GujaratiArticle Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/gujaratiarticle/ News for India Wed, 12 Apr 2023 18:04:54 +0000 en hourly 1 https://wordpress.org/?v=6.5.2 http://revoltnewsindia.com/wp-content/uploads/2020/05/cropped-LLL-2-32x32.png GujaratiArticle Archives - REVOLT NEWS INDIA http://revoltnewsindia.com/tag/gujaratiarticle/ 32 32 174330959 કોલંબિયા યુનિવર્સિટીમાં ડૉ.આંબેડકર અને જૉન ડેવી પર યોજાયો પરિસંવાદ http://revoltnewsindia.com/symposium-on-dr-ambedkar-and-john-dewey-was-held-at-columbia-university-rni-dr/7502/ http://revoltnewsindia.com/symposium-on-dr-ambedkar-and-john-dewey-was-held-at-columbia-university-rni-dr/7502/#respond Wed, 12 Apr 2023 17:44:40 +0000 http://revoltnewsindia.com/?p=7502 અમેરિકાની વિશ્વ વિખ્યાત કોલંબિયા યુનિવર્સિટી સાથે સંલગ્ન ટીચર્સ કોલેજમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર અને જ્હોન ડેવી પર આંતરરાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કર્યું હતું

The post કોલંબિયા યુનિવર્સિટીમાં ડૉ.આંબેડકર અને જૉન ડેવી પર યોજાયો પરિસંવાદ appeared first on REVOLT NEWS INDIA.

]]>
અહેવાલ: મયુર વાઢેર દ્વારા…

અમેરિકાની વિશ્વ વિખ્યાત કોલંબિયા યુનિવર્સિટી સાથે સંલગ્ન ટીચર્સ કોલેજમાં ડૉ. બાબાસાહેબ આંબેડકર અને જ્હોન ડેવી પર આંતરરાષ્ટ્રીય પરિસંવાદનું આયોજન કર્યું હતું, જેમાં શિક્ષણમાં જાતિ-આધારિત ભેદભાવના મુદ્દા પર પેનલ ચર્ચાનું આયોજન થયું હતું.

યુનેસ્કોના અધ્યક્ષ પ્રોફેસર ગીતા સ્ટેનર-ખામસી દ્વારા પેનલ ચર્ચાનું સંચાલન કરવામાં આવ્યું

આયોજિત પ્રસ્તુત પરિસંવાદમાં અમેરિકાની ટેક્સાસ યુનિવર્સિટીનાં એસોસિયેટ પ્રોફેસર ડૉ. સ્કોટ આર. સ્ટ્રાઉડની અધ્યક્ષતામાં શિક્ષણ અંગે એક પેનલ ચર્ચા પણ યોજાઈ હતી. પ્રસ્તુત પેનલ ચર્ચામાં દક્ષિણ એશિયાના વિદ્યાર્થીઓ, વિદ્વાનો અને વિવિધ પૃષ્ઠભૂમિના કર્મશીલોએ ભાગ લીધો હતો. તેમાં તેમણે શિક્ષણ પ્રાપ્ત કરવાના માર્ગમાં જાતિ-આધારિત ભેદભાવને કારણે વણસેલી તેમની દુર્દશા અને પડકારો વ્યક્ત કર્યા હતા.

ડૉ. સ્કોટ આર. સ્ટ્રાઉડે પ્રસ્તુત પરિસંવાદમાં તેમના તાજેતરમાં પ્રગટ પુસ્તક, ‘ઇવોલ્યુશન ઓફ પ્રાગ્મેટિઝમ ઇન ઈન્ડિયાઃ આંબેડકર, ડેવી અને રેટરિક ઓફ રિકન્સ્ટ્રક્શન‘નું લોકાર્પણ કર્યું હતું. તેમાં લેખક ડૉ. સ્કોટે ડૉ. આંબેડકર અને તેમના કોલંબિયાનાં પ્રોફેસર ડૉ. ડેવી વચ્ચેના બૌદ્ધિક સંવાદો વિશે વાત કરી હતી. તેમણે નાગરિક અધિકારો અને ભારતમાં દલિતોના સામાજિક ન્યાયની ચળવળની શોધમાં ડૉ. આંબેડકર પર ડૉ. ડેવીના પ્રભાવને પણ ઉજગર કર્યો હતો.

ડૉ. સ્કોટ આર. સ્ટ્રાઉડે ભારતમાં વ્યવહારવાદના ઇતિહાસ અને વિકાસને સમજવા માટે ડૉ. આંબેડકર જેવી બૌદ્ધિક વ્યક્તિઓને અમેરિકના શિક્ષણતંત્રમાં લાવવાની લાગણી વ્યક્ત કરી હતી. તેમનાં બૌધ્ધિક સંબોધન પછી પેનલ ચર્ચા શરૂ થઈ હતી. પેનલ ચર્ચામાં શિક્ષક-વિદ્યાર્થી સંબંધો અને સામાજિક અને આર્થિક રીતે દબાયેલા સમાજના ઉત્થાનમાં શિક્ષણની ભૂમિકા વિશે ચર્ચા કરી હતી.

ચર્ચા માટે ત્રણ પેનલિસ્ટ હતા: વિકાસ ટાટાડ, વિદ્યાર્થી સેનેટર અને યુનિવર્સિટીની નીતિ-નિયમ સમિતિના અધ્યક્ષ, મોનાલિસા બર્મન, SIPAની વિદ્યાર્થી અને ઉત્તર-પૂર્વ ભારતના માનવ અધિકાર કાર્યકર્તા અને ડૉ. બિષ્ણુ પેરિયાર, એક દલિત નેપાળી-અમેરિકન વિદ્વાન. ટીચર્સ કોલેજમાં તુલનાત્મક શિક્ષણ નીતિમાં યુનેસ્કોના અધ્યક્ષ પ્રોફેસર ગીતા સ્ટેનર-ખામસી દ્વારા પેનલ ચર્ચાનું સંચાલન કરવામાં આવ્યું હતું.

ફાઇલ ફોટો: પ્રો. જ્હોન ડેવી

પેનલિસ્ટે યુએસએની યુનિવર્સિટીઓમાં દક્ષિણ-એશિયાના સામાજિક રીતે હાંસિયામાં ધકેલાઈ ગયેલા સમુદાયોના પડકારો અને મુદ્દાઓ પર પ્રકાશ પાડ્યો, વિકાસ ટાટાડે દલિત સમુદાયોના પર્યાપ્ત પ્રતિનિધિત્વની ગેરહાજરી પર પ્રકાશ પાડી અને દલિતોને ઉચ્ચ શિક્ષણમાં સામેલ કરવા માટે રોડમેપની જરૂરિયાત પર ભાર મૂક્યો હતો.

તેમણે પ્રથમ પેઢીના સ્નાતક વિદ્યાર્થી તરીકેની તેમની અંગત સફર તેમજ સિમ્બોલ ઓફ નોલેજ તરીકે વિખ્યાત ડૉ. આંબેડકરની ભૂમિકા પણ વર્ણવી હતી. ડૉ. પરિયારે નેપાળમાં દલિત હોવાને લીધે જાતિ આધારિત ભેદભાવનો સામનો કરી રહેલા તેમના કડવા અનુભવો શેર કર્યા હતા. તેણીએ સમાજમાં નિમ્ન જાતિના સમુદાયો સાથે અસ્પૃશ્યતાની પ્રથાને પ્રકાશિત કરી. અંતે, તેણીએ સામાજિક ગતિશીલતા માટે શિક્ષણના મહત્વ પર પ્રકાશ પાડ્યો હતો. એક પેનલિસ્ટ તરીકે, મોનાલિસાએ ભારતીય સમાજમાં વંશીય ખામીઓ પર પ્રકાશ પાડ્યો અને ઉચ્ચ શિક્ષણ પ્રાપ્ત કરતી વખતે તેના સંઘર્ષને અભિવ્યક્ત કર્યો હતો.

આ પણ વાંચો…

ભારત અને નેપાળ જેવા દક્ષિણ એશિયાના દેશોના દલિતો અને આદિવાસીઓ જેવા દલિત સમુદાયોના બૌદ્ધિકોના અવાજને સમાવી લેવામાં આવ્યો હોય તે આ યુનિવર્સિટીનો પ્રથમ પ્રયાસ હતો.

ટીચર્સ કોલેજના વિદ્યાર્થીઓ, સ્ટાફ અને ફેકલ્ટીઓ અને દેશભરની અન્ય યુનિવર્સિટીઓ અને સંસ્થાઓના વિદ્યાર્થીઓએ આ કાર્યક્રમમાં રૂબરૂ હાજરી આપી હતી. ઇવેન્ટનું આયોજન હાઇબ્રિડ ફોર્મેટમાં કરવામાં આવ્યું હોવાથી, પેનલ ચર્ચામાં વર્ચ્યુઅલ રીતે ભાગ લેવા માટે વિશ્વભરમાં 3000થી વધુ નોંધણીઓ થઈ હતી.

પ્રસ્તુત અંગ્રેજી અહેવાલનો ગુજરાતી અનુવાદ યુવા લેખક મયુર વાઢેરે કર્યો છે.

Loading

The post કોલંબિયા યુનિવર્સિટીમાં ડૉ.આંબેડકર અને જૉન ડેવી પર યોજાયો પરિસંવાદ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/symposium-on-dr-ambedkar-and-john-dewey-was-held-at-columbia-university-rni-dr/7502/feed/ 0 7502
World Suicide Prevention Day: આપઘાત કરે કોઈ ને સજા ભોગવે બીજા! એટલે શું? વાંચો આપઘાતની બાબત અંગેનો કાયદાકીય વિશેષ લેખ http://revoltnewsindia.com/legal-special-article-on-subject-of-suicide-by-retd-additional-district-judge-kb-rathod/7354/ Sun, 11 Sep 2022 05:41:53 +0000 http://revoltnewsindia.com/?p=7354 World Suicide Prevention Day: આપણા દેશના કાનૂન ઈન્ડિયન પીનલ કોડ (THE INDIAN PENAL CODE)ની કલમ 306માં કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિને આપઘાત કરવામાં મદદગારી, દુષ્પ્રેરણ કે ઉશ્કેરણી કરી મજબુર કરી ફરજ પાડે તેના લીધે જે તે વ્યક્તિ આપઘાત કરી લે તો આવી મદદગારી, દુષ્પ્રેરણ કે ઉશ્કેરણી કરનાર ગુનેગારને દસ વરસ સુધીની જેલની સજાની જોગવાઈ છે. તે જ રીતે કોઈ વ્યક્તિ આપઘાત કરવાની કોશિશ કરે અને બચી જાય તો આવી આપઘાત કરવાની કોશિશ કરનાર પણ ઈન્ડિયન પીનલ કોડની કલમ 309 મુજબ ગુનેગાર ગણાય છે.

The post World Suicide Prevention Day: આપઘાત કરે કોઈ ને સજા ભોગવે બીજા! એટલે શું? વાંચો આપઘાતની બાબત અંગેનો કાયદાકીય વિશેષ લેખ appeared first on REVOLT NEWS INDIA.

]]>

World Suicide Prevention Day: વિશ્વ આત્મહત્યા નિવારણ દિવસ -10 સપ્ટેમ્બર, આપઘાતની બાબત કાનૂન વિશે વિશેષ લેખ. આપણા દેશના કાનૂન ઈન્ડિયન પીનલ કોડ (THE INDIAN PENAL CODE)ની કલમ 306માં કોઈ વ્યક્તિ અન્ય વ્યક્તિને આપઘાત કરવામાં મદદગારી, દુષ્પ્રેરણ કે ઉશ્કેરણી કરી મજબુર કરી ફરજ પાડે તેના લીધે જે તે વ્યક્તિ આપઘાત કરી લે તો આવી મદદગારી, દુષ્પ્રેરણ કે ઉશ્કેરણી કરનાર ગુનેગારને દસ વરસ સુધીની જેલની સજાની જોગવાઈ છે. તે જ રીતે કોઈ વ્યક્તિ આપઘાત કરવાની કોશિશ કરે અને બચી જાય તો આવી આપઘાત કરવાની કોશિશ કરનાર પણ ઈન્ડિયન પીનલ કોડની કલમ 309 મુજબ ગુનેગાર ગણાય છે. અને તેને એક વરસ સુધીની જેલની સજા અને અથવા દંડ પણ થઈ શકે છે.

સામાન્ય રીતે પ્રજાજનોને આ આપઘાતમાં મદદગારીના ગુના વિષે જાણકારી ન હોય તેવું બને

જીવન અમૂલ્ય છે. માનવીના જીવનનો અંત તેનાં મૃત્યુથી આવે છે. મૃત્યુ કુદરતી હોય શકે અને અકુદરતી પણ થઈ શકે. કુદરતી મૃત્યુની સૌને ખબર પડે. અકુદરતી મોત અકસ્માતથી, ઝેરી જાનવર કરડવાથી, વીજળીના કરંટથી, કુદરતી આફત (Natural calamity)થી, મનુષ્ય વધ કે ખુનથી કસમય મરણ નિપજે તે અકુદરતી મૃત્યુ કહેવાય.

વાત લખવાની છે તે આત્મહત્યાથી નિપજતા મોત બદલ થતા ગુનાહિત અપરાધની છે. આત્મહત્યાના મદદગારીના બનાવમાં મદદગારી, દુષ્પ્રેરણ, ઉશ્કેરણી, અથવા ચઢવણીના તત્વોના અર્થ સમજવાની વાત છે. અર્થાત જે વ્યક્તિ આપઘાત કરે છે, તેને ઉશ્કેરણી, ચઢમણી કે દુષ્પ્રેરણ દ્વારા અમુક એવા સંજોગો કે પરિસ્થિતિમાં મુકી દેવામાં આવે કે તેને યાતના કે ત્રાસના કારણે આપઘાત કરવા સિવાય છૂટકો જ નહી હોવાથી આપઘાત કરી બેસે. તો આવી મદદગારી માટે જવાબદાર વ્યક્તિ આ ગુના માટે ગુનેગાર ઠરે છે.

ક્યારેક કોઈ વ્યક્તિ અચાનક આવેગ, આક્રોશ, નિરાશા, હતાશા કે ક્રોધના લીધે આપઘાત કરી બેસે તો તેના લીધે બીજા કોઈને જવાબદાર કહી શકાય નહીં

આપઘાતમાં મદદગારી કરનારાનું ગુનાહિત માનસ (mens rea)નું માનસિક તત્ત્વ હોવુ જરૂરી છે. ગુનેગારનો ઈરાદો મહત્ત્વનો છે. આપણા દેશમાં સામાન્ય રીતે વિવાહિત મહિલાઓના આપઘાતના કિસ્સાઓ સૌથી વધુ બને છે તેના કારણોથી સૌ કોઈ વાકેફ છે. ઉપરાંત વ્યાજ વટાવના ચક્કરમાં ફસાયેલા દેવાદાર, અમુક નોકરી કરનારા તેઓના માલિક, બોસ કે શેઠના ત્રાસથી અને બીજા લોકોના જુદા-જુદા કારણોસરના ત્રાસથી આપઘાતના બનાવોના ગુનાઓ બનતા હોય છે. અમુક તો સામુહિક આપઘાતના બનાવો પણ બને છે. ક્યારેક વહીવટી તંત્રના વલણ સામે, અત્યાચારો સામે કે અન્યાય સામે સંબંધિત કચેરી ખાતે આત્મવિલોપનના બનાવો બને ફરિયાદો થાય.

પરિણિત યુવતીઓના આપઘાતના કિસ્સાઓમાં અને ઉપર જણાવ્યું તેવા બીજાં આપઘાતના કેસોમાં સર્વોચ્ચ અદાલતે અને વિવિધ હાઇકોર્ટોના અનેક ચુકાદાથી અમૂક ગાઇડલાઇન અને માર્ગદર્શક સિદ્ધાંતો પ્રતિપાદિત થયેલ છે. જેને નીચેના કોર્ટોએ લાગું પડે ત્યાં અનુસરીને ચુકાદાઓમાં લાગુ પાડે. કોર્ટો સમક્ષ રોજબરોજ આવા કેસો ચલાવવામાં આવે તેમાં જે તે કેસની હકીકતો, પુરાવાઓ અને સંજોગોને ધ્યાનમાં લઈ ચુકાદા આવતા હોય છે.

લગભગ મોટા ભાગના કિસ્સાઓમાં પરિણિત સ્ત્રીઓના આપઘાતના કિસ્સામાં પતિ કે સાસરિયા પક્ષના કોઈ સામાન્ય ઝઘડા, બોલચાલ, મારપીટ કે ત્રાસના લીધે આવેશમાં આવી જઈ આપઘાત કરી બેસે તેમાં ગુનાહિત માનસનું કોઈ એવું તત્ત્વ હોતું નથી કે પતિ કે તેના ઘરના એવું ઈચ્છતા હોતા નથી કે તેણી આપઘાત કરી મરી જાય. તો તેવા કિસ્સામાં આ ગુનો ન બને, અલબત્ત તે એક સામાજિક ગુનો તો છે, દૂષણ પણ છે.

કોઈ વ્યક્તિ અંગત, કૌટુંબિક, સામાજીક, આર્થિક, આધ્યાત્મિક કે માનસિક બિમારી જેવા કારણોથી આપઘાત કરે તેમાં બીજા કોઈ વિરુદ્ધ ગુનો ન પણ બને. મનોવૈજ્ઞાનિક કે માનસિક બીમારીના (Schizophrenia) કારણે, માનસિકતા નિર્બળતા વિગેરે કારણોસર આપઘાત કરે તેવું બને. તેમાં પણ જેનાં પર આરોપ હોય તેની જવાબદારી નથી.

લાખો કિસ્સામાં બે પાંચ કિસ્સાની વાત

બ્રિજલાલ vs પ્રેમચંદના કેસમાં આપઘાત કરનાર પત્ની પાસે પતિ દ્વારા સતત પૈસાની માંગણી કરવામાં આવતી રોજીંદી આ વાત, એક દિવસ આ વાતથી ત્રાસીને પત્નીએ કહ્યું કે કાયમી આવા માંગણીના ઝઘડાના કારણે હવે તો હું મરી જાઉં તો સારુ. તે વખતે પતિએ સાંત્વના આપવાના બદલે કહ્યું કે તું મરી જા તો કાલ સુધી રાહ જોવાની જરૂર નથી. ત્યારબાદ પતિ બહાર કામ પર ગયો પાછળ થી પત્નીએ સળગી જઈ આપઘાત કરી લીધો. તે કેસમાં પતિને ગુનેગાર ઠરાવી સજા કરવામાં આવી.

સ્વામી પ્રહલાદ દાસના કેસમાં સર્વોચ્ચ અદાલતે એવું ઠરાવેલ કે પતિએ ઝગડા વખતે એવુ કહ્યું કે ‘તું જા અને મરી જા’ અને પત્નીએ આપઘાત કરી લીધો તે કેસમાં હકીકતો અને સંજોગો પરથી જોતાં પતિએ આપઘાતમાં મદદગારીના હેતુથી ચઢામણી કરી તેમ ન કહી શકાય. પતિને નિર્દોષ જાહેર કરેલ.

ગુજરાતમાં એક કિસ્સો એવો બનેલ કે વીમા કંપનીના એક ઓફિસરે કે જે ખૂબજ પ્રામાણિક હતો. કોઈ કોન્ટ્રાક્ટરનું બિલ પાસ કરવામાં વાંધાજનક આવે તો પાસ ન કરવાના કિસ્સામાં અણબનાવ અને ખટપટના લીધે તે ઓફિસરના ઉપરી અધિકારીઓએ તે પ્રામાણિક ઓફિસર વિરુદ્ધની ફરિયાદોના લીધે ખાતાકીય પગલા લઈ સસ્પેન્ડ કરતાં તે પ્રકરણ લાંબુ ચાલતાં આર્થિક તકલીફ અને ઉપરી અધિકારીઓના ત્રાસના લીધે કંટાળી જઈ પોતે, તેની પત્ની અને બે સંતાનો સહિત બધાએ પોતાના ફ્લેટમાં ઝેરી દવા પીને સામુહિક આપઘાત કરી લીધેલ.

અને Suicide noteમાં ચારેક ઉપરી અધિકારીના અને એક કોન્ટ્રાક્ટરના નામજોગ ત્રાસના લીધે અમે બધાએ આપઘાત કરી લીધેલ છે, તેવુ લખીને તેઓએ આપઘાત કરેલો. આ કેસની ફરિયાદ થવાથી પેલા આરોપીઓને જામીન ખુબ સમય સુધી મળેલાં નહીં. અંતે પોલીસ દ્વારા તે લોકોની વિરૃધ્ધ ચાર્જશીટ થયું. છેવટે આરોપીઓએ સર્વોચ્ચ અદાલતના ખુબજ વિદ્વાન સીનિયર વકિલ ને રોકીને FIR તથા ચાર્જશીટ રદ કરવા ગુજરાત હાઈકોર્ટમાં પીટીશન કરી.

તે પીટીશનમા આરોપીઓ વિરુધ્ધની FIR અને ચાર્જશીટ રદ કરી આરોપોને છોડી મુકવામાં આવેલ. તે ચૂકાદો એકદમ perfect કારણોસર હતો. તેમાં હાઇકોર્ટે આ ગુનો IPCની એક જોગવાઈ મુજબ અપવાદમાં આવે છે. ઉપરી અધિકારીઓએ તેઓની ફરજના ભાગ રૂપ કોઈ ખાતાકીય પગલાં લીધા હોય તો તે ઓફિસર પોતાનો બચાવ કરી શકતા હતાં.

ઓફિસરોની ફરજ હતી તે ન નિભાવે તો તેની વિરુધ્ધની ઓથોરિટી સામે જવાબદાર ઠરે. આવા ઉપરી અધિકારીઓ તેઓની ફરજના ભાગ રુપ નીચેના કર્મચારી વિરુધ્ધની કોઇ સાચી કે ખોટા ફરીયાદોના કિસ્સામાં કોઇ નિયમ અનુસાર સસ્પેન્ડ કરે કે ખાતાકિય તપાસ કરે તો તેવા કિસ્સામાં અધિકારીઓનો ‘મેન્સ રીયા’ (mens rea)ગુનાહિત ઇરાદો એવો ન કહી શકાય કે જેની વિરુદ્ધ પગલા લીધા તે આપઘાત કરી મરી જાય. આવા કિસ્સા અનેક છે.

ઈન્ડિયન પેનલ કોડમાં કલમ 306 (IPC-306)માં આ ગુનાની સજાની જોગવાઈ લખી છે. દસ વરસની કેદની સજા અને દંડ થઇ શકે.અલબત, આપઘાત એ સામાજિક દૂષણ કે કલંક છે. સમગ્ર માનવ જાત માટે શરમજનક છે. આપઘાત ટાળવા , કોઇ આપઘાત ન કરે તે માટે મોટીવેશનસ સ્પીકરો, સાહિત્ય, આપઘાત ન થાય તે માટે ચિંતકો વિચારકો સાયકોલોજીકલ એક્યપર્ટો, માનસિક રોગોના નિષ્ણાત ડોકટરો સંખ્યાબંધ બુક્સ બહાર પાડે અને અવેરેલસના પ્રોગ્રામો કરે છે. માનવ માત્ર જીવનમાં કોઇપણ આપઘાતનો પ્રયત્ન કરનારનુ જીવન બચાવી લે તો તેનાથી મોટું કોઇ માનવતાનું કામ જ નથી.

IPCની એક કલમ 309 (IPC-309)માં જોગવાઈ એવી છે કે આપઘાતની કોશિષને શિક્ષા પાત્ર ગુનો ગણી તે ગુના બદલ સજા અને દંડની જોગવાઈ છે. કાયદાની વિચિત્રતા તો જુઓ! એક તો જીવનથી કંટાળી જનાર માણસ જો આપઘાત કરવાના પ્રયાસમાં ગમે તે કારણસર સફળ ન થાય કે કોઇ બચાવી લે અને જીવી જાય તો તેના વિરુદ્ધ ગુનો નોંધાય અને કોર્ટમાં જઇ વધુ બદનામ થઈ શિક્ષા પણ ભોગવવાની?

કાયદાની આ જોગવાઈનો હેતુ એ છે કે માનવ જીવન અમૂલ્ય છે તેને તેનો કસમયે અંત લાવી પોતે જાતે મરી જવાની છૂટ નથી. બીજી રીતે જોઈએ તો એક માનવીનુ જીવન સમગ્ર માનવ જાત માટે પણ અમૂલ્ય છે. અને સરકાર અર્થાત રાજ્યની દરેક માનવી તે અમૂલ્ય મિલ્કત છે. કેવું વિચિત્ર કહેવાય આ માનવ જીવન.

Note: આ લેખ નિવૃત્ત એડીશનલ ડીસ્ટ્રીક્ટ જજ કે.બી. રાઠોડ સાહેબની (Retd. Additional District Judge K. B. Rathod) ફેસબુક વોલ પરથી સત્તાવાર પરવાનગી લઈને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે. લેખમાં આપેલી માહિતી સંબંધિત વિગતો માટે સંબંધિત વિભાગના સત્તાવાર સૂત્રોનો સંપર્ક કરશો.

Loading

The post World Suicide Prevention Day: આપઘાત કરે કોઈ ને સજા ભોગવે બીજા! એટલે શું? વાંચો આપઘાતની બાબત અંગેનો કાયદાકીય વિશેષ લેખ appeared first on REVOLT NEWS INDIA.

]]>
7354
World Menstrual Hygiene Day 2022: જાણો શા માટે 28 મેના રોજ ઉજવવામાં આવે છે આ દિવસ અને શું છે આ વર્ષની થીમ http://revoltnewsindia.com/world-menstrual-hygiene-day-2022-why-may-28th-is-celebrated-this-day-and-what-is-the-theme-of-this-year/7271/ http://revoltnewsindia.com/world-menstrual-hygiene-day-2022-why-may-28th-is-celebrated-this-day-and-what-is-the-theme-of-this-year/7271/#respond Sat, 28 May 2022 11:22:29 +0000 http://revoltnewsindia.com/?p=7271 World Menstrual Hygiene Day 2022: આજે પણ દુનિયાના ઘણા દેશોમાં પીરિયડ્સ વિશે લોકોની વિચારસરણી બદલાઈ નથી. જેના કારણે આજે પણ મહિલાઓ આ અંગે ખુલીને વાત કરી શકતી નથી. તેથી લોકોની આ વિચારસરણીને બદલવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે વિશ્વ માસિક સ્વચ્છતા દિવસની (World Menstrual Hygiene Day)ઉજવણી કરવામાં આવે છે. તો આ દિવસની શરૂઆતની સાથે સાથે તે ક્યારે અને કેવી રીતે થયું, આજે આપણે આ લેખમાં આ દિવસ સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ બાબતો વિશે જાણીશું.

The post World Menstrual Hygiene Day 2022: જાણો શા માટે 28 મેના રોજ ઉજવવામાં આવે છે આ દિવસ અને શું છે આ વર્ષની થીમ appeared first on REVOLT NEWS INDIA.

]]>

World Menstrual Hygiene Day 2022: દર વર્ષે 28 મે સમગ્ર વિશ્વમાં માસિક સ્વચ્છતા દિવસ તરીકે ઉજવવામાં આવે છે. જેનો હેતુ મહિલાઓને સુરક્ષિત પીરિયડ્સના ફાયદાઓ વિશે જાગૃત કરવાની સાથે સાથે તેના વિશે ખુલ્લી ચર્ચાને પ્રોત્સાહિત કરવાનો છે.

World Menstrual Hygiene Day 2022: આજે પણ દુનિયાના ઘણા દેશોમાં પીરિયડ્સ વિશે લોકોની વિચારસરણી બદલાઈ નથી. જેના કારણે આજે પણ મહિલાઓ આ અંગે ખુલીને વાત કરી શકતી નથી. તેથી લોકોની આ વિચારસરણીને બદલવાના ઉદ્દેશ્ય સાથે દર વર્ષે વિશ્વ માસિક સ્વચ્છતા દિવસની (World Menstrual Hygiene Day) ઉજવણી કરવામાં આવે છે. તો આ દિવસની શરૂઆતની સાથે સાથે તે ક્યારે અને કેવી રીતે થયું, આજે આપણે આ લેખમાં આ દિવસ સાથે જોડાયેલી કેટલીક મહત્વપૂર્ણ બાબતો વિશે જાણીશું.

વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ (World Menstrual Hygiene Day) નો ઇતિહાસ

પીરિયડ્સ દરમિયાન સ્વચ્છતાના અભાવે મહિલાઓને ઘણી ગંભીર સમસ્યાઓનો સામનો કરવો પડી શકે છે. તેથી આ બાબત કેટલી મહત્વપૂર્ણ છે તે અંગે જાગૃતિ ફેલાવવા માટે, સમગ્ર વિશ્વમાં દર વર્ષે 28 મેના રોજ માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી કરવામાં આવે છે. તે વર્ષ 2014 માં જર્મન સ્થિત NGO ‘WASH United’ દ્વારા શરૂ કરવામાં આવ્યું હતું. આ દિવસની ઉજવણીનો હેતુ છોકરીઓ અને મહિલાઓને તેમના પીરિયડ્સ દરમિયાન સ્વચ્છતા અને સલામતી વિશે શિક્ષિત કરવાનો છે, જે તેમના સારા સ્વાસ્થ્ય માટે જરૂરી છે.

આ દિવસ ફક્ત 28 મેના રોજ જ કેમ ઉજવવામાં આવે છે?

જો તમારા મનમાં પણ આ પ્રશ્ન હોય તો તેનો જવાબ છે કે સામાન્ય રીતે મહિલાઓનું માસિક ચક્ર 28 દિવસમાં આવી જાય છે. આ 28 દિવસના માસિક ચક્રને હાઇલાઇટ કરવા માટે 28 મેની પસંદગી કરવામાં આવી છે.

માસિક સ્વચ્છતા દિવસ (World Menstrual Hygiene Day 2022) ની થીમ

વિશ્વ માસિક સ્વચ્છતા દિવસ (World Menstrual Hygiene Day) આ વખતની થીમ છે ‘making menstruation a normal fact of life by 2030’.

માસિક સ્વચ્છતા દિવસનું મહત્વ

સમગ્ર વિશ્વમાં માસિક સ્વચ્છતા દિવસની ઉજવણી કરવાનો એકમાત્ર ધ્યેય એજ છે કે મહિલાઓ અને છોકરીઓને સેફ પિરિયડ્સના ફાયદાઓ વિશે માહિતગાર કરવાનો છે.

Pic credit- freepik

Edited By: Dinesh Rathod

Loading

The post World Menstrual Hygiene Day 2022: જાણો શા માટે 28 મેના રોજ ઉજવવામાં આવે છે આ દિવસ અને શું છે આ વર્ષની થીમ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/world-menstrual-hygiene-day-2022-why-may-28th-is-celebrated-this-day-and-what-is-the-theme-of-this-year/7271/feed/ 0 7271
જેતપુરની જીવાદોરી સમાન ભાદર-1 ડેમ થયો ઓવરફ્લો http://revoltnewsindia.com/jetpurs-lifeline-same-bhadar-1-dam-overflowed/3250/ http://revoltnewsindia.com/jetpurs-lifeline-same-bhadar-1-dam-overflowed/3250/#respond Mon, 27 Sep 2021 08:46:06 +0000 https://revoltnewsindia.com/?p=3250 જેતપુર અને રાજકોટને પાણી પૂરું પડતા ભાદર-1 ડેમનું  નિર્માણનું કાર્ય 1952 માં શરૂ થયું હતું અને 1964 માં ડેમ નિર્માણ થયો હતો. ત્યારથી આ ડેમ સૌરાષ્ટ્રની જીવાદોરી સાબિત થયો છે.…

The post જેતપુરની જીવાદોરી સમાન ભાદર-1 ડેમ થયો ઓવરફ્લો appeared first on REVOLT NEWS INDIA.

]]>
Photo: Bhadar-1 Dam

જેતપુર અને રાજકોટને પાણી પૂરું પડતા ભાદર-1 ડેમનું  નિર્માણનું કાર્ય 1952 માં શરૂ થયું હતું અને 1964 માં ડેમ નિર્માણ થયો હતો. ત્યારથી આ ડેમ સૌરાષ્ટ્રની જીવાદોરી સાબિત થયો છે.

24 મી વાર ઓવરફ્લો થયો ભાદર-1 ડેમ

સિંચાઈના હેતુથી જ આ ડેમનું નિર્માણ કાર્ય કરવામાં આવ્યું હતું વર્તમાન સમયમાં ડેમ સિંચાઈ ઉપરાંત પીવાના પાણીનો મોટો સ્ત્રોત સાબિત થઈ રહ્યો છે.

રાજકોટ,ગોંડલ,ધોરાજી,ઉપલેટા,જામકંડોરણા,જુનાગઢ, અને જેતપુરના આશરે 46 ગામડાઓમાં ખેતીની જમીનમાં આ ડેમના પાણીનો ઉપયોગ થાય છે.

સારો વરસાદ પડતા જેતપુર ઉપરાંત રાજકોટ, વીરપુર, સહિતના અનેક ગામો ઉપર ઘેરાતું જળસંકટ દૂર થયું

હાલ સારો વરસાદ થયો છે. જેના કારણે સૌરાષ્ટ્રના બીજા સૌથી મોટા ભાદર-1 ડેમમાં પાણી છલોછલ ભરાતા સિંચાઈ ઉપરાંત પીવાના પાણીની સમસ્યાનો અંત આવ્યો છે.

ભાદરડેમની ઉંડાઇનુ લેવલ ચોત્રીસ ફૂટ છે. ભાદર ડેમની પાણીનો જથ્થો સંગ્રહ કરવાની કેપીસીટી 6648 એમ.સી.એફ.ટી, ની છે. ત્યારે હાલ ડેમ 100 ટકા ભરાતા ડેમના બે દરવાજા ખોલવામાં આવ્યા છે.

Loading

The post જેતપુરની જીવાદોરી સમાન ભાદર-1 ડેમ થયો ઓવરફ્લો appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/jetpurs-lifeline-same-bhadar-1-dam-overflowed/3250/feed/ 0 3250
23મી સપ્ટેમ્બર “સંકલ્પ દિવસ” કે જ્યારે આપણને ભીમરાવમાંથી બાબાસાહેબ મળ્યા http://revoltnewsindia.com/september-23rd-is-sankalp-day-when-we-met-babasaheb-from-bhimrao/3165/ http://revoltnewsindia.com/september-23rd-is-sankalp-day-when-we-met-babasaheb-from-bhimrao/3165/#respond Wed, 22 Sep 2021 17:03:14 +0000 https://revoltnewsindia.com/?p=3165 શું તમે તમારી જાતને યુવાન તરીકે ઓળખાવો છો અને બુલંદ અવાજે જય ભીમ બોલો છો? તો બે મિનિટ લાગશે વાંચો… આજના સમયમાં આપણેને ઘર પરિવાર કે સમાજમાં થોડું પણ માન…

The post 23મી સપ્ટેમ્બર “સંકલ્પ દિવસ” કે જ્યારે આપણને ભીમરાવમાંથી બાબાસાહેબ મળ્યા appeared first on REVOLT NEWS INDIA.

]]>

શું તમે તમારી જાતને યુવાન તરીકે ઓળખાવો છો અને બુલંદ અવાજે જય ભીમ બોલો છો? તો બે મિનિટ લાગશે વાંચો…

આજના સમયમાં આપણેને ઘર પરિવાર કે સમાજમાં થોડું પણ માન નથી મળતું તો આપણે મોટું રિસામણું કાઢીએ છીએ. પોતાની જાતને થોડી પણ અપમાનિત થતી સહન નથી કરી શકતા. કારણ કે સ્વમાન બધાને વાહલું હોય છે.

તો વિચાર કરો બાબા સાહેબ બરોડા સ્ટેટમાં ઊંચા અધિકારીના હોદ્દા પર હતા છતાં તેમણે અછૂત (Untouchable) જાતિના કારણે અપમાનિત થવું પડ્યું હતું. અસમાનતા અને આભડછેટનો ભોગ બનવું પડ્યું હતું. આ બાબતનું એટલી હદે લાગી આવ્યું હતું કે હિમાલય જેવું વિશાળ અને મહાન વ્યક્તિત્વ એક બાળક માફક રડી પડ્યું હતું.

અને જે જગ્યા પર બેઠા બેઠા રડ્યા તે વડોદરાનું કમાટી બાગ. આ વાત છે સન 1917ની 23મી સપ્ટેમ્બર, કે જ્યારે બાબા સાહેબે જ્ઞાતિ-જાતિના વાડા તોડવાનો સંકલ્પ લીધો.

પોતે એટલા ઉચ્ચ હોદ્દા પર હોવા છતાં પણ જો આવી અસમાનતાનો સામનો કરવો પડતો હોય તો સામાન્ય દલિતોનું શું થતું હશે ? આ વિચારે બાબા સાહેબને હચમચાવી દીધા. અને અસમાનતાની સાંકળોને તોડવાનો સંકલ્પ લઈ લીધો…

પણ આપણે અત્યારે ક્યાં છીએ ? આપણાં સાચા ઉદ્ધારક બાબા સાહેબ આંબેડકર તેમજ બહુજન મહાનાયકો અને મહનાયિકાઓના બલિદાનને ભૂલીને અન્યોને આપણાં મા-બાપ બનાવીને બેઠા છીએ. અમુક તો કાલ્પનિક તત્વો છે જેનો આપણાં જીવનમાં કોઈ જ મહત્વનું નથી છતાં તેના ગુણ-ગાન કરતા થાકતા નથી અને મોટા ઉપાડે હરખપદુડા થઈ તેના “છોરું” ગણાવે છે.

અરે મૂર્ખાઓ શરમ કરો ! પાણીનો એક એક ઘૂંટ બાબા સાહેબની દેન છે. ભૂલી ન જતા કે પીવાના પાણી માટે પણ બાબા સાહેબને આંદોલન કરવું પડ્યું હતું!

યુવાનો જાગો ! સત્યથી વાકેફ થાઓ, આપણાં સાચા ઉદ્ધારકોને ઓળખો. આ ફોન તમારા હાથમાં છે અને આ વાંચી શકો છો તે પણ બાબા સાહેબની જ દેન છે. તેના થકી જ તમને ભણવાનો અને સંપત્તિનો અધિકાર મળ્યો છે. તમે જે શ્વાસ લઈ રહ્યા છો તે પણ આ મહામાનવની જ દેન છે….

આપણાં સાચા ઉદ્ધારકોને ઓળખીએ. બાબા સાહેબના સંકલ્પને સાર્થક કરવા એક ડગલું વધારીએ...

Loading

The post 23મી સપ્ટેમ્બર “સંકલ્પ દિવસ” કે જ્યારે આપણને ભીમરાવમાંથી બાબાસાહેબ મળ્યા appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/september-23rd-is-sankalp-day-when-we-met-babasaheb-from-bhimrao/3165/feed/ 0 3165
અનામત માત્ર ને માત્ર અસ્પૃશ્યતા નાબૂદી (untouchablity abolition) માટે જ હોઇ શકે. બીજા માપદંડ જ ખોટા છે: મદ્રાસ હાઈકૉર્ટ http://revoltnewsindia.com/reservation-can-only-be-for-abolition-of-untouchability-other-criteria-are-wrong-madras-high-court/2827/ http://revoltnewsindia.com/reservation-can-only-be-for-abolition-of-untouchability-other-criteria-are-wrong-madras-high-court/2827/#respond Wed, 08 Sep 2021 17:01:52 +0000 https://revoltnewsindia.com/?p=2827 દેશમાં અનામતના (Reservation) સતત વધતા પ્રવાહ સાથે, જાતિ વ્યવસ્થા (Caste system) ખતમ થવાને બદલે કાયમી બની રહી છે. હવે તેનો અંત દેખાતો નથી.  બુધવારે કેસની સુનાવણી દરમિયાન મદ્રાસ હાઈકોર્ટે (Madras…

The post અનામત માત્ર ને માત્ર અસ્પૃશ્યતા નાબૂદી (untouchablity abolition) માટે જ હોઇ શકે. બીજા માપદંડ જ ખોટા છે: મદ્રાસ હાઈકૉર્ટ appeared first on REVOLT NEWS INDIA.

]]>

દેશમાં અનામતના (Reservation) સતત વધતા પ્રવાહ સાથે, જાતિ વ્યવસ્થા (Caste system) ખતમ થવાને બદલે કાયમી બની રહી છે. હવે તેનો અંત દેખાતો નથી.  બુધવારે કેસની સુનાવણી દરમિયાન મદ્રાસ હાઈકોર્ટે (Madras High Court) આ વાત કહી હતી. 

હાઈકોર્ટની બેન્ચે કહ્યું, ‘જાતિ પ્રથાને નાબૂદ કરવાને બદલે, વર્તમાન વલણ તેને વધુ કાયમી બનાવી રહ્યું છે. અનંત સમય માટે આરક્ષણ પ્રણાલીના વિસ્તરણને કારણે આવું થઈ રહ્યું છે.  જ્યારે ગણતંત્રમાં અસમાનતા દૂર કરવા માટે તે માત્ર થોડા સમય માટે હતો. 

તે સાચું છે કે દેશની ઉંમર મનુષ્યોની ઉંમર સાથે જોડી શકાતી નથી. પરંતુ ઓછામાં ઓછી પાકતી મુદત 70 વર્ષમાં આવવી જોઈએ.  ‘

મદ્રાસ હાઇકોર્ટે ઓલ ઈન્ડિયા ક્વોટા કેટેગરીમાં મેડિકલ સીટોમાં અનામતના મામલાની સુનાવણી દરમિયાન આ વાત કરી હતી. કોર્ટે MBBS માં પ્રવેશ માટે 10% ટકા EWS ક્વોટા ફગાવી દીધો છે. 

કોર્ટે કહ્યું કે આ 10 ટકા અનામતને કારણે ક્વોટાની 50 ટકા મર્યાદા દૂર થઈ જશે, જે ખોટું છે. આ કેસની સુનાવણી કરતી વખતે કોર્ટે કહ્યું કે અનામતનો સમગ્ર ખ્યાલ ખોટો છે.

કોર્ટે કહ્યું, ‘તેમાં સતત સુધારો અને વધારો થઈ રહ્યો છે.  આને કારણે, જાતિ વ્યવસ્થા પણ મજબૂત થઈ રહી છે.  એટલું જ નહીં તે એવા સ્થળોએ પણ મજબૂત બની રહ્યું છે જ્યાં તેની હાજરી ઓછી હતી. હાઈકોર્ટની બેન્ચે કહ્યું કે નાગરિકોને સશક્ત બનાવવાને બદલે જાતિવાદમાં અનામત વધી રહી છે.  પરિસ્થિતિઓ ઉભી થતી નથી કે યોગ્યતા કંઈપણ નક્કી કરી શકે છે.

ઉપરોક્ત વાત મદ્રાસ હાઈકોર્ટની ! હવે  અમારી વાત :

આર્થિક રીતે સા આધાર પર અનામત આપવા અંગેનો બંધારણીય સુધારો તદ્દન ગેરબંધારણીય

તાજેતરમાં ભારતીય બંધારણનો 103 માં સુધારાનો કાયદો તાત્કાલિક પાર્લામેન્ટમાં પાસ કરી આર્થિક આધાર શિક્ષણ અને જાહેર નોકરી/સેવાઓ માટે 10% ટકા વધારાની અનામતની જોગવાઈ અંગે બંધારણના આર્ટીકલ 15 અને 16 બંનેમાં સબ ક્લોઝ 6 નો ઉમેરો કરી આર્થિક રીતે નબળા વર્ગને અનામતનો લાભ આપવાની જાહેરાત કરી.

જાન્યુઆરી 2019 ના શિતકાલીન લોકસભાના સત્રના તા. 08/01/2019 ના છેલ્લા દિવસે મીનીસ્ટર ઓફ સોશ્યલ જસ્ટીસ એન્ડ એમ્પાવરમેન્ટ થાવરચંદ ગેહલોતે બંધારણીય 124 માં સુધારાનું બીલ મુકવાનો પ્રસ્તાવ લોકસભામાં મુકેલ તે બિલકોઈ જાતની ચર્ચા વગર કે કોઈ વિરોધ વગર 323 સાંસદોના વોટીંગથી પાસ થયા પછી બીજા દિવસે સંસદનું સત્ર સમાપ્ત થવાનું હતું છતાં તેનો એક દિવસ વધારીને રાજ્યસભામાં પણ કોઈપણ જાતની ડીબેટ કે વિરોધ વગર પસાર થાય છે.

રાષ્ટ્રપતિ આ બિલને મંજુરીની મહોર મારી દેતા તે જ દિવસે એટલે કે તા. 12/01/2019 ના રોજ આ બીલ પાસ થઈ જતા તે 103 મો બંધારણીય સુધારાનો કાયદો બની જાય છે.

આ બંધારણીય સુધારા મુજબ આર્ટિકલ 15 ની પેટાકલમ 6 ઉમેરી તે મુજબ આર્થિક રીતે નબળા વર્ગના નાગરીકોને શિક્ષણમાં એટલે કે સરકારી અને ખાનગી રીક્ષણિક સંસ્થાઓમાં વધુમાં વધુ દસ ટકા સુધી અનામતના ધોરણે એડમીશન મળી શકશે.

બીજું આર્ટિકલ 16 માં પેટા ક્લમ 6 ઉમેરી, તે મુજબ આર્થિક રીતે નબળા વર્ગના નાગરિકોને જાહેર/સરકારી નોકરીઓમાં જે તે  કેટેગરીમાં વધુમાં વધુ દસ ટકા સુધી અનામતના ધોરણે ભરતીનો લાભ મળશે. ઉપરોક્ત બંને સુધારા મુજબ શિક્ષણમાં અને સરકારી નોકરીઓમાં માત્ર આર્થિક રીતે નબળા વર્ગના નાગરિકો સિવાય SC/ST/OBC નો કોઈ સમાવેશ નથી. તે જોતા બંધારણના આર્ટીકલ-14 સમાનતાના હકનો ભંગ ગણાય.

આ બંધારણીય સુધારા પછી તરત મીડીયા મોટે ભાગે સમાચારો એવા આપે છે કે સવર્ણોને આર્થિક ધોરણે દસ ટકા અનામત આપવાની સરકારે બંધારણમાં સુધારો કરી જાહેરાત કરી પરંતુ સવર્ણોની આનામતથી SC/ST અને OBC સિવાયનો તમામ વર્ગ જાટ, શીખ, મુસ્લિમ, પાટીદાર અને આવો તમામ વર્ગ તેમાં આવી જાય છે અર્થાત્ આર્થિક રીતે નબળા વર્ગ (Weaker Section) માટેની આ વાત છે.

સવર્ણ શબ્દ વાપરી પ્રજામાં ગુંચવાડો ઉભો કરી અમુક મોટાવર્ગને રાજી રાખવા મીડીયાએ અપપ્રચાર કર્યો. ડૉ. બાબાસાહેબ આંબેડકરે બંધારણ ઘડ્યું ત્યારે ભારતીય સમાજ વ્યવસ્થામાં જે જાતિગત ધોરણે ભેદભાવ, અસમાનતા અને અસ્પૃશ્યતા પ્રવર્તમાન હતા એટલે પ્રત્યેની આભડછેડ દૂર થાય અને આ વર્ગ પ્રજાના સામાન્ય વર્ગમાં ભળી જાય તેવા હેતુથી બંધારણના આમુખમાં સાર્વભૌમિક સમાજવાદી, બિનસાંપ્રદાયિક લોકશાહી સ્થાપવાની, નાગરીકોને સામાજિક ન્યાય આપવાની તથા દરજ્જા અને તકની સમાનતા આપવાના ખ્યાલને આવરી લીધેલ.

ઉપરોક્ત સામાજિક અસમાનતા, ભેદભાવ અને આભડછેડને દૂર કરવા આ સમાજના પછાત (Backward) વર્ગને માટે અનામતની જોગવાઈ કરેલી.

આમ બંધારણ ઘડાયું ત્યારે બંધારણ નિર્માતાનો હેતુ માત્રને માત્ર સામાજિક સમાનતાનો જ હતો અને તેથી જ જે તે વખતે આર્થિક ધોરણે અનામત આપવાની બંધારણમાં ક્યાંય જોગવાઈ કરવામાં આવેલ નથી.

ભારતનું બંધારણ ઘડવામાં આવ્યું ત્યારે બંધારણના ઘડવૈયાઓએ ભવિષ્યના સમય પરિવર્તન સાથે જરૂર પડ્યે બંધારણમાં સુધારા કરવા પડશે તેનો ખ્યાલ રાખીને બંધારણના આર્ટીક્લ 368 માં બંધારણ સુધારવાની સંસદની સત્તા અને તે અંગેની કાર્યવાહીની જોગવાઈ કરેલી.

ઘણી ખરી જોગવાઈઓ અંગે સંસદ બંધારણમાં સુધારા કરી શકે છે. અમુક સુધારા એવા કરવાના થાય કે તેમાં રાજ્યની વિધાનસભા/વિધાન મંડળોની ઓછામાં ઓછી અર્ધી સંખ્યાએ પસાર કરેલ અનુમોદન મેળવવું જરૂરી છે.

કારણ આપણું બંધારણ સમવાયી અને પરિવર્તનશીલ છે. AIR 1973 SC 1461 કેશવાનંદ ભારતી વિ. યુનિયન ઓફ ઈન્ડીયાના કેસમાં 13 ન્યાયાધિશોની બંધારણીય બેંચ સમક્ષના કેસમાં નામદાર સુપ્રિમ કોર્ટે ઠરાવી આપેલ છે કે ભારતીય બંધારણનો મૂળભૂત ઢાંચો (Basic Structure of Constitution) નષ્ટ (destroy) થાય તે રીતે બંધારણમાં સુધારા વધારા કરવાની સત્તા સંસદને નથી.

અને તેથી બંધારણના આર્ટીલ 14,15 અને 16 તે મૂળભૂત અધિકારો છે અને તેનો સમાવેશ બંધારણના મૂળભૂત ઢાંચામાં થતો હોવાથી તેમાં આપેલ નાગરીકોના મૂળભૂત અધિકારો નષ્ટ થાય તે રીતે બંધારણીય સુધારો કરવાની સત્તા સંસદને નથી.

બંધારણના મૂળભૂત અધિકારોના પ્રકરણમાં આર્ટીક્લ-14 થી નાગરીકોને સમાનતાનો હક આપવામાં આવેલ છે.

તેથી આ રીતે આર્થિક રીતે નબળા વર્ગને અનામત આપવાનો બંધારણીય સુધારોબંધારણની મૂળભૂત ભાવના વિરૂધ્ધનો છે તેથી ગેરબંધારણીય છે. AIR 2007 Sc 71 એમ. નાગરાજ વિરૂધ્ધ યુનિયન ઓફ ઈન્ડિયાના કેસમાં નામદાર સુપ્રિમ કોર્ટે ઠરાવેલ છે કે સમાનતાનો અધિકાર તે લોશાહીનો અર્ક છે અને તે બંધારણનું મળભૂત માળખું છે.

વધુમાં આ કેસમાં SC/ST ને નોકરીમાં પ્રમોશનનો લાભ આપવાનું ઠરાવેલ છે તેમાં ક્યાંય આર્થિક પછાતપણાની વાત નથી.

AIR 2017 SC 4609 ના સાયરાબાનોના કેસમાં પણ નામદાર સુપ્રિમ કોર્ટે ઠરાવેલ છે કે ત્રિપલ તલ્લાકની મુસ્લિમ પુરૂષોને મળેલ છૂટાછેડાની છૂટછાટ તે બંધારણના આર્ટીક્લ 14 સમાનતાના અધિકારનો ભંગ છે.

નામદાર સુપ્રિમ કોર્ટે ઈન્દ્રાસાહની અને એમ. નાગરાજના ચુકાદાઓમાં અનામતની સીલીંગ લીમીટ 50 ટકા સુધીની કરેલ છે તેનાથી વધુ નહીં. આ રીતે સમાનતાના અધિકાર બાબતે નામદાર સુપ્રિમ કોર્ટના ચુકાદાઓની ભાવના જોતા 50 ટકાની અનામતની સીલીંગમર્યાદાનો ભંગ કરી આર્થિક ધોરણે વધારાના દસ ટકા અનામતની જોગવાઈ કરતો બંધારણીય સુધારો તે બંધારણની equality code ના ભંગસમાન છે.

Equality Code મુજબ પચાસ ટકા સીલીંગ લીમીટ તે Basic Structure of Constitution નો એક ભાગ છે તેમાં જે દસ ટકા વધારો કર્યો તે ગેરબંધારણીય ગણાય.

AIR 1980 SC 1789 મીનરવા મીલના કેસમાં પણ નામદાર સુપ્રિમ કોર્ટે ઠરાવેલ છે કે બંધારણના આર્ટીલ 368 થી પણ સંસદને બંધારણના પાયાના માળખામાં ફેરફાર કરવાની કોઈ સત્તા નથી.

આમ જોકે સંસદને બંધારણમાં સુધારો કરવાની સત્તા તો છે પણ તે બંધારણના પાયાના માળખાને બદલી શકે નહીં. બંધારણનું અર્થઘટન કરવાનું અને તેનું મૂલ્ય જાળવવાનું કામ ન્યાયતંત્રનું છે.
આમ બંધારણના પાયાના માળખાને જાળવી રાખવાની નામદાર સુપ્રિમ કોર્ટે સંખ્યાબંધ કેસોમાં તરફેણ (favour) કરી છે જ.

બંધારણના આર્ટીક્લ 32 થી આ દેશના નાગરીકોને બંધારણીય ઉપચારોનો મૂળભૂત અધિકાર બક્ષેલ છે જે પણ બંધારણના પાયાના મૂળભૂત માળખાનો એક ભાગ જ છે.

1992 Supp 3 Scc 217 Indra Sawhney Vls Union of India -4 324zi za grotta બંધારણીય બેંચે ચુકાદો આપેલ છે કે પછાત (Backward) વર્ગનું પછાતપણું નક્કી કરવા માટે આર્થિક માપદંડ ધ્યાને લઈ શકાય નહિં.

માત્ર માત્ર સામાજિક પછાતપણું જ જોઈ શકાય. રાજ્ય નીતિના માર્ગદર્શક સિધ્ધાંતોના પ્રકરણમાં આર્ટીકલ-46 mi tenere qud (Weaker Section) – Puct (Concept) છે તે બંધારણના આર્ટીક્લ 16 (4) ના સંદર્ભમાં જે પછાત વર્ગ (Backward Class) થી તદ્દન જુદો છે. પછાત વર્ગ (Backward Class)ને નોકરીમાં અનામત આપવાની વાત છે તેનો સામાજિક હેતુ એવો છે કે, સવર્ણ વર્ગ (Forward Class) ના અમુક જૂજ લોકોની સરકારી નોકરીમાં મોનોપોલી છે તેમાંથી તેવા પછાત વર્ગને હિસ્સો મળે.

નિર્ધનતા (ગરીબી) તે સરકારી નોકરીમાં અનામત આપવાનું માપદંડ કે ધોરણ ન બની શકે. અર્થાત આવી બાબતમાં ધનિક અને ગરીબનું માપદંડ નહોઈ શકે. ઈન્દ્રાસાહનીના કેસમાં નવ જજોની બંધારણીય બેંચે નોકરીમાં અનામત આપવા માટે આર્થિક માપદંડની જોગવાઈને ગેરબંધારણીય ઠરાવેલ છે જ, તે સંજોગો જોતા આ દેશની સંસદને આવો આર્થિક માપદંડ આધારિત અનામત આપવાનો સુધારો ગેરબંધારણીય છે જ.

કેશવાનંદ ભારતીના ચુકાદા મુજબ બંધારણનો મૂળભૂત ઢાંચો નષ્ટ થાય તે હદે બંધારણીય સુધારો ન જ થઈ શકે. તો પણ તેનો ભંગ કરીને SC/ST/OBC વર્ગને બાકાત કરી સંસદે બંધારણીય સમાનતાના હકનો ભંગ કરી જે કંઈ આર્થિક ધોરણે દસ ટકા વધારાની અનામત આપવાનો બંધારણીય સુધારો કર્યો ગેરબંધારણીય છે જ.

માત્રને માત્ર સામાન્ય વર્ગ કે જે SC/ST/ OBC નથી તે જનરલ કેટેગરીને જ આ લાભ મળશે તો તે બંધારણના આમુખના સામાજિક ન્યાય (Social Justice) ના ભંગ સમાન છે. કેશવાનંદ ભારતીના જજમેન્ટ મુજબ આમુખ તે પણ બંધારણના મૂળભૂત માળખાનો એક ભાગ છે.

AIR 2003 SC 355 TMA PAI Foundation ના કેસમાં તથા (2005) AIR 2005 SC 3236 PA Inamdar ના કેસમાં સર્વોચ્ચ અદાલતે નક્કી કરેલ છે કે સરકારી મદનલેતી (Unaided) રીક્ષણિક સંસ્થાઓ અને સરકાર પાસેથી કોઈ ગ્રાન્ટ ન લેતી રીક્ષણિક સંસ્થાઓ ઉપર એડમીશન માટે રાજ્ય સરકાર કોઈ રીઝર્વેશન પોલીસી લાગુ પાડી શકે નહીં,

પરંતુ આવીનીતિયોગ્ય, પારદર્શક અને બિનરોષણારક અને મેરીટ પર આધારિત હોવી જોઈએ તો પછી આવી Un| aided or Nongranted શૈક્ષણિક સંસ્થાઓને અનામત આપવા ફરજ પાડી શકાશે ખરી ? સંસદે પાછળથી 93 મો. બંધારણીય સુધારો કરીને ખાનગી શિક્ષણ સંસ્થાઓમાં અનામત દાખલ કરેલ છે.

આવા આર્થિક માપદંડ પર અનામત આપવાની જોગવાઈ ભવિષ્યમાં અનેક ગૂંચવણો અને ગોટાળા ઉભા કરશે એક વખત કોઈ નાગરીક કે કુટુંબને આર્થિક અનામતનો લાભાર્થી બને અને તે જ નાગરીક કે કુટુંબ સંજોગો અને સ્થિતિ સુધરતા આર્થિક રીતે સધ્ધર થાય તો તેના માટે કોઈ ઉપાય ખરો?

આ બંધારણીય સુધારા પહેલા આ દેશનો મેરીટની તરફેણ કરતો આખો વર્ગ અનામતનો તદ્દન વિરોધ કરતો હતો તે આજે અનામતની તરફેણ કરતો થઈ ગયો છે.

ટૂંકમાં અનામત તે કોઈ અમૂક જ્ઞાતિ કે વર્ગ પુરતી સિમીત નહીં રહેતા દરેક વર્ગ માટે એક સામાન્ય  Generalised Category બની ગઈ છે.

બંધારણીય 103 માં સુધારાના કાયદાને નામદાર સુપ્રિમ કોર્ટ સમક્ષ યુથ ફોર ઈક્વાલિટી અને બીજાઓએ પડકારી આ સુધારાને ગેરબંધારણીય ઠરાવવા માટે આર્ટીક્લ 32 નીચે રીટ પીટીશન દાખલ કરવામાં આવેલ છે.

ઉપરાંત દેશભરમાંથી અમુક નાગરીકો અને એન.જી.ઓ. એ અમુક હાઈકોર્ટ સમક્ષ રીટ પીટીશનો કરી પડકારેલ છે.આમ તમામ સંજોગો જોતા અને સર્વોચ્ચ અદાલતોની જુદી જુદી બંધારણીય બેંચોના ચુકાદાઓ જોતા આ બંધારણીય સુધારો તદ્દન ગેરબંધારણીય છે.

નોંધ: આ લેખ કે.બી. રાઠોડ-નિવૃત્ત એડીશનલ ડીસ્ટ્રીક્ટ જજની ફેસબુક વોલ પરથી સત્તાવાર પરવાનગી લઈને અહીં પ્રસ્તુત કરવામાં આવ્યો છે. લેખમાં આપેલી માહિતી સબંધિત વિગતો માટે સબંધિત વિભાગના સત્તાવાર સૂત્રોનો સંપર્ક કરશો.

Loading

The post અનામત માત્ર ને માત્ર અસ્પૃશ્યતા નાબૂદી (untouchablity abolition) માટે જ હોઇ શકે. બીજા માપદંડ જ ખોટા છે: મદ્રાસ હાઈકૉર્ટ appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/reservation-can-only-be-for-abolition-of-untouchability-other-criteria-are-wrong-madras-high-court/2827/feed/ 0 2827
રાષ્ટ્રીય ગ્રંથપાલ દિવસ કોની યાદમાં ઉજવાય છે? http://revoltnewsindia.com/in-whose-memory-national-librarian-day-is-celebrated/2224/ http://revoltnewsindia.com/in-whose-memory-national-librarian-day-is-celebrated/2224/#respond Fri, 13 Aug 2021 17:29:42 +0000 https://revoltnewsindia.com/?p=2224 ભારતના ગ્રંથાલયના પિતા તરીકે ગણાતા પદ્મશ્રી ડો. એસ.આર.રંગનાથનની જન્મજયંતીની ઉજવણી માટે દર વર્ષ 12મી ઓગસ્ટના રોજ ‘’રાષ્ટ્રીય ગ્રંથપાલ’’ દિનની ઉજવણી કરવામાં આવે છે. ડો. એસ.આર.રંગનાથનને પોતાનું આખુ જીવન સમૃધ્ધ વારસો…

The post રાષ્ટ્રીય ગ્રંથપાલ દિવસ કોની યાદમાં ઉજવાય છે? appeared first on REVOLT NEWS INDIA.

]]>

ભારતના ગ્રંથાલયના પિતા તરીકે ગણાતા પદ્મશ્રી ડો. એસ.આર.રંગનાથનની જન્મજયંતીની ઉજવણી માટે દર વર્ષ 12મી ઓગસ્ટના રોજ ‘’રાષ્ટ્રીય ગ્રંથપાલ’’ દિનની ઉજવણી કરવામાં આવે છે.

ડો. એસ.આર.રંગનાથનને પોતાનું આખુ જીવન સમૃધ્ધ વારસો છોડીને ભારતમાં પુસ્તકાલય વ્યવસાયમાં સમર્પિત કર્યુ હતું. 9 ઓગસ્ટ 1892 ના રોજ રામમૃતમાં જન્મેલા તમિલનાડુ ( હાલમાં ઉભયવેંતમપુરમ,તિરુવરુર જિલ્લો) ખાતે બ્રિટીશ શાસિત ભારતના સિયાળીમાં (હાલમાં સિરકાઝી) નાના શહેરમાં જન્મ થયો હતો. તેમની જન્મ તારીખ 12 ઓગસ્ટ 1892 પણ તેમના પુસ્તક  ‘ધ ફાઇવ લો ઓફ લાઇબ્રેરી સાયન્સ’’ માં લખી હતી. દક્ષિણ ભારતમાં રંગનાથ સાહેબને ગણિતશાસ્ત્રી તરીકેની વ્યાવસાયિક જીવનની શરૂઆત કરી; તેમણે બી.એ. અને તેમના વતન પ્રાંતની મદ્રાસ કિશ્ચયન કોલેજમાંથી ગણિતમાં એમ.એ. તેમણે પાંચ વર્ષના ગાળામાં મેગ્લોર,કોઇમ્બતુર અને મદ્રાસ યુનિવર્સિટીઓમાં ગણિતના સફળ શિક્ષક તરીકે સ્થાપિત કર્યા. ગણિતના શિક્ષક તરીકે તેમણે કાગળો પ્રકાશિત કર્યા. જેમાં મોટા ભાગે ગણિતના ઇતિહાસ પરના હતા. યુનિવર્સિટી લાઇબ્રેરીયન તરીકે જોડાયા પછી તેઓ ઇંગ્લેન્ડ લાઇબ્રેરી તાલીમ માટે ગયા હતા.

                ડો. રંગનાથન સાહેબએ લંડનની યાત્રા કરી. જે તે સમયે બ્રિટનમાં  લાઇબ્રેરી એકમાત્ર સ્નાતક ડિગ્રી પ્રોગ્રામ  હતો. યુનિવર્સિટીમાં તેમણે સરેરાશથી થોડા વધારે ગુણ મેળવ્યા પરંતુ તેનું ગાણિતીક મન વર્ગીકરણ ની સમસ્યા તરફ દોરી ગયું બહારના વ્યક્તિ તરીકે તેમણે લોકપ્રિય દશાંશ વર્ગીકરણ  સાથેની ભુલો હોવાનું માનીને તેના પર ધ્યાન કેન્દ્રિત કર્યું અને પોતાની જાતે નવી શકયતાઓ શોધવાનું શરૂ કર્યુ. તેમણે ડુપ્લિકેશનનો સ્વીકૃતિ પણ ઘડી જેમાં જણાવ્યું છે કે માહિતીના વર્ગીકરણની કોઇપણ સિસ્ટમ આવશ્યકપણે કોઇપણ આપેલા ડેટા માટે ઓછામાં ઓછા બે જુદા-જુદા વર્ગીકરણ સુચવે છે. તેમણે ઘણાં પુસ્તકો લીધા અને દરેકને કેવી રીતે બે અલગ અલગ પરિણામવાળા ડીડીસી નંબરો સાથે વર્ગીકૃત કરી શકાય તે બતાવીને ડ્યુ ડિસિમલ વર્ગીકરણ (ડીડીસી) ની કલ્પનાત્મક રૂપે સાબિત કર્યુ.
           
મદ્રાસમાં રંગનાથન સાહેબના કાર્યકાળના પ્રથમ કેટલાક વર્ષો પુસ્તકાલય વહીવટ અને વર્ગીકરણની સમસ્યાઓ પર ધ્યાન આપતા હતા, આ સમયગાળા દરમ્યાન જ તેમણે તેમની ઉત્તમ બે વારસો તરીકે ઓળખાતી માન્યતાઓનું નિર્માણ કર્યુ. તેમના ‘ધ ફાઇવ લો ઓફ લાઇબ્રેરી સાયન્સ’’ 1931 અને કોલોન વર્ગીકરણ સિસ્ટમ 1933 માં પ્રકાશિત થઇ. પુસ્તકાલય ને મુલ્યવાન એવા પાંચ કાયદો પૈકી (1) પુસ્તકો ઉપયોગ માટે છે. (2) દરેક વાચક તેનું પુસ્તક તથા (3) દરેક પુસ્તક ને તેનો વાચક (4) વાંચકનો સમય બચાવવો તથા (5) ગ્રંથાલય એક ચિરવર્ધમાન સંસ્થા છે. જેવા મહત્વના પાંચ સુત્રો આપ્યા.

Advertisement


           
તેઓને ભારતીય પુસ્તકાલયો, યુનિવર્સિટી લાઇબ્રેરીઓ અને પુસ્તકાલય શિક્ષણને  આધુનિક બનાવવાનું એક મિશન હતું. તેમણે પુસ્તકાલયોના પુસ્તકોના ક્યુરેટર તરીકે નહીં પરંતુ માહિતીના સંદેશાવ્યવહાર ની રચના માટે  તેમના ઉપયોગના સહાયક તરીકે જોયું આ હાંસલ કરવા માટે તેમણે બૌદ્ધિક, વહીવટી, રાજકીય અને સામાજીક સ્તરે કામ કર્યું તેઓ  યુનિવર્સિટીના લાઇબ્રેરિયન અને બનારસ હિન્દુ યુનિવર્સિટી (1945-47 ) માં લાઇબ્રેરી ના પ્રોફેસર અને દિલ્હી યુનિવર્સિટીમાં (1947-55 ) પુસ્તકાલય ના પ્રોફેસર હતાં. છેલ્લી નિમણુકથી તેમને ઉચ્ચ ડિગ્રી પ્રદાન કરનારી પ્રથમ ભારતીય ગ્રંથાલયના શાળાના નિયામક બનાવવામાં આવ્યા. તેઓ 1944 થી 1953 દરમ્યાન ભારતીય લાઇબ્રેરી એસોસિએશના અધ્યક્ષ હતાં. 1957 માં તેઓ ઇન્ટરનેશનલ ફેડરેશન ફોર ઇન્કમશિન એન્ડ ડોક્યુમેન્ટેશન    (FID) માનદ સભ્ય તરીકે ચુંટાયા હતા, અને ગ્રેટ બ્રિટનના લાઇબ્રેરી એસોસિએશનના ઉપ-પ્રમુખ બનાવવામાં આવ્યા
હતા.  


         ડો. એસ. આર. રંગનાથ ની અંતિમ મોટી સિદ્ધિ 1962 માં બેંગ્લોરની ભારતીય આંકડાકીય સંસ્થામા વિભાગ અને સંશોધન  કેન્દ્ર તરીકે દસ્તાવેજીકરણ  સંશોધન અને તાલીમ કેન્દ્રની સ્થાપના હતી. જ્યાં તેમણે પાંચ વર્ષ સુધી માનદ ડિરેક્ટર તરીકે સેવા આપી હતી. 1965 માં ભારત સરકારે ‘’ રાષ્ટ્રીય સંશોધન અધ્યાપક ‘’ ના શીર્ષકથી ક્ષેત્રે પ્રદાન કરવા બદલ તેમનું સન્માન કર્યું.

મહેશ પરમાર, ગ્રંથપાલ, જિલ્લા પુસ્તકાલય, જૂનાગઢ

        તેમનું મૃત્યું 27મી સપ્ટેમ્બર 1972 ના રોજ બેંગ્લોરમાં મૃત્યું થયું. 1992 ના તેમના જન્મની શતાબ્દી પર તેમના સન્માનમાં ઘણા જીવનચરિત્ર ભાગો અને રંગનાથનના પ્રભાવ પર નિંબધોના સંગ્રહ પ્રકાશિત કરવામાં આવ્યા. ડો. એસ.આર. રંગનાથનની આત્મકથા શીર્ષક ‘’ એ લાઇબ્રેરીયન લુક્સ બેક ‘’ થી પ્રકાશિત થઇ. ગ્રંથાલયમાં વિશેષ યોગદાન બદલ તેમને 1957 માં પદ્મશ્રી થી સન્માનિત કરવામાં આવ્યા.

લેખક: મહેશ પરમાર, ગ્રંથપાલ, જિલ્લા પુસ્તકાલય, જૂનાગઢ

Loading

The post રાષ્ટ્રીય ગ્રંથપાલ દિવસ કોની યાદમાં ઉજવાય છે? appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/in-whose-memory-national-librarian-day-is-celebrated/2224/feed/ 0 2224
ફાધર સ્ટેન સ્વામી સરકારને આંખના કણાની માફક શા માટે ખટકતા હતા? http://revoltnewsindia.com/article-on-father-stan-swamy/1827/ http://revoltnewsindia.com/article-on-father-stan-swamy/1827/#respond Tue, 06 Jul 2021 04:50:46 +0000 http://revoltnewsindia.com/%e0%aa%ab%e0%aa%be%e0%aa%a7%e0%aa%b0-%e0%aa%b8%e0%ab%8d%e0%aa%9f%e0%ab%87%e0%aa%a8-%e0%aa%b8%e0%ab%8d%e0%aa%b5%e0%aa%be%e0%aa%ae%e0%ab%80-%e0%aa%b8%e0%aa%b0%e0%aa%95%e0%aa%be%e0%aa%b0%e0%aa%a8/ આપણે ત્યાં UAPA-Unlawful Activities (Prevention) Act, 1967 છે. આ કાયદાની કલમ-15 (આતંકી કૃત્ય); 17 (આતંકી કામો માટે પૈસા એકત્ર કરવા);18 (કાવતરું કરવું) હેઠળ સરકારનો વિરોધ કરનારા સામાજિક કાર્યકરોને જેલમાં પૂરવામાં…

The post ફાધર સ્ટેન સ્વામી સરકારને આંખના કણાની માફક શા માટે ખટકતા હતા? appeared first on REVOLT NEWS INDIA.

]]>

આપણે ત્યાં UAPA-Unlawful Activities (Prevention) Act, 1967 છે. આ કાયદાની કલમ-15 (આતંકી કૃત્ય); 17 (આતંકી કામો માટે પૈસા એકત્ર કરવા);18 (કાવતરું કરવું) હેઠળ સરકારનો વિરોધ કરનારા સામાજિક કાર્યકરોને જેલમાં પૂરવામાં આવે છે.

કલમ- 43D (5)માં જામીન ઉપર નહીં છોડવાની સખ્ત જોગવાઈ છે. જેના કારણે આ એક્ટ હેઠળ સરકાર જેમને જેલમાં પૂરે છે તેને જામીન મળતા નથી. મર્ડર કરનારા/બળાત્કાર કરનારા/ લોકો સાથે છેતરપિંડી કરનારાઓને જામીન મળી જાય છે; પરંતુ UAPA હેઠળના કાચા કામના કેદીઓને જામીન મળતા નથી ! UAPA હેઠળ કેસોમાં કન્વિક્શન રેટ માત્ર 2.2% છે ! મતલબ કે સરકાર કેસનો ચૂકાદો આવે ત્યાં સુધી વિદ્યાર્થી આગેવાનો/આદિવાસી કાર્યકર્તાઓ /માનવવાદીઓ/પત્રકારો વગેરેને જેલમાં લાંબો સમય ઠૂંસી દઈને ચૂપ કરી શકે છે !

અસહમતી/વિરોધ; એ રાજદ્રોહ નથી. સરકાર ચલાવનાર નેતા પોતાને દેશ માને છે; એટલે સરકારને, વિરોધ કરનારાઓ રાજદ્રોહી લાગે છે ! ટ્રાયલ વિના કેદની સજા એ જસ્ટિસ સિસ્ટમનું મોત કહેવાય. UAPA હેઠળ સાબિતીનો રેશિયો 2.2% હોય તો એનો અર્થ એ થાય કે આ કાયદા હેઠળ એરેસ્ટ કરાતા 98% લોકો નિર્દોષ હોય છે !

5 જુલાઈ 2021ના રોજ આદિવાસી એક્ટિવિસ્ટ/માનવઅધિકારના લડવૈયા 84 વર્ષના ફાધર Stan Swamy-સ્ટેન સ્વામીનું પોલીસ કસ્ટડી દરમિયાન હોસ્પિટલમાં અવસાન થયું.

આ સમયે, મુંબઈ હાઈકોર્ટમાં જામીન અંગે સુનાવણી પણ હતી. ભીમા કોરેગાંવ કેસમાં હિંસા ભડકાવવાના આરોપસર ઓક્ટોબર 2020માં NIAએ તેમને એરેસ્ટ કર્યા હતા. તેઓ જ્યુડિશિયલ કસ્ટડીમાં/જેલમાં હતા.

તેમનો જન્મ તામિલનાડુના ત્રિચીમાં 26 એપ્રિલ 1937 ના રોજ થયો હતો. તેમના પિતા કિસાન હતા. શરુઆતમાં પાદરી તરીકે કામ કર્યું; પરંતુ પછી ઝારખંડમાં આદિવાસી ઉત્કર્ષનું કામ શરુ કર્યું. તેમણે લોકોની સેવા માટે ચર્ચની માન્યતાઓની પરવા કરી ન હતી. રાંચી પાસે આદિવાસી બાળકો માટે સ્કૂલ પણ ચલાવતા હતા.

સરકારે 3000 જેટલા સ્ત્રી/પુરુષોને નક્સલવાદી કહીને જેલમાં પૂરી દીધા હતા; આ મુદ્દે તેમણે લડત ચલાવી હતી; હાઈકોર્ટમાં ગયા; જેથી તેમનો છૂટકારો થયો. 2016માં તેમણે મહત્વપૂર્ણ દસ્તાવેજ તૈયાર કર્યો : “Deprived of rights over natural resources, impoverished Adivasis get prison- કુદરતી સંસાધનો ઉપરના અધિકારથી વંચિત કરેલ ગરીબ આદિવાસીઓને જેલ મળી.”

જંગલોમાં બેરોકટોક ચાલતી કોર્પોરેટ લૂંટ ઉપર સવાલ ઉઠાવનાર સ્ટેન સ્વામીને આંતરરાષ્ટ્રીય માન્યતા મળી હતી. આ કારણસર કેન્દ્ર સરકારને/વડાપ્રધાનને સ્ટેન સ્વામી આંખના કણાની માફક ખટકતા હતા.

આ દેશમાં એક તરફ બુધ્ધિજીવીઓને જેલમાં પૂરવામાં આવે છે. બીજી તરફ માલેગાંવ બોમ્બ વિસ્ફોટના આરોપી પ્રજ્ઞા ઠાકુરને જામીન મળી જાય છે અને સત્તાપક્ષની ટિકિટ મળતા સંસદસભ્ય બની જાય છે ! 2002માં ગુજરાતમાં થયેલ નરસંહાર માટે દોષિત ઠરેલ માયા કોડનાણી/બાબુ બજરંગીને તબિયતના કારણે જામીન મળી જાય છે !

ઉત્તરપ્રદેશના પોલીસ ઈન્સ્પેકટર સુબોધસિંહની હત્યાના આરોપીને જામીન મળી જાય છે ! જામિયા મિલિયા ઈસ્લામિયામાં ગોળી ચલાવનાર ‘ભક્ત’ ગોપાલ ખૂલ્લામાં ફરે છે અને હિંસા માટે લોકોને ભડકાવી રહ્યો છે ! ગોદી પત્રકાર અર્ણબ ગોસ્વામીને ‘પર્સનલ લિબર્ટી’ના બહાને તરત જ જામીન મળી જાય છે !

આપણું ન્યાયતંત્ર તો જૂઓ; સુપ્રિમકોર્ટે ત્રણ મર્ડર સબબ જેને ગુજરાતમાંથી તડિપાર કરેલ; તેને સેશન્સ કોર્ટ કેસ ચલાવ્યા વિના જ છોડી મૂકે છે, ત્યારે તપાસ કરનાર CBI ઉપલી કોર્ટમાં અપીલ પણ નથી કરતી ! જ્યારે પાર્કિસનની બિમારીના કારણે સ્ટેન સ્વામી ગ્લાસ પકડી શકતા ન હતા; એટલે પાણી પીવા માટે sipper-સિપર માટે હાઈકોર્ટમાં ગયા તો તેમની અરજી સાંભળવામાં ન આવી !

મહિના પહેલા સ્ટેન સ્વામીએ જામીન અરજી કરી ત્યારે NIAએ હાઈકોર્ટ સમક્ષ સોંગદનામું કરેલ કે એમની બિમારીના કોઈ ઠોસ પુરાવા નથી ! સવાલ એ છે કે જીવનભર શાંતિ અને અધિકારો માટે વંચિતોને લડત ચલાવવાનો રસ્તો બતાવનાર સ્ટેન સ્વામીને અદાલત જામીન ન આપી શકે?

લેખક: રમેશ સવાણી (પૂર્વ આઈજીપી અને પૂર્વ આચાર્ય પોલીસ તાલીમ કેન્દ્ર વડોદરા, ગુજરાત સરકાર)

Loading

The post ફાધર સ્ટેન સ્વામી સરકારને આંખના કણાની માફક શા માટે ખટકતા હતા? appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/article-on-father-stan-swamy/1827/feed/ 0 1827
ન્યૂજર્સીના સ્વામિનારાયણ મંદિર ઉપર FBIએ રેઈડ કેમ પાડી? http://revoltnewsindia.com/why-did-the-fbi-raid-the-swaminarayan-temple-in-new-jersey/1684/ http://revoltnewsindia.com/why-did-the-fbi-raid-the-swaminarayan-temple-in-new-jersey/1684/#respond Wed, 12 May 2021 13:11:45 +0000 http://revoltnewsindia.com/%e0%aa%a8%e0%ab%8d%e0%aa%af%e0%ab%82%e0%aa%9c%e0%aa%b0%e0%ab%8d%e0%aa%b8%e0%ab%80%e0%aa%a8%e0%aa%be-%e0%aa%b8%e0%ab%8d%e0%aa%b5%e0%aa%be%e0%aa%ae%e0%aa%bf%e0%aa%a8%e0%aa%be%e0%aa%b0%e0%aa%be%e0%aa%af/ ભારતમાં કોઈ વિચારી ન શકે તેવું અમેરિકામાં થઈ શકે છે. ભારતમાં માનવ હક્કો કચડાતા હોય તો રાજ્યની CID ક્રાઈમ કે કેન્દ્ર સરકારની CBI પીડિતોને મદદ તો ન કરે; ઉલટાનું માનવહક્કો…

The post ન્યૂજર્સીના સ્વામિનારાયણ મંદિર ઉપર FBIએ રેઈડ કેમ પાડી? appeared first on REVOLT NEWS INDIA.

]]>

ભારતમાં કોઈ વિચારી ન શકે તેવું અમેરિકામાં થઈ શકે છે.

ભારતમાં માનવ હક્કો કચડાતા હોય તો રાજ્યની CID ક્રાઈમ કે કેન્દ્ર સરકારની CBI પીડિતોને મદદ તો ન કરે; ઉલટાનું માનવહક્કો કચડવામાં સહયોગ આપે ! અમેરિકામાં લોકમત જાગૃત છે; કેમકે મીડિયા જાગૃત છે; એટલે ‘પવિત્ર સ્થળો’એ રેઈડ કરી કાનૂની કાર્યવાહી કરવામાં આવે છે. 11 મે 2021 ના રોજ ન્યૂજર્સીના રોબિન્સવિલે સ્થિત BAPS-બોચાસણવાસી અક્ષરપુરુષોત્તમ સ્વામિનારાયણ સંસ્થા દ્વારા નિર્માણાધિન મંદિર ખાતે FBI-ફેડરલ બ્યૂરો ઓફ ઈન્વેસ્ટિગેશને રેઈડ કરતા ઊહાપોહ મચી ગયો !

FBIએ આ મંદિર ઉપર શામાટે રેઈડ પાડી?

ભારતથી 200 જેટલાં કારીગરો/શ્રમિકોને મંદિર નિર્માણના કામ માટે ત્યાં લઈ જવામાં આવ્યા છે. આ શ્રમિકો પાસે વીકમાં 90 કલાક સુધી કામ લેવાતું હતું અને કલાક દીઠ વળતર ઓછું ચૂકવાતું હતું ! BAPS સામે બળજબરીપૂર્વક કામ કરાવવા/ટ્રાફિકિંગ/વેતનચોરી અંગે lawsuit-કેસ દાખલ થતા FBIએ મંદિર ઉપર રેઈડ કરી હતી. ન્યૂજર્સીમાં minimum wage-લઘુત્તમ વેતન કલાકના 12 ડોલર છે; જ્યારે મંદિર નિર્માણનું કામ કરતા આ શ્રમિકોને કલાકના માત્ર 1.20 ડોલરનું જ વેતન ચૂકવવામાં આવતું હતું !

શ્રમિકોના વકીલે મીડિયાને જણાવેલ કે “ભારતથી આ શ્રમિકોને ‘ધાર્મિક કાર્યકરો’ તરીકે અહીં લાવવામાં આવેલ છે; પરંતુ તેઓ નથી ધાર્મિક કાર્યકરો કે નથી સ્વયંસેવકો ! તેઓ માત્ર શ્રમિકો છે. તેમને પરત જવાની મંજૂરી અપાતી નથી; તેમના પાસપોર્ટ મંદિરે લઈ લીધેલ છે ! શ્રમિકોને કહી રાખેલ છે કે બહાર જશો તો પોલીસ પકડી જશે ! દિવસમાં 13 કલાક સુધી શ્રમિકો પાસેથી પશુ કે યંત્ર જેમ કામ લેવાતું હતું ! મોટા પથ્થરોને ઊંચકવા/ ક્રેન ચલાવવી/ખાડાઓ ખોદવા/સળિયાઓ ફેરવવા વગેરે મેન્યુઅલ કામ શ્રમિકો કરતા હતા.” શ્રમિકોનું કેટલું શોષણ ! કલાકના 12 ડોલરના બદલે માત્ર સવા ડોલર ચૂકવાય !

શ્રમિકોના પાસપોર્ટ મંદિર પોતાની પાસે કઈ રીતે રાખી શકે?

કોઈ શ્રમિકને ભારત પરત આવવું હોય તો પણ મંદિર મંજૂરી ન આપે ! આ મંદિરવાળા ભારતથી માત્ર પથ્થરો અને શ્રમિકો નથી લઈ ગયા; સાથે વેઠપ્રથા પણ લઈ ગયા છે ! આ શ્રમિકોમાં દલિતો પણ છે. વિચારો; ગર્વથી એવો દાવો કરવામાં આવે છે કે આ મંદિરો ભારતીય સંસ્કૃતિ/સંસ્કારનું વિદેશોમાં પ્રતિનિધિત્વ કરે છે; શું આ દાવો ખોખલો નથી?

લેખક: રમેશ સવાણી (પૂર્વ આઈજીપી અને આચાર્ય પોલીસ તાલીમ કેન્દ્ર વડોદરા, ગુજરાત સરકાર)

Loading

The post ન્યૂજર્સીના સ્વામિનારાયણ મંદિર ઉપર FBIએ રેઈડ કેમ પાડી? appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/why-did-the-fbi-raid-the-swaminarayan-temple-in-new-jersey/1684/feed/ 0 1684
દલિત વરઘોડાના પોલીસ બંદોબસ્તનો ખર્ચ સામૂહિક દંડ તરીકે વસૂલ કરી શકાય? http://revoltnewsindia.com/guj_dalit_atrocity_in_sabarkantha/1607/ http://revoltnewsindia.com/guj_dalit_atrocity_in_sabarkantha/1607/#respond Sun, 07 Mar 2021 10:27:23 +0000 https://revoltnewsindia.com/?p=1607 શહેરી વિસ્તારમાં હિન્દુ-મુસ્લિમ વચ્ચે હુલ્લડ થાય ત્યારે દલિતો પ્રખર હિન્દુ લાગે છે ; પરંતુ કોઈ દલિત ઘોડી ઉપર બેસીને ‘વરઘોડો’ કાઢે કે ‘ફૂલેકું’ કાઢે તે વખતે તે હિન્દુ મટીને શૂદ્ર…

The post દલિત વરઘોડાના પોલીસ બંદોબસ્તનો ખર્ચ સામૂહિક દંડ તરીકે વસૂલ કરી શકાય? appeared first on REVOLT NEWS INDIA.

]]>

શહેરી વિસ્તારમાં હિન્દુ-મુસ્લિમ વચ્ચે હુલ્લડ થાય ત્યારે દલિતો પ્રખર હિન્દુ લાગે છે ; પરંતુ કોઈ દલિત ઘોડી ઉપર બેસીને ‘વરઘોડો’ કાઢે કે ‘ફૂલેકું’ કાઢે તે વખતે તે હિન્દુ મટીને શૂદ્ર બની જાય છે ! આટલો દંભ અને હલકી માનસિકતા દુનિયામાં કોઈ જગ્યાએ જોવા મળતી નથી.

સાબરકાંઠા જિલ્લાના વડાલી પોલીસ સ્ટેશન હેઠળના ભજપુરા ગામે 6 માર્ચ 2021 ના રોજ દલિત સમાજના દુર્લભ સુતરિયાના લગ્ન પ્રસંગે વરઘોડો કાઢવામાં આવ્યો; તેનો પોલીસ બંદોબસ્ત ગજબનો હતો : 1 DySP; 1 PI; 7 PSI; અને 60 પોલીસ કોન્સ્ટેબલ્સના બંદોબસ્ત વચ્ચે આ વરઘોડો નીકળ્યો હતો ! કેટલાંક કહે છે કે વરઘોડો કાઢવો/સાફો બાંઘવો/મૂછો રાખવી વગેરે સામંતશાહીની નિશાનીઓ છે; એને છોડી દેવી જોઈએ. આવી દલીલ કરીને છટકી શકાય નહીં. સમાજનો ઉપલો વર્ણ દલિતો સાથે અપમાનજનક વર્તન કરી શકે નહીં. ઘોડી ઉપર બેસવું/સાફો બાંધવો એ માત્ર ઉપલા વર્ણના લોકોનો રિવાજ છે; જેનું અનુકરણ દલિતો કરી શકે નહીં; એવી દલીલ કરી શકાય નહીં.

આ સમય ભારતીય બંધારણના માનવીય ગૌરવનો છે; મનુસ્મૃતિનો નથી; આટલી સમજ આપણામાં કેમ ઊગતી નથી? 60 પોલીસ કર્મચારીઓ અને 9 પોલીસ અધિકારીઓ એક વરધઘોડા પાછળ રોકાય તે સરકાર માટે શરમજનક બાબત કહેવાય.

ક્યાં સુધી પોલીસ બંદોબસ્ત હેઠળ દલિતોના વરઘોડા કાઢશો? પટેલો/ઠાકોર/કોળી વગેરે સમાજના લોકો પણ દલિત વરઘોડાનો વિરોધ કરે છે; તેમણે મનુસ્મૃતિ વાંચી લેવી જોઈએ. તેઓ ઉપલા ત્રણ વર્ણમાં આવતા નથી; છતાં શામાટે દલિતોનો વિરોધ કરતા હશે?

મોરારીબાપૂ/પાંડુરંગ શાસ્ત્રી/શ્રી શ્રી રવિશંકર/જગ્ગી વાસુદેવ વગેરેની મોટિવેશનલ વાતોથી સમાજ સુધરતો નથી; જો કંઈક પણ ફરક પડતો હોય તો દલિત વરઘોડા વખતે તોતિંગ પોલીસ બંદોબસ્ત રાખવાની જરુર જ ન રહે ! આ પ્રકારના અન્યાય બંધ ન થઈ શકે? શું માનવીય ગૌરવને હાનિ ન પહોંચે તે માટે કોઈ ઉપાય નથી? ઉપાય તો છે; પણ નિષ્ઠાનો અભાવ છે. એટ્રોસિટી એક્ટ તેમજ ગુજરાત પોલીસ એક્ટમાં સામૂહિક દંડ વસૂલ કરવાની પરફેક્ટ જોગવાઈ છે ! મારી દ્રષ્ટિએ જે ગામમાં/કસબામાં દલિત વરઘોડાનો વિરોધ કરવામાં આવે અને એ વરઘોડો જો પોલીસ બંદોબસ્ત સાથે કાઢવામાં આવે તો; પોલીસ બંદોબસ્તનો સઘળો ખર્ચ ગામના બિનદલિતો પાસેથી વસૂલ કરવો જોઈએ; તો જ બિનદલિતોની માનસિકતામાં સુધારો થશે !

લેખક: રમેશ સવાની (પૂર્વ આઈજીપી ગુજરાત પોલીસ અને પૂર્વ આચાર્ય પોલીસ ટ્રેનિંગ સ્કૂલ વડોદરા)

Loading

The post દલિત વરઘોડાના પોલીસ બંદોબસ્તનો ખર્ચ સામૂહિક દંડ તરીકે વસૂલ કરી શકાય? appeared first on REVOLT NEWS INDIA.

]]>
http://revoltnewsindia.com/guj_dalit_atrocity_in_sabarkantha/1607/feed/ 0 1607