GujaratiSamachar Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/gujaratisamachar/ News for India Tue, 26 Sep 2023 10:14:29 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png GujaratiSamachar Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/gujaratisamachar/ 32 32 174330959 Jetpur News: જેતપુર નગરપાલિકાની ઈમારતમાં જ સ્વામી વિવેકાનંદનું અપમાન http://revoltnewsindia.com/jetpur-news-insulting-of-swami-vivekananda-in-municipal-building-dr/7747/ http://revoltnewsindia.com/jetpur-news-insulting-of-swami-vivekananda-in-municipal-building-dr/7747/#respond Tue, 26 Sep 2023 10:14:27 +0000 http://revoltnewsindia.com/?p=7747 વિશ્વકક્ષાએ અમેરિકામાં હિન્દૂ ધર્મ વિશે ભાષણ આપનારા અને યુથ આઇકોન તેમજ હિંદુ આઈકોન સ્વામી વિવેકાનંદનું રાજકોટ જિલ્લાના જેતપુરમાં જેતપુર-નવાગઢ નગરપાલિકાના પરિસરમાં જ અપમાન થઈ રહ્યું છે.

The post Jetpur News: જેતપુર નગરપાલિકાની ઈમારતમાં જ સ્વામી વિવેકાનંદનું અપમાન appeared first on REVOLT NEWS INDIA.

]]>
આ ચિત્ર નગરાપાલિકાની મેઈન બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર જ આવેલું છે, ત્યારે આ ચિત્ર પાસેથી જ નગરાપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ પણ અવર-જવર કરતા હોય છે.

Report by Dinesh Rathod,
Rajkot News: વિશ્વકક્ષાએ અમેરિકામાં હિન્દૂ ધર્મ વિશે ભાષણ આપનારા અને યુથ આઇકોન તેમજ હિંદુ આઈકોન સ્વામી વિવેકાનંદનું રાજકોટ જિલ્લાના જેતપુરમાં જેતપુર-નવાગઢ નગરપાલિકાના પરિસરમાં જ અપમાન થઈ રહ્યું છે. નગરપાલિકાની ઈમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર જ સ્વામી વિવેકાનંદનું સ્વચ્છ સર્વેક્ષણ 2023નું એક દીવાલ ચિત્ર દોરવામાં આવેલું છે.

જેના પર પાન, માવા અને મસાલાની થુંકની પિચકારીઓ જોવા મળશે. તેમજ આ ચિત્રની બાજુમાં જ કચરા ટોપલી મૂકવામાં આવેલી છે, તે પણ જોવા મળશે.

આ ચિત્ર નગરાપાલિકાની મેઈન બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર જ આવેલું છે, ત્યારે આ ચિત્ર પાસેથી જ નગરાપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ પણ અવર-જવર કરતા હોય છે.

ત્યારે પ્રશ્ન પણ ઉદભવે છે કે શું તેઓને હિંદુ આઈકોન સ્વામી વિવેકાનંદના ચિત્ર પર કરવામાં આવતી પાન, માવા અને મસાલાની થુંકની પિચકારીઓ દેખાતી નહિ હોય? ચિત્રની બાજુમાં જ મૂકવામાં આવેલી કચરા ટોપલી પણ દેખાતી નહિ હોય?

ઉલ્લેખનીય છે કે સાફ સફાઈની જવાબદારી સેનેટરી વિભાગમાં આવતી હોય છે, ત્યારે શું સેનેટરી વિભાગના અધિકારીઓ અહીંથી આંખો બંધ કરીને પસાર થતા હશે?

તેવા લોકપ્રશ્નો પણ ઉદભવી રહ્યા છે. ત્યારે પાલિકાતંત્ર ક્યારે આ સ્વામી વિવેકાનંદના દીવાલ ચિત્રની સાફ સફાઈ કરાવે છે તે જોવાનું રહ્યું.

Loading

The post Jetpur News: જેતપુર નગરપાલિકાની ઈમારતમાં જ સ્વામી વિવેકાનંદનું અપમાન appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-news-insulting-of-swami-vivekananda-in-municipal-building-dr/7747/feed/ 0 7747
પોલીસની કામગીરી હોમગાર્ડ કે જીઆરડી પાસે ન કરાવવા અંગે કલેકટરને કરવામાં આવી રજૂઆત http://revoltnewsindia.com/application-to-collector-not-transferring-police-work-to-homeguard-grd-dr/7740/ http://revoltnewsindia.com/application-to-collector-not-transferring-police-work-to-homeguard-grd-dr/7740/#respond Sun, 10 Sep 2023 12:22:31 +0000 http://revoltnewsindia.com/?p=7740 પોલીસની કામગીરી હોમગાર્ડ કે જીઆરડી પાસે ન કરાવવા અંગે કલેકટરને કરવામાં આવી રજૂઆત

The post પોલીસની કામગીરી હોમગાર્ડ કે જીઆરડી પાસે ન કરાવવા અંગે કલેકટરને કરવામાં આવી રજૂઆત appeared first on REVOLT NEWS INDIA.

]]>

અમદાવાદ જિલ્લામાં મામલતદાર, પ્રાંત અધિકારી કચેરીઓમાં હોમગાર્ડ, જીઆરડી દ્વારા આરોપીઓને જામીન મુક્ત કરવા રજૂ કરનાર વિરુદ્ધ કાર્યવાહીની માંગ

રિપોર્ટ: દિનેશ રાઠોડ,

Ahmedabad News: દલિત અધિકાર મંચના સંયોજક કિરીટ રાઠોડ દ્વારા જિલ્લા કલકેટર અમદાવાદને કરવામાં આવેલી લેખિત રજૂઆત મુજબ અમદાવાદ જિલ્લામાં સુલેહ શાંતિ ભંગની ફરિયાદના આરોપીઓને હોમગાર્ડ, જી.આર.ડી જવાનો નિયમ વિરુદ્ધ મામલતદાર તેમજ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજુ કરવાની કામગીરી બંધ કરાવવાની કાર્યવાહી અંગે તેમણે અમદાવાદ જિલ્લા કલેકટર પ્રવિણા. ડી.કે. (આઇ.એ.એસ.)ને 27.07.2023ના રોજ રજુઆત કરી હતી.

દલિત અધિકાર મંચ દ્વારા કરવામાં આવેલી રજૂઆત

જિલ્લા કલકેટર દ્વારા હાથ ધરવામાં આવી કાર્યવાહી

આ રજુઆત બાદ આ પ્રથા બંધ કરવા નિયમોનુસાર કાર્યવાહી કરવા માટે સંબંધિત સત્તામંડળ (1) પોલીસ કમિશનર, અમદાવાદ, (2) પોલીસ અધિક્ષક, અમદાવાદ ગ્રામ્ય, (3) સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ તમામ અમદાવાદ, (4) મામલતદાર તમામ અમદાવાદ, (5) એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટ કોર્ટ નં.1 ઘી કાંટા અમદાવાદ, (6) એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટ કોર્ટ નં. 2 ઘી કાંટા અમદાવાદને લેખિત સૂચના દ્વારા કાર્યવાહી કરવા તેમજ કરવામાં આવેલ કાર્યવાહીનો અહેવાલ પણ મંગાવવામાં આવ્યો છે.

જિલ્લા કલેકટર દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી

સાથે જ દલિત અધિકાર મંચના સંયોજક કિરીટ રાઠોડ દ્વારા અપીલ કરવામાં આવી છે કે જો આપના તાલુકાની મામલતદાર ઓફીસ કે પ્રાંત ઓફિસમાં હોમગાર્ડ / GRD જવાન આરોપીઓને રજૂ કરતા હોવાનું ધ્યાને આવે તો અમોને સંપર્ક કરી શકો છો મો. 9727745387.

Loading

The post પોલીસની કામગીરી હોમગાર્ડ કે જીઆરડી પાસે ન કરાવવા અંગે કલેકટરને કરવામાં આવી રજૂઆત appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/application-to-collector-not-transferring-police-work-to-homeguard-grd-dr/7740/feed/ 0 7740
જેતપુરના RTI કાર્યકર્તાની ફરિયાદને લીધે શિક્ષણ બોર્ડના મ. સચિવને ગુજરાત માહિતી આયોગે ફટકાર્યો દંડ http://revoltnewsindia.com/jetpur-rajkot-assistant-secretary-of-education-board-was-fined-by-information-commission-for-not-providing-rti-information-dr/7701/ http://revoltnewsindia.com/jetpur-rajkot-assistant-secretary-of-education-board-was-fined-by-information-commission-for-not-providing-rti-information-dr/7701/#respond Tue, 08 Aug 2023 15:27:19 +0000 http://revoltnewsindia.com/?p=7701 રાજકોટ જિલ્લાના જેતપુરના RTI કાર્યકર્તા યોગેન્દ્રસિંહ ગોહિલને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરના મદદનીશ સચિવ અને જાહેર માહિતી અધિકારી ડૉ. દિનેશ એમ. કણસરીયા દ્વારા તેમણે માંગેલી માહિતી સમયસર ન આપતા RTI કાર્યકર્તા યોગેન્દ્રસિંહ ગોહિલે ગુજરાત માહિતી આયોગના દરવાજા ખટખટાવ્યાં હતા.

The post જેતપુરના RTI કાર્યકર્તાની ફરિયાદને લીધે શિક્ષણ બોર્ડના મ. સચિવને ગુજરાત માહિતી આયોગે ફટકાર્યો દંડ appeared first on REVOLT NEWS INDIA.

]]>

રિપોર્ટ દિનેશ રાઠોડ, જેતપુર (રાજકોટ),

Jetpur: રાજકોટ જિલ્લાના જેતપુરના RTI કાર્યકર્તા યોગેન્દ્રસિંહ ગોહિલે ગુજરાત માહિતી આયોગમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરના મદદનીશ સચિવ અને જાહેર માહિતી અધિકારી ડૉ. દિનેશ એમ. કણસરીયાએ તેમણે માંગેલી માહિતી ન આપતા ફરિયાદ કરેલી હતી.

જેને લઇને ગુજરાત માહિતી આયોગ દ્વારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરના મદદનીશ સચિવ અને જાહેર માહિતી અધિકારી ડૉ. દિનેશ એમ. કણસરીયાને માહિતીનો અધિકાર અધિનિયમ-2005ની કલમ-20(1)ની જોગવાઇ મુજબ રૂા. 10000/-(રૂપિયા દસ હજાર પૂરા)નો દંડ ફટકાર્યો હતો.

મીડિયા સાથેની વાતચીતમાં RTI કાર્યકર્તા યોગેન્દ્રસિંહ ગોહિલે શું કહ્યું?

RTI કાર્યકર્તા યોગેન્દ્રસિંહ ગોહિલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવેલ કે જેતપુરમાં આવેલ એ-સકસેસ સ્કૂલે ગેરરીતિથી મંજૂરી મેળવેલ હોય. તે બાબતની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરને લેખિત રજૂઆત 17/08/2021ની અરજી દ્વારા કરેલ હોય. જેની માહિતી તેમણે નમૂના ક’ થી 13/06/2022 ના રોજ માગેલ હતી. જે માહિતી આપેલ ન હોય, તેથી તેઓએ માહિતી બાબતની ગુજરાત માહિતી આયોગમાં ફરિયાદ કરેલ હતી. જે ધ્યાને લઈ ગુજરાત માહિતી આયોગ દ્વારા ₹10,000 નો મદદનીશ સચિવ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરને દંડ ફટકારવામાં આવ્યો હતો.

RTI કાર્યકર્તા યોગેન્દ્રસિંહ ગોહિલ દ્વારા માંગવામાં આવેલ માહિતીની નકલ જે નીચે મુજબ છે

શું છે પૂરો મામલો?

રાજકોટ જિલ્લાના જેતપુરના RTI કાર્યકર્તા યોગેન્દ્રસિંહ ગોહિલને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરના મદદનીશ સચિવ અને જાહેર માહિતી અધિકારી ડૉ. દિનેશ એમ. કણસરીયા દ્વારા તેમણે માંગેલી માહિતી સમયસર ન આપતા RTI કાર્યકર્તા યોગેન્દ્રસિંહ ગોહિલે ગુજરાત માહિતી આયોગના દરવાજા ખટખટાવ્યાં હતા.

ત્યારે 28/07/2023ના ગુજરાત માહિતી આયોગના હુકમ મુજબ RTI કાર્યકર્તા યોગેન્દ્રસિંહ ગોહિલ દ્વારા માહિતી અધિકાર અધિનિયમ 2005ની કલમ-18(1) હેઠળ આયોગ સમક્ષ ફરિયાદ કરેલ હતી. આ ફરિયાદને આયોગ દ્વારા ધ્યાને લેતા તેની સુનવણી કરવામાં આવી હતી.

વધુ વિગત માટે વાંચો આયોગ દ્વારા આપેલા હુકમની નકલ જે નીચે મુજબ છે.

Loading

The post જેતપુરના RTI કાર્યકર્તાની ફરિયાદને લીધે શિક્ષણ બોર્ડના મ. સચિવને ગુજરાત માહિતી આયોગે ફટકાર્યો દંડ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-rajkot-assistant-secretary-of-education-board-was-fined-by-information-commission-for-not-providing-rti-information-dr/7701/feed/ 0 7701
Jetpur News: ST બસની અનિયમિતતાને લઈને આંદોલન કરવાની ચીમકી સાથે ABVP દ્વારા આપવામાં આવ્યું આવેદન http://revoltnewsindia.com/jetpur-rajkot-memorandum-given-by-abvp-regarding-st-bus-irregularity/7695/ http://revoltnewsindia.com/jetpur-rajkot-memorandum-given-by-abvp-regarding-st-bus-irregularity/7695/#respond Fri, 04 Aug 2023 14:21:46 +0000 https://revoltnewsindia.com/?p=7695 જેતપુર (રાજકોટ): રાજ્ય સરકારની GSRTC બસની અનિયમિતતાને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે ABVP દ્વારા આજે જેતપુર એસ.ટી. બસ સ્ટેશનને વિદ્યાર્થીઓ સાથે ત્યાં ફરજ પરના અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું

The post Jetpur News: ST બસની અનિયમિતતાને લઈને આંદોલન કરવાની ચીમકી સાથે ABVP દ્વારા આપવામાં આવ્યું આવેદન appeared first on REVOLT NEWS INDIA.

]]>

રિપોર્ટ: દિનેશ રાઠોડ, જેતપુર (રાજકોટ): રાજ્ય સરકારની GSRTC બસની અનિયમિતતાને લઈને અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ એટલે કે ABVP દ્વારા આજે જેતપુર એસ.ટી. બસ સ્ટેશને વિદ્યાર્થીઓ સાથે ત્યાં ફરજ પરના અધિકારીને આવેદન પત્ર આપવામાં આવ્યું હતું.

આ અગાઉ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદે તેમણે આપેલા આવેદનમાં જણાવ્યા મુજબ 16 જૂન 2023ના રોજ એસ.ટી. બસની અનિયમિતતાને લીધે મૌખિક રજૂઆત કરેલી હતી.

જો કે જેતપુરના એસ.ટી. તંત્રે વિધાર્થીઓને પડતી હાલાકી દૂર કરવાને બદલે આંખ આડા કાન કર્યા હતા. જેને લઇને આજે ABVP દ્વારા વિધાર્થીઓને સાથે રાખીને જેતપુર એસ.ટી. બસ સ્ટેશન ખાતે ધામા નાખ્યા હતા.

તેમજ જેતપુર ડેપોના જેતપુર-નવાગામ-જેતપુરના અનિયમિત બસ રૂટને નિયમિત કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી.

તેમજ જો આ માંગ ત્રણ દિવસમાં પૂરી કરવામાં નહિ આવે તો આંદોલન કરવાની ચીમકી પણ અખિલ ભારતીય વિદ્યાર્થી પરિષદ દ્વારા ઉચ્ચારવામાં આવી હતી.

Loading

The post Jetpur News: ST બસની અનિયમિતતાને લઈને આંદોલન કરવાની ચીમકી સાથે ABVP દ્વારા આપવામાં આવ્યું આવેદન appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-rajkot-memorandum-given-by-abvp-regarding-st-bus-irregularity/7695/feed/ 0 7695
Jetpur News: “શેહરના રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઈટોનું કામ નહિ થાય તો નકોડા ઉપવાસ કરીશું” -કૉંગ્રેસ http://revoltnewsindia.com/jetpur-rajkot-memorandum-congress-on-inconvenience-of-public-facilities-dr/7675/ http://revoltnewsindia.com/jetpur-rajkot-memorandum-congress-on-inconvenience-of-public-facilities-dr/7675/#respond Wed, 02 Aug 2023 14:01:49 +0000 http://revoltnewsindia.com/?p=7675 જેતપુરમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા રોડ રસ્તાઓ, સ્ટ્રીટ લાઈટો, ભૂગર્ભ ગટર, સ્વચ્છતા વગેરે બાબતોને લઈને આજે જેતપુર શહેર મામાલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું

The post Jetpur News: “શેહરના રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઈટોનું કામ નહિ થાય તો નકોડા ઉપવાસ કરીશું” -કૉંગ્રેસ appeared first on REVOLT NEWS INDIA.

]]>

Jetpur: ચોમાસાના કારણે જેતપુર નવાગઢ નગરપાલિકાની હદમાં આવતા વિસ્તારો જાણે આફ્રિકાના વિસ્તારો થઈ ગયા હોય એવા હાલના સમયમાં દેખાય રહ્યા છે. જેમાં ઘણા વિસ્તારોમાં પાકા રસ્તાઓ નથી, મહિનાઓથી સ્ટ્રીટ લાઈટો નથી, સાફ સફાઈ પણ કરવામાં આવતી ન હોય જેને લીધે પોતાની ફરજ સમજીને લોકશાહીના ચોથા સ્તંભ એવા મીડિયાએ લોકોની વેદનાઓ વારંવાર રજૂ કરી હતી અને હાલમાં કરે પણ છે.

ત્યારે આજે જાણે જેતપુરમાં ઘણા લાંબા સમય પછી વિપક્ષ ઊંઘમાંથી ઉડીને વિરોધ કરતા જોવા મળ્યું હતું. ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા રોડ રસ્તાઓ, સ્ટ્રીટ લાઈટો, ભૂગર્ભ ગટર, સ્વચ્છતા વગેરે બાબતોને લઈને આજે જેતપુર શહેર મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં આક્ષેપો અને માંગ પણ કરવામાં આવી હતી.

જે આ મુજબ હતી, ચોમાસા પહેલાં જેતપુરમાં પ્રિમોન્સુનની કામગીરી કરવામાં આવી હતી. ચોમાસું શરૂ થતાની સાથે આ કામગીરી શોભાના ગાઠીયા સમાન જોવા મળેલ છે.

જેતપુર એક સાડી ઉદ્યોગનું મોટું નામ ધરાવતુ હોય, ત્યારે જેતપુર શહેરના અનેક વિસ્તારોમાં લાઇટો રીપેરીંગ બાબતે કામગીરી ઠપ જેવી જણાય છે.

જેમનું મુખ્ય કારણ સતાપક્ષના ભુતપુર્વ સુધરાઇ સભ્યો આવનારી જેતપુર નવાગઢ નગરપાલીકાની ચુંટણીને અનુલક્ષીને પોતાના વિસ્તારોની વોટબેંક સાચવવા માટે લાઇટની ગાડીઓ લઇ જતા હોય છે.

અને ગાડીઓ સાથે જ રહેતા હોય છે. ત્યારે એવુ લાગે છે કે જેતપુર નવાગઢ નગરપાલીકાની અંદર વહીવટી શાસન નહીં પણ રીમોટથી ચાલતુ ટીવી લાગી રહયુ છે.

અંદાજીત એક વર્ષ પહેલાં અમારા દ્વારા જેતપુર નવાગઢ નગરપાલીકાના ચીફ ઓફિસર સાહેબને નવી લાઇટો બાબતે આવેદન આપેલ હોય જેમાં તેના પ્રતિ ઉતરમાં સારો જવાબ મળેલ હતો. પણ એક વર્ષ ઉપર થઇ જતાં હાલ હજી સુધી કોઇ નવી લાઇટોનું નિવારણ આવેલ નથી.

જેતપુર શહેરમાં આવેલ પછાત વિસ્તારોમાં રોડ રસ્તા બનાવવા બાબતે અગાઉ પણ રજુઆત કરવામાં આવી હતી છતાં હાલ પછાત વિસ્તારોમાં નવા રસ્તાઓ બનાવવામાં આવ્યા નથી. તેમજ ભુર્ગભની નવી લાઇનો હજીસુધી મંજુર કરવામાં નથી.

છતાં પછાત વિસ્તારોમાંથી ભુર્ગભ ગટરોનો વેરો ઉઘરાવવામાં આવે છે. તેમજ પછાત વિસ્તારોના રોડ-રસ્તાઓ ગંદકીથી ભરપુર હોય છે.

ત્યારે વહીવટી તંત્ર દ્વારા પછાત વિસ્તારો તેમજ ગંદકીઓ ભર્યા વિસ્તારોમાં કપચી તેમજ સીલીકોટની રેતી નખાવી પછાત વિસ્તારના લોકોને મુશ્કેલી મુકત કરવા અને

જેતપુર શહેરના ભુર્ગભ ગટરના ઢાકણાઓ રોડ રસ્તા કરતા ખુબ નીચા પ્રમાણમાં હોય છે, તેમજ ઢાકણાઓની હાલત બોવ ખરાબ હોય છે. અથવા તો તુટી ગયેલા હોય છે. અને તેની આજુ બાજુમાં બોવ મોટા ખાડાઓ પડી ગયેલા હોય છે,

તેમજ અધિકારીઓ અને ઉદ્યોગપતીઓ પાસે નાની મોટી લકઝરી ગાડીઓ હોવાથી તે લોકોને આવા નાના મોટા ખાડાઓ નડતા ન હોય અને આવી મુશ્કેલીઓનો સામનો નાના મધ્યવર્ગના માણસોને થતી હોય છે.

હાલ જૂનાગઢ રોડ પર આવેલા શિવકૃપા-1, શિવકૃપા-2, શિવકૃપા-3, ગણેશનગર-1, ગણેશનગર-2, દાતારનગર તેમજ ગઢની રાંગનો પછાત વિસ્તાર-નવાગઢ, વડલીચોક, બાપુનીવાડી, રામૈયા હનુમાન-વિસ્તાર, ભોજાધાર-વિસ્તાર, દાસીજીવણપરા,

જલારામ-1, જલારામ-2, જલારામ-3, સામાકાંઠાથી દેરડી રોડ, જન કલ્યાણી વિસ્તાર, નકલંક રોડ, સરદાર ચોક-કેનાલરોડથી નવાગઢ બળદેવ ઘુસાની ધાર સુધી,

જેતપુર સામાકાંઠા વિસ્તાર, નંદાણીયા નગર સામાકાઠે, દેરડી આવાસ યોજના, નવાગઢ મુખ્ય રોડ, નવાગઢ રેલ્વેના નીચેના બ્રીજમાં મોટા ખાડાઓ તેમજ પાણીની સમસ્યાઓ સર્જાય છે.

રબારીકા ગામ જવા માટેનું અંડર બ્રીજના નીચેના ભાગમાં મોટા પ્રમાણમાં ઉપરવાસનું પાણી આવતુ હોય ત્યારે મીડીયાની અંદર પણ આવી ગયેલ હોય છતાં પણ નેશનલ હાઇવે દ્વારા કોઇ કામગીરી કરવામાં આવી નથી.

અને સામાન્ય લોકોનો જીવ જોખમમાં આવી શકે તેમ છે.

જેમનો વહેલા તે પહેલાં ઘોરણે યોગ્ય કાર્યવાહી કરવા બાબત.ઉપરોકત રજુઆત અંગે દિવસ 20 ની અંદર યોગ્ય કાર્યવાહી કરવામાં નહી આવે તો અમે મંજુરી સાથે નકોડા ઉપવાસ ઉપર બેસવાની ફરજ પડશે.

તેમજ ઘણા લોકો દ્વારા પછાતવર્ગના લોકાને કોઈપણ સહાયતા પુરી પાડવામાં આવતી હોય ત્યારે તેમના ફોટા પાડીને ફોટાઓ સોશીયલ મીડીયામાં વાયરલ કરવામાં આવતા હોય. જેમાં ગરીબ લોકોની મજાક ઉડાવતા હોય તેવુ લાગી રહ્યુ છે.

Loading

The post Jetpur News: “શેહરના રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઈટોનું કામ નહિ થાય તો નકોડા ઉપવાસ કરીશું” -કૉંગ્રેસ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-rajkot-memorandum-congress-on-inconvenience-of-public-facilities-dr/7675/feed/ 0 7675
ગુજરાતમાં ઓનલાઈન જુગારની એપ્લીકેશન બંદ કરાવો, CMને બોટાદના MLAની રજૂઆત http://revoltnewsindia.com/botad-mla-writes-a-letter-to-cm-stop-online-gambling-application-in-gujarat/7658/ http://revoltnewsindia.com/botad-mla-writes-a-letter-to-cm-stop-online-gambling-application-in-gujarat/7658/#respond Sat, 01 Jul 2023 13:33:13 +0000 https://revoltnewsindia.com/?p=7658 બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી
ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે

The post ગુજરાતમાં ઓનલાઈન જુગારની એપ્લીકેશન બંદ કરાવો, CMને બોટાદના MLAની રજૂઆત appeared first on REVOLT NEWS INDIA.

]]>

બોટાદ વિધાનસભા સીટના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ મુખ્યમંત્રી ભુપેન્દ્ર પટેલને લખ્યો પત્ર

રાજ્યમાં ઓનલાઈન જુગારની એપ્લીકેશનને લીધે તાજેતરમાં જ એક યુવાને આપઘાત કર્યો હતો. તેમજ ઘણા લોકો પણ આવી ઓનલાઈન જુગારની એપ્લીકેસનને લીધે બરબાદ થયાના પણ દાખલાઓ સામે આવે આવ્યાં છે ત્યારે આપના બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા રાજ્યના મુખ્યમંત્રી
ભુપેન્દ્રભાઈ પટેલને પત્ર લખી રજૂઆત કરવામાં આવી છે, જેમાં તેમણે લખ્યું છે કે, જય ભારત સાથે જણાવવાનું કે ગુજરાત રાજ્યમાં ઓનલાઈન તીનપતી જુગાર રમવાને કારણે વિદ્યાર્થીઓનું અને યુવાનોનું ભવિષ્ય ખુબ જ સંકટમાં છે,

રાજ્યમાં ઓનલાઈન જુગારની એપ્લીકેશનને લીધે તાજેતરમાં જ એક યુવાને આપઘાત કર્યો હતો. તેમજ ઘણા લોકો પણ આવી ઓનલાઈન જુગારની એપ્લીકેશનને લીધે બરબાદ થયાના પણ દાખલાઓ સામે આવે આવ્યાં છે
બોટાદના ધારાસભ્ય ઉમેશ મકવાણા દ્વારા મુખ્યમંત્રી ભુપેન્દ્રભાઈ પટેલને લખવામાં આવેલ પત્ર

આવી એપ્લીકેશનમાં જુગાર રમવાને કારણે વિદ્યાર્થીઓ અને યુવનો દેવામાં ડૂબી જતા હોય છે. અને આખરે તેઓ જીવન ટુકાવી દેતા હોય છે. હાલમાં તારીખ 30 જુનના રોજ રાજકોટમાં CAનો અભ્યાસ કરતો વિદ્યાર્થી ઓનલાઈન તીનપતી રમવાને કારણે દેવું થતા આત્મહત્યા કરેલ છે. અને આવા અઘટિત બનાવો ગુજરાતના વિવિધ જીલ્લામાં વારંવાર બનતા હોય છે તો આવી જુગારની ઓનલાઈન એપ્લીકેશન તેમજ ગુજરાતી ચેનલમાં આવતી તીનપતિ. રમી, વિમલ ગુટકા, દારૂ વગેરે, એડ ઉપર પણ તત્કાલ પ્રતિબંધ મુકવામાં આવે તેવી વિનંતી સહ ભલામણ છે.

Loading

The post ગુજરાતમાં ઓનલાઈન જુગારની એપ્લીકેશન બંદ કરાવો, CMને બોટાદના MLAની રજૂઆત appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/botad-mla-writes-a-letter-to-cm-stop-online-gambling-application-in-gujarat/7658/feed/ 0 7658
Rajkot: જોડીયા બાળકોને જન્મ અપાવી ત્રણ માનવજિંદગીઓ માટે જીવનદાતા બની “108 સેવા” http://revoltnewsindia.com/rajkot-admirable-performance-by-108-ambulance-team-rni-dr/7636/ http://revoltnewsindia.com/rajkot-admirable-performance-by-108-ambulance-team-rni-dr/7636/#respond Sat, 20 May 2023 00:30:00 +0000 https://revoltnewsindia.com/?p=7636 108ની ટીમે સમયસૂચકતા વાપરી એમ્બ્યુલન્સની અંદર જ પ્રસુતાની જટિલ પ્રસુતિ પણ નોર્મલ અને સફળ કરાવતાં બે ફુલ જેવા કોમળ જોડીયા બાળકોને જન્મ અપાવી ત્રણ માનવજિંદગીઓ માટે જીવનદાતા બની પ્રશંસનીય કાર્ય કરતા પરિવારજનોએ 108 સેવા અને તેના આરોગ્યકર્મીઓને બિરદાવી દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.

The post Rajkot: જોડીયા બાળકોને જન્મ અપાવી ત્રણ માનવજિંદગીઓ માટે જીવનદાતા બની “108 સેવા” appeared first on REVOLT NEWS INDIA.

]]>
File photo

રાજકોટ 108 ટીમની પ્રશંસનીય કામગીરી

Rajkot: રાજકોટના રાજસમઢિયાળા ગામની પ્રસુતા માટે “108 એમ્બ્યુલન્સ” સેવા જોડિયા બાળકો સહિત ત્રણ જિંદગીઓની જીવનદાતા બની હતી. 108ના જિલ્લા સુપરવાઈઝર દર્શિત પટેલએ જણાવ્યું હતું કે, રાજકોટના રાજસમઢિયાળા ગામે ખેત મજુરી અર્થે આવેલા 26 વર્ષીય પ્રસુતાને પ્રસવ પીડા ઉપડતા આશાવર્કર બહેને 108ને કોલ કર્યો હતો. રાજકોટ 108ના સરધાર લોકેશન ફરજ ઉપરના ઈ.એમટી. કાળુભાઈ ગોહિલ અને પાયલોટ મનસુખભાઈ મેણીયા સત્વરે ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

વધુ વિગતો આપતા 108ના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર અને ઈ.એમ.ઈ. યોગેશ જાનીએ જણાવ્યું હતું કે, રાજ સમઢિયાળા વાડી વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય પ્રસુતાને હોસ્પિટલ લાવી રહ્યા હતા.

ત્યારે અસહ્ય દુ:ખાવો ઉપડતાં હોસ્પિટલ પહોંચતા પહેલાં જ પ્રસુતિ કરાવવી જરૂરી જણાતા. ગામની બહાર જ રસ્તાની સાઈડમાં 108 ઉભી રાખી સ્થળ ઉપર જ પ્રસુતિ કરાવવાની ફરજ પડી હતી.

એપ્રિલ માસમાં રાજકોટનાં 48 સહીત ગુજરાતનાં 784 બાળકોની એમ્બ્યુલન્સમાં સફળ પ્રસુતિ

એમ્બ્યુલન્સમાં હાજર ઈ.એમટી. કાળુભાઈ ગોહિલને પ્રસુતાનાં રીપોર્ટ તપાસતા જણાયું કે તેઓને જોડિયા બાળકો છે. પ્રસુતિ વેળાએ માથાનાં બદલે હાથ દેખાતા પ્રસુતિ કરાવવી મુશ્કેલ થઈ જતાં

ઈ.એમટી. કાળુભાઈએ સમયસૂચકતા વાપરી 108 હેડ ઓફીસનાં ઈ.આર.સી.પી. ડો. જય અને ડો.મયુરનું ટેલીફોનીક માર્ગદર્શન મેળવી પ્રસુતાની નોર્મલ અને સફળ પ્રસુતિ કરાવી બે જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો.

નવજાત શિશુઓને શ્વાસ લેવામાં થોડી તકલીફ હોવાથી કૃત્રિમ શ્વાસ અને ઓક્સિજન આપી જરૂરી સારવાર આપવામાં આવી હતી.

વધુ સારવાર અર્થે નવજાત શિશુઓ અને માતાને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ માતા અને શિશુઓ સંપુર્ણપણે સ્વસ્થ છે.

108ની ટીમે સમયસૂચકતા વાપરી એમ્બ્યુલન્સની અંદર જ પ્રસુતાની જટિલ પ્રસુતિ પણ નોર્મલ અને સફળ કરાવતાં બે ફુલ જેવા કોમળ જોડીયા બાળકોને

જન્મ અપાવી ત્રણ માનવજિંદગીઓ માટે જીવનદાતા બની પ્રશંસનીય કાર્ય કરતા પરિવારજનોએ 108 સેવા અને તેના આરોગ્યકર્મીઓને બિરદાવી દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, એમ્બ્યુલન્સમાં હાજર ઈ.એમ. ટી.ની મદદથી એપ્રિલ માસમાં રાજકોટનાં 48 સહીત ગુજરાતનાં 784 બાળકોની એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતિ કરાવવામાં આવી હતી.

Loading

The post Rajkot: જોડીયા બાળકોને જન્મ અપાવી ત્રણ માનવજિંદગીઓ માટે જીવનદાતા બની “108 સેવા” appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/rajkot-admirable-performance-by-108-ambulance-team-rni-dr/7636/feed/ 0 7636
Rajkot: ભાદર નદી ખાતે RTOનો દરોડો, ઓવરલોડ અને ટેક્સ ભર્યા વગરના વાહનો ઝડપી પડાયા http://revoltnewsindia.com/rajkot-rto-raid-bhadar-river-overloaded-without-tax-vehicles-seized-rni-dr/7628/ http://revoltnewsindia.com/rajkot-rto-raid-bhadar-river-overloaded-without-tax-vehicles-seized-rni-dr/7628/#respond Fri, 19 May 2023 13:54:04 +0000 https://revoltnewsindia.com/?p=7628 રાજકોટ તા. 19 મે - આર.ટી.ઓ. રાજકોટ દ્વારા અધિકારી કે.એમ.ખપેડના માર્ગદર્શન હેઠળ શહેર અને જિલ્લામાં વાહન ચેકીંગ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેમાં ઓવરલોડ, રોન્ગ સાઈડ ડ્રાઇવિંગ, લાઇસન્સ, આર.ટી.ઓ. પાસિંગ, ટેક્સ સહિતની બાબતો અંગે ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

The post Rajkot: ભાદર નદી ખાતે RTOનો દરોડો, ઓવરલોડ અને ટેક્સ ભર્યા વગરના વાહનો ઝડપી પડાયા appeared first on REVOLT NEWS INDIA.

]]>

Rajkot: રાજકોટ તા. 19 મે – આર.ટી.ઓ. રાજકોટ દ્વારા અધિકારી કે.એમ.ખપેડના માર્ગદર્શન હેઠળ શહેર અને જિલ્લામાં વાહન ચેકીંગ ઝુંબેશ ચલાવવામાં આવી રહી છે. જેમાં ઓવરલોડ, રોન્ગ સાઈડ ડ્રાઇવિંગ, લાઇસન્સ, આર.ટી.ઓ. પાસિંગ, ટેક્સ સહિતની બાબતો અંગે ચેકીંગ હાથ ધરવામાં આવી રહ્યું છે.

આજ રોજ વહેલી સવારે આર.ટી.ઓ. ટીમ દ્વારા ભલગામડા પાસે ભાદર નદી ખાતે રેડ પાડવામાં આવી હતી. આર.ટી.ઓ. અધિકારીના જણાવ્યા મુજબ આ રેડમાં કુલ 19 વાહનોની તલાશ કરવામાં આવી હતી. જેમાં 03 ઓવરલોડેડ વાહનો પકડવામાં આવ્યા હતાં.

જયારે આર.ટી.ઓ. ટેક્સ ન ભરેલા 04 વાહનો મળી આવેલ છે. રેડ દરમિયાન કેટલાક વાહનોના ડ્રાઈવર નાસી જતા સ્થળ પર વાહનો બિનવારસી હાલતમાં મળેલ હતાં.

આ વાહનોના માલિકો અંગે વિગતો મેળવી આગળની કાર્યવાહી હાથ ધરવામાં આવી હોવાનું આર.ટી.ઓ. અધિકારીએ જણાવ્યું હતું.

Loading

The post Rajkot: ભાદર નદી ખાતે RTOનો દરોડો, ઓવરલોડ અને ટેક્સ ભર્યા વગરના વાહનો ઝડપી પડાયા appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/rajkot-rto-raid-bhadar-river-overloaded-without-tax-vehicles-seized-rni-dr/7628/feed/ 0 7628
Jetpur: જેતપુરના આ વિસ્તારમાંથી ઝડપાયું કુટણખાનું http://revoltnewsindia.com/jetpur-prostitution-racket-caught-rni-dr/7604/ http://revoltnewsindia.com/jetpur-prostitution-racket-caught-rni-dr/7604/#respond Wed, 17 May 2023 17:54:49 +0000 https://revoltnewsindia.com/?p=7604 રાજકોટ જિલ્લાનું જેતપુર શહેર આમ તો ઔધોગિક શહેર તરીકે પ્રખ્યાત છે. ત્યારે જેતપુરમાં ગેરકાયદેસર ચાલતા ધંધોઓ પણ અવાર-નવાર સામે આવતા હોય છે. પોલીસતંત્ર દ્વારા પણ ગેરકાયદેસર ચાલતા ધંધોઓને ડામવા માટે કામગીરી કરવામાં આવતી હોય છે. જેને લઈને જેતપુરના એક વિસ્તારમાંથી કુટણખાનું ઝડપાયું છે.

The post Jetpur: જેતપુરના આ વિસ્તારમાંથી ઝડપાયું કુટણખાનું appeared first on REVOLT NEWS INDIA.

]]>
Symbolic Image

Rajkot: રાજકોટ જિલ્લાનું જેતપુર શહેર આમ તો ઔધોગિક શહેર તરીકે પ્રખ્યાત છે. ત્યારે જેતપુરમાં ગેરકાયદેસર ચાલતા ધંધોઓ પણ અવાર-નવાર સામે આવતા હોય છે. પોલીસતંત્ર દ્વારા પણ ગેરકાયદેસર ચાલતા ધંધોઓને ડામવા માટે કામગીરી કરવામાં આવતી હોય છે. જેને લઈને જેતપુરના એક વિસ્તારમાંથી કુટણખાનું ઝડપાયું છે.

આ વિસ્તારનું નામ એટલે નવાગઢ બળદેવધાર વિસ્તાર. આ બળદેવધાર વિસ્તારના પોતાના મકાનમાં જ બહારથી મહિલાઓ બોલાવી દેહવિક્રયનો ધંધો ચલાવતો ઇરફાન ઉર્ફે તોતડો મામદભાઈ ખેભર પોલીસના સકંજામાં આવી ગયો છે.

પકડાયેલા આરોપી

પોલીસના જણાવ્યા મુજબ ઇરફાન ઉર્ફે તોતડો મામદભાઈ ખેભર પોતે પોતાના કબ્જા ભોગવટાના મકાનમાં બહારથી મહિલાઓ બોલાવી પોતાના આર્થિક લાભ સારૂ આ મહિલાઓને પોતાના મકાને દેહવિક્રયનો ધંધો કરવા માટે સગવડતા કરી આપી ગ્રાહકો શોધી આપી. ગ્રાહકો પાસેથી શરીર સુખ ભોગવવા માટે નાણા લઈ આ નાણામાંથી કમીશન મેળવી અને દેહવિક્રયનો ધંધો કરતો હોવાની માહિતી મળતા.

આર.એ.ડોડીયા (DYSP), એ.એમ.હેરમા (PI), પો. કોન્સ નારણભાઇ પંપાણિયા, પો. કોન્સ બાપાલાલ ચુડાસમા ના.પો.અધિ. કચેરી જેતપુર તથા ડી-સ્ટાફ અને જેતપુર સીટી પોલીસ સ્ટાફ દ્વારા રેઇડ કરતા

ઇરફાન ઉર્ફે તોતડો મામદભાઈ ખેભરના મકાનમાંથી દેહવિક્રયનો ધંધો કરવા આવેલ મહિલા તેમજ આ મહિલા સાથે શરીર સુખ ભોગવવા આવેલ ઇસમ જયદિપ ધીરૂભાઈ પાઘડાર જાતે પટેલ રહે. ઢોળવા તા.ભેંસાણ જી. જૂનાગઢ મળી આવતા તેઓની વિરુધ્ધમાં કાયદેસરની કાર્યવાહી કરેલ હતી.

Loading

The post Jetpur: જેતપુરના આ વિસ્તારમાંથી ઝડપાયું કુટણખાનું appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-prostitution-racket-caught-rni-dr/7604/feed/ 0 7604
ભાયાવદરમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો ઝડપી પાડતી રાજકોટ ગ્રામ્ય LCB પોલીસ http://revoltnewsindia.com/rajkot-rural-lcb-police-seizing-liquor-bottles-from-bhayavadar-rni-dr/7601/ http://revoltnewsindia.com/rajkot-rural-lcb-police-seizing-liquor-bottles-from-bhayavadar-rni-dr/7601/#respond Mon, 15 May 2023 10:48:37 +0000 https://revoltnewsindia.com/?p=7601 રાજકોટ રેન્જના IG અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના SP જયપાલસિંહ રાઠોડ દ્વારા રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં દારૂ અને જુગારની પ્રવુતી નાબુદ કરવા સુચના આપેલ હોય

The post ભાયાવદરમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો ઝડપી પાડતી રાજકોટ ગ્રામ્ય LCB પોલીસ appeared first on REVOLT NEWS INDIA.

]]>
Symbolic Image

Rajkot: રાજકોટ રેન્જના IG અશોકકુમાર યાદવ તથા રાજકોટ ગ્રામ્ય જીલ્લાના SP જયપાલસિંહ રાઠોડ દ્વારા રાજકોટ ગ્રામ્ય જીલ્લામાં દારૂ અને જુગારની પ્રવુતી નાબુદ કરવા સુચના આપેલ હોય જે અન્વયે રાજકોટ ગ્રામ્ય એલસીબીના પોલીસ (Rajkot Rural LCB Police) ઈન્સ. વી.વી. ઓડેદરાના માર્ગદર્શન હેઠળ એલ.સી.બી. શાખાના પો.સબ.ઇન્સ ડી.જી.બડવા તથા પો.સબ.ઇન્સ એચ.સી.ગોહીલ દ્વારા અલગ અલગ ટીમો બનાવી કાર્યરત હતા.

જે દરમિયાન સંયુક્ત રીતે મળેલ બાતમીના આધારે ભાયાવદર પોલીસ સ્ટેશન વિસ્તારના મોટીપાનેલી ગામની સીમમાં માંડાસણ રોડ પર આવેલ અનીલ જેન્તીભાઇ જાદવ રહે. ગામ મોટીપાનેલી વાળાની કબ્જા ભોગવટાની વાડીએ રેઇડ કરી ભારતીય બનાવટની ઇંગ્લીશ દારૂની બોટલ નંગ –52 કી. રૂ. 27,040/- ની કબ્જે કરી કાયદેસર કાર્યવાહી કરેલ હતી.

પકડવા પર બાકી આરોપી: અનીલ જેન્તીભાઇ જાદવ રહે. ગામ મોટી પાનેલી માંડાસણ રોડ જુના જારવાસ, તા. ઉપલેટા, જી. રાજકોટ.

આ કામગીરી કરનાર ટીમમાં રાજકોટ ગ્રામ્ય એલસીબી પોલીસના ઇન્સ. વી.વી.ઓડેદારા, પો.સબ.ઈન્સ ડી.જી.બડવા, પો.સબ.ઇન્સ એચ.સી.ગોહીલ, પો.સબ.ઇન્સ જે.યુ.ગોહીલ એ.એસ.આઇ મહેશ જાની, પો.હેડ.કોન્સ. શક્તિસિંહ જાડેજા, નીલેશ ડાંગર, વાસુદેવસિંહ જાડેજા, દીવ્યેશ સુવા, તથા પો કોન્સ કૌશીક જોષી, મહેશ સારીખડા, મેહુલ સોનરાજ તથા ડ્રા. પો કોન્સ અનીરૂધ્ધસિંહ જાડેજા જોડાયેલા હતા. તેમ એલ.સી.બી. (Local Crime Branch) રાજકોટ ગ્રામ્ય (RAJKOT RURAL) ની યાદીમાં જણાવવામાં આવેલ હતું.

Loading

The post ભાયાવદરમાંથી ઇંગ્લીશ દારૂની બોટલો ઝડપી પાડતી રાજકોટ ગ્રામ્ય LCB પોલીસ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/rajkot-rural-lcb-police-seizing-liquor-bottles-from-bhayavadar-rni-dr/7601/feed/ 0 7601