Dalit Lives Matter Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/dalit-lives-matter/ News for India Sun, 11 Feb 2024 13:17:18 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png Dalit Lives Matter Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/dalit-lives-matter/ 32 32 174330959 Ahmedabad: પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળ્યો દલિત સમાજની દીકરીની જાનનો વરઘોડો http://revoltnewsindia.com/ahmedabad-wedding-procession-of-dalit-community-girl-took-place-amidst-police-presence/7903/ http://revoltnewsindia.com/ahmedabad-wedding-procession-of-dalit-community-girl-took-place-amidst-police-presence/7903/#respond Sun, 11 Feb 2024 13:17:16 +0000 http://revoltnewsindia.com/?p=7903 Ahmedabad: આજરોજ દેત્રોજ તાલુકાના ડાંગરવા ચુંવાળ ગામે પોલીસ બંદોબસ્ત વચ્ચે વરઘોડો ગામના જાહેર રસ્તેથી કાઢવામાં આવ્યો. વર્ષ 2022માં નવસર્જન ટ્રસ્ટ અને દલિત અધિકાર મંચ દ્વારા માર્ટિનભાઈ મેકવાનની આગેવાનીમાં ગામના જાહેર…

The post Ahmedabad: પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળ્યો દલિત સમાજની દીકરીની જાનનો વરઘોડો appeared first on REVOLT NEWS INDIA.

]]>

Ahmedabad: આજરોજ દેત્રોજ તાલુકાના ડાંગરવા ચુંવાળ ગામે પોલીસ બંદોબસ્ત વચ્ચે વરઘોડો ગામના જાહેર રસ્તેથી કાઢવામાં આવ્યો. વર્ષ 2022માં નવસર્જન ટ્રસ્ટ અને દલિત અધિકાર મંચ દ્વારા માર્ટિનભાઈ મેકવાનની આગેવાનીમાં ગામના જાહેર ચોકમાં સભા કરી હતી.

સભા બાદ જાહેર ચોકથી ગામના જાહેર રસ્તાથી દલિત ફળિયા સુધી ડીજે સાથે વરઘોડો કાઢ્યો હતો. અને વરઘોડો રોકનારને કાનૂની લપડાક આપી હતી.

આજરોજના ડાંગરવા ગામે ડી.જે સાથે જાનનો વરઘોડો કાઢવામાં આવતા 26/05/2022 નાં રોજ ગામના અન્ય સમાજના લોકોએ દલિત દીકરીની જાનના વરઘોડા સમયે હુમલો કર્યો હતો. અને દલિતો ડીજે સાથે વરઘોડો ન કાઢી શકે તેમ કરી હુમલો કર્યો હતો.

આ ધટના બાદ આ બનાવમાં નવસર્જન ટ્રસ્ટના સામાજિક કાર્યકર કિરીટ રાઠોડ, ભરત પરમાર, શાંતા સેનવા, કનુભાઈ સુમેસરા સહિત આગેવાનોએ કાનૂની મદદ પૂરી પાડીને જાહેર ચોકમાં સંમેલન કરીને ડી.જે.સાથે વરઘોડો કાઢ્યો હતો.

હાલમાં તા. 11/02/2024 નાં રોજ કાળાભાઈ મકવાણાની દીકરીના લગ્ન હતાં. તે બાબતે અગાઉથી પોલીસ અને મામલતદારને કાયદો વ્યવસ્થા જાળવવા અરજી આપવામાં વિરમગામના સામાજિક કાર્યકર કિરીટ રાઠોડ, કનુભાઈ સુમેસરાએ સહકાર આપ્યો હતો.

અને આજે કાળાભાઈની દીકરીની જાન અમદાવાદ બાપુનગરથી આવી હતી. અને ગામના જાહેર ચોકથી ડીજે સાથે ફૂલ પોલીસ બંદોબસ્ત સાથે સામાજિક અગ્રણી કિરીટ રાઠોડ, કનુભાઈ સૂમેસરાની આગેવાનીમાં ડીજે સાથે વરઘોડો કાઢી મજબૂત સામાજિક બદલાવ લાવ્યા તે બદલ સમગ્ર ડાંગરવા અનુ.જાતિ વસ્તી પંચ જાહેર આભાર પ્રગટ કરે છે.

Loading

The post Ahmedabad: પોલીસ બંદોબસ્ત વચ્ચે નીકળ્યો દલિત સમાજની દીકરીની જાનનો વરઘોડો appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/ahmedabad-wedding-procession-of-dalit-community-girl-took-place-amidst-police-presence/7903/feed/ 0 7903
Junagadh: જૂનાગઢમાં ખનીજ માફિયાઓ દ્વારા દલિત યુવાન પર કરાયો હીંચકારો હુમલો http://revoltnewsindia.com/attack-on-dalit-youth-by-mineral-mafia-in-junagadh/7836/ http://revoltnewsindia.com/attack-on-dalit-youth-by-mineral-mafia-in-junagadh/7836/#respond Tue, 19 Dec 2023 10:10:32 +0000 https://revoltnewsindia.com/?p=7836 Junagadh: મોરબી દલિત અત્યાચારની આગ હજુ શાંત નથી થઈ ત્યાં જૂનાગઢમાં દલિત અત્યાચારની ઘટના (Attack on Dalit youth) સામે આવી છે. જૂનાગઢ (Junagadh)માં ખનીજ માફિયાઓ (Mineral mafia) દ્વારા ટ્રક ચાલક…

The post Junagadh: જૂનાગઢમાં ખનીજ માફિયાઓ દ્વારા દલિત યુવાન પર કરાયો હીંચકારો હુમલો appeared first on REVOLT NEWS INDIA.

]]>

Junagadh: મોરબી દલિત અત્યાચારની આગ હજુ શાંત નથી થઈ ત્યાં જૂનાગઢમાં દલિત અત્યાચારની ઘટના (Attack on Dalit youth) સામે આવી છે. જૂનાગઢ (Junagadh)માં ખનીજ માફિયાઓ (Mineral mafia) દ્વારા ટ્રક ચાલક દલિત યુવાન પર ફિલ્મી ઢબે હુમલો કરવાની ઘટના સામે આવી છે. ખનીજ માફિયાઓ દ્વારા દલિત યુવાનને નિર્દયતાથી માર મારવામાં આવતા હાલ આ દલિત યુવાન હોસ્પીટલમાં સારવાર હેઠળ છે. જ્યાં તેમની સારવાર ચાલી રહી છે.

ફોટો: અત્યાચારનો ભોગ બનનાર દલિત યુવાન બિપિન

શું છે પૂરો મામલો

મૂળ રાજકોટ જિલ્લાના ઉપલેટા તાલુકાના ગણોદ ગામના વતની અને હાલ વંથલી તાલુકાના કણજા ગામે રેતીના ફેરા કરવા માટે ટ્રક ડ્રાઇવિંગનો વ્યવસાય કરતા બિપિન જયસુખભાઈ પરમાર (32) ઉપર ખનીજ માફિયાઓ દ્વારા ફિલ્મી ઢબે હુમલો કરવાની ઘટના સામે આવી છે. ભોગ બનનાર દલિત યુવાન બિપિન જયસુખભાઈ પરમાર વંથલી તાલુકાના કણજા ગામે પ્રદીપ મિયાત્રાના રેતી ચારવાના ચારણે આવેલા મકાનમાં રહે છે.

આ પણ વાંચો: ગોંડલમાં દલિત સ્મશાનને લઈને એક વ્યકિતએ શરીર પર કેરોસીન છાટ્યું તો ત્રણ વ્યક્તિએ ગટગટાવી ફીનાઇલ

ભોગ બનનાર દલિત યુવાન બિપિન કોડીનાર બાજુ રેતીનો ફેરો કરવા ગયેલ હતો. ત્યારે એક ગ્રાહકે તેને રેતીના ફેરાનો ભાવ પૂછ્યો હતો. આ ગ્રાહક કેશોદ તાલુકાના મંગલપુર ગામના સતિશ મરઢ અને અર્જુન પાસેથી પણ રેતી મંગાવતા હોય જેથી બિપિન પાસેથી રેતી લે છે તેવું તેઓને જણાઈ આવ્યું હતું.

ફોટો: અત્યાચારનો ભોગ બનનાર દલિત યુવાન બિપિન

જેને લઈને ખનીજ માફિયાઓ દ્વારા અત્યાચારનો ભોગ બનનાર દલિત યુવાન બિપિનને ફોન કરીને તું કેમ રેતીના ફેરાના ભાવ ઓછા કરીને ભાવ બગાડે છે. તેમ કહીને ગાળા-ગાળી કરી હતી.

બાદમાં આ ખનીજ માફિયાઓ દ્વારા કણજા ગામ પાસે એસયુવી ગાડીમાં આવીને આ અત્યાચારનો ભોગ બનનાર યુવાન બિપિનને આંતરીને બેફામ રીતે લોખંડના પાઇપ અને ધોકા વડે માર માર્યો હતો.

જેના કારણે દલિત યુવાન બિપિનના પગમાં ફ્રેકચર જેવી ગંભીર ઇજાઓ પહોચી હતી. તેમજ આ ગુંડાઓ દ્વારા દલિત યુવાન બિપિનને જાનથી મારી નાખવાની ધમકી પણ આપી હતી.

આ પણ વાંચો: એટ્રોસિટી એક્ટ મુજબ દાખલ થયેલા કેસમાં ફરિયાદી માટે સમાધાન કરવું કેટલું જોખમી છે!

તેમજ આ યુવાનને જાતિ પ્રત્યે પણ હડધૂત કર્યો હોવાનું સામે આવ્યું છે. ઇજાગ્રસ્ત બિપિનને સારવાર માટે હોસ્પીટલમાં ખસેડવામાં આવ્યો છે જ્યાં તેની સારવાર ચાલી રહી છે.

વંથલી પોલીસે દલિત યુવાન બિપિનની ફરિયાદ લઈને પાંચેય ગુંડાઓ વિરુદ્ધ જુદા જુદા કાયદાઓ મુજબ ગુનો દાખલ કરીને ફરિયાદ દાખલ કરી છે. આ કેસની તપાસ ડીવાયએસપી ડી વી કોડિયાતર ચલાવી રહ્યા છે.

ફોટો: અત્યાચારનો ભોગ બનનાર દલિત યુવાન બિપિન

આ પણ વાંચો: દલિત વરઘોડાના પોલીસ બંદોબસ્તનો ખર્ચ સામૂહિક દંડ તરીકે વસૂલ કરી શકાય?

FIR મુજબ આરોપીઓના નામ

  1. સતિશ મરંઢ આહીર
  2. અર્જુન મરંઢ આહીર
  3. તથા તેની સાથે સ્કોર્પિયોમાં આવેલા ત્રણ અજાણ્યા ઇસમો.

કઈ-કઈ કલમો મુજબ ગુનો થયો દાખલ

જૂનાગઢમાં ખનીજ માફિયાઓ દ્વારા ટ્રક ચાલક દલિત યુવાન પર ફિલ્મી ઢબે હુમલો કરવાની ઘટના સામે આવી છે, જેમાં આઇપીસી 326, 325, 249(b),506(2),143,147,148,149,120(b). તેમજ અનુસુચિત જાતિ/અનુસુચિત જનજાતિ (અત્યાચાર નિવારણ) અધિનિયમ મુજબ સેક્શન 3(2)(v),3(1)(r),3(1)(s) અને જીપી એક્ટ મુજબ સેક્શન 135 મુજબ વંથલી પોલીસ સ્ટેશનમાં તા. 14/12/2023ના રોજ FIR દાખલ થયેલ છે.

ઉલ્લેખનીય છે કે IPC, SC/ST act જેવા કાયદાઓ હોવા છતાં પણ ગુજરાતમાં એક બાદ એક દલિત અત્યાચારની ઘટનાઓ સામે આવતી રહે છે. ત્યારે જાણે ગુનેગારોને તંત્રનો કોઈ ડર જ ન હોય તેવું લોકમુખે ચર્ચાઇ રહ્યું છે.

આ પણ વાંચો: ગામડાં અંગે ડૉ. આંબેડકરનો વિચાર વિસ્ફોટ- મયુર વાઢેર

Loading

The post Junagadh: જૂનાગઢમાં ખનીજ માફિયાઓ દ્વારા દલિત યુવાન પર કરાયો હીંચકારો હુમલો appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/attack-on-dalit-youth-by-mineral-mafia-in-junagadh/7836/feed/ 0 7836
Ahmedabad News: અમદાવાદ જિલ્લાના ગામોમાં અનુ.જાતિ સમાજ માટે સ્મશાન ભૂમિ નીમ કરવા અંગે અપાયા કાર્યવાહીના આદેશ http://revoltnewsindia.com/order-by-collector-for-cremation-of-sc-community-in-villages-of-ahmedabad-district-dr/7780/ http://revoltnewsindia.com/order-by-collector-for-cremation-of-sc-community-in-villages-of-ahmedabad-district-dr/7780/#respond Fri, 06 Oct 2023 08:39:26 +0000 http://revoltnewsindia.com/?p=7780 અમદાવાદ જિલ્લાના અનુસુચિત જાતિના લોકો માટે ગામડાઓમાં સ્મશાન માટે જમીન નીમ કરવા તેમજ સુવિધા પુર્ણ અંતિમધામ બનાવવા અને જિલ્લા સ્તરે તથા તાલુકા સ્તરે સમિતિ બનાવવાની કાર્યવાહી કરવા બાબતની રજૂઆત કલેકટર અમદાવાદને

The post Ahmedabad News: અમદાવાદ જિલ્લાના ગામોમાં અનુ.જાતિ સમાજ માટે સ્મશાન ભૂમિ નીમ કરવા અંગે અપાયા કાર્યવાહીના આદેશ appeared first on REVOLT NEWS INDIA.

]]>
Ahmedabad News: અમદાવાદ જિલ્લાના અનુસુચિત જાતિના લોકો માટે ગામડાઓમાં સ્મશાન માટે જમીન નીમ કરવા તેમજ સુવિધા પુર્ણ અંતિમધામ બનાવવા અને જિલ્લા સ્તરે તથા તાલુકા સ્તરે સમિતિ બનાવવાની કાર્યવાહી કરવા બાબતની રજૂઆત કલેકટર અમદાવાદને કાર્યવાહી કરવા રજુઆત કરવામાં આવતા મદદનીશ કલેકટર વિરમગામ દ્વારા કાર્યવાહી કરવા વિરમગામ/માંડલ/દેત્રોજના મામલતદારને કાર્યવાહી કરવા લેખિત સૂચના આપવામાં આવી હતી.

મદદનીશ કલેકટર દ્વારા મામલતદારને લખેલ પત્રની વિગત

ઉપરોકત વિષય તથા સંદર્ભદર્શિત પત્ર અન્વયે જણાવવાનુ કે, અરજદાર કિરીટ રાઠોડ વિગેરે, રહે. રતનબેનની ચાલી, ડો.બાબા સાહેબ આંબેડકર બ્રીજ નીચે, મુ.પો.વિરમગામ, જી.અમદાવાદની અરજીથી અનુસૂચિત જાતિના લોકો માટે

ગામડાઓમાં સ્મશાન માટે જમીન નીમ કરવા તેમજ સુવિધા પુર્ણ અંતિમધામ બનાવવા અંગે જિલ્લા સ્તરે તથા તાલુકા સ્તરે સમિતિ બનાવવાની કાર્યવાહી કરવા બાબતે અનુસુચિત જાતિનાં લોકો માટે સ્મશાન માટે જમીન નીમ કરવાની થાય છે કે કેમ?

તેમજ સુવિધા પુર્ણ અંતિમ ધામ બનાવવા બાબતે યોગ્ય ચકાસણી કરાવી જે ગામોએ અનુસુચિત જાતિના લોકો માટે સ્મશાન માટે કેટલા ગામોમાં સ્મશાન માટે જમીન નીમ કરવાની થાય છે?

તે અંગેનો અહેવાલ તથા જે ગામોએ અનુસુચિત જાતિ લોકો માટે સ્મશાન માટે જમીન નીમ કરવાપાત્ર થતી હોય તે ગામોએ જમીનની પસંદગી કરી ધોરણસરની દરખાસ્ત દિન-07 માં મોકલી આપવા જણાવવામાં આવે છે.

નોંધ: વિરમગામ/માંડલ/ દેત્રોજ ના તમામ ગામોમાં અનુ.જાતિ સ્મશાન ની કોઈ પણ તકલીફ / સમસ્યા હોય તો નીચે આપેલ સંપર્ક નંબર માં જરૂર ફોન કરી માહિતી માર્ગદર્શન મેળવી શકો છો. વિરમગામ તાલુકા માટે – કિરીટ રાઠોડ ( 9727745387 ), માંડલ તાલુકા માટે – કિશન સેંધવ ( 9723727227 ), દેત્રોજ તાલુકા માટે – કનુભાઈ સુમેસરા ( 9824265884 ).

Loading

The post Ahmedabad News: અમદાવાદ જિલ્લાના ગામોમાં અનુ.જાતિ સમાજ માટે સ્મશાન ભૂમિ નીમ કરવા અંગે અપાયા કાર્યવાહીના આદેશ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/order-by-collector-for-cremation-of-sc-community-in-villages-of-ahmedabad-district-dr/7780/feed/ 0 7780
Rajkot: ગોંડલમાં દલિત સ્મશાનને લઈને એક વ્યકિતએ શરીર પર કેરોસીન છાટ્યું તો ત્રણ વ્યક્તિએ ગટગટાવી ફીનાઇલ http://revoltnewsindia.com/rajkot-attempted-self-immolation-by-agitators-over-dalit-cremation-land-in-gondal-dr/7758/ http://revoltnewsindia.com/rajkot-attempted-self-immolation-by-agitators-over-dalit-cremation-land-in-gondal-dr/7758/#respond Thu, 05 Oct 2023 13:54:49 +0000 http://revoltnewsindia.com/?p=7758 ગોંડલ તાલુકાના દલિત સમાજ દ્વારા સ્મશાનની જમીનની બાબતે ગોંડલમાં આવેલ ડો. આંબેડકરની પ્રતિમા પાસે છેલ્લા વીસ દિવસથી ચાલી રહેલા ઉપવાસ આંદોલનમાં

The post Rajkot: ગોંડલમાં દલિત સ્મશાનને લઈને એક વ્યકિતએ શરીર પર કેરોસીન છાટ્યું તો ત્રણ વ્યક્તિએ ગટગટાવી ફીનાઇલ appeared first on REVOLT NEWS INDIA.

]]>

આઝાદીના 75 વર્ષ બાદ પણ સ્મશાનની જમીનને લઈને દલિતો આંદોલન કરવા મજબૂર

આંદોલકારીઓ દ્વારા આપવામાં આવી હતી આત્મવિલોપનની ચીમકી

ગોંડલમાં દલિત સ્મશાન ભૂમિને લઈને આંદોલનકારીઓ દ્વારા આત્મદાહનો પ્રયાસ

ગોંડલના ખડવંથલી ગામના દલિત સમાજ દ્વારા દલિત સ્મશાનને લઈને છેલ્લાં 20 દિવસથી કરવામાં આવી રહ્યું હતું આંદોલન

Report by Dinesh Rathod

Rajkot: તા. 05- ઓક્ટોબર, રાજકોટ જિલ્લાના ગોંડલ (Gondal) તાલુકાના ખડવંથલીના દલિત સમાજ (Dalit Community) ના આંદોલનમાં એકબાજુ આંદોલનકારીઓએ પારણા કર્યા હતા. તો બીજી બાજુ વ્યકિતએ શરીર ઉપર કેરોસીન છાટ્યું હતું અને ત્રણ યુવાનોએ ફીનાઇલ પીધી હતી.

ગોંડલ તાલુકાના ખડવંથલી ગામના દલિત સમાજ દ્વારા સ્મશાનની જમીનની બાબતે ગોંડલમાં આવેલ ડો. આંબેડકરની પ્રતિમા પાસે છેલ્લા વીસ દિવસથી ચાલી રહેલા ઉપવાસ આંદોલનમાં આજે અફડાતફડી મચી જવા પામી હતી.

રાજકોટ જિલ્લાના ગોંડલ તાલુકાના ખડવંથલીના દલિત સમાજના આંદોલનમાં એકબાજુ આંદોલનકારીઓએ પારણા કર્યા હતા. તો બીજી બાજુ વ્યકિતએ શરીર ઉપર કેરોસીન છાટ્યું હતું અને ત્રણ યુવાનોએ ફીનાઇલ પીધી હતી.

ખડવંથલી ગ્રામ પંચાયતના સરપંચ તથા સરકારી તંત્ર દ્વારા ઉપવાસ પર બેઠેલા લોકોની માંગણી સ્વિકારી લેવામાં આવી હોય જેને લઇને આગેવાનની હાજરીમાં પારણાં કરાવાઇ રહ્યા હતા.

એજ સમયે કેરોસીનની બોટલ લઈ છાવણીમાં ઘસી આવેલા વ્યક્તિએ શરીર પર કેરોસીન છાંટતા અફરાતફરી મચી જવા પામી હતી.

પોલીસે તુરંત આ વ્યક્તિને પકડી લઈ એમ્બ્યુલન્સ દ્વારા હોસ્પિટલ ખસેડ્યો હતો. હજુ તો આ ઘટના પુરી નથી થઈ ત્યાં બીજા ત્રણ વ્યક્તિઓએ ફીનાઇલ ગટગટાવતા અફડાતફડી મચી જવા પામી હતી.

આઝાદીના 75 વર્ષ બાદ પણ સ્મશાનની જમીનને લઈને દલિતો આંદોલન કરવા મજબૂર

પોલીસે તુરંત આ વ્યક્તિઓને પણ હોસ્પિટલ ખસેડ્યા હતા. અચાનક બનેલી ઘટનાને લઈને પારણા કરાવી રહેલા દલિત સમાજના આગેવાનો પણ અચંબીત બન્યા હતા.

લોકો એકઠા થઈ જતા અને દેકારો બોલી જતા પોલીસે મહામુસીબતે પરિસ્થિતિ પર કાબુ લઈ ઉપવાસ પર બેઠેલા વ્યક્તિઓની છાવણી હટાવી દીધી હતી.

આ દરમિયાન ગોંડલની સરકારી હોસ્પિટલે પણ દલિત સમાજના યુવાનો એકઠા થતા વાતાવરણ તંગ બન્યુ હતુ. વણસેલી પરિસ્થિતિને લઈ હોસ્પિટલ ખાતે ચાંપતો પોલીસ બંદોબસ્ત ગોઠવી દેવાયો હતો.

પ્રાપ્ત વિગત મુજબ ખડવંથલી ગ્રામ પંચાયતના દ્વારા દલિત સમાજના સ્મશાનને તોડી પાડી ત્યાથી રસ્તો કઢાયો હોય જેના વિરોધમાં છેલ્લા વીસ દિવસથી ખડવંથલીના દલિત સમાજ દ્વારા ગોંડલ ખાતે આવેલ ડો. આંબેડકરની પ્રતિમા ઉપવાસ આંદોલન ચાલી રહ્યું હતુ.

આંદોલનને વીસ દિવસ વીતી ગયા હોવા છતા સરકારી તંત્ર દ્વારા નોંધ સુધ્ધા લેવાઇ ન હોય આખરે આંદોલકારીઓ દ્વારા આત્મવિલોપનની ચીમકી અપાતા તંત્ર હરકતમાં આવ્યુ હોય તેમ પીઆઇ. ડામોર, પીએસઆઇ કોઠીયા, તાલુકા પીએસઆઇ ઝાલા સહિત પોલીસ કાફલો ઉપવાસી છાવણી ખાતે ખડકાયો હતો.

એમ્બ્યુલન્સ ઉપરાંત ફાયર બ્રિગેડને પણ તહેનાત કરાયુ હતુ.

આ દરમિયાન બપોરના બાર કલાકે પ્રાંત અધીકારી દેવાહુતી મેડમ, મામલતદાર ચાવડા, નાયબ મામલતદાર મનિષ જોષી, તાલુકા વિકાસ અધિકારી ગઢવી તથા ખડવંથલીના સરપંચ ભાવેશભાઈ કથીરીયા સહિત છાવણી પર દોડી આવી આંદોલનકારીઓની માંગણી સ્વીકારી,

સ્મશાન માટે જમીન ફાળવવાની મૌખિક ખાત્રી આપતા દલિત સમાજના આગેવાનો ગીરધરભાઇ સોલંકી, બાબુભાઇ મકવાણા, સવજીભાઈ સાગઠીયા, હરીભાઇ રાઠોડ, પોલાભાઇ ખીમસુરીયા, હરીભાઇ મયાત્રા, ભીખાભાઇ બગડા, વિપુલભાઈ પરમાર સહિત સમાજના લોકો સહમત થયા હતા.

અને ઉપવાસ કરનારા હકાભાઇ પરમાર, જમનભાઇ પરમાર તથા ભરતભાઇ પરમારને પારણાં કરાવ્યા હતા. પરંતુ આ સમયે રામોદના મનસુખભાઈ રાઠોડ કેરોસીનની બોટલ સાથે ઘસી આવી શરીર પર કેરોસીન છાટ્યુ હતુ.

પરંતુ એલર્ટ રહેલા પીઆઇ. ડામોર સહિત ના પોલીસ સ્ટાફે મનસુખભાઈને પકડી લઈ ફાયર બ્રિગેડનો ફુવારો મારી હોસ્પિટલ ખસેડ્યા હતા.

ત્યાં જ છાવણીમાં અચાનક ભીખાભાઇ પરમાર, જીતેન્દ્રભાઇ પરમાર અને ભરતભાઇ પરમારે ફીનાઇલ ગટગટાવી લેતા હલ્લાબોલ મચી જવા પામી હતી.

પોલીસે તુરંત ત્રણેય વ્યક્તિઓને હોસ્પિટલ ખસેડી અફડાતફડીના માહોલને કાબુમાં લઈ આગેવાનોને સાથે રાખી છાવણી હટાવી લોકોનાં ટોળાને વિખેર્યુ હતુ.

સરકારીતંત્ર દ્વારા લેખિત બાહેંધરી ન અપાતા કરાયો હતો આત્મવિલોપનનો પ્રયાસ

બીજી બાજુ સિવિલ હોસ્પિટલ ખાતે દલિત સમાજના યુવાનો એકઠા થતા ડીવાયએસપી ઝાલા સહિત પોલીસ કાફલો દોડી આવ્યો હતો. આત્મવિલોપનનો પ્રયાસ કરનાર

હોસ્પિટલ રહેલા મનસુખભાઈ રાઠોડે મીડિયા સાથેની વાતચીતમાં જણાવ્યુ હતુ કે સરકારી તંત્ર દ્વારા કોઈ લેખીત બાહેંધરી અપાઇ ના હોય અમારે આત્મવિલોપન કરવા મજબુર બનવુ પડ્યુ છે.

બીજી બાજુ ગોંડલ મેઘવાળ સેવા સમાજ ટ્રસ્ટના પ્રમુખ ગીરધરભાઇ સોલંકીએ જણાવ્યુ કે સરપંચ તથા પ્રાંત અધિકારી સહિત તંત્ર દ્વારા લેખીત બાહેંધરી અપાઇ છે.

તથા તાલુકા વિકાસ અધિકારી દ્વારા આઠ દિવસમાં સ્મશાનની જમીનના પેપર તૈયાર કરી આપવા ખાત્રી અપાઇ હોય આંદોલન પુર્ણ થયુ છે.

જે યુવાનોએ આત્મવિલોપનનો પ્રયાસ કર્યો છે તેમને આ જાણ ન હોય આ પગલુ ભરાયુ છે. હોસ્પીટલમાં દાખલ થયેલા ચારેય યુવાનોની તબીયત સારી હોવાનું જણાવ્યુ હતુ.

આમ અફડાતફડી ભરી ઘટનાઓ વચ્ચે છેલ્લા વીસ દિવસથી ચાલતુ આંદોલન આજે સમેટાયું હતુ.

ઉલ્લેખનીય છે કે જ્યારે આપણા દેશ ભારતને આઝાદી મળી તેના 75 ઉપર વર્ષ વીત્યા હોવા છતાં. અને દેશ જ્યારે આઝાદીનો અમૃત મહોત્સવ ઉજવી રહ્યો છે. ત્યારે દેશની મોટી આબાદી એવા દલિત સમાજને આજના સમયમાં પણ અંતિમવિધિ કરવા માટેની જમીન માટે આંદોલન કરવું પડે તે આપણાં સૌ ભારતવાસીઓ માટે શરમજનક બાબત કહેવાય.

Loading

The post Rajkot: ગોંડલમાં દલિત સ્મશાનને લઈને એક વ્યકિતએ શરીર પર કેરોસીન છાટ્યું તો ત્રણ વ્યક્તિએ ગટગટાવી ફીનાઇલ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/rajkot-attempted-self-immolation-by-agitators-over-dalit-cremation-land-in-gondal-dr/7758/feed/ 0 7758
Atrocities Act: એટ્રોસિટી એક્ટ મુજબ દાખલ થયેલા કેસમાં ફરિયાદી માટે સમાધાન કરવું કેટલું જોખમી છે! http://revoltnewsindia.com/sc-st-atrocities-act-how-dangerous-for-the-prosecutor-to-compromise-rni-dr/7342/ http://revoltnewsindia.com/sc-st-atrocities-act-how-dangerous-for-the-prosecutor-to-compromise-rni-dr/7342/#respond Mon, 22 Aug 2022 18:24:27 +0000 http://revoltnewsindia.com/?p=7342 SC ST Atrocities Act આ કાયદામાં એવું છે કે આ કાયદા નીચે આચરવામાં આવેલ ગુનાઓમાં સમાધાન થઈ શકતું નથી એટલે કે નોન-કમ્પાઉન્ડેબલ છે. એટલે કે પોલીસ અથવા ટ્રાયલના તપાસ અધિકારી દ્વારા પણ તેઓને કાયદા દ્વારા સમાધાન અથવા કેસ પાછો ખેંચવાની મંજૂરી આપી શકે નહીં. કોર્ટમાં કેસ જાય ત્યાં પણ સમાધાન માટે કોર્ટ ફરિયાદી ને ફરજ પડી શકે નહીં એટલે કોર્ટ રૂબરૂ પણ સમાધાન થઈ શકતું નથી.

The post Atrocities Act: એટ્રોસિટી એક્ટ મુજબ દાખલ થયેલા કેસમાં ફરિયાદી માટે સમાધાન કરવું કેટલું જોખમી છે! appeared first on REVOLT NEWS INDIA.

]]>
PC: facebook.com/LokeshPoojaUkey

1989 પહેલા દલિતો વિરુદ્ધના અત્યાચારોના ગુનાઓ માટેના કાયદાઓ હોવા છતાં અત્યાચારો નહીં અટકતા ભારતની સંસદે 1989માં THE SCHEDULED CASTES AND THE SCHEDULED TRIBES (PREVENTION OF ATROCITIES) ACT, 1989 ટૂંકમાં એટ્રોસિટી એક્ટ નામનો કાયદો ઘડ્યો.

આ કાયદામાં એવું છે કે આ કાયદા નીચે આચરવામાં આવેલ ગુનાઓમાં સમાધાન થઈ શકતું નથી એટલે કે નોન-કમ્પાઉન્ડેબલ છે. એટલે કે પોલીસ અથવા ટ્રાયલના તપાસ અધિકારી દ્વારા પણ તેઓને કાયદા દ્વારા સમાધાન અથવા કેસ પાછો ખેંચવાની મંજૂરી આપી શકે નહીં. કોર્ટમાં કેસ જાય ત્યાં પણ સમાધાન માટે કોર્ટ ફરિયાદી ને ફરજ પડી શકે નહીં એટલે કોર્ટ રૂબરૂ પણ સમાધાન થઈ શકતું નથી.

બીજું, આ હેઠળ આચરવામાં આવતા ગુનાઓ કોગ્નિઝેબલ પ્રકૃતિના છે એટલે પોલીસ FIR નોંધવા બંધાયેલ છે અને ગુનેગારની ધરપકડ કરી શકે છે.

PC: facebook.com/LokeshPoojaUkey

આ કાયદા હેઠળ નોંધાયેલા કેસોની તપાસ ફક્ત ડીએસપી સ્તરના કે DySP સ્તરના અધિકારી જ કરી શકે છે.
આ હેઠળ નોંધાયેલા કેસોની સુનાવણી માટે, વધારાના સેશન્સ જજના સ્તરના ન્યાયિક અધિકારીને વિશેષ ન્યાયાધીશનો દરજ્જો આપવામાં આવ્યો છે કે જેને જેમને આજીવન કેદ અને મૃત્યુ દંડ સુધીની સજા કરવાની સતા હોય છે.

આ પણ વાંચો

ટ્રાયલ ચલાવવા માટે વિશેષ સરકારી વકીલની નિમણૂક કરવામાં આવે છે.

મોટા ભાગે એવું બને છે કે દલિતો અત્યાચારના ગુનાની ફરિયાદો તો દાખલ કરે છે. કેસ નોંધાયા પછી સામે પક્ષે ગુનેગારો ફરિયાદી પર કેસ પાછો ખેંચવા અથવા સમાધાન કરવા માટે દબાણ કરે છે, અને આ માટે કેસ પાછો ખેંચી લેવામાં આવે છે. ફરિયાદીના ઘેર ફરિયાદી પર દબાણ કરવા મોટા ભાગે ગામોની પંચાયતો હસ્તક્ષેપ કરવા મેદાન માં આવે છે. ફરિયાદી પર તેના સંબંધીઓ દ્વારા દબાણ કરવામાં આવે છે અને ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવે છે અથવા જો તે કેસ પાછો ન ખેંચે તો તેને ખૂબ જ લાલચ આપવામાં આવે છે.

PC: facebook.com/LokeshPoojaUkey

આ બધા લોભ, ધમકીઓ, ડર, દબાણમાં ક્યાંકને ક્યાંક એટ્રોસિટી એક્ટ હેઠળ કેસ દાખલ કરનાર ફરિયાદી ફસાઈ જાય છે અને કેસ પાછો ખેંચવા કે સમાધાન કરવા તૈયાર થઈ જાય છે.

પરંતુ કાયદો તો સમાધાનની મંજૂરી આપતો નથી. આવા કેસોમાં પોલીસના તપાસ અધિકારી તપાસ સમાપ્ત કરી શકતા નથી, આ માટે પોલીસ દ્વારા ફરિયાદીને લેખિતમાં સોગંદનામું લાવવાનું કહેવામાં આવે છે કે આ કેસમાં દલિત અત્યાચારની ફરિયાદ નોંધાયેલ છે પણ આવો કોઈ બનાવ બન્યો ન હતો કે ગેરસમજમાં નોંધવામાં આવ્યો હતો. ફરિયાદી તપાસ અધિકારી સમક્ષ આ સોગંદનામું રજુ કરે. એટલે કેસની તપાસ કરનાર અધિકારી કોર્ટ સમક્ષ આખરી રિપોર્ટ રજુ કરી “બી” સમરી રિપોર્ટ કરે છે કે ફરિયાદ ખોટી છે. સાથે સાથે ક્રિમિનલ પ્રોસિજર કોડ ની કલમ 169 મુજબ ગુનેગારોને છોડી મુકવા રીપોર્ટ રજુ કરે છે.

PC: facebook.com/LokeshPoojaUkey

પોલીસ આવા રીપોર્ટ પરથી પાછા ખેંચાયેલા કેસોને ખોટા કેસોની સૂચિમાં મૂકે છે, ત્યારબાદ જ્યારે દર મહિનાના અંતે એટ્રોસિટી એક્ટ એક્ટ હેઠળ નોંધાયેલા કેસોની સૂચિ તૈયાર કરવામાં આવે છે. આ રીતે દેશના દરેક જિલ્લાના એટ્રોસિટી એક્ટના કેસોની ગણતરી કરવામાં આવે છે અને તેમાં પોલીસ તપાસ દરમિયાન પાછા ખેંચાયેલા કેસો /ખોટા કેસો હોવાનું જણાયું હોય તે તમામ ડેટા એકત્ર કરીને નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોમાં જાય જ્યાં વાર્ષિક અહેવાલમાં જણાવવામાં આવે છે કે એટ્રોસિટી એક્ટ હેઠળ આટલા કેસ નોંધાયા છે અને તેમાંથી ઘણા ખોટા હોવાનના ડેટા છે અને જ્યારે એટ્રોસિટી એક્ટ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવે ત્યારે આવો ડેટા રજૂ કરીને ભારત સરકાર અથવા અન્ય કોઈ પક્ષ કોર્ટને જણાવશે કે એટ્રોસિટી એક્ટનો દુરુપયોગ થઈ રહ્યો છે.

આ બધું એટ્રોસિટી એક્ટ ને નબળો પાડવા કે નાબૂદ કરવાના ષડયંત્રોને બળ આપે છે અને જાણ્યે-અજાણ્યે દલિતો પોતે જ આ બળને પ્રોત્સાહન આપી રહ્યા છે. જે આખા સમાજ માટે ઘાતક છે

PC: facebook.com/LokeshPoojaUkey

એટ્રોસિટી એક્ટ એક્ટ હેઠળ કેસ દાખલ કરનારે પછી સમાધાન વિશે બિલકુલ વિચારવું જોઈએ જ નહીં. ઘણીવાર સામેવાળા પક્ષો પણ ગંભીર કલમો હેઠળ તમારી સામે ખોટો કેસ દાખલ કરે તેવું બને.

અત્યાચારની ઘટનાને નકારતી હકીકતના સોગંદનામાના આધારે એક્ટ હેઠળ દાખલ કરાયેલા કેસ પાછા ખેંચવાથી શું નુકસાન થાય છે. જો તમને આ કેસની માહિતી RTIમાંથી તો તમારો કેસ ડીએસપી દ્વારા તૈયાર કરાયેલ રિપોર્ટમાં ખોટા તરીકે દર્શાવવામાં આવશે.

પોલીસને ખોટી માહિતી આપવા બદલ IPCની કલમ 182 હેઠળ ફરિયાદી સામે કેસ દાખલ કરી શકે છે. જેઓની સામે ફરિયાદીએ પોતાનો કેસ દાખલ કર્યો હોય તે બદલો લેવા માટે ફરિયાદી સામે માનહાનિ/બદનક્ષીનો કેસ દાખલ કરી શકે છે.

જો ફરિયાદી સરકારી નોકરી પર હોય તો કોઈપણ વ્યક્તિ RTIમાંથી તે રિપોર્ટની કોપી મેળવીને ફરિયાદીના વિભાગના ઉચ્ચ અધિકારીઓને મોકલીને નોકરીને નુકસાન થઈ શકે છે.

આ પણ વાંચો

જો ભવિષ્યમાં તે ફરિયાદી પ્રત્યે અત્યાચારની ઘટના ફરીથી બને તો આરોપી પ્રથમ ફરિયાદની તપાસ અધિકારી દ્વારા નામંજૂર કરાયેલ રિપોર્ટ પોલીસ સમક્ષ રજૂ કરી શકે છે અને રીઢો ફરિયાદી યાને વારંવાર ખોટી ફરિયાદ કરવાવારો વ્યક્તિ છે તેવા કારણસર કારણ ફરિયાદ રદ કરી શકે છે.

બીજી ફરિયાદ પર પણ પોલીસ કોઈ કાર્યવાહી કરશે નહીં. આવા ફરિયાદી કોઈપણ પ્રકારની ચૂંટણી લડવાનું વિચારી રહ્યા હોય અગાઉનું ખોટી ફરિયાદો વારુ રેકર્ડ ચૂંટણી લડવામાં નડતરરૂપ બની શકે છે અથવા ચૂંટણી લડવા માટે ગેરલાયક પણ ઠેરવી શકે છે.

કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન ફરિયાદી ફરી જાય તો કોર્ટ કોર્ટમાં ખોટી જુબાની આપવા બદલ CrPC ની કલમ 340 અને 195 હેઠળ તેની સામે સ્વ-મોટુ પગલાં પણ લઈ શકે છે. કેસ પાછો ખેંચી લીધા પછી, આરોપીઓ દલિત ફરિયાદી વિશે કહેશે કે ફરિયાદી ડરી ગયો અથવા ફરિયાદી પૈસા લઈને બેસી ગયો અથવા ફરિયાદી પાસે કેસ ચલાવવાની હિંમત નથી અને આ બધી વાતો કરીને બદનામી થશે.

આ પણ વાંચો

સૌથી મોટી વાત એ છે કે જો દલિત ફરિયાદીઓ કેસ પાછો ખેંચી લેશે અથવા તેમાં સમાધાન કરશે તો તમે સમાજની સામે માથું ઊંચું કરીને ચાલી શકશે નહીં અને તેવા ફરિયાદીના મનમાં હંમેશા અપરાધની ભાવના રહેશે.

એટ્રોસિટીના ગુનાની ફરિયાદ પાછી ખેંચી લેનાર અથવા ગમે તે કારણસર ગુનેગારો સાથે સમાધાન કરનાર લોકો આડકતરી રીતે સમાજને ગંભીર નુકશાન કરી રહ્યા છે. માટે ફરિયાદ કરવી તો કોઈ પણ સંજોગોમાં પાછું નહીં પડવું જોઈએ અથવા ફરિયાદ નહીં કરતા ગુનેગારોનો સામનો કરવો. તાજેતરમાં એટ્રોસિટી એક્ટ હેઠળની સ્પેશિયલ કોર્ટો ફરિયાદી કે પીડિતો ને સરકારે આપેલ સહાય પરત કરવાના હુકમો પણ કરે છે. જો ન ભરે તો તેઓની મિલ્કતો જપ્ત પણ કરવાના હુકમો કરે છે.

નોંધ: આ લેખ કે.બી. રાઠોડ-નિવૃત્ત એડીશનલ ડીસ્ટ્રીક્ટ જજની ફેસબુક વોલ પરથી સત્તાવાર પરવાનગી લઈને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે. લેખમાં આપેલી માહિતી સબંધિત વિગતો માટે સબંધિત વિભાગના સત્તાવાર સૂત્રોનો સંપર્ક કરશો.

Loading

The post Atrocities Act: એટ્રોસિટી એક્ટ મુજબ દાખલ થયેલા કેસમાં ફરિયાદી માટે સમાધાન કરવું કેટલું જોખમી છે! appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/sc-st-atrocities-act-how-dangerous-for-the-prosecutor-to-compromise-rni-dr/7342/feed/ 0 7342