NewsJetpur Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/newsjetpur/ News for India Tue, 26 Sep 2023 10:14:29 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png NewsJetpur Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/newsjetpur/ 32 32 174330959 Jetpur News: જેતપુર નગરપાલિકાની ઈમારતમાં જ સ્વામી વિવેકાનંદનું અપમાન http://revoltnewsindia.com/jetpur-news-insulting-of-swami-vivekananda-in-municipal-building-dr/7747/ http://revoltnewsindia.com/jetpur-news-insulting-of-swami-vivekananda-in-municipal-building-dr/7747/#respond Tue, 26 Sep 2023 10:14:27 +0000 http://revoltnewsindia.com/?p=7747 વિશ્વકક્ષાએ અમેરિકામાં હિન્દૂ ધર્મ વિશે ભાષણ આપનારા અને યુથ આઇકોન તેમજ હિંદુ આઈકોન સ્વામી વિવેકાનંદનું રાજકોટ જિલ્લાના જેતપુરમાં જેતપુર-નવાગઢ નગરપાલિકાના પરિસરમાં જ અપમાન થઈ રહ્યું છે.

The post Jetpur News: જેતપુર નગરપાલિકાની ઈમારતમાં જ સ્વામી વિવેકાનંદનું અપમાન appeared first on REVOLT NEWS INDIA.

]]>
આ ચિત્ર નગરાપાલિકાની મેઈન બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર જ આવેલું છે, ત્યારે આ ચિત્ર પાસેથી જ નગરાપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ પણ અવર-જવર કરતા હોય છે.

Report by Dinesh Rathod,
Rajkot News: વિશ્વકક્ષાએ અમેરિકામાં હિન્દૂ ધર્મ વિશે ભાષણ આપનારા અને યુથ આઇકોન તેમજ હિંદુ આઈકોન સ્વામી વિવેકાનંદનું રાજકોટ જિલ્લાના જેતપુરમાં જેતપુર-નવાગઢ નગરપાલિકાના પરિસરમાં જ અપમાન થઈ રહ્યું છે. નગરપાલિકાની ઈમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર જ સ્વામી વિવેકાનંદનું સ્વચ્છ સર્વેક્ષણ 2023નું એક દીવાલ ચિત્ર દોરવામાં આવેલું છે.

જેના પર પાન, માવા અને મસાલાની થુંકની પિચકારીઓ જોવા મળશે. તેમજ આ ચિત્રની બાજુમાં જ કચરા ટોપલી મૂકવામાં આવેલી છે, તે પણ જોવા મળશે.

આ ચિત્ર નગરાપાલિકાની મેઈન બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર જ આવેલું છે, ત્યારે આ ચિત્ર પાસેથી જ નગરાપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ પણ અવર-જવર કરતા હોય છે.

ત્યારે પ્રશ્ન પણ ઉદભવે છે કે શું તેઓને હિંદુ આઈકોન સ્વામી વિવેકાનંદના ચિત્ર પર કરવામાં આવતી પાન, માવા અને મસાલાની થુંકની પિચકારીઓ દેખાતી નહિ હોય? ચિત્રની બાજુમાં જ મૂકવામાં આવેલી કચરા ટોપલી પણ દેખાતી નહિ હોય?

ઉલ્લેખનીય છે કે સાફ સફાઈની જવાબદારી સેનેટરી વિભાગમાં આવતી હોય છે, ત્યારે શું સેનેટરી વિભાગના અધિકારીઓ અહીંથી આંખો બંધ કરીને પસાર થતા હશે?

તેવા લોકપ્રશ્નો પણ ઉદભવી રહ્યા છે. ત્યારે પાલિકાતંત્ર ક્યારે આ સ્વામી વિવેકાનંદના દીવાલ ચિત્રની સાફ સફાઈ કરાવે છે તે જોવાનું રહ્યું.

Loading

The post Jetpur News: જેતપુર નગરપાલિકાની ઈમારતમાં જ સ્વામી વિવેકાનંદનું અપમાન appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-news-insulting-of-swami-vivekananda-in-municipal-building-dr/7747/feed/ 0 7747
Jetpur News: “શેહરના રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઈટોનું કામ નહિ થાય તો નકોડા ઉપવાસ કરીશું” -કૉંગ્રેસ http://revoltnewsindia.com/jetpur-rajkot-memorandum-congress-on-inconvenience-of-public-facilities-dr/7675/ http://revoltnewsindia.com/jetpur-rajkot-memorandum-congress-on-inconvenience-of-public-facilities-dr/7675/#respond Wed, 02 Aug 2023 14:01:49 +0000 http://revoltnewsindia.com/?p=7675 જેતપુરમાં કોંગ્રેસ પાર્ટી દ્વારા રોડ રસ્તાઓ, સ્ટ્રીટ લાઈટો, ભૂગર્ભ ગટર, સ્વચ્છતા વગેરે બાબતોને લઈને આજે જેતપુર શહેર મામાલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું

The post Jetpur News: “શેહરના રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઈટોનું કામ નહિ થાય તો નકોડા ઉપવાસ કરીશું” -કૉંગ્રેસ appeared first on REVOLT NEWS INDIA.

]]>

Jetpur: ચોમાસાના કારણે જેતપુર નવાગઢ નગરપાલિકાની હદમાં આવતા વિસ્તારો જાણે આફ્રિકાના વિસ્તારો થઈ ગયા હોય એવા હાલના સમયમાં દેખાય રહ્યા છે. જેમાં ઘણા વિસ્તારોમાં પાકા રસ્તાઓ નથી, મહિનાઓથી સ્ટ્રીટ લાઈટો નથી, સાફ સફાઈ પણ કરવામાં આવતી ન હોય જેને લીધે પોતાની ફરજ સમજીને લોકશાહીના ચોથા સ્તંભ એવા મીડિયાએ લોકોની વેદનાઓ વારંવાર રજૂ કરી હતી અને હાલમાં કરે પણ છે.

ત્યારે આજે જાણે જેતપુરમાં ઘણા લાંબા સમય પછી વિપક્ષ ઊંઘમાંથી ઉડીને વિરોધ કરતા જોવા મળ્યું હતું. ત્યારે કોંગ્રેસ પાર્ટી દ્વારા રોડ રસ્તાઓ, સ્ટ્રીટ લાઈટો, ભૂગર્ભ ગટર, સ્વચ્છતા વગેરે બાબતોને લઈને આજે જેતપુર શહેર મામલતદારને આવેદનપત્ર આપ્યું હતું. જેમાં આક્ષેપો અને માંગ પણ કરવામાં આવી હતી.

જે આ મુજબ હતી, ચોમાસા પહેલાં જેતપુરમાં પ્રિમોન્સુનની કામગીરી કરવામાં આવી હતી. ચોમાસું શરૂ થતાની સાથે આ કામગીરી શોભાના ગાઠીયા સમાન જોવા મળેલ છે.

જેતપુર એક સાડી ઉદ્યોગનું મોટું નામ ધરાવતુ હોય, ત્યારે જેતપુર શહેરના અનેક વિસ્તારોમાં લાઇટો રીપેરીંગ બાબતે કામગીરી ઠપ જેવી જણાય છે.

જેમનું મુખ્ય કારણ સતાપક્ષના ભુતપુર્વ સુધરાઇ સભ્યો આવનારી જેતપુર નવાગઢ નગરપાલીકાની ચુંટણીને અનુલક્ષીને પોતાના વિસ્તારોની વોટબેંક સાચવવા માટે લાઇટની ગાડીઓ લઇ જતા હોય છે.

અને ગાડીઓ સાથે જ રહેતા હોય છે. ત્યારે એવુ લાગે છે કે જેતપુર નવાગઢ નગરપાલીકાની અંદર વહીવટી શાસન નહીં પણ રીમોટથી ચાલતુ ટીવી લાગી રહયુ છે.

અંદાજીત એક વર્ષ પહેલાં અમારા દ્વારા જેતપુર નવાગઢ નગરપાલીકાના ચીફ ઓફિસર સાહેબને નવી લાઇટો બાબતે આવેદન આપેલ હોય જેમાં તેના પ્રતિ ઉતરમાં સારો જવાબ મળેલ હતો. પણ એક વર્ષ ઉપર થઇ જતાં હાલ હજી સુધી કોઇ નવી લાઇટોનું નિવારણ આવેલ નથી.

જેતપુર શહેરમાં આવેલ પછાત વિસ્તારોમાં રોડ રસ્તા બનાવવા બાબતે અગાઉ પણ રજુઆત કરવામાં આવી હતી છતાં હાલ પછાત વિસ્તારોમાં નવા રસ્તાઓ બનાવવામાં આવ્યા નથી. તેમજ ભુર્ગભની નવી લાઇનો હજીસુધી મંજુર કરવામાં નથી.

છતાં પછાત વિસ્તારોમાંથી ભુર્ગભ ગટરોનો વેરો ઉઘરાવવામાં આવે છે. તેમજ પછાત વિસ્તારોના રોડ-રસ્તાઓ ગંદકીથી ભરપુર હોય છે.

ત્યારે વહીવટી તંત્ર દ્વારા પછાત વિસ્તારો તેમજ ગંદકીઓ ભર્યા વિસ્તારોમાં કપચી તેમજ સીલીકોટની રેતી નખાવી પછાત વિસ્તારના લોકોને મુશ્કેલી મુકત કરવા અને

જેતપુર શહેરના ભુર્ગભ ગટરના ઢાકણાઓ રોડ રસ્તા કરતા ખુબ નીચા પ્રમાણમાં હોય છે, તેમજ ઢાકણાઓની હાલત બોવ ખરાબ હોય છે. અથવા તો તુટી ગયેલા હોય છે. અને તેની આજુ બાજુમાં બોવ મોટા ખાડાઓ પડી ગયેલા હોય છે,

તેમજ અધિકારીઓ અને ઉદ્યોગપતીઓ પાસે નાની મોટી લકઝરી ગાડીઓ હોવાથી તે લોકોને આવા નાના મોટા ખાડાઓ નડતા ન હોય અને આવી મુશ્કેલીઓનો સામનો નાના મધ્યવર્ગના માણસોને થતી હોય છે.

હાલ જૂનાગઢ રોડ પર આવેલા શિવકૃપા-1, શિવકૃપા-2, શિવકૃપા-3, ગણેશનગર-1, ગણેશનગર-2, દાતારનગર તેમજ ગઢની રાંગનો પછાત વિસ્તાર-નવાગઢ, વડલીચોક, બાપુનીવાડી, રામૈયા હનુમાન-વિસ્તાર, ભોજાધાર-વિસ્તાર, દાસીજીવણપરા,

જલારામ-1, જલારામ-2, જલારામ-3, સામાકાંઠાથી દેરડી રોડ, જન કલ્યાણી વિસ્તાર, નકલંક રોડ, સરદાર ચોક-કેનાલરોડથી નવાગઢ બળદેવ ઘુસાની ધાર સુધી,

જેતપુર સામાકાંઠા વિસ્તાર, નંદાણીયા નગર સામાકાઠે, દેરડી આવાસ યોજના, નવાગઢ મુખ્ય રોડ, નવાગઢ રેલ્વેના નીચેના બ્રીજમાં મોટા ખાડાઓ તેમજ પાણીની સમસ્યાઓ સર્જાય છે.

રબારીકા ગામ જવા માટેનું અંડર બ્રીજના નીચેના ભાગમાં મોટા પ્રમાણમાં ઉપરવાસનું પાણી આવતુ હોય ત્યારે મીડીયાની અંદર પણ આવી ગયેલ હોય છતાં પણ નેશનલ હાઇવે દ્વારા કોઇ કામગીરી કરવામાં આવી નથી.

અને સામાન્ય લોકોનો જીવ જોખમમાં આવી શકે તેમ છે.

જેમનો વહેલા તે પહેલાં ઘોરણે યોગ્ય કાર્યવાહી કરવા બાબત.ઉપરોકત રજુઆત અંગે દિવસ 20 ની અંદર યોગ્ય કાર્યવાહી કરવામાં નહી આવે તો અમે મંજુરી સાથે નકોડા ઉપવાસ ઉપર બેસવાની ફરજ પડશે.

તેમજ ઘણા લોકો દ્વારા પછાતવર્ગના લોકાને કોઈપણ સહાયતા પુરી પાડવામાં આવતી હોય ત્યારે તેમના ફોટા પાડીને ફોટાઓ સોશીયલ મીડીયામાં વાયરલ કરવામાં આવતા હોય. જેમાં ગરીબ લોકોની મજાક ઉડાવતા હોય તેવુ લાગી રહ્યુ છે.

Loading

The post Jetpur News: “શેહરના રોડ રસ્તા અને સ્ટ્રીટ લાઈટોનું કામ નહિ થાય તો નકોડા ઉપવાસ કરીશું” -કૉંગ્રેસ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-rajkot-memorandum-congress-on-inconvenience-of-public-facilities-dr/7675/feed/ 0 7675
જેતપુર: લોકોનો જીવ જોખમાય તે રીતે વાહન ચલાવનાર વ્યક્તિ ને કાયદાનું ભાન કરાવતી પોલીસ http://revoltnewsindia.com/jetpur-police-catch-a-person-who-drives-a-vehicle-in-a-way-that-endangers-peoples-lives/6603/ http://revoltnewsindia.com/jetpur-police-catch-a-person-who-drives-a-vehicle-in-a-way-that-endangers-peoples-lives/6603/#respond Mon, 28 Feb 2022 14:13:57 +0000 https://revoltnewsindia.com/?p=6603 Jetpur Police catch a person who drives a vehicle in a way that endangers people's lives

The post જેતપુર: લોકોનો જીવ જોખમાય તે રીતે વાહન ચલાવનાર વ્યક્તિ ને કાયદાનું ભાન કરાવતી પોલીસ appeared first on REVOLT NEWS INDIA.

]]>
Symbolic image

રિપોર્ટ: દિનેશકુમાર રાઠોડ, મો. 9879914491

જેતપુર (Jetpur) ઔદ્યોગિક શહેર હોય જેને લઈને બહારના રાજ્ય અને ગુજરાત (Gujarat)ના અલગ-અલગ જિલ્લાના લોકો રોજીરોટી (Employment) માટે જેતપુરમાં આવતા હોય છે. ત્યારે શહેરમાં વાહનવ્યવહાર પણ વધતો જાય છે. ઉપરાંત શહેરમાંથી જ જૂનાગઢ-રાજકોટ જવાના ખાનગી વાહનો પેસેન્જરની કેપેસિટી કરતા પણ વધારે બેસાડીને નીકળતા હોય છે. જેનાથી લોકોની જિંદગીને પણ જોખમ અનુભાવતું હોય છે. ત્યારે જેતપુર સીટી પોલીસ (Jetpur City Police) દ્વારા રાજકોટ તરફથી નવાગઢ તરફ આવતા નેશનલ હાઇવે રોડ ઉપર અનમોલ વેબ્રીજ પાસે રોંગ સાઇડમાં રોડ ઉપર પુર ઝડપે ટાટા છોટા હાથી GJ-03-AT 1011 ચલાવનારા શૈલેષભાઇ વિનુભાઇ ભેડાને ઝડપી પાડ્યો હતો. અને આઇ. પી. સી. કલમ 279 એમવી એકટ કલમ 184 અને 177 મુજબ ગુન્હો જેતપુર સીટી પોલીસ સ્ટેશનમાં નોંધાયો હતો.

ઉલ્લેખનીય છે કે જ્યારે જેતપુર સીટી પોલીસ દ્વારા નેશનલ હાઇવે પરથી પણ લોકોનું જીવ જોખમાય તેવી રીતે વાહન ચલાવતા ચાલકને ઝડપી પાડવામાં આવતા હોય છે. ત્યારે જેતપુર શહેરમાંથી પસાર થતા અને પુરપાટ દોડતા વાહન ચાલકો સામે ક્યારે લાલ આંખ કરવામાં આવશે તે પણ એક લોકચર્ચાનો વિષય બન્યો છે.

Loading

The post જેતપુર: લોકોનો જીવ જોખમાય તે રીતે વાહન ચલાવનાર વ્યક્તિ ને કાયદાનું ભાન કરાવતી પોલીસ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-police-catch-a-person-who-drives-a-vehicle-in-a-way-that-endangers-peoples-lives/6603/feed/ 0 6603
બુદ્ધ અને બાબાસાહેબ આંબેડકરના માર્ગે આગળ વધતો જેતપુરનો દલિત સમાજ http://revoltnewsindia.com/dalit-community-of-jetpur-following-the-path-of-buddha-and-babasaheb-ambedkar/6588/ http://revoltnewsindia.com/dalit-community-of-jetpur-following-the-path-of-buddha-and-babasaheb-ambedkar/6588/#respond Sun, 27 Feb 2022 16:00:48 +0000 https://revoltnewsindia.com/?p=6588 Dalit community of Jetpur following the path of Buddha and Babasaheb Ambedkar

The post બુદ્ધ અને બાબાસાહેબ આંબેડકરના માર્ગે આગળ વધતો જેતપુરનો દલિત સમાજ appeared first on REVOLT NEWS INDIA.

]]>

રાજકોટ (Rajkot) બાબાસાહેબ આંબેડકર (Baba Saheb Ambedkar) દ્વારા 1956માં પોતાના લાખો અનુયાયીઓ સાથે ભારતીય મૂળધર્મ એવા બૌદ્ધ ધર્મની (Buddhism) દીક્ષા નાગપુર (Nagpur) ખાતે લેવામાં આવી હતી. ત્યારે વર્ષો બાદ રાજકોટ  જિલ્લામાં અને ખાસ કરીને જેતપુર (Jetpur) શહેર અને તાલુકામાં બાબાસાહેબ આંબેડકરની માનવતાવાદી વિચારધારા વેગવંતી બની છે. જેને લઈને દલિત સમાજમાં લગ્ન પ્રસંગ પણ બૌદ્ધ પરંપરા પ્રમાણે કરવાની શરૂઆત થઈ ગઈ છે. જેમાં જેતપુર  તાલુકાના અમરનગર ગામમાં પણ ગત રવિવારે સ્વયમ્  સૈનિક દળ (Swayam Sainik Dal) ના માધ્યમથી બૌદ્ધ પરંપરા મુજબ લગ્ન પ્રસંગ યોજવામાં આવ્યા હતા. આ લગ્ન પ્રસંગમાં બાબાસાહેબ આંબેડકરની વિચારધારાને લગતી એક ચિંતન શિબિર પણ યોજાઈ હતી.

રિપોર્ટ: દિનેશકુમાર રાઠોડ, મો. 9879914491

Loading

The post બુદ્ધ અને બાબાસાહેબ આંબેડકરના માર્ગે આગળ વધતો જેતપુરનો દલિત સમાજ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/dalit-community-of-jetpur-following-the-path-of-buddha-and-babasaheb-ambedkar/6588/feed/ 0 6588
જેતપુર: ગરીબોના હકનું રાશન ચાઉં કરી જતા રાશનના દુકાનદારોની કાયમી માટે દુકાનો રદ કરતા જિલ્લા પુરવઠા અધિકારી http://revoltnewsindia.com/jetpur-district-supply-officer-cancels-shops-permanently-for-ration-shopkeepers-violating-rations-of-poor/6213/ http://revoltnewsindia.com/jetpur-district-supply-officer-cancels-shops-permanently-for-ration-shopkeepers-violating-rations-of-poor/6213/#respond Fri, 11 Feb 2022 13:12:59 +0000 https://revoltnewsindia.com/?p=6213 Jetpur District Supply Officer cancels shops permanently for ration shopkeepers violating rations of poor

The post જેતપુર: ગરીબોના હકનું રાશન ચાઉં કરી જતા રાશનના દુકાનદારોની કાયમી માટે દુકાનો રદ કરતા જિલ્લા પુરવઠા અધિકારી appeared first on REVOLT NEWS INDIA.

]]>

જેતપુરની 11 સરકારી રાશનની દુકાનના કાયમી લાયસન્સ રદ કરવાની સાથે તગડો દંડ ફટકારતા જિલ્લા પુરવઠા અધિકારી

By Team Revolt Jetpur 9879914491.

રાજકોટ (Rajkot) રાજ્યભર અને દેશભરમાં કોઈ લોકો ભૂખે ન રહે તેને લઈને સરકાર (Gujarat Government) દ્વારા રાહતદરે વાજબી ભાવે  વાજબી ભાવની દુકાન (Fair price shop) મારફત જીવન જરૂરી રાશન રેશનકાર્ડ ધારકોને (Ration card holder) આપવામાં આવતું હોય છે. ત્યારે જિલ્લામાં જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા આજે 20 જેટલી વાજબી ભાવની રાશનની દુકાનના પરવાના રદ કરવામાં આવ્યા છે.

રાજકોટ સહિત જિલ્લાના 25 વાજબી ભાવના પરવાનેદારોની અટક કરવામાં આવી હતી

90 દિવસથી વાજબી ભાવની દુકાનનો પરવાનો મોકૂફ રાખવામાં આવ્યો હતો

રાજકોટ સહિત જિલ્લાની સરકારી વાજબી ભાવની રાશનની દુકાનના કાયમી લાયસન્સ જિલ્લા પુરવઠા અધિકારી દ્વારા રદ કરવામાં આવ્યા છે. સાથે દંડ પણ ફટકારવામાં આવ્યો છે.
જેમાં રાજકોટ જિલ્લાના જેતપુરની સૌથી વધારે 11 દુકાનના પરવાના રદ કરવામાં આવ્યા છે. સાથે જ દંડ પણ ફટકારવામાં આવ્યો છે. જો કે આ તમામ ગેરરીતિ કરનારને અમદાવાદ શહેર સાયબર દ્વારા પકડી પાડવામાં આવ્યા છે. આમદાવાદ શહેર સાયબર ક્રાઈમ દ્વારા આ આરોપી દુકાનદારોને ત્યાં નોંધાયેલ રેશનકાર્ડ ધારકોનું 100/% ક્રોશ વેરિફિકેશન કરતા ગેરરીતિ ઝડપાઇ હતી.

જેતપુરના આ મુજબના પરવાનાદારની કાયમી દુકાન રદ કરવાની સાથે દંડ પણ ફટકારવામાં આવ્યો

1. હિતેષભાઈ જગદીશભાઈ ત્રિવેદી જેતપુર ને 1,68,795/- દંડ,2. કાજી યાહયાભાઈ ગફારભાઈ (નવાગઢ) જેતપુર ને 1,78,181/- દંડ, 3. નીતિનભાઈ સવજીભાઈ નાગર જેતપુર ને 40,319/- દંડ, 4. વિજયગરી ગણપતગિરી ગોસાઈ જેતપુર ને 42,447/- દંડ, 5. જગજીવનભાઈ ગોબરભાઈ ગોંડલીયા જેતપુર ને 99,186/- દંડ, 6. દિલીપભાઈ ચંદુભાઈ ભાયાણી (આરબટીમ્બડી)  જેતપુર ને 39,419/- દંડ, 7. સુખદેવભાઈ બી. જોશી જેતપુર ને 3,11,150/-દંડ, 8. યોગેશભાઈ મૂળશંકર મહેતા જેતલસર જેતપુર ને 16,38,300/- દંડ, 9. વિજયભાઈ બાવનજીભાઈ વઘાસિયા (વિરપુર) જેતપુર ને 17,988/- દંડ, 10. સંજયભાઈ તુલજાશંકર જાની (દેવકીગાલોળ) જેતપુર ને 1,83878/- દંડ અને 11. બંસરીબેન ગૌરવભાઈ ગાજીપરા (વિરપુર) જેતપુર ને 49,981/- દંડ તેમજ તેમણે રાજીનામું આપતા કાયમી દુકાન રદ કરવામાં આવી છે.

આ સાથે જ જેતપુરના મામલતદાર ડી. એ. ગીનીયા દ્વારા મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યું હતું કે વડી કચેરી દ્વારા હુકમ મળતા આગળની કાર્યવાહી કરવામાં આવશે. જો કે લોકોમાં તે પણ ચર્ચા થઈ રહી છે કે દુકાનદારો પર સ્થાનિક અધિકારી કેમ વામળા સાબિત થાય છે તે ચર્ચા એ પણ વેગ પકડ્યું છે.

Loading

The post જેતપુર: ગરીબોના હકનું રાશન ચાઉં કરી જતા રાશનના દુકાનદારોની કાયમી માટે દુકાનો રદ કરતા જિલ્લા પુરવઠા અધિકારી appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-district-supply-officer-cancels-shops-permanently-for-ration-shopkeepers-violating-rations-of-poor/6213/feed/ 0 6213
જેતપુર: દલીત સમાજ દ્વારા એક વર્ષ પહેલાં કરેલી માંગ પુરી ન કરવામાં આવતા ફરી અપાયું આવેદન http://revoltnewsindia.com/jetpur-an-application-was-re-filed-after-the-demand-made-by-the-dalit-community-a-year-ago-was-not-met/6011/ http://revoltnewsindia.com/jetpur-an-application-was-re-filed-after-the-demand-made-by-the-dalit-community-a-year-ago-was-not-met/6011/#respond Fri, 04 Feb 2022 16:28:54 +0000 https://revoltnewsindia.com/?p=6011 Jetpur An application was re-filed after the demand made by the Dalit community a year ago was not met

The post જેતપુર: દલીત સમાજ દ્વારા એક વર્ષ પહેલાં કરેલી માંગ પુરી ન કરવામાં આવતા ફરી અપાયું આવેદન appeared first on REVOLT NEWS INDIA.

]]>
આવેદનપત્ર આપતા દલિત સમાજના આગેવાનો

જેતપુર અનુ.જાતિ સમાજ (schedule caste community Jetpur) અને કાયદાના વિદ્યાર્થીઓ દ્વારા દર વર્ષે બાબાસાહેબની જન્મજયંતી (Dr. Ambedkar Birth anniversary) તેમજ અન્ય દિવસોમાં મોટી સંખ્યામાં શહેર તેમજ તાલુકામાંથી પોતાનો ભાવ પ્રગટ કરવા એકઠા થતા હોય છે. ત્યારે સરદાર ગાર્ડન પાસે આવેલ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પરિસરમાં જગ્યાના અભાવના કારણે ભારે ગિરદીના દ્રશ્યો સર્જાતા હોય છે. તેમજ પ્રતિમા સુધી જવાની સીડી પણ એક જ હોવાથી ચડવા ઉતારવા માટે મુશ્કેલી પડતી હોય છે અને કોઈ અકસ્માત થવાનો પણ ભય રહેતો હોય છે.

જેને લઈને જેતપુરના દલિત સમાજ દ્વારા આજે એક આવેદનપત્ર જેતપુર-નવાગઢ નગરપાલિકામાં આપવામાં આવ્યું હતું. જેમાં માંગ કરવામાં આવી હતી કે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાના પરિસરની જગ્યા વધારવામાં આવે તેમજ પ્રતિમા સુધી જવા માટેની ચડવા અને ઉતરવાની અલગ-અલગ સીડી મુકવામાં આવે. દલિત સમાજના વ્યક્તિઓ દ્વારા જણાવવામાં આવેલ હતું કે આ પહેલા પણ માર્ચ-2021 માં પણ ઉપર મુજબની માંગ જેતપુર-નવાગઢ નગરપાલિકાના સત્તાધીશો સમક્ષ મુકવામાં આવી હતી.

પરંતુ તેનું એક વર્ષ ઉપર સમય થઈ ગયો હોવા છતાં કોઈ ઉકેલ ન આવતા ફરી એકવાર આવેદનપત્ર જેતપુર-નવાગઢ નગરપાલિકાના સત્તાધીશોને આપવામાં આવ્યું હતું. દલિત સમાજના આગેવાનોનું ખાસ એવું પણ માનવું હતું કે હાલ સરદાર ગાર્ડનની લાખો રૂપિયાના ખર્ચે જ્યારે રીનોવેશનની કામગીરી ચાલતી હોય ત્યારે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાના પરિસરમાં પણ જો થોડો ખર્ચો કરવામાં આવે તો શહેરની શોભામાં પણ વધારો થઈ શકે એમ છે.

રિપોર્ટ: દિનેશકુમાર રાઠોડ મો. +91 9879914491

Loading

The post જેતપુર: દલીત સમાજ દ્વારા એક વર્ષ પહેલાં કરેલી માંગ પુરી ન કરવામાં આવતા ફરી અપાયું આવેદન appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-an-application-was-re-filed-after-the-demand-made-by-the-dalit-community-a-year-ago-was-not-met/6011/feed/ 0 6011
વીરપુર (જલારામ)માં સરપંચ અને ઉપસરપંચનો ચાર્જ સંભાળતા પતિ પત્ની http://revoltnewsindia.com/husband-and-wife-in-charge-of-sarpanch-and-sub-sarpanch-in-virpur-jalaram/5590/ http://revoltnewsindia.com/husband-and-wife-in-charge-of-sarpanch-and-sub-sarpanch-in-virpur-jalaram/5590/#respond Wed, 19 Jan 2022 18:18:23 +0000 http://revoltnewsindia.com/?p=5590 જેતપુર (Jetpur) સૌરાષ્ટ્રનું જગવિખ્યાત યાત્રાધામ વીરપુર (જલારામ) Virpur Jalaram ગ્રામ પંચાયત કે જે જેતપુર તાલુકાની સૌથી મોટી ગ્રામ પંચાયત માનવામાં આવે છે. ત્યારે વીરપુર ગામમાં કુલ 9848 મતદારો છે. વીરપુર…

The post વીરપુર (જલારામ)માં સરપંચ અને ઉપસરપંચનો ચાર્જ સંભાળતા પતિ પત્ની appeared first on REVOLT NEWS INDIA.

]]>

જેતપુર (Jetpur) સૌરાષ્ટ્રનું જગવિખ્યાત યાત્રાધામ વીરપુર (જલારામ) Virpur Jalaram ગ્રામ પંચાયત કે જે જેતપુર તાલુકાની સૌથી મોટી ગ્રામ પંચાયત માનવામાં આવે છે. ત્યારે વીરપુર ગામમાં કુલ 9848 મતદારો છે. વીરપુર ગ્રામ પંચાયતની (Gram Panchayat Election) ચૂંટણી ગત 19 ડિસેમ્બરના રોજ યોજાઈ હતી. જેમાં 6574 મતદારોએ મતદાન કર્યું હતું. તેમજ વીરપુર ગ્રામપંચાયતની ચૂંટણીમાં ચાર પાંખીઓ જંગ જામ્યો હતો. જેમાં વીરપુર ગામના કુલ 14 વોર્ડ માંથી 56 જેટલા ઉમેદવારોએ સભ્યપદ માટે તેમજ સરપંચ પદ માટે 4 ઉમેદવારોએ ઉમેદવારી નોંધાવી હતી.

જેમાં 21 ડિસેમ્બરના રોજ વીરપુર ગ્રામપંચાયતના સરપંચ તરીકે ક્ષત્રિય ખાંટ રાજપૂત સમાજના રમેશભાઈ સરવૈયા 713 મતે વિજેતા જાહેર થયા હતા. આ સાથે જ તેમના પત્ની મંજુલાબેન સરવૈયા પણ સભ્યપદેથી 145 મતે વિજેતા જાહેર થયા હતા. જેમને લઈને આજે જેતપુર તાલુકા મામલતદાર બી.એમ.ખાનપરાની ઉપસ્થિતમાં વિધિવત રીતે વીરપુર ગ્રામપંચાયતના સરપંચપદ તરીકેનો ચાર્જ રમેશભાઈ સરવૈયાએ સંભાળ્યો હતો. જ્યારે તેમના પત્ની મંજુલાબેન સરવૈયા બિનહરીફ ઉપસરપંચ તરીકે વિજેતા જાહેર થયા હતા.

ત્યારે આઝાદી પછી જ્યારથી વીરપુર ગ્રામપંચાયતની સ્થાપના કરવામાં આવી ત્યારથી લઈને અત્યાર સુધીમાં પ્રથમવાર પતિ સરપંચ અને પત્ની ઉપસરપંચ એમ બંને પતિ પત્નીએ રેકોર્ડ કર્યો હતો. વીરપુર એક જગવિખ્યાત યાત્રાધામ હોય તેમજ વીરપુર ગ્રામપંચાયત જેતપુર તાલુકાની સૌથી મોટી ગ્રામપંચાયત હોય ત્યારે પતિ સરપંચ અને પત્ની ઉપસરપંચ બનતા વીરપુર ગામના રાજકીય તેમજ સામાજિક અગ્રણીઓએ શુભેચ્છાઓ પાઠવી હતી.

જ્યારે નવ નિયુક્ત સરપંચ રમેશભાઈ સરવૈયાએ જણાવ્યું હતું કે પતિ પત્ની બંને સાથે મળીને વીરપુર ગામની જનતાએ જે જવાબદારી સોંપી છે, ત્યારે પૂજ્ય જલારામ બાપાના યાત્રાધામ વીરપુરના વિકાસના કર્યોને હંમેશા આગળ વધારતા રહીશું.

Loading

The post વીરપુર (જલારામ)માં સરપંચ અને ઉપસરપંચનો ચાર્જ સંભાળતા પતિ પત્ની appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/husband-and-wife-in-charge-of-sarpanch-and-sub-sarpanch-in-virpur-jalaram/5590/feed/ 0 5590
એક એવા રિક્ષાચાલક કે જેમણે કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં પણ પોતાની મફત સેવા ચાલુ રાખી છે http://revoltnewsindia.com/jetpur-rickshaw-drivers-free-service-in-third-wave-of-corona/5584/ http://revoltnewsindia.com/jetpur-rickshaw-drivers-free-service-in-third-wave-of-corona/5584/#respond Wed, 19 Jan 2022 15:32:08 +0000 http://revoltnewsindia.com/?p=5584 કોરોનાની (Covid19) પહેલી અને બીજી લહેરમાં જ્યારે લોકોએ (Public) ખૂબ જ હાલાકી ભોગવી ત્યારે ઘણાં એવા લોકો પણ હતા. જેમણે જાતિ-ધર્મના કે અમીર-ગરીબના ભેદભાવ રાખ્યા વગર એક દેવદૂતની જેમ લોકોની…

The post એક એવા રિક્ષાચાલક કે જેમણે કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં પણ પોતાની મફત સેવા ચાલુ રાખી છે appeared first on REVOLT NEWS INDIA.

]]>

કોરોનાની (Covid19) પહેલી અને બીજી લહેરમાં જ્યારે લોકોએ (Public) ખૂબ જ હાલાકી ભોગવી ત્યારે ઘણાં એવા લોકો પણ હતા. જેમણે જાતિ-ધર્મના કે અમીર-ગરીબના ભેદભાવ રાખ્યા વગર એક દેવદૂતની જેમ લોકોની સેવા કરી હતી. તેમાંના એક એટલે જેતપુર (Jetpur) તાલુકાના પેઢલા (Pedhala) ગામના ભૂપતભાઈ ડાભી કે જેઓ પોતે એક સામાન્ય રીક્ષા (Rickshaw) ચાલક છે, પણ તેમની સામે ભલભલા ચાર બંગડીવાળી ગાડીના માલિકો પણ ફિક્કા પડે એમ છે. વાત એમ છે, કે ભૂપતભાઈ ડાભી પોતે ઓટો રિક્ષા ચલાવીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. છતાં પણ ખુમારીની વાત આવે તો ભૂપતભાઈ ડાભી પાછા પડે એમ નથી.

તેમણે કોરોનાની પહેલી અને બીજી લહેરમાં કોરોના મહામારીથી પીડિત દર્દીઓને પેઢલા ગામથી જેતપુર ખાતેની હોસ્પિટલમાં લઈ જવા માટે પોતાની રિક્ષામાં કોઈપણ પ્રકારનું ભાડું લીધા વગર મફત સેવા (Free service) આપી હતી. આ કોરોનાની પહેલી અને બીજી લહેરમાં લોકો એકબીજાને અડવાથી ડરતા હતા. ત્યારે ભૂપતભાઈએ નીડર થઈને કોઈપણ પ્રકારના પ્રલોભન વગર કોરોનાના દર્દીઓને હોસ્પિટલમાં પહોંચાડવા માટે પોતાની મફત સેવા આપી હતી.

આ કોરોનાની પહેલી અને બીજી લહેરમાં ઘણાં એવા લાલચુ લોકો પણ હતા. જેમણે પૈસા કમાવવાનો એક મોકો પણ ગુમાવ્યો નહોતો. ત્યારે ભૂપતભાઈ જેવા દેવદૂત લોકોએ કોરોના જેવી મહામારીમાં પણ પોતાની મફત સેવા આપીને માનવતાની મહેક મહેકાવી હતી. હાલ કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં પણ ભૂપતભાઈએ કોરોના દર્દીઓને પોતાની રિક્ષામાં હોસ્પિટલ સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય ચાલુ જ રાખ્યું છે.

Loading

The post એક એવા રિક્ષાચાલક કે જેમણે કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં પણ પોતાની મફત સેવા ચાલુ રાખી છે appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-rickshaw-drivers-free-service-in-third-wave-of-corona/5584/feed/ 0 5584
Jetpur: બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ 110 મતથી ચૂંટાઈને આવ્યા, જ્યારે ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારો થયા સમરસ http://revoltnewsindia.com/jetpur-bar-association-elections-the-president-was-elected-by-110-vote/5000/ http://revoltnewsindia.com/jetpur-bar-association-elections-the-president-was-elected-by-110-vote/5000/#respond Fri, 17 Dec 2021 16:19:08 +0000 http://revoltnewsindia.com/?p=5000 જેતપુર બાર એસોસિએશનની 2022 ની નવી ટર્મના હોદ્દેદારો માટે લોકશાહી ઢબથી આજે જેતપુર કોર્ટના સંકુલ ખાતે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી. ગોવિંદ ડોબરીયા પ્રમુખ પદે લોકશાહી ઢબથી ચૂંટાયા રાજકોટ:…

The post Jetpur: બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ 110 મતથી ચૂંટાઈને આવ્યા, જ્યારે ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારો થયા સમરસ appeared first on REVOLT NEWS INDIA.

]]>

જેતપુર બાર એસોસિએશનની 2022 ની નવી ટર્મના હોદ્દેદારો માટે લોકશાહી ઢબથી આજે જેતપુર કોર્ટના સંકુલ ખાતે ચૂંટણી પ્રક્રિયા હાથ ધરવામાં આવી હતી.

ગોવિંદ ડોબરીયા પ્રમુખ પદે લોકશાહી ઢબથી ચૂંટાયા

રાજકોટ: વકીલ મંડળની ચૂંટણી સમગ્ર ગુજરાતમાં બારકાઉન્સિલ ઓફ ગુજરાત (Bar council of Gujarat) દ્વારા દર વર્ષે યોજવામાં આવતી હોય છે. જેનો કાર્યકાળ એક વર્ષનો હોય છે. આજે જેતપુર બાર એસોસિએશનના (Jetpur Bar Association) નવા પ્રમુખ પદ માટે ગોવિંદભાઈ ડોબરીયા, શૈલેષભાઈ સાવલિયા મેદાનમાં હતા. જેમાં ગોવિંદભાઈ ડોબરીયાને 110 મત મળ્યા હતા. જ્યારે શૈલેષભાઈને 42 મત મળ્યા હતા. જેથી ગોવિંદભાઇ ડોબરીયા વિજેતા જાહેર થયા હતા.

જેતપુર બાર એસોસિએશનમાં હાલ કુલ 289 મતદાર છે

જ્યારે રમેશભાઈ માણંદભાઈ વાઘેલા-ઉપપ્રમુખ, પ્રતિકકુમાર પરષોતમભાઈ ગાજીપરા-સેક્રેટરી, ભાવીન દામજીભાઈ ગોંડલીયા-જોઈન્ટ સેક્રેટરી, મીતેષ કાનજીભાઈ ઠેસીયા-ખજાનચી તરીકે બિનહરીફ એટલે કે હાલ ચાલતી ગ્રામ પંચાયતની ચૂંટણીના શબ્દોમાં કહીએ તો સમરસ થયા હતા.

9 વર્ષથી વકીલાતની પ્રેક્ટિસ કરે છે ગોવિંદ ડોબરીયા અગાઉ પણ પ્રમુખ રહી ચૂકેલા છે

આપને જણાવી આપીએ કે જેતપુર બાર એસોસિએશનના નવનિયુક્ત પ્રમુખ ગોવિંદ ડોબરીયા છેલ્લા નવ વર્ષથી વકીલાતની પ્રેક્ટિસ કરે છે અને તેઓ B.Com. LLM ની ડીગ્રી પણ ધરાવે છે. અગાઉ પણ તેઓ જેતપુર બાર એસોસિએશનના પ્રમુખ રહી ચૂકેલા છે. મીડિયા સાથેની વાતચીતમાં તેમણે જણાવ્યું હતું કે તેઓ વકીલોના પ્રશ્નોના ઉકેલ લાવવા માટે પૂરતો પ્રયાસ કરશે.

by Team Revolt Jetpur, Mo. +919879914491

Loading

The post Jetpur: બાર એસોસિએશનની ચૂંટણીમાં પ્રમુખ 110 મતથી ચૂંટાઈને આવ્યા, જ્યારે ઉપપ્રમુખ સહિતના હોદ્દેદારો થયા સમરસ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-bar-association-elections-the-president-was-elected-by-110-vote/5000/feed/ 0 5000
Jetpur: પાંચ હજારથી પણ વધુ રોકડ ભરેલું પર્સ અને મોબાઈલ પરત આપી ઇમાનદારીનું ઉદાહરણ પૂરું પાડતો યુવાન http://revoltnewsindia.com/jetpur-a-young-man-who-returned-his-purse-full-of-more-than-five-thousand-cash-and-a-mobile-provides-an-example-of-honesty/3991/ http://revoltnewsindia.com/jetpur-a-young-man-who-returned-his-purse-full-of-more-than-five-thousand-cash-and-a-mobile-provides-an-example-of-honesty/3991/#respond Sat, 23 Oct 2021 18:36:08 +0000 http://revoltnewsindia.com/?p=3991 જેતપુર (Jetpur) ના એમ.જી રોડ (MG Road) પરથી પસાર થતા એક યુવાનની નજર એક દુકાન પાસે પડેલા પર્સ પર પડી હતી. જે પર્સ ચેક કરતા તેમાં પાંચ હજારથી વધુની રકમ…

The post Jetpur: પાંચ હજારથી પણ વધુ રોકડ ભરેલું પર્સ અને મોબાઈલ પરત આપી ઇમાનદારીનું ઉદાહરણ પૂરું પાડતો યુવાન appeared first on REVOLT NEWS INDIA.

]]>

જેતપુર (Jetpur) ના એમ.જી રોડ (MG Road) પરથી પસાર થતા એક યુવાનની નજર એક દુકાન પાસે પડેલા પર્સ પર પડી હતી. જે પર્સ ચેક કરતા તેમાં પાંચ હજારથી વધુની રકમ અને સેમસંગ એન્ડ્રોઇડ ફોન મળી આવ્યો હતો. જેને મૂળ માલિકને પરત સોંપતા યુવાન વિજય વેગડાએ માનવતાનું અને ઇમાનદારીનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

અત્યારે મોંઘવારીના સમયમાં પાંચ સો રૂપિયા કમાવવા પણ મોઢે ફીણ આવી જતા હોય છે, જ્યારે સામે એક સાથે પાંચ હજારથી પણ વધુની રકમ સાથેનું પર્સ જો મળી આવે તો લોટરી લાગ્યા જેવું થાય. પરંતુ જેણે ગુમાવ્યું તેના પર શું વિતે તે તેને જ ખબર હોય !

જ્યારે આ રોકડ ભરેલું પર્સ યુવાનને હાથ લાગ્યું ત્યારે તરત જ જેતપુર પોલીસ સ્ટેશનનો સંપર્ક કરીને પોલીસ કોન્સ્ટેબલ વિજયભાઈ દફડાની રૂબરૂમાં મૂળ માલિકને સોંપીને માનવતાનું અને ઇમાનદારીનું અનોખું ઉદાહરણ પૂરું પાડ્યું હતું.

by Team Revolt Jetpur

Loading

The post Jetpur: પાંચ હજારથી પણ વધુ રોકડ ભરેલું પર્સ અને મોબાઈલ પરત આપી ઇમાનદારીનું ઉદાહરણ પૂરું પાડતો યુવાન appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-a-young-man-who-returned-his-purse-full-of-more-than-five-thousand-cash-and-a-mobile-provides-an-example-of-honesty/3991/feed/ 0 3991