Virpur Jalaram Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/virpur-jalaram/ News for India Tue, 21 Dec 2021 16:13:12 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png Virpur Jalaram Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/virpur-jalaram/ 32 32 174330959 વિરપુરમાં મતગણતરી વખતે બેલેટમાંથી નીકળી ચીઠ્ઠી, કરી સ્કૂલ બિલ્ડીંગ સરખું કરવાની કરી માંગ http://revoltnewsindia.com/demand-for-leveling-of-school-building/5082/ http://revoltnewsindia.com/demand-for-leveling-of-school-building/5082/#respond Tue, 21 Dec 2021 16:11:52 +0000 https://revoltnewsindia.com/?p=5082 બેલેટ સાથે નિકળેલી ચીઠ્ઠીમાં જાગૃત મતદારે આશંકા વ્યક્ત કરી છે કે જો શાળાની ઇમારતનું સમારકામ કરવામાં નહિ આવે તો મોટી જાનહાની થઈ શકે છે. ચિઠ્ઠીમાં આગળ જણાવેલ હતું કે અગાઉ…

The post વિરપુરમાં મતગણતરી વખતે બેલેટમાંથી નીકળી ચીઠ્ઠી, કરી સ્કૂલ બિલ્ડીંગ સરખું કરવાની કરી માંગ appeared first on REVOLT NEWS INDIA.

]]>

બેલેટ સાથે નિકળેલી ચીઠ્ઠીમાં જાગૃત મતદારે આશંકા વ્યક્ત કરી છે કે જો શાળાની ઇમારતનું સમારકામ કરવામાં નહિ આવે તો મોટી જાનહાની થઈ શકે છે. ચિઠ્ઠીમાં આગળ જણાવેલ હતું કે અગાઉ પણ શિક્ષકો અને વિદ્યાર્થીઓને પણ પોપડાઓને કારણે ઇજાઓ પહોંચી હતી.

મતદાર દ્વારા બેલેટ સાથે જોડવામાં આવેલી ચિઠ્ઠી

સાથે તેમાં જણાવેલ હતું કે ગ્રામ પંચાયતથી લઈને ગાંધીનગર સુધી પણ અગાઉ રજુઆત કરેલ હોવા છતાં કોઈ પરિણામ ન આવતા બેલેટ પેપર સાથે ચિઠ્ઠી લખવી પડી હતી. તેમજ નવા સરપંચ અને સભ્યોને શાળાની નવી ઇમારત બનાવી આપવા અપીલ કરી હતી.

Loading

The post વિરપુરમાં મતગણતરી વખતે બેલેટમાંથી નીકળી ચીઠ્ઠી, કરી સ્કૂલ બિલ્ડીંગ સરખું કરવાની કરી માંગ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/demand-for-leveling-of-school-building/5082/feed/ 0 5082
Virpur: જલારામબાપાના મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર આજથી દર્શનાર્થીઓ માટે મુકાયો ખુલ્લો http://revoltnewsindia.com/the-main-entrance-of-jalarambapa-temple-is-open-for-visitors-from-today/1881/ http://revoltnewsindia.com/the-main-entrance-of-jalarambapa-temple-is-open-for-visitors-from-today/1881/#respond Fri, 23 Jul 2021 08:57:13 +0000 http://revoltnewsindia.com/virpur-%e0%aa%9c%e0%aa%b2%e0%aa%be%e0%aa%b0%e0%aa%be%e0%aa%ae%e0%aa%ac%e0%aa%be%e0%aa%aa%e0%aa%be%e0%aa%a8%e0%ab%80-%e0%aa%ae%e0%aa%82%e0%aa%a6%e0%aa%bf%e0%aa%b0%e0%aa%a8%e0%ab%8b-%e0%aa%ae%e0%ab%81/ કોરોના મહામારી (Corona epidemic) ને લઈને 21/03/2020 થી સમગ્ર ગુજરાત (Gujarat) ના (Religious)ધાર્મિક (Places)સ્થાનો બંધ કરવામાં આવ્યા હતા. ત્યારે (Saurashtra) સૌરાષ્ટ્રનું જગવિખ્યાત પવિત્ર યાત્રાધામ (Virpur-Jalaram) વીરપુર પૂજ્ય જલારામબાપાનું મંદિર (Temple)…

The post Virpur: જલારામબાપાના મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર આજથી દર્શનાર્થીઓ માટે મુકાયો ખુલ્લો appeared first on REVOLT NEWS INDIA.

]]>

કોરોના મહામારી (Corona epidemic) ને લઈને 21/03/2020 થી સમગ્ર ગુજરાત (Gujarat) ના (Religious)ધાર્મિક (Places)સ્થાનો બંધ કરવામાં આવ્યા હતા. ત્યારે (Saurashtra) સૌરાષ્ટ્રનું જગવિખ્યાત પવિત્ર યાત્રાધામ (Virpur-Jalaram) વીરપુર પૂજ્ય જલારામબાપાનું મંદિર (Temple) પણ દર્શનાર્થીઓ માટે 21/03/2020 થી બંધ કરવામાં આવ્યું હતું.

ત્યારબાદ કોરોનાની પહેલી લહેર પછી બીજી લહેરમાં પણ અનેકવાર જલારામબાપાની જગ્યા બંધ કરવામાં આવી હતી બાદ કોરોના વાયરસ ઓછો થતા શ્રદ્ધાળુઓ માટે પૂજ્ય જલારામબાપાની જગ્યા દર્શન માટે ખોલવામાં આવી હતી.

દર્શનાર્થીઓ માટે મુખ્ય દરવાજો બંધ હતો

મંદિર જગ્યાના સાઈડના દરવાજેથી દર્શન માટે વ્યવસ્થા કરવામાં આવી હતી. જે આજે ગુરુપૂર્ણિમાના પવિત્ર પાવન દિવસે આશરે સવા વર્ષ બાદ પરમ પૂજ્ય જલારામબાપાની જગ્યાનો મુખ્ય દ્વાર દર્શનાર્થીઓ માટે ખુલો મુકવામાં આવ્યો હતો,પૂજ્ય જલારામબાપાની જગ્યાનો મુખ્ય દ્વાર ખુલો મુકાતા દેશ-વિદેશમાંથી આવતા પૂજ્ય જલારામબાપાના ભક્તો પૂજ્ય બાપાના દર્શન કરી ધન્યતા અનુભવી હતી.

જુઓ વિડિઓ:

Loading

The post Virpur: જલારામબાપાના મંદિરનો મુખ્ય પ્રવેશ દ્વાર આજથી દર્શનાર્થીઓ માટે મુકાયો ખુલ્લો appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/the-main-entrance-of-jalarambapa-temple-is-open-for-visitors-from-today/1881/feed/ 0 1881
Rajkot: જિલ્લાના વિરપુર બસ સ્ટેશનનું E-ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી http://revoltnewsindia.com/chief-minister-vijay-rupani-e-inaugurating-the-virpur-bus-station-in-rajkot-district/1722/ http://revoltnewsindia.com/chief-minister-vijay-rupani-e-inaugurating-the-virpur-bus-station-in-rajkot-district/1722/#respond Fri, 04 Jun 2021 10:31:10 +0000 https://revoltnewsindia.com/rajkot-%e0%aa%9c%e0%aa%bf%e0%aa%b2%e0%ab%8d%e0%aa%b2%e0%aa%be%e0%aa%a8%e0%aa%be-%e0%aa%b5%e0%aa%bf%e0%aa%b0%e0%aa%aa%e0%ab%81%e0%aa%b0-%e0%aa%ac%e0%aa%b8-%e0%aa%b8%e0%ab%8d%e0%aa%9f%e0%ab%87%e0%aa%b6/ અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડીયા વિરપુર Virpur બસ સ્ટેશન Bus Station ખાતે ઉપસ્થિત રહયા વિરપુરમાં રૂા. 2.96 કરોડના ખર્ચે નવું બસ સ્ટેશન બનશે રાજકોટ, તા.04 જૂન June –…

The post Rajkot: જિલ્લાના વિરપુર બસ સ્ટેશનનું E-ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી appeared first on REVOLT NEWS INDIA.

]]>

અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડીયા વિરપુર Virpur બસ સ્ટેશન Bus Station ખાતે ઉપસ્થિત રહયા

વિરપુરમાં રૂા. 2.96 કરોડના ખર્ચે નવું બસ સ્ટેશન બનશે

રાજકોટ, તા.04 જૂન June – મુખ્યમંત્રી વિજય રૂપાણીએ રાજ્યના વિવિધ નવ સ્થળોએ બસ વર્કશોપ ,બસ સ્ટેશનનું ઇ-લોકાર્પણ અને પાંચ સ્થળોએ નવીન સ્ટેશનનું ઇ ખાતમુહૂર્ત કર્યુ હતું. જેમાં રાજકોટ જિલ્લાના વીરપુરના રૂા. 2.96 કરોડના ખર્ચે તૈયાર થનાર નવા બસ સ્ટેશનનું પણ ખાતમુહૂર્ત કરવામાં આવ્યુ હતું.

મુખ્યમંત્રી વિજય રૂપાણીએ વર્ચ્યુઅલ માધ્યમથી ઉપસ્થિત રહી રાજ્યમાં ST એસ.ટી. નિગમ દ્વારા વધારવામાં આવેલી સેવાઓ અને એસ.ટી. નફાનુ સાધન નહીં પરંતુ જનતાની સેવા નું માધ્યમ છે તેમ જણાવી કોરોનાના કપરા કાળમાં એસ.ટી. ની સેવાને બિરદાવી હતી.

આ ઓનલાઇન કાર્યક્રમમાં સરધાર ખાતેથી વાહન વ્યવહાર મંત્રી આર.સી. ફળદુએ શાબ્દિક સ્વાગત કર્યું હતું.

વિરપુર બસ સ્ટેશનના ઈ ખાતમુહૂર્ત કાર્યક્ર્મમાં અન્ન અને નાગરિક પુરવઠા મંત્રી જયેશ રાદડીયા પ્રત્યક્ષ ઉપસ્થિત રહ્યા હતા. મંત્રી જયેશ રાદડીયાની પ્રેરક ઉપસ્થિતિમાં સ્થાનિક કાર્યક્રમ સંપન્ન થયો હતો.

સ્થાનિક માધ્યમો સાથેની વાતચીતમાં મંત્રી જયેશ રાદડિયાએ જણાવ્યું હતું કે ગુજરાતમાં એસ.ટી. નીગમ દ્વારા સેવાઓ અને સવલતો વધારવામાં આવી છે. ગુજરાત સરકારની મુસાફરો માટે સવલતો અને સેવાઓ વધારવાની કટિબદ્ધતા ના ભાગરૂપે વીરપુરમાં પણ એસ.ટી.ના મુસાફરોને નવા બસ સ્ટેશનમાં વિવિધ સગવડો મળી રહેશે.

વિરપુર ખાતે મંત્રી જયેશ રાદડીયાના હસ્તે તેમજ સ્થાનિક આગેવાનો ની ઉપસ્થિતિમાં ખાત મુહુર્ત વિધિ સંપન્ન થઇ હતી.

આ ઉપરાંત મુખ્યમંત્રી વિજય રૂપાણીના હસ્તે ગુજરાત રાજ્ય માર્ગ વાહન વ્યવહાર નિગમ દ્વારા સમગ્ર રાજ્યમાં 14 જગ્યાએ અંદાજિત 44 કરોડના ખર્ચે તૈયાર થયેલા નવ નિર્મિત 9 બસ સ્ટેશન / ડેપો વર્કશોપનું E-લોકાર્પણ તેમજ 5 બસ સ્ટેશન / ડેપો વર્કશોપ નું ઈ-ખાતમુહૂર્ત કરવામાં આવ્યું હતું. કાર્યક્રમના ભાગરૂપે મોરબી જિલ્લાના વાંકાનેર ખાતે એસ.ટી. વિભાગના 422.76 લાખના ખર્ચે તૈયાર થનાર બસ સ્ટેશનનું ખાતમુહૂર્ત કરવામાં આવ્યું, આ પ્રસંગે સાંસદ મોહન કુંડારીયા,એસ.ટી. વિભાગના અધિકારીઓ તેમજ આગેવાનો ઉપસ્થિત રહ્યા હતા.

Loading

The post Rajkot: જિલ્લાના વિરપુર બસ સ્ટેશનનું E-ખાતમુહૂર્ત કરતા મુખ્યમંત્રી વિજય રૂપાણી appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/chief-minister-vijay-rupani-e-inaugurating-the-virpur-bus-station-in-rajkot-district/1722/feed/ 0 1722
ગોંડલના બે મિત્રોને વીરપુર પાસે નડ્યો અકસ્માત, હાઇવેનું સેફટી ગડર કારની થયું આરપાર http://revoltnewsindia.com/road-accident-near-virpur/1541/ http://revoltnewsindia.com/road-accident-near-virpur/1541/#respond Sun, 21 Feb 2021 18:58:00 +0000 http://revoltnewsindia.com/%e0%aa%97%e0%ab%8b%e0%aa%82%e0%aa%a1%e0%aa%b2%e0%aa%a8%e0%aa%be-%e0%aa%ac%e0%ab%87-%e0%aa%ae%e0%aa%bf%e0%aa%a4%e0%ab%8d%e0%aa%b0%e0%ab%8b%e0%aa%a8%e0%ab%87-%e0%aa%b5%e0%ab%80%e0%aa%b0%e0%aa%aa/ વીરપુર હાઇવે પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં સગાઈના પ્રસંગમાં જઈ રહેલા ગોંડલના બે મિત્રોને અકસ્માત નડતા હાઇવે પરનું સેફટી ગડર કારની આરપાર થઇ જતા બંને મિત્રો…

The post ગોંડલના બે મિત્રોને વીરપુર પાસે નડ્યો અકસ્માત, હાઇવેનું સેફટી ગડર કારની થયું આરપાર appeared first on REVOLT NEWS INDIA.

]]>

વીરપુર હાઇવે પર વધુ એક અકસ્માતની ઘટના સામે આવી છે. જેમાં સગાઈના પ્રસંગમાં જઈ રહેલા ગોંડલના બે મિત્રોને અકસ્માત નડતા હાઇવે પરનું સેફટી ગડર કારની આરપાર થઇ જતા બંને મિત્રો ગંભીર રીતે ઘવાયા હતા.

ગોંડલના ભોજરાજપરામાં રહેતા અને માર્કેટિંગ યાર્ડમાં કામ કરતા પ્રતિક પડાળીયા અને ચોરડી દરવાજા પાસે રહેતા પારસ રૈયાણી એકસાથે ગોંડલથી વીરપુર કારમાં જતા હતા.

ત્યારે વીરપુર નજીક રવિરાજ હોટલ પાસે નેશનલ હાઈવેના સેફટી ગડર સાથે કાર અથડાતા સેફટી ગડર આશરે 20 ફૂટથી પણ વધારે કારની આરપાર નીકળી ગયું હતું.

આ ભયાનક રીતે સર્જાયેલા અકસ્માતમાં બંને મિત્રો ગંભીર રીતે ઘવાયા હતા. બંને મિત્રો વીરપુર મિત્રના પત્નીને તેડવા જઈ રહ્યા હતા ત્યારે હાઇવે પર ટ્રક વધુ નજીક આવી જતા કાર ગડરમાં ઘુસી ગઈ હતી.

Loading

The post ગોંડલના બે મિત્રોને વીરપુર પાસે નડ્યો અકસ્માત, હાઇવેનું સેફટી ગડર કારની થયું આરપાર appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/road-accident-near-virpur/1541/feed/ 0 1541