EDITORIAL Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/category/top-editorial/ News for India Wed, 20 Mar 2024 09:08:08 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png EDITORIAL Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/category/top-editorial/ 32 32 174330959 ગુજરાતી લોક-સાહિત્યમાં આંબેડકરી વિચારધારાનું સંયોજન http://revoltnewsindia.com/synthesis-of-ambedkarite-ideology-in-gujarati-folk-literature-rni-dr/7521/ http://revoltnewsindia.com/synthesis-of-ambedkarite-ideology-in-gujarati-folk-literature-rni-dr/7521/#respond Sat, 15 Apr 2023 16:27:57 +0000 http://revoltnewsindia.com/?p=7521 ગુજરાતનાં ખૂણે-ખૂણે સચવાયેલા બહુજન સાહિત્યકારો પોતાનાં ગીતોને સામાજિક પરિવર્તનની ખેપમાં મહત્ત્વનું માધ્યમ બનાવી રહ્યાં છે. બહુજન સાહિત્યનું વાંચન વ્યાપકરીતે લોકભોગ્ય બન્યું નથી, ત્યારે બહુજન સાહિત્યકારો પોતાના ગીતો થકી બહુજન વિચારધારાની ધારા પ્રવાહિત કરી રહ્યાં છે.

The post ગુજરાતી લોક-સાહિત્યમાં આંબેડકરી વિચારધારાનું સંયોજન appeared first on REVOLT NEWS INDIA.

]]>

વર્ણપ્રથાના પાપે ઉપેક્ષિત રહેલા બહુજનોનાં જીવતરમાં અપમાનો અને અત્યાચારોની વ્યથા-કથા આજે પણ વિકરાળ વાસ્તવિકતા બનીને ઊભી છે.

બહુજનો પાસે પોતાની છાતીએ ઝીલેલી વિષમતા ને હૈયે વેઠેલી વેદના વ્યક્ત કરવા માટે એકપણ તક નહોતી. ભારતમાં જાતિ આધારીત વર્ગ-વિભાજને બહુજનોનાં માનવ ગૌરવને લૂંટી લીધા. બહુજનો માટે ઈતિહાસ ઉત્પીડક રહ્યો છે. તેથી જ મહાનાયક ડૉ. બાબાસાહેબ આંબેડકરે ઈતિહાસ ભૂલનારી કોમને ટકોર કરતાં કહ્યું હતું કે, “જે સમાજ પોતાનો ઈતિહાસ ભૂલી જાય છે તે કદી પોતાનો ઈતિહાસ બનાવી શકતો નથી.”

મુખ્યધારાનાં ઈતિહાસકારોએ બહુજનોના કાળજે શૂળાતી કરૂણ વેદનાને ઈતિહાસમાં સ્થાન આપ્યુ નહોતું. શાળાનાં પાઠ્યક્રમોમાં જે ઈતિહાસ ભણાવાય છે તે બહુજનોનો ઈતિહાસ નથી. બહુજનોને અહેસાસ કરાવવામાં આવે છે કે તે ઈતિહાસ તેનો પોતાનો છે.

પણ બહુજનો માટે તે ઈતિહાસ પારકો છે. કારણ કે તે ઈતિહાસનાં પાને બહુજનોની યુગો પૂરાણી ત્રાસદ મહાગાથાને સ્થાન નથી. સામાજીક કોટિક્રમિક ઉંચ-નીચની ‘શાસ્ત્રોક્ત’ વ્યવસ્થાનાં જખમો ખાધેલા બહુજનોને પાઠ્યક્રમોથી છેટાં જ રાખવામાં આવ્યાં છે.

ભારતનાં વર્ગખંડોમાં મીઠા માટે થયેલા સત્યાગ્રહનું ઝીણવટભર્યું વર્ણન ભણાવાય છે, પણ જેને જાહેર જળાશયોમાંથી પાણી લેવાનો અધિકાર પણ નહોતો તે વર્ગે પાણી માટે કરેલા ચવદાર તળાવ સત્યાગ્રહનો વર્ગખંડોમાં ઉલ્લેખ સુધ્ધા થતો નથી.

આ પણ વાંચો…

પણ સમયે પડખું ફેરવ્યું છે. બાબાસાહેબ આંબેડકરનાં સંઘર્ષની બદૌલત મડાંમાંથી માણસ બનેલા બહુજનોનાં હૈયે સ્વાભિમાનની ચેતના પ્રગટી છે. બહુજન યુવાનોનાં લોહીનાં અણુંએ અણુંમાં પોતાના ઉવેખાયેલા આયખાનાં ઈતિહાસને બેઠો કરવાની બળકટ લાગણી ફૂંટી છે.

પોતાની કલામાં આંબેડકરી વિચારધારાને વણીને લોકાભિમુખ કરતાં કલાકારો

ગુજરાતનાં નવલોહિયા બહુજન કલાકારો પોતાની કલામાં આંબેડકરી વિચારધારાને વણીને લોકાભિમુખ કરી રહ્યાં છે. તેઓ લોકડાયરાનાં માધ્યમથી લોકો વચ્ચે બહુજન વિચારધારાનાં વિવિધ પાસાઓની છણાવટ કરે છે.

બહુજનોનાં શોર્યને પ્રગટાવતા તેમના ગીતો નિરાશાને આશામાં પલટાવીને લોકોમાં નવચેતનાનાં મંડાણ કરે છે. સમાનતા, સ્વતંત્રતા અને બંધુતા ડૉ. આંબેડકરનાં પ્રિય આદર્શો રહ્યા છે. આ જ આદર્શોને સમાજજીવનમાં કલાનાં માધ્યમથી પ્રસ્થાપિત કરવા માટે મથી રહ્યા છે.

વિશન કાથડ, દિનેશ ગોહિલ, મોહિન્દર મૌર્ય, સચિન સાલ્વી, દિનેશ વાણવી, ચંદ્ર બારોટ, ભાવેશ પરમાર, પ્રદિપકુમાર અને સામંત સોલંકી જેવા બહુજન સાહિત્યકારો અને ગીતકારો. બાબાસાહેબની ધારાને કલાનાં માધ્યમથી લોકભોગ્ય બનાવવા માટે હંસા સુવાતર, શોભના દાફડા અને ઝંખના પરમાર જેવી દીકરીઓ પણ સહેજે પાછળ રહી નથી.

દલિત અસ્મિતાની વાંછનાને પોતાના ગીતોમાં ઉતારનાર દિવંગત દશરથ સાલ્વી તો કેમ ભૂલાય? તેમનાં સંગીત અને સૂરનાં સુંદર સંયોજનમાં ડૉ. આંબેડકરનો સંઘર્ષ આબાદ રીતે પ્રગટે છે.

Image source: facebook/hemantchauhanofficial

પદ્મશ્રી ગાયક હેમંત ચૌહાણે બાબાસાહેબ આંબેડકર પ્રત્યે કૃતજ્ઞતા પ્રગટ કરતાં કર્ણપ્રિય ગીતો ગાયા છે. તેમનાં કંઠે ગવાયેલું ગીત ‘બંધારણવાળો બાબો’ અને ‘ઝાઝી ખમ્માં’ તો હૈયાવગાં છે. બહુજન વિચારધારાનાં કથાતંતુને પોતાનાં ગીતમાં ઝીલીને સૂરનાં સરગમને સમૃદ્ધ કરતી કલગી ઉમેરી છે,

ગુજરાતભરમાં બહુજન સાહિત્યકાર તરીકે પ્રસિદ્ધ વિશન કાથડે. સોરઠી લોકબોલીમાં વ્યક્ત થતી તેમની બહુજન વૈચારિકીએ લોકહ્રદયમાં એક કૂણી જગ્યા બનાવી છે. એપ્રિલનાં પ્રથમ સપ્તાહિકમાં તેમનું સાતમું ગીત ‘રાજસત્તા’ લોન્ચ થયું છે.

તેમનું ગીત માન્યવર કાંશીરામ સાહેબની આંખોમાં સરવળતાં રાજસત્તાનાં સપનાને સહજ રીતે વણી લે છે. તે ગીતમાં બાબાસાહેબે ચીંધેલી રાજકિય શક્તિને મજબૂત કરવાની ખેવના પડઘાય છે. તેમનાં શબ્દોમાં લખાયેલું ને શૌર્ય-મિજાજમાં ગવાયેલું તેમનું ગીત હ્રદય સોંસરવું નીકળી જાય છે.

મોહિન્દર મોર્યની કલમે લખાયેલું ‘કાંશીરામ કાર્ય’ બહુજનોને કાંશીરામ સાહેબનાં સંઘર્ષ પ્રત્યે આદર વ્યક્ત કરવાનું આહવાન કરે છે.

માંગરોળનાં શ્રમજીવી પરિવારમાંથી આવતાં દિનેશ ગોહિલે પહેલી એપ્રિલે ‘આંબેડકરનાં પડઘા’ ગીત પ્રગટ કર્યું છે. જેમાં ડૉ. બાબાસાહેબ આંબેડકરે પહેલી અને બીજી ગોળમેજી પરિષદોમાં દલિતો માટે રાજકીય અધિકારોની માગણી કરી હતી તેવું કથાબીજ છે. તેમનાં શબ્દોમાં સંયોજાયેલું પ્રસ્તુત ગીત હ્રદયનાં તંતુ જીવંત કરી દે તેવું છે.

આ પણ વાંચો…

ગુજરાતનાં ખૂણે-ખૂણે સચવાયેલા બહુજન સાહિત્યકારો પોતાનાં ગીતોને સામાજિક પરિવર્તનની ખેપમાં મહત્ત્વનું માધ્યમ બનાવી રહ્યાં છે. બહુજન સાહિત્યનું વાંચન વ્યાપકરીતે લોકભોગ્ય બન્યું નથી, ત્યારે બહુજન સાહિત્યકારો પોતાના ગીતો થકી બહુજન વિચારધારાની ધારા પ્રવાહિત કરી રહ્યાં છે.

ડૉ. આંબેડકરે બહુજનોની હજારો વર્ષો જૂની ગુલામીમાંથી મુક્તિનાં દ્વાર ઉઘાડવા માટે તેમનો સંઘર્ષ આરંભ્યો ત્યારે જ તેમણે ‘મૂકનાયક’ નામનાં અખબારનો પ્રારંભ કર્યો હતો. જે ‘બહિષ્કૃત ભારત’, ‘જનતા’ ને અંતે ‘પ્રબુદ્ધ ભારત’માં પરિણમ્યું હતું.

જેમાં તેમનો હેતું સામાજિક પરિવર્તન આણતા વિચારોનો પ્રચાર-પ્રસાર કરવાનો હતો. ગુજરાતનાં બહુજન સાહિત્યકારો પોતાની કલમ ને કલાના જોરે વિચારધારાનાં પ્રચાર-પ્રસારનાં માર્ગે નવો જ ચીલો પાડી રહ્યાં છે.

આ લેખના લેખક મયુર વાઢેર

Loading

The post ગુજરાતી લોક-સાહિત્યમાં આંબેડકરી વિચારધારાનું સંયોજન appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/synthesis-of-ambedkarite-ideology-in-gujarati-folk-literature-rni-dr/7521/feed/ 0 7521
કોલંબિયા યુનિવર્સિટીમાં ડૉ.આંબેડકર અને જૉન ડેવી પર યોજાયો પરિસંવાદ http://revoltnewsindia.com/symposium-on-dr-ambedkar-and-john-dewey-was-held-at-columbia-university-rni-dr/7502/ http://revoltnewsindia.com/symposium-on-dr-ambedkar-and-john-dewey-was-held-at-columbia-university-rni-dr/7502/#respond Wed, 12 Apr 2023 17:44:40 +0000 http://revoltnewsindia.com/?p=7502 અમેરિકાની વિશ્વ વિખ્યાત કોલંબિયા યુનિવર્સિટી સાથે સંલગ્ન ટીચર્સ કોલેજમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર અને જ્હોન ડેવી પર આંતરરાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કર્યું હતું

The post કોલંબિયા યુનિવર્સિટીમાં ડૉ.આંબેડકર અને જૉન ડેવી પર યોજાયો પરિસંવાદ appeared first on REVOLT NEWS INDIA.

]]>
અહેવાલ: મયુર વાઢેર દ્વારા…

અમેરિકાની વિશ્વ વિખ્યાત કોલંબિયા યુનિવર્સિટી સાથે સંલગ્ન ટીચર્સ કોલેજમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર અને જ્હોન ડેવી પર આંતરરાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કર્યું હતું, જેમાં શિક્ષણમાં જાતિ-આધારિત ભેદભાવના મુદ્દા પર પેનલ ચર્ચાનું આયોજન થયું હતું.

યુનેસ્કોના અધ્યક્ષ પ્રોફેસર ગીતા સ્ટેનર-ખામસી દ્વારા પેનલ ચર્ચાનું સંચાલન કરવામાં આવ્યું

આયોજિત પ્રસ્તુત પરિસંવાદમાં અમેરિકાની ટેક્સાસ યુનિવર્સિટીનાં એસોસિયેટ પ્રોફેસર ડૉ. સ્કોટ આર. સ્ટ્રાઉડની અધ્યક્ષતામાં શિક્ષણ અંગે એક પેનલ ચર્ચા પણ યોજાઈ હતી. પ્રસ્તુત પેનલ ચર્ચામાં દક્ષિણ એશિયાના વિદ્યાર્થીઓ, વિદ્વાનો અને વિવિધ પૃષ્ઠભૂમિના કર્મશીલોએ ભાગ લીધો હતો. તેમાં તેમણે શિક્ષણ પ્રાપ્ત કરવાના માર્ગમાં જાતિ-આધારિત ભેદભાવને કારણે વણસેલી તેમની દુર્દશા અને પડકારો વ્યક્ત કર્યા હતા.

ડૉ. સ્કોટ આર. સ્ટ્રાઉડે પ્રસ્તુત પરિસંવાદમાં તેમના તાજેતરમાં પ્રગટ પુસ્તક, ‘ઇવોલ્યુશન ઓફ પ્રાગ્મેટિઝમ ઇન ઈન્ડિયાઃ આંબેડકર, ડેવી અને રેટરિક ઓફ રિકન્સ્ટ્રક્શન‘નું લોકાર્પણ કર્યું હતું. તેમાં લેખક ડૉ. સ્કોટે ડૉ. આંબેડકર અને તેમના કોલંબિયાનાં પ્રોફેસર ડૉ. ડેવી વચ્ચેના બૌદ્ધિક સંવાદો વિશે વાત કરી હતી. તેમણે નાગરિક અધિકારો અને ભારતમાં દલિતોના સામાજિક ન્યાયની ચળવળની શોધમાં ડૉ. આંબેડકર પર ડૉ. ડેવીના પ્રભાવને પણ ઉજગર કર્યો હતો.

ડૉ. સ્કોટ આર. સ્ટ્રાઉડે ભારતમાં વ્યવહારવાદના ઇતિહાસ અને વિકાસને સમજવા માટે ડૉ. આંબેડકર જેવી બૌદ્ધિક વ્યક્તિઓને અમેરિકના શિક્ષણતંત્રમાં લાવવાની લાગણી વ્યક્ત કરી હતી. તેમનાં બૌધ્ધિક સંબોધન પછી પેનલ ચર્ચા શરૂ થઈ હતી. પેનલ ચર્ચામાં શિક્ષક-વિદ્યાર્થી સંબંધો અને સામાજિક અને આર્થિક રીતે દબાયેલા સમાજના ઉત્થાનમાં શિક્ષણની ભૂમિકા વિશે ચર્ચા કરી હતી.

ચર્ચા માટે ત્રણ પેનલિસ્ટ હતા: વિકાસ ટાટાડ, વિદ્યાર્થી સેનેટર અને યુનિવર્સિટીની નીતિ-નિયમ સમિતિના અધ્યક્ષ, મોનાલિસા બર્મન, SIPAની વિદ્યાર્થી અને ઉત્તર-પૂર્વ ભારતના માનવ અધિકાર કાર્યકર્તા અને ડૉ. બિષ્ણુ પેરિયાર, એક દલિત નેપાળી-અમેરિકન વિદ્વાન. ટીચર્સ કોલેજમાં તુલનાત્મક શિક્ષણ નીતિમાં યુનેસ્કોના અધ્યક્ષ પ્રોફેસર ગીતા સ્ટેનર-ખામસી દ્વારા પેનલ ચર્ચાનું સંચાલન કરવામાં આવ્યું હતું.

ફાઇલ ફોટો: પ્રો. જ્હોન ડેવી

પેનલિસ્ટે યુએસએની યુનિવર્સિટીઓમાં દક્ષિણ-એશિયાના સામાજિક રીતે હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોના પડકારો અને મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો, વિકાસ ટાટાડે દલિત સમુદાયોના પર્યાપ્ત પ્રતિનિધિત્વની ગેરહાજરી પર પ્રકાશ પાડી અને દલિતોને ઉચ્ચ શિક્ષણમાં સામેલ કરવા માટે રોડમેપની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

તેમણે પ્રથમ પેઢીના સ્નાતક વિદ્યાર્થી તરીકેની તેમની અંગત સફર તેમજ સિમ્બોલ ઓફ નોલેજ તરીકે વિખ્યાત ડૉ. આંબેડકરની ભૂમિકા પણ વર્ણવી હતી. ડૉ. પરિયારે નેપાળમાં દલિત હોવાને લીધે જાતિ આધારિત ભેદભાવનો સામનો કરી રહેલા તેમના કડવા અનુભવો શેર કર્યા હતા. તેણીએ સમાજમાં નિમ્ન જાતિના સમુદાયો સાથે અસ્પૃશ્યતાની પ્રથાને પ્રકાશિત કરી. અંતે, તેણીએ સામાજિક ગતિશીલતા માટે શિક્ષણના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. એક પેનલિસ્ટ તરીકે, મોનાલિસાએ ભારતીય સમાજમાં વંશીય ખામીઓ પર પ્રકાશ પાડ્યો અને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરતી વખતે તેના સંઘર્ષને અભિવ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો…

ભારત અને નેપાળ જેવા દક્ષિણ એશિયાના દેશોના દલિતો અને આદિવાસીઓ જેવા દલિત સમુદાયોના બૌદ્ધિકોના અવાજને સમાવી લેવામાં આવ્યો હોય તે આ યુનિવર્સિટીનો પ્રથમ પ્રયાસ હતો.

ટીચર્સ કોલેજના વિદ્યાર્થીઓ, સ્ટાફ અને ફેકલ્ટીઓ અને દેશભરની અન્ય યુનિવર્સિટીઓ અને સંસ્થાઓના વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં રૂબરૂ હાજરી આપી હતી. ઇવેન્ટનું આયોજન હાઇબ્રિડ ફોર્મેટમાં કરવામાં આવ્યું હોવાથી, પેનલ ચર્ચામાં વર્ચ્યુઅલ રીતે ભાગ લેવા માટે વિશ્વભરમાં 3000થી વધુ નોંધણીઓ થઈ હતી.

પ્રસ્તુત અંગ્રેજી અહેવાલનો ગુજરાતી અનુવાદ યુવા લેખક મયુર વાઢેરે કર્યો છે.

Loading

The post કોલંબિયા યુનિવર્સિટીમાં ડૉ.આંબેડકર અને જૉન ડેવી પર યોજાયો પરિસંવાદ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/symposium-on-dr-ambedkar-and-john-dewey-was-held-at-columbia-university-rni-dr/7502/feed/ 0 7502
મહાડ આંદોલન: માનવઅધિકારોની સંઘર્ષગાથાનો ઈતિહાસ http://revoltnewsindia.com/the-mahad-movement-a-history-of-the-human-rights-struggle-rni-dr/7447/ http://revoltnewsindia.com/the-mahad-movement-a-history-of-the-human-rights-struggle-rni-dr/7447/#respond Mon, 20 Mar 2023 05:57:58 +0000 http://revoltnewsindia.com/?p=7447 20મી માર્ચની બપોરે હજારો દલિતો તળાવ પાસે હારબંધ ગોઠવાઈ ગયા. ડૉ. આંબેડકરની આગેવાની હેઠળ સૈંકડો દલિતો હજારો વર્ષોથી છીનવાયેલા પોતાના માનવ અધિકારો માટે બંડ પોકરવા માટે તૈયાર હતા. સૌપ્રથમ ડૉ. આંબેડકરે ચવદાર તળાવનું પાણી પીધું. ત્યાર પછી બધા જ લોકોએ પાણી પીને અસમાનતા પર આધારિત હિંદુ સામાજિક વ્યવસ્થા પર લૂણો લગાવી દીધો.

The post મહાડ આંદોલન: માનવઅધિકારોની સંઘર્ષગાથાનો ઈતિહાસ appeared first on REVOLT NEWS INDIA.

]]>

ઉંચ-નીચની સમાજ-વ્યવસ્થાના પાપે દલિતોએ પાણી માટે પણ વલખવું પડ્યું છે

દેશના દલિતોને તેમના માનવીય અધિકારો ભીખમાં નથી મળ્યાં

હિંદુ સામાજિક વ્યવસ્થાનાં છેક નિમ્નત્તર છેડે આયખુ ભોગવતા, યુગોથી ઘોર શોષણ અને અવહેલનાનો ભોગ બનેલા વર્ગના વલખા મુખ્યધારાનાં ઈતિહાસનાં ચોપડે નોંધાયા નથી. ભારતમાં દલિતજીવનમાં ઘુંટાતા દુ:ખ-દર્દોની સદાય ઉપેક્ષા થતી રહી. આજે બહુજનોમાં તીવ્ર ગતિથી વધતી સામાજિક જાગૃતી બાબાસાહેબ ડૉ. આંબેડકરે માનવ અધિકારો માટે કરેલા સંઘર્ષની ફલશ્રૃતિ છે. બહુજનોની સામાજિક, રાજકીય કે સાંકૃતિક ક્ષેત્રમાં વધતી જાગૃતિએ હિંદુ ધર્મની વર્ણ-વ્યવસ્થા સામે હજારો પ્રશ્નોનાં ખડકલા કરી દીધા છે.

હિંદુ સમાજ જે વર્ણ-વ્યવસ્થાને ઝૂંકી-ઝૂકીને વંદન કરે છે તેને બહુજનોએ તેના વિમર્શમાં પગની જૂતીએ કચડી નાખી છે. કારણ કે તેણે જ જન્મ આધારિત વર્ણાશ્રમ પ્રથાએ હજારો વર્ષોથી અસમાનતા, અન્યાય અને અત્યાચારોની વણજારનો વણથંભ્યો ઈતિહાસ દલિતોનાં લમણે લખી નાખ્યો હતો.

દલિતોની વર્ણાશ્રમ પ્રથા વિરોધી ચેતના ડૉ. આંબેડકરનાં બૌદ્ધિક સંઘર્ષની પરિણીતી છે. તે હકીકતને વીસમી સદીનાં હિંદુ હ્રદય સમ્રાટ મોનહનદાસ ગાંધી પણ બદલી શક્યા ન હતા અને એકવીસમી સદીના હિંદુ હ્રદય સમ્રાટ મોહન ભાગવત પણ પડકારી શકે તેમ નથી.

symbolic image

સામાન્ય રીતે અર્વાચીન દલિત આંદોલનના ઈતિહાસને સમજવા માટે ડૉ. આંબેડકરનાં સંઘર્ષને દલિત આંદોલનનું કેન્દ્ર માનીએ તો તેને ત્રણ તબક્કામા વહેંચી શકાય. જો કે દલિત આંદોલનો ઈતિહાસ તો સળંગ હોય. પણ દલિત આંદોલનને સમજવા માટે અભ્યાસનું સરળીકરણ કરવાના આશયથી તેને ત્રણ તબક્કામાં વહેંચી શકાય. એક તબક્કો આંબેડકરનાં આંદોલન પૂર્વેનો, બીજો તબક્કો ડૉ. આંબેડકરના નેતૃત્વમાં થયેલા આંદોલનનો અને ત્રીજો તબક્કો ડૉ. આંબેડકરનાં પરિનિર્વાણ પછીનો તબક્કો.

આ લેખ પણ વાંચો

દલિત આંદોલનનો પ્રથમ તબક્કો ઈ.સ. 1920ના ગાળામાં અસ્ત થઈ ગયો હતો. જેમાં મહાત્મા જ્યોતિબા ફૂલે, કિસન ફૂગૂજી વનસોડે, ગોપાલબાબા વાલંકરથી માંડીને સ્વામી અછૂતાનંદ સુધીનાં અનેક સામાજિક સંઘર્ષનાં નાયકોનો સમાવેશ થાય છે. દલિત આંદોલનના પ્રથમ તબક્કાનાં નાયકોએ સમાજ સુધારને પ્રાથમિકતા આપી હતી. તેમણે દલિતોમાં વ્યાપ્ત અસ્વચ્છ વ્યવસાયો, અંધશ્રદ્ધા, વ્યસનોનો પરિત્યાગ કરી શિક્ષણ પ્રાપ્ત કરવા પર ભાર મૂક્યો હતો.

દલિત આંદોલનનાં બીજા તબક્કામાં ડૉ. બાબાસાહેબ આંબેડકરનાં સંઘર્ષકાળમાં ચાલતા આંદોલનનો સમાવેશ થાય છે. જે તેમના પરિનિર્વાણ સુધી ચાલ્યું. જેમાં દલિત આંદોલનની ગતી તીવ્ર અને ઝંઝાવાતી રહી. આ ગાળાનાં દલિત આંદોલનની વિકાસયાત્રા વિશ્વ કક્ષાના અભ્યાસુઓ, વિદ્વાનો, સંશોધકો ને નાગરિક અધિકાર કાર્યકર્તાઓ માટે આકર્ષણનું કેન્દ્ર બની છે. જેમા ડૉ. આંબેડકરે દેશના દલિત-બહુજનોના સમાન માનવીય અધિકારો માટે કરેલા સંઘર્ષોની શૃંખલાનો સમાવેશ થાય છે. તેમા માત્ર સામાજિક સુધાર જ નહી પણ રાજકીય અને આર્થિક પરિવર્તન પર પણ ભાર મૂકાયો હતો.

symbolic image

દલિત આંદોલનો ત્રીજો તબક્કો ડૉ. આંબેડકરના સંઘર્ષની બદૌલત પ્રાપ્ત કરેલા બંધારણીય અધિકારોની છત્રછાયા હેઠળ ચાલ્યો. જે ડૉ. આંબેડકરના મહાપરિનિર્વાણથી લઈને આજ પર્યત ચાલુ છે. જેણે દલિત આંદોલનને બહુજન આંદોલનમાં પલટાવી દીધું છે. જેના મહાનાયક છે માન્યવર કાંશીરામ સાહેબ. દલિત આંદોલનના ત્રણે તબક્કા પૈકી ડૉ. આંબેડકરની હયાતીમાં ચાલેલા દલિત આંદોલનના બીજા તબક્કાએ દલિત આંદોલનના ત્રીજા તબક્કાને ભારે પીઠબળ આપ્યું છે.

દલિત આંદોલનનો બીજો તબક્કો દેશ અને દુનિયાનાં કોઈપણ ખૂણે ચાલતા નાગરીક અધિકારો માટે પ્રેરણારૂપ છે. ડૉ. આંબડકરનું બૌદ્ધિકબળ અને તેમની અડગ પ્રતિબદ્ધતા દલિત આંદોલનનો પ્રાણ છે. અમેરિકાની કોલંબિયા યુનિવર્સિટીમાંથી એમ.એ. અને પીએચ.ડી.નો અભ્યાસ પૂર્ણ કરીને બ્રિટનની લંડન સ્કૂલ ઓફ ઈકોનોમિક્સ એન્ડ પોલિટિકલ સાયન્સમાં એમએસ.સીની પદવી પ્રાપ્ત કરવા માટે પ્રવેશ લીધો હતો.

આ લેખ પણ વાંચો

પણ તેમની શિષ્યવૃત્તિની અવધિ પૂરી થઈ જવાને લીધે તેમણે ભારત પરત ફરવાની ફરજ પડી. વિદેશમાં વિદ્યાર્થી આંબેડકર સ્વદેશમાં માનવીય અધિકારોવિહિન જીવતા પોતાનાં લાખો શોષિત-પીડિત ભાઈ-ભાડુંડાંઓની મુક્તિનો માર્ગ શોધવાની મથામણમાં હતા.

ડૉ. આંબેડકર ભારત પરત ફરીને સામાજિક ન્યાયના સંઘર્ષને ગતિમય બનાવીને તેમનો મુક્તિસંગ્રામ લડવા માટે તૈયાર થઈ ગયા હતા. તેમણે ઈ.સ. 1919માં સાઉથબરો સમિતિ સમક્ષ હાજર રહીને દલિતોના રાજકીય અધિકારોની માગ કરી હતી. દલિતોમાં સામાજિક ઉત્થાનની ચેતના જાગૃત કરવા માટે તેમણે ઈ.સ.1920માં ‘મૂકનાયક’ નામનું માસિક શરૂ કર્યું હતું. તે દરમિયાન મહારાષ્ટ્રમાં અનેક દલિત વર્ગોની અનેક સભાઓ કરીને દલિતોમાં માનવ અધિકારોની ભૂખ જગાડવાના પ્રયાસો કર્યો હતા.

ત્યાર પછી થોડો સમય તેમનો અધૂરો અભ્યાસ પૂર્ણ કરવા માટે વિદેશની વાટ પકડી હતી. જ્યાં તેમણે એમએસ.સી, બાર એટ લૉ અને ડીએસ.સી. પૂર્ણ કર્યું હતું. જેમા તેમનું આર્થિક દર્શન વિશ્વ ફલક પર પોંખાયું હતું. ત્યાર બાદ, તેમણે ઈ.સ. 1924માં દલિતોના કાળજાફાંટ અન્યાય, અત્યાચાર અને દલનને દૂર કરીને તેમના નાગરીક અધિકારોને સુનિશ્વિત કરવા માટે ‘બહિષ્કૃત હિતકારિણી સભા’ નામની સંસ્થાનો પાયો નાંખ્યો હતો. તેમની આ સંસ્થાના નેતૃત્વમાં દલિતો માટે શિક્ષણનો વ્યાપ વિસ્તારવાનો, તેમના નાગરીક અધિકારો પ્રાપ્ત કરવાનો અને રાજકીય અધિકારો સુનિશ્વિત કરવાનાં અનેક આંદોલનો કર્યાં હતા.

symbolic image

ઈ.સ. 1927નો મહાડ તળાવ સત્યાગ્રહ પણ તેમનાં આ જ આંદોલનોની શૃંખલાનો મહત્વપૂર્ણ સંઘર્ષ હતો.

હિંદુ સામાજિક કોટિક્રમિક વ્યવસ્થાના પાપે જણેલી આભડછેટ હજારો વર્ષોથી હિંદુઓના હાડ-માસમાં વણાઈ ગઈ હતી. તેને પરિણામે દલિતોને જાહેર માર્ગ પર ચાલવાનો, સારૂ રહેઠાણ બનાવીને રહેવાનો કે જાહેર તળાવ કે કૂવામાંથી પાણી પણ લેવાનો અધિકાર ન હતો. જાહેર તળાવ કે કૂવાઓ દલિતોના સ્પર્શ માત્રથી અપવિત્ર થઈ જવાની ભાવના હિંદુઓની મસ્તિસ્કમાં જડાઈ ગઈ હતી.

હિંદુઓનાં જે તળાવમાં પશુઓ પાણી પી શકતા પણ એક જેવા હાડ-માસ-ચામના બનેલા માણસ જેવા માણસ પાણી સ્પર્શી ન શકતા. 4 ઓગષ્ટ, 1923ના રોજ મુંબઈ વિધાન પરિષદના સભ્ય રાવ બહાદૂર એસ.કે.બોલેએ વિધાનગૃહમાં એક ખરડો પસાર કર્યો હતો. તે મુજબ જાહેર સ્થળોમાં દલિત વર્ગો સાથે કરવામાં આવતા ભેદભાવ પર પ્રતિબંધ લગાડવામાં આવ્યો હતો. અર્થાંત, જાહેર કૂવા કે તળાવમાં દલિત વર્ગોનો પણ સમાન અધિકાર રહે તેવો ખરડો પસાર થયો હતો.

બહુમતીથી પસાર થયેલા પ્રસ્તુત ખરડાને 19 સપ્ટેમ્બર, 1923માં કાયદાનું સ્વરૂપ મળ્યું હતું. પણ તે માત્ર કાગળ પર જ હતો. કોઈ તેનો અમલ કરવાની હિંમત કરી શકતું ન હતું. તેથી રાવ બહાદૂર એસ.કે. બોલેએ ત્રણ વર્ષ પછી એવો ઠરાવ પસાર કરાવ્યો કે જે નગરપાલિકા પ્રસ્તુત ખરડાનો અમલ ન કરાવે તેની સરકારી સહાય પર કામ મૂકવામાં આવે.

મહાડ નગરપાલિકાએ તેના અધિકારક્ષેત્રમાં આવતા ચવદાર તળાવ દલિતો માટે ખુલ્લુ મૂકવા માટે પ્રસ્તાવ પસાર કર્યો હતો. પણ હિંદુઓના ભયથી અસ્પૃશ્યો તેમના નાગરીક અધિકાર ભોગવવાની હિંમત કરી શકતા ન હતા. ડૉ. આંબેડકર બહિષ્કૃત હિતકારિણી સભાની સ્થાપના પછી તેમની ચળવળને વેગ આપવા માટે કોઈ યોગ્ય મુદ્દાની શોધમાં હતા.

symbolic image

તે સમયે કોંકણ પ્રદેશનાં મહાડ તાલુકાનાં અસ્પૃશ્યોની એક સભાની અધ્યક્ષતા કરવા માટે ડૉ. આંબેડકર સમક્ષ વિનંતી આવી. આર.બી. મોરે, સુરેન્દ્ર નાથ, સુરબા ટિપણીસ, વિશ્રામ ગંગારામ સવાદકર, શિવરામા જાદવ, અનંતરાવ ચિત્રે સહિત અનેક કર્મશીલોએ મહાડનાં ચવદાર તળાવનું પાણીનો ઉપયોગ કરીને દલિતોના નાગરીક અધિકારોનો ઉપયોગ કરવાનું નક્કી થયું. તે અંતર્ગત 19-20 માર્ચ, 1927માં એક સભાનું આયોજન થયું. તેમાં ડૉ. આંબેડકરને અધ્યક્ષતા કરવાની હતી. તે સભા માત્ર ભારત જ નહી પણ વિશ્વનાં માનવ અધિકારોનાં સંઘર્ષની સાક્ષી બનવાની હતી.

પ્રસ્તુત સભાને સફળ બનાવવા માટે પ્રદેશનાં અનેક ગામડાઓમાંથી દસ હજાર લોકો ઉપસ્થિત થયા હતા. ડૉ. આંબેડકરે તેમના ધારદાર ભાષણમાં યુગોથી પ્રવર્તતા બ્રાહ્મણવાદ સામે વિદ્રોહ કરીને ગુલામીમાંથી મુક્ત થવા માટે આહવાન કર્યું હતું. તેમણે કહ્યું કે “તમે અસ્પૃશ્ય છો એવી માનસિકતામાંથી મુક્ત થઈ જાઓ. ” તેમણે તેમનાં ભાષણમાં આગળ કહ્યું કે, “શું આપણે અહીં પાણી પીવા આવ્યાં છીએ? શું આપણે તરસ્યા છીએ એટલે અહીં આવ્યા છીએ? ના, આપણે માણસ તરીકે આપણો અધિકાર ભોગવવા અહીં આવ્યા છીએ.” ડૉ. આંબેડકરનાં ભાષણ પછી સૌએ મહાડ તળાવનું પાણી પીવાનું નક્કી કર્યુ.

20મી માર્ચની બપોરે હજારો દલિતો તળાવ પાસે હારબંધ ગોઠવાઈ ગયા. ડૉ. આંબેડકરની આગેવાની હેઠળ સૈંકડો દલિતો હજારો વર્ષોથી છીનવાયેલા પોતાના માનવ અધિકારો માટે બંડ પોકરવા માટે તૈયાર હતા. સૌપ્રથમ ડૉ. આંબેડકરે ચવદાર તળાવનું પાણી પીધું. ત્યાર પછી બધા જ લોકોએ પાણી પીને અસમાનતા પર આધારિત હિંદુ સામાજિક વ્યવસ્થા પર લૂણો લગાવી દીધો.

આ દેશમાં હિંદુઓની ઉંચ-નીચની સમાજ-વ્યવસ્થાના પાપે દલિતોએ પાણી માટે પણ વલખવું પડ્યું છે, આંદોલિત થવું પડ્યું છે. તે નગ્ન ને શરમજનક હકીકત છે. દલિતોએ ચવદાર તળાવનું પાણી પીધુ તે વાત ઝડપથી મહાડ તાલુકામાં ફેલાઈ ગઈ. ‘દલિતો ચવદાર તળાવનું પાણી પીને હવે, વિરેન્દ્ર મંદીરમાં પ્રવેશ કરવાના છે.’ તેવી અફવા પણ ફેલાઈ ગઈ હતી.

તેથી સવર્ણ હિંદુઓના યુવાનોના કાફલાએ નિર્દોષ દલિતો પર હુમલો કરી દીધો. સવર્ણ હિંદુઓના રોષે ભરાયેલા યુવાનો સ્ત્રીઓ અને બાળકો પર પણ તૂટી પડ્યા હતા. મહાડની બજારોમાં દલિતો જોવા મળે તો તેના પર પણ હુમલા થયા હતા.

symbolic image

કેટલાક દલિતોએ મુસ્લિમોના ઘરનો આશ્રય લઈને જીવ બચાવ્યો હતો. ઘાયલ દલિતોને દવાખાને લઈ જવામાં આવ્યાં હતા. સવર્ણ ડોક્ટરોએ ‘પાણી પીવું છે ને, લો પાણી.’ એવા અનેક કટાક્ષ કરીને ઘાયલ દલિતોને સારવાર આપી. ડૉ. આંબેડકર આ સત્યાગ્રહને અહિંસક જ રાખવા માગતા હતા. તેથી હજારો દલિતોએ સવર્ણ હિંદુ યુવાનો પર વળતો પ્રહાર કર્યો ન હતો.નહી તો, સવર્ણ હિંદુ યુવાનો શોધ્યા ન મળ્યા હોત.

તે વખતના અખબારોએ દલિતો વિરોધી વાતાવરણ ઊભુ કર્યું હતું. તે પ્રદેશના અખબારોમાં ડૉ. આંબેડકરના વિદ્રોહી મીજાજની વિરોધમાં અહેવાલો છપાવા લાગ્યા હતા. ચવદાર તળાવની ઘટના પછીના દિવસે મહાડના સવર્ણ હિંદુઓએ દલિતોના સ્પર્શથી ‘અપવિત્ર’ થયેલા ચવદાર તળાવનું શુદ્ધિકરણ કરવાની વિધી કરી હતી.

આ લેખ પણ વાંચો

આ ઘટના પછી મહાડના સવર્ણ હિંદુઓએ કોર્ટમાં દરખાસ્ત કરી કે ચવદાર તળાવ હકીકતે ચૌધરી તળાવ છે, જે ખાનગી મિલકત છે, જાહેર મિલકત નથી. કોર્ટે તેની દલીલ માન્ય રાખીને ચૂકાદાની તારીખ અનામત રાખી હતી. અસ્પૃશ્યોના સમાન નાગરીક અધિકારો માટેના સંઘર્ષનો અંત આવ્યો ન હતો. પણ તે સંઘર્ષ છેક 25મી ડિસેમ્બર, 1927ના મનુસ્મૃતિ દહનના કાર્યક્રમ સુધી વિસ્તર્યો હતો.

જેમાં ડૉ. આંબેડકરે દેશને હજારો જાતિઓમાં વિભાજીત કરી દેનારી વ્યવસ્થાનું સૂત્રીકરણ કરનારા મનુસ્મૃતિ નામના ગ્રંથને જાહેરમાં આગ ચાંપી દીધી હતી. મહાડ તળાવ સત્યાગ્રહ ડૉ. આંબેડકરના સંઘર્ષમાં સિમાચિહ્નરૂપ સ્થાન ધરાવે છે.

દેશના દલિતોને તેમના માનવીય અધિકારો ભીખમાં નથી મળ્યાં. તેના માટે તેમણે મોટી કિંમત ચૂકવવી પડી છે. આજે ડૉ. આંબેડકરે બંધારણમાં આમેજ કરેલા અધિકારોની બદૌલત બે પાંદડે થયેલા દલિતો છાતી ફૂલાવીને ડંફાસ મારતા હોય છે કે “અમારા સવર્ણ મિત્રો તો તેમના ઘરમાં અમને ચા-પાણી પીવડાવે છે.” તેને પોતાની સિદ્ધિ માનતા હોય છે. તેમને સવર્ણોના ઘરે સન્માનપૂર્વક પાણી પીવા મળે તે માટે સેંકડો દલિતોએ પોતાની પીઠ પર સવર્ણોની લાઠીઓ ખાધી છે. સંઘર્ષનો તે ઈતિહાસ તેમને યાદ નથી હોતો.

Note: આ વેબસાઇટ પર પબ્લીશ થતાં લેખ લેખકના અંગત વિચાર હોય છે.

Loading

The post મહાડ આંદોલન: માનવઅધિકારોની સંઘર્ષગાથાનો ઈતિહાસ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/the-mahad-movement-a-history-of-the-human-rights-struggle-rni-dr/7447/feed/ 0 7447
World Suicide Prevention Day: આપઘાત કરે કોઈ ને સજા ભોગવે બીજા! એટલે શું? વાંચો આપઘાતની બાબત અંગેનો કાયદાકીય વિશેષ લેખ http://revoltnewsindia.com/legal-special-article-on-subject-of-suicide-by-retd-additional-district-judge-kb-rathod/7354/ Sun, 11 Sep 2022 05:41:53 +0000 http://revoltnewsindia.com/?p=7354 World Suicide Prevention Day: આપણા દેશના કાનૂન ઈન્ડિયન પીનલ કોડ (THE INDIAN PENAL CODE)ની કલમ 306માં કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિને આપઘાત કરવામાં મદદગારી, દુષ્પ્રેરણ કે ઉશ્કેરણી કરી મજબુર કરી ફરજ પાડે તેના લીધે જે તે વ્યક્તિ આપઘાત કરી લે તો આવી મદદગારી, દુષ્પ્રેરણ કે ઉશ્કેરણી કરનાર ગુનેગારને દસ વરસ સુધીની જેલની સજાની જોગવાઈ છે. તે જ રીતે કોઈ વ્યક્તિ આપઘાત કરવાની કોશિશ કરે અને બચી જાય તો આવી આપઘાત કરવાની કોશિશ કરનાર પણ ઈન્ડિયન પીનલ કોડની કલમ 309 મુજબ ગુનેગાર ગણાય છે.

The post World Suicide Prevention Day: આપઘાત કરે કોઈ ને સજા ભોગવે બીજા! એટલે શું? વાંચો આપઘાતની બાબત અંગેનો કાયદાકીય વિશેષ લેખ appeared first on REVOLT NEWS INDIA.

]]>

World Suicide Prevention Day: વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ -10 સપ્ટેમ્બર, આપઘાતની બાબત કાનૂન વિશે વિશેષ લેખ. આપણા દેશના કાનૂન ઈન્ડિયન પીનલ કોડ (THE INDIAN PENAL CODE)ની કલમ 306માં કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિને આપઘાત કરવામાં મદદગારી, દુષ્પ્રેરણ કે ઉશ્કેરણી કરી મજબુર કરી ફરજ પાડે તેના લીધે જે તે વ્યક્તિ આપઘાત કરી લે તો આવી મદદગારી, દુષ્પ્રેરણ કે ઉશ્કેરણી કરનાર ગુનેગારને દસ વરસ સુધીની જેલની સજાની જોગવાઈ છે. તે જ રીતે કોઈ વ્યક્તિ આપઘાત કરવાની કોશિશ કરે અને બચી જાય તો આવી આપઘાત કરવાની કોશિશ કરનાર પણ ઈન્ડિયન પીનલ કોડની કલમ 309 મુજબ ગુનેગાર ગણાય છે. અને તેને એક વરસ સુધીની જેલની સજા અને અથવા દંડ પણ થઈ શકે છે.

સામાન્ય રીતે પ્રજાજનોને આ આપઘાતમાં મદદગારીના ગુના વિષે જાણકારી ન હોય તેવું બને

જીવન અમૂલ્ય છે. માનવીના જીવનનો અંત તેનાં મૃત્યુથી આવે છે. મૃત્યુ કુદરતી હોય શકે અને અકુદરતી પણ થઈ શકે. કુદરતી મૃત્યુની સૌને ખબર પડે. અકુદરતી મોત અકસ્માતથી, ઝેરી જાનવર કરડવાથી, વીજળીના કરંટથી, કુદરતી આફત (Natural calamity)થી, મનુષ્ય વધ કે ખુનથી કસમય મરણ નિપજે તે અકુદરતી મૃત્યુ કહેવાય.

વાત લખવાની છે તે આત્મહત્યાથી નિપજતા મોત બદલ થતા ગુનાહિત અપરાધની છે. આત્મહત્યાના મદદગારીના બનાવમાં મદદગારી, દુષ્પ્રેરણ, ઉશ્કેરણી, અથવા ચઢવણીના તત્વોના અર્થ સમજવાની વાત છે. અર્થાત જે વ્યક્તિ આપઘાત કરે છે, તેને ઉશ્કેરણી, ચઢમણી કે દુષ્પ્રેરણ દ્વારા અમુક એવા સંજોગો કે પરિસ્થિતિમાં મુકી દેવામાં આવે કે તેને યાતના કે ત્રાસના કારણે આપઘાત કરવા સિવાય છૂટકો જ નહી હોવાથી આપઘાત કરી બેસે. તો આવી મદદગારી માટે જવાબદાર વ્યક્તિ આ ગુના માટે ગુનેગાર ઠરે છે.

ક્યારેક કોઈ વ્યક્તિ અચાનક આવેગ, આક્રોશ, નિરાશા, હતાશા કે ક્રોધના લીધે આપઘાત કરી બેસે તો તેના લીધે બીજા કોઈને જવાબદાર કહી શકાય નહીં

આપઘાતમાં મદદગારી કરનારાનું ગુનાહિત માનસ (mens rea)નું માનસિક તત્ત્વ હોવુ જરૂરી છે. ગુનેગારનો ઈરાદો મહત્ત્વનો છે. આપણા દેશમાં સામાન્ય રીતે વિવાહિત મહિલાઓના આપઘાતના કિસ્સાઓ સૌથી વધુ બને છે તેના કારણોથી સૌ કોઈ વાકેફ છે. ઉપરાંત વ્યાજ વટાવના ચક્કરમાં ફસાયેલા દેવાદાર, અમુક નોકરી કરનારા તેઓના માલિક, બોસ કે શેઠના ત્રાસથી અને બીજા લોકોના જુદા-જુદા કારણોસરના ત્રાસથી આપઘાતના બનાવોના ગુનાઓ બનતા હોય છે. અમુક તો સામુહિક આપઘાતના બનાવો પણ બને છે. ક્યારેક વહીવટી તંત્રના વલણ સામે, અત્યાચારો સામે કે અન્યાય સામે સંબંધિત કચેરી ખાતે આત્મવિલોપનના બનાવો બને ફરિયાદો થાય.

પરિણિત યુવતીઓના આપઘાતના કિસ્સાઓમાં અને ઉપર જણાવ્યું તેવા બીજાં આપઘાતના કેસોમાં સર્વોચ્ચ અદાલતે અને વિવિધ હાઇકોર્ટોના અનેક ચુકાદાથી અમૂક ગાઇડલાઇન અને માર્ગદર્શક સિદ્ધાંતો પ્રતિપાદિત થયેલ છે. જેને નીચેના કોર્ટોએ લાગું પડે ત્યાં અનુસરીને ચુકાદાઓમાં લાગુ પાડે. કોર્ટો સમક્ષ રોજબરોજ આવા કેસો ચલાવવામાં આવે તેમાં જે તે કેસની હકીકતો, પુરાવાઓ અને સંજોગોને ધ્યાનમાં લઈ ચુકાદા આવતા હોય છે.

લગભગ મોટા ભાગના કિસ્સાઓમાં પરિણિત સ્ત્રીઓના આપઘાતના કિસ્સામાં પતિ કે સાસરિયા પક્ષના કોઈ સામાન્ય ઝઘડા, બોલચાલ, મારપીટ કે ત્રાસના લીધે આવેશમાં આવી જઈ આપઘાત કરી બેસે તેમાં ગુનાહિત માનસનું કોઈ એવું તત્ત્વ હોતું નથી કે પતિ કે તેના ઘરના એવું ઈચ્છતા હોતા નથી કે તેણી આપઘાત કરી મરી જાય. તો તેવા કિસ્સામાં આ ગુનો ન બને, અલબત્ત તે એક સામાજિક ગુનો તો છે, દૂષણ પણ છે.

કોઈ વ્યક્તિ અંગત, કૌટુંબિક, સામાજીક, આર્થિક, આધ્યાત્મિક કે માનસિક બિમારી જેવા કારણોથી આપઘાત કરે તેમાં બીજા કોઈ વિરુદ્ધ ગુનો ન પણ બને. મનોવૈજ્ઞાનિક કે માનસિક બીમારીના (Schizophrenia) કારણે, માનસિકતા નિર્બળતા વિગેરે કારણોસર આપઘાત કરે તેવું બને. તેમાં પણ જેનાં પર આરોપ હોય તેની જવાબદારી નથી.

લાખો કિસ્સામાં બે પાંચ કિસ્સાની વાત

બ્રિજલાલ vs પ્રેમચંદના કેસમાં આપઘાત કરનાર પત્ની પાસે પતિ દ્વારા સતત પૈસાની માંગણી કરવામાં આવતી રોજીંદી આ વાત, એક દિવસ આ વાતથી ત્રાસીને પત્નીએ કહ્યું કે કાયમી આવા માંગણીના ઝઘડાના કારણે હવે તો હું મરી જાઉં તો સારુ. તે વખતે પતિએ સાંત્વના આપવાના બદલે કહ્યું કે તું મરી જા તો કાલ સુધી રાહ જોવાની જરૂર નથી. ત્યારબાદ પતિ બહાર કામ પર ગયો પાછળ થી પત્નીએ સળગી જઈ આપઘાત કરી લીધો. તે કેસમાં પતિને ગુનેગાર ઠરાવી સજા કરવામાં આવી.

સ્વામી પ્રહલાદ દાસના કેસમાં સર્વોચ્ચ અદાલતે એવું ઠરાવેલ કે પતિએ ઝગડા વખતે એવુ કહ્યું કે ‘તું જા અને મરી જા’ અને પત્નીએ આપઘાત કરી લીધો તે કેસમાં હકીકતો અને સંજોગો પરથી જોતાં પતિએ આપઘાતમાં મદદગારીના હેતુથી ચઢામણી કરી તેમ ન કહી શકાય. પતિને નિર્દોષ જાહેર કરેલ.

ગુજરાતમાં એક કિસ્સો એવો બનેલ કે વીમા કંપનીના એક ઓફિસરે કે જે ખૂબજ પ્રામાણિક હતો. કોઈ કોન્ટ્રાક્ટરનું બિલ પાસ કરવામાં વાંધાજનક આવે તો પાસ ન કરવાના કિસ્સામાં અણબનાવ અને ખટપટના લીધે તે ઓફિસરના ઉપરી અધિકારીઓએ તે પ્રામાણિક ઓફિસર વિરુદ્ધની ફરિયાદોના લીધે ખાતાકીય પગલા લઈ સસ્પેન્ડ કરતાં તે પ્રકરણ લાંબુ ચાલતાં આર્થિક તકલીફ અને ઉપરી અધિકારીઓના ત્રાસના લીધે કંટાળી જઈ પોતે, તેની પત્ની અને બે સંતાનો સહિત બધાએ પોતાના ફ્લેટમાં ઝેરી દવા પીને સામુહિક આપઘાત કરી લીધેલ.

અને Suicide noteમાં ચારેક ઉપરી અધિકારીના અને એક કોન્ટ્રાક્ટરના નામજોગ ત્રાસના લીધે અમે બધાએ આપઘાત કરી લીધેલ છે, તેવુ લખીને તેઓએ આપઘાત કરેલો. આ કેસની ફરિયાદ થવાથી પેલા આરોપીઓને જામીન ખુબ સમય સુધી મળેલાં નહીં. અંતે પોલીસ દ્વારા તે લોકોની વિરૃધ્ધ ચાર્જશીટ થયું. છેવટે આરોપીઓએ સર્વોચ્ચ અદાલતના ખુબજ વિદ્વાન સીનિયર વકિલ ને રોકીને FIR તથા ચાર્જશીટ રદ કરવા ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન કરી.

તે પીટીશનમા આરોપીઓ વિરુધ્ધની FIR અને ચાર્જશીટ રદ કરી આરોપોને છોડી મુકવામાં આવેલ. તે ચૂકાદો એકદમ perfect કારણોસર હતો. તેમાં હાઇકોર્ટે આ ગુનો IPCની એક જોગવાઈ મુજબ અપવાદમાં આવે છે. ઉપરી અધિકારીઓએ તેઓની ફરજના ભાગ રૂપ કોઈ ખાતાકીય પગલાં લીધા હોય તો તે ઓફિસર પોતાનો બચાવ કરી શકતા હતાં.

ઓફિસરોની ફરજ હતી તે ન નિભાવે તો તેની વિરુધ્ધની ઓથોરિટી સામે જવાબદાર ઠરે. આવા ઉપરી અધિકારીઓ તેઓની ફરજના ભાગ રુપ નીચેના કર્મચારી વિરુધ્ધની કોઇ સાચી કે ખોટા ફરીયાદોના કિસ્સામાં કોઇ નિયમ અનુસાર સસ્પેન્ડ કરે કે ખાતાકિય તપાસ કરે તો તેવા કિસ્સામાં અધિકારીઓનો ‘મેન્સ રીયા’ (mens rea)ગુનાહિત ઇરાદો એવો ન કહી શકાય કે જેની વિરુદ્ધ પગલા લીધા તે આપઘાત કરી મરી જાય. આવા કિસ્સા અનેક છે.

ઈન્ડિયન પેનલ કોડમાં કલમ 306 (IPC-306)માં આ ગુનાની સજાની જોગવાઈ લખી છે. દસ વરસની કેદની સજા અને દંડ થઇ શકે.અલબત, આપઘાત એ સામાજિક દૂષણ કે કલંક છે. સમગ્ર માનવ જાત માટે શરમજનક છે. આપઘાત ટાળવા , કોઇ આપઘાત ન કરે તે માટે મોટીવેશનસ સ્પીકરો, સાહિત્ય, આપઘાત ન થાય તે માટે ચિંતકો વિચારકો સાયકોલોજીકલ એક્યપર્ટો, માનસિક રોગોના નિષ્ણાત ડોકટરો સંખ્યાબંધ બુક્સ બહાર પાડે અને અવેરેલસના પ્રોગ્રામો કરે છે. માનવ માત્ર જીવનમાં કોઇપણ આપઘાતનો પ્રયત્ન કરનારનુ જીવન બચાવી લે તો તેનાથી મોટું કોઇ માનવતાનું કામ જ નથી.

IPCની એક કલમ 309 (IPC-309)માં જોગવાઈ એવી છે કે આપઘાતની કોશિષને શિક્ષા પાત્ર ગુનો ગણી તે ગુના બદલ સજા અને દંડની જોગવાઈ છે. કાયદાની વિચિત્રતા તો જુઓ! એક તો જીવનથી કંટાળી જનાર માણસ જો આપઘાત કરવાના પ્રયાસમાં ગમે તે કારણસર સફળ ન થાય કે કોઇ બચાવી લે અને જીવી જાય તો તેના વિરુદ્ધ ગુનો નોંધાય અને કોર્ટમાં જઇ વધુ બદનામ થઈ શિક્ષા પણ ભોગવવાની?

કાયદાની આ જોગવાઈનો હેતુ એ છે કે માનવ જીવન અમૂલ્ય છે તેને તેનો કસમયે અંત લાવી પોતે જાતે મરી જવાની છૂટ નથી. બીજી રીતે જોઈએ તો એક માનવીનુ જીવન સમગ્ર માનવ જાત માટે પણ અમૂલ્ય છે. અને સરકાર અર્થાત રાજ્યની દરેક માનવી તે અમૂલ્ય મિલ્કત છે. કેવું વિચિત્ર કહેવાય આ માનવ જીવન.

Note: આ લેખ નિવૃત્ત એડીશનલ ડીસ્ટ્રીક્ટ જજ કે.બી. રાઠોડ સાહેબની (Retd. Additional District Judge K. B. Rathod) ફેસબુક વોલ પરથી સત્તાવાર પરવાનગી લઈને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે. લેખમાં આપેલી માહિતી સંબંધિત વિગતો માટે સંબંધિત વિભાગના સત્તાવાર સૂત્રોનો સંપર્ક કરશો.

Loading

The post World Suicide Prevention Day: આપઘાત કરે કોઈ ને સજા ભોગવે બીજા! એટલે શું? વાંચો આપઘાતની બાબત અંગેનો કાયદાકીય વિશેષ લેખ appeared first on REVOLT NEWS INDIA.

]]>
7354
Atrocities Act: એટ્રોસિટી એક્ટ મુજબ દાખલ થયેલા કેસમાં ફરિયાદી માટે સમાધાન કરવું કેટલું જોખમી છે! http://revoltnewsindia.com/sc-st-atrocities-act-how-dangerous-for-the-prosecutor-to-compromise-rni-dr/7342/ http://revoltnewsindia.com/sc-st-atrocities-act-how-dangerous-for-the-prosecutor-to-compromise-rni-dr/7342/#respond Mon, 22 Aug 2022 18:24:27 +0000 http://revoltnewsindia.com/?p=7342 SC ST Atrocities Act આ કાયદામાં એવું છે કે આ કાયદા નીચે આચરવામાં આવેલ ગુનાઓમાં સમાધાન થઈ શકતું નથી એટલે કે નોન-કમ્પાઉન્ડેબલ છે. એટલે કે પોલીસ અથવા ટ્રાયલના તપાસ અધિકારી દ્વારા પણ તેઓને કાયદા દ્વારા સમાધાન અથવા કેસ પાછો ખેંચવાની મંજૂરી આપી શકે નહીં. કોર્ટમાં કેસ જાય ત્યાં પણ સમાધાન માટે કોર્ટ ફરિયાદી ને ફરજ પડી શકે નહીં એટલે કોર્ટ રૂબરૂ પણ સમાધાન થઈ શકતું નથી.

The post Atrocities Act: એટ્રોસિટી એક્ટ મુજબ દાખલ થયેલા કેસમાં ફરિયાદી માટે સમાધાન કરવું કેટલું જોખમી છે! appeared first on REVOLT NEWS INDIA.

]]>
PC: facebook.com/LokeshPoojaUkey

1989 પહેલા દલિતો વિરુદ્ધના અત્યાચારોના ગુનાઓ માટેના કાયદાઓ હોવા છતાં અત્યાચારો નહીં અટકતા ભારતની સંસદે 1989માં THE SCHEDULED CASTES AND THE SCHEDULED TRIBES (PREVENTION OF ATROCITIES) ACT, 1989 ટૂંકમાં એટ્રોસિટી એક્ટ નામનો કાયદો ઘડ્યો.

આ કાયદામાં એવું છે કે આ કાયદા નીચે આચરવામાં આવેલ ગુનાઓમાં સમાધાન થઈ શકતું નથી એટલે કે નોન-કમ્પાઉન્ડેબલ છે. એટલે કે પોલીસ અથવા ટ્રાયલના તપાસ અધિકારી દ્વારા પણ તેઓને કાયદા દ્વારા સમાધાન અથવા કેસ પાછો ખેંચવાની મંજૂરી આપી શકે નહીં. કોર્ટમાં કેસ જાય ત્યાં પણ સમાધાન માટે કોર્ટ ફરિયાદી ને ફરજ પડી શકે નહીં એટલે કોર્ટ રૂબરૂ પણ સમાધાન થઈ શકતું નથી.

બીજું, આ હેઠળ આચરવામાં આવતા ગુનાઓ કોગ્નિઝેબલ પ્રકૃતિના છે એટલે પોલીસ FIR નોંધવા બંધાયેલ છે અને ગુનેગારની ધરપકડ કરી શકે છે.

PC: facebook.com/LokeshPoojaUkey

આ કાયદા હેઠળ નોંધાયેલા કેસોની તપાસ ફક્ત ડીએસપી સ્તરના કે DySP સ્તરના અધિકારી જ કરી શકે છે.
આ હેઠળ નોંધાયેલા કેસોની સુનાવણી માટે, વધારાના સેશન્સ જજના સ્તરના ન્યાયિક અધિકારીને વિશેષ ન્યાયાધીશનો દરજ્જો આપવામાં આવ્યો છે કે જેને જેમને આજીવન કેદ અને મૃત્યુ દંડ સુધીની સજા કરવાની સતા હોય છે.

આ પણ વાંચો

ટ્રાયલ ચલાવવા માટે વિશેષ સરકારી વકીલની નિમણૂક કરવામાં આવે છે.

મોટા ભાગે એવું બને છે કે દલિતો અત્યાચારના ગુનાની ફરિયાદો તો દાખલ કરે છે. કેસ નોંધાયા પછી સામે પક્ષે ગુનેગારો ફરિયાદી પર કેસ પાછો ખેંચવા અથવા સમાધાન કરવા માટે દબાણ કરે છે, અને આ માટે કેસ પાછો ખેંચી લેવામાં આવે છે. ફરિયાદીના ઘેર ફરિયાદી પર દબાણ કરવા મોટા ભાગે ગામોની પંચાયતો હસ્તક્ષેપ કરવા મેદાન માં આવે છે. ફરિયાદી પર તેના સંબંધીઓ દ્વારા દબાણ કરવામાં આવે છે અને ફરિયાદીને જાનથી મારી નાખવાની ધમકી પણ આપવામાં આવે છે અથવા જો તે કેસ પાછો ન ખેંચે તો તેને ખૂબ જ લાલચ આપવામાં આવે છે.

PC: facebook.com/LokeshPoojaUkey

આ બધા લોભ, ધમકીઓ, ડર, દબાણમાં ક્યાંકને ક્યાંક એટ્રોસિટી એક્ટ હેઠળ કેસ દાખલ કરનાર ફરિયાદી ફસાઈ જાય છે અને કેસ પાછો ખેંચવા કે સમાધાન કરવા તૈયાર થઈ જાય છે.

પરંતુ કાયદો તો સમાધાનની મંજૂરી આપતો નથી. આવા કેસોમાં પોલીસના તપાસ અધિકારી તપાસ સમાપ્ત કરી શકતા નથી, આ માટે પોલીસ દ્વારા ફરિયાદીને લેખિતમાં સોગંદનામું લાવવાનું કહેવામાં આવે છે કે આ કેસમાં દલિત અત્યાચારની ફરિયાદ નોંધાયેલ છે પણ આવો કોઈ બનાવ બન્યો ન હતો કે ગેરસમજમાં નોંધવામાં આવ્યો હતો. ફરિયાદી તપાસ અધિકારી સમક્ષ આ સોગંદનામું રજુ કરે. એટલે કેસની તપાસ કરનાર અધિકારી કોર્ટ સમક્ષ આખરી રિપોર્ટ રજુ કરી “બી” સમરી રિપોર્ટ કરે છે કે ફરિયાદ ખોટી છે. સાથે સાથે ક્રિમિનલ પ્રોસિજર કોડ ની કલમ 169 મુજબ ગુનેગારોને છોડી મુકવા રીપોર્ટ રજુ કરે છે.

PC: facebook.com/LokeshPoojaUkey

પોલીસ આવા રીપોર્ટ પરથી પાછા ખેંચાયેલા કેસોને ખોટા કેસોની સૂચિમાં મૂકે છે, ત્યારબાદ જ્યારે દર મહિનાના અંતે એટ્રોસિટી એક્ટ એક્ટ હેઠળ નોંધાયેલા કેસોની સૂચિ તૈયાર કરવામાં આવે છે. આ રીતે દેશના દરેક જિલ્લાના એટ્રોસિટી એક્ટના કેસોની ગણતરી કરવામાં આવે છે અને તેમાં પોલીસ તપાસ દરમિયાન પાછા ખેંચાયેલા કેસો /ખોટા કેસો હોવાનું જણાયું હોય તે તમામ ડેટા એકત્ર કરીને નેશનલ ક્રાઈમ રેકોર્ડ બ્યુરોમાં જાય જ્યાં વાર્ષિક અહેવાલમાં જણાવવામાં આવે છે કે એટ્રોસિટી એક્ટ હેઠળ આટલા કેસ નોંધાયા છે અને તેમાંથી ઘણા ખોટા હોવાનના ડેટા છે અને જ્યારે એટ્રોસિટી એક્ટ વિરુદ્ધ સુપ્રીમ કોર્ટમાં પિટિશન દાખલ કરવામાં આવે ત્યારે આવો ડેટા રજૂ કરીને ભારત સરકાર અથવા અન્ય કોઈ પક્ષ કોર્ટને જણાવશે કે એટ્રોસિટી એક્ટનો દુરુપયોગ થઈ રહ્યો છે.

આ બધું એટ્રોસિટી એક્ટ ને નબળો પાડવા કે નાબૂદ કરવાના ષડયંત્રોને બળ આપે છે અને જાણ્યે-અજાણ્યે દલિતો પોતે જ આ બળને પ્રોત્સાહન આપી રહ્યા છે. જે આખા સમાજ માટે ઘાતક છે

PC: facebook.com/LokeshPoojaUkey

એટ્રોસિટી એક્ટ એક્ટ હેઠળ કેસ દાખલ કરનારે પછી સમાધાન વિશે બિલકુલ વિચારવું જોઈએ જ નહીં. ઘણીવાર સામેવાળા પક્ષો પણ ગંભીર કલમો હેઠળ તમારી સામે ખોટો કેસ દાખલ કરે તેવું બને.

અત્યાચારની ઘટનાને નકારતી હકીકતના સોગંદનામાના આધારે એક્ટ હેઠળ દાખલ કરાયેલા કેસ પાછા ખેંચવાથી શું નુકસાન થાય છે. જો તમને આ કેસની માહિતી RTIમાંથી તો તમારો કેસ ડીએસપી દ્વારા તૈયાર કરાયેલ રિપોર્ટમાં ખોટા તરીકે દર્શાવવામાં આવશે.

પોલીસને ખોટી માહિતી આપવા બદલ IPCની કલમ 182 હેઠળ ફરિયાદી સામે કેસ દાખલ કરી શકે છે. જેઓની સામે ફરિયાદીએ પોતાનો કેસ દાખલ કર્યો હોય તે બદલો લેવા માટે ફરિયાદી સામે માનહાનિ/બદનક્ષીનો કેસ દાખલ કરી શકે છે.

જો ફરિયાદી સરકારી નોકરી પર હોય તો કોઈપણ વ્યક્તિ RTIમાંથી તે રિપોર્ટની કોપી મેળવીને ફરિયાદીના વિભાગના ઉચ્ચ અધિકારીઓને મોકલીને નોકરીને નુકસાન થઈ શકે છે.

આ પણ વાંચો

જો ભવિષ્યમાં તે ફરિયાદી પ્રત્યે અત્યાચારની ઘટના ફરીથી બને તો આરોપી પ્રથમ ફરિયાદની તપાસ અધિકારી દ્વારા નામંજૂર કરાયેલ રિપોર્ટ પોલીસ સમક્ષ રજૂ કરી શકે છે અને રીઢો ફરિયાદી યાને વારંવાર ખોટી ફરિયાદ કરવાવારો વ્યક્તિ છે તેવા કારણસર કારણ ફરિયાદ રદ કરી શકે છે.

બીજી ફરિયાદ પર પણ પોલીસ કોઈ કાર્યવાહી કરશે નહીં. આવા ફરિયાદી કોઈપણ પ્રકારની ચૂંટણી લડવાનું વિચારી રહ્યા હોય અગાઉનું ખોટી ફરિયાદો વારુ રેકર્ડ ચૂંટણી લડવામાં નડતરરૂપ બની શકે છે અથવા ચૂંટણી લડવા માટે ગેરલાયક પણ ઠેરવી શકે છે.

કોર્ટમાં કેસની સુનાવણી દરમિયાન ફરિયાદી ફરી જાય તો કોર્ટ કોર્ટમાં ખોટી જુબાની આપવા બદલ CrPC ની કલમ 340 અને 195 હેઠળ તેની સામે સ્વ-મોટુ પગલાં પણ લઈ શકે છે. કેસ પાછો ખેંચી લીધા પછી, આરોપીઓ દલિત ફરિયાદી વિશે કહેશે કે ફરિયાદી ડરી ગયો અથવા ફરિયાદી પૈસા લઈને બેસી ગયો અથવા ફરિયાદી પાસે કેસ ચલાવવાની હિંમત નથી અને આ બધી વાતો કરીને બદનામી થશે.

આ પણ વાંચો

સૌથી મોટી વાત એ છે કે જો દલિત ફરિયાદીઓ કેસ પાછો ખેંચી લેશે અથવા તેમાં સમાધાન કરશે તો તમે સમાજની સામે માથું ઊંચું કરીને ચાલી શકશે નહીં અને તેવા ફરિયાદીના મનમાં હંમેશા અપરાધની ભાવના રહેશે.

એટ્રોસિટીના ગુનાની ફરિયાદ પાછી ખેંચી લેનાર અથવા ગમે તે કારણસર ગુનેગારો સાથે સમાધાન કરનાર લોકો આડકતરી રીતે સમાજને ગંભીર નુકશાન કરી રહ્યા છે. માટે ફરિયાદ કરવી તો કોઈ પણ સંજોગોમાં પાછું નહીં પડવું જોઈએ અથવા ફરિયાદ નહીં કરતા ગુનેગારોનો સામનો કરવો. તાજેતરમાં એટ્રોસિટી એક્ટ હેઠળની સ્પેશિયલ કોર્ટો ફરિયાદી કે પીડિતો ને સરકારે આપેલ સહાય પરત કરવાના હુકમો પણ કરે છે. જો ન ભરે તો તેઓની મિલ્કતો જપ્ત પણ કરવાના હુકમો કરે છે.

નોંધ: આ લેખ કે.બી. રાઠોડ-નિવૃત્ત એડીશનલ ડીસ્ટ્રીક્ટ જજની ફેસબુક વોલ પરથી સત્તાવાર પરવાનગી લઈને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે. લેખમાં આપેલી માહિતી સબંધિત વિગતો માટે સબંધિત વિભાગના સત્તાવાર સૂત્રોનો સંપર્ક કરશો.

Loading

The post Atrocities Act: એટ્રોસિટી એક્ટ મુજબ દાખલ થયેલા કેસમાં ફરિયાદી માટે સમાધાન કરવું કેટલું જોખમી છે! appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/sc-st-atrocities-act-how-dangerous-for-the-prosecutor-to-compromise-rni-dr/7342/feed/ 0 7342
શા માટે ડો. આંબેડકરે મંદિર પ્રવેશનું આંદોલન કર્યુ હતુ? http://revoltnewsindia.com/dr-ambedkars-kalaram-temple-movement/6664/ http://revoltnewsindia.com/dr-ambedkars-kalaram-temple-movement/6664/#respond Wed, 02 Mar 2022 11:07:39 +0000 https://revoltnewsindia.com/?p=6664 ડો. આંબેડકરનું કાલારામ મંદિર સત્યાગ્રહ, 02 માર્ચ 1930

The post શા માટે ડો. આંબેડકરે મંદિર પ્રવેશનું આંદોલન કર્યુ હતુ? appeared first on REVOLT NEWS INDIA.

]]>

કાલારામ મંદિર Kalaram Temple મહારાષ્ટ્રમાં Maharashtra નાસિક Nasik જિલ્લાના પંચવટી Panchvati પાસે આવેલું છે. આ મંદિરનું નિર્માણ પેશ્વા સરદાર રંગરાવ ઓઢેકર દ્વારા 1782 માં નાગર શૈલીમાં શરૂ કરવામાં આવ્યું હતું જે 1788 માં પૂર્ણ થયું હતું.  મંદિરમાં સ્થાપિત ભગવાન રામની મૂર્તિ કાળા પથ્થરથી બનેલી છે, તેથી તેને કાલારામ મંદિર કહેવામાં આવે છે.  ભારતના દલિત આંદોલન Dalit Movement માં આ મંદિરનો પોતાનો ઇતિહાસ છે.

2 માર્ચ, 1930ના રોજ કાલારામ મંદિર સત્યાગ્રહ શરૂ કર્યો હતો

હકીકતમાં ડો. આંબેડકર Dr Bhimrao Ambedkar ના પત્ની રમાબાઈ સહિત સમાજના તમામ લોકો કે જેમને અસ્પૃશ્ય જાહેર કરવામાં આવ્યા હતા, તે મંદિરમાં જવા માંગતા હતા.  તેમાં મુખ્યત્વે મહિલાઓ સામેલ હતી, પરંતુ તે મંદિરના દરવાજા અસ્પૃશ્યો માટે બંધ હતા.  બાબાસાહેબ ઇચ્છતા હતા કે દલિત સમાજના લોકો ધર્મ છોડીને શિક્ષણ પાછળ દોડે, કારણ કે તેમનો ઉદ્ધાર ફક્ત શિક્ષણ દ્વારા જ   સંભવ હતો, નહીં કે મંદિર પ્રવેશ દ્વારા.  પરંતુ તેમને સમજાવવા મુશ્કેલ હતા. માટે ડો. આંબેડકરે તેમની અસ્પૃશ્ય સમાજ-Untouchable community ની આંખો ખોલવા માટે 2 માર્ચ, 1930ના રોજ કાલારામ મંદિર સત્યાગ્રહ શરૂ કર્યો હતો.

આ આંદોલન અસ્પૃશ્યોના મંદિરમાં પ્રવેશ માટે ચલાવાયેલું આંદોલન હતું. આ સત્યાગ્રહમાં અસ્પૃશ્ય સમાજના લગભગ 15 હજાર લોકોએ ભાગ લીધો હતો.  ડો. આંબેડકરે સવર્ણ હિન્દુઓને પૂછ્યું કે ‘જો ભગવાન દરેક લોકોના છે, તો શા માટે માત્ર થોડા લોકોને જ તેમના મંદિરમાં પ્રવેશવાની મંજૂરી છે.  પોલીસ અને મંદિરના પૂજારીઓએ સત્યાગ્રહીઓની માંગનો વિરોધ કરતા મંદિરના તમામ દરવાજા બંધ કરી દીધા હતા.

આ સત્યાગ્રહ 5 વર્ષ, 11 મહિના અને 7 દિવસ સુધી ચાલ્યો

કોઈ અસ્પૃશ્ય મંદિરમાં પ્રવેશ ન કરી શકે તે માટે પોલીસે સમગ્ર મંદિરને ઘેરી લીધું હતું.  શહેરના સવર્ણ હિંદુઓએ આ સત્યાગ્રહીઓને ભગાડવા માટે પથ્થરો વડે હુમલો કર્યો.  આ હુમલામાં ડો.આંબેડકર પણ ઘાયલ થયા હતા.  આ સત્યાગ્રહ 5 વર્ષ, 11 મહિના અને 7 દિવસ સુધી ચાલ્યો, પરંતુ મંદિરનો દરવાજો ન ખૂલ્યો.  દલિત વર્ગના લોકો મંદિરનો દરવાજો ન ખુલે ત્યાં સુધી નિર્ણાયક લડાઈ લડવા માંગતા હતા, પરંતુ ડૉ. ભીમરાવ આંબેડકર તેની તરફેણમાં ન હતા.  તેથી તેમણે તેને સ્થગિત કરી દીધું.

ડો. આંબેડકરે દલિત વર્ગને તેમની ઊર્જા રાજકારણ પર કેન્દ્રિત કરવાની સલાહ આપી

આનું કારણ જણાવતા તેમણે કહ્યું કે મંદિર આંદોલન એટલા માટે કરવામાં આવ્યું નથી કે જેથી મંદિરમાં બેઠેલા ભગવાન અસ્પૃશ્યોના દુઃખ દૂર કરે, પરંતુ અસ્પૃશ્યોને વાસ્તવિક પરિસ્થિતિનો અનુભવ થાય તે માટે આ આંદોલન શરૂ કરવામાં આવ્યું હતું.  તેમને વાસ્તવિક પરિસ્થિતિથી વાકેફ કરવાનો આ શ્રેષ્ઠ માર્ગ હતો. આ સત્યાગ્રહથી તેમનો ઉદ્દેશ્ય પૂરો થયો છે અને તેથી મંદિર પ્રવેશ આંદોલનની હવે જરૂર નથી.  તેના બદલે તેમણે દલિત વર્ગને તેમની ઊર્જા રાજકારણ પર કેન્દ્રિત કરવાની સલાહ આપી હતી.

નોંધ: આ લેખ બહુજન કેલેન્ડરનામની પુસ્તકમાં હિંદીમાં છપાયેલા લેખનો ગુજરાતી અનુવાદ છે. આ લેખનો ગુજરાતી અનુવાદ કરનાર જર્નલિસ્ટ દિનેશકુમાર રાઠોડ છે. તેમના મો. +91 9879914491 છે.

Loading

The post શા માટે ડો. આંબેડકરે મંદિર પ્રવેશનું આંદોલન કર્યુ હતુ? appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/dr-ambedkars-kalaram-temple-movement/6664/feed/ 0 6664
ડો. આંબેડકરનું અપમાન, એ પાંચ વર્ષની સજાપાત્ર ગુનો છે! http://revoltnewsindia.com/insulting-dr-ambedkar-is-a-punishable-offense-of-five-years/6515/ http://revoltnewsindia.com/insulting-dr-ambedkar-is-a-punishable-offense-of-five-years/6515/#respond Wed, 23 Feb 2022 16:22:26 +0000 https://revoltnewsindia.com/?p=6515 Insulting Dr. Ambedkar is a punishable offense of five years

The post ડો. આંબેડકરનું અપમાન, એ પાંચ વર્ષની સજાપાત્ર ગુનો છે! appeared first on REVOLT NEWS INDIA.

]]>

કર્ણાટકના (Karnataka) જિલ્લા જજ મલ્લિકાર્જુન ગૌડાએ; 26 જાન્યુઆરી 2022ના રોજ ગણતંત્ર દિને (Republic day of India) આયોજિત સમારંભમાં મંચ ઉપર ગાંધીજીની (Gandhiji) તસ્વીરની બાજુમાં ડો.આંબેડકર (Dr B R Ambedkar) ની તસ્વીર હતી. તે હટાવી દેવાની સૂચના કરતા ડો. આંબેડકરની તસ્વીર ત્યાંથી દૂર કરવામાં આવી હતી. ડો. આંબેડકરનો આ અનાદર હતો.

જેથી બેંગલુરુમાં 19 ફેબ્રુઆરી 2022ના રોજ દોઢ લાખ દલિતો (Dalit federations) એ એક જબરજસ્ત વિરોધ-રેલીનું આયોજન કર્યું હતું. આ રેલીનું સમાપન ફ્રીડમ પાર્ક (Freedom park Karnataka) ખાતે થયું હતું; ત્યાં કર્ણાટકના મુખ્યમંત્રી બસવરાજ બોમ્મઈએ પ્રદર્શનકારીઓની મુલાકાત લઈને જજ સામે કાર્યવાહી કરવા આશ્વાસન આપ્યું હતું. ગુજરાતમાં આ શક્ય નથી, કેમકે ગુજરાતમાં દલિતો ઉપર સત્તાપક્ષના ‘હિન્દુત્વ’એ કબજો કરી લીધો છે!

આ પણ વાંચો

જજની બદલી થઈ ગઈ છે. બદલી એ સજા નથી. જજને ફરજમોકૂફ કરવા તથા તેમની સામે FIR નોંધવાની માંગણી દલિતો કરી રહ્યા છે. જજની દલીલ છે કે ડો. આંબેડકરનું અપમાન કરવાનો કોઈ ઈરાદો ન હતો ! દરમિયાન 4 ફેબ્રુઆરીના રોજ કર્ણાટક હાઈકોર્ટે રાજ્યની દરેક કોર્ટને આદેશ આપ્યો છે કે કોર્ટના કોઈપણ સમારંભમાં ડો. આંબેડકરની તસ્વીરને સ્થાન આપવાનું રહેશે !

શું આ કિસ્સામાં જજે કોઈ કોગ્નિઝેબલ ગુનો કર્યો છે?

એટ્રોસિટી એક્ટની કલમ-3 (1) (V) કહે છે : “by words either written or spoken or by any other means disrespects any late person held in high esteem by members of the Scheduled Castes or the Scheduled Tribe; અનુસૂચિત જાતિ અથવા અનુસૂચિત જનજાતિના સભ્યો કોઈપણ સ્વર્ગસ્થ વ્યક્તિને ઉચ્ચ આદર આપતા હોય, તેમને કોઈ પ્રકારે અનાદર કરે તો ગુનેગારને છ મહિનાથી ઓછી ન હોય તેટલી અને પાંચ વર્ષ સુધીની કેદ અને દંડ થાય.”

નોંધ : આ લેખ રમેશ સવાણી (પૂર્વ આઈજીપી અને પૂર્વ આચાર્ય પોલીસ તાલીમ કેન્દ્ર વડોદરા, ગુજરાત સરકાર)ની ફેસબુક વોલ પરથી સત્તાવાર પરવાનગી લઈને અહી પ્રસ્તુત કરવામાં આવ્યો છે. લેખમાં આપેલી માહિતી સબંધિત વિગતો માટે સબંધિત વિભાગના સત્તાવાર સૂત્રોનો સંપર્ક કરશો

Loading

The post ડો. આંબેડકરનું અપમાન, એ પાંચ વર્ષની સજાપાત્ર ગુનો છે! appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/insulting-dr-ambedkar-is-a-punishable-offense-of-five-years/6515/feed/ 0 6515
Jetpur: જેતપુરમાં આવેલા આ મંદિરને કહેવાય છે ‘ભૂતનો ડેરો’ http://revoltnewsindia.com/jetpur-800-year-old-sankaleshvar-mahadev-temple-bhut-no-dero-in-junisankali-village/5414/ http://revoltnewsindia.com/jetpur-800-year-old-sankaleshvar-mahadev-temple-bhut-no-dero-in-junisankali-village/5414/#respond Mon, 10 Jan 2022 18:19:36 +0000 https://revoltnewsindia.com/?p=5414 Rajkot: જેતપુર (Jetpur)ના જૂની સાંકળી (JuniSankali) ગામે 800 વર્ષ જૂનું મંદિર આવેલું છે. જે અકબરના મંત્રી બીરબલ (Birbal) દ્વારા બનાવ્યું હોવાની પણ લોકવાયકા છે. જો કે આ સાંકળેશ્વર મહાદેવ (Sankaleshvar…

The post Jetpur: જેતપુરમાં આવેલા આ મંદિરને કહેવાય છે ‘ભૂતનો ડેરો’ appeared first on REVOLT NEWS INDIA.

]]>

Rajkot: જેતપુર (Jetpur)ના જૂની સાંકળી (JuniSankali) ગામે 800 વર્ષ જૂનું મંદિર આવેલું છે. જે અકબરના મંત્રી બીરબલ (Birbal) દ્વારા બનાવ્યું હોવાની પણ લોકવાયકા છે.

જો કે આ સાંકળેશ્વર મહાદેવ (Sankaleshvar Mahadev) મંદિર (Temple) ભૂતના ડેરા તરીકે પણ ઓળખાય છે. એક રાતમાં જ બન્યું હોવાની દંતકથા છે.

વીડિયો જોવા માટે અહીં Click કરો:

રાજકોટ: ગુજરાતની ભૂમિ આમ તો પોતાના ઐતિહાસિક અને સાંસ્કૃતિક વરસાથી અખૂટ ભરી છે. ત્યારે જિલ્લાના જેતપુર તાલુકામાં પણ એક પ્રાચીન શિવ મંદિર આવેલું છે. જે 13મી સદીમાં નિર્માણ પામ્યું હોવાનું ગુજરાત સરકારના પુરાતત્વ વિભાગ મુજબ જાણી શકાય છે.

આ શિવ મંદિર જેતપુર તાલુકાના જૂની સાંકળી ગામમાં આવેલું છે જે સાંકળેશ્વર મહાદેવના નામથી પ્રખ્યાત છે. આ મંદિરમાં ગર્ભગૃહ, અંતરાલ, મંડપ અને પ્રવેશ એમ ચાર ભાગ છે તેમજ ગર્ભગૃહની બહારની દીવાલો  પર આછું અલંકરણ પણ છે. મંદિરનું શિખર અને ઉરુશૃંગ સુંદર જાલકભાતથી અલંકૃત છે.

આ ચાર ભાગ ધરાવતા મંદિરને ચતુરંગી કહે છે. તેમજ આ મંદિર પાસે પહેલા પીપળાનું મોટું વૃક્ષ આવેલું હતું જો કે અત્યારે મંદિરના સામેના ભાગમાં કદાવર પીપળાનું વૃક્ષ આવેલું છે. આ મંદિર મોઢેરાના સૂર્ય મંદિરને મળતું આવે છે તેમજ બૌદ્ધ કલાકૃતિની ઝલક પણ આ મંદિરમાં થયેલી કોતરણી તરફ જોનારા દરેકનું ધ્યાન ખેંચે છે.

શા માટે કહે છે આ મંદિરને ભૂતનો ડેરો?

જેતપુર તાલુકાના જૂની સાંકળી ગામે આવેલું 800 વર્ષ પ્રાચીન સાંકળેશ્વર મહાદેવ મંદિર આજે પણ છે અડીખમ, બીરબલે બનાવ્યું હોવાની છે લોકવાયકા બીરબલના બે દીકરા હતા.

તેમની યાદમાં બે મંદિર બનાવવામાં આવેલ એક રામમંદિર અને બીજુ આ મંદિર બનાવેલ અહીંના વડીલ લોકોના જણાવ્યા મુજબ બીરબલ અહીં સૌરાષ્ટનો વતની હતો અને અહીં પહેલા ટિમ્બો હતો. ધીરે ધીરે અહીં ગામ વસ્યુ અને નામ પડ્યું જૂની સાંકળી.

આ ગામ રાજા અમરાબાપુ હસ્તક હતુ ત્યારે કેટલાક લોકોએ માયાની લાલચમાં જે રામમંદિર હતું તે ખોદી નાખ્યું પણ માયા ન મળતા અહીં સાંકળેશ્વર મંદિરમાં ખોદવાનું કામ ચાલુ કરતા મંદિરના પગથિયાં અંદર ખોદતાં નાગ અને ભમરા ઉડવા લાગતા ભયના માર્યા ભાગી ગયેલ.

ત્યારબાદ પોલીસ પટેલને જાણ કરતા પોલીસ પટેલ દ્વવારા રાજા અમરાબાપુને જાણ કરતા બાપુએ પણ નાગ જોતા તરત ખોદકામ બંધ કરવા હુકમ કરેલ અને ફરી પગથિયાં અને મંદિર એક રાતમાં પાછુ બનાવી દીધેલ એટલે ભૂતના ડેરા તરીકે પણ પ્રચલિત છે .

રાજા બીરબલ દ્વારા આ મંદિર બંધાવ્યું હોવાની લોકવાયકા

જૂની સાંકળી ગામના લોકો આ સાંકળેશ્વર મહાદેવ મંદિરને ભૂતના ડેરા તરીકે પણ ઓળખે છે. જો કે એક એવી લોકવાયકા છે કે આ મંદિર અકબરના મંત્રી બીરબલ દ્વારા બંધાવ્યું છે તેમજ બીરબલ આ જૂની સાંકળી ગામના હોવાનું પણ લોકોનું માનવું છે.

આ મંદિર ગુજરાત સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત સ્થળો પૈકીનું એક છે. જૂની સાંકળી ગામના લોકો આ મંદિરને ભૂતના ડેરા તરીકે ઓળખે છે.

હાલ આ મંદિર ગુજરાત સરકારના પુરાતત્વ વિભાગ દ્વારા રક્ષિત સ્થળો પૈકીનું એક છે. જો કે આ મંદિર ઘણા સમયથી સમારકામ ન થયું હોવાથી ગામ લોકો આ મંદિરમાં સમારકામ થાય તેવું પણ વ્યક્ત કરી રહ્યાં છે.

Loading

The post Jetpur: જેતપુરમાં આવેલા આ મંદિરને કહેવાય છે ‘ભૂતનો ડેરો’ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpur-800-year-old-sankaleshvar-mahadev-temple-bhut-no-dero-in-junisankali-village/5414/feed/ 0 5414
ફેસબુકનું નવું નામ ‘Meta’ અને બૌદ્ધ દર્શનમાં ‘મેત્તા’ http://revoltnewsindia.com/facebooks-new-name-is-meta-and-metta-in-buddhist-philosophy/4261/ http://revoltnewsindia.com/facebooks-new-name-is-meta-and-metta-in-buddhist-philosophy/4261/#respond Sat, 06 Nov 2021 09:29:56 +0000 https://revoltnewsindia.com/?p=4261 ફેસબુકનું નવું નામકરણ ‘Meta’, મિત્રતા અને બૌદ્ધ દર્શન (Buddhism) માં ‘મૈત્રી’ (metta) ફેસબુક (Facebook) ના સહસ્થાપક અને CEO માર્ક્સ ઝૂકરબર્ગે (Mark Zuckerberg)  હાલમાં જ ફેસબુકનું નામ બદલ્યું છે. હવે ફેસબુકનું…

The post ફેસબુકનું નવું નામ ‘Meta’ અને બૌદ્ધ દર્શનમાં ‘મેત્તા’ appeared first on REVOLT NEWS INDIA.

]]>

ફેસબુકનું નવું નામકરણ ‘Meta’, મિત્રતા અને બૌદ્ધ દર્શન (Buddhism) માં ‘મૈત્રી’ (metta)

ફેસબુક (Facebook) ના સહસ્થાપક અને CEO માર્ક્સ ઝૂકરબર્ગે (Mark Zuckerberg)  હાલમાં જ ફેસબુકનું નામ બદલ્યું છે. હવે ફેસબુકનું નવું નામ છે ‘Meta’. આ ‘Meta’ શબ્દ sci-fi શબ્દ ‘Metaverse’ પરથી લેવાયો છે, જે ભૌતિક વિશ્વ (Physical world) અને ડિજિટલ વિશ્વ (Digital world) ને જોડે છે.

આવા ખ્યાલ ને લઈ હોલિવુડમાં મેટ્રિક્સ, માઈનોરોટી રિપોર્ટ, ડેજા વુ જેવી ઘણી ફિલ્મો બની છે. ડિજિટલ વિશ્વ હવે ભૌતિક વિશ્વ નો જ ભાગ બની ગયું છે. માનવીય સંબંધો પર તો ટેકનોલોજી હાવી થઈ રહી છે, પણ સંબંધો ની પરિભાષા એવી ને એવી જ છે.

આ માનવીય સંબંધોમાં પણ જો મિત્રતા ની વાત કરીએ લોહીના સંબંધોથી પર એવા આ સંબંધે માનવજાત ને સાંકળવાની બહુ મોટી ભૂમિકા નિભાવી છે અને જો હજી તેનો વ્યાપક પ્રયોગ કરવામાં આવે તો માનવજાતને સદીઓથી પજવતી અને એની પ્રગતિમાં બાધક એવી ધર્મ, સંપ્રદાય, વર્ગ અને જાતિમાં વિભાજીત કરતી સંકુચિતતાથી મુક્તિ મેળવી શકાય છે.

મિત્રતાની સરસ વ્યાખ્યા હમણાં વાંચી, ‘નામ વગરનો નાતો’, મારુ માનવું છે કે વ્યક્તિ જ્યારે લોહીના સંબંધોથી પરેશાન થાય ત્યારે માત્ર આ એક જ સંબંધ એને સાચવે છે. પણ બિનશરતી પ્રેમની જેમ નિઃસ્વાર્થ મિત્રતા પણ દુર્લભ છે.

વર્ષો પહેલા મિત્રતા માટેનું એક પ્લેટફોર્મ હતું ‘Orkut’ ત્યારબાદ આવા ઘણા પ્લેટફોર્મ અસ્તિત્વમાં આવ્યા. ટેકનોલોજીએ સંબંધોને નવી દિશા આપવામાં અને પુનઃ પ્રસ્થાપિત કરવામાં ખૂબ સહાયક બની. અને વર્તમાન સમયમાં ફેસબુક તો મિત્રતાનું પર્યાય જ બની ગયું છે.

Photo: માર્ક ઝૂકરબર્ગ, વાઈલ્ડ ગુઝ પેગોડા,
જિયાંગ પ્રાંત,ચીન

આજના વ્યસ્ત જીવનમાં દૂરના મિત્ર સાથેનો સંપર્ક, જીવનના અલગ-અલગ તબક્કે વિખુટા પડેલા મિત્રોને શોધવા, સમાન રુચિ વાળા મિત્રો બનાવવા માટે ફેસબુક ખૂબ સહાયક રહ્યું છે.

આ મિત્રતાને બૌદ્ધ દર્શન (Buddhism) માં વ્યહવારીક જીવનના ચાલકબળ તરીકે બહુ સુંદર રીતે વ્યાખ્યાયિત કરવામાં આવી છે. મિત્રતા એટલે ‘મૈત્રી’ માટે પાલી ભાષા (Pali language) માં શબ્દ છે, ‘મેત્તા’ (Metta), જે ફેસબુકના નવા નામ ‘Meta’ સાથે અનાયાસે જ મળતો આવે છે અને એના ઉદેશ્ય ને સાર્થક પણ કરે છે.

બૌદ્ધ દર્શનમાં મૈત્રીને ચાર બ્રહ્મવિહાર અને દસ પારમીતાઓ પૈકીનો એક સદગુણ ગણવામાં આવે છે. જે માનવીય સંબંધો ને મજબૂત કરે છે. એનું મહત્વ એટલું અંકાયું છે કે એ સદગુણ ના વિકાસ માટે એક ધ્યાન પદ્ધતિની શોધ કરવામાં આવી, જેને ‘મૈત્રી ધ્યાન’ કહેવામાં આવે છે.

આ ધ્યાનમાં માત્ર માનવીને જ નહીં પણ સંસારમાં વસતા જીવમાત્ર પ્રત્યે અનુકંપાની ભાવના પ્રગટ કરવામાં આવે છે. જેમ વ્યક્તિ-વ્યક્તિ વચ્ચે સંવાદ માટે શબ્દોની જરૂર પડે છે, પણ મૈત્રી ભાવનાથી પ્રાણીમાત્ર સાથે મૂકસંવાદ કરી શકાય છે.

માર્ક ઝુકરબર્ગના પત્ની પ્રિશકીલા (Priscilla) ચેન બૌદ્ધ છે.

ઉદા. તરીકે શેરીમાં રહેતા કૂતરાને પ્રેમપૂર્વક પંપાળવામાં આવે તો એ પણ પ્રેમપૂવર્ક પ્રત્યુતર આપે છે. પ્રાણીઓ મનમાં રહેલી દુર્ભાવના જાણી લે છે, એમની ઇન્દ્રિયો એટલી સતેજ હોય છે. મૈત્રી ભાવના પુષ્ટ થતા તિરસ્કાર, ઘૃણા, ક્રોધ જેવી દુર્ભાવનાઓ ઘટવા લાગે છે. બુદ્ધના ચિત્રોની આસપાસ નિર્ભયતાથી ફરતા વન્યજીવો બુદ્ધની મૈત્રીભાવનાને પ્રતિપાદિત કરે છે.

માનવ માનવ વચ્ચે જો મૈત્રી સ્થાપિત થાય અને તિરસ્કાર, ઘૃણા, ક્રોધ જેવી દુર્ભાવનાઓ નાશ થાય તો વિશ્વ મંગલમય બની જાય. આપણે આપણા રાષ્ટ્રની જ વાત કરીએ તો મૈત્રી ભાવના આપણા બંધારણના ત્રણ સ્તંભો સ્વતંત્રતા (Liberty), સમાનતા (Equality) અને બંધુતા (Fraternity) ને મજબૂત કરતું પરિબળ છે.

અને છેલ્લે વ્યક્તિગત વાત કરું તો જેમ પુસ્તકો એ મારા જીવન ઘડતરમાં બહુમૂલ્ય ફાળો આપ્યો એમ વિચારોમાં હકારાત્મક અભિગમ માટે ફેસબુકના ઘણા મિત્રોથી પ્રેરિત થયો છું. આ તકે એમનો પણ આભાર. આશા છે કે નવા વર્ષેમાં આવા જ ઉમદા મિત્રો આ જ પ્લેટફોર્મ પર મળતા રહેશે.

લેખક: આનંદ કાબા, જુનાગઢ.

Loading

The post ફેસબુકનું નવું નામ ‘Meta’ અને બૌદ્ધ દર્શનમાં ‘મેત્તા’ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/facebooks-new-name-is-meta-and-metta-in-buddhist-philosophy/4261/feed/ 0 4261
23મી સપ્ટેમ્બર “સંકલ્પ દિવસ” કે જ્યારે આપણને ભીમરાવમાંથી બાબાસાહેબ મળ્યા http://revoltnewsindia.com/september-23rd-is-sankalp-day-when-we-met-babasaheb-from-bhimrao/3165/ http://revoltnewsindia.com/september-23rd-is-sankalp-day-when-we-met-babasaheb-from-bhimrao/3165/#respond Wed, 22 Sep 2021 17:03:14 +0000 https://revoltnewsindia.com/?p=3165 શું તમે તમારી જાતને યુવાન તરીકે ઓળખાવો છો અને બુલંદ અવાજે જય ભીમ બોલો છો? તો બે મિનિટ લાગશે વાંચો… આજના સમયમાં આપણેને ઘર પરિવાર કે સમાજમાં થોડું પણ માન…

The post 23મી સપ્ટેમ્બર “સંકલ્પ દિવસ” કે જ્યારે આપણને ભીમરાવમાંથી બાબાસાહેબ મળ્યા appeared first on REVOLT NEWS INDIA.

]]>

શું તમે તમારી જાતને યુવાન તરીકે ઓળખાવો છો અને બુલંદ અવાજે જય ભીમ બોલો છો? તો બે મિનિટ લાગશે વાંચો…

આજના સમયમાં આપણેને ઘર પરિવાર કે સમાજમાં થોડું પણ માન નથી મળતું તો આપણે મોટું રિસામણું કાઢીએ છીએ. પોતાની જાતને થોડી પણ અપમાનિત થતી સહન નથી કરી શકતા. કારણ કે સ્વમાન બધાને વાહલું હોય છે.

તો વિચાર કરો બાબા સાહેબ બરોડા સ્ટેટમાં ઊંચા અધિકારીના હોદ્દા પર હતા છતાં તેમણે અછૂત (Untouchable) જાતિના કારણે અપમાનિત થવું પડ્યું હતું. અસમાનતા અને આભડછેટનો ભોગ બનવું પડ્યું હતું. આ બાબતનું એટલી હદે લાગી આવ્યું હતું કે હિમાલય જેવું વિશાળ અને મહાન વ્યક્તિત્વ એક બાળક માફક રડી પડ્યું હતું.

અને જે જગ્યા પર બેઠા બેઠા રડ્યા તે વડોદરાનું કમાટી બાગ. આ વાત છે સન 1917ની 23મી સપ્ટેમ્બર, કે જ્યારે બાબા સાહેબે જ્ઞાતિ-જાતિના વાડા તોડવાનો સંકલ્પ લીધો.

પોતે એટલા ઉચ્ચ હોદ્દા પર હોવા છતાં પણ જો આવી અસમાનતાનો સામનો કરવો પડતો હોય તો સામાન્ય દલિતોનું શું થતું હશે ? આ વિચારે બાબા સાહેબને હચમચાવી દીધા. અને અસમાનતાની સાંકળોને તોડવાનો સંકલ્પ લઈ લીધો…

પણ આપણે અત્યારે ક્યાં છીએ ? આપણાં સાચા ઉદ્ધારક બાબા સાહેબ આંબેડકર તેમજ બહુજન મહાનાયકો અને મહનાયિકાઓના બલિદાનને ભૂલીને અન્યોને આપણાં મા-બાપ બનાવીને બેઠા છીએ. અમુક તો કાલ્પનિક તત્વો છે જેનો આપણાં જીવનમાં કોઈ જ મહત્વનું નથી છતાં તેના ગુણ-ગાન કરતા થાકતા નથી અને મોટા ઉપાડે હરખપદુડા થઈ તેના “છોરું” ગણાવે છે.

અરે મૂર્ખાઓ શરમ કરો ! પાણીનો એક એક ઘૂંટ બાબા સાહેબની દેન છે. ભૂલી ન જતા કે પીવાના પાણી માટે પણ બાબા સાહેબને આંદોલન કરવું પડ્યું હતું!

યુવાનો જાગો ! સત્યથી વાકેફ થાઓ, આપણાં સાચા ઉદ્ધારકોને ઓળખો. આ ફોન તમારા હાથમાં છે અને આ વાંચી શકો છો તે પણ બાબા સાહેબની જ દેન છે. તેના થકી જ તમને ભણવાનો અને સંપત્તિનો અધિકાર મળ્યો છે. તમે જે શ્વાસ લઈ રહ્યા છો તે પણ આ મહામાનવની જ દેન છે….

આપણાં સાચા ઉદ્ધારકોને ઓળખીએ. બાબા સાહેબના સંકલ્પને સાર્થક કરવા એક ડગલું વધારીએ...

Loading

The post 23મી સપ્ટેમ્બર “સંકલ્પ દિવસ” કે જ્યારે આપણને ભીમરાવમાંથી બાબાસાહેબ મળ્યા appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/september-23rd-is-sankalp-day-when-we-met-babasaheb-from-bhimrao/3165/feed/ 0 3165