New Delhi: કૃષિમંત્રી રાઘવજી પટેલે દિલ્હીમાં PM Modi સાથે મુલાકાત કરી કૃષિ સંબધિત ચર્ચા કરી

SHARE THE NEWS

Jamnagar: ગ્રામ્યના ધારાસભ્ય (Rural MLA) અને રાજ્યના કૃષિમંત્રી (Agriculture Minister) રાઘવજી પટેલ (Raghavaji Patel) દિલ્હી ખાતે વડાપ્રધાન (Prime Minister) નરેન્દ્ર મોદી (Narendra Modi)ની મુલાકાત લીધી હતી.

જ્યારે કૃષિ મંત્રી રાઘવજી પટેલે વડાપ્રધાન સમક્ષ રાજ્ય સરકારે હાથ ધરેલી કામગીરી અને આગામી આયોજન અંગે વિગતવાર માહિતી આપી હતી. તેમજ રાજ્યમાં પરિસ્થિતિનો ચિતાર આપ્યો હતો. દિલ્હી ખાતે વડાપ્રધાન નરેન્દ્ર મોદી અને રાજ્યના કૃષિમંત્રી રાઘવજી પટેલ 15 મિનિટથી વધુ સમયની બંનેની મુલાકાત થઈ હતી. જ્યારે વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ ગુજરાતની રાજકીય પરિસ્થિતિ તથા રાજ્યની ખેડૂતોની પરિસ્થિતિની વાસ્તવિકતા અંગે વિસ્તૃત માહિતી કૃષિમંત્રી રાઘવજી પટેલ સાથેની ચર્ચા કરી હતી અને તેમજ રાઘવજી પટેલ ને તેની કામગીરીમાં સફળતા માટે શુભેચ્છા આપી હતી.

રિપોર્ટ: વિરલ સોની, જામનગર

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *