VirpurNews Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/virpurnews/ News for India Wed, 19 Jan 2022 18:18:32 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png VirpurNews Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/virpurnews/ 32 32 174330959 વીરપુર (જલારામ)માં સરપંચ અને ઉપસરપંચનો ચાર્જ સંભાળતા પતિ પત્ની http://revoltnewsindia.com/husband-and-wife-in-charge-of-sarpanch-and-sub-sarpanch-in-virpur-jalaram/5590/ http://revoltnewsindia.com/husband-and-wife-in-charge-of-sarpanch-and-sub-sarpanch-in-virpur-jalaram/5590/#respond Wed, 19 Jan 2022 18:18:23 +0000 http://revoltnewsindia.com/?p=5590 જેતપુર (Jetpur) સૌરાષ્ટ્રનું જગવિખ્યાત યાત્રાધામ વીરપુર (જલારામ) Virpur Jalaram ગ્રામ પંચાયત કે જે જેતપુર તાલુકાની સૌથી મોટી ગ્રામ પંચાયત માનવામાં આવે છે. ત્યારે વીરપુર ગામમાં કુલ 9848 મતદારો છે. વીરપુર…

The post વીરપુર (જલારામ)માં સરપંચ અને ઉપસરપંચનો ચાર્જ સંભાળતા પતિ પત્ની appeared first on REVOLT NEWS INDIA.

]]>

જેતપુર (Jetpur) સૌરાષ્ટ્રનું જગવિખ્યાત યાત્રાધામ વીરપુર (જલારામ) Virpur Jalaram ગ્રામ પંચાયત કે જે જેતપુર તાલુકાની સૌથી મોટી ગ્રામ પંચાયત માનવામાં આવે છે. ત્યારે વીરપુર ગામમાં કુલ 9848 મતદારો છે. વીરપુર ગ્રામ પંચાયતની (Gram Panchayat Election) ચૂંટણી ગત 19 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. જેમાં 6574 મતદારોએ મતદાન કર્યું હતું. તેમજ વીરપુર ગ્રામપંચાયતની ચૂંટણીમાં ચાર પાંખીઓ જંગ જામ્યો હતો. જેમાં વીરપુર ગામના કુલ 14 વોર્ડ માંથી 56 જેટલા ઉમેદવારોએ સભ્યપદ માટે તેમજ સરપંચ પદ માટે 4 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.

જેમાં 21 ડિસેમ્બરના રોજ વીરપુર ગ્રામપંચાયતના સરપંચ તરીકે ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના રમેશભાઈ સરવૈયા 713 મતે વિજેતા જાહેર થયા હતા. આ સાથે જ તેમના પત્ની મંજુલાબેન સરવૈયા પણ સભ્યપદેથી 145 મતે વિજેતા જાહેર થયા હતા. જેમને લઈને આજે જેતપુર તાલુકા મામલતદાર બી.એમ.ખાનપરાની ઉપસ્થિતમાં વિધિવત રીતે વીરપુર ગ્રામપંચાયતના સરપંચપદ તરીકેનો ચાર્જ રમેશભાઈ સરવૈયાએ સંભાળ્યો હતો. જ્યારે તેમના પત્ની મંજુલાબેન સરવૈયા બિનહરીફ ઉપસરપંચ તરીકે વિજેતા જાહેર થયા હતા.

ત્યારે આઝાદી પછી જ્યારથી વીરપુર ગ્રામપંચાયતની સ્થાપના કરવામાં આવી ત્યારથી લઈને અત્યાર સુધીમાં પ્રથમવાર પતિ સરપંચ અને પત્ની ઉપસરપંચ એમ બંને પતિ પત્નીએ રેકોર્ડ કર્યો હતો. વીરપુર એક જગવિખ્યાત યાત્રાધામ હોય તેમજ વીરપુર ગ્રામપંચાયત જેતપુર તાલુકાની સૌથી મોટી ગ્રામપંચાયત હોય ત્યારે પતિ સરપંચ અને પત્ની ઉપસરપંચ બનતા વીરપુર ગામના રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓએ શુભેચ્છાઓ પાઠવી હતી.

જ્યારે નવ નિયુક્ત સરપંચ રમેશભાઈ સરવૈયાએ જણાવ્યું હતું કે પતિ પત્ની બંને સાથે મળીને વીરપુર ગામની જનતાએ જે જવાબદારી સોંપી છે, ત્યારે પૂજ્ય જલારામ બાપાના યાત્રાધામ વીરપુરના વિકાસના કર્યોને હંમેશા આગળ વધારતા રહીશું.

Loading

The post વીરપુર (જલારામ)માં સરપંચ અને ઉપસરપંચનો ચાર્જ સંભાળતા પતિ પત્ની appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/husband-and-wife-in-charge-of-sarpanch-and-sub-sarpanch-in-virpur-jalaram/5590/feed/ 0 5590
વિરપુરમાં મતગણતરી વખતે બેલેટમાંથી નીકળી ચીઠ્ઠી, કરી સ્કૂલ બિલ્ડીંગ સરખું કરવાની કરી માંગ http://revoltnewsindia.com/demand-for-leveling-of-school-building/5082/ http://revoltnewsindia.com/demand-for-leveling-of-school-building/5082/#respond Tue, 21 Dec 2021 16:11:52 +0000 https://revoltnewsindia.com/?p=5082 બેલેટ સાથે નિકળેલી ચીઠ્ઠીમાં જાગૃત મતદારે આશંકા વ્યક્ત કરી છે કે જો શાળાની ઇમારતનું સમારકામ કરવામાં નહિ આવે તો મોટી જાનહાની થઈ શકે છે. ચિઠ્ઠીમાં આગળ જણાવેલ હતું કે અગાઉ…

The post વિરપુરમાં મતગણતરી વખતે બેલેટમાંથી નીકળી ચીઠ્ઠી, કરી સ્કૂલ બિલ્ડીંગ સરખું કરવાની કરી માંગ appeared first on REVOLT NEWS INDIA.

]]>

બેલેટ સાથે નિકળેલી ચીઠ્ઠીમાં જાગૃત મતદારે આશંકા વ્યક્ત કરી છે કે જો શાળાની ઇમારતનું સમારકામ કરવામાં નહિ આવે તો મોટી જાનહાની થઈ શકે છે. ચિઠ્ઠીમાં આગળ જણાવેલ હતું કે અગાઉ પણ શિક્ષકો અને વિદ્યાર્થીઓને પણ પોપડાઓને કારણે ઇજાઓ પહોંચી હતી.

મતદાર દ્વારા બેલેટ સાથે જોડવામાં આવેલી ચિઠ્ઠી

સાથે તેમાં જણાવેલ હતું કે ગ્રામ પંચાયતથી લઈને ગાંધીનગર સુધી પણ અગાઉ રજુઆત કરેલ હોવા છતાં કોઈ પરિણામ ન આવતા બેલેટ પેપર સાથે ચિઠ્ઠી લખવી પડી હતી. તેમજ નવા સરપંચ અને સભ્યોને શાળાની નવી ઇમારત બનાવી આપવા અપીલ કરી હતી.

Loading

The post વિરપુરમાં મતગણતરી વખતે બેલેટમાંથી નીકળી ચીઠ્ઠી, કરી સ્કૂલ બિલ્ડીંગ સરખું કરવાની કરી માંગ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/demand-for-leveling-of-school-building/5082/feed/ 0 5082
Virpur: જલારામબાપાના મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર આજથી દર્શનાર્થીઓ માટે મુકાયો ખુલ્લો http://revoltnewsindia.com/the-main-entrance-of-jalarambapa-temple-is-open-for-visitors-from-today/1881/ http://revoltnewsindia.com/the-main-entrance-of-jalarambapa-temple-is-open-for-visitors-from-today/1881/#respond Fri, 23 Jul 2021 08:57:13 +0000 http://revoltnewsindia.com/virpur-%e0%aa%9c%e0%aa%b2%e0%aa%be%e0%aa%b0%e0%aa%be%e0%aa%ae%e0%aa%ac%e0%aa%be%e0%aa%aa%e0%aa%be%e0%aa%a8%e0%ab%80-%e0%aa%ae%e0%aa%82%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b0%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%ae%e0%ab%81/ કોરોના મહામારી (Corona epidemic) ને લઈને 21/03/2020 થી સમગ્ર ગુજરાત (Gujarat) ના (Religious)ધાર્મિક (Places)સ્થાનો બંધ કરવામાં આવ્યા હતા. ત્યારે (Saurashtra) સૌરાષ્ટ્રનું જગવિખ્યાત પવિત્ર યાત્રાધામ (Virpur-Jalaram) વીરપુર પૂજ્ય જલારામબાપાનું મંદિર (Temple)…

The post Virpur: જલારામબાપાના મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર આજથી દર્શનાર્થીઓ માટે મુકાયો ખુલ્લો appeared first on REVOLT NEWS INDIA.

]]>

કોરોના મહામારી (Corona epidemic) ને લઈને 21/03/2020 થી સમગ્ર ગુજરાત (Gujarat) ના (Religious)ધાર્મિક (Places)સ્થાનો બંધ કરવામાં આવ્યા હતા. ત્યારે (Saurashtra) સૌરાષ્ટ્રનું જગવિખ્યાત પવિત્ર યાત્રાધામ (Virpur-Jalaram) વીરપુર પૂજ્ય જલારામબાપાનું મંદિર (Temple) પણ દર્શનાર્થીઓ માટે 21/03/2020 થી બંધ કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ કોરોનાની પહેલી લહેર પછી બીજી લહેરમાં પણ અનેકવાર જલારામબાપાની જગ્યા બંધ કરવામાં આવી હતી બાદ કોરોના વાયરસ ઓછો થતા શ્રદ્ધાળુઓ માટે પૂજ્ય જલારામબાપાની જગ્યા દર્શન માટે ખોલવામાં આવી હતી.

દર્શનાર્થીઓ માટે મુખ્ય દરવાજો બંધ હતો

મંદિર જગ્યાના સાઈડના દરવાજેથી દર્શન માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. જે આજે ગુરુપૂર્ણિમાના પવિત્ર પાવન દિવસે આશરે સવા વર્ષ બાદ પરમ પૂજ્ય જલારામબાપાની જગ્યાનો મુખ્ય દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલો મુકવામાં આવ્યો હતો,પૂજ્ય જલારામબાપાની જગ્યાનો મુખ્ય દ્વાર ખુલો મુકાતા દેશ-વિદેશમાંથી આવતા પૂજ્ય જલારામબાપાના ભક્તો પૂજ્ય બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

જુઓ વિડિઓ:

Loading

The post Virpur: જલારામબાપાના મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર આજથી દર્શનાર્થીઓ માટે મુકાયો ખુલ્લો appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/the-main-entrance-of-jalarambapa-temple-is-open-for-visitors-from-today/1881/feed/ 0 1881