NewsinGujarati Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/newsingujarati/ News for India Fri, 08 Mar 2024 10:59:51 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png NewsinGujarati Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/newsingujarati/ 32 32 174330959 PM Modi in Lumbini: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય પર્વ બુદ્ધ જયંતીની નેપાળમાં કરી ઉજવણી http://revoltnewsindia.com/prime-minister-narendra-modi-celebrates-the-international-day-of-buddha-jayanti-in-lumbini-nepal/7265/ http://revoltnewsindia.com/prime-minister-narendra-modi-celebrates-the-international-day-of-buddha-jayanti-in-lumbini-nepal/7265/#respond Mon, 16 May 2022 14:18:02 +0000 http://revoltnewsindia.com/?p=7265 ડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) એ નેપાળના લુમ્બિનીમાં ઈન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર અને મેડિટેશન હોલ (International Convention Center and Meditation Hall at Lumbini, Nepal) માં 2566મી બુદ્ધ જયંતી (Buddha Jayanti)ની ઉજવણીમાં હાજરી આપી હતી. તેમની સાથે નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબા Prime Minister of Nepal Sher Bahadur Deuba) અને તેમના પત્ની ડો. આરજુ રાણા દેઉબા પણ હતા.

The post PM Modi in Lumbini: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય પર્વ બુદ્ધ જયંતીની નેપાળમાં કરી ઉજવણી appeared first on REVOLT NEWS INDIA.

]]>

RNI Desk: વડાપ્રધાન નરેન્દ્ર મોદી (Prime Minister Narendra Modi) એ નેપાળના લુમ્બિનીમાં ઈન્ટરનેશનલ કન્વેન્શન સેન્ટર અને મેડિટેશન હોલ (International Convention Center and Meditation Hall at Lumbini, Nepal) માં 2566મી બુદ્ધ જયંતી (Buddha Jayanti)ની ઉજવણીમાં હાજરી આપી હતી. તેમની સાથે નેપાળના વડાપ્રધાન શેર બહાદુર દેઉબા (Prime Minister of Nepal Sher Bahadur Deuba) અને તેમના પત્ની ડો. આરજુ રાણા દેઉબા પણ હતા. ત્યાં હાજર અન્ય મહાનુભાવોમાં નેપાળના સંસ્કૃતિ, પર્યટન અને નાગરિક ઉડ્ડયન મંત્રી શ્રી પ્રેમ બહાદુર આલે, જેઓ લુમ્બિની ડેવલપમેન્ટ ટ્રસ્ટ (એલડીટી) (Lumbini Development Trust, Nepal)ના અધ્યક્ષ પણ છે.

લુમ્બિનીના મુખ્યમંત્રી કુલ પ્રસાદ કે.સી. માનનીય મેટ્ટૈયા શાક્ય પુટ્ટા, વાઇસ ચેરમેન, એલડીટી અને નેપાળ સરકારના કેટલાક મંત્રીઓ સામેલ હતા. બંને દેશના વડાપ્રધાનોએ ત્યાં હાજર લગભગ 2500 જેટલા લોકોને સંબોધિત કર્યા હતા. જેમાં સાધુઓ, બૌદ્ધ વિદ્વાનો અને આંતરરાષ્ટ્રીય સહભાગીઓનો સમાવેશ થાય છે.

આ પણ વાંચો:

Loading

The post PM Modi in Lumbini: વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આંતરરાષ્ટ્રીય પર્વ બુદ્ધ જયંતીની નેપાળમાં કરી ઉજવણી appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/prime-minister-narendra-modi-celebrates-the-international-day-of-buddha-jayanti-in-lumbini-nepal/7265/feed/ 0 7265
Rajkot: ઉપલેટામાં દીકરીઓએ પિતાની અંતિમવિધિ કરી દીકરો દીકરી એકસમાનનું હોવાનું આપ્યું ઉદાહરણ http://revoltnewsindia.com/rajkot-in-upleta-daughters-performed-fathers-funeral-and-gave-an-example-of-son-and-daughter-being-equal/7242/ Tue, 03 May 2022 07:14:44 +0000 https://revoltnewsindia.com/?p=7242 રાજકોટ (Rajkot) જીલ્લાના ઉપલેટા (Upleta) માં અનોખી રીતે અંતિમવિધિ કરવામાં આવી હતી. જેમાં મૃતકની દીકરીઓ તેમજ મૃતકની બહેન દ્વારા કાંધ તેમજ સ્મશાનમાં અગ્નિદાહ આપીને તેમની અંતિમવિધિ (Funeral of Father) કરવામાં આવી હતી.

The post Rajkot: ઉપલેટામાં દીકરીઓએ પિતાની અંતિમવિધિ કરી દીકરો દીકરી એકસમાનનું હોવાનું આપ્યું ઉદાહરણ appeared first on REVOLT NEWS INDIA.

]]>

Rajkot: ઉપલેટા (Upleta) શહેરના જીરાપા પ્લોટમાં રહેતા 61 વર્ષીય જમનભાઈ ઉકાભાઈ મુરાણીનું અવસાન થયું હતુ. ત્યારે તેઓને સંતાનમાં કોઈ દીકરો ન હોવાથી તેમની અંતિમવિધિ (Funeral of Father) એટલે કે કાંધ તેમજ અગ્નિદાહ અવસાન પામનારની બહેન તેમજ તેમની દીકરીઓએ આપી અને સમાજમાં એક સંદેશો ફેલવાયો છે કે દીકરો-દીકરી (Equality between son and daughter)  એક સમાન હોય છે.

મૃતક જમનભાઈનું બીમારી સબબ અમદાવાદ (Ahmedabad) ખાતે અવસાન થયું હતું ત્યારે તેમના નિવાસ સ્થાને તેમની અંતિમવિધિ કરવામાં આવી હતી. જેમાં કાંધ તેમની બહેન અને દીકરીઓએ આપી હતી. અને સ્મશાનમાં પણ તેમને અગ્નિદાહ પણ તેમની બહેન અને દીકરીઓ દ્વારા આપવામાં આવ્યું હતું.

જુઓ વિડીયો:

ઉપલેટા શહેરમાં રહેતા આ 61 વર્ષીય વ્યક્તિની અવસાન થયું હતું. જેમાં તેમની અંતિમવિધિ તેની બહેન અને દીકરીઓ દ્વારા કરવામાં આવી હતી. ત્યારે આ અગાઉ પણ જ્યારે અવસાન પામનારના પિતાનું આજથી છ વર્ષ પહેલા અવસાન થયું હતું ત્યારે અવસાન પામનાર અપંગ હોવાથી ત્યારે પણ તેમને આવી જ રીતે કાંધ આપીને તેમની પણ આવી જ રીતે અંતિમવિધિ કરવામાં આવી હતી. ત્યારે સમાજમાં પણ આવી રીતે દીકરીઓએ પણ પિતાના અવસાન બાદ દીકરીઓ તરીકે કાંધ આપીને સમાજમાં પણ નવા વિચારોનું વાવેતર કરીને સમાજમાં દાખલા સમાન કર્યો કરવા જોઈએ તેવું જણાઈ આવે છે.

Loading

The post Rajkot: ઉપલેટામાં દીકરીઓએ પિતાની અંતિમવિધિ કરી દીકરો દીકરી એકસમાનનું હોવાનું આપ્યું ઉદાહરણ appeared first on REVOLT NEWS INDIA.

]]>
7242
જેતપુરના જૂનાગઢ રોડ ઉપર થયો ગંભીર અકસ્માત http://revoltnewsindia.com/jetpur-accident-near-global-cinema/6510/ http://revoltnewsindia.com/jetpur-accident-near-global-cinema/6510/#respond Wed, 23 Feb 2022 15:00:47 +0000 https://revoltnewsindia.com/?p=6510 jetpur-accident-near-global-cinema

The post જેતપુરના જૂનાગઢ રોડ ઉપર થયો ગંભીર અકસ્માત appeared first on REVOLT NEWS INDIA.

]]>
ચેતવણી: આ ફોટો તમને વિચલિત કરી શકે છે.

જેતપુરના (Jetpur) જુનાગઢ રોડ (Junagadh road) પર ગ્લોબલ સિનેમાની (Global cinema) સામે અકસ્માત (Road accident) સર્જાતા  એક્ટિવા ચાલકને પૂરપાટ ઝડપે દોડતું ટ્રેક્ટરની પાછળની ટ્રોલી સાથે અથડાતા યુવકને પગ ગુમાવવાનો વારો આવ્યો છે.

રિપોર્ટ: દિનેશકુમાર રાઠોડ, મો. 9879914491

ઘટનાની વિગત પ્રમાણે જેતપુરના જુનાગઢ રોડ પર આવેલ ગ્લોબલ સિનેમાની સામે જેતલસરનો યુવાન મહેશ વશરામભાઈ ગોહિલ (ઉ.મ.25 ) કામ સબબ જેતપુર આવેલ હોય ત્યાર બાદ રાત્રીના સાત વાગ્યાની આજબાજુ જેતલસર પરત જઇ રહ્યો હતો.

સ્થાનિકોનું કહેવું હતું કે આ યુવક પુરપાટ ઝડપે એક્ટિવા ચલાવી ને રહ્યો હતો. ત્યારે ટ્રેક્ટરની ઠોકરે ચડાતા ટ્રેક્ટરની પાછળની ટોલી સાથે એક્ટિવા અથડાતા સાથે અકસ્માત સર્જાતા યુવકનો એક પગ કપાયો હતો. અકસ્માત સર્જતાની સાથે જ આજુબાજુના સ્થાનિકોએ 108ને જાણ કરતા યુવકને પ્રથમ જેતપુર સરકારી હોસ્પિટલ ખાતે ત્યારબાદ જુનાગઢ રિફર કરાયો હતો.

આ અકસ્માત સર્જાતાની સાથે ટ્રેકટરચાલક ટ્રેક્ટર લઈને ઘટનાસ્થળેથી ફરાર થયો હતો. આ આ બાબતે જેતપુર તાલુકા પોલીસ ઘટના સ્થળે દોડી ગઈ હતી અને આગળની કાર્યવાહી હાથ ધરી હતી.

Loading

The post જેતપુરના જૂનાગઢ રોડ ઉપર થયો ગંભીર અકસ્માત appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-accident-near-global-cinema/6510/feed/ 0 6510
જેતપુર: ફૂલવાડીની પોસ્ટઓફિસમાં અચાનક તાળા લાગતા લોકોને થઈ રહ્યા છે ધક્કા http://revoltnewsindia.com/jetpur-people-are-disturbed-by-the-sudden-lockdown-in-phulwadi-post-office/5975/ http://revoltnewsindia.com/jetpur-people-are-disturbed-by-the-sudden-lockdown-in-phulwadi-post-office/5975/#respond Thu, 03 Feb 2022 15:04:25 +0000 https://revoltnewsindia.com/?p=5975 Jetpur People are disturbed by the sudden lockdown in Phulwadi post office

The post જેતપુર: ફૂલવાડીની પોસ્ટઓફિસમાં અચાનક તાળા લાગતા લોકોને થઈ રહ્યા છે ધક્કા appeared first on REVOLT NEWS INDIA.

]]>
ફૂલવાડી પોસ્ટ ઓફીસ

જેતપુરના (Jetpur) ફૂલવાડી વિસ્તારમાં આવેલી પોસ્ટ ઓફીસ (India Post office)  છેલ્લા બે દિવસથી અચાનક બંધ (Lockdown) કરી દેવામાં આવતા ગ્રાહકો હેરાન પરેશાન થઈ રહ્યાં છે. જેતપુરના જુના વિસ્તાર એવા નાજાવાળા પરા અને ફૂલવાડી વિસ્તાર (Fulwadi area)  ને જોડતા મુખ્ય માર્ગ પર આ પોસ્ટ ઓફીસ વર્ષોથી ખખડધજ મકાનમાં કાર્યરત છે. અને ચોમાસા દરમિયાનતો આ ફૂલવાડી પોસ્ટ ઓફીસની હાલત દયનીય થઈ જાય છે.

રિપોર્ટ: દિનેશકુમાર રાઠોડ +91 9879914491

શું છે પુરી બાબત…

વાત એમ છે કે છેલ્લા બે દિવસથી આ ફૂલવાડી પોસ્ટ ઓફીસ પોસ્ટ વિભાગ દ્વારા અચાનક બંધ કરી દેવામાં આવતા ત્યાં આવતા ગ્રાહકોને ધક્કા થઈ રહ્યાં છે. અને પોસ્ટ વિભાગ દ્વારા આ બ્રાન્ચે કોઈ સૂચના પણ નથી મારવામાં આવેલી કે શા માટે આ
ફૂલવાડી પોસ્ટ ઓફીસ બંધ રાખવામાં આવેલ છે.

ફૂલવાડી પોસ્ટ ઓફીસ

જો કે સામાન્ય નાગરિકોની વેદનાને લઈને રિવોલ્ટ ન્યૂઝ ઈન્ડિયા લોકોના મિત્ર તરીકેની પોતાની ફરજ નિભાવી ને  પોસ્ટ વિભાગ ગોંડલના અધિકારી ને આ બાબત અંગે પૂછતાં તેમણે જણાવેલ કે ફૂલવાડી પોસ્ટ ઓફીસના કર્મચારીને કોરોના થઈ જતા આ બ્રાન્ચ બંધ રાખવામાં આવેલ છે. તેમજ થોડા સમયમાં આ બ્રાન્ચ કાર્યરત થઈ જશે એવું જણાવેલ હતું.

જો કે લોકોમાં એવી પણ ચર્ચા થઈ રહી છે કે પોસ્ટ વિભાગ દ્વારા સામાન્ય નાગરિકોના હિત ને લઈને ફૂલવાડી પોસ્ટ ઓફીસે જાહેર સૂચના પણ મારવી જોઈએ કે આ બ્રાન્ચ ક્યારે ખુલશે.

Loading

The post જેતપુર: ફૂલવાડીની પોસ્ટઓફિસમાં અચાનક તાળા લાગતા લોકોને થઈ રહ્યા છે ધક્કા appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-people-are-disturbed-by-the-sudden-lockdown-in-phulwadi-post-office/5975/feed/ 0 5975
અમદાવાદ: બહુજન સમાજ પાર્ટી દ્વારા કલમ 63 (2) ના મુદ્દે મ્યુનિસિપલ કોપોરેશનના વિપક્ષ નેતા ને પાઠવ્યું આવેદનપત્ર http://revoltnewsindia.com/ahmedabad-bahujan-samaj-party-sends-application-letter-to-leader-of-opposition-of-municipal-corporation-on-the-issue-of-section-63-2/5587/ http://revoltnewsindia.com/ahmedabad-bahujan-samaj-party-sends-application-letter-to-leader-of-opposition-of-municipal-corporation-on-the-issue-of-section-63-2/5587/#respond Wed, 19 Jan 2022 16:29:41 +0000 http://revoltnewsindia.com/?p=5587 અમદાવાદ (Ahmedabad) બહુજન સમાજ પાર્ટી (Bahujan Samaj Party) ના પ્રદેશ અગ્રણી ડો કલ્પેશ વોરા ( ઇન્ચાર્જ મહેસાણા લોકસભા) અમદાવાદ શહેર બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ જે. જે .રાવત સહિત કમલેશ સોનારા,…

The post અમદાવાદ: બહુજન સમાજ પાર્ટી દ્વારા કલમ 63 (2) ના મુદ્દે મ્યુનિસિપલ કોપોરેશનના વિપક્ષ નેતા ને પાઠવ્યું આવેદનપત્ર appeared first on REVOLT NEWS INDIA.

]]>

અમદાવાદ (Ahmedabad) બહુજન સમાજ પાર્ટી (Bahujan Samaj Party) ના પ્રદેશ અગ્રણી ડો કલ્પેશ વોરા ( ઇન્ચાર્જ મહેસાણા લોકસભા) અમદાવાદ શહેર બહુજન સમાજ પાર્ટીના અધ્યક્ષ જે. જે .રાવત સહિત કમલેશ સોનારા, ઉષાબેન પરમાર તેમજ યુથ કોંગ્રેસના એડવોકેટ અઝર રાઠોડ દ્વારા અમદાવાદ મ્યુનિસિપલ કોપોરેશનના (Amdavad Municipal Corporation) વિપક્ષના નવ નિયુક્ત યુવા નેતા શેહઝાદ ખાનને ધી ગુજરાત પ્રોવિશિયલ મ્યુનિસિપલ કોપોરેશન અધિનિયમની કલમ 63(2) ના અમલીકરણ મુદ્દે આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.

શું છે ધી ગુજરાત પ્રોવિશિયલ મ્યુનિસિપલ કોપોરેશન અધિનિયમની કલમ 63(2)?

બહુજન સમાજ પાર્ટીના ગુજરાત પ્રદેશ અગ્રણી ડો કલ્પેશ વોરાના જણાવ્યા અનુસાર, ધી ગુજરાત પ્રોવિશિયલ મ્યુનિસિપલ કોપોરેશન અધિનિયમની કલમ 63(2) માં સ્પષ્ટ જણાવ્યું છે કે SC, ST અને OBC વર્ગના વિસ્તારોમાં પાણી, પુરવઠા, ગટર, સફાઈ, લાઈટના થાંભલા, તબીબી સહાય અને ગંદા વિસ્તારોની નાબુદી જેવી મૂળભૂત સગવડ અને તેવી બીજી બાબતોનો પ્રબંધ કરવાના હેતુ માટે કોર્પોરેશનની આવકના પ્રતિવર્ષ 10% રકમ આ વર્ગના વિકાસ માટે ફાળવવામાં આવે તેવી જોગવાઈ છે.

Loading

The post અમદાવાદ: બહુજન સમાજ પાર્ટી દ્વારા કલમ 63 (2) ના મુદ્દે મ્યુનિસિપલ કોપોરેશનના વિપક્ષ નેતા ને પાઠવ્યું આવેદનપત્ર appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/ahmedabad-bahujan-samaj-party-sends-application-letter-to-leader-of-opposition-of-municipal-corporation-on-the-issue-of-section-63-2/5587/feed/ 0 5587
એક એવા રિક્ષાચાલક કે જેમણે કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં પણ પોતાની મફત સેવા ચાલુ રાખી છે http://revoltnewsindia.com/jetpur-rickshaw-drivers-free-service-in-third-wave-of-corona/5584/ http://revoltnewsindia.com/jetpur-rickshaw-drivers-free-service-in-third-wave-of-corona/5584/#respond Wed, 19 Jan 2022 15:32:08 +0000 http://revoltnewsindia.com/?p=5584 કોરોનાની (Covid19) પહેલી અને બીજી લહેરમાં જ્યારે લોકોએ (Public) ખૂબ જ હાલાકી ભોગવી ત્યારે ઘણાં એવા લોકો પણ હતા. જેમણે જાતિ-ધર્મના કે અમીર-ગરીબના ભેદભાવ રાખ્યા વગર એક દેવદૂતની જેમ લોકોની…

The post એક એવા રિક્ષાચાલક કે જેમણે કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં પણ પોતાની મફત સેવા ચાલુ રાખી છે appeared first on REVOLT NEWS INDIA.

]]>

કોરોનાની (Covid19) પહેલી અને બીજી લહેરમાં જ્યારે લોકોએ (Public) ખૂબ જ હાલાકી ભોગવી ત્યારે ઘણાં એવા લોકો પણ હતા. જેમણે જાતિ-ધર્મના કે અમીર-ગરીબના ભેદભાવ રાખ્યા વગર એક દેવદૂતની જેમ લોકોની સેવા કરી હતી. તેમાંના એક એટલે જેતપુર (Jetpur) તાલુકાના પેઢલા (Pedhala) ગામના ભૂપતભાઈ ડાભી કે જેઓ પોતે એક સામાન્ય રીક્ષા (Rickshaw) ચાલક છે, પણ તેમની સામે ભલભલા ચાર બંગડીવાળી ગાડીના માલિકો પણ ફિક્કા પડે એમ છે. વાત એમ છે, કે ભૂપતભાઈ ડાભી પોતે ઓટો રિક્ષા ચલાવીને પોતાનું અને પરિવારનું ગુજરાન ચલાવે છે. છતાં પણ ખુમારીની વાત આવે તો ભૂપતભાઈ ડાભી પાછા પડે એમ નથી.

તેમણે કોરોનાની પહેલી અને બીજી લહેરમાં કોરોના મહામારીથી પીડિત દર્દીઓને પેઢલા ગામથી જેતપુર ખાતેની હોસ્પિટલમાં લઈ જવા માટે પોતાની રિક્ષામાં કોઈપણ પ્રકારનું ભાડું લીધા વગર મફત સેવા (Free service) આપી હતી. આ કોરોનાની પહેલી અને બીજી લહેરમાં લોકો એકબીજાને અડવાથી ડરતા હતા. ત્યારે ભૂપતભાઈએ નીડર થઈને કોઈપણ પ્રકારના પ્રલોભન વગર કોરોનાના દર્દીઓને હોસ્પિટલમાં પહોંચાડવા માટે પોતાની મફત સેવા આપી હતી.

આ કોરોનાની પહેલી અને બીજી લહેરમાં ઘણાં એવા લાલચુ લોકો પણ હતા. જેમણે પૈસા કમાવવાનો એક મોકો પણ ગુમાવ્યો નહોતો. ત્યારે ભૂપતભાઈ જેવા દેવદૂત લોકોએ કોરોના જેવી મહામારીમાં પણ પોતાની મફત સેવા આપીને માનવતાની મહેક મહેકાવી હતી. હાલ કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં પણ ભૂપતભાઈએ કોરોના દર્દીઓને પોતાની રિક્ષામાં હોસ્પિટલ સુધી પહોંચાડવાનું ભગીરથ કાર્ય ચાલુ જ રાખ્યું છે.

Loading

The post એક એવા રિક્ષાચાલક કે જેમણે કોરોનાની સંભવિત ત્રીજી લહેરમાં પણ પોતાની મફત સેવા ચાલુ રાખી છે appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-rickshaw-drivers-free-service-in-third-wave-of-corona/5584/feed/ 0 5584
તોરણીયાધામમાં યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ, યુવા સરપંચ અંકિત ટીલવાની આગેવાનીમાં કરવામાં આવી લોકોપયોગી કામગીરી http://revoltnewsindia.com/blood-donation-camp-held-at-toraniya-public-utility-work-was-done-under-the-leadership-of-young-sarpanch-ankit-tilwa/5517/ http://revoltnewsindia.com/blood-donation-camp-held-at-toraniya-public-utility-work-was-done-under-the-leadership-of-young-sarpanch-ankit-tilwa/5517/#respond Mon, 17 Jan 2022 07:41:00 +0000 https://revoltnewsindia.com/?p=5517 ગત તા. 16 ના રોજ સ્વ. હંસાબેન ટીલવા તથા સ્વ. લીલાબેન ટીલવાના સ્મરણાર્થે પ્રસિદ્ધ તોરણીયાધામ (Toraniya) ખાતે રકતદાન કેમ્પનું (Blood donation camp) આયોજન કરવામાં આવ્યું હતું. રકતદાન કેમ્પમાં 46 થી…

The post તોરણીયાધામમાં યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ, યુવા સરપંચ અંકિત ટીલવાની આગેવાનીમાં કરવામાં આવી લોકોપયોગી કામગીરી appeared first on REVOLT NEWS INDIA.

]]>

ગત તા. 16 ના રોજ સ્વ. હંસાબેન ટીલવા તથા સ્વ. લીલાબેન ટીલવાના સ્મરણાર્થે પ્રસિદ્ધ તોરણીયાધામ (Toraniya) ખાતે રકતદાન કેમ્પનું (Blood donation camp) આયોજન કરવામાં આવ્યું હતું.

રકતદાન કેમ્પમાં 46 થી વધુ લોકોએ કર્યું રકતદાન

રાજકોટ: જિલ્લાના ધર્મસ્થાન તોરણીયા ગામે ખાતે ગત રવિવારના રોજ સ્વ. હંસાબેન ટીલવા તથા સ્વ. લીલાબેન ટીલવાના સ્મરણાર્થે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન શ્રીમદ રાજચંદ્ર સેવા ગ્રુપ અને સરપંચ અંકિત ટીલવાની ટીમ દ્વારા કરવામાં આવ્યું હતું.

રકતદાન કેમ્પમાં એકઠું થયેલ લોહી રાજકોટ સિવિલ ખાતે મોકલાશે

આ બ્લડ ડોનેશન કેમ્પમાં 46 થી વધુ લોકોએ અનેરા ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. અને તેમના લોહીનું દાન કર્યું હતું. આ કેમ્પના આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ રકતદાન કેમ્પમાં એકઠું થયેલ રક્ત રાજકોટ સિવીલ હોસ્પિટલમાં મોકલવામાં આવશે.

થેલેસેમિયાની બીમારીથી પીડાતા બાળકોને ઉપયોગી થશે રક્તદાનમાં એકઠું થયેલ રક્ત

આ બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન આરોગ્ય કેન્દ્ર તોરણીયા ખાતે કરવામાં આવ્યું હતુ. આ સાથે જ તોરણીયાના સરપંચ અંકિત ટીલવાએ જણાવ્યું હતું કે આ એકઠું થયેલ બ્લડ ખાસ થેલેસેમિયાથી પીડાતા બાળકોને ઉપયોગી થશે. તેમજ વધુમાં કહ્યું હતું કે આવા કેમ્પ કરવાથી માનવતાની મહેક મહેકાવી શકાય છે. અને માનવ-માનવ વચ્ચેના માનવીય સંબંધો વિકસાવી શકાય છે.

Loading

The post તોરણીયાધામમાં યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ, યુવા સરપંચ અંકિત ટીલવાની આગેવાનીમાં કરવામાં આવી લોકોપયોગી કામગીરી appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/blood-donation-camp-held-at-toraniya-public-utility-work-was-done-under-the-leadership-of-young-sarpanch-ankit-tilwa/5517/feed/ 0 5517
BSP સુપ્રીમો માયાવતીના જન્મદિને કરાયો BSP અમદાવાદ શહેર કાર્યાલયનો પ્રારંભ http://revoltnewsindia.com/bsp-supremo-mayawatis-birthday-bsp-ahmed-city-office-started/5506/ http://revoltnewsindia.com/bsp-supremo-mayawatis-birthday-bsp-ahmed-city-office-started/5506/#respond Sat, 15 Jan 2022 11:47:43 +0000 https://revoltnewsindia.com/?p=5506 બહેન કુ. માયાવતીના જન્મદિવસને તેમના સમર્થકો દ્વારા જનકલ્યાણકારી દિવસ તરીકે ઉજવવામાં આવે છે અમદાવાદ (Ahmedabad) બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી ઉત્તરપ્રદેશ સુશ્રી બહેન કુમારી માયાવતીના 15 જાન્યુઆરી…

The post BSP સુપ્રીમો માયાવતીના જન્મદિને કરાયો BSP અમદાવાદ શહેર કાર્યાલયનો પ્રારંભ appeared first on REVOLT NEWS INDIA.

]]>

બહેન કુ. માયાવતીના જન્મદિવસને તેમના સમર્થકો દ્વારા જનકલ્યાણકારી દિવસ તરીકે ઉજવવામાં આવે છે

અમદાવાદ (Ahmedabad) બહુજન સમાજ પાર્ટીના રાષ્ટ્રીય અધ્યક્ષ અને પૂર્વ મુખ્યમંત્રી ઉત્તરપ્રદેશ સુશ્રી બહેન કુમારી માયાવતીના 15 જાન્યુઆરી 2022 ને 66માં જન્મદિવસ નિમિત્તે અમદાવાદ શહેર બુહજન સમાજ પાર્ટીના કાર્યાલયનો પ્રારંભ કરવામાં આવ્યો હતો.

આ તકે બસપા અમદાવાદ જણાવ્યા મુજબ અમદાવાદ શહેરના બસપાના અધ્યક્ષ જેજે રાવત સાથે બસપા મહેસાણા લોકસભાના ઇન્ચાર્જ ડો કલ્પેશ વોરા તેમજ બસપા ગાંધીનગર લોકસભાના ઇન્ચાર્જ એસજે લાલ, બસપા ભરૂચ લોકસભાના ઇન્ચાર્જ જશવંત મૈત્રય, બસપા અમદાવાદ જિલ્લાના ઉપપ્રમુખ યુનુસ મન્સૂરી, કમલેશ સોનારા, ઉષાબેન પરમાર અને બસપા નારણપુરા વિધાનસભાના પ્રભારી રવિ વાધેલા સાથે કોરોનાની ગાઈડ ઉપસ્થિત રહ્યાં હતા.

તેમજ કોરોના ગાઇડલાઈનનું ચુસ્તપણે પાલન કરી અને માત્ર જવાબદાર લોકો સાથે લઈ બસપા અમદાવાદ શહેર કાર્યાલયની રીબીન કાપી શરૂઆત કરવામાં આવી હતી.

Loading

The post BSP સુપ્રીમો માયાવતીના જન્મદિને કરાયો BSP અમદાવાદ શહેર કાર્યાલયનો પ્રારંભ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/bsp-supremo-mayawatis-birthday-bsp-ahmed-city-office-started/5506/feed/ 0 5506
Jetpur: જેતપુરમાં આવેલા આ મંદિરને કહેવાય છે ‘ભૂતનો ડેરો’ http://revoltnewsindia.com/jetpur-800-year-old-sankaleshvar-mahadev-temple-bhut-no-dero-in-junisankali-village/5414/ http://revoltnewsindia.com/jetpur-800-year-old-sankaleshvar-mahadev-temple-bhut-no-dero-in-junisankali-village/5414/#respond Mon, 10 Jan 2022 18:19:36 +0000 https://revoltnewsindia.com/?p=5414 Rajkot: જેતપુર (Jetpur)ના જૂની સાંકળી (JuniSankali) ગામે 800 વર્ષ જૂનું મંદિર આવેલું છે. જે અકબરના મંત્રી બીરબલ (Birbal) દ્વારા બનાવ્યું હોવાની પણ લોકવાયકા છે. જો કે આ સાંકળેશ્વર મહાદેવ (Sankaleshvar…

The post Jetpur: જેતપુરમાં આવેલા આ મંદિરને કહેવાય છે ‘ભૂતનો ડેરો’ appeared first on REVOLT NEWS INDIA.

]]>

Rajkot: જેતપુર (Jetpur)ના જૂની સાંકળી (JuniSankali) ગામે 800 વર્ષ જૂનું મંદિર આવેલું છે. જે અકબરના મંત્રી બીરબલ (Birbal) દ્વારા બનાવ્યું હોવાની પણ લોકવાયકા છે.

જો કે આ સાંકળેશ્વર મહાદેવ (Sankaleshvar Mahadev) મંદિર (Temple) ભૂતના ડેરા તરીકે પણ ઓળખાય છે. એક રાતમાં જ બન્યું હોવાની દંતકથા છે.

વીડિયો જોવા માટે અહીં Click કરો:

રાજકોટ: ગુજરાતની ભૂમિ આમ તો પોતાના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વરસાથી અખૂટ ભરી છે. ત્યારે જિલ્લાના જેતપુર તાલુકામાં પણ એક પ્રાચીન શિવ મંદિર આવેલું છે. જે 13મી સદીમાં નિર્માણ પામ્યું હોવાનું ગુજરાત સરકારના પુરાતત્વ વિભાગ મુજબ જાણી શકાય છે.

આ શિવ મંદિર જેતપુર તાલુકાના જૂની સાંકળી ગામમાં આવેલું છે જે સાંકળેશ્વર મહાદેવના નામથી પ્રખ્યાત છે. આ મંદિરમાં ગર્ભગૃહ, અંતરાલ, મંડપ અને પ્રવેશ એમ ચાર ભાગ છે તેમજ ગર્ભગૃહની બહારની દીવાલો  પર આછું અલંકરણ પણ છે. મંદિરનું શિખર અને ઉરુશૃંગ સુંદર જાલકભાતથી અલંકૃત છે.

આ ચાર ભાગ ધરાવતા મંદિરને ચતુરંગી કહે છે. તેમજ આ મંદિર પાસે પહેલા પીપળાનું મોટું વૃક્ષ આવેલું હતું જો કે અત્યારે મંદિરના સામેના ભાગમાં કદાવર પીપળાનું વૃક્ષ આવેલું છે. આ મંદિર મોઢેરાના સૂર્ય મંદિરને મળતું આવે છે તેમજ બૌદ્ધ કલાકૃતિની ઝલક પણ આ મંદિરમાં થયેલી કોતરણી તરફ જોનારા દરેકનું ધ્યાન ખેંચે છે.

શા માટે કહે છે આ મંદિરને ભૂતનો ડેરો?

જેતપુર તાલુકાના જૂની સાંકળી ગામે આવેલું 800 વર્ષ પ્રાચીન સાંકળેશ્વર મહાદેવ મંદિર આજે પણ છે અડીખમ, બીરબલે બનાવ્યું હોવાની છે લોકવાયકા બીરબલના બે દીકરા હતા.

તેમની યાદમાં બે મંદિર બનાવવામાં આવેલ એક રામમંદિર અને બીજુ આ મંદિર બનાવેલ અહીંના વડીલ લોકોના જણાવ્યા મુજબ બીરબલ અહીં સૌરાષ્ટનો વતની હતો અને અહીં પહેલા ટિમ્બો હતો. ધીરે ધીરે અહીં ગામ વસ્યુ અને નામ પડ્યું જૂની સાંકળી.

આ ગામ રાજા અમરાબાપુ હસ્તક હતુ ત્યારે કેટલાક લોકોએ માયાની લાલચમાં જે રામમંદિર હતું તે ખોદી નાખ્યું પણ માયા ન મળતા અહીં સાંકળેશ્વર મંદિરમાં ખોદવાનું કામ ચાલુ કરતા મંદિરના પગથિયાં અંદર ખોદતાં નાગ અને ભમરા ઉડવા લાગતા ભયના માર્યા ભાગી ગયેલ.

ત્યારબાદ પોલીસ પટેલને જાણ કરતા પોલીસ પટેલ દ્વવારા રાજા અમરાબાપુને જાણ કરતા બાપુએ પણ નાગ જોતા તરત ખોદકામ બંધ કરવા હુકમ કરેલ અને ફરી પગથિયાં અને મંદિર એક રાતમાં પાછુ બનાવી દીધેલ એટલે ભૂતના ડેરા તરીકે પણ પ્રચલિત છે .

રાજા બીરબલ દ્વારા આ મંદિર બંધાવ્યું હોવાની લોકવાયકા

જૂની સાંકળી ગામના લોકો આ સાંકળેશ્વર મહાદેવ મંદિરને ભૂતના ડેરા તરીકે પણ ઓળખે છે. જો કે એક એવી લોકવાયકા છે કે આ મંદિર અકબરના મંત્રી બીરબલ દ્વારા બંધાવ્યું છે તેમજ બીરબલ આ જૂની સાંકળી ગામના હોવાનું પણ લોકોનું માનવું છે.

આ મંદિર ગુજરાત સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત સ્થળો પૈકીનું એક છે. જૂની સાંકળી ગામના લોકો આ મંદિરને ભૂતના ડેરા તરીકે ઓળખે છે.

હાલ આ મંદિર ગુજરાત સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત સ્થળો પૈકીનું એક છે. જો કે આ મંદિર ઘણા સમયથી સમારકામ ન થયું હોવાથી ગામ લોકો આ મંદિરમાં સમારકામ થાય તેવું પણ વ્યક્ત કરી રહ્યાં છે.

Loading

The post Jetpur: જેતપુરમાં આવેલા આ મંદિરને કહેવાય છે ‘ભૂતનો ડેરો’ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-800-year-old-sankaleshvar-mahadev-temple-bhut-no-dero-in-junisankali-village/5414/feed/ 0 5414
Jetpur: સરધારપુર ગામમાં દેશીદારૂનું દુષણ ડામવા અપાયું આવેદન; નવનિયુક્ત PI જાનીએ કડક કાર્યવાહી કરવાની આપી બાંહેધરી http://revoltnewsindia.com/jetpur-an-application-was-filed-in-sardharpur-village-to-curb-the-contamination-of-desi-liquor-newly-appointed-pi-jani-vowed-to-take-strict-action/5402/ http://revoltnewsindia.com/jetpur-an-application-was-filed-in-sardharpur-village-to-curb-the-contamination-of-desi-liquor-newly-appointed-pi-jani-vowed-to-take-strict-action/5402/#respond Mon, 10 Jan 2022 12:25:54 +0000 https://revoltnewsindia.com/?p=5402 જેતપુર(Jetpur) તાલુકાના સરધારપુર (Sardharpur) ગામમાં દેશી દારૂ(Liquor) ના દુષણે માજા મૂકી હોય જેને લઈને આજે સરધારપુર ગામના લોકો દ્વારા જેતપુર તાલુકા પોલીસ સ્ટેશને (Police station) જઈને ફરજ પરના અધિકારીને સરધારપુર…

The post Jetpur: સરધારપુર ગામમાં દેશીદારૂનું દુષણ ડામવા અપાયું આવેદન; નવનિયુક્ત PI જાનીએ કડક કાર્યવાહી કરવાની આપી બાંહેધરી appeared first on REVOLT NEWS INDIA.

]]>

જેતપુર(Jetpur) તાલુકાના સરધારપુર (Sardharpur) ગામમાં દેશી દારૂ(Liquor) ના દુષણે માજા મૂકી હોય જેને લઈને આજે સરધારપુર ગામના લોકો દ્વારા જેતપુર તાલુકા પોલીસ સ્ટેશને (Police station) જઈને ફરજ પરના અધિકારીને સરધારપુર ગામમાંથી દેશી દારુનું દુષણ ડામવા માટે અરજ કરી હતી.

જુઓ વિડિઓ

ગામના લોકના જણાવ્યા અનુસાર સરધારપુર ગામમાં ઘણા લાંબા સમયથી દેશીદારુનું વેચાણ થતું હોય જેને લઈને ગામનું યુવાધન બરબાદ થતું હોય તેમજ પરિવારો પણ બરબાદ થતા હોવાનું જણાવ્યું હતું.

સરધારપુર ગામવાસીઓના જણાવ્યાં અનુસાર જેતપુર તાલુકા પોલીસ સ્ટેશનના ફરજ પરના નવનિયુક્ત  અધિકારી પીઆઈ તપન જાની દ્વારા ગામવાસીઓને શાંતીથી સાંભળ્યા હતા અને દેશી દારૂના દૂષણને ડામવા માટે નક્કર પગલાં લેવા માટે ખાતરી આપી હતી.

Loading

The post Jetpur: સરધારપુર ગામમાં દેશીદારૂનું દુષણ ડામવા અપાયું આવેદન; નવનિયુક્ત PI જાનીએ કડક કાર્યવાહી કરવાની આપી બાંહેધરી appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-an-application-was-filed-in-sardharpur-village-to-curb-the-contamination-of-desi-liquor-newly-appointed-pi-jani-vowed-to-take-strict-action/5402/feed/ 0 5402