Revolt News Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/revolt-news/ News for India Thu, 05 Oct 2023 14:53:28 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png Revolt News Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/revolt-news/ 32 32 174330959 Rajkot: ગોંડલમાં દલિત સ્મશાનને લઈને એક વ્યકિતએ શરીર પર કેરોસીન છાટ્યું તો ત્રણ વ્યક્તિએ ગટગટાવી ફીનાઇલ http://revoltnewsindia.com/rajkot-attempted-self-immolation-by-agitators-over-dalit-cremation-land-in-gondal-dr/7758/ http://revoltnewsindia.com/rajkot-attempted-self-immolation-by-agitators-over-dalit-cremation-land-in-gondal-dr/7758/#respond Thu, 05 Oct 2023 13:54:49 +0000 http://revoltnewsindia.com/?p=7758 ગોંડલ તાલુકાના દલિત સમાજ દ્વારા સ્મશાનની જમીનની બાબતે ગોંડલમાં આવેલ ડો. આંબેડકરની પ્રતિમા પાસે છેલ્લા વીસ દિવસથી ચાલી રહેલા ઉપવાસ આંદોલનમાં

The post Rajkot: ગોંડલમાં દલિત સ્મશાનને લઈને એક વ્યકિતએ શરીર પર કેરોસીન છાટ્યું તો ત્રણ વ્યક્તિએ ગટગટાવી ફીનાઇલ appeared first on REVOLT NEWS INDIA.

]]>

આઝાદીના 75 વર્ષ બાદ પણ સ્મશાનની જમીનને લઈને દલિતો આંદોલન કરવા મજબૂર

આંદોલકારીઓ દ્વારા આપવામાં આવી હતી આત્મવિલોપનની ચીમકી

ગોંડલમાં દલિત સ્મશાન ભૂમિને લઈને આંદોલનકારીઓ દ્વારા આત્મદાહનો પ્રયાસ

ગોંડલના ખડવંથલી ગામના દલિત સમાજ દ્વારા દલિત સ્મશાનને લઈને છેલ્લાં 20 દિવસથી કરવામાં આવી રહ્યું હતું આંદોલન

Report by Dinesh Rathod

Rajkot: તા. 05- ઓક્ટોબર, રાજકોટ જિલ્લાના ગોંડલ (Gondal) તાલુકાના ખડવંથલીના દલિત સમાજ (Dalit Community) ના આંદોલનમાં એકબાજુ આંદોલનકારીઓએ પારણા કર્યા હતા. તો બીજી બાજુ વ્યકિતએ શરીર ઉપર કેરોસીન છાટ્યું હતું અને ત્રણ યુવાનોએ ફીનાઇલ પીધી હતી.

ગોંડલ તાલુકાના ખડવંથલી ગામના દલિત સમાજ દ્વારા સ્મશાનની જમીનની બાબતે ગોંડલમાં આવેલ ડો. આંબેડકરની પ્રતિમા પાસે છેલ્લા વીસ દિવસથી ચાલી રહેલા ઉપવાસ આંદોલનમાં આજે અફડાતફડી મચી જવા પામી હતી.

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ખડવંથલીના દલિત સમાજના આંદોલનમાં એકબાજુ આંદોલનકારીઓએ પારણા કર્યા હતા. તો બીજી બાજુ વ્યકિતએ શરીર ઉપર કેરોસીન છાટ્યું હતું અને ત્રણ યુવાનોએ ફીનાઇલ પીધી હતી.

ખડવંથલી ગ્રામ પંચાયતના સરપંચ તથા સરકારી તંત્ર દ્વારા ઉપવાસ પર બેઠેલા લોકોની માંગણી સ્વિકારી લેવામાં આવી હોય જેને લઇને આગેવાનની હાજરીમાં પારણાં કરાવાઇ રહ્યા હતા.

એજ સમયે કેરોસીનની બોટલ લઈ છાવણીમાં ઘસી આવેલા વ્યક્તિએ શરીર પર કેરોસીન છાંટતા અફરાતફરી મચી જવા પામી હતી.

પોલીસે તુરંત આ વ્યક્તિને પકડી લઈ એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડ્યો હતો. હજુ તો આ ઘટના પુરી નથી થઈ ત્યાં બીજા ત્રણ વ્યક્તિઓએ ફીનાઇલ ગટગટાવતા અફડાતફડી મચી જવા પામી હતી.

આઝાદીના 75 વર્ષ બાદ પણ સ્મશાનની જમીનને લઈને દલિતો આંદોલન કરવા મજબૂર

પોલીસે તુરંત આ વ્યક્તિઓને પણ હોસ્પિટલ ખસેડ્યા હતા. અચાનક બનેલી ઘટનાને લઈને પારણા કરાવી રહેલા દલિત સમાજના આગેવાનો પણ અચંબીત બન્યા હતા.

લોકો એકઠા થઈ જતા અને દેકારો બોલી જતા પોલીસે મહામુસીબતે પરિસ્થિતિ પર કાબુ લઈ ઉપવાસ પર બેઠેલા વ્યક્તિઓની છાવણી હટાવી દીધી હતી.

આ દરમિયાન ગોંડલની સરકારી હોસ્પિટલે પણ દલિત સમાજના યુવાનો એકઠા થતા વાતાવરણ તંગ બન્યુ હતુ. વણસેલી પરિસ્થિતિને લઈ હોસ્પિટલ ખાતે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

પ્રાપ્ત વિગત મુજબ ખડવંથલી ગ્રામ પંચાયતના દ્વારા દલિત સમાજના સ્મશાનને તોડી પાડી ત્યાથી રસ્તો કઢાયો હોય જેના વિરોધમાં છેલ્લા વીસ દિવસથી ખડવંથલીના દલિત સમાજ દ્વારા ગોંડલ ખાતે આવેલ ડો. આંબેડકરની પ્રતિમા ઉપવાસ આંદોલન ચાલી રહ્યું હતુ.

આંદોલનને વીસ દિવસ વીતી ગયા હોવા છતા સરકારી તંત્ર દ્વારા નોંધ સુધ્ધા લેવાઇ ન હોય આખરે આંદોલકારીઓ દ્વારા આત્મવિલોપનની ચીમકી અપાતા તંત્ર હરકતમાં આવ્યુ હોય તેમ પીઆઇ. ડામોર, પીએસઆઇ કોઠીયા, તાલુકા પીએસઆઇ ઝાલા સહિત પોલીસ કાફલો ઉપવાસી છાવણી ખાતે ખડકાયો હતો.

એમ્બ્યુલન્સ ઉપરાંત ફાયર બ્રિગેડને પણ તહેનાત કરાયુ હતુ.

આ દરમિયાન બપોરના બાર કલાકે પ્રાંત અધીકારી દેવાહુતી મેડમ, મામલતદાર ચાવડા, નાયબ મામલતદાર મનિષ જોષી, તાલુકા વિકાસ અધિકારી ગઢવી તથા ખડવંથલીના સરપંચ ભાવેશભાઈ કથીરીયા સહિત છાવણી પર દોડી આવી આંદોલનકારીઓની માંગણી સ્વીકારી,

સ્મશાન માટે જમીન ફાળવવાની મૌખિક ખાત્રી આપતા દલિત સમાજના આગેવાનો ગીરધરભાઇ સોલંકી, બાબુભાઇ મકવાણા, સવજીભાઈ સાગઠીયા, હરીભાઇ રાઠોડ, પોલાભાઇ ખીમસુરીયા, હરીભાઇ મયાત્રા, ભીખાભાઇ બગડા, વિપુલભાઈ પરમાર સહિત સમાજના લોકો સહમત થયા હતા.

અને ઉપવાસ કરનારા હકાભાઇ પરમાર, જમનભાઇ પરમાર તથા ભરતભાઇ પરમારને પારણાં કરાવ્યા હતા. પરંતુ આ સમયે રામોદના મનસુખભાઈ રાઠોડ કેરોસીનની બોટલ સાથે ઘસી આવી શરીર પર કેરોસીન છાટ્યુ હતુ.

પરંતુ એલર્ટ રહેલા પીઆઇ. ડામોર સહિત ના પોલીસ સ્ટાફે મનસુખભાઈને પકડી લઈ ફાયર બ્રિગેડનો ફુવારો મારી હોસ્પિટલ ખસેડ્યા હતા.

ત્યાં જ છાવણીમાં અચાનક ભીખાભાઇ પરમાર, જીતેન્દ્રભાઇ પરમાર અને ભરતભાઇ પરમારે ફીનાઇલ ગટગટાવી લેતા હલ્લાબોલ મચી જવા પામી હતી.

પોલીસે તુરંત ત્રણેય વ્યક્તિઓને હોસ્પિટલ ખસેડી અફડાતફડીના માહોલને કાબુમાં લઈ આગેવાનોને સાથે રાખી છાવણી હટાવી લોકોનાં ટોળાને વિખેર્યુ હતુ.

સરકારીતંત્ર દ્વારા લેખિત બાહેંધરી ન અપાતા કરાયો હતો આત્મવિલોપનનો પ્રયાસ

બીજી બાજુ સિવિલ હોસ્પિટલ ખાતે દલિત સમાજના યુવાનો એકઠા થતા ડીવાયએસપી ઝાલા સહિત પોલીસ કાફલો દોડી આવ્યો હતો. આત્મવિલોપનનો પ્રયાસ કરનાર

હોસ્પિટલ રહેલા મનસુખભાઈ રાઠોડે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે સરકારી તંત્ર દ્વારા કોઈ લેખીત બાહેંધરી અપાઇ ના હોય અમારે આત્મવિલોપન કરવા મજબુર બનવુ પડ્યુ છે.

બીજી બાજુ ગોંડલ મેઘવાળ સેવા સમાજ ટ્રસ્ટના પ્રમુખ ગીરધરભાઇ સોલંકીએ જણાવ્યુ કે સરપંચ તથા પ્રાંત અધિકારી સહિત તંત્ર દ્વારા લેખીત બાહેંધરી અપાઇ છે.

તથા તાલુકા વિકાસ અધિકારી દ્વારા આઠ દિવસમાં સ્મશાનની જમીનના પેપર તૈયાર કરી આપવા ખાત્રી અપાઇ હોય આંદોલન પુર્ણ થયુ છે.

જે યુવાનોએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે તેમને આ જાણ ન હોય આ પગલુ ભરાયુ છે. હોસ્પીટલમાં દાખલ થયેલા ચારેય યુવાનોની તબીયત સારી હોવાનું જણાવ્યુ હતુ.

આમ અફડાતફડી ભરી ઘટનાઓ વચ્ચે છેલ્લા વીસ દિવસથી ચાલતુ આંદોલન આજે સમેટાયું હતુ.

ઉલ્લેખનીય છે કે જ્યારે આપણા દેશ ભારતને આઝાદી મળી તેના 75 ઉપર વર્ષ વીત્યા હોવા છતાં. અને દેશ જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. ત્યારે દેશની મોટી આબાદી એવા દલિત સમાજને આજના સમયમાં પણ અંતિમવિધિ કરવા માટેની જમીન માટે આંદોલન કરવું પડે તે આપણાં સૌ ભારતવાસીઓ માટે શરમજનક બાબત કહેવાય.

Loading

The post Rajkot: ગોંડલમાં દલિત સ્મશાનને લઈને એક વ્યકિતએ શરીર પર કેરોસીન છાટ્યું તો ત્રણ વ્યક્તિએ ગટગટાવી ફીનાઇલ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/rajkot-attempted-self-immolation-by-agitators-over-dalit-cremation-land-in-gondal-dr/7758/feed/ 0 7758
Jetpur News: જેતપુર નગરપાલિકાની ઈમારતમાં જ સ્વામી વિવેકાનંદનું અપમાન http://revoltnewsindia.com/jetpur-news-insulting-of-swami-vivekananda-in-municipal-building-dr/7747/ http://revoltnewsindia.com/jetpur-news-insulting-of-swami-vivekananda-in-municipal-building-dr/7747/#respond Tue, 26 Sep 2023 10:14:27 +0000 http://revoltnewsindia.com/?p=7747 વિશ્વકક્ષાએ અમેરિકામાં હિન્દૂ ધર્મ વિશે ભાષણ આપનારા અને યુથ આઇકોન તેમજ હિંદુ આઈકોન સ્વામી વિવેકાનંદનું રાજકોટ જિલ્લાના જેતપુરમાં જેતપુર-નવાગઢ નગરપાલિકાના પરિસરમાં જ અપમાન થઈ રહ્યું છે.

The post Jetpur News: જેતપુર નગરપાલિકાની ઈમારતમાં જ સ્વામી વિવેકાનંદનું અપમાન appeared first on REVOLT NEWS INDIA.

]]>
આ ચિત્ર નગરાપાલિકાની મેઈન બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર જ આવેલું છે, ત્યારે આ ચિત્ર પાસેથી જ નગરાપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ પણ અવર-જવર કરતા હોય છે.

Report by Dinesh Rathod,
Rajkot News: વિશ્વકક્ષાએ અમેરિકામાં હિન્દૂ ધર્મ વિશે ભાષણ આપનારા અને યુથ આઇકોન તેમજ હિંદુ આઈકોન સ્વામી વિવેકાનંદનું રાજકોટ જિલ્લાના જેતપુરમાં જેતપુર-નવાગઢ નગરપાલિકાના પરિસરમાં જ અપમાન થઈ રહ્યું છે. નગરપાલિકાની ઈમારતના ગ્રાઉન્ડ ફ્લોર પર જ સ્વામી વિવેકાનંદનું સ્વચ્છ સર્વેક્ષણ 2023નું એક દીવાલ ચિત્ર દોરવામાં આવેલું છે.

જેના પર પાન, માવા અને મસાલાની થુંકની પિચકારીઓ જોવા મળશે. તેમજ આ ચિત્રની બાજુમાં જ કચરા ટોપલી મૂકવામાં આવેલી છે, તે પણ જોવા મળશે.

આ ચિત્ર નગરાપાલિકાની મેઈન બિલ્ડિંગના ગ્રાઉન્ડ ફ્લોર પર જ આવેલું છે, ત્યારે આ ચિત્ર પાસેથી જ નગરાપાલિકાના અધિકારીઓ, કર્મચારીઓ પણ અવર-જવર કરતા હોય છે.

ત્યારે પ્રશ્ન પણ ઉદભવે છે કે શું તેઓને હિંદુ આઈકોન સ્વામી વિવેકાનંદના ચિત્ર પર કરવામાં આવતી પાન, માવા અને મસાલાની થુંકની પિચકારીઓ દેખાતી નહિ હોય? ચિત્રની બાજુમાં જ મૂકવામાં આવેલી કચરા ટોપલી પણ દેખાતી નહિ હોય?

ઉલ્લેખનીય છે કે સાફ સફાઈની જવાબદારી સેનેટરી વિભાગમાં આવતી હોય છે, ત્યારે શું સેનેટરી વિભાગના અધિકારીઓ અહીંથી આંખો બંધ કરીને પસાર થતા હશે?

તેવા લોકપ્રશ્નો પણ ઉદભવી રહ્યા છે. ત્યારે પાલિકાતંત્ર ક્યારે આ સ્વામી વિવેકાનંદના દીવાલ ચિત્રની સાફ સફાઈ કરાવે છે તે જોવાનું રહ્યું.

Loading

The post Jetpur News: જેતપુર નગરપાલિકાની ઈમારતમાં જ સ્વામી વિવેકાનંદનું અપમાન appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-news-insulting-of-swami-vivekananda-in-municipal-building-dr/7747/feed/ 0 7747
પોલીસની કામગીરી હોમગાર્ડ કે જીઆરડી પાસે ન કરાવવા અંગે કલેકટરને કરવામાં આવી રજૂઆત http://revoltnewsindia.com/application-to-collector-not-transferring-police-work-to-homeguard-grd-dr/7740/ http://revoltnewsindia.com/application-to-collector-not-transferring-police-work-to-homeguard-grd-dr/7740/#respond Sun, 10 Sep 2023 12:22:31 +0000 http://revoltnewsindia.com/?p=7740 પોલીસની કામગીરી હોમગાર્ડ કે જીઆરડી પાસે ન કરાવવા અંગે કલેકટરને કરવામાં આવી રજૂઆત

The post પોલીસની કામગીરી હોમગાર્ડ કે જીઆરડી પાસે ન કરાવવા અંગે કલેકટરને કરવામાં આવી રજૂઆત appeared first on REVOLT NEWS INDIA.

]]>

અમદાવાદ જિલ્લામાં મામલતદાર, પ્રાંત અધિકારી કચેરીઓમાં હોમગાર્ડ, જીઆરડી દ્વારા આરોપીઓને જામીન મુક્ત કરવા રજૂ કરનાર વિરુદ્ધ કાર્યવાહીની માંગ

રિપોર્ટ: દિનેશ રાઠોડ,

Ahmedabad News: દલિત અધિકાર મંચના સંયોજક કિરીટ રાઠોડ દ્વારા જિલ્લા કલકેટર અમદાવાદને કરવામાં આવેલી લેખિત રજૂઆત મુજબ અમદાવાદ જિલ્લામાં સુલેહ શાંતિ ભંગની ફરિયાદના આરોપીઓને હોમગાર્ડ, જી.આર.ડી જવાનો નિયમ વિરુદ્ધ મામલતદાર તેમજ સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ સમક્ષ રજુ કરવાની કામગીરી બંધ કરાવવાની કાર્યવાહી અંગે તેમણે અમદાવાદ જિલ્લા કલેકટર પ્રવિણા. ડી.કે. (આઇ.એ.એસ.)ને 27.07.2023ના રોજ રજુઆત કરી હતી.

દલિત અધિકાર મંચ દ્વારા કરવામાં આવેલી રજૂઆત

જિલ્લા કલકેટર દ્વારા હાથ ધરવામાં આવી કાર્યવાહી

આ રજુઆત બાદ આ પ્રથા બંધ કરવા નિયમોનુસાર કાર્યવાહી કરવા માટે સંબંધિત સત્તામંડળ (1) પોલીસ કમિશનર, અમદાવાદ, (2) પોલીસ અધિક્ષક, અમદાવાદ ગ્રામ્ય, (3) સબ ડિવિઝનલ મેજિસ્ટ્રેટ તમામ અમદાવાદ, (4) મામલતદાર તમામ અમદાવાદ, (5) એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટ કોર્ટ નં.1 ઘી કાંટા અમદાવાદ, (6) એક્ઝિક્યુટીવ મેજિસ્ટ્રેટ કોર્ટ નં. 2 ઘી કાંટા અમદાવાદને લેખિત સૂચના દ્વારા કાર્યવાહી કરવા તેમજ કરવામાં આવેલ કાર્યવાહીનો અહેવાલ પણ મંગાવવામાં આવ્યો છે.

જિલ્લા કલેકટર દ્વારા હાથ ધરવામાં આવેલી કાર્યવાહી

સાથે જ દલિત અધિકાર મંચના સંયોજક કિરીટ રાઠોડ દ્વારા અપીલ કરવામાં આવી છે કે જો આપના તાલુકાની મામલતદાર ઓફીસ કે પ્રાંત ઓફિસમાં હોમગાર્ડ / GRD જવાન આરોપીઓને રજૂ કરતા હોવાનું ધ્યાને આવે તો અમોને સંપર્ક કરી શકો છો મો. 9727745387.

Loading

The post પોલીસની કામગીરી હોમગાર્ડ કે જીઆરડી પાસે ન કરાવવા અંગે કલેકટરને કરવામાં આવી રજૂઆત appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/application-to-collector-not-transferring-police-work-to-homeguard-grd-dr/7740/feed/ 0 7740
Rajkot: મકાન ભાડે આપતા પહેલા પોલીસને કરવી પડશે જાણ, નહિ તો ગણવા પડશે જેલના સળિયા http://revoltnewsindia.com/tenant-information-given-in-police-station-otherwise-punishment-will-done-dr/7730/ http://revoltnewsindia.com/tenant-information-given-in-police-station-otherwise-punishment-will-done-dr/7730/#respond Tue, 05 Sep 2023 04:46:54 +0000 http://revoltnewsindia.com/?p=7730 રહેણાંક તથા ઔદ્યોગિક વિસ્તારોમાં મકાન, એકમો, માલિકો માટે રાજકોટના પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે પ્રતિબંધાત્મક હુકમ ફરમાવેલ છે.

The post Rajkot: મકાન ભાડે આપતા પહેલા પોલીસને કરવી પડશે જાણ, નહિ તો ગણવા પડશે જેલના સળિયા appeared first on REVOLT NEWS INDIA.

]]>
symbolic image

મકાન ભાડે આપતા પહેલા ભાડુઆતની સંપૂર્ણ વિગતો પોલીસમાં આપવાના આદેશો

રિપોર્ટ: દિનેશ રાઠોડ, રાજકોટ તા. 05 સપ્ટેમ્બર – રાજકોટ શહેર પોલીસ કમિશ્નર વિસ્તારમાં ગુપ્ત આશરો મેળવી જાહેર સલામતી અને શાંતિનો ભંગ કરતા અને બહારના રાજયોમાંથી અગર દેશ બહારથી આવતા. અને કોઈનું મકાન ભાડે રાખીને રહેતા અસામાજિક તત્વોની અનિચ્છનીય પ્રવૃત્તિ ઉપર અંકુશ લાવવા માટે રહેણાંક તથા ઔદ્યોગિક વિસ્તારોમાં મકાન, એકમો, ઓફિસો, દુકાનો, ગોડાઉનો, કોલ્ડ સ્ટોરેજ ભાડે આપતા માલિકો માટે રાજકોટના પોલીસ કમિશ્નર રાજુ ભાર્ગવે નીચે મુજબના પ્રતિબંધાત્મક હુકમ ફરમાવેલ છે.

કોઈ ઔદ્યોગિક એકમો/ મકાનો/ ઓફિસો/ દુકાનો/ ગોડાઉનો/ કોલ્ડ સ્ટોરેજના માલિક અગર તો આ માટે આવા એકમના મકાન માલિકે ખાસ સત્તા આપેલ વ્યક્તિઓ/ સંચાલકો જયારે ઔદ્યોગિક એકમો/મકાનો/ઓફિસો/દુકાનો/ગોડાઉનો/કોલ્ડ સ્ટોરેજ ભાડે આપે ત્યાારે સંબંધિત પોલીસ સ્ટેશનને જાણ કર્યા સિવાય કોઈ વ્યક્તિને ભાડે આપી શકશે નહીં.

નોટરી પાસે કરાવવાના રહેશે જરૂરી દસ્તાવેજ

ભાડે આપનાર તથા રાખનાર વ્યક્તિએ નોટરી પાસે જરૂરી દસ્તાવેજ કરાર કરાવવાના રહેશે. ભાડે આપેલ મકાનની વિગત, ભાડુઆત અને જેઓએ ભાડુઆતની ઓળખાણ આપી હોય તે તમામની જરૂરી વિગતો નિયત કરેલા પત્રકમાં જરૂરી માહિતી ભરી સંબંધિત પોલીસ સ્ટેશનને મોકલી આપવાનું રહેશે. આ હુકમ સમગ્ર રાજકોટ પોલીસ કમિશ્નરેટ વિસ્તારમાં તા. 31/10/2023 સુધી અમલમાં રહેશે, જેનો ભંગ કરનાર શિક્ષાને પાત્ર થશે.

Loading

The post Rajkot: મકાન ભાડે આપતા પહેલા પોલીસને કરવી પડશે જાણ, નહિ તો ગણવા પડશે જેલના સળિયા appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/tenant-information-given-in-police-station-otherwise-punishment-will-done-dr/7730/feed/ 0 7730
Jetpur: સુર્યમુખી હનુમાનજી મંદિરનું નામ ‘ડોકટર હનુમાનજી’ કરવામાં આવતા સાધુ સંતો દ્વારા અપાયું આવેદન http://revoltnewsindia.com/jetpur-sadhu-sant-gave-memorandum-to-change-name-of-suryamukhi-hanumanji-temple-to-doctor-hanumanji-dr/7721/ http://revoltnewsindia.com/jetpur-sadhu-sant-gave-memorandum-to-change-name-of-suryamukhi-hanumanji-temple-to-doctor-hanumanji-dr/7721/#respond Mon, 04 Sep 2023 12:15:11 +0000 http://revoltnewsindia.com/?p=7721 જેતપુર શહેરમાં ભાદર નદી કાંઠે સુર્યમુખી હનુમાનજી મંદિરનું નામ ડોક્ટર હનુમાનજી કરી નાખ્યુ છે, જે હનુમાનજીનું ઘોર અપમાન છે.

The post Jetpur: સુર્યમુખી હનુમાનજી મંદિરનું નામ ‘ડોકટર હનુમાનજી’ કરવામાં આવતા સાધુ સંતો દ્વારા અપાયું આવેદન appeared first on REVOLT NEWS INDIA.

]]>

રિપોર્ટ: દિનેશ રાઠોડ, જેતપુર

તા. 04, સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે હનુમાનજીને સ્વામિનારાયણ સંપ્રદાયના સ્વામીના દાસ બતાવતા ભીત ચીત્રોને લઈને હાલ જ્યારે હનુમાનજીના ભકતોમાં આક્રોશ જોવા મળી રહ્યો છે. ત્યારે રાજકોટ જિલ્લાના જેતપુરના પણ આવી એક બાબત સામે આવી છે જેને લઇને આજે સાધુ સંતો દ્વારા જેતપુર મામલતદારને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું.

સાધુ સંતો દ્વારા પાઠવવામાં આવેલા આવેદનપત્રમાં નીચે મુજબ માંગ કરવામાં આવી હતી.

જય સનાતન ધર્મ સાથ જણાવવાનું કે, સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે હનુમાનજીને સ્વામીના દાસ બતાવતા ભીત ચીત્રો સ્વામીને ફળાહાર કરાવતી મુર્તિઓ, માતા સીતાજી વિશે અભદ્ર ટીપ્પણીઓનો વિવાદ ચાલી રહ્યો છે.

અને આવા દુરાચારી સ્વામીઓ વારંવાર સનાતન ધર્મના આરાધ્ય દેવી – દેવતાઓના અપમાન કરી રહ્યા છે. તેની સામે કાનુની રાહે પગલા ભરવાની માંગ કરીએ છીએ.

દુનિયાની ઉત્પતી થઈ ત્યારથી સનાતન ધર્મ અસ્તિત્વમાં છે અને સ્વામીનારાયણ સંપ્રદાયને તો હજુ 250 વર્ષ જેટલો સમય થયો હોવા છતા.

આ સંપ્રદાયના સ્વામીઓ સનાતન ધર્મને નીચે બતાવવાના, આરાધ્ય દેવોને સ્વામી કરતા ઓછા તેજવાળા બતાવવાનો વારંવાર પ્રયાસો કરે છે. વાસ્તવમાં સ્વામીનારાયણ સંપ્રદાયના સ્વામીઓ વિશે આપણે વારંવાર સાંભળીએ છીએ કે, સ્વામીઓ દ્વારા ગુરૂકુળમાં ભણતા બાળકો, શિષ્યો સાથે સૃષ્ટી વિરૂધ્ધનું કૃત્ય, મહિલા સત્સંગીઓ સાથે વ્યભીચાર, સંપતીઓ માટે મારામારી, ખુનની કોશીષ, ખુન કરવા, કરાવવા જેવા ગુન્હાહીત કૃત્ય કરી ભગવા વસ્ત્રોને લજવ્યા.

સ્વામીનારાયણ સંપ્રદાયમાં સ્વામીઓ બની ગયા એટલે સનાતન ધર્મના દેવી દેવતાઓ, સાધુ સંતો, મહાપુરૂષો વિગેરે વિશે જેમ ફાવે તેમ વાણી વિલાસ કરવાનું લાયસન્સ મળી ગયું હોય તેવું બોલવા લાગે છે.

સાધુ સંતો દ્વારા આપવામાં આવેલ આવેદનપત્ર પેજ-01

તાજેતરમાં રાજકોટના કાલાવડ રોડ પર આવેલ બી.એ.પી.એસ. મંદિરના અપૂર્વ સ્વામીએ તો હદ વટાવી દીધી. માતા સીતાજી વનવાસ દરમીયાન ભગવાન શ્રી રામ યારે સોનેરી હરણ પાછળ જાય ત્યારે બચાવોની બુમોનો અવાજ સંભળાય છે ત્યારે માતા સીતાજી લક્ષ્મણજીને શ્રીરામની મદદ માટે જવાનું કહે છે અને તેમાં તુ 13 વર્ષથી અમારી ભેગો વનવાસમાં એટલા માટે ફરે છે કે તારી દાનત સારી નથી, હું મરી જઇશ પણ તારી સાથે નહી પરણું આટલું હિન કક્ષાનું બોલે છે.

આવા ઉચ્ચારણ બદલ અપૂર્વ સ્વામીએ ભુતપૂર્વ સ્વામી બનાવી દેવો જોઇએ. આમ સ્વામીનારાયણ સંપ્રદાય પોતે સનાતન ધર્મનો જ એક ભાગ માનીને સનાતન ધર્મમાં જ્ઞાતીઓના વાડા, અમીર, ગરીબ, ઉંચનીચના ભેદભાવો દુર કરવાને બદલે સંપતીઓ એકઠી કરવાના, ભગવાનના અપમાનો કરવાના જ કામો કરે છે.

જેતપુર શહેરમાં જુનાગઢ રોડ પર તાજેતરમાં 23 શ્રમીકોના મકાન પર હરીભક્તો પાસે દબાણની અરજીઓ કરાવી તે મકાનો પર બુલડોઝર ફેરવાવી, શ્રમીકોને ઘરવિહોણા કરી નાખ્યા. તેવી જ રીતે સારણ નદી પાસે રહેતા શ્રમીકોના મકાનો ડીમોલેશન કરાવવાની વાંરવાર ધમકીઓ આપે છે.

સાધુ સંતો દ્વારા આપવામાં આવેલ આવેદનપત્ર પેજ-02

અને વર્ષોથી શ્રીજી ગાદીસ્થાનમાં સેવા ચાકરી કરતા હરીભક્ત પરીવારની મહિલાને લેન્ડ ગ્રેબીંગ જેવા ગંભીર ગુનામાં એક ટ્રસ્ટીઓએ પોલીસ ફરીયાદ કરી સંડોવી દીધી. આવા બધા કૃત્યો કે જે ગુંડાઓ કરતા હોય તેવા કૃત્ય સ્વામીઓ સંપતી એકઠી કરવા માટે જ કરે છે.

હરીભક્તો પાસેથી ધર્મના નામે પૈસા એકઠા કરી ગરીબ હિન્દુઓના મકાનો પચાવી પાડવામાં વિધર્મીઓને પૈસાઓનું ધિરાણ કરે છે. વિધર્મીઓનું જાહેરમાં સન્માન કરી એક મંચ શેર કરી પ્રશંસા કરે છે. અને સનાતનીઓની નિંદા કરવા જેવા કૃત્યો કરે છે.

આવા કૃત્ય કરનાર સ્વામીઓનો અમો સનાતનીઓ સખત શબ્દોમાં વિરોધ કરીએ છીએ અને તેઓ પર કાયદાકીય પગલા ભરવાની માંગ કરીએ છીએ. પરંતુ કેટલાક બની બેઠેલા ઠગ ભગતો દ્વારા હનુમાનજી નામની આગળ પાછળ ગમે તેવા અશોભનીય શબ્દો જોડી દેતા હોય છે, જે શબ્દો વિશે મોટા ભાગના લોકો બેધ્યાન હોય છે.

જેમ કે સાળંગપુર હનુમાનજી મંદિર ખાતે અનેક મહાનુભાવો, લાખો શ્રધ્ધાળુઓ દર્શન કરી ગયા પરંતુ હનુમાનજીને સ્વામીના દાસ ચીતરવામાં આવ્યા છે તે કોઇના ધ્યાનમાં નોહતું આવ્યું અને જયારે આ વિવાદ જાગ્યો ત્યારે બધાને ધ્યાને આવ્યું કે આતો સનાતન ધર્મનું અપમાન છે.

સાધુ સંતો દ્વારા આપવામાં આવેલ આવેદનપત્ર પેજ-03

આવી રીતે જેતપુર શહેરમાં ભાદર નદી કાંઠે શ્રી ભીમનાથ મહાદેવ મંદિર, બ્રહ્મલીન રમાનંદજી મહારાજના સમાધિ સ્થળ ખાતે તેજ પ્રતાપી સુર્યમુખી હનુમાનજીનું પૌરાણીક મંદિર આવેલ છે.

આ મંદિરનો જીણોદ્ધાર કરવાનો બની બેઠેલા મહંતે નિર્ણય લીધો અને સુર્યમુખી હનુમાનજી મંદિરનું નામ ડોક્ટર હનુમાન કરી નાખ્યુ છે, જે હનુમાનજીનું ઘોર અપમાન છે.

કાલે કોઇ કમ્પાઉન્ડર હનુમાનજી નામ રાખી લ્યે તો ? તો પણ ચુપ બેસવાનું. ના તેવું હવે નહી ચલાવી લેવાય અને પ્રાચીન શ્રી નરસીંહજી મંદિર ખાતે શ્રી રામ દરબાર આવેલ છે.

તેમાં હનુમાનજી ગોઠણભેર મુદ્રામાં ભગવાન શ્રી રામ, માતા જાનકી અને ભાઇ લક્ષ્મણ સમક્ષ દાસ સ્વરૂપમાં બેસેલ છે. પરંતુ તે રામ દરબારમાંથી હનુમાનજીની મૂર્તિને અલગ કરી લોકોના દાસ હોય તે રીતે જયાં ત્યાં જાહેર કાર્યક્રમોમાં ઉપયોગ કરવામાં આવી રહ્યો છે.

જેમ કે હોટેલ બહાર લોકોનું નમીને સ્વાગત કરતો મહારાજ, ચાની હોટેલ પણ ચા પીતા માલધારીનું કટ આઉટ રાખવામાં આવતા હોય તેમા હનુમાનજી લોકોના દાસ હોય તે રીતે પ્રદર્શન માટે રાખવામાં આવે છે.

આવું કૃત્ય કરવુ પણ હનુમાનજીનું અપમાન છે. જેથી અમારી ધાર્મિક લાગણી દુભાઇ છે. અમારી લાગણી દુભાવનાર તેમજ હનુમાનજીનુ વારંવાર અપમાન દ્વારા સનાતન ધર્મનું અપમાન કરનાર સામે કાયદેસરના પગલાં ભરવામાં આવે તેમજ ડોક્ટર હનુમાનજી નામમાંથી ફરી મુળ નામ હતું તે સુર્યમુખી હનુમાનજી રાખવાંમાં આવે તેવી અમારી માંગ છે.

Loading

The post Jetpur: સુર્યમુખી હનુમાનજી મંદિરનું નામ ‘ડોકટર હનુમાનજી’ કરવામાં આવતા સાધુ સંતો દ્વારા અપાયું આવેદન appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-sadhu-sant-gave-memorandum-to-change-name-of-suryamukhi-hanumanji-temple-to-doctor-hanumanji-dr/7721/feed/ 0 7721
Junagadh: જૂનાગઢમાં પોલીસના સહકારથી યુવાનોને અગ્નિવીર સૈનિક ભરતી પૂર્વે અપાશે તાલીમ http://revoltnewsindia.com/junagadh-agniveer-training-given-to-youth-cooperation-of-police-dr/7715/ http://revoltnewsindia.com/junagadh-agniveer-training-given-to-youth-cooperation-of-police-dr/7715/#respond Sun, 03 Sep 2023 08:11:15 +0000 http://revoltnewsindia.com/?p=7715 ભારતીય સેનામાં જોડાઈને રાષ્ટ્રની સેવાની સાથે કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનોને તાલીમનું પ્લેટફોર્મ મળે તે માટે જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાના અભિગમથી જૂનાગઢમાં જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 60 યુવાનોને અગ્નિપથ યોજના અંતર્ગત અગ્નિવીર સૈનિક ભરતી પૂર્વે નિવાસી તાલીમ આપવામાં આવશે.

The post Junagadh: જૂનાગઢમાં પોલીસના સહકારથી યુવાનોને અગ્નિવીર સૈનિક ભરતી પૂર્વે અપાશે તાલીમ appeared first on REVOLT NEWS INDIA.

]]>

ડી.આઈ.જી નિલેશ જાજડિયાના અધ્યક્ષ સ્થાને પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા રોજગાર કચેરી અને જિલ્લા પોલીસ તંત્રના સંયુક્ત ઉપક્રમે તાલીમ વર્ગનો પ્રારંભ

સફળ થવા માટે તમામ ઊર્જા લક્ષ્ય તરફ કેન્દ્રિત કરો: એસ.પી હર્ષદ મહેતા

જૂનાગઢ તા.03 ભારતીય સેનામાં જોડાઈને રાષ્ટ્રની સેવાની સાથે કારકિર્દી બનાવવા ઈચ્છતા યુવાનોને તાલીમનું પ્લેટફોર્મ મળે તે માટે જૂનાગઢ જિલ્લા પોલીસ વડા હર્ષદ મહેતાના અભિગમથી જૂનાગઢમાં જિલ્લા પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે 60 યુવાનોને અગ્નિપથ યોજના અંતર્ગત અગ્નિવીર સૈનિક ભરતી પૂર્વે નિવાસી તાલીમ આપવામાં આવશે.

જૂનાગઢ પોલીસ પરેડ ગ્રાઉન્ડ ખાતે જિલ્લા રોજગાર વિનિમય કચેરી અને જિલ્લા પોલીસ તંત્ર જૂનાગઢના સંયુક્ત ઉપક્રમે અગ્નિવીર સૈનિક ભરતી પૂર્વે નિવાસી તાલીમ વર્ગનો પ્રારંભ જૂનાગઢ રેન્જ ડી.આઇ.જી નિલેશ જાજડિયાના અધ્યક્ષ સ્થાને કરવામાં આવ્યો હતો.

આ પ્રસંગે ડીઆઈજીએ જણાવ્યું હતું કે સફળ થવા માટે ફિઝિકલ ફિટનેસ અને ડિસિપ્લિન બંને જરૂરી છે. રાષ્ટ્ર સેવા માટે તત્પર એવા યુવાનોને અહીં તાલીમ દરમિયાન જુદી જુદી કસોટી અને કસરત પૂરતું ધ્યાન કેન્દ્રિત કરી સફળ થવા માટે શુભકામના પાઠવી હતી.

એસપી હર્ષદ મહેતાએ યુવાનોને મનોવૈજ્ઞાનિક દ્રષ્ટિકોણથી સફળતા માટે વૈચારિકશક્તિ અને મનોબળ તેમજ યુવાનો ધારે તે સફળતા મેળવી શકે તે માટે વિવિધ દ્રષ્ટાંતો આપીને પ્રેરણાદાયી માર્ગદર્શન આપ્યું હતું.

નિષ્ફળતા અને સફળતા વચ્ચે બહુ ફરક હોતો નથી તેમ જણાવી લક્ષ્ય ઉપર તમામ શક્તિ ધ્યાન કેન્દ્રિત કરવા યુવાનોને પ્રેરિત કર્યા હતા.

આ તાલીમ વર્ગમાં યુવાનોને આપવામાં આવનાર સુવિધાઓ તેમજ તાલીમ અંગેની યોજનાકિય રૂપરેખા જિલ્લા રોજગાર અધિકારી પ્રશાંત ત્રિવેદીએ આપી હતી.

આ કાર્યક્રમમાં ઇન્ચાર્જ નાયબ માહિતી નિયામક નરેશ મહેતા, ડીવાયએસપી અનિલ પટણી તથા નાયબ પોલીસ અધિક્ષક નિકીતા, સહિતના પોલીસ અધિકારીઓ અને તાલીમાર્થીઓ ઉપસ્થિત રહ્યા હતા.

Loading

The post Junagadh: જૂનાગઢમાં પોલીસના સહકારથી યુવાનોને અગ્નિવીર સૈનિક ભરતી પૂર્વે અપાશે તાલીમ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/junagadh-agniveer-training-given-to-youth-cooperation-of-police-dr/7715/feed/ 0 7715
જેતપુરના RTI કાર્યકર્તાની ફરિયાદને લીધે શિક્ષણ બોર્ડના મ. સચિવને ગુજરાત માહિતી આયોગે ફટકાર્યો દંડ http://revoltnewsindia.com/jetpur-rajkot-assistant-secretary-of-education-board-was-fined-by-information-commission-for-not-providing-rti-information-dr/7701/ http://revoltnewsindia.com/jetpur-rajkot-assistant-secretary-of-education-board-was-fined-by-information-commission-for-not-providing-rti-information-dr/7701/#respond Tue, 08 Aug 2023 15:27:19 +0000 http://revoltnewsindia.com/?p=7701 રાજકોટ જિલ્લાના જેતપુરના RTI કાર્યકર્તા યોગેન્દ્રસિંહ ગોહિલને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરના મદદનીશ સચિવ અને જાહેર માહિતી અધિકારી ડૉ. દિનેશ એમ. કણસરીયા દ્વારા તેમણે માંગેલી માહિતી સમયસર ન આપતા RTI કાર્યકર્તા યોગેન્દ્રસિંહ ગોહિલે ગુજરાત માહિતી આયોગના દરવાજા ખટખટાવ્યાં હતા.

The post જેતપુરના RTI કાર્યકર્તાની ફરિયાદને લીધે શિક્ષણ બોર્ડના મ. સચિવને ગુજરાત માહિતી આયોગે ફટકાર્યો દંડ appeared first on REVOLT NEWS INDIA.

]]>

રિપોર્ટ દિનેશ રાઠોડ, જેતપુર (રાજકોટ),

Jetpur: રાજકોટ જિલ્લાના જેતપુરના RTI કાર્યકર્તા યોગેન્દ્રસિંહ ગોહિલે ગુજરાત માહિતી આયોગમાં ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરના મદદનીશ સચિવ અને જાહેર માહિતી અધિકારી ડૉ. દિનેશ એમ. કણસરીયાએ તેમણે માંગેલી માહિતી ન આપતા ફરિયાદ કરેલી હતી.

જેને લઇને ગુજરાત માહિતી આયોગ દ્વારા ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરના મદદનીશ સચિવ અને જાહેર માહિતી અધિકારી ડૉ. દિનેશ એમ. કણસરીયાને માહિતીનો અધિકાર અધિનિયમ-2005ની કલમ-20(1)ની જોગવાઇ મુજબ રૂા. 10000/-(રૂપિયા દસ હજાર પૂરા)નો દંડ ફટકાર્યો હતો.

મીડિયા સાથેની વાતચીતમાં RTI કાર્યકર્તા યોગેન્દ્રસિંહ ગોહિલે શું કહ્યું?

RTI કાર્યકર્તા યોગેન્દ્રસિંહ ગોહિલે મીડિયા સાથેની વાતચીતમાં જણાવેલ કે જેતપુરમાં આવેલ એ-સકસેસ સ્કૂલે ગેરરીતિથી મંજૂરી મેળવેલ હોય. તે બાબતની ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરને લેખિત રજૂઆત 17/08/2021ની અરજી દ્વારા કરેલ હોય. જેની માહિતી તેમણે નમૂના ક’ થી 13/06/2022 ના રોજ માગેલ હતી. જે માહિતી આપેલ ન હોય, તેથી તેઓએ માહિતી બાબતની ગુજરાત માહિતી આયોગમાં ફરિયાદ કરેલ હતી. જે ધ્યાને લઈ ગુજરાત માહિતી આયોગ દ્વારા ₹10,000 નો મદદનીશ સચિવ ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરને દંડ ફટકારવામાં આવ્યો હતો.

RTI કાર્યકર્તા યોગેન્દ્રસિંહ ગોહિલ દ્વારા માંગવામાં આવેલ માહિતીની નકલ જે નીચે મુજબ છે

શું છે પૂરો મામલો?

રાજકોટ જિલ્લાના જેતપુરના RTI કાર્યકર્તા યોગેન્દ્રસિંહ ગોહિલને ગુજરાત માધ્યમિક અને ઉચ્ચત્તર માધ્યમિક શિક્ષણ બોર્ડ ગાંધીનગરના મદદનીશ સચિવ અને જાહેર માહિતી અધિકારી ડૉ. દિનેશ એમ. કણસરીયા દ્વારા તેમણે માંગેલી માહિતી સમયસર ન આપતા RTI કાર્યકર્તા યોગેન્દ્રસિંહ ગોહિલે ગુજરાત માહિતી આયોગના દરવાજા ખટખટાવ્યાં હતા.

ત્યારે 28/07/2023ના ગુજરાત માહિતી આયોગના હુકમ મુજબ RTI કાર્યકર્તા યોગેન્દ્રસિંહ ગોહિલ દ્વારા માહિતી અધિકાર અધિનિયમ 2005ની કલમ-18(1) હેઠળ આયોગ સમક્ષ ફરિયાદ કરેલ હતી. આ ફરિયાદને આયોગ દ્વારા ધ્યાને લેતા તેની સુનવણી કરવામાં આવી હતી.

વધુ વિગત માટે વાંચો આયોગ દ્વારા આપેલા હુકમની નકલ જે નીચે મુજબ છે.

Loading

The post જેતપુરના RTI કાર્યકર્તાની ફરિયાદને લીધે શિક્ષણ બોર્ડના મ. સચિવને ગુજરાત માહિતી આયોગે ફટકાર્યો દંડ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-rajkot-assistant-secretary-of-education-board-was-fined-by-information-commission-for-not-providing-rti-information-dr/7701/feed/ 0 7701
उपराष्ट्रपति जगदीप धनखड़ 21-22 मई को केरल का दौरा करेंगे http://revoltnewsindia.com/vice-president-to-tour-kerala-on-21-22-may-dr/7645/ http://revoltnewsindia.com/vice-president-to-tour-kerala-on-21-22-may-dr/7645/#respond Sat, 20 May 2023 02:30:00 +0000 https://revoltnewsindia.com/?p=7645 22 मई को उपराष्ट्रपति जगदीप धनखड़ तिरुवनंतपुरम में केरल विधानसभा के रजत जयंती समारोह का उद्घाटन करेंगे, जहां वे सभा को संबोधित करेंगे और केरल विधानमंडल अंतर्राष्ट्रीय पुस्तक महोत्सव - 2023 की एक स्मारिका का विमोचन करेंगे

The post उपराष्ट्रपति जगदीप धनखड़ 21-22 मई को केरल का दौरा करेंगे appeared first on REVOLT NEWS INDIA.

]]>
File photo

उपराष्ट्रपति जगदीप धनखड़ केरल विधानसभा के रजत जयंती समारोह का उद्घाटन करेंगे

उपराष्ट्रपति जगदीप धनखड़ भारतीय नौसेना अकादमी, एझिमाला का भी दौरा करेंगे

उपराष्ट्रपति जगदीप धनखड़ थालास्सेरी जाएंगे और वहां अपने स्कूल शिक्षक से मिलकर उनका सम्मान करेंगे, 21-22 मई, 2023 को केरल (तिरुवनंतपुरम और कन्नूर) की दो दिवसीय यात्रा पर रहेंगे।

21 मई को केरल पहुंचने के बाद उपराष्‍ट्रपति जगदीप धनखड़ पद्मनाभस्वामी मंदिर, तिरुवनंतपुरम में पूजा-अर्चना करेंगे।

22 मई को उपराष्ट्रपति जगदीप धनखड़ तिरुवनंतपुरम में केरल विधानसभा के रजत जयंती समारोह का उद्घाटन करेंगे, जहां वे सभा को संबोधित करेंगे और केरल विधानमंडल अंतर्राष्ट्रीय पुस्तक महोत्सव – 2023 की एक स्मारिका का विमोचन करेंगे। विधान सभा भवन का उद्घाटन 22 मई 1998 को भारत के पूर्व राष्ट्रपति स्वर्गीय के.आर. नारायणन ने किया था।

इसके बाद दिन में, उपराष्ट्रपति जगदीप धनखड़ भारतीय नौसेना अकादमी (आईएनए), एझिमाला, कन्नूर जाएंगे, जहां वे कैडेटों के साथ बातचीत करेंगे। यह भारत के किसी भी उपराष्ट्रपति जगदीप धनखड़ की भारतीय नौसेना अकादमी का पहला दौरा है।

कन्नूर यात्रा के दौरान उपराष्ट्रपति जगदीप धनखड़ अपनी शिक्षिका रत्ना नायर को थालास्सेरी स्थित उनके आवास पर जाकर सम्‍मानित करेंगे। शिक्षिका रत्ना नायर ने उपराष्ट्रपति जगदीप धनखड़ को तब पढ़ाया जब वे सैनिक स्कूल, चित्तौड़गढ़ के छात्र थे।

Loading

The post उपराष्ट्रपति जगदीप धनखड़ 21-22 मई को केरल का दौरा करेंगे appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/vice-president-to-tour-kerala-on-21-22-may-dr/7645/feed/ 0 7645
Indian Naval ships visit Da Nang Vietnam http://revoltnewsindia.com/indian-naval-ships-visit-da-nang-vietnam-dr/7640/ http://revoltnewsindia.com/indian-naval-ships-visit-da-nang-vietnam-dr/7640/#respond Sat, 20 May 2023 01:30:00 +0000 https://revoltnewsindia.com/?p=7640 As part of Indian Navy’s deployment to ASEAN countries, Indian Naval ships Delhi and Satpura, under the command of Rear Admiral Gurcharan Singh

The post Indian Naval ships visit Da Nang Vietnam appeared first on REVOLT NEWS INDIA.

]]>

As part of Indian Navy’s deployment to ASEAN countries, Indian Naval ships Delhi and Satpura, under the command of Rear Admiral Gurcharan Singh, Flag Officer Commanding Eastern Fleet, arrived at Da Nang, Vietnam on 19 May 23. The ships were accorded a warm welcome by the Vietnam People’s Navy.

The visit is aimed at strengthening bilateral ties & enhancing cooperation between the navies of both countries.

During the visit, personnel from both the navies will engage in a wide range of professional interactions, deck visits, social interactions and sports fixtures, to further strengthen their bonds of friendship.

As part of Indian Navy’s deployment to ASEAN countries, Indian Naval ships Delhi and Satpura, under the command of Rear Admiral Gurcharan Singh, Flag Officer Commanding Eastern Fleet, arrived at Da Nang, Vietnam on 19 May 23. The ships were accorded a warm welcome by the Vietnam People’s Navy

Earlier this month, both ships participated in the inaugural edition of the ASEAN – India Maritime Exercise (AIME) aimed at promoting maritime cooperation, enhancing trust and confidence between ASEAN navies and Indian Navy.

The ships are also scheduled to exercise with the Vietnam People’s Navy at sea to share best practices and enhance interoperability.

Loading

The post Indian Naval ships visit Da Nang Vietnam appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/indian-naval-ships-visit-da-nang-vietnam-dr/7640/feed/ 0 7640
Rajkot: જોડીયા બાળકોને જન્મ અપાવી ત્રણ માનવજિંદગીઓ માટે જીવનદાતા બની “108 સેવા” http://revoltnewsindia.com/rajkot-admirable-performance-by-108-ambulance-team-rni-dr/7636/ http://revoltnewsindia.com/rajkot-admirable-performance-by-108-ambulance-team-rni-dr/7636/#respond Sat, 20 May 2023 00:30:00 +0000 https://revoltnewsindia.com/?p=7636 108ની ટીમે સમયસૂચકતા વાપરી એમ્બ્યુલન્સની અંદર જ પ્રસુતાની જટિલ પ્રસુતિ પણ નોર્મલ અને સફળ કરાવતાં બે ફુલ જેવા કોમળ જોડીયા બાળકોને જન્મ અપાવી ત્રણ માનવજિંદગીઓ માટે જીવનદાતા બની પ્રશંસનીય કાર્ય કરતા પરિવારજનોએ 108 સેવા અને તેના આરોગ્યકર્મીઓને બિરદાવી દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.

The post Rajkot: જોડીયા બાળકોને જન્મ અપાવી ત્રણ માનવજિંદગીઓ માટે જીવનદાતા બની “108 સેવા” appeared first on REVOLT NEWS INDIA.

]]>
File photo

રાજકોટ 108 ટીમની પ્રશંસનીય કામગીરી

Rajkot: રાજકોટના રાજસમઢિયાળા ગામની પ્રસુતા માટે “108 એમ્બ્યુલન્સ” સેવા જોડિયા બાળકો સહિત ત્રણ જિંદગીઓની જીવનદાતા બની હતી. 108ના જિલ્લા સુપરવાઈઝર દર્શિત પટેલએ જણાવ્યું હતું કે, રાજકોટના રાજસમઢિયાળા ગામે ખેત મજુરી અર્થે આવેલા 26 વર્ષીય પ્રસુતાને પ્રસવ પીડા ઉપડતા આશાવર્કર બહેને 108ને કોલ કર્યો હતો. રાજકોટ 108ના સરધાર લોકેશન ફરજ ઉપરના ઈ.એમટી. કાળુભાઈ ગોહિલ અને પાયલોટ મનસુખભાઈ મેણીયા સત્વરે ઘટના સ્થળે પહોંચી ગયા હતા.

વધુ વિગતો આપતા 108ના પ્રોગ્રામ મેનેજર અભિષેક ઠાકર અને ઈ.એમ.ઈ. યોગેશ જાનીએ જણાવ્યું હતું કે, રાજ સમઢિયાળા વાડી વિસ્તારમાં રહેતા પરપ્રાંતીય પ્રસુતાને હોસ્પિટલ લાવી રહ્યા હતા.

ત્યારે અસહ્ય દુ:ખાવો ઉપડતાં હોસ્પિટલ પહોંચતા પહેલાં જ પ્રસુતિ કરાવવી જરૂરી જણાતા. ગામની બહાર જ રસ્તાની સાઈડમાં 108 ઉભી રાખી સ્થળ ઉપર જ પ્રસુતિ કરાવવાની ફરજ પડી હતી.

એપ્રિલ માસમાં રાજકોટનાં 48 સહીત ગુજરાતનાં 784 બાળકોની એમ્બ્યુલન્સમાં સફળ પ્રસુતિ

એમ્બ્યુલન્સમાં હાજર ઈ.એમટી. કાળુભાઈ ગોહિલને પ્રસુતાનાં રીપોર્ટ તપાસતા જણાયું કે તેઓને જોડિયા બાળકો છે. પ્રસુતિ વેળાએ માથાનાં બદલે હાથ દેખાતા પ્રસુતિ કરાવવી મુશ્કેલ થઈ જતાં

ઈ.એમટી. કાળુભાઈએ સમયસૂચકતા વાપરી 108 હેડ ઓફીસનાં ઈ.આર.સી.પી. ડો. જય અને ડો.મયુરનું ટેલીફોનીક માર્ગદર્શન મેળવી પ્રસુતાની નોર્મલ અને સફળ પ્રસુતિ કરાવી બે જોડિયા બાળકોને જન્મ આપ્યો હતો.

નવજાત શિશુઓને શ્વાસ લેવામાં થોડી તકલીફ હોવાથી કૃત્રિમ શ્વાસ અને ઓક્સિજન આપી જરૂરી સારવાર આપવામાં આવી હતી.

વધુ સારવાર અર્થે નવજાત શિશુઓ અને માતાને રાજકોટની સિવિલ હોસ્પિટલ ખાતે ખસેડવામાં આવ્યા હતા. હાલ માતા અને શિશુઓ સંપુર્ણપણે સ્વસ્થ છે.

108ની ટીમે સમયસૂચકતા વાપરી એમ્બ્યુલન્સની અંદર જ પ્રસુતાની જટિલ પ્રસુતિ પણ નોર્મલ અને સફળ કરાવતાં બે ફુલ જેવા કોમળ જોડીયા બાળકોને

જન્મ અપાવી ત્રણ માનવજિંદગીઓ માટે જીવનદાતા બની પ્રશંસનીય કાર્ય કરતા પરિવારજનોએ 108 સેવા અને તેના આરોગ્યકર્મીઓને બિરદાવી દિલથી આભાર વ્યક્ત કર્યો હતો.

ઉલ્લેખનીય છે કે, એમ્બ્યુલન્સમાં હાજર ઈ.એમ. ટી.ની મદદથી એપ્રિલ માસમાં રાજકોટનાં 48 સહીત ગુજરાતનાં 784 બાળકોની એમ્બ્યુલન્સમાં જ સફળ પ્રસુતિ કરાવવામાં આવી હતી.

Loading

The post Rajkot: જોડીયા બાળકોને જન્મ અપાવી ત્રણ માનવજિંદગીઓ માટે જીવનદાતા બની “108 સેવા” appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/rajkot-admirable-performance-by-108-ambulance-team-rni-dr/7636/feed/ 0 7636