DrAmbedkar Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/drambedkar/ News for India Wed, 20 Mar 2024 09:08:08 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png DrAmbedkar Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/drambedkar/ 32 32 174330959 ગુજરાતી લોક-સાહિત્યમાં આંબેડકરી વિચારધારાનું સંયોજન http://revoltnewsindia.com/synthesis-of-ambedkarite-ideology-in-gujarati-folk-literature-rni-dr/7521/ http://revoltnewsindia.com/synthesis-of-ambedkarite-ideology-in-gujarati-folk-literature-rni-dr/7521/#respond Sat, 15 Apr 2023 16:27:57 +0000 http://revoltnewsindia.com/?p=7521 ગુજરાતનાં ખૂણે-ખૂણે સચવાયેલા બહુજન સાહિત્યકારો પોતાનાં ગીતોને સામાજિક પરિવર્તનની ખેપમાં મહત્ત્વનું માધ્યમ બનાવી રહ્યાં છે. બહુજન સાહિત્યનું વાંચન વ્યાપકરીતે લોકભોગ્ય બન્યું નથી, ત્યારે બહુજન સાહિત્યકારો પોતાના ગીતો થકી બહુજન વિચારધારાની ધારા પ્રવાહિત કરી રહ્યાં છે.

The post ગુજરાતી લોક-સાહિત્યમાં આંબેડકરી વિચારધારાનું સંયોજન appeared first on REVOLT NEWS INDIA.

]]>

વર્ણપ્રથાના પાપે ઉપેક્ષિત રહેલા બહુજનોનાં જીવતરમાં અપમાનો અને અત્યાચારોની વ્યથા-કથા આજે પણ વિકરાળ વાસ્તવિકતા બનીને ઊભી છે.

બહુજનો પાસે પોતાની છાતીએ ઝીલેલી વિષમતા ને હૈયે વેઠેલી વેદના વ્યક્ત કરવા માટે એકપણ તક નહોતી. ભારતમાં જાતિ આધારીત વર્ગ-વિભાજને બહુજનોનાં માનવ ગૌરવને લૂંટી લીધા. બહુજનો માટે ઈતિહાસ ઉત્પીડક રહ્યો છે. તેથી જ મહાનાયક ડૉ. બાબાસાહેબ આંબેડકરે ઈતિહાસ ભૂલનારી કોમને ટકોર કરતાં કહ્યું હતું કે, “જે સમાજ પોતાનો ઈતિહાસ ભૂલી જાય છે તે કદી પોતાનો ઈતિહાસ બનાવી શકતો નથી.”

મુખ્યધારાનાં ઈતિહાસકારોએ બહુજનોના કાળજે શૂળાતી કરૂણ વેદનાને ઈતિહાસમાં સ્થાન આપ્યુ નહોતું. શાળાનાં પાઠ્યક્રમોમાં જે ઈતિહાસ ભણાવાય છે તે બહુજનોનો ઈતિહાસ નથી. બહુજનોને અહેસાસ કરાવવામાં આવે છે કે તે ઈતિહાસ તેનો પોતાનો છે.

પણ બહુજનો માટે તે ઈતિહાસ પારકો છે. કારણ કે તે ઈતિહાસનાં પાને બહુજનોની યુગો પૂરાણી ત્રાસદ મહાગાથાને સ્થાન નથી. સામાજીક કોટિક્રમિક ઉંચ-નીચની ‘શાસ્ત્રોક્ત’ વ્યવસ્થાનાં જખમો ખાધેલા બહુજનોને પાઠ્યક્રમોથી છેટાં જ રાખવામાં આવ્યાં છે.

ભારતનાં વર્ગખંડોમાં મીઠા માટે થયેલા સત્યાગ્રહનું ઝીણવટભર્યું વર્ણન ભણાવાય છે, પણ જેને જાહેર જળાશયોમાંથી પાણી લેવાનો અધિકાર પણ નહોતો તે વર્ગે પાણી માટે કરેલા ચવદાર તળાવ સત્યાગ્રહનો વર્ગખંડોમાં ઉલ્લેખ સુધ્ધા થતો નથી.

આ પણ વાંચો…

પણ સમયે પડખું ફેરવ્યું છે. બાબાસાહેબ આંબેડકરનાં સંઘર્ષની બદૌલત મડાંમાંથી માણસ બનેલા બહુજનોનાં હૈયે સ્વાભિમાનની ચેતના પ્રગટી છે. બહુજન યુવાનોનાં લોહીનાં અણુંએ અણુંમાં પોતાના ઉવેખાયેલા આયખાનાં ઈતિહાસને બેઠો કરવાની બળકટ લાગણી ફૂંટી છે.

પોતાની કલામાં આંબેડકરી વિચારધારાને વણીને લોકાભિમુખ કરતાં કલાકારો

ગુજરાતનાં નવલોહિયા બહુજન કલાકારો પોતાની કલામાં આંબેડકરી વિચારધારાને વણીને લોકાભિમુખ કરી રહ્યાં છે. તેઓ લોકડાયરાનાં માધ્યમથી લોકો વચ્ચે બહુજન વિચારધારાનાં વિવિધ પાસાઓની છણાવટ કરે છે.

બહુજનોનાં શોર્યને પ્રગટાવતા તેમના ગીતો નિરાશાને આશામાં પલટાવીને લોકોમાં નવચેતનાનાં મંડાણ કરે છે. સમાનતા, સ્વતંત્રતા અને બંધુતા ડૉ. આંબેડકરનાં પ્રિય આદર્શો રહ્યા છે. આ જ આદર્શોને સમાજજીવનમાં કલાનાં માધ્યમથી પ્રસ્થાપિત કરવા માટે મથી રહ્યા છે.

વિશન કાથડ, દિનેશ ગોહિલ, મોહિન્દર મૌર્ય, સચિન સાલ્વી, દિનેશ વાણવી, ચંદ્ર બારોટ, ભાવેશ પરમાર, પ્રદિપકુમાર અને સામંત સોલંકી જેવા બહુજન સાહિત્યકારો અને ગીતકારો. બાબાસાહેબની ધારાને કલાનાં માધ્યમથી લોકભોગ્ય બનાવવા માટે હંસા સુવાતર, શોભના દાફડા અને ઝંખના પરમાર જેવી દીકરીઓ પણ સહેજે પાછળ રહી નથી.

દલિત અસ્મિતાની વાંછનાને પોતાના ગીતોમાં ઉતારનાર દિવંગત દશરથ સાલ્વી તો કેમ ભૂલાય? તેમનાં સંગીત અને સૂરનાં સુંદર સંયોજનમાં ડૉ. આંબેડકરનો સંઘર્ષ આબાદ રીતે પ્રગટે છે.

Image source: facebook/hemantchauhanofficial

પદ્મશ્રી ગાયક હેમંત ચૌહાણે બાબાસાહેબ આંબેડકર પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરતાં કર્ણપ્રિય ગીતો ગાયા છે. તેમનાં કંઠે ગવાયેલું ગીત ‘બંધારણવાળો બાબો’ અને ‘ઝાઝી ખમ્માં’ તો હૈયાવગાં છે. બહુજન વિચારધારાનાં કથાતંતુને પોતાનાં ગીતમાં ઝીલીને સૂરનાં સરગમને સમૃદ્ધ કરતી કલગી ઉમેરી છે,

ગુજરાતભરમાં બહુજન સાહિત્યકાર તરીકે પ્રસિદ્ધ વિશન કાથડે. સોરઠી લોકબોલીમાં વ્યક્ત થતી તેમની બહુજન વૈચારિકીએ લોકહ્રદયમાં એક કૂણી જગ્યા બનાવી છે. એપ્રિલનાં પ્રથમ સપ્તાહિકમાં તેમનું સાતમું ગીત ‘રાજસત્તા’ લોન્ચ થયું છે.

તેમનું ગીત માન્યવર કાંશીરામ સાહેબની આંખોમાં સરવળતાં રાજસત્તાનાં સપનાને સહજ રીતે વણી લે છે. તે ગીતમાં બાબાસાહેબે ચીંધેલી રાજકિય શક્તિને મજબૂત કરવાની ખેવના પડઘાય છે. તેમનાં શબ્દોમાં લખાયેલું ને શૌર્ય-મિજાજમાં ગવાયેલું તેમનું ગીત હ્રદય સોંસરવું નીકળી જાય છે.

મોહિન્દર મોર્યની કલમે લખાયેલું ‘કાંશીરામ કાર્ય’ બહુજનોને કાંશીરામ સાહેબનાં સંઘર્ષ પ્રત્યે આદર વ્યક્ત કરવાનું આહવાન કરે છે.

માંગરોળનાં શ્રમજીવી પરિવારમાંથી આવતાં દિનેશ ગોહિલે પહેલી એપ્રિલે ‘આંબેડકરનાં પડઘા’ ગીત પ્રગટ કર્યું છે. જેમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરે પહેલી અને બીજી ગોળમેજી પરિષદોમાં દલિતો માટે રાજકીય અધિકારોની માગણી કરી હતી તેવું કથાબીજ છે. તેમનાં શબ્દોમાં સંયોજાયેલું પ્રસ્તુત ગીત હ્રદયનાં તંતુ જીવંત કરી દે તેવું છે.

આ પણ વાંચો…

ગુજરાતનાં ખૂણે-ખૂણે સચવાયેલા બહુજન સાહિત્યકારો પોતાનાં ગીતોને સામાજિક પરિવર્તનની ખેપમાં મહત્ત્વનું માધ્યમ બનાવી રહ્યાં છે. બહુજન સાહિત્યનું વાંચન વ્યાપકરીતે લોકભોગ્ય બન્યું નથી, ત્યારે બહુજન સાહિત્યકારો પોતાના ગીતો થકી બહુજન વિચારધારાની ધારા પ્રવાહિત કરી રહ્યાં છે.

ડૉ. આંબેડકરે બહુજનોની હજારો વર્ષો જૂની ગુલામીમાંથી મુક્તિનાં દ્વાર ઉઘાડવા માટે તેમનો સંઘર્ષ આરંભ્યો ત્યારે જ તેમણે ‘મૂકનાયક’ નામનાં અખબારનો પ્રારંભ કર્યો હતો. જે ‘બહિષ્કૃત ભારત’, ‘જનતા’ ને અંતે ‘પ્રબુદ્ધ ભારત’માં પરિણમ્યું હતું.

જેમાં તેમનો હેતું સામાજિક પરિવર્તન આણતા વિચારોનો પ્રચાર-પ્રસાર કરવાનો હતો. ગુજરાતનાં બહુજન સાહિત્યકારો પોતાની કલમ ને કલાના જોરે વિચારધારાનાં પ્રચાર-પ્રસારનાં માર્ગે નવો જ ચીલો પાડી રહ્યાં છે.

આ લેખના લેખક મયુર વાઢેર

Loading

The post ગુજરાતી લોક-સાહિત્યમાં આંબેડકરી વિચારધારાનું સંયોજન appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/synthesis-of-ambedkarite-ideology-in-gujarati-folk-literature-rni-dr/7521/feed/ 0 7521
કોલંબિયા યુનિવર્સિટીમાં ડૉ.આંબેડકર અને જૉન ડેવી પર યોજાયો પરિસંવાદ http://revoltnewsindia.com/symposium-on-dr-ambedkar-and-john-dewey-was-held-at-columbia-university-rni-dr/7502/ http://revoltnewsindia.com/symposium-on-dr-ambedkar-and-john-dewey-was-held-at-columbia-university-rni-dr/7502/#respond Wed, 12 Apr 2023 17:44:40 +0000 http://revoltnewsindia.com/?p=7502 અમેરિકાની વિશ્વ વિખ્યાત કોલંબિયા યુનિવર્સિટી સાથે સંલગ્ન ટીચર્સ કોલેજમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર અને જ્હોન ડેવી પર આંતરરાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કર્યું હતું

The post કોલંબિયા યુનિવર્સિટીમાં ડૉ.આંબેડકર અને જૉન ડેવી પર યોજાયો પરિસંવાદ appeared first on REVOLT NEWS INDIA.

]]>
અહેવાલ: મયુર વાઢેર દ્વારા…

અમેરિકાની વિશ્વ વિખ્યાત કોલંબિયા યુનિવર્સિટી સાથે સંલગ્ન ટીચર્સ કોલેજમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર અને જ્હોન ડેવી પર આંતરરાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કર્યું હતું, જેમાં શિક્ષણમાં જાતિ-આધારિત ભેદભાવના મુદ્દા પર પેનલ ચર્ચાનું આયોજન થયું હતું.

યુનેસ્કોના અધ્યક્ષ પ્રોફેસર ગીતા સ્ટેનર-ખામસી દ્વારા પેનલ ચર્ચાનું સંચાલન કરવામાં આવ્યું

આયોજિત પ્રસ્તુત પરિસંવાદમાં અમેરિકાની ટેક્સાસ યુનિવર્સિટીનાં એસોસિયેટ પ્રોફેસર ડૉ. સ્કોટ આર. સ્ટ્રાઉડની અધ્યક્ષતામાં શિક્ષણ અંગે એક પેનલ ચર્ચા પણ યોજાઈ હતી. પ્રસ્તુત પેનલ ચર્ચામાં દક્ષિણ એશિયાના વિદ્યાર્થીઓ, વિદ્વાનો અને વિવિધ પૃષ્ઠભૂમિના કર્મશીલોએ ભાગ લીધો હતો. તેમાં તેમણે શિક્ષણ પ્રાપ્ત કરવાના માર્ગમાં જાતિ-આધારિત ભેદભાવને કારણે વણસેલી તેમની દુર્દશા અને પડકારો વ્યક્ત કર્યા હતા.

ડૉ. સ્કોટ આર. સ્ટ્રાઉડે પ્રસ્તુત પરિસંવાદમાં તેમના તાજેતરમાં પ્રગટ પુસ્તક, ‘ઇવોલ્યુશન ઓફ પ્રાગ્મેટિઝમ ઇન ઈન્ડિયાઃ આંબેડકર, ડેવી અને રેટરિક ઓફ રિકન્સ્ટ્રક્શન‘નું લોકાર્પણ કર્યું હતું. તેમાં લેખક ડૉ. સ્કોટે ડૉ. આંબેડકર અને તેમના કોલંબિયાનાં પ્રોફેસર ડૉ. ડેવી વચ્ચેના બૌદ્ધિક સંવાદો વિશે વાત કરી હતી. તેમણે નાગરિક અધિકારો અને ભારતમાં દલિતોના સામાજિક ન્યાયની ચળવળની શોધમાં ડૉ. આંબેડકર પર ડૉ. ડેવીના પ્રભાવને પણ ઉજગર કર્યો હતો.

ડૉ. સ્કોટ આર. સ્ટ્રાઉડે ભારતમાં વ્યવહારવાદના ઇતિહાસ અને વિકાસને સમજવા માટે ડૉ. આંબેડકર જેવી બૌદ્ધિક વ્યક્તિઓને અમેરિકના શિક્ષણતંત્રમાં લાવવાની લાગણી વ્યક્ત કરી હતી. તેમનાં બૌધ્ધિક સંબોધન પછી પેનલ ચર્ચા શરૂ થઈ હતી. પેનલ ચર્ચામાં શિક્ષક-વિદ્યાર્થી સંબંધો અને સામાજિક અને આર્થિક રીતે દબાયેલા સમાજના ઉત્થાનમાં શિક્ષણની ભૂમિકા વિશે ચર્ચા કરી હતી.

ચર્ચા માટે ત્રણ પેનલિસ્ટ હતા: વિકાસ ટાટાડ, વિદ્યાર્થી સેનેટર અને યુનિવર્સિટીની નીતિ-નિયમ સમિતિના અધ્યક્ષ, મોનાલિસા બર્મન, SIPAની વિદ્યાર્થી અને ઉત્તર-પૂર્વ ભારતના માનવ અધિકાર કાર્યકર્તા અને ડૉ. બિષ્ણુ પેરિયાર, એક દલિત નેપાળી-અમેરિકન વિદ્વાન. ટીચર્સ કોલેજમાં તુલનાત્મક શિક્ષણ નીતિમાં યુનેસ્કોના અધ્યક્ષ પ્રોફેસર ગીતા સ્ટેનર-ખામસી દ્વારા પેનલ ચર્ચાનું સંચાલન કરવામાં આવ્યું હતું.

ફાઇલ ફોટો: પ્રો. જ્હોન ડેવી

પેનલિસ્ટે યુએસએની યુનિવર્સિટીઓમાં દક્ષિણ-એશિયાના સામાજિક રીતે હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોના પડકારો અને મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો, વિકાસ ટાટાડે દલિત સમુદાયોના પર્યાપ્ત પ્રતિનિધિત્વની ગેરહાજરી પર પ્રકાશ પાડી અને દલિતોને ઉચ્ચ શિક્ષણમાં સામેલ કરવા માટે રોડમેપની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

તેમણે પ્રથમ પેઢીના સ્નાતક વિદ્યાર્થી તરીકેની તેમની અંગત સફર તેમજ સિમ્બોલ ઓફ નોલેજ તરીકે વિખ્યાત ડૉ. આંબેડકરની ભૂમિકા પણ વર્ણવી હતી. ડૉ. પરિયારે નેપાળમાં દલિત હોવાને લીધે જાતિ આધારિત ભેદભાવનો સામનો કરી રહેલા તેમના કડવા અનુભવો શેર કર્યા હતા. તેણીએ સમાજમાં નિમ્ન જાતિના સમુદાયો સાથે અસ્પૃશ્યતાની પ્રથાને પ્રકાશિત કરી. અંતે, તેણીએ સામાજિક ગતિશીલતા માટે શિક્ષણના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. એક પેનલિસ્ટ તરીકે, મોનાલિસાએ ભારતીય સમાજમાં વંશીય ખામીઓ પર પ્રકાશ પાડ્યો અને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરતી વખતે તેના સંઘર્ષને અભિવ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો…

ભારત અને નેપાળ જેવા દક્ષિણ એશિયાના દેશોના દલિતો અને આદિવાસીઓ જેવા દલિત સમુદાયોના બૌદ્ધિકોના અવાજને સમાવી લેવામાં આવ્યો હોય તે આ યુનિવર્સિટીનો પ્રથમ પ્રયાસ હતો.

ટીચર્સ કોલેજના વિદ્યાર્થીઓ, સ્ટાફ અને ફેકલ્ટીઓ અને દેશભરની અન્ય યુનિવર્સિટીઓ અને સંસ્થાઓના વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં રૂબરૂ હાજરી આપી હતી. ઇવેન્ટનું આયોજન હાઇબ્રિડ ફોર્મેટમાં કરવામાં આવ્યું હોવાથી, પેનલ ચર્ચામાં વર્ચ્યુઅલ રીતે ભાગ લેવા માટે વિશ્વભરમાં 3000થી વધુ નોંધણીઓ થઈ હતી.

પ્રસ્તુત અંગ્રેજી અહેવાલનો ગુજરાતી અનુવાદ યુવા લેખક મયુર વાઢેરે કર્યો છે.

Loading

The post કોલંબિયા યુનિવર્સિટીમાં ડૉ.આંબેડકર અને જૉન ડેવી પર યોજાયો પરિસંવાદ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/symposium-on-dr-ambedkar-and-john-dewey-was-held-at-columbia-university-rni-dr/7502/feed/ 0 7502
મહાડ આંદોલન: માનવઅધિકારોની સંઘર્ષગાથાનો ઈતિહાસ http://revoltnewsindia.com/the-mahad-movement-a-history-of-the-human-rights-struggle-rni-dr/7447/ http://revoltnewsindia.com/the-mahad-movement-a-history-of-the-human-rights-struggle-rni-dr/7447/#respond Mon, 20 Mar 2023 05:57:58 +0000 http://revoltnewsindia.com/?p=7447 20મી માર્ચની બપોરે હજારો દલિતો તળાવ પાસે હારબંધ ગોઠવાઈ ગયા. ડૉ. આંબેડકરની આગેવાની હેઠળ સૈંકડો દલિતો હજારો વર્ષોથી છીનવાયેલા પોતાના માનવ અધિકારો માટે બંડ પોકરવા માટે તૈયાર હતા. સૌપ્રથમ ડૉ. આંબેડકરે ચવદાર તળાવનું પાણી પીધું. ત્યાર પછી બધા જ લોકોએ પાણી પીને અસમાનતા પર આધારિત હિંદુ સામાજિક વ્યવસ્થા પર લૂણો લગાવી દીધો.

The post મહાડ આંદોલન: માનવઅધિકારોની સંઘર્ષગાથાનો ઈતિહાસ appeared first on REVOLT NEWS INDIA.

]]>

ઉંચ-નીચની સમાજ-વ્યવસ્થાના પાપે દલિતોએ પાણી માટે પણ વલખવું પડ્યું છે

દેશના દલિતોને તેમના માનવીય અધિકારો ભીખમાં નથી મળ્યાં

હિંદુ સામાજિક વ્યવસ્થાનાં છેક નિમ્નત્તર છેડે આયખુ ભોગવતા, યુગોથી ઘોર શોષણ અને અવહેલનાનો ભોગ બનેલા વર્ગના વલખા મુખ્યધારાનાં ઈતિહાસનાં ચોપડે નોંધાયા નથી. ભારતમાં દલિતજીવનમાં ઘુંટાતા દુ:ખ-દર્દોની સદાય ઉપેક્ષા થતી રહી. આજે બહુજનોમાં તીવ્ર ગતિથી વધતી સામાજિક જાગૃતી બાબાસાહેબ ડૉ. આંબેડકરે માનવ અધિકારો માટે કરેલા સંઘર્ષની ફલશ્રૃતિ છે. બહુજનોની સામાજિક, રાજકીય કે સાંકૃતિક ક્ષેત્રમાં વધતી જાગૃતિએ હિંદુ ધર્મની વર્ણ-વ્યવસ્થા સામે હજારો પ્રશ્નોનાં ખડકલા કરી દીધા છે.

હિંદુ સમાજ જે વર્ણ-વ્યવસ્થાને ઝૂંકી-ઝૂકીને વંદન કરે છે તેને બહુજનોએ તેના વિમર્શમાં પગની જૂતીએ કચડી નાખી છે. કારણ કે તેણે જ જન્મ આધારિત વર્ણાશ્રમ પ્રથાએ હજારો વર્ષોથી અસમાનતા, અન્યાય અને અત્યાચારોની વણજારનો વણથંભ્યો ઈતિહાસ દલિતોનાં લમણે લખી નાખ્યો હતો.

દલિતોની વર્ણાશ્રમ પ્રથા વિરોધી ચેતના ડૉ. આંબેડકરનાં બૌદ્ધિક સંઘર્ષની પરિણીતી છે. તે હકીકતને વીસમી સદીનાં હિંદુ હ્રદય સમ્રાટ મોનહનદાસ ગાંધી પણ બદલી શક્યા ન હતા અને એકવીસમી સદીના હિંદુ હ્રદય સમ્રાટ મોહન ભાગવત પણ પડકારી શકે તેમ નથી.

symbolic image

સામાન્ય રીતે અર્વાચીન દલિત આંદોલનના ઈતિહાસને સમજવા માટે ડૉ. આંબેડકરનાં સંઘર્ષને દલિત આંદોલનનું કેન્દ્ર માનીએ તો તેને ત્રણ તબક્કામા વહેંચી શકાય. જો કે દલિત આંદોલનો ઈતિહાસ તો સળંગ હોય. પણ દલિત આંદોલનને સમજવા માટે અભ્યાસનું સરળીકરણ કરવાના આશયથી તેને ત્રણ તબક્કામાં વહેંચી શકાય. એક તબક્કો આંબેડકરનાં આંદોલન પૂર્વેનો, બીજો તબક્કો ડૉ. આંબેડકરના નેતૃત્વમાં થયેલા આંદોલનનો અને ત્રીજો તબક્કો ડૉ. આંબેડકરનાં પરિનિર્વાણ પછીનો તબક્કો.

આ લેખ પણ વાંચો

દલિત આંદોલનનો પ્રથમ તબક્કો ઈ.સ. 1920ના ગાળામાં અસ્ત થઈ ગયો હતો. જેમાં મહાત્મા જ્યોતિબા ફૂલે, કિસન ફૂગૂજી વનસોડે, ગોપાલબાબા વાલંકરથી માંડીને સ્વામી અછૂતાનંદ સુધીનાં અનેક સામાજિક સંઘર્ષનાં નાયકોનો સમાવેશ થાય છે. દલિત આંદોલનના પ્રથમ તબક્કાનાં નાયકોએ સમાજ સુધારને પ્રાથમિકતા આપી હતી. તેમણે દલિતોમાં વ્યાપ્ત અસ્વચ્છ વ્યવસાયો, અંધશ્રદ્ધા, વ્યસનોનો પરિત્યાગ કરી શિક્ષણ પ્રાપ્ત કરવા પર ભાર મૂક્યો હતો.

દલિત આંદોલનનાં બીજા તબક્કામાં ડૉ. બાબાસાહેબ આંબેડકરનાં સંઘર્ષકાળમાં ચાલતા આંદોલનનો સમાવેશ થાય છે. જે તેમના પરિનિર્વાણ સુધી ચાલ્યું. જેમાં દલિત આંદોલનની ગતી તીવ્ર અને ઝંઝાવાતી રહી. આ ગાળાનાં દલિત આંદોલનની વિકાસયાત્રા વિશ્વ કક્ષાના અભ્યાસુઓ, વિદ્વાનો, સંશોધકો ને નાગરિક અધિકાર કાર્યકર્તાઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. જેમા ડૉ. આંબેડકરે દેશના દલિત-બહુજનોના સમાન માનવીય અધિકારો માટે કરેલા સંઘર્ષોની શૃંખલાનો સમાવેશ થાય છે. તેમા માત્ર સામાજિક સુધાર જ નહી પણ રાજકીય અને આર્થિક પરિવર્તન પર પણ ભાર મૂકાયો હતો.

symbolic image

દલિત આંદોલનો ત્રીજો તબક્કો ડૉ. આંબેડકરના સંઘર્ષની બદૌલત પ્રાપ્ત કરેલા બંધારણીય અધિકારોની છત્રછાયા હેઠળ ચાલ્યો. જે ડૉ. આંબેડકરના મહાપરિનિર્વાણથી લઈને આજ પર્યત ચાલુ છે. જેણે દલિત આંદોલનને બહુજન આંદોલનમાં પલટાવી દીધું છે. જેના મહાનાયક છે માન્યવર કાંશીરામ સાહેબ. દલિત આંદોલનના ત્રણે તબક્કા પૈકી ડૉ. આંબેડકરની હયાતીમાં ચાલેલા દલિત આંદોલનના બીજા તબક્કાએ દલિત આંદોલનના ત્રીજા તબક્કાને ભારે પીઠબળ આપ્યું છે.

દલિત આંદોલનનો બીજો તબક્કો દેશ અને દુનિયાનાં કોઈપણ ખૂણે ચાલતા નાગરીક અધિકારો માટે પ્રેરણારૂપ છે. ડૉ. આંબડકરનું બૌદ્ધિકબળ અને તેમની અડગ પ્રતિબદ્ધતા દલિત આંદોલનનો પ્રાણ છે. અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાંથી એમ.એ. અને પીએચ.ડી.નો અભ્યાસ પૂર્ણ કરીને બ્રિટનની લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સમાં એમએસ.સીની પદવી પ્રાપ્ત કરવા માટે પ્રવેશ લીધો હતો.

આ લેખ પણ વાંચો

પણ તેમની શિષ્યવૃત્તિની અવધિ પૂરી થઈ જવાને લીધે તેમણે ભારત પરત ફરવાની ફરજ પડી. વિદેશમાં વિદ્યાર્થી આંબેડકર સ્વદેશમાં માનવીય અધિકારોવિહિન જીવતા પોતાનાં લાખો શોષિત-પીડિત ભાઈ-ભાડુંડાંઓની મુક્તિનો માર્ગ શોધવાની મથામણમાં હતા.

ડૉ. આંબેડકર ભારત પરત ફરીને સામાજિક ન્યાયના સંઘર્ષને ગતિમય બનાવીને તેમનો મુક્તિસંગ્રામ લડવા માટે તૈયાર થઈ ગયા હતા. તેમણે ઈ.સ. 1919માં સાઉથબરો સમિતિ સમક્ષ હાજર રહીને દલિતોના રાજકીય અધિકારોની માગ કરી હતી. દલિતોમાં સામાજિક ઉત્થાનની ચેતના જાગૃત કરવા માટે તેમણે ઈ.સ.1920માં ‘મૂકનાયક’ નામનું માસિક શરૂ કર્યું હતું. તે દરમિયાન મહારાષ્ટ્રમાં અનેક દલિત વર્ગોની અનેક સભાઓ કરીને દલિતોમાં માનવ અધિકારોની ભૂખ જગાડવાના પ્રયાસો કર્યો હતા.

ત્યાર પછી થોડો સમય તેમનો અધૂરો અભ્યાસ પૂર્ણ કરવા માટે વિદેશની વાટ પકડી હતી. જ્યાં તેમણે એમએસ.સી, બાર એટ લૉ અને ડીએસ.સી. પૂર્ણ કર્યું હતું. જેમા તેમનું આર્થિક દર્શન વિશ્વ ફલક પર પોંખાયું હતું. ત્યાર બાદ, તેમણે ઈ.સ. 1924માં દલિતોના કાળજાફાંટ અન્યાય, અત્યાચાર અને દલનને દૂર કરીને તેમના નાગરીક અધિકારોને સુનિશ્વિત કરવા માટે ‘બહિષ્કૃત હિતકારિણી સભા’ નામની સંસ્થાનો પાયો નાંખ્યો હતો. તેમની આ સંસ્થાના નેતૃત્વમાં દલિતો માટે શિક્ષણનો વ્યાપ વિસ્તારવાનો, તેમના નાગરીક અધિકારો પ્રાપ્ત કરવાનો અને રાજકીય અધિકારો સુનિશ્વિત કરવાનાં અનેક આંદોલનો કર્યાં હતા.

symbolic image

ઈ.સ. 1927નો મહાડ તળાવ સત્યાગ્રહ પણ તેમનાં આ જ આંદોલનોની શૃંખલાનો મહત્વપૂર્ણ સંઘર્ષ હતો.

હિંદુ સામાજિક કોટિક્રમિક વ્યવસ્થાના પાપે જણેલી આભડછેટ હજારો વર્ષોથી હિંદુઓના હાડ-માસમાં વણાઈ ગઈ હતી. તેને પરિણામે દલિતોને જાહેર માર્ગ પર ચાલવાનો, સારૂ રહેઠાણ બનાવીને રહેવાનો કે જાહેર તળાવ કે કૂવામાંથી પાણી પણ લેવાનો અધિકાર ન હતો. જાહેર તળાવ કે કૂવાઓ દલિતોના સ્પર્શ માત્રથી અપવિત્ર થઈ જવાની ભાવના હિંદુઓની મસ્તિસ્કમાં જડાઈ ગઈ હતી.

હિંદુઓનાં જે તળાવમાં પશુઓ પાણી પી શકતા પણ એક જેવા હાડ-માસ-ચામના બનેલા માણસ જેવા માણસ પાણી સ્પર્શી ન શકતા. 4 ઓગષ્ટ, 1923ના રોજ મુંબઈ વિધાન પરિષદના સભ્ય રાવ બહાદૂર એસ.કે.બોલેએ વિધાનગૃહમાં એક ખરડો પસાર કર્યો હતો. તે મુજબ જાહેર સ્થળોમાં દલિત વર્ગો સાથે કરવામાં આવતા ભેદભાવ પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો હતો. અર્થાંત, જાહેર કૂવા કે તળાવમાં દલિત વર્ગોનો પણ સમાન અધિકાર રહે તેવો ખરડો પસાર થયો હતો.

બહુમતીથી પસાર થયેલા પ્રસ્તુત ખરડાને 19 સપ્ટેમ્બર, 1923માં કાયદાનું સ્વરૂપ મળ્યું હતું. પણ તે માત્ર કાગળ પર જ હતો. કોઈ તેનો અમલ કરવાની હિંમત કરી શકતું ન હતું. તેથી રાવ બહાદૂર એસ.કે. બોલેએ ત્રણ વર્ષ પછી એવો ઠરાવ પસાર કરાવ્યો કે જે નગરપાલિકા પ્રસ્તુત ખરડાનો અમલ ન કરાવે તેની સરકારી સહાય પર કામ મૂકવામાં આવે.

મહાડ નગરપાલિકાએ તેના અધિકારક્ષેત્રમાં આવતા ચવદાર તળાવ દલિતો માટે ખુલ્લુ મૂકવા માટે પ્રસ્તાવ પસાર કર્યો હતો. પણ હિંદુઓના ભયથી અસ્પૃશ્યો તેમના નાગરીક અધિકાર ભોગવવાની હિંમત કરી શકતા ન હતા. ડૉ. આંબેડકર બહિષ્કૃત હિતકારિણી સભાની સ્થાપના પછી તેમની ચળવળને વેગ આપવા માટે કોઈ યોગ્ય મુદ્દાની શોધમાં હતા.

symbolic image

તે સમયે કોંકણ પ્રદેશનાં મહાડ તાલુકાનાં અસ્પૃશ્યોની એક સભાની અધ્યક્ષતા કરવા માટે ડૉ. આંબેડકર સમક્ષ વિનંતી આવી. આર.બી. મોરે, સુરેન્દ્ર નાથ, સુરબા ટિપણીસ, વિશ્રામ ગંગારામ સવાદકર, શિવરામા જાદવ, અનંતરાવ ચિત્રે સહિત અનેક કર્મશીલોએ મહાડનાં ચવદાર તળાવનું પાણીનો ઉપયોગ કરીને દલિતોના નાગરીક અધિકારોનો ઉપયોગ કરવાનું નક્કી થયું. તે અંતર્ગત 19-20 માર્ચ, 1927માં એક સભાનું આયોજન થયું. તેમાં ડૉ. આંબેડકરને અધ્યક્ષતા કરવાની હતી. તે સભા માત્ર ભારત જ નહી પણ વિશ્વનાં માનવ અધિકારોનાં સંઘર્ષની સાક્ષી બનવાની હતી.

પ્રસ્તુત સભાને સફળ બનાવવા માટે પ્રદેશનાં અનેક ગામડાઓમાંથી દસ હજાર લોકો ઉપસ્થિત થયા હતા. ડૉ. આંબેડકરે તેમના ધારદાર ભાષણમાં યુગોથી પ્રવર્તતા બ્રાહ્મણવાદ સામે વિદ્રોહ કરીને ગુલામીમાંથી મુક્ત થવા માટે આહવાન કર્યું હતું. તેમણે કહ્યું કે “તમે અસ્પૃશ્ય છો એવી માનસિકતામાંથી મુક્ત થઈ જાઓ. ” તેમણે તેમનાં ભાષણમાં આગળ કહ્યું કે, “શું આપણે અહીં પાણી પીવા આવ્યાં છીએ? શું આપણે તરસ્યા છીએ એટલે અહીં આવ્યા છીએ? ના, આપણે માણસ તરીકે આપણો અધિકાર ભોગવવા અહીં આવ્યા છીએ.” ડૉ. આંબેડકરનાં ભાષણ પછી સૌએ મહાડ તળાવનું પાણી પીવાનું નક્કી કર્યુ.

20મી માર્ચની બપોરે હજારો દલિતો તળાવ પાસે હારબંધ ગોઠવાઈ ગયા. ડૉ. આંબેડકરની આગેવાની હેઠળ સૈંકડો દલિતો હજારો વર્ષોથી છીનવાયેલા પોતાના માનવ અધિકારો માટે બંડ પોકરવા માટે તૈયાર હતા. સૌપ્રથમ ડૉ. આંબેડકરે ચવદાર તળાવનું પાણી પીધું. ત્યાર પછી બધા જ લોકોએ પાણી પીને અસમાનતા પર આધારિત હિંદુ સામાજિક વ્યવસ્થા પર લૂણો લગાવી દીધો.

આ દેશમાં હિંદુઓની ઉંચ-નીચની સમાજ-વ્યવસ્થાના પાપે દલિતોએ પાણી માટે પણ વલખવું પડ્યું છે, આંદોલિત થવું પડ્યું છે. તે નગ્ન ને શરમજનક હકીકત છે. દલિતોએ ચવદાર તળાવનું પાણી પીધુ તે વાત ઝડપથી મહાડ તાલુકામાં ફેલાઈ ગઈ. ‘દલિતો ચવદાર તળાવનું પાણી પીને હવે, વિરેન્દ્ર મંદીરમાં પ્રવેશ કરવાના છે.’ તેવી અફવા પણ ફેલાઈ ગઈ હતી.

તેથી સવર્ણ હિંદુઓના યુવાનોના કાફલાએ નિર્દોષ દલિતો પર હુમલો કરી દીધો. સવર્ણ હિંદુઓના રોષે ભરાયેલા યુવાનો સ્ત્રીઓ અને બાળકો પર પણ તૂટી પડ્યા હતા. મહાડની બજારોમાં દલિતો જોવા મળે તો તેના પર પણ હુમલા થયા હતા.

symbolic image

કેટલાક દલિતોએ મુસ્લિમોના ઘરનો આશ્રય લઈને જીવ બચાવ્યો હતો. ઘાયલ દલિતોને દવાખાને લઈ જવામાં આવ્યાં હતા. સવર્ણ ડોક્ટરોએ ‘પાણી પીવું છે ને, લો પાણી.’ એવા અનેક કટાક્ષ કરીને ઘાયલ દલિતોને સારવાર આપી. ડૉ. આંબેડકર આ સત્યાગ્રહને અહિંસક જ રાખવા માગતા હતા. તેથી હજારો દલિતોએ સવર્ણ હિંદુ યુવાનો પર વળતો પ્રહાર કર્યો ન હતો.નહી તો, સવર્ણ હિંદુ યુવાનો શોધ્યા ન મળ્યા હોત.

તે વખતના અખબારોએ દલિતો વિરોધી વાતાવરણ ઊભુ કર્યું હતું. તે પ્રદેશના અખબારોમાં ડૉ. આંબેડકરના વિદ્રોહી મીજાજની વિરોધમાં અહેવાલો છપાવા લાગ્યા હતા. ચવદાર તળાવની ઘટના પછીના દિવસે મહાડના સવર્ણ હિંદુઓએ દલિતોના સ્પર્શથી ‘અપવિત્ર’ થયેલા ચવદાર તળાવનું શુદ્ધિકરણ કરવાની વિધી કરી હતી.

આ લેખ પણ વાંચો

આ ઘટના પછી મહાડના સવર્ણ હિંદુઓએ કોર્ટમાં દરખાસ્ત કરી કે ચવદાર તળાવ હકીકતે ચૌધરી તળાવ છે, જે ખાનગી મિલકત છે, જાહેર મિલકત નથી. કોર્ટે તેની દલીલ માન્ય રાખીને ચૂકાદાની તારીખ અનામત રાખી હતી. અસ્પૃશ્યોના સમાન નાગરીક અધિકારો માટેના સંઘર્ષનો અંત આવ્યો ન હતો. પણ તે સંઘર્ષ છેક 25મી ડિસેમ્બર, 1927ના મનુસ્મૃતિ દહનના કાર્યક્રમ સુધી વિસ્તર્યો હતો.

જેમાં ડૉ. આંબેડકરે દેશને હજારો જાતિઓમાં વિભાજીત કરી દેનારી વ્યવસ્થાનું સૂત્રીકરણ કરનારા મનુસ્મૃતિ નામના ગ્રંથને જાહેરમાં આગ ચાંપી દીધી હતી. મહાડ તળાવ સત્યાગ્રહ ડૉ. આંબેડકરના સંઘર્ષમાં સિમાચિહ્નરૂપ સ્થાન ધરાવે છે.

દેશના દલિતોને તેમના માનવીય અધિકારો ભીખમાં નથી મળ્યાં. તેના માટે તેમણે મોટી કિંમત ચૂકવવી પડી છે. આજે ડૉ. આંબેડકરે બંધારણમાં આમેજ કરેલા અધિકારોની બદૌલત બે પાંદડે થયેલા દલિતો છાતી ફૂલાવીને ડંફાસ મારતા હોય છે કે “અમારા સવર્ણ મિત્રો તો તેમના ઘરમાં અમને ચા-પાણી પીવડાવે છે.” તેને પોતાની સિદ્ધિ માનતા હોય છે. તેમને સવર્ણોના ઘરે સન્માનપૂર્વક પાણી પીવા મળે તે માટે સેંકડો દલિતોએ પોતાની પીઠ પર સવર્ણોની લાઠીઓ ખાધી છે. સંઘર્ષનો તે ઈતિહાસ તેમને યાદ નથી હોતો.

Note: આ વેબસાઇટ પર પબ્લીશ થતાં લેખ લેખકના અંગત વિચાર હોય છે.

Loading

The post મહાડ આંદોલન: માનવઅધિકારોની સંઘર્ષગાથાનો ઈતિહાસ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/the-mahad-movement-a-history-of-the-human-rights-struggle-rni-dr/7447/feed/ 0 7447
જેતપુર: દલિત સમાજ દ્વારા બાબાસાહેબ આંબેડકર ને રાષ્ટ્રીય નેતા જાહેર કરવાને લઈને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા ને અપાયું આવેદનપત્ર http://revoltnewsindia.com/jetpur-application-to-mla-jayesh-radadiya-regarding-declaration-of-babasaheb-ambedkar-as-national-leader/7223/ http://revoltnewsindia.com/jetpur-application-to-mla-jayesh-radadiya-regarding-declaration-of-babasaheb-ambedkar-as-national-leader/7223/#respond Sat, 26 Mar 2022 10:39:32 +0000 http://revoltnewsindia.com/?p=7223 ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની આપવામાં આવી બાંહેધરી

The post જેતપુર: દલિત સમાજ દ્વારા બાબાસાહેબ આંબેડકર ને રાષ્ટ્રીય નેતા જાહેર કરવાને લઈને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા ને અપાયું આવેદનપત્ર appeared first on REVOLT NEWS INDIA.

]]>
આવેદનપત્ર આપતા લોકો

ગુજરાત વિધાનસભાના વિરોધપક્ષના નેતા સુખરામ રાઠવા પણ બાબાસાહેબ ને રાષ્ટ્રીય નેતા જાહેર કરવા માટે માંગ કરી ચુક્યા છે

ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા દ્વારા યોગ્ય કાર્યવાહી કરવાની આપવામાં આવી બાંહેધરી

રિપોર્ટ: દિનેશકુમાર રાઠોડ મો. 9879914491

જેતપુર શહેર/તાલુકા અનુસૂચિત સમાજ દ્વારા સરકારી કચેરી તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની છબી પ્રદર્શિત કરવા માટે મુખ્યમંત્રી ને ભલામણપત્ર લખી આપવા રજુઆત કરવામાં આવી

મહિલાઓ, વંચિતો, દબાયેલ, કાચડાયેલ વર્ગના મસીહા સમાજ સુધારક તેમજ દેશના પ્રથમ કાયદામંત્રી અને વિશ્વવિભૂતિ ભરાતરત્ન એવા ડૉ. બાબાસાહેબ આંબેડકરે દેશને બંધારણ આપી દેશના તમામ નાગરિકોને ગૌરવ અનુભવ થાય તેવી આદર્શ લોકશાહીની ભેટ આપી છે.

ગુજરાત સરકાર દ્વારા સરકારી કચેરીઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં મહાન વિભૂતિઓની તસ્વીર પ્રદર્શિત કરવા માટે જે ઠરાવ પસાર કરવામાં આવેલ છે તે ઠરાવમાં ડૉ. બાબા સાહેબ આંબેડકરનું નામ ન હોવાથી સરકારી કચેરીઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની તસ્વીર મુકાવવા માટે અનુસૂચિત જાતિના જાગૃત  આગેવાનોએ ખુબ સંઘર્ષ વેઠવો પડતો હોય છે.

અને અમુક સરકારી કચેરીઓમાં અધિકારીની બદલી થાય ત્યારે અધિકારીઓ દ્વારા યેનકેન પ્રકારે ડૉ. બાબાસાહેબ આંબેડકરની તસ્વીર હટાવી વિશ્વ વિભૂતિ એવા ડૉ. બાબાસાહેબ આંબેડકરનું જાહેરમાં અપમાન કરવામાં આવતું હોય છે. ત્યારે બાબાસાહેબ આંબેડકરના સમર્થકોની લાગણી દુભાય છે અને ત્યારે સરકારને પણ ક્ષોભજનક સ્થિતિમાં મૂકાવું પડે છે.

જેને લઈને ગુજરાત સરકાર દ્વારા તત્કાલિક ધોરણે હકારાત્મક નિર્ણય લઇ આગામી 14, એપ્રિલ 2022 એટલે કે  ડૉ. બાબાસાહેબ આંબેડકરની જન્મજયંતી પહેલા ડૉ. બાબાસાહેબ આંબેડકરની છબી પ્રદર્શિત કરવા વિધિવત ઠરાવ પસાર કરી સરકારી કચેરીઓ તેમજ શૈક્ષણિક સંસ્થાઓમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરની તસ્વીર મુકાવવામાં આવે તેવી 74 જેતપુર-જામકંડોરણાના ધારાસભ્ય અને પૂર્વ કેબીનેટમંત્રી જયેશભાઈ રાદડિયા ને રૂબરૂ મળીને આવેદનપત્ર આપી રજૂઆત કરવામાં આવી હતી. ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા દ્વારા પણ રજૂઆત ગંભીરતાથી સાંભળવામાં આવી હતી. અને યોગ્ય કાર્યવાહી કરવા માટે ખાતરી પણ આપવામાં આવી હતી.

Loading

The post જેતપુર: દલિત સમાજ દ્વારા બાબાસાહેબ આંબેડકર ને રાષ્ટ્રીય નેતા જાહેર કરવાને લઈને ધારાસભ્ય જયેશભાઈ રાદડિયા ને અપાયું આવેદનપત્ર appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-application-to-mla-jayesh-radadiya-regarding-declaration-of-babasaheb-ambedkar-as-national-leader/7223/feed/ 0 7223
શા માટે ડો. આંબેડકરે મંદિર પ્રવેશનું આંદોલન કર્યુ હતુ? http://revoltnewsindia.com/dr-ambedkars-kalaram-temple-movement/6664/ http://revoltnewsindia.com/dr-ambedkars-kalaram-temple-movement/6664/#respond Wed, 02 Mar 2022 11:07:39 +0000 https://revoltnewsindia.com/?p=6664 ડો. આંબેડકરનું કાલારામ મંદિર સત્યાગ્રહ, 02 માર્ચ 1930

The post શા માટે ડો. આંબેડકરે મંદિર પ્રવેશનું આંદોલન કર્યુ હતુ? appeared first on REVOLT NEWS INDIA.

]]>

કાલારામ મંદિર Kalaram Temple મહારાષ્ટ્રમાં Maharashtra નાસિક Nasik જિલ્લાના પંચવટી Panchvati પાસે આવેલું છે. આ મંદિરનું નિર્માણ પેશ્વા સરદાર રંગરાવ ઓઢેકર દ્વારા 1782 માં નાગર શૈલીમાં શરૂ કરવામાં આવ્યું હતું જે 1788 માં પૂર્ણ થયું હતું.  મંદિરમાં સ્થાપિત ભગવાન રામની મૂર્તિ કાળા પથ્થરથી બનેલી છે, તેથી તેને કાલારામ મંદિર કહેવામાં આવે છે.  ભારતના દલિત આંદોલન Dalit Movement માં આ મંદિરનો પોતાનો ઇતિહાસ છે.

2 માર્ચ, 1930ના રોજ કાલારામ મંદિર સત્યાગ્રહ શરૂ કર્યો હતો

હકીકતમાં ડો. આંબેડકર Dr Bhimrao Ambedkar ના પત્ની રમાબાઈ સહિત સમાજના તમામ લોકો કે જેમને અસ્પૃશ્ય જાહેર કરવામાં આવ્યા હતા, તે મંદિરમાં જવા માંગતા હતા.  તેમાં મુખ્યત્વે મહિલાઓ સામેલ હતી, પરંતુ તે મંદિરના દરવાજા અસ્પૃશ્યો માટે બંધ હતા.  બાબાસાહેબ ઇચ્છતા હતા કે દલિત સમાજના લોકો ધર્મ છોડીને શિક્ષણ પાછળ દોડે, કારણ કે તેમનો ઉદ્ધાર ફક્ત શિક્ષણ દ્વારા જ   સંભવ હતો, નહીં કે મંદિર પ્રવેશ દ્વારા.  પરંતુ તેમને સમજાવવા મુશ્કેલ હતા. માટે ડો. આંબેડકરે તેમની અસ્પૃશ્ય સમાજ-Untouchable community ની આંખો ખોલવા માટે 2 માર્ચ, 1930ના રોજ કાલારામ મંદિર સત્યાગ્રહ શરૂ કર્યો હતો.

આ આંદોલન અસ્પૃશ્યોના મંદિરમાં પ્રવેશ માટે ચલાવાયેલું આંદોલન હતું. આ સત્યાગ્રહમાં અસ્પૃશ્ય સમાજના લગભગ 15 હજાર લોકોએ ભાગ લીધો હતો.  ડો. આંબેડકરે સવર્ણ હિન્દુઓને પૂછ્યું કે ‘જો ભગવાન દરેક લોકોના છે, તો શા માટે માત્ર થોડા લોકોને જ તેમના મંદિરમાં પ્રવેશવાની મંજૂરી છે.  પોલીસ અને મંદિરના પૂજારીઓએ સત્યાગ્રહીઓની માંગનો વિરોધ કરતા મંદિરના તમામ દરવાજા બંધ કરી દીધા હતા.

આ સત્યાગ્રહ 5 વર્ષ, 11 મહિના અને 7 દિવસ સુધી ચાલ્યો

કોઈ અસ્પૃશ્ય મંદિરમાં પ્રવેશ ન કરી શકે તે માટે પોલીસે સમગ્ર મંદિરને ઘેરી લીધું હતું.  શહેરના સવર્ણ હિંદુઓએ આ સત્યાગ્રહીઓને ભગાડવા માટે પથ્થરો વડે હુમલો કર્યો.  આ હુમલામાં ડો.આંબેડકર પણ ઘાયલ થયા હતા.  આ સત્યાગ્રહ 5 વર્ષ, 11 મહિના અને 7 દિવસ સુધી ચાલ્યો, પરંતુ મંદિરનો દરવાજો ન ખૂલ્યો.  દલિત વર્ગના લોકો મંદિરનો દરવાજો ન ખુલે ત્યાં સુધી નિર્ણાયક લડાઈ લડવા માંગતા હતા, પરંતુ ડૉ. ભીમરાવ આંબેડકર તેની તરફેણમાં ન હતા.  તેથી તેમણે તેને સ્થગિત કરી દીધું.

ડો. આંબેડકરે દલિત વર્ગને તેમની ઊર્જા રાજકારણ પર કેન્દ્રિત કરવાની સલાહ આપી

આનું કારણ જણાવતા તેમણે કહ્યું કે મંદિર આંદોલન એટલા માટે કરવામાં આવ્યું નથી કે જેથી મંદિરમાં બેઠેલા ભગવાન અસ્પૃશ્યોના દુઃખ દૂર કરે, પરંતુ અસ્પૃશ્યોને વાસ્તવિક પરિસ્થિતિનો અનુભવ થાય તે માટે આ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું.  તેમને વાસ્તવિક પરિસ્થિતિથી વાકેફ કરવાનો આ શ્રેષ્ઠ માર્ગ હતો. આ સત્યાગ્રહથી તેમનો ઉદ્દેશ્ય પૂરો થયો છે અને તેથી મંદિર પ્રવેશ આંદોલનની હવે જરૂર નથી.  તેના બદલે તેમણે દલિત વર્ગને તેમની ઊર્જા રાજકારણ પર કેન્દ્રિત કરવાની સલાહ આપી હતી.

નોંધ: આ લેખ બહુજન કેલેન્ડરનામની પુસ્તકમાં હિંદીમાં છપાયેલા લેખનો ગુજરાતી અનુવાદ છે. આ લેખનો ગુજરાતી અનુવાદ કરનાર જર્નલિસ્ટ દિનેશકુમાર રાઠોડ છે. તેમના મો. +91 9879914491 છે.

Loading

The post શા માટે ડો. આંબેડકરે મંદિર પ્રવેશનું આંદોલન કર્યુ હતુ? appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/dr-ambedkars-kalaram-temple-movement/6664/feed/ 0 6664
બુદ્ધ અને બાબાસાહેબ આંબેડકરના માર્ગે આગળ વધતો જેતપુરનો દલિત સમાજ http://revoltnewsindia.com/dalit-community-of-jetpur-following-the-path-of-buddha-and-babasaheb-ambedkar/6588/ http://revoltnewsindia.com/dalit-community-of-jetpur-following-the-path-of-buddha-and-babasaheb-ambedkar/6588/#respond Sun, 27 Feb 2022 16:00:48 +0000 https://revoltnewsindia.com/?p=6588 Dalit community of Jetpur following the path of Buddha and Babasaheb Ambedkar

The post બુદ્ધ અને બાબાસાહેબ આંબેડકરના માર્ગે આગળ વધતો જેતપુરનો દલિત સમાજ appeared first on REVOLT NEWS INDIA.

]]>

રાજકોટ (Rajkot) બાબાસાહેબ આંબેડકર (Baba Saheb Ambedkar) દ્વારા 1956માં પોતાના લાખો અનુયાયીઓ સાથે ભારતીય મૂળધર્મ એવા બૌદ્ધ ધર્મની (Buddhism) દીક્ષા નાગપુર (Nagpur) ખાતે લેવામાં આવી હતી. ત્યારે વર્ષો બાદ રાજકોટ  જિલ્લામાં અને ખાસ કરીને જેતપુર (Jetpur) શહેર અને તાલુકામાં બાબાસાહેબ આંબેડકરની માનવતાવાદી વિચારધારા વેગવંતી બની છે. જેને લઈને દલિત સમાજમાં લગ્ન પ્રસંગ પણ બૌદ્ધ પરંપરા પ્રમાણે કરવાની શરૂઆત થઈ ગઈ છે. જેમાં જેતપુર  તાલુકાના અમરનગર ગામમાં પણ ગત રવિવારે સ્વયમ્  સૈનિક દળ (Swayam Sainik Dal) ના માધ્યમથી બૌદ્ધ પરંપરા મુજબ લગ્ન પ્રસંગ યોજવામાં આવ્યા હતા. આ લગ્ન પ્રસંગમાં બાબાસાહેબ આંબેડકરની વિચારધારાને લગતી એક ચિંતન શિબિર પણ યોજાઈ હતી.

રિપોર્ટ: દિનેશકુમાર રાઠોડ, મો. 9879914491

Loading

The post બુદ્ધ અને બાબાસાહેબ આંબેડકરના માર્ગે આગળ વધતો જેતપુરનો દલિત સમાજ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/dalit-community-of-jetpur-following-the-path-of-buddha-and-babasaheb-ambedkar/6588/feed/ 0 6588
ડો. આંબેડકરનું અપમાન, એ પાંચ વર્ષની સજાપાત્ર ગુનો છે! http://revoltnewsindia.com/insulting-dr-ambedkar-is-a-punishable-offense-of-five-years/6515/ http://revoltnewsindia.com/insulting-dr-ambedkar-is-a-punishable-offense-of-five-years/6515/#respond Wed, 23 Feb 2022 16:22:26 +0000 https://revoltnewsindia.com/?p=6515 Insulting Dr. Ambedkar is a punishable offense of five years

The post ડો. આંબેડકરનું અપમાન, એ પાંચ વર્ષની સજાપાત્ર ગુનો છે! appeared first on REVOLT NEWS INDIA.

]]>

કર્ણાટકના (Karnataka) જિલ્લા જજ મલ્લિકાર્જુન ગૌડાએ; 26 જાન્યુઆરી 2022ના રોજ ગણતંત્ર દિને (Republic day of India) આયોજિત સમારંભમાં મંચ ઉપર ગાંધીજીની (Gandhiji) તસ્વીરની બાજુમાં ડો.આંબેડકર (Dr B R Ambedkar) ની તસ્વીર હતી. તે હટાવી દેવાની સૂચના કરતા ડો. આંબેડકરની તસ્વીર ત્યાંથી દૂર કરવામાં આવી હતી. ડો. આંબેડકરનો આ અનાદર હતો.

જેથી બેંગલુરુમાં 19 ફેબ્રુઆરી 2022ના રોજ દોઢ લાખ દલિતો (Dalit federations) એ એક જબરજસ્ત વિરોધ-રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીનું સમાપન ફ્રીડમ પાર્ક (Freedom park Karnataka) ખાતે થયું હતું; ત્યાં કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ પ્રદર્શનકારીઓની મુલાકાત લઈને જજ સામે કાર્યવાહી કરવા આશ્વાસન આપ્યું હતું. ગુજરાતમાં આ શક્ય નથી, કેમકે ગુજરાતમાં દલિતો ઉપર સત્તાપક્ષના ‘હિન્દુત્વ’એ કબજો કરી લીધો છે!

આ પણ વાંચો

જજની બદલી થઈ ગઈ છે. બદલી એ સજા નથી. જજને ફરજમોકૂફ કરવા તથા તેમની સામે FIR નોંધવાની માંગણી દલિતો કરી રહ્યા છે. જજની દલીલ છે કે ડો. આંબેડકરનું અપમાન કરવાનો કોઈ ઈરાદો ન હતો ! દરમિયાન 4 ફેબ્રુઆરીના રોજ કર્ણાટક હાઈકોર્ટે રાજ્યની દરેક કોર્ટને આદેશ આપ્યો છે કે કોર્ટના કોઈપણ સમારંભમાં ડો. આંબેડકરની તસ્વીરને સ્થાન આપવાનું રહેશે !

શું આ કિસ્સામાં જજે કોઈ કોગ્નિઝેબલ ગુનો કર્યો છે?

એટ્રોસિટી એક્ટની કલમ-3 (1) (V) કહે છે : “by words either written or spoken or by any other means disrespects any late person held in high esteem by members of the Scheduled Castes or the Scheduled Tribe; અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિના સભ્યો કોઈપણ સ્વર્ગસ્થ વ્યક્તિને ઉચ્ચ આદર આપતા હોય, તેમને કોઈ પ્રકારે અનાદર કરે તો ગુનેગારને છ મહિનાથી ઓછી ન હોય તેટલી અને પાંચ વર્ષ સુધીની કેદ અને દંડ થાય.”

નોંધ : આ લેખ રમેશ સવાણી (પૂર્વ આઈજીપી અને પૂર્વ આચાર્ય પોલીસ તાલીમ કેન્દ્ર વડોદરા, ગુજરાત સરકાર)ની ફેસબુક વોલ પરથી સત્તાવાર પરવાનગી લઈને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે. લેખમાં આપેલી માહિતી સબંધિત વિગતો માટે સબંધિત વિભાગના સત્તાવાર સૂત્રોનો સંપર્ક કરશો

Loading

The post ડો. આંબેડકરનું અપમાન, એ પાંચ વર્ષની સજાપાત્ર ગુનો છે! appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/insulting-dr-ambedkar-is-a-punishable-offense-of-five-years/6515/feed/ 0 6515
જેતપુર: દલીત સમાજ દ્વારા એક વર્ષ પહેલાં કરેલી માંગ પુરી ન કરવામાં આવતા ફરી અપાયું આવેદન http://revoltnewsindia.com/jetpur-an-application-was-re-filed-after-the-demand-made-by-the-dalit-community-a-year-ago-was-not-met/6011/ http://revoltnewsindia.com/jetpur-an-application-was-re-filed-after-the-demand-made-by-the-dalit-community-a-year-ago-was-not-met/6011/#respond Fri, 04 Feb 2022 16:28:54 +0000 https://revoltnewsindia.com/?p=6011 Jetpur An application was re-filed after the demand made by the Dalit community a year ago was not met

The post જેતપુર: દલીત સમાજ દ્વારા એક વર્ષ પહેલાં કરેલી માંગ પુરી ન કરવામાં આવતા ફરી અપાયું આવેદન appeared first on REVOLT NEWS INDIA.

]]>
આવેદનપત્ર આપતા દલિત સમાજના આગેવાનો

જેતપુર અનુ.જાતિ સમાજ (schedule caste community Jetpur) અને કાયદાના વિદ્યાર્થીઓ દ્વારા દર વર્ષે બાબાસાહેબની જન્મજયંતી (Dr. Ambedkar Birth anniversary) તેમજ અન્ય દિવસોમાં મોટી સંખ્યામાં શહેર તેમજ તાલુકામાંથી પોતાનો ભાવ પ્રગટ કરવા એકઠા થતા હોય છે. ત્યારે સરદાર ગાર્ડન પાસે આવેલ બાબાસાહેબ આંબેડકરની પ્રતિમા પરિસરમાં જગ્યાના અભાવના કારણે ભારે ગિરદીના દ્રશ્યો સર્જાતા હોય છે. તેમજ પ્રતિમા સુધી જવાની સીડી પણ એક જ હોવાથી ચડવા ઉતારવા માટે મુશ્કેલી પડતી હોય છે અને કોઈ અકસ્માત થવાનો પણ ભય રહેતો હોય છે.

જેને લઈને જેતપુરના દલિત સમાજ દ્વારા આજે એક આવેદનપત્ર જેતપુર-નવાગઢ નગરપાલિકામાં આપવામાં આવ્યું હતું. જેમાં માંગ કરવામાં આવી હતી કે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાના પરિસરની જગ્યા વધારવામાં આવે તેમજ પ્રતિમા સુધી જવા માટેની ચડવા અને ઉતરવાની અલગ-અલગ સીડી મુકવામાં આવે. દલિત સમાજના વ્યક્તિઓ દ્વારા જણાવવામાં આવેલ હતું કે આ પહેલા પણ માર્ચ-2021 માં પણ ઉપર મુજબની માંગ જેતપુર-નવાગઢ નગરપાલિકાના સત્તાધીશો સમક્ષ મુકવામાં આવી હતી.

પરંતુ તેનું એક વર્ષ ઉપર સમય થઈ ગયો હોવા છતાં કોઈ ઉકેલ ન આવતા ફરી એકવાર આવેદનપત્ર જેતપુર-નવાગઢ નગરપાલિકાના સત્તાધીશોને આપવામાં આવ્યું હતું. દલિત સમાજના આગેવાનોનું ખાસ એવું પણ માનવું હતું કે હાલ સરદાર ગાર્ડનની લાખો રૂપિયાના ખર્ચે જ્યારે રીનોવેશનની કામગીરી ચાલતી હોય ત્યારે બાબાસાહેબ આંબેડકરની પ્રતિમાના પરિસરમાં પણ જો થોડો ખર્ચો કરવામાં આવે તો શહેરની શોભામાં પણ વધારો થઈ શકે એમ છે.

રિપોર્ટ: દિનેશકુમાર રાઠોડ મો. +91 9879914491

Loading

The post જેતપુર: દલીત સમાજ દ્વારા એક વર્ષ પહેલાં કરેલી માંગ પુરી ન કરવામાં આવતા ફરી અપાયું આવેદન appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-an-application-was-re-filed-after-the-demand-made-by-the-dalit-community-a-year-ago-was-not-met/6011/feed/ 0 6011
Jetpur: બાબાસાહેબ આંબેડકર અંગે ગેરબંધારણીય શબ્દનો ઉપયોગ કરનાર ખાનગી પ્રકાશન વિરુદ્ધ અપાયું આવેદન http://revoltnewsindia.com/jetpur-application-against-private-publication-using-unconstitutional-word-about-babasaheb-ambedkar/5368/ http://revoltnewsindia.com/jetpur-application-against-private-publication-using-unconstitutional-word-about-babasaheb-ambedkar/5368/#respond Sat, 08 Jan 2022 12:58:18 +0000 https://revoltnewsindia.com/?p=5368 જેતપુર તાલુકા સેવા સદન ખાતે જેતપુરના પ્રબુદ્ધ વકીલો અને પત્રકારો દ્વારા આવેદનપત્ર અપાયું રાજકોટ: જિલ્લાના જેતપુરમાં ગત તા. 07 ના રોજ જેતપુર તાલુકા સેવા સદન ખાતે ડેપ્યુટી કલેકટર રાજેશકુમાર આલની…

The post Jetpur: બાબાસાહેબ આંબેડકર અંગે ગેરબંધારણીય શબ્દનો ઉપયોગ કરનાર ખાનગી પ્રકાશન વિરુદ્ધ અપાયું આવેદન appeared first on REVOLT NEWS INDIA.

]]>

જેતપુર તાલુકા સેવા સદન ખાતે જેતપુરના પ્રબુદ્ધ વકીલો અને પત્રકારો દ્વારા આવેદનપત્ર અપાયું

રાજકોટ: જિલ્લાના જેતપુરમાં ગત તા. 07 ના રોજ જેતપુર તાલુકા સેવા સદન ખાતે ડેપ્યુટી કલેકટર રાજેશકુમાર આલની મારફતે રાજ્યપાલને આવેદનપત્ર પાઠવવામાં આવ્યું હતું. બાબત એમ છે કે ક્રિએટીવ સ્યોર સજેશન નામના પ્રકાશને પોતાના એસ.વાય.બી.એ સેમેસ્ટર 3 ના પુસ્તકમાં બાબાસાહેબ આંબેડકર તેમજ અનુસૂચિત જાતિ અંગે ગેરબંધારણીય શબ્દનો ઉલ્લેખ કરેલ હતો. જે શબ્દ પર સરકાર દ્વારા પ્રતિબંધ લગાડવામાં આવેલ છે.

જે શબ્દનો વિદ્યાર્થીઓના અભ્યાસના પુસ્તકમાં છાપી લાગણી દુભાવી હોય જે સંદર્ભે આવેદનપત્ર પાઠવી પબ્લિકેશન અને એડિટર સહિતના વિરુધ્ધ કાયદેસર કાર્યવાહી કરવા માંગ કરી હતી.

અનુસૂચિત જાતિ અને અનુસૂચિત જનજાતિનું માનવીય ગૌરવ ન હણાય તેને લઈને ગુજરાત રાજ્ય સરકાર દ્વારા પણ 1999 માં એસસીડબ્લ્યુ-૧૯૯૦/૧૪૬૯/હ મુજબનો પરિપત્ર પણ બહાર પાડવામાં આવેલ હતો. આ આવેદનપત્ર આપવામાં જેતપુર બાર એસોસિએશનના પ્રમુખ ગોવિંદ ડોબરીયા, વિદ્વાન વકીલ એલ.બી. જેઠવા, શૈલેષ સોલંકી અને પત્રકારમાં દિનેશ રાઠોડ, અજય જાદવ ઉપસ્થિત રહયા હતા.

Loading

The post Jetpur: બાબાસાહેબ આંબેડકર અંગે ગેરબંધારણીય શબ્દનો ઉપયોગ કરનાર ખાનગી પ્રકાશન વિરુદ્ધ અપાયું આવેદન appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-application-against-private-publication-using-unconstitutional-word-about-babasaheb-ambedkar/5368/feed/ 0 5368
Jetpur: બાબસાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે સરધારપુર ગામમાં યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ http://revoltnewsindia.com/jetpur-blood-donation-camp-held-in-sardarpur-village-on-the-occasion-of-babasaheb-ambedkars-punyatithi/4828/ http://revoltnewsindia.com/jetpur-blood-donation-camp-held-in-sardarpur-village-on-the-occasion-of-babasaheb-ambedkars-punyatithi/4828/#respond Mon, 06 Dec 2021 11:40:45 +0000 https://revoltnewsindia.com/?p=4828 આજે બાબાસાહેબ ડો. ભીમરાવ આંબેડકરના (Dr. Bhimrao Ambedkar) 65 માં પરિનિર્વાણ દિવસ (Death Anniversary) નિમિત્તે દેશભરમાં તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે. જેને લઈને જેતપુર (Jetpur) તાલુકાના સરધારપુર (Sardharpur) ગામમાં…

The post Jetpur: બાબસાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે સરધારપુર ગામમાં યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ appeared first on REVOLT NEWS INDIA.

]]>

આજે બાબાસાહેબ ડો. ભીમરાવ આંબેડકરના (Dr. Bhimrao Ambedkar) 65 માં પરિનિર્વાણ દિવસ (Death Anniversary) નિમિત્તે દેશભરમાં તેમને શ્રદ્ધાંજલિ પાઠવવામાં આવી રહી છે. જેને લઈને જેતપુર (Jetpur) તાલુકાના સરધારપુર (Sardharpur) ગામમાં પણ એક રકતદાન કેમ્પનું (Blood Donation camp) નું આયોજન કરવામાં આવ્યું હતું.

રકતદાન કેમ્પમાં 50 થી વધુ લોકોએ કર્યું રકતદાન

રકતદાન કેમ્પમાં એકઠું થયેલ લોહી રાજકોટ સિવિલ ખાતે મોકલાશે

થેલેસેમિયાની બીમારીથી પીડાતા બાળકોને ઉપયોગી થશે રક્તદાનમાં એકઠું થયેલ રક્ત

રાજકોટ: જિલ્લાના જેતપુર તાલુકાના સરધારપુર ગામે આજે બાબાસાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે એક બ્લડ ડોનેશન કેમ્પનું આયોજન ગૌતમ બુદ્ધ યુવા સંગઠન અને તેમની સહયોગી સંસ્થા ફુલે-આંબેડકર મિશન જેતપુર દ્વારા કરવામાં આવ્યું હતું.

આ બ્લડ ડોનેશન કેમ્પમાં 50 થી વધુ લોકોએ અનેરા ઉત્સાહ સાથે ભાગ લીધો હતો. અને તેમના લોહીનું દાન કર્યું હતું. આ કેમ્પના આયોજકો દ્વારા જણાવવામાં આવ્યું હતું કે આ રકતદાન કેમ્પમાં એકઠું થયેલ રક્ત રાજકોટ સિવીલ હોસ્પિટલમાં મોકલવામાં આવશે.

સાથે જ તેમણે જણાવ્યું હતું કે આ એકઠું થયેલ બ્લડ ખાસ થેલેસેમિયાથી પીડાતા બાળકોને ઉપયોગી થશે. તેમજ વધુમાં ગૌતમ બુદ્ધ યુવા સંગઠનના કાર્યકર્તાઓએ જણાવ્યું હતું કે આવા કેમ્પ કરવાથી માનવતાની મહેક મહેકાવી શકાય છે. અને માનવ-માનવ વચ્ચેના માનવીય સંબંધો વિકસાવી શકાય છે.

આ બ્લડ ડોનેશન કેમ્પમાં બ્લડ ડોનેટ કરનારા વ્યક્તિઓને ભેટમાં બાબાસાહેબ આંબેડકરની છબી અને સરકારી મેડિકલ કોલેજ અને હોસ્પિટલ રાજકોટના પ્રમાણપત્ર પણ આપવામાં આવ્યા હતા.

ગૌતમ બુદ્ધ યુવા સંગઠન સરધારપુર દ્વાર કરવામાં આવી સમગ્ર કામગીરી

આ સરધારપુર ગામમાં યોજાયેલા બ્લડ ડોનેશન કેમ્પમાં ગૌતમ બુદ્ધ યુવા સંગઠન સરધારપુરના કાર્યકર્તાઓ પ્રકાશભાઈ રાઠોડ, ધનજીભાઈ લુવાર, રોહિતભાઈ, ડો. સવજી બગડા તેમજ અન્ય કાર્યકર્તાઓ દ્વારા ઉત્સાહપૂર્વક માનવધર્મનું કાર્ય કર્યું હતું.

By Team Revolt Jetpur. Mo. +919879914491

Loading

The post Jetpur: બાબસાહેબ આંબેડકરની પુણ્યતિથિ નિમિત્તે સરધારપુર ગામમાં યોજાયો બ્લડ ડોનેશન કેમ્પ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-blood-donation-camp-held-in-sardarpur-village-on-the-occasion-of-babasaheb-ambedkars-punyatithi/4828/feed/ 0 4828