Jetpur News: ST બસની અનિયમિતતાને લઈને આંદોલન કરવાની ચીમકી સાથે ABVP દ્વારા આપવામાં આવ્યું આવેદન

SHARE THE NEWS

રિપોર્ટ: દિનેશ રાઠોડ, જેતપુર (રાજકોટ): રાજ્ય સરકારની GSRTC બસની અનિયમિતતાને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે ABVP દ્વારા આજે જેતપુર એસ.ટી. બસ સ્ટેશને વિદ્યાર્થીઓ સાથે ત્યાં ફરજ પરના અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

આ અગાઉ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે તેમણે આપેલા આવેદનમાં જણાવ્યા મુજબ 16 જૂન 2023ના રોજ એસ.ટી. બસની અનિયમિતતાને લીધે મૌખિક રજૂઆત કરેલી હતી.

જો કે જેતપુરના એસ.ટી. તંત્રે વિધાર્થીઓને પડતી હાલાકી દૂર કરવાને બદલે આંખ આડા કાન કર્યા હતા. જેને લઇને આજે ABVP દ્વારા વિધાર્થીઓને સાથે રાખીને જેતપુર એસ.ટી. બસ સ્ટેશન ખાતે ધામા નાખ્યા હતા.

તેમજ જેતપુર ડેપોના જેતપુર-નવાગામ-જેતપુરના અનિયમિત બસ રૂટને નિયમિત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

તેમજ જો આ માંગ ત્રણ દિવસમાં પૂરી કરવામાં નહિ આવે તો આંદોલન કરવાની ચીમકી પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *