Jetpur: ફુલે-આંબેડકર મિશન દ્વારા કાંશીરામ સાહેબને આપવામાં આવી શ્રદ્ધાંજલિ

SHARE THE NEWS

બામસેફ, ડીએસ-ફોર, બુદ્ધિસ્ટ રિસર્ચ સેન્ટર અને બહુજન સમાજ પાર્ટીના સંસ્થાપક માન્યવર કાંશીરામ 9 ઓક્ટોબર 2006 ના રોજ નિર્વાણ પામ્યા હતા. જેને લઈને તેમના અનુયાયીઓ આજના દિવસને Pay back to Society Day (પે બેક ટુ સોસાયટી ડે) તરીકે ઉજવીને તેમને શ્રદ્ધાંજલિ પાઠવતા હોય છે.

Rajkot: જિલ્લાના જેતપુરમાં આજરોજ ફુલે-આંબેડકર મિશન જેતપુર શહેર/તાલુકા દ્વારા માન્યવર કાંશીરામ સાહેબના નિર્વાણ દિન નિમિત્તે તેમને પુષ્પ અર્પણ કરી શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી હતી. આપને જણાવી આપીએ કે ખાસ કરીને ઉત્તર ભારતમાં ફુલે-આંબેડકર ચળવળને ઘર-ઘર સુધી પહોંચાડવાનો ફાળો બહુજન નાયક કાંશીરામનો જ છે એમ કહી શકાય. આજરોજ આ શ્રદ્ધાંજલિ કાર્યક્રમમાં ફુલે-આંબેડકર મિશન જેતપુરના કાર્યકર્તાઓ તરુણ પારઘી, સંજય સોલંકી, પ્રકાશ બગડા, અમૃત સિંગલ, મિલન વાલેરા, રસિક વાલેરા, પ્રકાશ પરમાર, સંજય જાદવ, મહેન્દ્ર સૌંદરવા, રાહુલ વેગડા, મનોજ પારઘી અને દિનેશ રાઠોડ ઉપસ્થિત રહ્યા હતા.

Loading

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *