી. જેમાં 03 ઓવરલોડેડ વાહનો પકડવામાં આવ્યા હતાં.

જયારે આર.ટી.ઓ. ટેક્સ ન ભરેલા 04 વાહનો મળી આવેલ છે. રેડ દરમિયાન કેટલાક વાહનોના ડ્રાઈવર નાસી જતા સ્થળ પર વાહનો બિનવારસી હાલતમાં મળેલ હતાં.

આ વાહનોના માલિકો અંગે વિગતો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું આર.ટી.ઓ. અધિકારીએ જણાવ્યું હતું.

Loading

The post Rajkot: ભાદર નદી ખાતે RTOનો દરોડો, ઓવરલોડ અને ટેક્સ ભર્યા વગરના વાહનો ઝડપી પડાયા appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/rajkot-rto-raid-bhadar-river-overloaded-without-tax-vehicles-seized-rni-dr/7628/feed/ 0 7628