JunagadhNews Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/junagadhnews/ News for India Mon, 04 Mar 2024 13:27:50 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png JunagadhNews Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/junagadhnews/ 32 32 174330959 Junagadh: સફાઈ કામદાર અને તેઓના આશ્રિતોને સીધા ધિરાણની વિવિધ યોજનાઓના લાભ મેળવવાની તક http://revoltnewsindia.com/junagadh-opportunity-to-avail-various-direct-credit-schemes-to-the-scavengers-and-their-dependents/7921/ http://revoltnewsindia.com/junagadh-opportunity-to-avail-various-direct-credit-schemes-to-the-scavengers-and-their-dependents/7921/#respond Mon, 04 Mar 2024 13:24:16 +0000 https://revoltnewsindia.com/?p=7921 Junagadh: જૂનાગઢ તા. 04 માર્ચ, 2024 (રવિવાર) ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા રાજ્યના સફાઇ કામદારોને અને તેઓના આશ્રિતો માટે નિગમની સીધા ધિરાણની વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવે છે.…

The post Junagadh: સફાઈ કામદાર અને તેઓના આશ્રિતોને સીધા ધિરાણની વિવિધ યોજનાઓના લાભ મેળવવાની તક appeared first on REVOLT NEWS INDIA.

]]>
જૂનાગઢ તા. 04 માર્ચ, 2024 (રવિવાર) ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા રાજ્યના સફાઇ કામદારોને અને તેઓના આશ્રિતો માટે નિગમની સીધા

Junagadh: જૂનાગઢ તા. 04 માર્ચ, 2024 (રવિવાર) ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ ગાંધીનગર દ્વારા રાજ્યના સફાઇ કામદારોને અને તેઓના આશ્રિતો માટે નિગમની સીધા ધિરાણની વિવિધ યોજનાઓનો લાભ આપવામાં આવે છે.

મહિલા સમૃધ્ધિ યોજના અને માઇક્રો ક્રેડીટ ફાઇનાન્સ યોજના હેઠળ રુ.01 લાખની લોન ઉપરાંત વ્યક્તિગત લોન યોજના હેઠળ રુ.02 લાખની.

અને સીધા ધિરાણ (ધંધા-વ્યવસાય- વ્હીકલ) યોજના હેઠળ રુ. 15 લાખની લોન સ્વરોજગારી પૂરી પાડવાના હેતુથી સફાઇ કામદાર કે તેના આશ્રિતો પાસેથી ઓનલાઇન અરજી મંગાવવામા આવે છે.

આ યોજનાનો લાભ મૂળ ગુજરાત રાજ્યના વતની હોય તેવા સફાઇ કામદારો અને તેમના આશ્રિતોને (ઉંમર મર્યાદા18 વર્ષથી ઓછી નહિ અને 50 વર્ષથી વધુ ન હોવી જોઇએ.

તેમજ સફાઇ કામદાર કે સફાઇ કામદારના આશ્રિત હોવા અંગેનું પ્રમાણપત્ર રજૂ કરવાનું રહેશે.

આ યોજના હેઠળ વધુમાં વધુ લાભ લેવા માટે સફાઇ કામદાર કે તેમના આશ્રિતોએ તા.23-03-2024 સુધી નિગમની વેબસાઈટ https://esamajkalyan.gujarat.gov.in પોર્ટલ પર ઓનલાઇન અરજી કરવાની રહેશે.

તેમજ વાહન માટે અરજી કરનાર જાહેરાતની તારીખે વાહન ચલાવવાનું લાઇસન્સ ધરાવતા હોવા જોઈએ. જૂનાગઢ જિલ્લાના તમામ સફાઇ કામદારો અને તેઓના આશ્રિતોએ આ અંગેની નોંધ લેવી.

આ અંગેની વધુ વિગતો મેળવવા માટે આ કચેરીનો સંપર્ક કરવો, તેમ જિલ્લા મેનેજર ગુજરાત સફાઇ કામદાર વિકાસ નિગમ અને નાયબ નિયામક અનુસૂચિત જાતિ કલ્યાણ જૂનાગઢની કચેરીએ એક યાદીમાં જણાવ્યું છે.

Loading

The post Junagadh: સફાઈ કામદાર અને તેઓના આશ્રિતોને સીધા ધિરાણની વિવિધ યોજનાઓના લાભ મેળવવાની તક appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/junagadh-opportunity-to-avail-various-direct-credit-schemes-to-the-scavengers-and-their-dependents/7921/feed/ 0 7921
Junagadh: જૂનાગઢમાં ખનીજ માફિયાઓ દ્વારા દલિત યુવાન પર કરાયો હીંચકારો હુમલો http://revoltnewsindia.com/attack-on-dalit-youth-by-mineral-mafia-in-junagadh/7836/ http://revoltnewsindia.com/attack-on-dalit-youth-by-mineral-mafia-in-junagadh/7836/#respond Tue, 19 Dec 2023 10:10:32 +0000 https://revoltnewsindia.com/?p=7836 Junagadh: મોરબી દલિત અત્યાચારની આગ હજુ શાંત નથી થઈ ત્યાં જૂનાગઢમાં દલિત અત્યાચારની ઘટના (Attack on Dalit youth) સામે આવી છે. જૂનાગઢ (Junagadh)માં ખનીજ માફિયાઓ (Mineral mafia) દ્વારા ટ્રક ચાલક…

The post Junagadh: જૂનાગઢમાં ખનીજ માફિયાઓ દ્વારા દલિત યુવાન પર કરાયો હીંચકારો હુમલો appeared first on REVOLT NEWS INDIA.

]]>

Junagadh: મોરબી દલિત અત્યાચારની આગ હજુ શાંત નથી થઈ ત્યાં જૂનાગઢમાં દલિત અત્યાચારની ઘટના (Attack on Dalit youth) સામે આવી છે. જૂનાગઢ (Junagadh)માં ખનીજ માફિયાઓ (Mineral mafia) દ્વારા ટ્રક ચાલક દલિત યુવાન પર ફિલ્મી ઢબે હુમલો કરવાની ઘટના સામે આવી છે. ખનીજ માફિયાઓ દ્વારા દલિત યુવાનને નિર્દયતાથી માર મારવામાં આવતા હાલ આ દલિત યુવાન હોસ્પીટલમાં સારવાર હેઠળ છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

ફોટો: અત્યાચારનો ભોગ બનનાર દલિત યુવાન બિપિન

શું છે પૂરો મામલો

મૂળ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગણોદ ગામના વતની અને હાલ વંથલી તાલુકાના કણજા ગામે રેતીના ફેરા કરવા માટે ટ્રક ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા બિપિન જયસુખભાઈ પરમાર (32) ઉપર ખનીજ માફિયાઓ દ્વારા ફિલ્મી ઢબે હુમલો કરવાની ઘટના સામે આવી છે. ભોગ બનનાર દલિત યુવાન બિપિન જયસુખભાઈ પરમાર વંથલી તાલુકાના કણજા ગામે પ્રદીપ મિયાત્રાના રેતી ચારવાના ચારણે આવેલા મકાનમાં રહે છે.

આ પણ વાંચો: ગોંડલમાં દલિત સ્મશાનને લઈને એક વ્યકિતએ શરીર પર કેરોસીન છાટ્યું તો ત્રણ વ્યક્તિએ ગટગટાવી ફીનાઇલ

ભોગ બનનાર દલિત યુવાન બિપિન કોડીનાર બાજુ રેતીનો ફેરો કરવા ગયેલ હતો. ત્યારે એક ગ્રાહકે તેને રેતીના ફેરાનો ભાવ પૂછ્યો હતો. આ ગ્રાહક કેશોદ તાલુકાના મંગલપુર ગામના સતિશ મરઢ અને અર્જુન પાસેથી પણ રેતી મંગાવતા હોય જેથી બિપિન પાસેથી રેતી લે છે તેવું તેઓને જણાઈ આવ્યું હતું.

ફોટો: અત્યાચારનો ભોગ બનનાર દલિત યુવાન બિપિન

જેને લઈને ખનીજ માફિયાઓ દ્વારા અત્યાચારનો ભોગ બનનાર દલિત યુવાન બિપિનને ફોન કરીને તું કેમ રેતીના ફેરાના ભાવ ઓછા કરીને ભાવ બગાડે છે. તેમ કહીને ગાળા-ગાળી કરી હતી.

બાદમાં આ ખનીજ માફિયાઓ દ્વારા કણજા ગામ પાસે એસયુવી ગાડીમાં આવીને આ અત્યાચારનો ભોગ બનનાર યુવાન બિપિનને આંતરીને બેફામ રીતે લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો હતો.

જેના કારણે દલિત યુવાન બિપિનના પગમાં ફ્રેકચર જેવી ગંભીર ઇજાઓ પહોચી હતી. તેમજ આ ગુંડાઓ દ્વારા દલિત યુવાન બિપિનને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

આ પણ વાંચો: એટ્રોસિટી એક્ટ મુજબ દાખલ થયેલા કેસમાં ફરિયાદી માટે સમાધાન કરવું કેટલું જોખમી છે!

તેમજ આ યુવાનને જાતિ પ્રત્યે પણ હડધૂત કર્યો હોવાનું સામે આવ્યું છે. ઇજાગ્રસ્ત બિપિનને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

વંથલી પોલીસે દલિત યુવાન બિપિનની ફરિયાદ લઈને પાંચેય ગુંડાઓ વિરુદ્ધ જુદા જુદા કાયદાઓ મુજબ ગુનો દાખલ કરીને ફરિયાદ દાખલ કરી છે. આ કેસની તપાસ ડીવાયએસપી ડી વી કોડિયાતર ચલાવી રહ્યા છે.

ફોટો: અત્યાચારનો ભોગ બનનાર દલિત યુવાન બિપિન

આ પણ વાંચો: દલિત વરઘોડાના પોલીસ બંદોબસ્તનો ખર્ચ સામૂહિક દંડ તરીકે વસૂલ કરી શકાય?

FIR મુજબ આરોપીઓના નામ

  1. સતિશ મરંઢ આહીર
  2. અર્જુન મરંઢ આહીર
  3. તથા તેની સાથે સ્કોર્પિયોમાં આવેલા ત્રણ અજાણ્યા ઇસમો.

કઈ-કઈ કલમો મુજબ ગુનો થયો દાખલ

જૂનાગઢમાં ખનીજ માફિયાઓ દ્વારા ટ્રક ચાલક દલિત યુવાન પર ફિલ્મી ઢબે હુમલો કરવાની ઘટના સામે આવી છે, જેમાં આઇપીસી 326, 325, 249(b),506(2),143,147,148,149,120(b). તેમજ અનુસુચિત જાતિ/અનુસુચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ મુજબ સેક્શન 3(2)(v),3(1)(r),3(1)(s) અને જીપી એક્ટ મુજબ સેક્શન 135 મુજબ વંથલી પોલીસ સ્ટેશનમાં તા. 14/12/2023ના રોજ FIR દાખલ થયેલ છે.

ઉલ્લેખનીય છે કે IPC, SC/ST act જેવા કાયદાઓ હોવા છતાં પણ ગુજરાતમાં એક બાદ એક દલિત અત્યાચારની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે જાણે ગુનેગારોને તંત્રનો કોઈ ડર જ ન હોય તેવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.

આ પણ વાંચો: ગામડાં અંગે ડૉ. આંબેડકરનો વિચાર વિસ્ફોટ- મયુર વાઢેર

Loading

The post Junagadh: જૂનાગઢમાં ખનીજ માફિયાઓ દ્વારા દલિત યુવાન પર કરાયો હીંચકારો હુમલો appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/attack-on-dalit-youth-by-mineral-mafia-in-junagadh/7836/feed/ 0 7836
Junagadh: જૂનાગઢમાં પોલીસના સહકારથી યુવાનોને અગ્નિવીર સૈનિક ભરતી પૂર્વે અપાશે તાલીમ http://revoltnewsindia.com/junagadh-agniveer-training-given-to-youth-cooperation-of-police-dr/7715/ http://revoltnewsindia.com/junagadh-agniveer-training-given-to-youth-cooperation-of-police-dr/7715/#respond Sun, 03 Sep 2023 08:11:15 +0000 http://revoltnewsindia.com/?p=7715 ભારતીય સેનામાં જોડાઈને રાષ્ટ્રની સેવાની સાથે કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનોને તાલીમનું પ્લેટફોર્મ મળે તે માટે જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાના અભિગમથી જૂનાગઢમાં જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 60 યુવાનોને અગ્નિપથ યોજના અંતર્ગત અગ્નિવીર સૈનિક ભરતી પૂર્વે નિવાસી તાલીમ આપવામાં આવશે.

The post Junagadh: જૂનાગઢમાં પોલીસના સહકારથી યુવાનોને અગ્નિવીર સૈનિક ભરતી પૂર્વે અપાશે તાલીમ appeared first on REVOLT NEWS INDIA.

]]>

ડી.આઈ.જી નિલેશ જાજડિયાના અધ્યક્ષ સ્થાને પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા રોજગાર કચેરી અને જિલ્લા પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે તાલીમ વર્ગનો પ્રારંભ

સફળ થવા માટે તમામ ઊર્જા લક્ષ્ય તરફ કેન્દ્રિત કરો: એસ.પી હર્ષદ મહેતા

જૂનાગઢ તા.03 ભારતીય સેનામાં જોડાઈને રાષ્ટ્રની સેવાની સાથે કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનોને તાલીમનું પ્લેટફોર્મ મળે તે માટે જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાના અભિગમથી જૂનાગઢમાં જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 60 યુવાનોને અગ્નિપથ યોજના અંતર્ગત અગ્નિવીર સૈનિક ભરતી પૂર્વે નિવાસી તાલીમ આપવામાં આવશે.

જૂનાગઢ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને જિલ્લા પોલીસ તંત્ર જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે અગ્નિવીર સૈનિક ભરતી પૂર્વે નિવાસી તાલીમ વર્ગનો પ્રારંભ જૂનાગઢ રેન્જ ડી.આઇ.જી નિલેશ જાજડિયાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ડીઆઈજીએ જણાવ્યું હતું કે સફળ થવા માટે ફિઝિકલ ફિટનેસ અને ડિસિપ્લિન બંને જરૂરી છે. રાષ્ટ્ર સેવા માટે તત્પર એવા યુવાનોને અહીં તાલીમ દરમિયાન જુદી જુદી કસોટી અને કસરત પૂરતું ધ્યાન કેન્દ્રિત કરી સફળ થવા માટે શુભકામના પાઠવી હતી.

એસપી હર્ષદ મહેતાએ યુવાનોને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સફળતા માટે વૈચારિકશક્તિ અને મનોબળ તેમજ યુવાનો ધારે તે સફળતા મેળવી શકે તે માટે વિવિધ દ્રષ્ટાંતો આપીને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું.

નિષ્ફળતા અને સફળતા વચ્ચે બહુ ફરક હોતો નથી તેમ જણાવી લક્ષ્ય ઉપર તમામ શક્તિ ધ્યાન કેન્દ્રિત કરવા યુવાનોને પ્રેરિત કર્યા હતા.

આ તાલીમ વર્ગમાં યુવાનોને આપવામાં આવનાર સુવિધાઓ તેમજ તાલીમ અંગેની યોજનાકિય રૂપરેખા જિલ્લા રોજગાર અધિકારી પ્રશાંત ત્રિવેદીએ આપી હતી.

આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ નાયબ માહિતી નિયામક નરેશ મહેતા, ડીવાયએસપી અનિલ પટણી તથા નાયબ પોલીસ અધિક્ષક નિકીતા, સહિતના પોલીસ અધિકારીઓ અને તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Loading

The post Junagadh: જૂનાગઢમાં પોલીસના સહકારથી યુવાનોને અગ્નિવીર સૈનિક ભરતી પૂર્વે અપાશે તાલીમ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/junagadh-agniveer-training-given-to-youth-cooperation-of-police-dr/7715/feed/ 0 7715
Junagadh: માળિયાહાટીના પાણીધ્રા ગામેથી 17 વર્ષની કિશોરી ગુમ http://revoltnewsindia.com/junagadh-17year-old-girl-missing-from-panidhra-village-maliyahatina-rni-dr/7574/ Sun, 07 May 2023 01:30:00 +0000 https://revoltnewsindia.com/?p=7574 જૂનાગઢ તા.6 માળિયાહાટીના પાણીધ્રા ગામના વાડિ વિસ્તારમાં રહેતી 17 વર્ષ 7 મહિના 10 દિવસની કિશોરી તા.29-04-2023ના પાણીધ્રા ગામેથી ગુમ થઇ છે

The post Junagadh: માળિયાહાટીના પાણીધ્રા ગામેથી 17 વર્ષની કિશોરી ગુમ appeared first on REVOLT NEWS INDIA.

]]>
Image source: Internet

Junagadh: જૂનાગઢ તા.6 માળિયાહાટીના પાણીધ્રા ગામના વાડિ વિસ્તારમાં રહેતી 17 વર્ષ 7 મહિના 10 દિવસની કિશોરી તા.29-04-2023ના પાણીધ્રા ગામેથી ગુમ થઇ છે. તેમના જમણા હાથના કાંડામાં અકસ્માત થયેલાના સફેદ નિશાન છે. તેમણે ભુખરા કલરનો કુર્તો પંજાબી ડ્રેસ પહેરેલ છે. આ કિશોરીની કોઇને ભાળ મળે તો નજીકના પોલીસ સ્ટેશનમાં જાણ કરવા માળિયા પોલીસે જણાવ્યું છે.

Loading

The post Junagadh: માળિયાહાટીના પાણીધ્રા ગામેથી 17 વર્ષની કિશોરી ગુમ appeared first on REVOLT NEWS INDIA.

]]>
7574
World Heritage Day: જૂનાગઢમાં આવેલા છે આ 46 હેરિટેજ સ્થળો, વાંચો આ લેખ http://revoltnewsindia.com/world-heritage-day-46-heritage-places-are-located-in-junagadh-rni-dr/7552/ http://revoltnewsindia.com/world-heritage-day-46-heritage-places-are-located-in-junagadh-rni-dr/7552/#respond Tue, 18 Apr 2023 01:30:00 +0000 http://revoltnewsindia.com/?p=7552 જૂનાગઢ જિલ્લો ઐતિહાસિક દ્રષ્ટિએ વિશ્વભરમાં આગવુ સ્થાન ધરાવે છે. જૂનાગઢ જિલ્લામાં કેન્દ્ર અને રાજ્ય રક્ષિત કુલ 46 સ્મારકો આવેલા છે. જૂનાગઢ જિલ્લામાં ઐતિહાસિક સ્મારકો, શિલાલેખ, ધાર્મિક સ્થળો, કોતરેલી ગુફાઓની મુલાકાત દર વર્ષે લાખો પ્રવાસીઓ લઇ રહ્યા છે

The post World Heritage Day: જૂનાગઢમાં આવેલા છે આ 46 હેરિટેજ સ્થળો, વાંચો આ લેખ appeared first on REVOLT NEWS INDIA.

]]>
18 April, World Heritage Day: જૂનાગઢ જિલ્લો ઐતિહાસિક દ્રષ્ટિએ વિશ્વભરમાં આગવુ સ્થાન ધરાવે છે. જૂનાગઢ જિલ્લામાં કેન્દ્ર અને રાજ્ય રક્ષિત કુલ 46 સ્મારકો આવેલા છે. જૂનાગઢ જિલ્લામાં ઐતિહાસિક સ્મારકો, શિલાલેખ, ધાર્મિક સ્થળો, કોતરેલી ગુફાઓની મુલાકાત દર વર્ષે લાખો પ્રવાસીઓ લઇ રહ્યા છે.

Junagadh:દર વર્ષે 18 એપ્રિલને વિશ્વ હેરિટેજ દિવસ (18 April, World Heritage Day) તરીકે ઉજવવામાં આવે છે. જેનો મુખ્ય ઉદ્દેશ લોકોને આ ભવ્ય અને ઐતિહાસિક વારસાથી અવગત કરાવવાનો છે. આ દિવસને સ્મારકો અને સ્થળો માટે આંતરરાષ્ટ્રીય દિવસના નામથી પણ ઓળખવામાં આવે છે.

જૂનાગઢ જિલ્લામાં આવેલાં છે કેન્દ્ર રક્ષિત 7 અને રાજ્ય રક્ષિત 39 પુરાતત્વીય સ્મારકો

જૂનાગઢ જિલ્લો ઐતિહાસિક દ્રષ્ટિએ વિશ્વભરમાં આગવુ સ્થાન ધરાવે છે. જૂનાગઢ જિલ્લામાં કેન્દ્ર અને રાજ્ય રક્ષિત કુલ 46 સ્મારકો આવેલા છે. જૂનાગઢ જિલ્લામાં ઐતિહાસિક સ્મારકો, શિલાલેખ, ધાર્મિક સ્થળો, કોતરેલી ગુફાઓની મુલાકાત દર વર્ષે લાખો પ્રવાસીઓ લઇ રહ્યા છે. અને ઐતિહાસિક વારસાની જાળવણી માટે પૌંરાણિક સ્થળોનું તેની જૂની ગરિમા ને અકબંધ રાખીને જાળવણીની દ્રષ્ટિએ નવિનીકરણની કામગીરી કરવામાં આવી રહી છે.

ઉપરકોટનો કિલ્લો મોર્ય સમ્રાટ ચંદ્રગુપ્ત દ્વારા બનાવવામાં આવેલો હતો

જૂનાગઢ શહેરમાં ઇતિહાસ પ્રસિધ્ધ ઉપરકોટનો કિલ્લો આવેલ છે. આ કિલ્લાનું મુળ નામ ગિરિદુર્ગ હતું. ઉપરકોટનો કિલ્લો મોર્ય સમ્રાટ ચંદ્ર ગુપ્ત દ્વારા ઇ.સ. પૂર્વ ૩૧૯માં બનાવવામાં આવેલો હતો. હાલમાં આ કિલ્લાનું નવીનીકરણ શરૂ છે. આ કિલ્લા ઉપરથી દેખાતા ગિરનાર તરફના શહેર અને પૂર્વ તરફના દ્રશ્યો શાનદાર છે. જૂનાગઢ આવતા પ્રવાસીઓ આ કિલ્લાની મુલાકાત અચુક લે છે.

જૂનાગઢ શહેરથી ગિરનાર તરફ જતા રસ્તામાં ભારતવર્ષના ભૂતકાળની ઝાંખી કરાવતા સમ્રાટ અશોકના ત્રણ શિલાલેખ વિશાળ પથ્થર પર દ્રશ્યમાન થાય છે.

જૂનાગઢ શહેરમાં ઉપરકોટથી ગિરનાર તરફ જતા રસ્તામાં ત્રણ હારમાળામાં ખડકમાંથી કોતરેલી આ ગુફાઓ ઇ.સ. પ્રથમ અને દ્વિતિય સદીમાં બનેલી છે.

જૂનાગઢમાં નવાબી સ્થાપત્ય જુદી ભાત પાડે છે. જૂનાગઢની મધ્યમાં નવાબ મહોબ્બત ખાન બીજાએ બનાવેલ મહોબ્બત મકબરો કલાત્મક ગુંબજો, અત્યંત બારીક કોતરણીઓ નવાબી સ્થાપત્યના બેનમુન છે.

જૂનાગઢ જિલ્લામાં કેન્દ્ર અને રાજ્ય રક્ષિત કુલ 46 હેરિટેજ સ્થળો

જૂનાગઢ જિલ્લામાં કેન્દ્ર રક્ષિત સાત અને રાજ્ય રક્ષિત 39 સ્મારકો અને સ્થળો છે. જેમાં કેન્દ્ર રક્ષિત અશોકનો શિલાલેખ, બૌધ્ધ ગુફા, બાબા પ્યારે, ખાપરા કોડિયાની ગુફા, પ્રાચીન ટીંબો, જામીન મસ્જીદ, બીબી મસ્જીદ અને રવેલી મસ્જીદનો સમાવેશ થાય છે. જ્યારે રાજ્ય રક્ષિત સ્મારકોમાં અડીકડી વાવ,

જુમા મસ્જીદ અને તોપ નિલમ અને કડાનલ, નરસિંહ મહેતાનો ચોરો, પંચેશ્વર ગુફાઓ, માત્રી રા ખેંગાર મહેલ, વંથલીમાં નાની વાવનો શિલાલેખ, બગસરા ઘેડમાં દાહ સંસ્કારની સ્મૃતિનો પાળીયો, હનુમાન ધારા, હાથ પગલા, માળિયા હાટીનામાં ધનવંતરીનો પાળિયો સહિતનાનો સમાવેશ થાય છે.

જૂનાગઢ જીલ્લો પ્રવાસનની દ્રષ્ટિએ પણ મહત્વનું સ્થાન ધરાવે છે. પૌરાણિક ગિરનાર પર્વત પર પણ સ્મારકો આવેલા છે. ગિરનાર પર રોપવે બનતા પ્રવાસીઓની સંખ્યામાં વધારો થયો છે.

જુનાગઢ શહેર હેરિટેજ સ્થળોથી શોભાયમાન છે. જૂનાગઢની બાઉદીન કોલેજ પણ એક અર્થમાં હેરિટેજ બિલ્ડીંગ છે. પૌરાણિક સ્થળો અને સ્મારકો વિશે જાણીએ અને તેની જાળવણી કરીએ એ સૌની ફરજ છે.

Loading

The post World Heritage Day: જૂનાગઢમાં આવેલા છે આ 46 હેરિટેજ સ્થળો, વાંચો આ લેખ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/world-heritage-day-46-heritage-places-are-located-in-junagadh-rni-dr/7552/feed/ 0 7552
Junagadh: જૂનાગઢમાં ઉજવાશે અશોક શિલાલેખ ઉજાગર મહોત્સવ http://revoltnewsindia.com/ashoka-edicts-pompous-mahotsav-will-be-celebrated-in-junagadh/7404/ http://revoltnewsindia.com/ashoka-edicts-pompous-mahotsav-will-be-celebrated-in-junagadh/7404/#respond Fri, 23 Dec 2022 14:15:11 +0000 http://revoltnewsindia.com/?p=7404 આ વર્ષે 2022માં અશોક શિલાલેખના પુનઃ ઉજાગર થયાના બસ્સો (200) વર્ષ થતાં હોય તેની ઉજવણી કરવામાં આવનાર છે

The post Junagadh: જૂનાગઢમાં ઉજવાશે અશોક શિલાલેખ ઉજાગર મહોત્સવ appeared first on REVOLT NEWS INDIA.

]]>

બ્રિટિશ અધિકારી કર્નલ જેમ્સ ટોડ દ્વારા અશોક શિલાલેખ ઉજાગર કરવામાં આવ્યો હતો

કાળની થપાટમાં આ અશોક શિલાલેખ હજારો વર્ષો સુધી જાહેર જનતાથી, વિદ્વાનોથી, ઇતિહાસકારોથી અને સાહિત્યકારોથી ભુલાઇ જવા પામેલો હતો. પણ તથાગત બુદ્ધ કહે છે. એમ સત્ય, સૂર્ય અને ચંદ્ર ઢાંકયા ઢંકાય નહીં એવી રીતે ઇ.સ. 1822માં અંગ્રેજ વિદ્વાન, મહાન ઇતિહાસકાર કર્નલ જેમ્સ ટોડ અહી જૂનાગઢમાં આવે છે. અને આ શિલાલેખને ફરી ઉજાગર કરે છે.

ત્યારે આ વર્ષે 2022માં અશોક શિલાલેખના પુનઃ ઉજાગર થયાના બસ્સો (200) વર્ષ થતાં હોય તેની ઉજવણી કરવામાં આવનાર છે. જેને લઇને જાહેર જનતાને તા. 24.12.2022ને શનિવારના રોજ સમય: 04થી 07 કલાક સુધી સમ્રાટ અશોક શિલાલેખ, ગિરનાર તળેટી, જૂનાગઢ ખાતે શિલાલેખ ઉજાગર મહોત્સવમાં બહોળી સંખ્યામાં ઉપસ્થિત રહેવા જણાવવામાં આવે છે.

બાવીસો (2200) વર્ષ થયા જેમાં મહાન ચક્રવર્તિ સમ્રાટ  પ્રિયદર્શિ અશોક મૌર્ય દ્વારા અખંડ ભારતમાં અશોક સ્તંભ અને શિલાલેખ પથ્થરની ચટ્ટાન પર પાલી ભાષામાં કોતરવામાં આવેલા હતા. એવા જ એક શિલાલેખ પ્રાચીન નગરી એવા જૂનાગઢમાં ગીરનારની તળેટી પાસે પણ હયાત છે. જૂનાગઢમાં આવેલો શિલાલેખએ પૂર્ણ સ્વરૂપનો શિલાલેખ છે.

આ કાર્યક્રમના વકતાઓમાં કર્મચારી ગણ રહેશે તેમજ મુખ્ય વકતા તરીકે વિશનભાઈ કાથડ બહુજન સાહિત્યકાર અને મોહિન્દરભાઈ મૌર્ય ઉપસ્થિત રહેશે તેવું બહુજન વિકાસ ફોજના સંયોજક નિખિલભાઈ ચૌહાણની યાદીમાં જણાવવામાં આવ્યું છે.

તારીખ: 24.12.2022ને શનિવાર.

સમય: બપોરે 04.00 થી સાંજે 07.00 સુધી.

સ્થળ: સમ્રાટ અશોક શિલાલેખ પ્રાંગણ, ભવનાથ તળેટી રોડ, જૂનાગઢ

સંપર્ક સુત્રોઃ ૭૬૨૩૦ ૮૧૮૯૯, ૯૯૨૪૯ ૫૪૫૪૯, ૭૬૯૯૫ ૮૪૫૩૬, ૯૮૨૫૪ ૯૨૧૬૬, ૯૪૨૮૪ ૧૭૫૮૧

Loading

The post Junagadh: જૂનાગઢમાં ઉજવાશે અશોક શિલાલેખ ઉજાગર મહોત્સવ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/ashoka-edicts-pompous-mahotsav-will-be-celebrated-in-junagadh/7404/feed/ 0 7404
Bilkha: પૂ. ગોપાલાનંદજી બાપુની ત્રીજી પુણ્યતિથિ નિમિતે ભંડારો અને ભાવ ભજન ભક્તિનું કરવામાં આવ્યું આયોજન http://revoltnewsindia.com/bhandaro-and-bhav-bhajan-bhakti-was-organized-on-the-occasion-of-the-third-punyatithi-of-poo-gopalanandji-bapu/3350/ http://revoltnewsindia.com/bhandaro-and-bhav-bhajan-bhakti-was-organized-on-the-occasion-of-the-third-punyatithi-of-poo-gopalanandji-bapu/3350/#respond Thu, 30 Sep 2021 08:36:15 +0000 https://revoltnewsindia.com/?p=3350 બિલખા (Bilkha) રાવતેશ્વર ધર્માલયના મહંત શિવ ઉપાસક શ્રી શ્રી 108 તપોનિષ્ઠા અગ્નિહોત્રી શ્રી મહંત સંપુર્ણાનંદ બ્રહ્મચારી મહારાજની આગેવાનીમાં ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું Junagadh: સંત સપૂત ને તુંબડા ત્રણેયનો એક…

The post Bilkha: પૂ. ગોપાલાનંદજી બાપુની ત્રીજી પુણ્યતિથિ નિમિતે ભંડારો અને ભાવ ભજન ભક્તિનું કરવામાં આવ્યું આયોજન appeared first on REVOLT NEWS INDIA.

]]>

બિલખા (Bilkha) રાવતેશ્વર ધર્માલયના મહંત શિવ ઉપાસક શ્રી શ્રી 108 તપોનિષ્ઠા અગ્નિહોત્રી શ્રી મહંત સંપુર્ણાનંદ બ્રહ્મચારી મહારાજની આગેવાનીમાં ભંડારાનું આયોજન કરવામાં આવ્યું હતું

Junagadh: સંત સપૂત ને તુંબડા ત્રણેયનો એક સ્વભાવ
પણ તારે  પણ બોલે નહિ હે એનો તાર્યા ઉપર ભાવ ભારતની સંસ્કૃતિમાં સંતોનું આગવું સ્થાન છે. ત્યારે સંતો સમાજને પોતાના  ઉત્કૃષ્ઠ વિચારો આપી સમાજ સુધારક તરીકે ઉમદા કાર્ય કરતા હોય છે. બિલખા રાવતેશ્વર ધર્માલયનાના મહંત શિવ ઉપાસક અને થોડાં સમય પહેલાં જ શ્રાવણ માસમાં શિવની અલૌકિક ભક્તિ અને અનુષ્ઠાન કર્યું હતું.

એવા  શ્રી શ્રી 108 તપોનિષ્ઠા અગ્નિહોત્રી શ્રી મહંત સંપુર્ણાનંદ બ્રહ્મચારી મહારાજ કે જેને શ્રાવણ માસ દરમિયાન 3:00 સુધી સતત શિવપૂજા અને અનુષ્ઠાન વૈદિક વિધિ અને શાસ્ત્રોથી કર્યો હતો. અને મૌન વ્રત ધારણ કરી શ્રાવણ માસ દરમિયાન આફ્રિકા સાધના અને અભિવ્યક્તિ કરી હજારો ભાવિકો જોડાયા હતા.

અગ્નિ અખાડાનાં સભાપતિ પરમ આદરણીય સરળ સ્વભાવ ઉમદા વ્યક્તિત્વ મુક્તાનંદ બાપુની વિશેષ ઉપસ્થિતિ

જુનાગઢ ,પોરબંદર ,રાજકીય આગેવાનો તેમજ અધિકારીઓ એ પણ શિવભક્તિનો લ્હાવો લીધો હતો. શ્રાવણ માસના અનુષ્ઠાન પૂર્ણાહુતી સંતો મહંતો અને રાજકીય આગેવાનોની ઉપસ્થિતમાં “આપણું સામાજિક કર્તવ્ય” કાર્યક્રમ નું આયોજન કરવામાં આવ્યું હતું. એવા પરમ પૂજનીય શ્રી શ્રી 108 તપોનિષ્ઠા અગ્નિહોત્રી શ્રી મહંત સંપુર્ણાનંદ બ્રહ્મચારી મહારાજની આગેવાનીમાં  ગોપાલાનંદ બાપુ ની ત્રીજી પુણ્યતિથિનું નિમિત્તે બિલખા ખાતે સાધુ સંતોના ભંડારાનું અને ભજન ભાવનું આયોજન કરવામાં આવ્યું હતું.

જેમાં બહોળી ભારત ભરના સાધુ સંતો ,સેવકગણ ,અનુયાયીઓ, રાજકીય આગેવાનો ની ઉપસ્થિતિમાં ભંડારો કરવામાં આવ્યો હતો. જેમાં સાધુ- સંતો ભેટ પૂજા પ્રસાદી આપવામાં આવી હતી અને હતા.115 વર્ષની વયના ગોપાલાનંદજી બાપુએ સાધુ બન્યા બાદ ક્યારેય અનાજ, નમક ગ્રહણ કર્યું ન હતું.

તેઓ ખોરાકમાં સાંબો, ગાયનું દૂધ અને ફળ જ લેતા હતા. 100 વર્ષથી વધુ વય હોવા છતા તેઓની દ્રષ્ટિ, શ્રવણ શક્તિ, સતેજ હતી અને આરામથી હલન-ચલન કરી શકતા હતા. સમગ્ર દેશમાં અનેક આશ્રમો અને અનુયાયીઓ ધરાવતા ગોપાલાનંદજી બાપુએ 115 વર્ષની વયે બાપુએ અંતિમ શ્વાસ લીધો હતો.

ગોપાલાનંદબાપુના દેહવિલયથી સાધુ-સંતો તેમજ હજારો ભાવિકોમાં ગમગીની વ્યાપી ગઈ હતી. ગોપાલાનંદ બાપુ ગિરનાર પર ગૌમુખી ગંગા ખાતે 70 વર્ષની નવરાત્રીમાં કરતા અનુષ્ઠાન દર નવરાત્રીમાં ગોપાલાનંદજીબાપુ ગિરનાર પર આવેલી ગૌમુખી ગંગા ખાતે અનુષ્ઠાન કરતા હતા. છેલ્લા 70 વર્ષથી તેઓ નવરાત્રી દરમ્યાન નિયમીત રીતે અનુષ્ઠાન કરતા હતા.

પૂજ્ય ગોપાલાનંદ બાપુની ત્રીજી પુણ્યતિથિ પ્રસંગે અગ્નિ અખાડાનાં સભાપતિ પૂજય મુક્તાનંદ બાપુ ની વિશેષ ઉપસ્થિતિ અને નર્મદા થી પરમેશ્વરાનંદ બાપુ  ઉપસ્થિતિ રહી હતી. રાત્રે જૂનાગઢ ગીર ઘરેણુ એવા લોકસાહિત્યકાર રાજભા ગઢવી ના ડાયરાનું આયોજન કરવામાં આવ્યું હતું.

રિપૉર્ટ: વનરાજ ચૌહાણ, જુનાગઢ.

Loading

The post Bilkha: પૂ. ગોપાલાનંદજી બાપુની ત્રીજી પુણ્યતિથિ નિમિતે ભંડારો અને ભાવ ભજન ભક્તિનું કરવામાં આવ્યું આયોજન appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/bhandaro-and-bhav-bhajan-bhakti-was-organized-on-the-occasion-of-the-third-punyatithi-of-poo-gopalanandji-bapu/3350/feed/ 0 3350
Junagadh: સોરઠની ધરતી પર ગુનાખોરી ને ડામવા “ગુજસી ટોક” કાયદાનું પાલન કરાવતા CM ભૂપેન્દ્ર પટેલ અને HM હર્ષ સંઘવી http://revoltnewsindia.com/junagadh-approved-chief-minister-bhupendra-patel-and-minister-of-state-for-home-affairs-har/3271/ http://revoltnewsindia.com/junagadh-approved-chief-minister-bhupendra-patel-and-minister-of-state-for-home-affairs-har/3271/#respond Mon, 27 Sep 2021 11:08:17 +0000 https://revoltnewsindia.com/?p=3271 જીલ્લા ભાજપ (BJP) પ્રમુખ કિરીટ પટેલ (Kirit Patel) ની રજૂઆત રંગલાવી જૂનાગઢ જિલ્લામાં સૌ પ્રથમવાર પાંચ ઈસમો સામે “ગુજસી ટોક” કાયદો લાગુ કરવામાં આવ્યો ગુંડા તત્વોને ડામવા ગૃહ રાજ્યમંત્રી (Home…

The post Junagadh: સોરઠની ધરતી પર ગુનાખોરી ને ડામવા “ગુજસી ટોક” કાયદાનું પાલન કરાવતા CM ભૂપેન્દ્ર પટેલ અને HM હર્ષ સંઘવી appeared first on REVOLT NEWS INDIA.

]]>

જીલ્લા ભાજપ (BJP) પ્રમુખ કિરીટ પટેલ (Kirit Patel) ની રજૂઆત રંગલાવી

જૂનાગઢ જિલ્લામાં સૌ પ્રથમવાર પાંચ ઈસમો સામે “ગુજસી ટોક” કાયદો લાગુ કરવામાં આવ્યો

ગુંડા તત્વોને ડામવા ગૃહ રાજ્યમંત્રી (Home Minister) હર્ષ સંઘવી (Harsh Sanghavi) એ “ગુજસી ટોક” કાયદાનું પાલન કરાવી સાબિત કરી બતાવ્યું કે કાયદો જ સર્વોપરી છે.

Junagadh: થોડા સમય પહેલા વિસાવદર (Visavadar) માં બેનલ ખૂબ જ નિંદનીય ઘટનામાં  અસામાજીક તત્વો ની ટોળકી દ્વારા વિસાવદરમાં નાના વેપારીઓ પાસે આતંક ફેલાવી ધાક-ધમકી આપી ડરનો માહોલ ઉભો કરી ખડણી માગવામાં આવી હતી.

તેમજ લોકો ઉપર હિંચકારો હુમલો કરવામાં આવ્યો હતો. આ ઘટનાથી સમગ્ર વિસાવદરના જનતામાં ભય નો માહોલ સર્જાયો હતો. જે બાબતે આવા ગુંડા આવારા તત્વો પર કડકમાં કડક કાર્યવાહી થાય અને વિસવાદર શહેર અને તાલુકાની જનતા સાથે ભવિષ્યમાં આવી કોઈ ઘટના ના બને તે માટે શહેરના આગેવાનો અને સામાજિક સંગઠનો દ્વારા કિરીટ પટેલ ને રજૂઆત કરવામાં આવી હતી.

જે રજૂઆત ને ધ્યાને લઇ આ ગંભીર બનાવ નો પ્રજાહિત વહેલી તકે નિર્ણય લઈ રાજ્યના મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલ અને  ગૃહરાજ્યમંત્રી હર્ષ સંઘવીએ આવારા તત્વો સામે “ગુજસી ટોક” કાયદ્દો લાગું કરી કાયદાનું સંપૂર્ણ ભાન કરાવ્યું છે.

ફોટો: ગુજરાતના ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવી

અને સાબિત કરી બતાવ્યું કે સરકાર પ્રજાના પ્રશ્નોના નિરાકરણ માટે તત્પર છે. વિસાવદરના બનાવમાં પાંચ આરોપીઓ સામે ગુજરાત સરકાર અને ગૃહ વિભાગ દ્વારા “ગુજસી ટોક” અંતર્ગત કાર્યવાહી કરવામાં આવી છે.

પ્રજાના હિત માં ગુજરાત સરકાર અને ગુહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ “ગુજસી ટોક” કાયદા હેઠળ આવારાતાત્વો સામે લાલ આંખ કરી છે તે બદલ વિસાવદરની જનતા આભાર માને છે .  જૂનાગઢ જિલ્લામાં સૌ પ્રથમવાર પાંચ ઈસમો સામે “ગુજસી ટોક” કાયદો લાગુ કરવામાં આવ્યો છે. સમગ્ર સોરઠ પંથક માં સરકારના નિર્ણય થી અસામાજીક તત્વોમાં ફફડાટ ફેલાયો અને સાબિત થઈ ગયું છે કે કાયદો જ સર્વોપરી છે.

રિપૉર્ટ: વનરાજ ચૌહાણ, જૂનાગઢ.

Loading

The post Junagadh: સોરઠની ધરતી પર ગુનાખોરી ને ડામવા “ગુજસી ટોક” કાયદાનું પાલન કરાવતા CM ભૂપેન્દ્ર પટેલ અને HM હર્ષ સંઘવી appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/junagadh-approved-chief-minister-bhupendra-patel-and-minister-of-state-for-home-affairs-har/3271/feed/ 0 3271
Junagadh: શહેરમાં આવેલા નરસિંહ મહેતા તળાવના બ્યુટીફીકેશન માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અઘ્યક્ષતામાં યોજાઇ બેઠક http://revoltnewsindia.com/a-meeting-was-held-under-the-chairmanship-of-chief-minister-vijay-rupani-for-beautification-of-narasimha-mehta-lake-in-junagadh-city/2872/ http://revoltnewsindia.com/a-meeting-was-held-under-the-chairmanship-of-chief-minister-vijay-rupani-for-beautification-of-narasimha-mehta-lake-in-junagadh-city/2872/#respond Fri, 10 Sep 2021 15:56:13 +0000 https://revoltnewsindia.com/?p=2872 Gandhinagar: CM વિજય રૂપાણીની અઘ્યક્ષતામાં જૂનાગઢ શહેરમાં આવેલા નરસિંહ મહેતા તળાવ (Narsinh Mehta Lake) ના બ્યુટીફીકેશન માટે અને જૂનાગઢ શહેરમાં રેલવેના ઓવરબ્રિજ-અંડરબ્રિજ તૈયાર કરવા અંગેની વિસ્તૃત બેઠક ગાંધીનગર ખાતે યોજાઇ…

The post Junagadh: શહેરમાં આવેલા નરસિંહ મહેતા તળાવના બ્યુટીફીકેશન માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અઘ્યક્ષતામાં યોજાઇ બેઠક appeared first on REVOLT NEWS INDIA.

]]>

Gandhinagar: CM વિજય રૂપાણીની અઘ્યક્ષતામાં જૂનાગઢ શહેરમાં આવેલા નરસિંહ મહેતા તળાવ (Narsinh Mehta Lake) ના બ્યુટીફીકેશન માટે અને જૂનાગઢ શહેરમાં રેલવેના ઓવરબ્રિજ-અંડરબ્રિજ તૈયાર કરવા અંગેની વિસ્તૃત બેઠક ગાંધીનગર ખાતે યોજાઇ હતી.

જૂનાગઢના લોકો માટે જૂનાગઢના હૃદય સમા અને શહેરની શાન એવા નરસિંહ મહેતા તળાવને પ્રવાસન સ્થળ તરીકે વિકસાવવા મુખ્યમંત્રીએ આ બેઠકમાં જરૂરી માર્ગદર્શન આપ્યું હતું.

આ ઉપરાંત તેમણે જૂનાગઢ શહેરમાંથી પસાર થતી રેલવેના કારણે વિવિધ ક્રોસિંગ ઉપર થતા ટ્રાફિકનું ભારણ ઘટાડવા અને ફાટક મુક્ત શહેર બનાવવા તેમજ નવા ઓવરબ્રિજ અને અંડરબ્રિજ નિર્માણ માટે જરૂરી સૂચનો કર્યા હતા.

Loading

The post Junagadh: શહેરમાં આવેલા નરસિંહ મહેતા તળાવના બ્યુટીફીકેશન માટે મુખ્યમંત્રી વિજય રૂપાણીની અઘ્યક્ષતામાં યોજાઇ બેઠક appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/a-meeting-was-held-under-the-chairmanship-of-chief-minister-vijay-rupani-for-beautification-of-narasimha-mehta-lake-in-junagadh-city/2872/feed/ 0 2872
જૂનાગઢ-મીઠાપુર ST બસ શરુ કરવા NSUI ની માગ http://revoltnewsindia.com/demand-of-nsui-to-start-junagadh-mithapur-st-bus/2821/ http://revoltnewsindia.com/demand-of-nsui-to-start-junagadh-mithapur-st-bus/2821/#respond Wed, 08 Sep 2021 15:11:42 +0000 https://revoltnewsindia.com/?p=2821 કોરોનાકાળ બાદથી ST બસ બંધ હોવાથી વિદ્યાર્થીઓ (Students) અને મુસાફરોને અનેક હાલાકી જૂનાગઢ (Junagadh) NSUI ના પ્રમુખ યુગ પુરોહિત દ્વારા જૂનાગઢ મીઠાપુર (Mithapur) વાયા શાપુરની જે ST બસ કોરોના (Corona)…

The post જૂનાગઢ-મીઠાપુર ST બસ શરુ કરવા NSUI ની માગ appeared first on REVOLT NEWS INDIA.

]]>

કોરોનાકાળ બાદથી ST બસ બંધ હોવાથી વિદ્યાર્થીઓ (Students) અને મુસાફરોને અનેક હાલાકી

જૂનાગઢ (Junagadh) NSUI ના પ્રમુખ યુગ પુરોહિત દ્વારા જૂનાગઢ મીઠાપુર (Mithapur) વાયા શાપુરની જે ST બસ કોરોના (Corona) દરમીયાન બંધ છે, તે વહેલામાં વહેલી તકે ચાલુ કરવા માટે ડેપો મેનેજરને રજુવાત કરવામાં આવી હતી.

હવે કોલેજ તેમજ સ્કૂલો શરુ થઈ ગયેલ છે ત્યારે આ રૂટની બસમાં ઘણા સ્ટુડન્ટસ અવર જવર કરતાં હોય ત્યારે આ બસનો રૂટ કોરોના ફરીથી શરુ કરવામાં આવ્યો  નથી. 

NSUI ના કહેવા મુજબ આ બસમાં અવર-જવર કરતા ઘણા વિદ્યાર્થીઓ તેમજ લોકો ને ખૂબ જ હાલાકી ભોગવવાનો વારો આવ્યો છે. તેથી જો આગામી 2 થી 3 દિવસમાં આ રૂટની બસ સમયસર ચાલું કરવામાં નહિ આવે તો તમામ વિધાર્થીઓને સાથે રાખી ગાંધી ચીંધ્યા માર્ગે આંદોલન કરવાનું NSUI દ્વારા જણાવવામાં આવ્યું હતુ.

રિપૉર્ટ: પ્રતીક એમ. પંડ્યા, જૂનાગઢ

Loading

The post જૂનાગઢ-મીઠાપુર ST બસ શરુ કરવા NSUI ની માગ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/demand-of-nsui-to-start-junagadh-mithapur-st-bus/2821/feed/ 0 2821